Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા.૧૬ : જામનગરના રેલવે સ્ટેશનથી ધરારનગર વચ્ચે રેલવેના પુલ પર ગઈકાલે એક અજાણ્યા યુવાન ટ્રેન હડફેટે ચડયા પછી મોતને શરણ થયા છે. જામનગરના રેલવે સ્ટેશન પરથી ગઈકાલે સાંજે રવાના થયેલી એક ટ્રેન જ્યારે ધરાર નગર પાસે બ્રિજ નજીક પહોંચી ત્યારે અંદાજે પચ્ચીસેક વર્ષના એક યુવાન તેની ઠોકરે ચઢી ગયા હતા. આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસને જાણ કરાતા રેલવે પોલીસના હે.કો. માલદે વાળા, દીપુરાજસિંહ જાડેજા દોડી ગયા હતા. તેઓએ અંદાજે પચ્ચીસેક વર્ષના લાગતા મૃતકના દેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial