Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લામાં પત્રકારના પુત્ર યશ વરિયાની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક અને સેવાકાર્યો

તા. ૧૭ અને ૧૮ મી એપ્રિલે

                                                                                                                                                                                                      

જામનગર તાલુકાના ફલ્લા વિસ્તારના પત્રકાર મુકેશ વરિયાના પુત્ર સ્વ. યશ વરિયાની ૧૬ મી પુણ્યતિથિ તા. ૧૮-૪-ર૦રપ ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવશે. તા. ૧૭-૪-ર૦રપ ના યશ જે વિવેકાનંદ શાળામાં અભ્યાસ કરતો હતો તે શાળામાં ભોજન, તા. ૧૮-૪-ર૦રપ ના વાછરાડાડાને દિવેલ, પક્ષીઓને ચણ, ગાયોને ઘાસ, કૂતરાઓને લાડુ, બીજી ગૌશાળાઓમાં દાન, ગામના બાળકોને બટુક ભોજન તથા રામપરના પાટિયા પાસેના શ્રી બાલાહનુમાન રામદેવ આશ્રમમાં ચાલતી કથામાં તા. ૧૮-૪-રપ ના રાત્રિના ૯-૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વિનુભાઈ આહિર, રીટા ગૌસ્વામી, મુકેશભાઈ બારોટ તથા સાથી કલાકારો સંતવાણી રજૂ કરશે. દરેક ધર્મપ્રેમી જનતાનેઆ કાર્યક્રમમાં જોડાવવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે. સોળ વર્ષ પહેલા યશ વરિયાનું શાળામાં જ ઉલટી થયા પછી આકસ્મિક નિધન થયું હતું. શાળામાં અવ્વલ નંબર મેળવતો યશની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh