Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિ દુર્ગંધ ફેલાવતા
ભાટિયા તા. ૧૬: જામકલ્યાણપુરના ભાટિયા ગામના કેશરિયા તળાવમાંથી પંચાયત તંત્રએ કચરો-ગંદકી દૂર કરાવ્યા છે. આગામી દિવસોમાં તળાવમાંથી કાંપ કાઢવાની કામગીરી પણ કરવામાં આવનાર છે.
ભાટિયાના કેશરિયા તળાવમાં પ્લાસ્ટિકની કોથળીઓને અને બોટલો, અઢળક કચરો ફેંકવાથી વ્યાપક ગંદકી જોવા મળતી હતી, અને અસહ્ય દુર્ગંધથી ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બનતું હતું. આ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા પંચાયત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી.
આથી ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચ ચાવડાભાઈના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સતત ર૪ કલાક કામગીરી કરાવી, ત્રણ મશીનનો ઉપયોગ કરીને પાણી ઉલેચી તેમાંથી ગંદકી સંપૂર્ણ સાફ કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ, ટ્રેક્ટરો સહિતના ઉપયોગથી સફાઈ પછી દુર્ગંધમાં પણ રાહત અનુભવાઈ છે.
સરપંચના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તળાવમાંથી કાંપ કાઢવાની કામગીરી કરવામાં આવશે. હજુ પણ રાવલ નગરપાલિકા પાસેથી બે પંપ મંગાવી તળાવને સંપૂર્ણ કચરા મુક્ત બનાવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial