Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે સહિત કુલ ર૯ કર્મચારીને નોકરીમાંથી તગેડી મૂકાયા

જામનગર તા. ૧૬: વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડ થયા અંગેની ફરિયાદ ઊઠવા પામ્યા પછી તપાસના અંતે જામનગરના બે સહિત ર૯ જુનિયર આસિસ્ટન્ટને નોકરીમાંથી તગેડી મૂકવામાં આવ્યા છે. વર્ષ ર૦ર૧ માં વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ સમયે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ થવા પામી હતી કે, પરીક્ષામાં ગેરરીતિ થવા પામી છે. રાજકોટ કેન્દ્રમાં આ પરીક્ષા ખાનગી કંપની સક્સેશ ઈન્ફોટેક દ્વારા લેવાઈ હતી. જેની તપાસના અંતે ર૯ કર્મચારીને છૂટા કરવા વીજ તંત્રના ઉચ્ચઅધિકારી દ્વારા આદેશ કરાયો હતો. આ કૌભાંડમાં જામનગર જિલ્લાના બે કર્મચારીઓ પ્રકાશભાઈ નંદાણિયા (જામજોધપુર) અને રૂપલબેન મારૂ (લાલપુર) નો સમાવેશ થાય છે. આ પરીક્ષા કૌભાંડમાં ૧૦ થી ૧પ લાખનો વહીવટ થયાનો આક્ષેપ થવા પામ્યો હતો. જેતે સમયે પરીક્ષા કેન્દ્રના ખાનગી માલિક, કોમ્પ્યુટર લેબ, ઈન્ચાર્જ સહિત કુલ ૧ર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh