Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ ચૂકવ્યા પછી પણ ચેક રિટર્નની ધમકીઃ
જામનગર તા.૧૬ : જામનગરના એક આસામીએ છ ટકાથી દસ ટકા સુધી વ્યાજ ચૂકવી ચાર શખ્સ પાસેથી હાથઉછીની રકમ લીધી હતી તેનું વ્યાજ ચૂકવ્યા પછી પણ બેંકના કોરા ચેકમાં વધુ રકમ લખી ચેક પરત કરાવવાની ફરિયાદ કરવાની ધમકી આપી ચારેય શખ્સ પજવતા હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ મધુરમ સોસાયટીમાં રહેતા વિજય જયંતિભાઈ પિત્રોડા નામના યુવાને ધંધા માટે પૈસાની જરૂરિયાત ઉભી થતાં હરદેવસિંહ જાડેજા પાસેથી રૂ.૫૦ હજાર સાડા સાત ટકાના વ્યાજે લીધા હતા. તે પછી વ્યાજ સાથે રૂ.૯૬ હજાર ચૂકવ્યા હતા.
ત્યારપછી સુભાષ સોલંકી નામના શખ્સ પાસેથી છ ટકાના વ્યાજે રૂ.૨૦ હજાર લઈ વિજયભાઈએ રૂ.૧૦૮૦૦ ચૂકવ્યા હતા અને મયુરસિંહ જાડેજા પાસે રૂ.૨૦ હજાર ૧૦ ટકાના વ્યાજે લઈ રૂ.૨૪ હજાર તેમજ પૃથ્વીસિંહ જાડેજા પાસે રૂ.૨૦ હજાર ૧૦ ટકાના વ્યાજે લઈ રૂ.૮ હજાર ચૂકવ્યા હતા.
આમ છતાં હરદેવસિંહ, સુભાષ સોલંકી, મયુરસિંહ તથા પૃથ્વીરાજસિંહે વધુ વ્યાજની માગણી કરી વિજયભાઈના બેંકના કોરા ચેકમાં વધુ રકમ લખી રિટર્ન કરાવવાની ધમકી આપી હતી અને પથિકાશ્રમ તથા જી.જી. હોસ્પિટલ પાસે આવી વિજયભાઈને ધમકી પણ આપી હતી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial