Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાષા કોઈ ધર્મની ન હોઈ શકે - કોઈ સમુદાય કે ક્ષેત્રની હોય છેઃ અદાલત
નવી દિલ્હી તા. ૧૬: ઉર્દુ ભાષાનો જન્મ ભારતમાં થયો છે, જે તે મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું ગણાયા તે પ્રકારનો સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહૃાું ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ. ઉર્દૂ 'ગંગા-જમુની તહેજીબ'નું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ ભાષાનો જન્મ ભારતમાં જ થયો છે.
જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે પાતુર નગર નિગમના પૂર્વ કાઉન્સિલર વર્ષાતાઈ સંજય બાંગડેની અરજી ફગાવી દીધી હતી. અરજદારે સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સ્થાનિક ઑથોરિટી (સત્તાવાર ભાષા) ઍક્ટ, ૨૦૨૨ હેઠળ ફક્ત મરાઠીનો ઉપયોગ થવો જોઈએ. તેની સામે સુપ્રિમ કોર્ટની બેન્ચે કહૃાું કે 'ભાષા કોઈ ધર્મની ન હોઈ શકે, તે કોઈ સમુદાય કે ક્ષેત્ર અને લોકોની હોય છે.' જસ્ટિસ ધૂલિયાએ તેમના ચુકાદામાં કહૃાું કે ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો છે અને તેને કોઈ ધર્મ સાથે જોડવી એ યોગ્ય નથી. આ ગંગા-જમુની તહેજીબનું પ્રતીક છે જે ઉત્તર અને મધ્ય ભારતના સમન્વિત સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉર્દૂ અને મરાઠી બંનેને બંધારણ હેઠળ સમાન દરજ્જો છે. કોર્ટે કહૃાું કે જો સ્થાનિકો ઉર્દૂ ભાષાથી વાકેફ છે તો સાઇનબોર્ડ પર આ ભાષાના પ્રયોગ સામે કોઈ વાંધો ન હોવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial