close

Jan 22, 2025
બાર દબાણકારોને નોટીસ પણ અપાઈ હતીઃ મ્યુનિ. કમિશ્નર-એસ.પી. એ ગઈકાલે નિરીક્ષણ પણ કર્યુ હતું જામનગર તા. રરઃ જામનગરમાં સુભાષબ્રીજ નીચે નદીના પટમાં- બચુનગર વિસ્તારમાં થયેલા ૧૨ જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા આજે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જામનગરના નદીના પટમાં અને બચુનગરમાં અનેક નાના-મોટા બને કાચા-પાકા ગેરકાયદે બાંધકામના દબાણ કરવામાં આવ્યા છે. પરિણામે નદીના વહેણને અવરોધ ... વધુ વાંચો »

Jan 22, 2025
અફઘાન-તાલીબાન સરકાર સાથે ચોંકાવનારી ડીલ! વોશિંગ્ટન તા. રરઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લાદેનના 'મિત્ર'ને જેલમાંથી મુક્ત કર્યો અને તાલિબાને બદલામાં ર અમેરિકન નાગરિક છોડ્યા તેની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે. અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણય લઈ રહ્યા છે. તેણે કાર્યભાર સંભાળતા જ કુખ્યાત આતંકી ઓસામા બિન લાદેનના ખાસ મિત્ર કહેવાતા ખાન મોહમ્મદને ગ્વાંતાનામો જેલથી મુક્ત કરીને સૌને ચોંકાવી દીધા છે, જો કે તેના બદલામાં અફઘાનિસ્તાનની તાલિબાન ... વધુ વાંચો »

Jan 22, 2025
ફળ-શાકભાજી વેંચવા જતા હતાં અને કાળનો પંજો પડ્યોઃ બેંગ્લુરૂ તા. રરઃ કર્ણાટકમાં મોટી કરૂણાંતિકા સર્જાઈ હતી. ફળ-શાકભાજી વેંચવા જતા ૩૦ લોકો સાથે ટ્રક પલટી જતા ૧૦ ના મોત થયા હતાં જ્યારે ૧પ જેટલા લોકો ઘાયલ થયા હતાં. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ ૧૦ લોકો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય ૧પ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ દુર્ઘટના અરેબૈલ અને ગુલ્લાપુરા વચ્ચે નેશનલ હાઈ-વે ... વધુ વાંચો »

Jan 22, 2025
રપ ટકા ટેક્સનો નવો સ્લેબ ઉમેરાઈ શકેઃ નવી દિલ્હી તા. રરઃ કેન્દ્રિય બજેટમાં ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત થશે, રપ ટકાનો નવો સ્લેબ આવશે કે બન્ને વિકલ્પો અમલી બનશે, તે અંગેની અટકળો સાથે બજેટની સંભાવનાઓ ચર્ચાઈ રહી છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ ર૦રપ-ર૬ માં આવકવેરા સ્લેબમાં ફેરફાર કરી શકે છે. આ ફેરફારોથી વાર્ષિક ર૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરતા પગારદાર કરદાતાઓને મોટી રાહત મળે તેવી ... વધુ વાંચો »

Jan 22, 2025
ટ્રમ્પ કાંઈ રાજા નથીઃ બંધારણનું ઉલ્લંઘન થયુ છેઃ વિપક્ષ વોશીંગટન તા. ૨૨: અમેરિકામાં જન્મ આધારિત- નાગરિકત્વ આપવાનો કાયદો રદ કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને અદાલતમાં પડકારાયો છે. અને વિપક્ષ દ્વારા ટીકા પણ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે ૮૦થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી વ્હાઈટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામ ... વધુ વાંચો »

Jan 22, 2025
નગરની બે પ્રાથમિક શાળાને રૂ. ૬૯ લાખના ખર્ચથી સ્માર્ટ સ્કૂલ બનાવાશેઃ જામનગર મહાનગર-૫ાલિકાની સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં વિવિધ વિકાસકાર્યો માટે કુલ રૂ. ૩.૪૨ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં, શહેરની બે શાળાને રૂ. ૬૯.૨૦ લાખના ખર્ચે સ્માર્ટ શાળા તરીકે ડેવલપ કરવાનો પણ સમાવેશ થાય છે. જામનગર મહાનગર-પાલિકાની  સ્થાયી સમિતિની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને જેમાં આઠ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડીએન મોદી, ના. કમિશનર ડી. એન. ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈ.ચા. આસિ. ... વધુ વાંચો »

Jan 22, 2025
રાજ્યની ૬૬ નગરપાલિકા, એક મનપા, ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી થશેઃ જામનગર તા. રરઃ ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની એક મનપા, ૬૬ નગરપાલિકાઓ તથા ૩ તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે, જેમાં હાલારની ૬ નગરપાલિકાઓનો સમાવેશ થતો હોવાથી રાજકીય હલચલ તેજ બની છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયત, ૬૬ નગરપાલિકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર ... વધુ વાંચો »

Jan 22, 2025
મંગળ, ગુરૂ, શુક્ર, શનિ ગ્રહો એક લાઈનમાં દેખાશે જામનગર તા. ૨૨: જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈ છે, તે મુજબ જામનગરના નભોમંડળમાં દેખાતા મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, તથા શનિના ગ્રહ ઉપર અલગ અલગ ચાર અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શોની બાજુમાં આગામી  તા. ૨૪મી જાન્યુઆરીના સાંજે ૭ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન ... વધુ વાંચો »

Jan 22, 2025
પ્રવેશબંધી હોવા છતાં તંત્રની મીઠી નજર હેઠળ જે-તે સમયે ખડકાયેલા બાંધકામોનું જવાબદાર કોણ ? ખંભાળિયા તા. ૨૨: બેટ-દ્વારકા વિસ્તારમાં સાત નિર્જન ટાપુઓ પરના ગેરકાયદે દબાણો હટાવાયા છે. જ્યાં પ્રવેશબંધી છે તેવા ટાપુઓ પર ધાર્મિક સ્થાનો સહિતના બાંધકામો થયા હોવાથી દબાણકર્તાઓ ઉપરાંત જે તે સમયના સરકારી અધિકારીઓની મીઠી નજર પણ દબાણો માટે કારણભૂત હોવાનું જણાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા બેટ વિસ્તારમાં ૭૨ કરોડ ઉપરાંતના દબાણો હટાવાયા પછી દ્વારકા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા ફોરેસ્ટ વિભાગના સંયુકત ઓપરેશનમાં ગઈકાલે સાત નિર્જન ટાપુઓ ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. રરઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં અઢી ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૩.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઓછી રહેતા ઠંડીનું જોર પણ ઘટી જતા જનતાએ રાહત અનુભવી હતી. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ર.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૧૩.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧૧ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિ ઓછી રહેતા ઠંડીનું જોર ઘટી જનતાને રાહત મળી ... વધુ વાંચો »

Jan 22, 2025
રેંકડી-પથારા-દુકાનદારોના ફૂટપાથ અને માર્ગ પરના દબાણો હટાવવા ઉપરાંત 'કાંઈક જબરૂ' કરવાની તૈયારી? જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં ધંધાર્થી રેંકડીવાળા, ફેરિયા જાહેર રોડ ઉપર દબાણ કરીને ટ્રાફિક સમસ્યા સર્જતા હોવાથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્રએ તૈયારી કરી છે, જેના ભાગરૂપે ગઈકાલે મ્યુનિ. કમિશનર અને એસ.પી.એ વિશાળ કાફલા સાથે સ્થળ વિઝીટ કરી હતી. ઉપરાંત બચુનગર, નદીના પટના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એ વિસ્તારની પણ મુલાકાત કરવામાં આવી હતી. જામનગરમાં બર્ધનચોક, માંડવી ટાવર, દરબારગઢ વિસ્તારમાં ... વધુ વાંચો »

Jan 22, 2025
એફઆઈઆર રદ્દની અરજી સુપ્રિમ કોર્ટમાં રજૂઃ જામનગર તા.રર : જામનગરમાં યોજાયેલા સમૂહ શાદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને જામનગરના એક નગરસેવક સામે ધાર્મિક લાગણી દુભાય અને દેશની એકતા જોખમાય તે પ્રકારનું ગાયન સાથેનું વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયા પછી ગુન્હો નોંધાયો હતો. તે અંગેની એફઆઈઆર રદ્દ કરવા રાજ્ય ની વડી અદાલતમાં અરજી કરાયા પછી તે રદ્દ થતાં દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાલ પૂરતી રાહત મળી છે. જામનગરમાં ... વધુ વાંચો »

Jan 22, 2025
કુલ રૂ.પ લાખ દંડ પેટે ભરવા હુકમઃ જામનગર તા.૨૨ : જામનગરના એક આસામીને રૂ.૨ લાખ તથા રૂ.૩ લાખની રકમના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે બંને કેસમાં આરોપીને બે-બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગરમાં વસવાટ કરતા ધીરેન રમેશચંંદ્ર ભટ્ટ પાસેથી ચિંતન મહેશભાઈ પાટલીયાએ સંબંધદાવે રૂ.૨ લાખ તથા રૂ.૩ લાખ મળી કુલ રૂ.૫ લાખ હાથઉછીના લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ચિંતનભાઈએ ... વધુ વાંચો »

Jan 22, 2025
રેલવે પોલીસનો કર્મચારી જામનગર એસીબીના છટકામાં: જામનગર તા.૨૨: રાજકોટના રેલવે સ્ટેશન પર ફરજ નિયુક્ત રેલવે પોલીસના જમાદારે મોબાઈલ ચોરીના એક આરોપીને હેરાન નહીં કરવા અને ચાર્જશીટ સાથે રજૂ કરવા રૂ.૧૦ હજારની લાંચ માંગ્યા પછી એસીબીમાં તેની ફરિયાદ કરાઈ હતી. ગઈકાલે ગોઠવાયેલા છટકામાં જામનગર એસીબીએ આ જમાદારને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે. રાજકોટના રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હે.કો. વેલાભાઈ ડાયાભાઈ મુંધવા નામના કર્મચારી હેરાનગતિ ન કરવાના ... વધુ વાંચો »

Jan 22, 2025
મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડઃ જામનગર તા.રર : ઓખા મંડળના રાંગાસર ગામમાં આવેલા એક શખ્સના મકાનમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૧૦૧ બોટલ કબજે કરી છે. આરોપીની ધરપકડ કરી પોલીસે તેનો મોબાઈલ ઝબ્બે લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક રાંંગાસણ ગામમાં એક શખ્સના મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બોટલ પડી હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા વિજેશભા ... વધુ વાંચો »

Jan 22, 2025
સીઈઆઈઆર પોર્ટલની મદદથી જામનગર તા.૨૨ : લાલપુર પોલીસ મથકમાં ત્રણ આસામીએ પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની જાણ કરી હતી પોલીસે સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી તપાસ આરંભી હતી. જેમાં ત્રણેય મોબાઈલ મળી આવ્યા છે અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને સોંપવામાં આવ્યા છે. લાલપુર શહેરના લક્ષ્મીપાર્ક વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ દેવશીભાઈ સોરઠીયા તેમજ પીપળી ગામના હરેન્દ્રસિંહ તખુભા કંચવા અને ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામના અમિત ડેર નામના ત્રણ આસામી દ્વારા પોતાના મોબાઈલ ... વધુ વાંચો »

Jan 22, 2025
બે મકાનમાંથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠીઃ જામનગર તા.૨૨ : જામગનરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માંથી ગઈરાત્રે એક શખ્સ ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાયો છે. જ્યારે ખોડિયાર કોલોની નજીક જાગૃતિનગર પાસે બે મકાનમાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે. ભઠ્ઠીના સંચાલક બે મહિલા નાસી ગયા છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮ના છેવાડે હિંગળાજ ચોક નજીકથી ગઈરાત્રે પસાર થતાં ક્રિષ્ના ઉર્ફે એક્કો મહેન્દ્રભાઈ ગોરી નામના શખ્સને પોલીસે શકના ... વધુ વાંચો »

Jan 22, 2025
નીચેની કોર્ટનો સજાનો હુકમ યથાવતઃ જામનગર તા.૨૨ : લાલપુરના મોડપર ગામના એક આસામી સામે રૂપિયા સાડા આઠ લાખના ચેક પરતની બે ફરિયાદ કરાઈ હતી. તે કેસ અદાલતે એક-એક વર્ષની કેદની સજા અને ચેક મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે ઉપરની અદાલતમાં અપીલ કરાઈ હતી. સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. લાલપુર તાલુકાના મોડપર ગામના રહેવાસી કોન્ટ્રાક્ટર માલદે વજશીભાઈ ગાગીયાને નાણાકીય જરૂરિયાત ઉભી થતાં તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ... વધુ વાંચો »

Jan 22, 2025
નગરના મહિલાએ કરી હતી ફરિયાદઃ જામનગર તા.ર૨ : જામનગરના એક મહિલાએ હેલ્થ પોલિસી મેળવ્યા પછી સારવાર લેવી પડી હતી. તેનો ક્લેઈમ વીમા કંપનીએ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે. જામનગરના ડોબરીયા જયોત્સનાબેન નામના મહિલાએ સ્ટાર હેલ્થ ઈન્સ્યુ. કંપની પાસેથી હેલ્થ પોલિસી મેળવ્યા પછી આ મહિલાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેમાં રૂ.૨ લાખ ઉપરાંત ખર્ચ તથા તેઓએ વીમા કંપની ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગરમાં પ૦ વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાપ્રવૃત્તિઃ જામનગર તા. રરઃ જામનગર શહેરમાં છેલ્લા પ૦ વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અનેક જરૂરિયાતમંદોને વર્ષ દરમિયાન લોકસેવાના કાર્યોથી મદદ કરવામાં આવે છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટના સિનિયર સભ્ય મુકેશ પાઠકની તાજેતરમાં જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન થ્રી-બી ના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કુલ ૩પ કાઉન્સિલરોની ટીમ પૈકી પ્રમુખ સહિત ૧૧ જામનગરના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની ... વધુ વાંચો »

Jan 22, 2025
આગામી તા. ર૬મી જાન્યઅુારીના દિને જામનગર તા. રરઃ જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ મંડળના સભ્યો માટે સોમનાથ તથા દીવના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૬-૧-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે ત્રણબત્તી, ઝુલેલાલ ચોકથી પ્રવાસ માટેની બસ ઊપડશે. જે અખબાર વિતરક મિત્રો આ પ્રવાસમાં આવવા માંગતા હોય તેમણે તા. ર૪-૧-ર૦રપ પહેલા અશ્વિનભાઈ મોદી (મો. ૯૯ર૪પ ર૧૪૮૩), રીખીલભાઈ મોદી (મો. ૯ર૭૭૩ પ૧૧ર૧) અને દિલીપસિંહ જાડેજા (મો. ... વધુ વાંચો »

Jan 22, 2025
વેપારીઓ-બેન્કો કન્ફયુઝડ... પણ હવે શું ? આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીની યાદગીરી રૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રિન્ટ કરેલા રૂપિયા ૧,૨,૫,૧૦,૨૦ ના દરના ધાતુના સિકકા ચલણમાં મુકવામાં આવ્યા હતા. કાગળની ચલણી નોટ જલદી ફાટી જવાથી, રદી થઈ જવાથી આવી નોટના આયુષ્યના પ્રમાણમાં ધાતુના સિકકાનું આયુષ્ય વધારે હોવાથી લોકો તેને સ્વીકારે પણ છે. પરંતુ ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવની યાદગીરી રૂપે રૂપિયા વીસના સિકકા ... વધુ વાંચો »

Jan 22, 2025
ડીટીસીમાં અપગ્રેડ કોમ્પ્યુટરરાઈઝડ રેડિયોગ્રાફી ફેસેલિટી પણ ખૂલ્લી મૂકાઈઃ જામનગર તા. રરઃ નયારા એનર્જીએ મોબાઈલ હેલ્થ સર્વિસીઝનું ઉદ્ઘાટન કર્યુ અને અપગ્રેટેડ રેડિયોગ્રાફી ફેસિલિટીને ખૂલ્લી મૂકી હતી. કંપનીએ જામનગરમાં કમ્યુનિટી હેલ્થકેર અને ટીબી નાબૂદીમાં પ્રગતિ સાધી છે. નયારા એનર્જીએ તેની મોબાઇલ હેલ્થ સર્વિસ લોન્ચ કરીને કમ્યૂનિટી હેલ્થકેરને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સર્વિસનું નયારા એનર્જીના ચેરમેન પ્રસાદ પાનિકર, અમર કુમાર (હેડ, રિફાઇનરી) તથા રિફાઇનરી લીડરશિપ ટીમ (આરએલટી)ના સભ્યો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતરિયાળ અને સુવિધાઓથી વંચિત સમુદાયોને જરૂરી ... વધુ વાંચો »

Jan 22, 2025
શિક્ષકો સાથે ૭૦ કેડેટ્સ જોડાયા હતાં: જામનગર તા. ૨૨: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા સમયાંતરે શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં શાળાએ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પૂણે, કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરીંગ, આર્મી ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, ઓએફએમસી પૂણે, આઈએનએસ શિવાજી લોનાવાલા અને આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરમાં ધો. ૧૧ ના ૭૦ કેડેટ્સ અને મહેશ બોહરા, સિનિયર માસ્ટર, ડીડી પુરોહિત પીજીટી ગણિત અને રમેશ ... વધુ વાંચો »

Jan 22, 2025
દ્વારકા જિલ્લાના ધિણકી ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદઃ જામનગર તા. ૨૨: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ધિણકીમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. પરિસંવાદમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના પરિણામે કૃષિમાં વ્યાપક ફેરફારો આવ્યા છે. ટેકનોલોજીની સાથે સાથે ઝેર મુક્ત પ્રાકૃતિક કૃષિ અપનાવવી ખૂબ જ આવશ્યક છે. દેવભૂમિ દ્વારકાના ખેડૂતો પાસેથી ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરૂદક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માગી હતી. વધુ વાંચો »

Jan 22, 2025
ઉજ્જૈનમાં યોજાયેલ ર્માં શારદા જયોતિષ અનુસંધાન સંસ્થાન દ્વારા જામનગર તા. ૨૨: જામનગરના સામાજિક કાર્યકર અને યુવા કથાકાર શાસ્ત્રીજી વિરલભાઈ નાકરને ઉજ્જૈનમાં શારદા જયોતિષ અનુસંધાન સંસ્થાન દ્વારા સનાતન ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના જયોતિષાચાર્યો સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દિનેશ ગુરૂજી આચાર્ય જી.ડી. વશિષ્ટ (લાલ કિતાબ), જામનગરથી નરેન્દ્રભાઈ ભેંસદડીયા તથા અનેક વિદ્ધવાનોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિધિ સંપન્ન થઈ હતી. અત્રે ... વધુ વાંચો »

Jan 22, 2025
શાળા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્રઃ મંત્રી મૂળુભાઈ બેરા ખંભાળિયા તા. ૨૨:  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ રૂ.૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ પીએમશ્રી ભાણવડ કન્યા પ્રાયમરી સ્કૂલ અને સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરી શાળાના ભવનનું નિર્માણ થવા બદલ ભાણવડના રહેવાસીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેમની શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ થાય તે હેતુથી સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના જેવી અનેક શૈક્ષણિક ... વધુ વાંચો »

Jan 22, 2025
વોર્ડ નં. ૩ ના કોર્પોરેટરની રજૂઆતને સફળતા જામનગર તા. રરઃ જામનગરના વોર્ડ નં. ૩ ના વિસ્તારમાં સેન્ટ આન્સથી વિકાસ ગૃહ થઈ આનંદ બાગ સુધી પીજીવીસીએલની મેઈન લાઈન આવેલ હોય, સ્થાનિક વિસ્તારમાં અવારનવાર પીજીવીસીએલની લાઈનમાં ફોલ્ટ થવાની સમસ્યા અને સમારકામમાં ઘણો સમય વીતી જવા અંગે તેમજ કોઈક વખત તો કલાકો સુધી રીપેરીંગ કામગીરી કર્યા પછી પણ વીજ પુરવઠો પૂર્વવત થતો ન હોય, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પોતાના કિંમતી ઈલેક્ટ્રીક ઉપકરણોમાં નુક્સાની થવાથી પારાવાર મુશ્કેલીનો ... વધુ વાંચો »

Jan 22, 2025
લીગલ એઈડમાંથી રોકાયા હતા વકીલઃ જામનગર તા.૨૧ : જામનગરની એક સોસાયટીએ રૂ.૨,૨૧,૫૫૮ના ચેક પરત અંગેની ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરના હિતેશભાઈ કિશોરભાઈ ચૌહાણ સામે સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા રૂ.ર,૨૧, ૫૫૮ના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી તરફથી લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલમાંથી વકીલ ભાવેશ જવાણી હાજર રહ્યા હતા. તેઓએ કરેલી ... વધુ વાંચો »

Jan 22, 2025
કાલાવડના નવાગામમાં થયો'તો હુમલોઃ જામનગર તા.૨૨ : કાલાવડના નવાગામમાં કાકા પર હુમલો કરવાના આક્ષેપમાં ઝડપાયેલા ભત્રીજાએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. કાલાવડ તાલુકાના નવાગામમાં ધીરૂભાઈ ગગજીભાઈ વાઘેલા પર ઢોર બાબતે બોલાચાલી કર્યા પછી ભત્રીજા વિજય અજમલે ગઈ તા.૧૩ ડિસેમ્બરની સાંજે સળીયાથી હુમલો કરી માર માર્યાે હતો. આ બાબતની પ્રભાબેન ધીરૂભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિજય વાઘેલાની ધરપકડ કરી હતી. આરોપીએ જામીન મુક્ત થવા કરેલી ... વધુ વાંચો »

Jan 22, 2025
ટ્રકના ઠાઠામાં આઈશર ઘૂસ્યું: જામનગર તા.૨૨ : અમદાવાદ નજીક તારાપુર ચોકડીથી વટામણ વચ્ચે સોમવારે સવારે એક ટ્રકના ઠાઠામાં આઈશર ઘૂસી ગઈ હતી. આઈશરની કેબીનમાં રહેલા એક વ્યક્તિનંુ મૃત્યુ થયું છે અને એકને ઈજા થઈ છે. ધોરાજીમાં રહેતા ઈમ્તિયાઝ ખોખર નામના ટ્રક ડ્રાઈવર રવિવારે સાંજે ટ્રકમાં ધોરાજીથી ડુંગળી ભરીને સુરત જવા માટે રવાના થયા પછી સોમવારે વહેલી સવારે વટામણ તારાપુર ધોરીમાર્ગ પર કસબારા બ્રિજ નજીક એક હોટલ પાસે પહોંચ્યા હતા. વધુ વાંચો »

Jan 22, 2025
ચીફ ઓફિસર તથા સ્ટાફ દ્વારા તાજેતરમાં ખંભાળિયા પાલિકાના બે કર્મચારી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુરની અધ્યક્ષતામાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. ખંભાળિયા સફાઈ વિભાગમાં કામ કરતા રામાભાઈ નામોરી તથા ડ્રાયવર રશ્મીનભાઈ કુવા વયમર્યાદાથી નિવૃત્ત થયા હતા. જેમણે આપેલી કામગીરીને યાદ કરીને તેમનું સન્માન કરાયું હતું તથા તેમણે પોતાની કામગીરીની વાતો યાદ કરી હતી. પાલિકામાં ઈજનેર તરીકે આવેલા મીતલબેન બોરીયા પણ ખંભાળિયાથી ધ્રોલ જતાં તેમને પણ વિદાય અપાયું હતું.  કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુર ઈજનેર ... વધુ વાંચો »

Jan 22, 2025
માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક શાખા, આર.ટી.ઓ.-જામનગર તેમજ સીનર્જી કંપનીના સંયુકત ઉપક્રમે આર.ટી.ઓ.માં હેવી મોટર વ્હીકલ ડ્રાઈવરો એકત્ર કરીને તેઓને અકસ્માત ઘટાડવા અને માર્ગ સલામતી રાખવા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તથા શોર્ટ ફિલ્મ બતાવી ટ્રાફિક નિયમો અંગે તેમજ હેવી ડ્રાઈવીંગ દરમ્યાન શું તકેદારી રાખવી. જેની સમજ આપવામાં આવી હતી. તેમજ સીનર્જી કંપની દ્વારા ડ્રાઈવરો માટે આઈ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.   જો વધુ વાંચો »

Jan 22, 2025
નેશનલ પરિવાર અને યુવા ગ્રુપ દ્વારા આયોજનઃ જામનગર તા. ૨૨: હાલારી ભાનુશાળી જ્ઞાતિના ઈતિહાસમાં પ્રથમ વખત ઓક્સનથી પ્લેસ પ્લેયર્સની પસંદગી કરી અને ટુર્નામેન્ટનું આયોજન નેશનલ પરિવાર અને યુવા ગ્રુપ દ્વારા પ્રણામી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. ભાનુશાળી યુવાનો, મોટી જનમેદની વચ્ચે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા અને ૭૯ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ટોસ ઉછાળી ફાઈનલ મેચ રાષ્ટ્રગાન પછી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ વિમલભઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. ... વધુ વાંચો »

Jan 22, 2025
ખેલમહાકુંભ અંતર્ગતની જામનગર તા. રરઃ ખેલ મહાકુંભ અંતર્ગત ફૂટબોલ (સિનિયર, ભાઈઓ) ની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જામનગરની સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ એફસી ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન થઈ હતી. ડીએસઓ, જામનગર તથા જામનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસો. દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં એચઆર માડમ એફસી ટીમે ફાઈનલમાં જામનગર યુનાઈટેડ ટીમને પ-૧ ગોલથી પરાજીત કરી હતી. હવે આ ટીમ ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. સમગ્ર ટુર્નામેન્ટને ... વધુ વાંચો »

Jan 22, 2025
ગાંધીનગરમાં મંત્રીશ્રીના અંગત મદદનીશ તરીકે જામનગર તા. ૨૨: જામનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવીની બદલી થતા સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપા કોટક, બ્રાન્ચના કર્મચારીઓ, તલાટી મંડળના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, વિમલ ગઢવી ભારતીય નેવીમાં ફરજ બજાવતા હતાં. જ્યાંથી એક્સ મેન કેટેગરીમાં ટી.ડી.ઓ. ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા રૂ. એકાવન હજારનો ફાળો અર્પણ જામનગર તા. ૨૨: નિષ્કામ સેવાની ભાવના સાથે સતત દોડતાં એવા જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનો ફક્ત ફરજ અને પરેડ સાથે કુદરતી આફતોમાં જ પોતાની નિષ્કામ સેવાઓ આપે છે એવું નથી.! જામનગર જિલ્લાના હોમગાર્ડઝ દ્વારા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની આગેવાનીમાં સૈનિક વેલફેર અને પુનઃવસવાટ માટે ફાળો એકત્ર કરવા માટેની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટના રૂપિયા ૧૧૦૦૦/-થી શરૂઆત કરી તમામ યુનિટો દ્વારા રૂપિયા ૪૦૦૦૦/- એમ કુલ રૂપિયા ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર મહાનગર પાલિકા હસ્તક હાપા ગૌશાળામાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગાયોને નિરણ ખવડાવ્યુ હતું. ઉપરાંત નગરજનો પણ લાડુ-ઘાસ સાથે આવ્યા હતાં અને ગાયોને ખવડાવી પુણ્ય પ્રાપ્ત કર્યુ હતું. વ્હોરાના હજીરા પાસેથી પણ ધર્મપ્રેમીઓ દ્વારા ૬૦ ટન ઘાંસચારાનું દાન મળ્યુ હતું. જેએમસી કનેકટનાં માધ્યમથી આ ગૌશાળામાં દાન-ઘાસ આપવા કમિશનરે નગરજનોને અનુરોધ કર્યો છે.   જો આપને આ  વધુ વાંચો »

Jan 22, 2025
'ગરવી ગુજરાત' થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજુઃ જામનગરના જૈન એડ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેર સ્કૂલ, જંપ સ્ટાર્ટ એડ્યુકેર તથા કીડઝ્ એડ્યુકેરના સંયુકત વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટી માયા શાહ, અતુલ શાહ, ટ્રસ્ટી અજય વોરા (મુંબઈ), જયેશ વોરા, રાજેશ ગડા, મેનેજમેન્ટ સભ્ય પુરૂષોત્તમ પરમાર, પ્રદીપ પરમાર, આમંત્રિતો, અગ્રણીઓ, વાલીગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગરવી ગુજરાત થીમ પર વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃત્તિઓ રજુ કરી હતી. ૨૦૨૪-૨૫ દરમ્યાન સિદ્ધિ ... વધુ વાંચો »

Jan 22, 2025
શિબિર દરમ્યાન ૬૧ યુનિટ રકત એકત્રિત થયું: અમદાવાદ તા. ૨૧: અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશન (એએસીએ) અને સ્પોર્ટસ કલબ દ્વારા સ્પોટર્સ કલબ, નવરંગપુરામાં આઠમી રકતદાન શિબિર આયોજિત કરવામાં આવી હતી. આ શિબિર દરમ્યાન ૬૧ યુનિટ બ્લડ એકત્રિત થયુ હતું. જે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ગુજરાત કેન્સર સોસાયટી  (જીસીએસ) મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દાન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં મીડિયા ફ્રેટરનિટી, એડવર્ટાઈઝિંગ એજન્સીના સભ્યો, સ્પોર્ટસ કલબના સભ્યો અને અમદાવાદના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉમદા સેવાકાર્યમાં અમદાવાદના લોકોની સહકારની ભાવના ... વધુ વાંચો »

Jan 22, 2025
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે આર.ટી.ઓ. દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આર.ટી.ઓ. જામનગર દ્વારા જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ ઈમરજન્સીગ સેવાના સહયોગથી કલ્યાણ પોલીટેકનીક કોલેજમાં માર્ગ સલામતી વિશે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાઈક ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તથા લાયસન્સસ બાબતે કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપવામાં આવી હતી. જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ ઈમરજન્સીના સેવાના મેડીકલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ રિસ્પોન્ડપન્ટવ ટ્રેનિંગ તથા સીપીઆરની ટ્રેનિંગ ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગરના ત્રિમંદીરમાં સાધારણ સભા યોજાઈઃ જામનગરના ત્રિમંદિર પરિસરમાં તાજેતરમાં એસ.ટી. મજદુર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા વનદિપસિંહ મહિડાનાં અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ, કા. પ્રમુખ જગદિશભાઈ પટેલ, એડી. મહામંત્રી ઉમેશભાઈ બગથરીયા, જામનગર વિભાગનાં પ્રભારી ચંદુભાઈ, પ્રદેશ મંત્રી રાજદિપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ચૂંટણી અધિકારી તરીકે જગદિશભાઈ દ્વારા નવી ટીમની વરણી જાહેર કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી સંજય ડોડીયા, કા. પ્રમુખ ભીમસીભાઈ ચાવડા, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા ... વધુ વાંચો »

Jan 22, 2025
ધ્રોલની ડેલ્ટા સ્કૂલમાં તાજેતરમાં ટ્રાફિક અને રોડ સેફટી અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખા-જામનગર અને એલ એન્ડ ટી દ્વારા પરવાહ રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-૨૦૨૫ અંતર્ગત આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૭ અને ૮ ના વિદ્યાર્થીઓને રોડ સેફટીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ત્રણ વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.   જો વધુ વાંચો »

Jan 22, 2025
ઉદ્યોગકારો સાથે વિચારગોષ્ઠી જામનગર તા. ૨૨: રાજ્યસભાના સાંસદ અને ડાયમન્ડ સીટી, સુરતના અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકીયા આવતીકાલે તા. ૨૩-૧ના જામનગર આવી રહ્યા છે. જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા તા. ૨૩-૧ના સવારે ૧૧ થી ૧ વાગ્યે એસો.ના ઓડીટોરીયમ હોલમાં ગોવિંદભાઈ ધોળકીયા તથા જામનગરના ઉદ્યોગકારો સાથે વિચારગોષ્ઠી કરવા પ્રેણાત્મક સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ, આજની પરિસ્થિતિમાં ઉદ્યોગજગતના પ્રશ્નોના ઉકેલ, એક ઉદ્યોગકાર તરીકે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે ફરજ ... વધુ વાંચો »

Jan 22, 2025
શૈક્ષણિક સંકુલ અને મેડિકલ ભવનના લાભાર્થે જામનગર તા. ૨૨: દશનામ ગૌસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા શૈક્ષણિક સંકુલ અને મેડિકલ ભવનના લાભાર્થે સમૂહ લગ્નોત્સવ તથા સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૨-૩-૨૫ને રવિવારે ગઢવી સમાજની વાડી, હીરો હોન્ડાના શોરૂમની પાછળ, ગુલાબનગર, જામનગર-રાજકોટ હાઈવે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ૧૧ યુગલ લગ્નગ્રંથિથી જોડાશે. સમૂહલગ્નના કાર્યમાં આર્થિક સહયોગ તથા કન્યાઓને કરીયાવર આપવા માંગતા દાતાશ્રીઓએ અધ્યક્ષ હેમેન્દ્રગિરિ સુંદરગિરિ મો. ૯૮૨૪૮ ૮૮૧૮૭, પ્રમુખ જીતેન્દ્રગિરિ સોમગિરિ ... વધુ વાંચો »

Jan 22, 2025
જામરાવલ તા. ૨૨: જામરાવલના સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આવતીકાલે તા. ૨૩-૧-૨૫ના ગુરૂવારે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રોગના નિષ્ણાત ડોકટરો સેવા આપશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર  વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. રરઃ જામનગરમાં ચોરીવાળા જિનાલયમાં ર૧ પ્રાચીન પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી તેમજ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૬-૧-ર૦રપ ના દિને સવારે ૯-૩૦ વાગ્યે પૂ. હેમતિલક વિ.મ.સા. આદિની નિશ્રામાં ચોરીવાળા દેરાસરના કમ્પાઉન્ડમાં પ્રાચીન મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી બોલાવવામાં આવશે, તેમજ અગિયાર દાર્શનિક પ્રતિમાની સ્થાપના માટેની ઉછામણી બોલાવવામાં આવશે. તા. ૧૧-ર-ર૦રપ થી તા. ૧૩-ર-૨૦રપ સુધી પૂ.હેમપ્રભસુરી મ.સા. આદિની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠાનો ત્રિ-દિવસીય મહોત્સવ ઉજવવામાં આવશે. પુનઃ પ્રતિષ્ઠા ... વધુ વાંચો »

Jan 22, 2025
અમદાવાદ તા. રરઃ ગુજરાત રાજ્યના પૂર્વ સંયુક્ત માહિતી નિયામક દિપકભાઈ નિર્ભયભાઈ ભટ્ટ (ઉ.વ. ૭૬), તે રેખાબેન (નિવૃત્ત અધિકારી - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) ના પતિ, ભાર્ગવભાઈ (સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ - એક્સીસ બેંક, અમદાવાદ), મૈત્રીબેન હસીતભાઈ મહેતા (રાજકોટ) ના પિતા, ઉષાબેન ચીમનભાઈ પાઠક (રાજકોટ), તરૂબેન હરીશભાઈ પાઠક (ઈન્દોર), દતાબેન મહેન્દ્રભાઈ દવે (રાજકોટ), ભારતીબેન ભરતભાઈ દવે (રાજકોટ), પત્રકારબંધુ હેમેનભાઈ ભટ્ટ (નિવૃત્ત - ફૂલછાબ), નૈષધ ભટ્ટ (નિકુ ભટ્ટ-પત્રકાર - આઝાદ સંદેશ) ના મોટાભાઈ, યુવરાજના દાદા, અદિતી અને મહેકના નાનાનું તા. ર૦-૧-ર૦રપ ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. ૨૨: વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૨૩ના સવારે ૯ થી ૧૨ દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ- રાજકોટ) લઈ જવામાં આવશે. જયાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપા, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી ... વધુ વાંચો »

Jan 22, 2025
કલ્યાણપુર તા. ૨૨: જામકલ્યાણપુર ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. ૨૨: રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી- જામનગર તથા રણછોડદાસ બાપુ આશ્રમ-રાજકોટના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ૨૩ના સવારે ૯ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડના નાકા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ આશ્રમ-રાજકોટ લઈ જવામાં આવશે. કેમ્પમાં રહેવા-જમવાની વ્યવસ્થા આપવામાં આવશે.   જો આપને આ  વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. ૨૨: જામનગરની વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના કપડા પાંખડી ભરતા સભ્યોના અભ્યાસ કરતા સંતાનોને પ્રોત્સાહન આપવા તા. ૨૬.૧.૨૫ના સવારે ૧૧ વાગ્યે નગીનદાસ વોરા (લીમડાવાળા) ઉપાશ્રયે ઈનામી મેળાવડો તથા જ્ઞાન-ગમ્મત સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં પ્રવેશ કરનાર બાળકો તથા વાલીઓનું અલગથી બહુમાન કરી સરપ્રાઈઝ ઈનામ આપવામાં આવશે.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Jan 22, 2025
ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ દ્વારા જામનગર તા. રરઃ શેલ્બી હોસ્પિટલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેન્સર કેર કાઉન્સિલના સહયોગથી નિઃશુલ્ક મેગા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૬, રવિવારના સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા જેલની સામે, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા, કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા તથા પ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ આ કેમ્પના ... વધુ વાંચો »

Jan 22, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... બુધવારે શેરબજારમાં ઉછાળા વેપાર શરૂ થયો હતો.સેન્સેક્સ ૩૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૧૭૮ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૦ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૧૫૪ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૮ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૮૧૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળો જોવા મળીયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે કામગીરી સંભાળવાની સાથે રોકાણકારોમાં સકારાત્મક પગલાંઓનો આશાવાદ વધ્યો છે. જો કે, ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ ... વધુ વાંચો »

Jan 22, 2025
શોષણકારી લોગિંગ ઈન્ડસ્ટ્રીઝમાંથી બચાવાયા પછી જામનગર તા. ૨૨: વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે. હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે. દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા ૨૦ હાથીઓ - ૧૦ નર, ૮ માદા, ૧ અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહૃાું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત હાઇ-પાવર્ડ કમિટીની મંજૂરી સાથે પ્રાણીઓના વર્તમાન માલિકોની ... વધુ વાંચો »

Jan 22, 2025
ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી દીધી, જેની અટકળો છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહી હતી. આ ચૂંટણીઓમાં રસાકસી થશે, ત્રિપાંખિયો જંગ થશે કે એકતરફ હશે, તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ટાણે જ ચૂંટણીઓ જાહેર થઈ, તેને સાંકળીને પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે, અને તેના સંદર્ભે ચોખવટો પણ થઈ રહી છે. પ્રારંભિક પ્રત્યાઘાતો આપતા કોંગ્રેસે કહ્યું કે ભાજપના શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર અને ભેદભાવનો દબદબો છે, અને ભ્રષ્ટ ભોરીંગોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રભાવિત કરી છે. કોંગ્રેસ પ્રવક્તાએ એક ડિબેટીંગ દરમિયાન કહ્યું કે રાજ્યમાં ઘણી ... વધુ વાંચો »

Jan 22, 2025
બાર દબાણકારોને નોટીસ પણ અપાઈ હતીઃ મ્યુનિ. કમિશ્નર-એસ.પી. એ ગઈકાલે નિરીક્ષણ પણ કર્યુ હતું જામનગર તા. રરઃ જામનગરમાં સુભાષબ્રીજ નીચે નદીના પટમાં- બચુનગર વિસ્તારમાં થયેલા ૧૨ જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા આજે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જામનગરના નદીના પટમાં અને બચુનગરમાં અનેક નાના-મોટા બને કાચા-પાકા ગેરકાયદે બાંધકામના દબાણ કરવામાં આવ્યા છે. પરિણામે નદીના વહેણને અવરોધ થતા શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જાય છે. આ બાબતે વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. દરમિયાન ... વધુ વાંચો »

Jan 22, 2025
'ગરવી ગુજરાત' થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજુઃ જામનગરના જૈન એડ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેર સ્કૂલ, જંપ સ્ટાર્ટ એડ્યુકેર તથા કીડઝ્ એડ્યુકેરના સંયુકત વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટી માયા શાહ, અતુલ શાહ, ટ્રસ્ટી અજય વોરા (મુંબઈ), જયેશ વોરા, રાજેશ ગડા, મેનેજમેન્ટ સભ્ય પુરૂષોત્તમ પરમાર, પ્રદીપ પરમાર, આમંત્રિતો, અગ્રણીઓ, વાલીગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગરવી ગુજરાત થીમ પર વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃત્તિઓ રજુ કરી હતી. ૨૦૨૪-૨૫ દરમ્યાન સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન ઝંખના વાછાણી તથા નિધિ ભટ્ટે કર્યુ હતું. મૌલી અબ્રાહમે આભાર દર્શન કર્યું ... વધુ વાંચો »

Jan 22, 2025
અફઘાન-તાલીબાન સરકાર સાથે ચોંકાવનારી ડીલ! વોશિંગ્ટન તા. રરઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લાદેનના 'મિત્ર'ને જેલમાંથી મુક્ત કર્યો અને તાલિબાને બદલામાં ર અમેરિકન નાગરિક છોડ્યા તેની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે. અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણય લઈ રહ્યા છે. તેણે કાર્યભાર સંભાળતા જ કુખ્યાત આતંકી ઓસામા બિન લાદેનના ખાસ મિત્ર કહેવાતા ખાન મોહમ્મદને ગ્વાંતાનામો જેલથી મુક્ત કરીને સૌને ચોંકાવી દીધા છે, જો કે તેના બદલામાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ર અમેરિકન નાગરિકોને જેલથી આઝાદ કરી દીધા છે. જો કે, એક પાકિસ્તાની નાગરિક ડોક્ટર આફિયા અંગે ... વધુ વાંચો »

Jan 22, 2025
રપ ટકા ટેક્સનો નવો સ્લેબ ઉમેરાઈ શકેઃ નવી દિલ્હી તા. રરઃ કેન્દ્રિય બજેટમાં ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત થશે, રપ ટકાનો નવો સ્લેબ આવશે કે બન્ને વિકલ્પો અમલી બનશે, તે અંગેની અટકળો સાથે બજેટની સંભાવનાઓ ચર્ચાઈ રહી છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ ર૦રપ-ર૬ માં આવકવેરા સ્લેબમાં ફેરફાર કરી શકે છે. આ ફેરફારોથી વાર્ષિક ર૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરતા પગારદાર કરદાતાઓને મોટી રાહત મળે તેવી શક્યતા છે. સરકાર હાલમાં બે વિકલ્પો પર વિચાર કરી રહી છે. પ્રથમ ૧૦ લાખ રૂપિયા સુધીની વાર્ષિક ... વધુ વાંચો »

Jan 22, 2025
ટ્રમ્પ કાંઈ રાજા નથીઃ બંધારણનું ઉલ્લંઘન થયુ છેઃ વિપક્ષ વોશીંગટન તા. ૨૨: અમેરિકામાં જન્મ આધારિત- નાગરિકત્વ આપવાનો કાયદો રદ કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને અદાલતમાં પડકારાયો છે. અને વિપક્ષ દ્વારા ટીકા પણ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે ૮૦થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી વ્હાઈટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામ શરૂૂ કરી દેતાં અમેરિકાની સાથે સમગ્ર વિશ્વ પર અસર કરતા આદેશો આપવાનું શરૂૂ કરી દીધું હતું. ત્યારે હવે ટ્રમ્પના આદેશ ... વધુ વાંચો »

Jan 22, 2025
રાજ્યની ૬૬ નગરપાલિકા, એક મનપા, ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી થશેઃ જામનગર તા. રરઃ ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની એક મનપા, ૬૬ નગરપાલિકાઓ તથા ૩ તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે, જેમાં હાલારની ૬ નગરપાલિકાઓનો સમાવેશ થતો હોવાથી રાજકીય હલચલ તેજ બની છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયત, ૬૬ નગરપાલિકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર છે. જેમાં હાલારની જામજોધપુર, કાલાવડ, ... વધુ વાંચો »

Jan 22, 2025
પ્રવેશબંધી હોવા છતાં તંત્રની મીઠી નજર હેઠળ જે-તે સમયે ખડકાયેલા બાંધકામોનું જવાબદાર કોણ ? ખંભાળિયા તા. ૨૨: બેટ-દ્વારકા વિસ્તારમાં સાત નિર્જન ટાપુઓ પરના ગેરકાયદે દબાણો હટાવાયા છે. જ્યાં પ્રવેશબંધી છે તેવા ટાપુઓ પર ધાર્મિક સ્થાનો સહિતના બાંધકામો થયા હોવાથી દબાણકર્તાઓ ઉપરાંત જે તે સમયના સરકારી અધિકારીઓની મીઠી નજર પણ દબાણો માટે કારણભૂત હોવાનું જણાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા બેટ વિસ્તારમાં ૭૨ કરોડ ઉપરાંતના દબાણો હટાવાયા પછી દ્વારકા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા ફોરેસ્ટ વિભાગના સંયુકત ઓપરેશનમાં ગઈકાલે સાત નિર્જન ટાપુઓ પર ૩૬ દબાણો જ્યાં આલીશાન ધાર્મિક સ્થળો મસ્જીદો કોમર્શીયલ બિલ્ડીંગ બનેલ તેને જમીન દોસ્ત કરાયા હતા. ૩ થી ૧૦ વર્ષ જુના ... વધુ વાંચો »

Jan 22, 2025
નગરની બે પ્રાથમિક શાળાને રૂ. ૬૯ લાખના ખર્ચથી સ્માર્ટ સ્કૂલ બનાવાશેઃ જામનગર મહાનગર-૫ાલિકાની સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં વિવિધ વિકાસકાર્યો માટે કુલ રૂ. ૩.૪૨ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં, શહેરની બે શાળાને રૂ. ૬૯.૨૦ લાખના ખર્ચે સ્માર્ટ શાળા તરીકે ડેવલપ કરવાનો પણ સમાવેશ થાય છે. જામનગર મહાનગર-પાલિકાની  સ્થાયી સમિતિની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને જેમાં આઠ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડીએન મોદી, ના. કમિશનર ડી. એન. ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈ.ચા. આસિ. કમિશનર (ટે.) જિજ્ઞેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરની દેવરાજ દેપાળ પ્રા. શાળા અને સોનલ નગર પ્રા. શાળાને સ્માર્ટ સ્કૂલ ... વધુ વાંચો »

Jan 22, 2025
રેંકડી-પથારા-દુકાનદારોના ફૂટપાથ અને માર્ગ પરના દબાણો હટાવવા ઉપરાંત 'કાંઈક જબરૂ' કરવાની તૈયારી? જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં ધંધાર્થી રેંકડીવાળા, ફેરિયા જાહેર રોડ ઉપર દબાણ કરીને ટ્રાફિક સમસ્યા સર્જતા હોવાથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્રએ તૈયારી કરી છે, જેના ભાગરૂપે ગઈકાલે મ્યુનિ. કમિશનર અને એસ.પી.એ વિશાળ કાફલા સાથે સ્થળ વિઝીટ કરી હતી. ઉપરાંત બચુનગર, નદીના પટના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એ વિસ્તારની પણ મુલાકાત કરવામાં આવી હતી. જામનગરમાં બર્ધનચોક, માંડવી ટાવર, દરબારગઢ વિસ્તારમાં રેંકડી, પથારાવાળા, ફેરિયા, ધંધાર્થીઓ દ્વારા જાહેર રસ્તા ઉપર ધંધો કરવામાં આવતો હોવાથી કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તંત્ર દ્વારા સમયાંતરે ... વધુ વાંચો »

Jan 22, 2025
બે મકાનમાંથી મળી આવી દેશી દારૂની ભઠ્ઠીઃ જામનગર તા.૨૨ : જામગનરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માંથી ગઈરાત્રે એક શખ્સ ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાયો છે. જ્યારે ખોડિયાર કોલોની નજીક જાગૃતિનગર પાસે બે મકાનમાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે. ભઠ્ઠીના સંચાલક બે મહિલા નાસી ગયા છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮ના છેવાડે હિંગળાજ ચોક નજીકથી ગઈરાત્રે પસાર થતાં ક્રિષ્ના ઉર્ફે એક્કો મહેન્દ્રભાઈ ગોરી નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી એક્કાની ... વધુ વાંચો »

Jan 22, 2025
ચીફ ઓફિસર તથા સ્ટાફ દ્વારા તાજેતરમાં ખંભાળિયા પાલિકાના બે કર્મચારી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુરની અધ્યક્ષતામાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. ખંભાળિયા સફાઈ વિભાગમાં કામ કરતા રામાભાઈ નામોરી તથા ડ્રાયવર રશ્મીનભાઈ કુવા વયમર્યાદાથી નિવૃત્ત થયા હતા. જેમણે આપેલી કામગીરીને યાદ કરીને તેમનું સન્માન કરાયું હતું તથા તેમણે પોતાની કામગીરીની વાતો યાદ કરી હતી. પાલિકામાં ઈજનેર તરીકે આવેલા મીતલબેન બોરીયા પણ ખંભાળિયાથી ધ્રોલ જતાં તેમને પણ વિદાય અપાયું હતું.  કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુર ઈજનેર એન.આર. નંદાણીયા, રાજભા ગઢવી, ડગરાભાઈ, પાલિકા સભ્યો પણ જોડાયા હતાં. જો આપને વધુ વાંચો »

Jan 22, 2025
એફઆઈઆર રદ્દની અરજી સુપ્રિમ કોર્ટમાં રજૂઃ જામનગર તા.રર : જામનગરમાં યોજાયેલા સમૂહ શાદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને જામનગરના એક નગરસેવક સામે ધાર્મિક લાગણી દુભાય અને દેશની એકતા જોખમાય તે પ્રકારનું ગાયન સાથેનું વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયા પછી ગુન્હો નોંધાયો હતો. તે અંગેની એફઆઈઆર રદ્દ કરવા રાજ્ય ની વડી અદાલતમાં અરજી કરાયા પછી તે રદ્દ થતાં દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાલ પૂરતી રાહત મળી છે. જામનગરમાં તાજેતરમાં યોજાયેલા સમૂહશાદીના એક કાર્યક્રમમાં રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપ ગઢી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તે કાર્યક્રમનો એક વીડિયો ... વધુ વાંચો »

Jan 22, 2025
મંગળ, ગુરૂ, શુક્ર, શનિ ગ્રહો એક લાઈનમાં દેખાશે જામનગર તા. ૨૨: જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈ છે, તે મુજબ જામનગરના નભોમંડળમાં દેખાતા મંગળ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ, તથા શનિના ગ્રહ ઉપર અલગ અલગ ચાર અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શોની બાજુમાં આગામી  તા. ૨૪મી જાન્યુઆરીના સાંજે ૭ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન નો કાર્યક્રમખગોળ મંડળ, જામનગર તથા એમ. ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન મંગળના ગ્રહ ... વધુ વાંચો »

Jan 22, 2025
ડીટીસીમાં અપગ્રેડ કોમ્પ્યુટરરાઈઝડ રેડિયોગ્રાફી ફેસેલિટી પણ ખૂલ્લી મૂકાઈઃ જામનગર તા. રરઃ નયારા એનર્જીએ મોબાઈલ હેલ્થ સર્વિસીઝનું ઉદ્ઘાટન કર્યુ અને અપગ્રેટેડ રેડિયોગ્રાફી ફેસિલિટીને ખૂલ્લી મૂકી હતી. કંપનીએ જામનગરમાં કમ્યુનિટી હેલ્થકેર અને ટીબી નાબૂદીમાં પ્રગતિ સાધી છે. નયારા એનર્જીએ તેની મોબાઇલ હેલ્થ સર્વિસ લોન્ચ કરીને કમ્યૂનિટી હેલ્થકેરને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સર્વિસનું નયારા એનર્જીના ચેરમેન પ્રસાદ પાનિકર, અમર કુમાર (હેડ, રિફાઇનરી) તથા રિફાઇનરી લીડરશિપ ટીમ (આરએલટી)ના સભ્યો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતરિયાળ અને સુવિધાઓથી વંચિત સમુદાયોને જરૂરી એવી પ્રાથમિક હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે જે હેલ્થકેરના મહત્વના અંતરને પૂરે છે અને ગ્રામીણ લોકો ... વધુ વાંચો »

Jan 22, 2025
ફળ-શાકભાજી વેંચવા જતા હતાં અને કાળનો પંજો પડ્યોઃ બેંગ્લુરૂ તા. રરઃ કર્ણાટકમાં મોટી કરૂણાંતિકા સર્જાઈ હતી. ફળ-શાકભાજી વેંચવા જતા ૩૦ લોકો સાથે ટ્રક પલટી જતા ૧૦ ના મોત થયા હતાં જ્યારે ૧પ જેટલા લોકો ઘાયલ થયા હતાં. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ ૧૦ લોકો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય ૧પ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ દુર્ઘટના અરેબૈલ અને ગુલ્લાપુરા વચ્ચે નેશનલ હાઈ-વે નંબર ૬૩ પર યેલ્લાપુર નજીક સર્જાઈ હતી. પોલીસ અધિક્ષક નારાયણ એમ.એ જણાવ્યું કે પીડિત લોકો શાકભાજી વેંચવા ... વધુ વાંચો »

Jan 22, 2025
રેલવે પોલીસનો કર્મચારી જામનગર એસીબીના છટકામાં: જામનગર તા.૨૨: રાજકોટના રેલવે સ્ટેશન પર ફરજ નિયુક્ત રેલવે પોલીસના જમાદારે મોબાઈલ ચોરીના એક આરોપીને હેરાન નહીં કરવા અને ચાર્જશીટ સાથે રજૂ કરવા રૂ.૧૦ હજારની લાંચ માંગ્યા પછી એસીબીમાં તેની ફરિયાદ કરાઈ હતી. ગઈકાલે ગોઠવાયેલા છટકામાં જામનગર એસીબીએ આ જમાદારને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે. રાજકોટના રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હે.કો. વેલાભાઈ ડાયાભાઈ મુંધવા નામના કર્મચારી હેરાનગતિ ન કરવાના મહેનતાણા પેટે રૂ.૧૦ હજારની લાંચ માંગતા હોવાની એક જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી એકમના ઈન્ચાર્જ મદદનીશ ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. રરઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં અઢી ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૩.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઓછી રહેતા ઠંડીનું જોર પણ ઘટી જતા જનતાએ રાહત અનુભવી હતી. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ર.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૧૩.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧૧ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિ ઓછી રહેતા ઠંડીનું જોર ઘટી જનતાને રાહત મળી હતી. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન પોણા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ર૮.૬ ડીગ્રી ... વધુ વાંચો »

Jan 22, 2025
વેપારીઓ-બેન્કો કન્ફયુઝડ... પણ હવે શું ? આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીની યાદગીરી રૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રિન્ટ કરેલા રૂપિયા ૧,૨,૫,૧૦,૨૦ ના દરના ધાતુના સિકકા ચલણમાં મુકવામાં આવ્યા હતા. કાગળની ચલણી નોટ જલદી ફાટી જવાથી, રદી થઈ જવાથી આવી નોટના આયુષ્યના પ્રમાણમાં ધાતુના સિકકાનું આયુષ્ય વધારે હોવાથી લોકો તેને સ્વીકારે પણ છે. પરંતુ ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવની યાદગીરી રૂપે રૂપિયા વીસના સિકકા બહાર પાડવામાં આવ્યા છે તે દેખાવમાં અને આકારમાં રૂપિયા દસના સિકકા જેવો હોવાથી ગ્રાહક અને વેપારી વચ્ચે રકઝક થતી હોવાનું ... વધુ વાંચો »

Jan 22, 2025
નગરના મહિલાએ કરી હતી ફરિયાદઃ જામનગર તા.ર૨ : જામનગરના એક મહિલાએ હેલ્થ પોલિસી મેળવ્યા પછી સારવાર લેવી પડી હતી. તેનો ક્લેઈમ વીમા કંપનીએ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે. જામનગરના ડોબરીયા જયોત્સનાબેન નામના મહિલાએ સ્ટાર હેલ્થ ઈન્સ્યુ. કંપની પાસેથી હેલ્થ પોલિસી મેળવ્યા પછી આ મહિલાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેમાં રૂ.૨ લાખ ઉપરાંત ખર્ચ તથા તેઓએ વીમા કંપની સમક્ષ કલેઈમ કર્યાે હતો. તે કલેઈમ રદ્દ કરી નાખવામાં આવતા વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ... વધુ વાંચો »

Jan 22, 2025
મોબાઈલ કબજે કરી આરોપીની ધરપકડઃ જામનગર તા.રર : ઓખા મંડળના રાંગાસર ગામમાં આવેલા એક શખ્સના મકાનમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૧૦૧ બોટલ કબજે કરી છે. આરોપીની ધરપકડ કરી પોલીસે તેનો મોબાઈલ ઝબ્બે લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક રાંંગાસણ ગામમાં એક શખ્સના મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બોટલ પડી હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા વિજેશભા કરશનભા સુમણીયા નામના શખ્સના મકાનમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૧ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો તેમજ ... વધુ વાંચો »

Jan 22, 2025
નીચેની કોર્ટનો સજાનો હુકમ યથાવતઃ જામનગર તા.૨૨ : લાલપુરના મોડપર ગામના એક આસામી સામે રૂપિયા સાડા આઠ લાખના ચેક પરતની બે ફરિયાદ કરાઈ હતી. તે કેસ અદાલતે એક-એક વર્ષની કેદની સજા અને ચેક મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે ઉપરની અદાલતમાં અપીલ કરાઈ હતી. સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. લાલપુર તાલુકાના મોડપર ગામના રહેવાસી કોન્ટ્રાક્ટર માલદે વજશીભાઈ ગાગીયાને નાણાકીય જરૂરિયાત ઉભી થતાં તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામના વજશીભાઈ ભીખાભાઈ ગોજીયા પાસેથી ચાર મહિના માટે ઓક્ટોબર ૨૦૧૬માં રૂપિયા સાડા આઠ લાખ હાથઉછીના મેળવી બે ... વધુ વાંચો »

Jan 22, 2025
સીઈઆઈઆર પોર્ટલની મદદથી જામનગર તા.૨૨ : લાલપુર પોલીસ મથકમાં ત્રણ આસામીએ પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની જાણ કરી હતી પોલીસે સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી તપાસ આરંભી હતી. જેમાં ત્રણેય મોબાઈલ મળી આવ્યા છે અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને સોંપવામાં આવ્યા છે. લાલપુર શહેરના લક્ષ્મીપાર્ક વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ દેવશીભાઈ સોરઠીયા તેમજ પીપળી ગામના હરેન્દ્રસિંહ તખુભા કંચવા અને ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામના અમિત ડેર નામના ત્રણ આસામી દ્વારા પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની જે તે વખતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. આ વ્યક્તિઓના મોબાઈલની તપાસ લાલપુરના પીઆઈ કે.એલ. ... વધુ વાંચો »

Jan 22, 2025
શાળા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્રઃ મંત્રી મૂળુભાઈ બેરા ખંભાળિયા તા. ૨૨:  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ રૂ.૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ પીએમશ્રી ભાણવડ કન્યા પ્રાયમરી સ્કૂલ અને સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરી શાળાના ભવનનું નિર્માણ થવા બદલ ભાણવડના રહેવાસીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેમની શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ થાય તે હેતુથી સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના જેવી અનેક શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કલામહાકુંભના આયોજનો થકી અનેક વિદ્યાર્થીઓમાં રહેલી કળાઓને નવી ઓળખ મળી છે. ભાણવડ કન્યાશાળામાં ભૌતિક સુવિધાઓમાં ... વધુ વાંચો »

Jan 22, 2025
નેશનલ પરિવાર અને યુવા ગ્રુપ દ્વારા આયોજનઃ જામનગર તા. ૨૨: હાલારી ભાનુશાળી જ્ઞાતિના ઈતિહાસમાં પ્રથમ વખત ઓક્સનથી પ્લેસ પ્લેયર્સની પસંદગી કરી અને ટુર્નામેન્ટનું આયોજન નેશનલ પરિવાર અને યુવા ગ્રુપ દ્વારા પ્રણામી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. ભાનુશાળી યુવાનો, મોટી જનમેદની વચ્ચે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા અને ૭૯ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ટોસ ઉછાળી ફાઈનલ મેચ રાષ્ટ્રગાન પછી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ વિમલભઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નીલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, પૂર્વ કોર્પોરેટર મનિષભાઈ કનખરા, વિરોધ પક્ષ નેતા ધવલન નંદા, અશોકભાઈ નંદા, ... વધુ વાંચો »

Jan 22, 2025
કુલ રૂ.પ લાખ દંડ પેટે ભરવા હુકમઃ જામનગર તા.૨૨ : જામનગરના એક આસામીને રૂ.૨ લાખ તથા રૂ.૩ લાખની રકમના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે બંને કેસમાં આરોપીને બે-બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગરમાં વસવાટ કરતા ધીરેન રમેશચંંદ્ર ભટ્ટ પાસેથી ચિંતન મહેશભાઈ પાટલીયાએ સંબંધદાવે રૂ.૨ લાખ તથા રૂ.૩ લાખ મળી કુલ રૂ.૫ લાખ હાથઉછીના લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ચિંતનભાઈએ બે ચેક આપ્યા હતા. બંને ચેક બેંકમાંથી ફંડસ ઈન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફરતા ધીરેનભાઈએ નોટીસ પાઠવી હતી. ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર મહાનગર પાલિકા હસ્તક હાપા ગૌશાળામાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી. ગાયોને નિરણ ખવડાવ્યુ હતું. ઉપરાંત નગરજનો પણ લાડુ-ઘાસ સાથે આવ્યા હતાં અને ગાયોને ખવડાવી પુણ્ય પ્રાપ્ત કર્યુ હતું. વ્હોરાના હજીરા પાસેથી પણ ધર્મપ્રેમીઓ દ્વારા ૬૦ ટન ઘાંસચારાનું દાન મળ્યુ હતું. જેએમસી કનેકટનાં માધ્યમથી આ ગૌશાળામાં દાન-ઘાસ આપવા કમિશનરે નગરજનોને અનુરોધ કર્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Jan 22, 2025
ગાંધીનગરમાં મંત્રીશ્રીના અંગત મદદનીશ તરીકે જામનગર તા. ૨૨: જામનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવીની બદલી થતા સ્ટાફ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપા કોટક, બ્રાન્ચના કર્મચારીઓ, તલાટી મંડળના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, વિમલ ગઢવી ભારતીય નેવીમાં ફરજ બજાવતા હતાં. જ્યાંથી એક્સ મેન કેટેગરીમાં ટી.ડી.ઓ. તરીકે જોડાયા હતાં. જામનગરમાં ફક્ત ટૂંકા ગાળા માટે ફરજ બજાવી ભારે લોકચાહના મેળવી હતી. પદાધિકારી, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તાલમેલ ... વધુ વાંચો »

Jan 22, 2025
શિક્ષકો સાથે ૭૦ કેડેટ્સ જોડાયા હતાં: જામનગર તા. ૨૨: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા સમયાંતરે શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં શાળાએ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પૂણે, કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરીંગ, આર્મી ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, ઓએફએમસી પૂણે, આઈએનએસ શિવાજી લોનાવાલા અને આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ, અહિલ્યાનગરમાં ધો. ૧૧ ના ૭૦ કેડેટ્સ અને મહેશ બોહરા, સિનિયર માસ્ટર, ડીડી પુરોહિત પીજીટી ગણિત અને રમેશ મકવાણા, ટીજીટી સામાજિક વિજ્ઞાન માટે છ દિવસીય શૈક્ષણિક સહ પ્રેરક પ્રવાસનું આયોજન કર્યું હતું. પ્રવાસીઓએ પ્રથમ દિવસે કેડેટ્સે કોલેજ ઓફ ... વધુ વાંચો »

Jan 22, 2025
શિબિર દરમ્યાન ૬૧ યુનિટ રકત એકત્રિત થયું: અમદાવાદ તા. ૨૧: અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશન (એએસીએ) અને સ્પોર્ટસ કલબ દ્વારા સ્પોટર્સ કલબ, નવરંગપુરામાં આઠમી રકતદાન શિબિર આયોજિત કરવામાં આવી હતી. આ શિબિર દરમ્યાન ૬૧ યુનિટ બ્લડ એકત્રિત થયુ હતું. જે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ગુજરાત કેન્સર સોસાયટી  (જીસીએસ) મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દાન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં મીડિયા ફ્રેટરનિટી, એડવર્ટાઈઝિંગ એજન્સીના સભ્યો, સ્પોર્ટસ કલબના સભ્યો અને અમદાવાદના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉમદા સેવાકાર્યમાં અમદાવાદના લોકોની સહકારની ભાવના ઉત્તમ ઉદાહરણ છે. જો આપને આ વધુ વાંચો »

Jan 22, 2025
ઉદ્યોગકારો સાથે વિચારગોષ્ઠી જામનગર તા. ૨૨: રાજ્યસભાના સાંસદ અને ડાયમન્ડ સીટી, સુરતના અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકીયા આવતીકાલે તા. ૨૩-૧ના જામનગર આવી રહ્યા છે. જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા તા. ૨૩-૧ના સવારે ૧૧ થી ૧ વાગ્યે એસો.ના ઓડીટોરીયમ હોલમાં ગોવિંદભાઈ ધોળકીયા તથા જામનગરના ઉદ્યોગકારો સાથે વિચારગોષ્ઠી કરવા પ્રેણાત્મક સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારિવારિક મૂલ્યોનું મહત્ત્વ, આજની પરિસ્થિતિમાં ઉદ્યોગજગતના પ્રશ્નોના ઉકેલ, એક ઉદ્યોગકાર તરીકે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે ફરજ અંગે વિચાર વિમર્શ થશે.   જો આપને આ વધુ વાંચો »

Jan 22, 2025
જામનગરના ત્રિમંદીરમાં સાધારણ સભા યોજાઈઃ જામનગરના ત્રિમંદિર પરિસરમાં તાજેતરમાં એસ.ટી. મજદુર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા વનદિપસિંહ મહિડાનાં અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ, કા. પ્રમુખ જગદિશભાઈ પટેલ, એડી. મહામંત્રી ઉમેશભાઈ બગથરીયા, જામનગર વિભાગનાં પ્રભારી ચંદુભાઈ, પ્રદેશ મંત્રી રાજદિપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ચૂંટણી અધિકારી તરીકે જગદિશભાઈ દ્વારા નવી ટીમની વરણી જાહેર કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી સંજય ડોડીયા, કા. પ્રમુખ ભીમસીભાઈ ચાવડા, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા અને અજયસિંહ ગોહિલ, સહમંત્રી હિતેષ ગઢવી અને મુળજીભાઈ ચાંડપા, કોષાધ્યક્ષ નરેશભાઈ ઠાકર, પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોષીની નિમણૂકને જામનગર વિભાગના આગેવાનોએ ... વધુ વાંચો »

Jan 22, 2025
ખેલમહાકુંભ અંતર્ગતની જામનગર તા. રરઃ ખેલ મહાકુંભ અંતર્ગત ફૂટબોલ (સિનિયર, ભાઈઓ) ની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જામનગરની સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ એફસી ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન થઈ હતી. ડીએસઓ, જામનગર તથા જામનગર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસો. દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં એચઆર માડમ એફસી ટીમે ફાઈનલમાં જામનગર યુનાઈટેડ ટીમને પ-૧ ગોલથી પરાજીત કરી હતી. હવે આ ટીમ ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા આનંદભાઈ માડમ, કમલેશભાઈ ચાવડા, દુષ્યંતભાઈ ઝાલા, ડીએસઓ ઓફિસના સ્ટાફે જહેમત ઊઠાવી હતી.   જો  વધુ વાંચો »

Jan 22, 2025
ટ્રકના ઠાઠામાં આઈશર ઘૂસ્યું: જામનગર તા.૨૨ : અમદાવાદ નજીક તારાપુર ચોકડીથી વટામણ વચ્ચે સોમવારે સવારે એક ટ્રકના ઠાઠામાં આઈશર ઘૂસી ગઈ હતી. આઈશરની કેબીનમાં રહેલા એક વ્યક્તિનંુ મૃત્યુ થયું છે અને એકને ઈજા થઈ છે. ધોરાજીમાં રહેતા ઈમ્તિયાઝ ખોખર નામના ટ્રક ડ્રાઈવર રવિવારે સાંજે ટ્રકમાં ધોરાજીથી ડુંગળી ભરીને સુરત જવા માટે રવાના થયા પછી સોમવારે વહેલી સવારે વટામણ તારાપુર ધોરીમાર્ગ પર કસબારા બ્રિજ નજીક એક હોટલ પાસે પહોંચ્યા હતા. આ વેળાએ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી એક મીની ટ્રક ઠાઠામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતના પગલે મીની ટ્રકની ... વધુ વાંચો »

Jan 22, 2025
દ્વારકા જિલ્લાના ધિણકી ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદઃ જામનગર તા. ૨૨: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ધિણકીમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. પરિસંવાદમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના પરિણામે કૃષિમાં વ્યાપક ફેરફારો આવ્યા છે. ટેકનોલોજીની સાથે સાથે ઝેર મુક્ત પ્રાકૃતિક કૃષિ અપનાવવી ખૂબ જ આવશ્યક છે. દેવભૂમિ દ્વારકાના ખેડૂતો પાસેથી ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરૂદક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માગી હતી. ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ પરંતુ આપણે જ તેનો વિનાશ કરી રહ્યા છીએ. ડીએપી, યુરિયા જેવા ... વધુ વાંચો »

Jan 22, 2025
કલ્યાણપુર તા. ૨૨: જામકલ્યાણપુર તાલુકામાં બારાડી પંથકમાં જે એસ.ટી. બસની સેવા ચાલુ હતી તે કોઈપણ વ્યાજબી કારણ વગર બંધ કરી દેવાતા લોકોને ભારે મુશ્કેલી ... વધુ વાંચો »

Jan 22, 2025
માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક શાખા, આર.ટી.ઓ.-જામનગર તેમજ સીનર્જી કંપનીના સંયુકત ઉપક્રમે આર.ટી.ઓ.માં હેવી મોટર વ્હીકલ ડ્રાઈવરો એકત્ર કરીને તેઓને અકસ્માત ઘટાડવા અને માર્ગ સલામતી રાખવા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તથા શોર્ટ ફિલ્મ બતાવી ટ્રાફિક નિયમો અંગે તેમજ હેવી ડ્રાઈવીંગ દરમ્યાન શું તકેદારી રાખવી. જેની સમજ આપવામાં આવી હતી. તેમજ સીનર્જી કંપની દ્વારા ડ્રાઈવરો માટે આઈ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. ૨૨: વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૨૩ના સવારે ૯ થી ૧૨ દયારામ લાયબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ- રાજકોટ) લઈ જવામાં આવશે. જયાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપા, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.   જો  વધુ વાંચો »

Jan 22, 2025
ધ્રોલની ડેલ્ટા સ્કૂલમાં તાજેતરમાં ટ્રાફિક અને રોડ સેફટી અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક શાખા-જામનગર અને એલ એન્ડ ટી દ્વારા પરવાહ રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-૨૦૨૫ અંતર્ગત આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૭ અને ૮ ના વિદ્યાર્થીઓને રોડ સેફટીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ ચિત્ર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ત્રણ વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.   જો આપને આ પોસ્ટ  વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા રૂ. એકાવન હજારનો ફાળો અર્પણ જામનગર તા. ૨૨: નિષ્કામ સેવાની ભાવના સાથે સતત દોડતાં એવા જામનગર જિલ્લાના હોમગાર્ડઝ જવાનો ફક્ત ફરજ અને પરેડ સાથે કુદરતી આફતોમાં જ પોતાની નિષ્કામ સેવાઓ આપે છે એવું નથી.! જામનગર જિલ્લાના હોમગાર્ડઝ દ્વારા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની આગેવાનીમાં સૈનિક વેલફેર અને પુનઃવસવાટ માટે ફાળો એકત્ર કરવા માટેની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટના રૂપિયા ૧૧૦૦૦/-થી શરૂઆત કરી તમામ યુનિટો દ્વારા રૂપિયા ૪૦૦૦૦/- એમ કુલ રૂપિયા ૫૧૦૦૦/- જેવી રકમ ભેગી કરી તેના બે અલગ અલગ ચેક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ બોર્ડના અધ્યક્ષ જામનગર જિલ્લાના સમાહર્તાને સુપ્રત ... વધુ વાંચો »

Jan 22, 2025
ઉજ્જૈનમાં યોજાયેલ ર્માં શારદા જયોતિષ અનુસંધાન સંસ્થાન દ્વારા જામનગર તા. ૨૨: જામનગરના સામાજિક કાર્યકર અને યુવા કથાકાર શાસ્ત્રીજી વિરલભાઈ નાકરને ઉજ્જૈનમાં શારદા જયોતિષ અનુસંધાન સંસ્થાન દ્વારા સનાતન ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના જયોતિષાચાર્યો સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દિનેશ ગુરૂજી આચાર્ય જી.ડી. વશિષ્ટ (લાલ કિતાબ), જામનગરથી નરેન્દ્રભાઈ ભેંસદડીયા તથા અનેક વિદ્ધવાનોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિધિ સંપન્ન થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શાસ્ત્રીજી જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડના સતત બે વર્ષ સુધી પ્રમુખ રહી ચુકેલા છે તથા ફેડરેશન લેવલે ... વધુ વાંચો »

Jan 22, 2025
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે આર.ટી.ઓ. દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આર.ટી.ઓ. જામનગર દ્વારા જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ ઈમરજન્સીગ સેવાના સહયોગથી કલ્યાણ પોલીટેકનીક કોલેજમાં માર્ગ સલામતી વિશે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાઈક ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તથા લાયસન્સસ બાબતે કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપવામાં આવી હતી. જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ ઈમરજન્સીના સેવાના મેડીકલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ રિસ્પોન્ડપન્ટવ ટ્રેનિંગ તથા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. જામનગરના ઈન્સ્પેકટર કે.જી.મેર તથા એસ.વી. રૂપાણી તથા જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ના મનવીર ડાંગર તથા કિશન ... વધુ વાંચો »

Jan 22, 2025
ગુમાવેલી શકિત પાછી મેળવવા અને હુષ્ટ-પૃષ્ટ રહેવા શું કરવું ? શિયાળાની ઋતુમાં કેટલીક સતર્કતા રાખીને શરીરને હુષ્ટ-પૃષ્ટ કેવી રીતે રાખી શકાય અને ગુમાવેલી શકિત કેવી રીતે પાછી મેળવવા વરવાળા આર્યુવેદ ઔષધાલય વૈદ્ય ડી.પી. મહેતાએ કેટલીક માર્ગદર્ક ટીપ્સ રજૂ કરી છેઃ- માલિશ કરવું: ઠંડી ઋતુમાં સરસિયું કે તલનું તેલ માલિશ રવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. કસરત-વ્યાયામનું મહત્ત્વઃ માલિશ કરી લીધા પછી જ શરીરની શકિત અને સ્થિતિ પ્રમાણે કસરત કરવી, વ્યાયામ કરવો જરૂરી છે. યોગાસન, દંડ બેઠકનો વ્યાયામ કરી શકાય કે સવાર-સાંજ ફરવા જવું કે દોડવું પણ સારી એવી કસરત છે. શિયાળામાં ચાલવું હિતાવહ છે. સ્નાનનું મહત્ત્વઃ માલિશ કરી, કરારત કરીને તાજા પાણીથી સ્નાન કરવું વધુ ... વધુ વાંચો »

Jan 22, 2025
ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ દ્વારા જામનગર તા. રરઃ શેલ્બી હોસ્પિટલ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેન્સર કેર કાઉન્સિલના સહયોગથી નિઃશુલ્ક મેગા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ર૬, રવિવારના સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા જેલની સામે, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા, કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા તથા પ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ આ કેમ્પના સહયોગી છે. કેમ્પમાં ઘૂંટણ, થાપા, ખભા અને કરોડજ્જુને લગતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તથા નિદાન કરવામાં ... વધુ વાંચો »

Jan 22, 2025
લીગલ એઈડમાંથી રોકાયા હતા વકીલઃ જામનગર તા.૨૧ : જામનગરની એક સોસાયટીએ રૂ.૨,૨૧,૫૫૮ના ચેક પરત અંગેની ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરના હિતેશભાઈ કિશોરભાઈ ચૌહાણ સામે સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા રૂ.ર,૨૧, ૫૫૮ના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી તરફથી લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલમાંથી વકીલ ભાવેશ જવાણી હાજર રહ્યા હતા. તેઓએ કરેલી દલીલોને ધ્યાને રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.   જો આપને  વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. ૨૨: જામનગરની વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના કપડા પાંખડી ભરતા સભ્યોના અભ્યાસ કરતા સંતાનોને પ્રોત્સાહન આપવા તા. ૨૬.૧.૨૫ના સવારે ૧૧ વાગ્યે નગીનદાસ વોરા (લીમડાવાળા) ઉપાશ્રયે ઈનામી મેળાવડો તથા જ્ઞાન-ગમ્મત સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં પ્રવેશ કરનાર બાળકો તથા વાલીઓનું અલગથી બહુમાન કરી સરપ્રાઈઝ ઈનામ આપવામાં આવશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો  વધુ વાંચો »

Jan 22, 2025
વોર્ડ નં. ૩ ના કોર્પોરેટરની રજૂઆતને સફળતા જામનગર તા. રરઃ જામનગરના વોર્ડ નં. ૩ ના વિસ્તારમાં સેન્ટ આન્સથી વિકાસ ગૃહ થઈ આનંદ બાગ સુધી પીજીવીસીએલની મેઈન લાઈન આવેલ હોય, સ્થાનિક વિસ્તારમાં અવારનવાર પીજીવીસીએલની લાઈનમાં ફોલ્ટ થવાની સમસ્યા અને સમારકામમાં ઘણો સમય વીતી જવા અંગે તેમજ કોઈક વખત તો કલાકો સુધી રીપેરીંગ કામગીરી કર્યા પછી પણ વીજ પુરવઠો પૂર્વવત થતો ન હોય, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પોતાના કિંમતી ઈલેક્ટ્રીક ઉપકરણોમાં નુક્સાની થવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જે સમસ્યાના નિવારણ માટે જણાવેલ વિસ્તારમાં પીજીવીસીએલની મેઈન લાઈન સરકારશ્રીની ડીઆઈએસએસ યોજના અંતર્ગત ... વધુ વાંચો »

Jan 22, 2025
આગામી તા. ર૬મી જાન્યઅુારીના દિને જામનગર તા. રરઃ જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ મંડળના સભ્યો માટે સોમનાથ તથા દીવના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૬-૧-ર૦રપ ના સાંજે ૪ વાગ્યે ત્રણબત્તી, ઝુલેલાલ ચોકથી પ્રવાસ માટેની બસ ઊપડશે. જે અખબાર વિતરક મિત્રો આ પ્રવાસમાં આવવા માંગતા હોય તેમણે તા. ર૪-૧-ર૦રપ પહેલા અશ્વિનભાઈ મોદી (મો. ૯૯ર૪પ ર૧૪૮૩), રીખીલભાઈ મોદી (મો. ૯ર૭૭૩ પ૧૧ર૧) અને દિલીપસિંહ જાડેજા (મો. ૯૮ર૪૮ રપ૭૯૮) ને નામ નોંધાવી દેવા જણાવ્યું છે.   જો આપને  વધુ વાંચો »

Jan 22, 2025
જામનગરમાં પ૦ વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાપ્રવૃત્તિઃ જામનગર તા. રરઃ જામનગર શહેરમાં છેલ્લા પ૦ વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અનેક જરૂરિયાતમંદોને વર્ષ દરમિયાન લોકસેવાના કાર્યોથી મદદ કરવામાં આવે છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટના સિનિયર સભ્ય મુકેશ પાઠકની તાજેતરમાં જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન થ્રી-બી ના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કુલ ૩પ કાઉન્સિલરોની ટીમ પૈકી પ્રમુખ સહિત ૧૧ જામનગરના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમની ટીમમાં જામનગર શહેરના અન્ય ૧૦ સભ્યોને અલગ અલગ હોદ્દાઓ ફાળવી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં સેક્રેટરી જયેશ ... વધુ વાંચો »

Jan 22, 2025
કાલાવડના નવાગામમાં થયો'તો હુમલોઃ જામનગર તા.૨૨ : કાલાવડના નવાગામમાં કાકા પર હુમલો કરવાના આક્ષેપમાં ઝડપાયેલા ભત્રીજાએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે. કાલાવડ તાલુકાના નવાગામમાં ધીરૂભાઈ ગગજીભાઈ વાઘેલા પર ઢોર બાબતે બોલાચાલી કર્યા પછી ભત્રીજા વિજય અજમલે ગઈ તા.૧૩ ડિસેમ્બરની સાંજે સળીયાથી હુમલો કરી માર માર્યાે હતો. આ બાબતની પ્રભાબેન ધીરૂભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિજય વાઘેલાની ધરપકડ કરી હતી. આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ એચ.બી. પરમાર, સુમિત વડનગરા, ભાવસિંહ જાડેજા રોકાયા છે.   જો વધુ વાંચો »

Jan 22, 2025
શૈક્ષણિક સંકુલ અને મેડિકલ ભવનના લાભાર્થે જામનગર તા. ૨૨: દશનામ ગૌસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા શૈક્ષણિક સંકુલ અને મેડિકલ ભવનના લાભાર્થે સમૂહ લગ્નોત્સવ તથા સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૨-૩-૨૫ને રવિવારે ગઢવી સમાજની વાડી, હીરો હોન્ડાના શોરૂમની પાછળ, ગુલાબનગર, જામનગર-રાજકોટ હાઈવે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ૧૧ યુગલ લગ્નગ્રંથિથી જોડાશે. સમૂહલગ્નના કાર્યમાં આર્થિક સહયોગ તથા કન્યાઓને કરીયાવર આપવા માંગતા દાતાશ્રીઓએ અધ્યક્ષ હેમેન્દ્રગિરિ સુંદરગિરિ મો. ૯૮૨૪૮ ૮૮૧૮૭, પ્રમુખ જીતેન્દ્રગિરિ સોમગિરિ મો. ૯૯૨૪૨ ૧૦૮૬૩નો સંપર્ક કરવો.   જો આપને આ વધુ વાંચો »

Jan 22, 2025
અમદાવાદ તા. રરઃ ગુજરાત રાજ્યના પૂર્વ સંયુક્ત માહિતી નિયામક દિપકભાઈ નિર્ભયભાઈ ભટ્ટ (ઉ.વ. ૭૬), તે રેખાબેન (નિવૃત્ત અધિકારી - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) ના પતિ, ભાર્ગવભાઈ (સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ - એક્સીસ બેંક, અમદાવાદ), મૈત્રીબેન હસીતભાઈ મહેતા (રાજકોટ) ના પિતા, ઉષાબેન ચીમનભાઈ પાઠક (રાજકોટ), તરૂબેન હરીશભાઈ પાઠક (ઈન્દોર), દતાબેન મહેન્દ્રભાઈ દવે (રાજકોટ), ભારતીબેન ભરતભાઈ દવે (રાજકોટ), પત્રકારબંધુ હેમેનભાઈ ભટ્ટ (નિવૃત્ત - ફૂલછાબ), નૈષધ ભટ્ટ (નિકુ ભટ્ટ-પત્રકાર - આઝાદ સંદેશ) ના મોટાભાઈ, યુવરાજના દાદા, અદિતી અને મહેકના નાનાનું તા. ર૦-૧-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા આવતીકાલે તા. ર૩-૧-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન સિંધુ ભવન હોલ, સિંધુ ... વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. રરઃ જામનગરમાં ચોરીવાળા જિનાલયમાં ર૧ પ્રાચીન પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી તેમજ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ર૬-૧-ર૦રપ ના દિને સવારે ૯-૩૦ વાગ્યે પૂ. હેમતિલક વિ.મ.સા. આદિની નિશ્રામાં ચોરીવાળા દેરાસરના કમ્પાઉન્ડમાં પ્રાચીન મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠાની ઉછામણી બોલાવવામાં આવશે, તેમજ અગિયાર દાર્શનિક પ્રતિમાની સ્થાપના માટેની ઉછામણી બોલાવવામાં આવશે. તા. ૧૧-ર-ર૦રપ થી તા. ૧૩-ર-૨૦રપ સુધી પૂ.હેમપ્રભસુરી મ.સા. આદિની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠાનો ત્રિ-દિવસીય મહોત્સવ ઉજવવામાં આવશે. પુનઃ પ્રતિષ્ઠા તા. ૧૩-ર-ર૦રપ ના સવારે શુભ મુહૂર્તમાં થશે.   જો આપને  વધુ વાંચો »

Jan 22, 2025
જામનગર તા. ૨૨: રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી- જામનગર તથા રણછોડદાસ બાપુ આશ્રમ-રાજકોટના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ૨૩ના સવારે ૯ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડના નાકા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ આશ્રમ-રાજકોટ લઈ જવામાં આવશે. કેમ્પમાં રહેવા-જમવાની વ્યવસ્થા આપવામાં આવશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Jan 22, 2025
જામરાવલ તા. ૨૨: જામરાવલના સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આવતીકાલે તા. ૨૩-૧-૨૫ના ગુરૂવારે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રોગના નિષ્ણાત ડોકટરો સેવા આપશે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ  વધુ વાંચો »

Jan 22, 2025
'જસ્ટ વન મિનિટ...' 'બસ બે મિનિટમાં આવું...' 'તું રાહ જોજે, હું પાંચ મિનિટમાં પહોંચુ છું.' 'ઊભા રહો... મારે બે મિનિટ વાત કરવી છે...' 'મારે બસ તમારો દસ મિનિટનો જ સમય જોઈએ છે.' 'બે મિનિટનું મૌન...' 'કલાકથી રાહ જોઉં છું... તે દસ મિનિટનું કહ્યું હતું.... હજી ન પહોંચ્યા...' 'દસ મિનિટનું કહીને મારી ગાડી લઈ ગયા... ત્રીસ મિનિટ થઈ.. હજી ન આવ્યા...' 'હું આખી જિંદગી તારી રાહ જોઈ શકુ...' સમય.. મારો.. ... વધુ વાંચો »

Jan 22, 2025
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... બુધવારે શેરબજારમાં ઉછાળા વેપાર શરૂ થયો હતો.સેન્સેક્સ ૩૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૧૭૮ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૦ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૧૫૪ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૮ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૮૧૫ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળો જોવા મળીયો હતો. ડોનાલ્ડ ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કામકાજમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન-મકાન-વાહનના કામમાં આપને ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, મનદુઃખથી ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામકાજમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કાર્યની સાથે સામાજિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપ હરો-ફરો-કામ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ રાહત જણાય ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપને પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીમે-ધીમે કામમાં સાનુકૂળતા થતી જાય. ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતા કામનો ઉકેલ લાવી ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. કામ ન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૩-૦૧-ર૦૨૫, ગુરૂવાર અને ૫ોષ વદ-૯ : દેશ-પરદેશના આયાત-નિકાસના કામ માં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગોમાંથી ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે નવી તકોનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ઘર-પરિવારના મામલે પરિસ્થિતિ સાનુકૂળ બનાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આકસ્મિક લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે તડકા-છાયા જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શર થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે કાર્યબોજ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે મિશ્ર પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ખર્ચ-વ્યય કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh