Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડની સરકારી વિનયન કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ

રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૬: ભાણવડની સરકારી વિનયન કોલેજમાં ૧૪ મો દિક્ષાંત સમારંભ, ઈનામ વિતરણ તેમજ વિદ્યાર્થી સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમ રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સિપાલ ડો. જે.આર. ઓઝા, સ્વામી ચિરંતના- નંદજી, નાયબ કલેક્ટર કરમટા, નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, મામલતદાર ચાવડા, ટીડીઓ બૈડિયાવદરા, સીઆરસી કો.ઓ. નિલેશભાઈ ગાગલિયા, એડવોકેટ વી.યુ. વાળા, ડો. રમેશભાઈ ભટ્ટ, સભ્ય કારાવદરા, કોલેજનો સ્ટાફગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કોલેજના પ્રિન્સિપાલ ડો. આર.એસ. રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. વિવિધ સિદ્ધિઓ મેળવનાર ૧પ૦ જેટલા વિદ્યાર્થીઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

સ્વામી ચિરંતના નંદજી, પૂર્વ પ્રિન્સિપાલ ડો. જે.આર. વાંઝા, મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સંચાલન દિલીપભાઈ ત્રિવેદીએ અને આભારદર્શન જીજ્ઞાબા રાણાએ કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh