Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી બેંકના છૂટા કરી દેવાયેલા કર્મચારીનો કેસ રદ્દઃ મજૂર અદાલત

ઉચાપતના આક્ષેપ પછી થઈ હતી ખાતાકીય તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૬ : જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના એક કર્મચારી સામે ઉચાપત અંગે આક્ષેપ થયા પછી ખાતાકીય તપાસના અંતે તેને નોકરી પરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. આ કર્મચારીએ નોકરી પર પુનઃ સ્થાપિત કરવા કરેલો કેસ મજૂર અદાલતે રદ્દ કર્યાે છે.

જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેંકની શાખામાં ફરજ બજાવતા હેમત વાલજીભાઈ પરમારના ફરજકાળ દરમિયાન તેના પિતા વાલજીભાઈ વસરામભાઈ, કાકા પ્રાગજીભાઈ પરમાર બેંક સાથે જોડાયેલી સ્વાશ્રયી કૃષિ સેવા સહકારી મંડળી-જીવાપરના પ્રમુખ-મંત્રી તરીકે સેવા આપતા હતા.

આ તમામ વ્યક્તિએ તેઓના પરિવારના ખેડૂત ખાતેદારોની જમીન કરતા વધુ ક્ષેત્રફળ દર્શાવી ખોટા દસ્તાવેજ બનાવી ધિરાણ મેળવી લીધુ હતું અને બેંકની મોટી રકમની ઉચાપત કરી લીધી હતી. તેની બેંકે ફોજદારી ફરિયાદ કરી હતી અને વસૂલાત માટે દાવા પણ કર્યા હતા.

બેંકના કર્મચારીએ આચરેલી ગેરરીતિ અંગે ચાર્જશીટ અપાયા પછી ખાતાકીય તપાસ કરાઈ હતી અને કસુરવાર સાબિત થતાં હેમત પરમારને ફરજમાંથી છૂટો કરાયો હતો. તે હુકમને હેમત પરમારે મજૂર અદાલતમાં પડકાર્યાે હતો. તે કેસ સંબંધે બેંકના વકીલ હમીદ દેદાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી મજૂર અદાલતે હેમત વાલજીભાઈ પરમારનો પુનઃ સ્થાપિત થવાનો કેસ રદ્દ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh