Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકાતા તા. ૧૬: એક રેપ કેસમાં ચૂકાદો આપતા કોલકાતા હાઈકોર્ટે એવું કહ્યું કે બે પરિણીત પુખ્ત વયના લોકો વચ્ચે શારીરિક સંબંધ, જો શરૂઆતથી જ સંમતિથી હોય, તો તે કોઈને લગ્નના ખોટા વચનથી લલચાવવા સમાન નથી અને તે ફોજદારી ગુનો નથી. ન્યાયાધીશ બિશ્વાસ રંજન દેએ કહ્યું કે બન્ને પક્ષો પરિણીત છે અને એકબીજાના હક દરજ્જાથી વાકેફ છે. તો પછી આવી પરિસ્થિતિઓમાં આપવામાં આવેલી સંમતિને બળજબરીથી કે ખોટા વચન દ્વારા ગેરમાર્ગે દોરવાને બદલે સંમતિથી માનવામાં આવશે, કારણ કે શારીરિક સંબંધ માટે પ્રારંભિક સંમતિ પરસ્પર આકર્ષણ પર આધારિત માનવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બન્ને પક્ષો તેમના સંબંધિત વૈવાહિક જવાબદારીઓથી વાકેફ હશે.
આ કેસની વાત કરીએ તો એક પરિણીત મહિલાએ એક પરિણીત પુરુષ પર લગ્નના ખોટા વચન દ્વારા તેને ઘનિષ્ઠ સંબંધં ફસાવવાનો આરોપ લગાવતી ફરિયાદમાં આરોપીઓની 'દોષિત માનસિક્તા અને ગુપ્ત હેતુઓ' સ્પષ્ટ થયા નથી. તેમ માનતા ન્યાયાધીશે પુરુષ સામેની કાર્યવાહી રદ્ કરી. મહિલા દ્વારા ૮ સપ્ટેમ્બર ર૦ર૪ ના ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસનો ટૂંકસાર એ છે કે બે પરિણીત લોકો બે વર્ષથી લગ્નબાહ્ય સંબંધમાં હતાં, જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી અને તેણે તેની સાથે રહેવાનો ઈનકાર કર્યો, ત્યારે તેણે તે પુરુષ સાથે લગ્ન કરવા કહ્યું જેની સાથે તેણીનો સંબંધ હતો. જ્યારે પુરુષે ના પાડી, ત્યારે મહિલાએ તેની વિરૂદ્ધ માચનાગુરી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૬૯ (કપટપૂર્ણ રીતે જાતિય સંભોગ) અને ૩પ૧(ર) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ દાખલ કર્યો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial