Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેલંગણાના કામદારો પર તલવારથી હિંચકારો હુમલો
નવી દિલ્હી તા. ૧૬: દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા થઈ છે. પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યા હતાં જયારે એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે.
દુનિયાના સૌથી સુરક્ષિત શહેર ગણાતા દુબઈમાં બે ભારતીયોની હત્યાના આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. તેલંગાણાના બે કામદારોની દુબઈમાં પાકિસ્તાનીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. મંગળવારે બે પીડિતોના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે એક પાકિસ્તાની નાગરિકે દુબઈની એક બેકરીમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરતા હુમલો કર્યો હતો. મૃતકોમાંથી એકના કાકા એ પોશેટ્ટીએ જણાવ્યું હતું કે નિર્મલ જિલ્લાના સોન ગામના અષ્ટપુ પ્રેમસાગર (૩૫) ની ૧૧ એપ્રિલના રોજ તલવાર વડે હત્યા કરવામાં આવી હતી. આ કથિત ઘટના તે બેકરીમાં બની હતી જ્યાં પીડિતો કામ કરતા હતા.
પોશેટ્ટીએ જણાવ્યું હતું કે પ્રેમસાગરના પરિવારમાં તેમની ૫ત્ની અને બે બાળકો સામેલ છે. તેમના પરિવારના સભ્યોને આ અંગે જાણ કરવામાં આવી નથી. તેમણે સરકારને મૃતદેહને ભારત લાવવામાં મદદ કરવા વિનંતી કરી. દરમિયાન, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે બીજા મૃતકનું નામ શ્રીનિવાસ હતું, જે નિઝામાબાદ જિલ્લાનો રહેવાસી હતો. જ્યારે બીજી બાજુ હુમલામાં ઘાયલ થયેલા વ્યક્તિની ૫ત્ની ભવાનીએ નિઝામાબાદ જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમના પતિ સાગરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial