બદલતી મૌસમ.... મુંઝવતો માહોલ.... વૈશ્વિક સંઘર્ષના સંકેત... પ્રાસંગિક નહીં, પરમેનેન્ટ બહિષ્કારની જરૂર...

                                                                                                                                                                                                      

ઉનાળાની અંગ દઝાડતી ગરમી અને ધોમધખતા તડકા વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદ અને તોફાની પવનની આગાહીઓ થઈ રહી છે. આગામી આખુ અઠવાડીયુ વરસાદ પડશે અને ૨૨ તથા ૨૩મી મે ના  ભારે વરસાદ પડશે, તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. આ કારણે જયાં જયાં વરસાદ વહેલો પડશે, ત્યાં ત્યાં પ્રિ-મોન્સુન કામગીરીને પણ માઠી અસર થશે, પરંતુ તે અંગે તંત્રને બહુ ચિન્તા-ફિકર હોય તેમ જણાતું નથી.

રાષ્ટ્રીય કક્ષાએ પણ આજે કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી થઈ છે, અને કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમીની સંભાવના જણાવાઈ રહી છે, આ બળબળતા ઊનાળા વચ્ચે ભયંકર જીવલેણ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, તો બીજી તરફ વીજપુરવઠાની માંગ પણ વધી રહી છે, આમ ઋતુચક્રની બદલતી તાસીરના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ ભારત-પાક. વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ તથા પુનઃ સરહદી સંઘર્ષની પ્રબળ સંભાવનાઓ વચ્ચે ચીન, તુર્કીયે અને બાંગ્લાદેશ જેવા પાકિસ્તાન પ્રેમી દેશો સામે ભારત સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલા ડિપ્લોમેટિક એક્સન્સ ઉપરાંત લોકો તથા બિઝનેસ-એજ્યુકેશન-ટુરિઝમ સહીતનાં ક્ષેત્રો સાથે સંકળાયેલી સંસ્થાઓ, એસોસિએશનો, યુનિવર્સિટીઓ તથા સામાન્ય જનતા પણ આ ત્રણેય દેશોનો વ્યાપક બહિષ્કાર કરવાની ચળવળો પણ શરૂ થઈ ગઈ છે.

આ પ્રકારની ચળવળો આ પહેલા પણ ચીન સામે થઈ હતી, પરંતુ તે ખોખલી નિવડી અને ચીનનો બહિષ્કાર માત્ર ચીન સાથે સરહદી સંઘર્ષ હતો, ત્યાં સુધી જ થોડો -ઘણો સફળ રહ્યો હતો, પરંતુ તે પછી સરકાર દ્વારા એ સ્થિતિમાં ઉઠાવેલા કદમની સાતત્યતા ભૂલી ગઈ અને જનતા પણ ભૂલી ગઈ હતી. આ વખતે શરૂ થયેલો બહિષ્કાર હવે આતંકવાદ ખતમ ન થાય, પાકિસ્તાન પરાસ્ત ન થાય, પી.ઓ.કે. પાછું ન મળે અને ચીનની શાન પણ ઠેકાણે ન આવે ત્યાં સુધી ચાલતો જ રહે, તો જ આ પ્રકારની ચળવળો યથાર્થ ઠરે, અન્યથા જોસેફ ફેઈમ પ્રોપાગન્ડા જ પુરવાર થશે. હવે તુર્કીયે સાથે સંકળાયેલા કેટલાક ગુજરાત સહિત પ્રોજેકટો તથા કરારો પણ રદ્દ કરવા જ પડે ને ?

આપણા દેશમાં પણ ઘણાં ગદ્દારો મોજુદ છે, જેને ભારતીય સેનાના વિજયી પરાક્રમો કે પાકિસ્તાનની ઓપરેશન સિંદૂરમાં થયેલી બરબાદીમાં મજા નથી આવતી, પરંતુ દેશવિરોધી પ્રચાર અને પ્રવૃત્તિઓ વધુ પસંદ આવે છે. કેટલાક ગદ્દારો તો પકડાયા પણ છે, તાજેતરમાં જ ઝડપાયેલી પાક.ની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ.ની જાસુસ ગણાતી જયોતિ મલ્હોત્રા તથા શાહજાદ નામનો શખ્સ તેનું તાજુું દૃષ્ટાંત છે. જો કે, આ બન્નેની તપાસ ચાલી રહી છે, અને અદાલતે જયોતિ મલ્હોત્રાને રિમાન્ડ આપ્યા પછી પોલીસ પુછપરછ કરી રહી છે, તેથી આ કિસ્સો અત્યારે અન્ડર ઈન્વેસ્ટીગેશન ગણાય.

પોલીસ તપાસ પૂરી થયા પછી જો આક્ષેપો સાચા પુરવાર થશે, તો આ બન્ને શંકાસ્પદોને કાયદો તો અદાલતી કાર્યવાહી કર્યા પછી સજા કરશે જ, પરંતુ આ પ્યાદાઓની પાછળ રહેલા સીમાપારના કાવતરાખોરો નાબૂદ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનના જાસૂસો, પાક પ્રેરિત આતંકવાદીઓ તથા સ્લીપર સેલ્સના સ્વરૂપમાં આપણા જ દેશમાં રહીને દુશ્મનને મદદ કરતા ગદ્દારો ગાંડા બાવળની જેમ વધતા જ રહેવાના છે, તેથી ઓપરેશન સિંંદૂર હેઠળ સીમાપાર આક્રમણ કરીને આતંકી પર પ્રહાર કરવા અને તેને પ્રેરણા અને ખુલ્લેઆમ સમર્થન આપતી પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવાની જરૂર છે, અને તેમાં અમેરિકા કે કોઈપણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ હવે દેશની જનતા પણ સ્વીકારે તેમ નથી.

દુનિયામાં શાંતિ ફેલાવવાની ડંફાસો મારતા ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન કરાવવાના ફાંકા મારતા હતા પરંતુ, પુતિને ભાવ આપ્યો નહીં, અને યુક્રેન પર નવેસરથી હૂમલો કરી દીધો. અમેરિકાનું પાક્કું દોસ્ત ગણાતુ ઈઝરાયેલ ગાઝાપટ્ટી પર સતત હૂમલા કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ગમે ત્યારે સંગ્રામ શરૂ થઈ શકે તેવી સ્થિતિ છે, તેથી એક તરફ તો વિશ્વયુદ્ધ થઈ જાય, તેવી ભયંકર અને ડરામણી સ્થિતિ ઊભી થઈ રહી છે, તો બીજી તરફ "ટ્રેડ ટ્રેડ" કરતા ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફવોરના કારણે વૈશ્વિક માર્કેટ તથા અનેક દેશોમાં અર્થતંત્ર (અમેરિકા અને ચીન સહિતના) પણ ડગમગવા લાગ્યા છે, તેથી આખું વિશ્વ બરબાદી તરફ ઢસડાઈ રહ્યું હોય તેમ જણાય છે.

આપણો દેશ આતંકવાદ સામે એકજૂથ છે, અને પાકિસ્તાનને પછાડીને હવે પી.ઓ.કે. પાછું લેવું જોઈએ તથા પાકિસ્તાનથી આઝાદ થવા ઈચ્છતા બલુચિસ્તાન ઉપરાંત બાલ્ટિસ્તાન અને ગિલગીટ સહિતનાં પ્રદેશોને મદદ કરીને પાકિસ્તાનના પાંચ ટૂકડા કરી નાખવા જોઈએ, તેવી જનભાવનાઓ ઉછળી રહી છે, તો બીજી તરફ ઓપરેશન સિંંદૂરના પ્રથમ તબક્કાની સફળતા પછી તેનો યશ લેવાની હોડ લાગી છે. આપણા દેશની ગરિમા ઝળહળતી રહે, તે માટે અત્યારે શાસકપક્ષ અને વિપક્ષોની સાત ટીમો વિદેશ જઈ રહી છે તે સારી વાત છે પરંતુ તેમાં પણ આંતરિક રાજનીતિના ખેલ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. બીજી તરફ પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ અને તેની સરકાર પણ જાણે ભારતની નકલ કરતી હોય તેમ વિશ્વ સમુદાય સમક્ષ જવાની છે.

આપણા દેશમાંથી વિદેશી જાસૂસો પકડાતા હોય, આઈ.એસ.આઈ.ના આતંકીઓ દબોચાતા હોય અને હૈદ્રાબાદમાં આતંકી હૂમલા કરવાના કાવતરાખોરો ઝડપાતા હોય, તો તે એક તરફ તો આપણી ચૂસ્ત-દૂરસ્ત સુરક્ષા વ્યવસ્થાને પુરવાર કરે છે, તો બીજી તરફ એવો સંકેત પણ આપે છે કે આપણે જરા પણ ગાફેલ રાખવું પોસાય તેમ નથી, કારણ કે દેશમાં જ પાકિસ્તાન પ્રેમીઓ તથા ચીનના ચાહકો પણ ઓછા નથી !

કેન્દ્ર સરકારે પણ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે અત્યારે આખો દેશ એકજૂથ થયો છે તે રાજકીય રીતે શાસકપક્ષ કે ગઠબંધનના સમર્થનમાં છે, પછી અત્યારે આખો દેશ આતંકવાદ અને દુશ્મન દેશો સાથે એકજૂથ થયો છે, અને તે માટે સરકાર દ્વારા લેવાતા નિર્ણયો અને ભારતની બહાદૂર સેનાની પાસે અડીખમ ઊભો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મણિપુરઃ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ખંડણીના આરોપમાં ૩પ૦ ઉગ્રવાદીની ધરપકડ કરાઈ.

વિનાશકાળે વિપરીત બુદ્ધિ... વાર્યા ન વરે તે હાર્યા વરે, પણ...?

                                                                                                                                                                                                      

ગુજરાતની ઘણી તળપદી કહેવતો ખૂબજ થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેતી હોય છે, અને કેટલીક કહેવતો તો ફિલોસોફી, ગહન ચિંતન અને અનુભૂતિના સંગમમાંથી પ્રગટી હોય તેવું લાગે, તો કેટલીક કહેવતો શાનમાં સમજાવી દેવાની તાકાત પણ ધરાવતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં જ નહીં, પરંતુ હિસ્ટ્રી, મેથ્સ, બિઝનેસ અને પોલિટિકસ સહીતનાં વિષયોમાં પણ ઘણી વખત ગુજરાતી કહેવતો આબેહૂબ બંધબેસતી થઈ જતી હોય છે.

પહલગામ આતંકી હૂમલો, ભારતનું સફળ ઓપરેશન સિંંદૂર અને તે દરમિયાન પાકિસ્તાને હૂમલો કરવાનો માત્ર પ્રયાસ જ કર્યો ત્યાંજ તેમને ભારતે દેખાડેલી સૈન્ય તાકાતની ફેઈક ન્યુઝ અને ડોકટર્ડ કે ચોરી કરેલી તસ્વીરો અને ભળતા વીડિયો મૂકીને પાક મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા ભ્રામક ખબરો ફેલાવીને પોતાની પીઠ થાબડી રહ્યું હતું, જેની પાકિસ્તાનમાં જ હાંસી ઉડી રહી હતી, તો બીજી તરફ ઈન્ટરનેશનલ મીડિયાના કેટલાક ભારત વિરોધી પરિબળોએ ફેલાવેલી જૂઠી ખબરોની માયાજાળ પણ પ્રાયોજિત ઢબે પાકિસ્તાને ભારતને જબ્બર નુકસાન પહોંંચાડયું હોવાનો ભ્રમ ફેલાવી રહી હતી, અને પાકિસ્તાનમાં તો વિજયોત્સવ ઉજવાઈ રહ્યા હતા.

તે પછી તટસ્થ ઈન્ટરનેશનલ મીડિયાએ વાસ્તવિકતા પ્રગટ કરવા માટે સંશોધનો કર્યા અને ભારતીય સેના તથા વિદેશ મંત્રાલયે તબક્કાવાર પ્રેસ-કોન્ફરન્સો યોજીને ફોટો, વીડિયો અને સંલગ્ન પુરાવા સાથે હકીકતો રજૂ કરી, તે પછી સેટેલાઈટ આધારિત અસ્સલ અને સચોટ તસ્વીરોએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી અને પાકિસ્તાન માત્ર ત્રણેક દિવસોમાં જ બરબાદ થઈ ગયું હોવાનું પુરવાર થયા પછી હવે પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફ હવે ક્રમશઃ ધીમે ધીમે એ હકીકત સ્વીકારતા થયા છે કે આ મીનીયુદ્ધે જ પાકિસ્તાનના મહત્વપૂર્ણ સ્થળોના ભૂક્કા બોલાવી જ દીધા હતા, અને મહત્ત્વપૂર્ણ એરબેઝનો ખુરદો બોલી ગયો હતો.

આજે સવારથી એવા અહેવાલો આવી રહ્યા છે કે શાહબાઝે તેમના મહત્ત્વના એરબેઝ સહિત થયેલા જંગી નુકસાનની વાત સ્વીકારી છે, તે પહેલા ગઈકાલે તેમણે ભારત સાથે શાંતિવાર્તા કરવાની તૈયારી પણ બતાવી હતી, પરંતુ ભારતના વિદેશમંત્રીએ સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે હવે માત્ર પી.ઓ.કે. ખાલી કરવા અને પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ કરવા સિવાય કોઈ વાત નહીં થાય!

પાકિસ્તાનના સિંધના મુખ્યમંત્રી અને ત્યંના વાયુદળના પૂર્વ એરમાર્શલે પણ ભારતે એવોકસ સિસ્ટમ ઉડાડી દીધી હોવાની વાત કરી હતી, અને હવે શાહબાઝે વાસ્તવિકતા સ્વીકારવાનું શરૂ કર્યું, તેથી એવું કહી શકાય કે વાર્યા ન વરે, તે હાર્યા વરે, એટલે કે ઘણું બધું સમજાવવા છતાં અકડાઈ ચાલુ રાખે, તેને પછડાટ પડે કે ઘોર પરાજય થાય ત્યારે જ તેને ભાન થાય.

જો કે, પાકિસ્તાન સુધરે તેમ નથી. વાર્યા વરે અને હારે તો પણ ન વરે, તો તેનું નિકંદન નીકળી જવાનું નક્કી હોય છે, તેથી એવું પણ કરી શકાય કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ....

ભારતના બ્રહ્મોસે પાકિસ્તાનને તબાહ કરી દીધું અને ચીનની તકલાદી એર ડિફેન્સ સિસ્ટમો ફેઈલ ગઈ, ચીન અને તુર્કિયેના ડ્રોનનો તો કચ્ચરઘાણ જ નીકળી ગયો અને ચીનની મિસાઈલની હવા નીકળી ગઈ, તે પછી ચીનનો ડિફેન્સ માર્કેટમાં પણ જબરો ફટકો પડવાનો છે. અને યુદ્ધ સામગ્રી જ નહીં પરંતુ અન્ય ચીજવસ્તુઓનો વેપલો પણ વિખેરાઈ જવાનો છે. હવે ભારતીય સેનાએ નવું નોટમ જાહેર કર્યું છે, મિસાઈલના નવા પરીક્ષણો થઈ રહ્યા છે, યુદ્ધ સામગ્રીના નવા સોદાઓ થઈ રહ્યા છે, ડિફેન્સ બજેટ વધારાયુ છે, ભારતીય સેનાને વળતો પ્રહાર કરવાની ખૂલ્લી છૂટ અપાઈ છે અને દેશના રક્ષામંત્રીએ ભુજમાંથી "પિક્ચર તો અભી બાકી હૈ" જેવો રણટંકાર કર્યો છે, તેથી પાક. પી.એમ. શાહબાઝની હેંકડી નીકળી ગઈ હશે, અને હવે શાંતિ સ્થાપવાની ડાહી ડાહી વાતો કરવા લાગ્યા હશે.

એવું કહેવાય છે કે ભારતના પ્રચંડ પ્રહાર અને પછીની વર્તમાન રણનીતિથી ફફડી ઉઠેલી પાકિસ્તાની સેનાએ તેનું રાષ્ટ્રીય હેડક્વાર્ટર્સ અન્યત્ર ખસેડવાનું નક્કી કર્યું છે. સિંધુ સમજૂતિના સંદર્ભે પરમાણુ બોમ્બની ધમકી આપતા રહેતા પાકિસ્તાની નેતાઓની બોબડી બંધ થઈ ગઈ છે, અને હવે શાંતિનો રાગ આલાપવા લાગ્યા છે, જ્યારે ભારતે વિપક્ષી સાંસદો સહિતના સાત પ્રતિનિધિમંડળની રચના કરી છે અને તેને વિદેશોમાં મોકલીને વિશ્વસમુદાય સમક્ષ પાકિસ્તાનના આતંકી ચહેરાને બે-નકાબ કરવા, આઈ.એમ.એફ. દ્વારા મંજુર થયેલ ફંડ અટકાવવાનું દબાણ લાવવા અને યુ.એન.એસ.સી.માં ટી.આર.એફ.ને આતંકી સંગઠન ઘોષિત કરવાની સાથે સાથે ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાનની પાકિસ્તાનને ફરજ પાડવા સહિતના બહુ આયામી અને ચોતરફી વ્યુ હાત્મક કદમ ઉઠાવ્યા છે. ભારતે પહલગામ હૂમલા પછી પાકિસ્તાન પર રહેલા પ્રતિબંધો એકાદ અપવાદ સિવાય યથાવત રાખ્યા છે અને યુદ્ધવિરામ નહીં પણ સંઘર્ષ વિરામ છે, તથા પાક. પ્રેરિત આતંકી હૂમલાને યુદ્ધનો પ્રયાસ ગણવા તથા પાકિસ્તાન અને આતંકવાદીઓને એકસરખા ગણીને ટ્રીટ કરવા, તેની સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવા તથા આતંકીઓ પર સતત પ્રહાર કરવાની નીતિ અપનાવવા પાકિસ્તન ફફડી રહ્યું છે.

જો કે ભારતીય સેનાએ કરેલા આ પરાક્રમો અને રાજકીય ઈચ્છાશક્તિ કે ડિફેન્સ-ફોરેન મિનિસ્ટ્રીની નિર્ણયશક્તિની વાહવાહી થાય, ત્યાં સુધી બરાબર છે પરંતુ આ અધૂરી સફળતાના મહિમાગાનની આડમાં કે આક્ષેપો-પ્રતિઆક્ષેપો, તરફેણ અને વિરોધના પ્રદર્શનો કરીને રાજકીય લાભ અથવા ચૂંટણીલક્ષી ફાયદો મેળવવાના પ્રયાસો થાય, તો તે માત્ર નિંદનિય જ નહીં, પરંતુ પોતાના પરિવારોને છોડીને તથા સાથે કફન બાંધીને દેશની રક્ષા કરતા જવાનોનું પણ અપમાન જ ગણાય ને ?

પહલગામ હૂમલા પછી ઓપરેશન સિંદૂરના પ્રથમ તબક્કાની સફળતા સુધી ભારતે જે એકજૂથતા દેખાડી હતી, તે પણ આ પ્રારંભિક વિજય માટે યશભાગી છે, તે ભૂલવું ન જોઈએ...હજુ પણ ટ્રેલર પછીનો વિરામ છે, અને પિક્ચર હજુ બાકી છે, તેવા થયેલા દાવાઓ પણ કસોટીની એરણે ચડવાના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પંજાબમાં આતંકવાદી જૂથ બબ્બર ખાલસાના ૧૫ સ્થળે એનઆઈએના દરોડા.

નગરમાં વિકાસકામોની સાથે મૂળભૂત સુવિધાઓનું ધ્યાન રાખજો... પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ન ચાલે હો....!

                                                                                                                                                                                                      

રાજકોટમાં સામાન્ય વરસાદ થતા જ ત્યાંની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ અને ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, એટલું જ નહીં, કેટલાક વસાહતી વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને લોકોના ઘરોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા, તે પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અને વિવિધ સરકારી વિભાગો તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા હાલારના નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી વ્યવસ્થિત, ગુણવત્તાસભર અને યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ ? તેવા સવાલો ઉઠે એ સ્વાભાવિક છે.

અત્યારે જામનગરમાં વિકાસના કામોની જાણે આંધી આવી હોય તેમ ફ્લાય ઓવરબ્રીજ અને તેના સંલગ્ન કામો, ભૂગર્ભ ગટરના તથા પાણીપૂરવઠાના કામો અને કેટલાક સ્થળે માર્ગ-મરામત તથા અન્ય કામો ચાલી રહ્યા હોવાથી અવાર-નવાર જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને કેટલાક માર્ગો બંધ કરીને તેના વૈકલ્પિક માર્ગો સૂચવાઈ રહ્યા છે, તો કેટલાક માર્ગો ડાયવર્ટ કરાઈ રહ્યા છે અથવા અડધા બંધ કરીને કામ ચલાવાઈ રહ્યું છે. આ કાર્યોની સાથે સાથે ચાલતી પ્રિ-મોન્સુન કામગીરીઓ કેટલી વ્યવસ્થિત થાય છે અને કયાં લાપરવાહી રખાઈ રહી છે, તેના પર ઉચ્ચ અધિકારોઓ અને જવાબદાર નેતાગીરી ઉપરાંત હવે જાગૃત નાગરિકો પણ નજર રાખી રહ્યા છે અને લોલંલોલ કે ગરબડ જણાય, ત્યાં વીડિયો ઉતારીને કે ફોટા પાડીને તેને ઉજાગર કરવાની પ્રવૃત્તિ પણ વિકસી રહી છે, તેથી ઈજારદારો તથા તંત્રોએ પણ વધુ જાગૃત રહેવું પડી રહ્યું હોય તેમ જણાય છે. જો કે, આ પ્રકારની પ્રવૃત્તિ વિશુદ્ધ ઢબે અને તદૃન લોકલક્ષી માનસિકતા સાથે જ થવી તત્યંત જરૂરી છે અને કદાચ તેવું જ થઈ રહ્યું  છે. તંત્રો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી તથા પુરાવા સાથે થતી નક્કર રજૂઆતો પરત્વે તત્કાલ લક્ષ્ય આપીને જે ગરબડ થતી હોય કે કચાશ રહી જતી હોય તો તે અટકાવે અને મૂળમાંથી જ સુધારે તેવું મેકેનિઝમ વધુ વ્યાપક અને ઝડપી બનાવે તે અનિવાર્ય છે.

વિકાસના માચડા ઊભા કરી દેવામાં આવે, પરંતુ તે પૂરેપૂરા ઉપયોગી ન બને, તો જંગી ખર્ચાઓનો કોઈ અર્થ નથી. દૃષ્ટાંત તરીકે જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં નગરમાં નવા બનેલા ત્રણ સી.એચ.સી. ના ઓપરેશન મેન્ટેનન્સના કામોની દરખાસ્તો પેન્ડીંગ રાખીને કેટલીક અનિવાર્ય પૂર્તતાઓ કરવામાં આવી રહી હોવાની ચર્ચા થઈ હતી, અને નવા બનેલા ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી માત્ર બેડીબંદર રીંગ રોડ પર અધકચરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અપૂરતી સાધન-સામગ્રી સાથે એક સી.એચ.સી. ચાલુ થયું હોવથી તમામ સી.એચ.સી. તબીબો તથા કાયમી અથવા વીઝીટીંગ નિષ્ણાંત તબીબો (સ્પેશ્યાલિસ્ટો), જરૂરી દવાઓ તથા પૂર્ણ કક્ષાના ઓ.ટી. સહિતની વ્યાવસ્થાઓ સાથે તત્કાલ કામ કરતા થઈ જાય, તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે, અને આ અત્યંત જરૂરી સેવાઓમાં થઈ રહેલા અસહ્ય વિલંબનો ખુલાસો પણ થવો જોઈએ, તેવી ગુપસુપ થવા લાગી છે.

સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ મીલ થઈને બેડીબંદર તરફ જતા રીંગરોડ અને બેડીબંદરને ગાંધીનગર રેલવેસ્ટેશનને જોડતા રીંગરોડના નવીનીકરણ, વિસ્તૃતિકરણ અને આધુનિકરણની વાતો થતી રહે છે અને મહાનગરપાલિકાની ચંૂટણીઓ સમયે વાયદાઓ થતા રહે છે, પરંતુ આ કામ પૂરું થતું જ નથી, અને પ્રોસિઝર તથા પૂર્તતાના નામે વિલંબ થતો જ રહે છે. આ અંગે જે -તે વિસ્તારોના કોર્પોરેટરો પણ ભેદી ચૂપકીદી સેવી રહ્યા હોય તેમ જણાય છે.

નગરમાં નવા-નવા "ડ્રીમ પ્રોજેકટો" ના પ્લાન બને, ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી નિર્માણાધિન ફ્લાય ઓવરબ્રીજનું ચોમાસા પહેલા લોકાર્પણ થઈ જાય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જંગી કામો થતા રહે, તે આવકારદાયક છે, પરંતુ લોકોની મૂળભૂત જરૂરિયાતોના કામો ખોરંભે ન પડે અને ધીમી ગતિએ ચાલતા જનજરૂરી વિકાસકામો ગુણવત્તાસભર બને અને તત્કાળ સંપન્ન થાય તે પણ જરૂરી છે...સામર્થ્યવાનોના સપનાઓની જેમ જ સામાન્ય લોકોની પ્રાથમિક સુવિધાઓનું પણ ચિંંતન થાય, તો જ પ્રજાલક્ષી સુશાસનના દાવાઓ સાચા પડે,....સમજદાર કો ઈશારા બહોત....?

સમર્પણ હોસ્પિટલ પાસે અત્યારે જાણે પરિવહનનું જંકશન રચાયુ હોય તેમ ત્યાંથી ખંભાળીયા, પોરબંદર, દ્વારકા, ઓખા, બેટદ્વારકા, રાવલ, ભાણવડ, લાલપુર તરફ જતા સેંંકડો પેસેન્જરો અને માલવાહક વાહનો પસાર થાય છે, અને આ એક રિકવેસ્ટ બસ સ્ટોપ હોવાથી અહીંથી એસ.ટી., ટ્રાવેલ્સ અને ખાનગી વાહનો પેસેન્જરોને ચડાવવા-ઉતારવા માટે થોભે છે, પરંતુ ત્યાં સેનિટેશનની કોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે અને જાહેરમાં પાસવોટર કરવા મજબુર બને છે, એટલું જ નહીં મહિલાઓ તો ક્ષોભજનક સ્થિતિ અનુભવે છે, તેથી ત્યાં સેનિટેશનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવી જરૂરી છે, પરંતુ એરકન્ડીશન ગાડીઓમાંથી સ્વાર્થ વગર નીચે પગ નહીં મુકતા સંબંધિત હોદ્દેદારો કે ઉચ્ચ અધિકારીઓને લોકોની આ મૂળભૂત સમસ્યા કદાચ દેખાતી જ નહીં હોય ને...?

લોકોમાં તો એવી ચર્ચા હતી કે સમર્પણ સર્કલને સુવિધાસંપન્ન કરવા અને ડેવલપ કરવા માટે રિલાયન્સ કંપનીએ તૈયારી બતાવી છે અને મનપાની મંજુરીથી તેનો જયારે વિકલ્પ થશે, ત્યારે માત્ર સેનિટેશન જ નહીં સર્કલની ચો-તરફ છાપરાઓ-બેન્ચો-પંખા-પીવાનું પાણી તથા સેનિટેશન-શૌચાલયોની વ્યવસ્થા સાથેના બસસ્ટેન્ડ, ફુવારો, રિક્ષાસ્ટેન્ડ, એ.ટી.એમ. ફર્સ્ટએઈડની સુવિધા તથા શોપીંગ કોમ્પ્લેકસ, સાથેનું સંકુલ ઊભું થશે, પરંતુ હવે જ્યારે રિલાયન્સના સહયોગથી ટાઉનહોલ સર્કલના વિકાસની જાહેરાત થઈ ગઈ છે, તેથી સમર્પણ સર્કલના વિકાસની વાતો કાં તો હવામાં ઉડી ગઈ હશે, અથવા તો નયારા જેવી અન્ય ખાનગી કંપનીઓ, રાજ્યસરકાર અને કેન્દ્રસરકારના સંકલનથી સમર્પણ સર્કલનો વિકાસ થશે, એવી આશાવાદી ચર્ચા પણ થવા લાગી છે. બીજી તરફ લોકોમાં એવી ચર્ચા પણ છે કે કેન્દ્રસરકારની નવી નીતિઓની અસર કદાચ નગર સુધી પહોંચી ગઈ છે. એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે કરોડોના પબ્લિક મનીથી રિપેર કરાયેલા મ્યુનિ. ટાઉનહોલનું ખાનગીકરણ તો થવાનું નથી ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"સિસ્ટમ" નો દગો ...? મેન્યુઅલ વિકલ્પો પણ રાખો... ઈ-ડિટેકશન પ્રોજેકટનો છબરડો ?

                                                                                                                                                                                                      

આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે કોઈ શ્રમિક કે સામાન્ય વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં અચાનક કરોડો રૂપિયા જમા થઈ ગયા, તો કેટલીક વખત તદ્ન ગરીબ વ્યક્તિને મોટી રકમની વસુલાત કે ટેકસ બાકી હોવાની નોટીસ મળે, તો ક્યારેક દસ્તાવેજી ઓનલાઈન કાર્યવાહી દરમિયાન ગરબડ થઈ જવાના કિસ્સા પણ નોંંધાતા હોય છે, તેનું કારણ અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટ આધારિત ડિજિટલ, કોમ્પ્યુટરાઈઝ અને ઓનલાઈન સિસ્ટમોમાં થતી ગરબડ હોય છે.

ઝડપી, ચોક્કસ અને પારદર્શક પ્રક્રિયાઓ માટે ડિજિટલ અને ઈન્ટરનેટ આધારિત કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ ઘણીજ ઉપયોગી છે, પરંતુ આ જ સિસ્ટમો જયારે બગડી જાય, ખોટવાઈ જાય કે "ડાઉન" થઈ જાય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો ભોગ તંત્ર તથા સામાન્ય લોકો બને છે, તેથી આ પ્રકારની ખામીઓ ઊભી જ ન થાય, તેવી ફૂલપ્રૂફ અદ્યતન સુધારણાઓ ન થાય, ત્યાં સુધી સામાન્ય લોકોને સંબંધિત, ધન-સંપત્તિ કે બેન્કીંગ સેવાઓને લગતી સેવાઓ માટે જયારે ડિજિટલ, ઈન્ટરનેટ અને સર્વર આધારિત સિસ્ટમો બગડી જાય, ત્યારે મેન્યુલ સિસ્ટમોની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ જિવંત (યથાવત) રાખવી જોઈએ, તેવી એડવાઈઝ અપાતી રહેતી હોય છે, પણ....?

ઘણી વખત સર્વર ડાઉન થઈ જતા કલાકો સુધી લાઈનોમાં ઊભેલા અરજદારોના મહત્વના કામો અટકી પડતા હોય છે, તે ઘણી વખત સર્વર ડાઉનની બહાનાબાજી હેઠળ કામચોરી, લાપરવાહી કે ટેબલ નીચેથી વ્યવહારો કરવાની માનસિકતા પણ પનપતી હોય છે. જો સર્વર ડાઉન થાય તેવા સંજોગોમાં કોઈ એવો વિકલ્પ રાખવામાં આવે, કે શક્ય હોય તો અરજદારનું કામ મેન્યુલી કરી આપવામાં આવે, અથવા તો અરજદારે ફરીથી ધક્કો ન થાય, અને તેનું કામ તે પછી તંત્ર દ્વારા જ થઈ જાય, અથવા અરજદાર સાથે સેલફોન-ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠાં પેન્ડીંગ કામ થઈ જાય, તેવો કોઈ વિકલ્પ વિચારવો જોઈએ. જો કે, બધા કિસ્સામાં તેવું ન થઈ શકે, પરંતુ કેટલાક રોજીંદા ટેકનિકલ અને નાના-મોટા સુધારા-વધારા કે ટેકસ પેમેન્ટ, રજીસ્ટ્રેશન અને પ્રક્રિયાત્મક કામો માટે આવું કોઈ ઓપ્શન તો વિચારવું જ જોઈએ.

એક તાજુ દૃષ્ટાંત જોઈએ, તો આર.ટી.ઓ. દ્વારા રાજ્યમાં નવ હજારથી વધુ વાહનોને માત્ર ત્રણ દિવસોમાં રૂ.૧.૯૪ કરોડ કરતા વધુ રકમનાં ઈ-ચલણ ઈસ્યુ થયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણ ખોટી રીતે ઈસ્યુ થઈ જતા રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરીને તપાસના આદેશ આપવાના અહેવાલો વહેતા થયા છે.

એવું કહેવાય છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાજેતરમાં નિયમ-કાયદાઓનાં મોનીટરીંગ તથા ટેક્સિસને લગતી જોગવાઈઓનો ચૂસ્ત અમલ થાય, તે માટે રાજ્યના ટોલનાકાઓ પર ઈ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઈ-ચલણ મોકલવાની સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે, આ સિસ્ટમમાં ક્ષતિ ના કારણે ત્રણ દિવસમાં નવ હજાર કરતા વધુ વાહનોને રૂ. બે હજારના ઈ-ચલણ ઈસ્યૂ થઈ ગયા છે. તા. ૧૫ થી ૧૭ એપ્રિલ વચ્ચે ઈસ્યૂ થયેલા આ ઈ-ચલણો "સિસ્ટમની દગાબાજી"ના કારણે અપાયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણો ખોટી રીતે અપાયા હોવાથી તપાસ શરૂ થઈ હોવાના અહેવાલો પછી પ્રત્યેક ડિજિટલ અથવા ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સેવાઓને વધુ ફુલપ્રૂફ બનાવવા અને સિસ્ટમ પર આધારિત રહેવાના બદલે ઈ-ચલણોથી પણ એક વખત મેન્યુલ કે સિસ્ટોમિક કે મેન્યુલ પુનઃચકાસણી થઈ જાય, તે અત્યંત જરૂરી હોવાના જન-પ્રતિભાવો પણ વ્યકત થવા લાગ્યા છે.

જે વાહનચાલકો કે વાહનધારકો પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ હોય, તેમ છતાં તેને ઈ-ચલણ મળે, ત્યારે તેને કેટલી તફલીફ પડતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી, પરંતુ નિંંભર તંત્રો પાસેથી સંવેદનશીલતાની અપેક્ષા રાખવી નકામી છે. કેટલાક વાહનધારકો એટલા પ્રામાણિક હોય છે કે તેઓ ઈ-ચલણ મળતા જ ચુકવણી કરી દેતા હોય છે, જ્યારે કેટલાક વાહનધારકો સિસ્ટમના જાણકાર નહીં હોવાથી કે અલ્પજ્ઞાનના કારણે પણ તરત પેમેન્ટ કરી દેતા હોય છે, અને તેના દ્વારા ભરપાઈ થયેલા વધારના નાણા સરભર થાય છે કે કેમ, તેની તેઓને ખબર હોતી નથી કે તંત્રને પડી હોતી નથી. જો કે, આ પ્રકારના ગરબડ ગોટાળા અંગે અહેવાલો વહેતા થયા પછી પણ મૌન રહેલા રાજ્યકક્ષાના સંબંધિત તંત્રોએ આ અંગે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, અને હવે પછી આ જ ક્ષતિ ફરીથી દહોરાવાય નહીં, તેની કાળજી પણ લેવી જોઈએ, શું રાજ્યનો માર્ગં વાહનવ્યવહાર વિભાગ આ પ્રકારની ગેરંટી આપી શકશે ખરૃં ?

ટૂંકમાં ઈ-સેવાઓમાં થતી ગરબડો જોતા તંત્રોએ માત્ર ને માત્ર ઈ-સિસ્ટમો પર આધારિત રહેવાના બદલે ઈ-સેવાઓમાં પણ ખામી ઉત્પન્ન થાય,  સર્વરો ડાઉન થાય કે પછી વીજ પૂરવઠો કે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જાય, તેવા સંજોગોમાં જેમાં શક્ય હોય તેવી જનલક્ષી સેવાઓ માટે મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઈએ.

બેન્કીંગ સિસ્ટમમાં ઘણી બેન્કો આ પ્રકારનો મેન્યુલ વિકલ્પ રાખે છે, અને "સિસ્ટમ" કોઈ પ્રક્રિયામાં જયારે આગળ વધવા ન દ્યે કે પછી ખામી સર્જાય, તો પહેલાની જેમ મેન્યુલ પ્રક્રિયાનો વિકલ્પ વાપરીને કસ્ટમરનું કામ કરી આપતી હોય છે, ત્યારે માત્ર બેન્કીંગ સિસ્ટમ જ નહીં, પરંતુ તમામ ઈ-સેવાઓમાં મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ રાખવો જોઈએ, કારણકે મશીનો કે સિસ્ટમ ક્યારેય "પ્રેક્ટિકલ" બની શકતી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈન્ટરનેટ યુગ સાથે કદમ મિલાવી પ્રગતિની હરણફાળ ભરી રહેલા

                                                                                                                                                                                                      

ગુજરાતના સૌથી પહેલા ગુજરાતી સાંધ્ય દૈનિક "નોબત" ના ગરિમામય ૬૮ વર્ષ ૫ૂરા થયા અને આજે ૬૯માં વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. અમારા પથદર્શક અને "નોબત"ના આદ્યસ્થાપક સ્વ. રતિલાલભાઈ માધવાણીએ જીવનભર પડકારો, પરિશ્રમ અને પ્રામાણિકતાથી સિંચેલું આ વટવૃક્ષ હવે ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વવ્યાપી બની રહ્યું છે, અને તેઓની ત્રીજી પેઢી પણ "નોબત"ને અત્યાધુનિક તથા ગ્લોબલ બનાવવા માટે જે સહિયારો પુરૃષાર્થ કરી રહી છે, તે પૂ. બા અને પૂ. રતિલાલભાઈ માધવાણીના આશીર્વાદની સાથે સાથે સમગ્ર હાલાર અને હવે સાત સમંદર પાર વિશ્વના જુદા જુદા દેશોમાં ઈન્ટરનેટ આધારિત "નોબત"ની વિવિધ આવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વાચકો, દર્શકો, ફોલોઅર્સ અને શુભેચ્છકોના આશીર્વાદથી સફળ થઈ શક્યો છે, અને આ સાંધ્ય અખબાર હવે ઈ-પેપર, વીડિયો સમાચાર, બ્રેકીંગ ન્યુઝ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, ટેલિગ્રામ, વેબસાઈટ સહિતના માધ્યમો દ્વારા પણ ઉપલબ્ધ થયું છે, અને પ્રિન્ટેડ અખબાર તથા ઈન્ટરનેટના માધ્યમથી વંચાતુ, સંભળાતુ અને પળે-પળની ખબરોથી સતત સંકળાતુ "નોબત" હવે લોકોના જીવનનું અભિન્ન પાસું બની ગયું છે.

"નોબત"ની અદ્યતન આવૃત્તિ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વધેલી પ્રવૃત્તિઓ છતાં અમે અમારી મૂળભૂત સેવાઓ તથા અભિગમો યથાવત રાખ્યા છે. જામનગર અને હાલારની જનતાનાં અવાજને વાચા આપવા ઉપરાંત કુદરતી આફતો, યુદ્ધ જેવી પરિસ્થિતિ કે અસાધારણ સંજોગોમાં જનસેવાની સંગાથે ઊભું રહેતું આ અખબાર લોકોના હૃદયમાં વસી ગયું છે, તે નક્કર હકીકત છે.

"નોબત"ના તંત્રીલેખો જન-જન અને જન પ્રતિનિધિઓથી લઈને વિદ્યાનગૃહો સુધી પડઘાય છે, અને શાસન-પ્રશાસન તથા વિપક્ષોને પણ જરૃર પડ્યે ઢંઢોળે છે. તો વિવિધ સમસ્યાઓ અને જનફરિયાદોને તસ્વીરી અહેવાલો, આર્ટિકલ્સ અને ન્યુઝસ્ટોરીઓના સ્વરૃપમાં પણ પ્રકાશિત કરવામાં આવે છે. તે ઉપરાંત "નોબત"નો સંગત વિભાગ પણ અનેક પ્રકારની વિવિધાસભર આર્ટિકલ્સ, અભ્યાસલેખો, ઈન્ફોર્મેટીવ અને ંફિલોસોફિકલ સહિતની વૈવિદ્યપૂર્ણ વાચન સામગ્રી પીરસે છે. "નોબત"ના મન હોય તો માળવે જવાય, સંવેદના, એન્જિયોગ્રાફી, મિલનની મસ્તી, કટાક્ષકણિકા, ચૂડીચાંદલો, માર્કેટ સ્કેન, દૈનિક-સાપ્તાહિક ભવિષ્ય, ગોલીબારના લેખો, સાહિત્યગાથાઓ, વિશેષ દિવસોને સાંકળતા પ્રાસંગિક લેખો અને કાવ્યો, સોના-ચાંદીના ભાવો, શેરબજાર, પંચાંગ, શુભવિવાહ, ચિરવિદાય અને સોશ્યલ રિસર્ચ ઘણાં જ લોકપ્રિય થયા છે, અને તે અંગે વાચકોના સંખ્યાબંધ પ્રતિભાવો પણ સાંપડે છે, જેથી અમારી છાતી ગજ ગજ ફૂલે છે.

"નોબત"ની વાર્ષિક લવાજમ યોજનાઓ પણ ઘણી જ આકર્ષક બની છે, તો બ્રેકીંગ ન્યુઝની અવિરત સેવાઓ પણ ગ્રુપ મેમ્બરોનો વ્યાપ વધારી રહી છે. "નોબત"ના યુ-ટ્યુબ દ્વારા પ્રસારિત થતા દૈનિક સ્થાનિક સમાચારની તો લોકો રાહ જોઈને બેઠા હોય છે, અને તસ્વીરકથાઓ દ્વારા હાલારમાં યોજાયેલા તમામ પ્રકારના કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો, ઉપરાંત જનપ્રશ્નોને સંબંધિત ફોટોસ્ટોરીઓ પણ ઘણી જ લોકપ્રિય બની છે.

આજના આ ગરિમામય દિવસે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર નોબતના માનવંતા ગ્રાહકો, વાચકો, વિજ્ઞાપન દાતાઓ, સ્પોન્સર્સ, દર્શકો, ફોલોઅર્સ, બ્રેકીંગન્યુઝના ગ્રુપ મેમ્બર્સ, પત્રકારો, પ્રતિનિધિઓ, વિતરકો સહિત સમગ્ર હાલાર અને દેશ-વિદેશમાં ફેલાયેલા શુભેચ્છકો તથા સહયોગીઓને હૃદયપૂર્વક સાભાર, શુભકામના પાઠવે છે....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હમ નહીં સુધરેંગે.... યુદ્ધ જેવી સ્થિતિમાં હાલારનો સ્વયંભૂ સહયોગ નોંધનિય...

                                                                                                                                                                                                      

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયો, અને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે બન્ને દેશોના ડીઆરએનઓ વચ્ચે સંઘર્ષ વિરામ જાળવી રાખવાની હજુ સમજૂતિ થઈ જ હતી, ત્યાં ગઈકાલે રાત્રે સાંબા અને જલંધરમાં ફરીથી ડ્રોન દેખાયા, જેને ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા. પંજાબના હોશિયારપુરમાં પણ ધમાકા જેવા અવાજો સંભળાયા પછી ફરીથી બ્લેકઆઉટની ફરજ પડી અને હજુ ગઈકાલે જ એરસ્પેસ ખોલીને હવાઈ સેવાઓ પૂર્વવત કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી, તે પૈકીની કેટલીક સેવાઓ આજ પૂરતી રદ્દ કરાઈ હોવાના અહેવાલો પણ આવ્યા. આથી પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી... તેવી કોમેન્ટો પણ થવા લાગી. જો કે, તે પછી ફરીથી કોઈ ડ્રોન્સ દેખાયા નહીં, પરંતુ પાકિસ્તાને પુરવાર કરી દીધું કે હમ નહીં સુધરેંગે...

ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન થાય તે પહેલા જ ફરીથી ટ્રમ્પે એવું નિવેદન કર્યુ, જેથી તેની હાંસી પણ ઉડી અને ભારતે તેનો રદિયો પણ આપ્યો, ટ્રમ્પે કહ્યું કે, તેમણે ભારત અને પાકિસ્તાન સાથે વ્યાપાર બંધ કરી દેવાની ચિમકી આપીને યુદ્ધ વિરામ કરાવ્યું છે, જેનું મોદીએ સંબોધનમાં આડકતરો જવાબ આપ્યો હોવાનો દાવો થયો, અને ટ્રમ્પની હાંસી પણ ઉડી. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંબોધનમાં ક્યાંય ટ્રમ્પનું નામ લીધુ નહીં, તેની પણ અલગથી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેઓએ ટેરર, ટ્રેડ અને ટોક એક સાથે નહીં ચાલે, પાણી અને લોહી એક સાથે નહીં વહે અને હવે પાકિસ્તાન સાથે પીઓકે પરત લેવા તથા આતંકવાદને સમાપ્ત કરવા સિવાયના કોઈ મુદ્દે વાત નહીં થાય, તેમ જણાવીને ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું અને ભારત ગમે ત્યારે સ્થગિત થયેલી સૈન્ય કાર્યવાહી ફરીથી શરૂ કરી શકે છે, તથા ભારત - પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખશે, તેવી સ્પષ્ટ વાત કરી, તે પછી કોઈનું નામ લીધા વિના ઘર આંગણેથી વિશ્વ સમુદાય સુધીના તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યાં છે.

જો કે, પાકિસ્તાનના સાંસદે ભારતના પી.એમ. નરેન્દ્ર મોદીના ભાષણને માત્ર પોતાની શાખ બચાવવાનો પ્રયાસ ગણાવીને ભારત બરબાદ થઈ ગયું હોવાની શેખી મારી અને બીજી તરફ સાંજે થયેલી સમજૂતિનો રાત્રે જ ભંગ કરાયો તે જોતા પાકિસ્તાની ક્યારેય સુધરે તેમ લાગતું નથી.

હજુ તો ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી, ભારતીય સેનાની ત્રણેય પાંખો પાકિસ્તાનની હરકતો પર નજર રાખીને બેઠી છે અને સિઝફાયરનો ભંગ કરવાની હરકતો સંપૂર્ણપણે બંધ થઈ નથી, ત્યાં જ એક તરફ યુદ્ધવિરામ (સંઘર્ષ વિરામ) નો લિંબડજશ ખાટવાના ટ્રમ્પ ફેઈમ પ્રયાસો ઘર આંગણે પણ શરૂ થઈ ગયા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી પણ કેટલાક સવાલોના સ્પષ્ટ જવાબો મળ્યા નહીં હોવાની ચર્ચા થઈ રહી છે. દેશની સુરક્ષા, યુદ્ધ જેવી સ્થિતિ અને આતંકવાદ જેવા વિષયોને સાંકળીને રાજકીય લાભો લેવાના પ્રયાસો થતા હોય, અને ચૂંટણીઓ કે પરિણામો સાથે સાંકળીને કોમેન્ટો પોસ્ટ કરાતી હોય અને પછીથી ડિલીટ કરી દેવાતી હોય, તો કહી શકાય કે "હમ નહીં સુધરેંગે..."

ગઈકાલે ફરીથી સરહદે ડ્રોન દેખાયા પછી પ્રપંચી અને દગાબાજ પાકિસ્તાનનો ભરોસો થઈ શકે તેમ નથી, અને એટલે જ આજે જામનગર સહિત કેટલાક સરહદી શહેરોમાંથી ઉડનારી ફલાઈટો અટકાવી દેવામાં આવી હશે. પાકિસ્તાન સાચી-ખોટી સમજૂતીઓ કરે, અને થોડા જ કલાકોમાં તેનો ભંગ કરે, અને ભારત તેનો "જડબાતોડ" જવાબ આપ્યા જ રાખે, તેવું ક્યાં સુધી ચાલશે...? આ કાયમી પળોજણનો હવે કાયમી ઈલાજ કરવો જ પડે તેમ છે, અને હવે પછી જો ગયા સપ્તાહ જેવી તક મળે, તો ચૂકવા જેવી નથી, અન્યથા કેન્દ્ર સરકાર સામે પણ લોકોનો આક્રોશ વધી જશે અને વિશ્વસનિયતા ઘટી જશે, તે નક્કી છે. પીઓકે પાછું ક્યારે લેશો અને આતંકવાદ હકીકતે ખતમ થશે ખરૂ...?, તેવા જનપ્રશ્નોના જવાબો તો હવે આપવા જ પડે તેમ છે, અને તે માટે આખો દેશ સરકાર અને સેનાની પડખે અડીખમ ઊભો જ છે.

યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ, ત્યારે પાકિસ્તાન સાથે જળસીમાથી જોડાયેલા હાલારે પણ સુરક્ષા એજન્સીઓ અને તંત્રને સ્વયંભૂ અને અડીખમ સહયોગ પૂરો પાડ્યો છે. ઠેરઠેર અંધારપટ, પોતાના કામ-ધંધા બાદ રાખીને તથા સામાજિક, ધાર્મિક, પારિવારિક પ્રસંગો, પ્રવાસ-પર્યટન તથા મહત્ત્વના કામોના ભોગે પણ તંત્રની સૂચનાઓ ઉપરાંત સ્વયંભૂ સ્વયંશિસ્ત અને સંખ્યાબંધ બ્લડ ડોનેશન કેમ્પો યોજીને જંગી સંખ્યામાં રક્તદાન કરીને હાલારની જનતાએ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો જે પરિચય આપ્યો છે, તે ગૌરવપ્રદ અને પ્રશંસનિય છે...

તમામ પ્રકારની તકેદારીઓ તથા સ્વયંભૂ બ્લેકઆઉટની સાથેસાથે લોકોને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓમાં તમામ સમાજો, વર્ગો અને અબાલવૃદ્ધ સૌ કોઈએ આપેલો જિવંત સહયોગ અવિસ્મરણીય રહેવાનો છે, અને તે જ આપણા દેશની તાકાત છે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઓપરેશન સિંદૂર યથાવત પણ પીઓકેનું શું...? ત્રીજા દેશના હસ્તક્ષેપ સામે વિપક્ષો લાલઘૂમ... સાચા દેશપ્રેમીઓ સ્તબ્ધ...?

અમિતાભ બચ્ચનની એક હિન્દી ફિલ્મનું એક કોમેડી ટાઈપનું ગીત ઘણું જ પ્રચલીત છે, જેની પ્રથમ પંક્તિ છે "મેરે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?"

ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયુ, અને ઓપરેશન સફળ થયુ હોવાના દાવાઓ થયા, તે પહેલા જ અમેરિકાના ધૂની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "એક્સ" પર પોસ્ટ મૂકીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી, અને અમેરિકાએ આ સંઘર્ષ વિરામ માટે પ્રયાસો કર્યા હતા, તેઓ દાવો પણ ટ્રમ્પે કર્યો હતો. આ પ્રકારે ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા દેશના હસ્તક્ષેપ સામે ભારતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને વિપક્ષો લાલઘૂમ છે. જેના સંદર્ભે ટ્રમ્પને ઉદ્દેશીને કટાક્ષમાં કહેવાય રહ્યું છે કે, "હમારે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?

બીજી તરફ આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બહાદૂર અને સક્ષમ સેનાએ પાકિસ્તાનમાં જઈને નવ આતંકી કેમ્પો ઉડાવી દીધા અને તે પછી પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલથી કરેલા તમામ હૂમલાઓ નિષ્ફળ બનાવીને તેના મર્યાદિત જવાબમાં પાકિસ્તાનના ચાર મહત્ત્વપૂર્ણ એરબેઝ, રડાર અને સંલગ્ન સૈન્ય ઠેકાણાઓનો કચ્ચરઘાણ વાળી દીધો છે. તેની વાહવાહી પણ થઈ રહી છે.

આ વખતે તો ભારત એવી સ્થિતિમાં હતું કે, પૂર્ણકક્ષાનું યુદ્ધ થાય, તો પાકિસ્તાનના ટૂકડે-ટૂકડા થઈ જાય તેમ હતાં, કારણ કે બ્લુચિસ્તાનના સ્વાતંત્ર્ય માટે લડતી બલૂચી વિદ્રોહી સેના પણ પાકિસ્તાની સેના પર આક્રમણો કરી રહી હતી અને ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પાકિસ્તાનને ઘેરી પણ લીધુ હતું, આવી મજબૂત સ્થિતિમાં ભારતે સંઘર્ષ વિરામ કર્યો, તેવી પ્રબળ દેશદાઝ ધરાવતા દેશપ્રેમીઓ, ઘણાં પૂર્વ સૈનિકો તથા ખુદ શાસકપક્ષના સમર્થકો સહિત દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ રીતે અચાનક સંઘર્ષ વિરામ કરવાના બદલે પ્રપંચી પડોશીઓને પછાડીને એલઓસી પરત લઈ લેવાની સુવર્ણ તક ગુમાવી હોવાનો વસવસો પણ પડઘાઈ રહ્યો છે.

મુખ્યત્વે, વિપક્ષના નેતાઓ સંઘર્ષ વિરામની જાહેરાતો ટ્રમ્પે કરી હોવાથી આગબબૂલા થયા છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે જો ત્રીજો પક્ષે મધ્યસ્થી કરી ન હોય અને ટ્રમ્પે કરેલી જાહેરાત યથાર્થ ન હોય, તો ખુદ વડાપ્રધાન તેની સ્પષ્ટતા કેમ કરતા નથી...? તેવા સવાલો ઉઠ્યા છે.

બીજી તરફ ગઈકાલે સેનાની ત્રણેય પાંખોના ડીજીએમઓએ એક વિસ્તૃત પત્રકાર પરિષદ યોજીને ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના નેસ્ત નાબુદ કરેલા કેમ્પો, હણેલા આતંકવાદીઓ અને તે પછી પાકિસ્તાને કરેલા નિષ્ફળ હૂમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને તેના કેટલાક એરબેઝ અને સૈન્ય ઠેકાણાંઓને બરબાદ કર્યા તેનું પ્રેઝન્ટેશન કરીને પુરાવા સાથે માહિતી આપી, તે પછી દેશભરમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવાઈ રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત જ છે, તેવું જાહેર કર્યા પછી એવી અટકળો પણ થઈ રહી છે કે, હવે પાકિસ્તાનના નવ મુખ્ય આતંકી ઠેકાણા નાબુદ કર્યા પછી બાકીના ૧ર આતંકી ઠેકાણાંનો પણ યોગ્ય સમયે ખુરદો બોલવવાની યોજના વિચારાઈ હશે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર યથાવત રાખ્યું હોવાથી દુભાયેલી જનભાવનાઓમાં થોડો આશાનો સંચાર પણ થતો જણાયો હતો. બીજી તરફ ભારત સરકારે પહેલેથી જ એવું જાહેર કર્યુ હતું કે, હવે ભારત કોઈપણ પાક પ્રેરીત આતંકી હૂમલો થશે તો તેને "એક્ટ ઓફ વોર" ગણીને વળતો પ્રહાર કરાશે અને સંઘર્ષ વિરામ પછી પણ ભારત સરકારે સિંધૂ જળ સંધિ રદ્દ કરવા સહિતના પાકિસ્તાન પર લગાવેલા તમામ પ્રતિબંધો યથાવત રાખ્યા હોવાથી પણ આ સંઘર્ષ વિરામ પણ ભારતીય સેનાની લાંબી વ્યૂહરચનાનો એક ભાગ જ હશે, તેમ માનવામાં આવી રહ્યું છે. હવે બધાની નજર ભારત - પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચેની વાટાઘાટો પર મંડાયેલી છે.

એટલું સારૂ છે કે, ભારતે ચોખ્ખુ કહી દીધુ છે કે, હવે ભારત-પાક. વચ્ચે માત્રને માત્ર પીઓકે પાછું આપવાની અને ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાની જ વાત થશે, તે સિવાયની કોઈ વાતચીત પાકિસ્તાનની સાથે નહીં જ થાય. એક એવી વાત પણ સામે આવી છે કે, પછડાયેલા હતાશ પાકિસ્તાનની બેજવાબદાર સરકાર અને સેનાએ પરમાણુ બોમ્બ ફેંકવાની તૈયારી કરી હોવાથી લાખો લોકોના જીવ બચાવવા અને બન્ને તરફ આ બરબાદી અટકાવવા હાલ તુરંત આ અણગમતો નિર્ણય લેવાયો છે, પરંતુ હવે પાકિસ્તાની કે તેના પાલતુ આતંકવાદીઓની નાની સરખી હરકત પણ પાકિસ્તાનની બરબાદી નોતરશે, એટલું જ નહીં, હવે ભારત - પાકિસ્તાનને પીઓકે પરત સોંપવા અને ભારતના અપરાધી આતંકવાદીઓ ભારતને સોંપી દેવાની જોરશોરથી માંગણી ઉઠાવીને કાશ્મીરના યુદ્ધનું સ્વરૂપ જ ફેરવી નાંખશે, જે હોય તે ખરૂ, પરંતુ ભારત સરકારે ત્રીજા પક્ષની મધ્યસ્થી અને ટ્રમ્પના દાવાઓનો નિષેધ કરતી જાહેરાત વિશ્વસનિય રીતે કરવી જ જોઈએ, કારણ કે, ભારત સરકાર અને વડાપ્રધાન પ્રત્યેની દેશની જનતાની વિશ્વસનિયતા સંકળાયેલી છે.

હવે ખડગે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્રો લખીને આ મુદ્દે ચર્ચાની કરેલી માંગણીઓ, સંસદના વિશેષ સત્રની માંગણી તથા ખાસ કરીને ટ્રમ્પના દાવાઓ અને ત્રીજા દેશના હસ્તક્ષેપના મુદ્દે સ્વયં વડાપ્રધાન દ્વારા ચોખવટ વિગેરેની ચર્ચા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતા, ધારાશાસ્ત્રી અને પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે ટીવી ઈન્ટરવ્યૂમાં જે વાતો કહી છે તે "ટોક ઓફ ધ નેશન" બની છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂર્ણ યુદ્ધના ભણકારા વચ્ચે તંત્રો સાબદા.... પાર્થને કહો ચઢાવે બાણ.. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ...?

                                                                                                                                                                                                      

ગઈકાલે પણ પાકિસ્તાને યુદ્ધ વિરામ ભંગ કરીને ભારતીય સરહદે 'એલઓસી' પર ફાયરીંગ ચાલુ રાખ્યું અને નિર્દોષ નાગરિકોની વસાહતોને ટાર્ગેટ બનાવી, અને ભારતે તેનો યોગ્ય જવાબ આપ્યો, તે ઉપરાંત બારામુલાથી સરક્રીક-કચ્છ સુધીની સરહદો પરથી પાકિસ્તાને ડ્રોન એટેક કર્યો. તેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો, તો પછી મોડી રાત્રે પણ આ નાપાક હરકતો ચાલી રહી હતી, તે દરમિયાન ભારતની ચિંતાને અવગણીને આઈએમએફ દ્વારા પાકિસ્તાનને કરોડો ડોલરનું ફંડ મંજૂર કરાયા હોવાના અહેવાલો પણ આવ્યા, જેથી ભારતના પાકિસ્તાનને ગ્રે લિસ્ટ આપવા બ્લેક લિસ્ટમાં મૂકવાના પ્રયાસો વિફળ થયા હતાં, અને ભારતે જોરદાર વિરોધ પણ નોંધાવ્યો છે, તો બીજી તરફ વિશ્વ બેંકે સિંધૂ સમજુતિ મુદ્દે કોઈ હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરીને પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો આપ્યો હતો, એટલું જ નહી, અમેરિકાએ પણ ભારતને શસ્ત્રો હેઠા મૂકવાનું દબાણ ન કરી શકાય, અને ભારત અને પાકિસ્તાનની વર્તમાન તંગદીલી વચ્ચે અમેરીકા હસ્તક્ષેપ નહીં કરે, તેવું કહીને પાકિસ્તાનને ઝટકો આપ્યો હતો. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદીલી ઝડપથી ઘટી જાય અને યુદ્ધ જેવી સ્થિતિ વધુ ન વકરે, તેવું ઈચ્છનીય હોવાનું નિવેદન આપ્યા પછી પણ પાકિસ્તાને ડ્રોન એટેક ચાલુ રાખ્યો, તેથી ઓપરેશન સિંદૂર હવે પૂર્ણકક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોવાનુ પ્રતિત થઈ રહ્યું છે.

આજે વહેલી સવારે સવા ત્રણેક વાગ્યાના સુમારે પાકિસ્તાની સેનાએ નિવેદન આપ્યુ કે ભારતે પાકિસ્તાનના ત્રણ સૈન્ય એરબેઈઝ પર બેલાસ્ટિક મિસાઈલ્સથી હૂમલો કર્યો છે, તે પછી તેના સંદર્ભે ભારતીય સેના અને વિદેશ મંત્રાલય તરફથી સવારે દસેક વાગ્યે જે પ્રેસ મિટિંગ થયું, તે પછીની સ્થિતિ આપણી સામે છે.

પાકિસ્તાને તેનું એરબેઈઝ ગઈકાલે રાત સુધી બંધ કર્યુ નહોતુ અને ફલાઈટો ચાલુ રાખી હતી, જેથી નાગરિક વિમાનોની આડમાં ભારત પર ડ્રોન એટેક થઈ શકે, અને ભૂલેચૂકેથી ભારતીય ડ્રોન કે મિસાઈલ પાકિસ્તાની એરપોર્ટ પરથી ઉડેલા કોઈ નાગરિક વિમાનને લાગી જાય, તો ભારત સામે કાગારોળ કરીને વિશ્વ સમુદાયને ગેરમાર્ગે દોરી શકાય, તેવી રણનીતિ રહી હતી.

આમ પોતાના જ નિર્દોષ નાગરિકો તથા ફલાઈટોમાં પ્રવાસ કરતા સંભવિત પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકીને આવી કાયરતાપૂર્ણ રણનીતિ પાકિસ્તાને અપનાવી, તેની દુનિયાભરમાં ટીકા થઈ રહી હતી.

આજે પરોઢના ચારેક વાગ્યાથી પાકિસ્તાને બપોર સુધી એરસ્પેસ બંધ કરીને તમામ ફલાઈટો રદ્દ કરવાની જે જાહેરાત કરવી પડી, તેની પાછળ પણ તેની ચાલાકીના દુષપરિણામો જ કારણભૂત છે. ભારતના નિર્દોષ નાગરિકો પર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળા ફેંકવા અને ગોળીબાર કરવો, તૂર્કીયેના તકલાદી ડ્રોનની વર્ષા કરીને પોતાની પ્રજાને પણ ગૂમરાહ કરીને પોતાની પીઠ થાબડવી અને પોતાના જ નિર્દોષ નાગરિકો તથા પ્રવાસીઓની આડમાં (તેઓનો જીવ જોખમમાં મૂકીને) ભારતના હૂમલાઓ ખાળવા તથા ડ્રોનવર્ષા જેવી હરકતો કરવી, એવી કાયરતાપૂર્ણ, અમાનવીય અને અનૈતિક હરકતોથી પાકિસ્તાની સેના અને સરકાર વિશ્વ સમક્ષ વામણાં પૂરવાર થયા છે.

ભારતીય સેનાએ જમ્મુ નજીક આતંકવાદીઓના અડ્ડા સાથેનું ડ્રોન છોડવાનું લોન્ચ પેડ ધ્વસ્ત કરીને આજે ઝબરો ઝટકો આપ્યો છે, પરંતુ હજુ સુધી ભારતે યુદ્ધ જાહેર કર્યુ નથી અને માત્ર આતંકવાદીઓ તથા તેના મદદગારોને ટાર્ગેટ કરીને ઓપરેશન સિંદૂરને લાંબાગાળા માટે યથાવત રાખવાનું જાહેર કરીને જવાબદારીપૂર્વક પાકિસ્તાનની હરકતોનો સંયમિત પરંતુ મક્કમ જવાબ આપવાની રણનીતિ અપનાવાઈ રહી છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી જે મેરેથોન બેઠકો યોજાઈ રહી છે, દેશવ્યાપી મોકડ્રીલ યોજીને નાગરિકોને યુદ્ધના સમય માટે પ્રશિક્ષિત કરાઈ રહ્યાં છે, અને આવશ્યક ચીજવસ્તુઓ, રોજિંદી સેવાઓ અને લોજિસ્ટિક સપોર્ટના સાધનોની સમીક્ષા થઈ રહી છે, તે જોતા આ ઓપરેશન હવે પૂર્ણ કક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યાં છે.

ભારતે પણ જામનગર સહિતના દેશના ર૮ એરપોર્ટ ૧પમી મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે, અને રોજેરોજ ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ તથા કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો તથા પૂર્વ સૈન્ય ઉચ્ચ અધિકારીઓ સાથેની વડાપ્રધાન સાથે યોજાતી મેરેથોન બેઠકો તથા બીજી હરોળની સપોર્ટીંગ સેનાની મદદ લેવાની અપાયેલી છૂટ વિગેરે જોતા ઓપરેશન સિંદૂર લાંબુ ચાલશે અને જો પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ રહેશે, તો પૂર્ણ કક્ષાનું પરિણામલક્ષી યુદ્ધ કરીને આઝાદીકાળથી ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઘૂસેલી પાકિસ્તાની સેનાને તેના મૂળ સ્થાને ખસેડવાનું ભારતનું મૂળ લક્ષ્ય સિદ્ધ કરવાના પ્રયાસો પણ થઈ શકે છે, તેમાં સંદેહને કોઈ સ્થાન નથી.

દેશભરમાં યુદ્ધની સ્થિતિને લઈને જે તૈયારીઓ થઈ રહી છે અને તંત્રોને સાબદા કરાઈ રહ્યાં છે, તે જોતા હવે આર-યા-પાર ની લડાઈ થવા જઈ રહી હોય, તેવી મજબૂત સંભાવનાઓ હવે ટૂંક સમયમાં વાસ્તવિકતામાં બદલાઈ જશે તેમ જણાય છે. હાલારમાં પણ યુદ્ધની સ્થિતિને લઈને તમામ તંત્રો સાબદા છે.. કંટ્રોલરૃમો ખૂલ્યા છે અને સરકારી હોસ્પિટલો, જરૃરી પડે તો આશ્રયસ્થાનો, અંધારપટ અને લોજિસ્ટિક સપોર્ટ તથા આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા સહિતની સમીક્ષાઓ જોતા એવું કહી શકાય કે "હવે પાર્થને કહો ચઢાવે બાણ... હવે તો યુદ્ધ એ જ કલ્યાણ...."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઓપરેશન સિંદૂર પાર્ટ-ર પછી એક જ રાતમાં પાક.તબાહ.. યે તો અભી ટ્રેલર હૈ... પિક્ચર તો અભી બાકી હૈ...

                                                                                                                                                                                                      

પહલગામ હૂમલાનો બદલો લેવા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ નવ આંતકી ઠેકાણા ધ્વસ્ત કર્યા પછી ગઈરાત્રે ઓપરેશન સિંદૂર પાર્ટ-ર હેઠળ વધુ આતંકી સ્થળોના ખાત્મા ઉપરાંત પાકિસ્તાને અસંખ્ય ડ્રોન દ્વારા કરેલા હૂમલાને નિષ્ફળ બનાવીને જે પ્રચંડ પ્રહારો કર્યા અને પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ, કરાંચી સહિતના મોટા શહેરોમાં ડ્રોન-મિસાઈલો દ્વારા જે આક્રમણ કર્યુ, તે પછી એક જ રાતમાં પાકિસ્તાનમાં તબાહી મચી ગઈ હતી, અને રાતોરાત ત્યાંના સેનાના વડા બદલાઈ ગયા હતાં, એટલું જ નહીં, ભારતીય સેનાની આર્મી, વાયુદળ અને નૌકાદળે જે રીતે વ્યૂહાત્મક ઢબે પાકિસ્તાનની તમામ ડિફેન્સ સિસ્ટમો, ઉડતું રડાર અને બંદર તથા સ્ટેડિયમ વિગેરેને ફૂંકી માર્યા પછી કેટલાક આતંકી આકાઓને મોત પ્રત્યક્ષ દેખાવા લાગ્યુ હશે. પાકિસ્તાને કલ્પના પણ નહીં કરી હોય, તેવા પ્રચંડ પ્રહાર પછી આજે પણ એલઓસી પર ગોળીબાર, સીમાપારથી ઘૂસણખોરી અને ડ્રોન હૂમલાના પ્રયાસો જોતા એમ જણાય છે કે, ઓપરેશન સિંદૂર હવે પાકિસ્તાનની પોતાની અવળચંડાઈના કારણે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ જશે.

યે તો અભી ટ્રેલર હૈ... પિક્ચર તો અભી બાકી હૈ...

ગઈરાત્રે પાકિસ્તાને ગુજરાતથી જમ્મુ-કાશ્મીર યુદ્ધની સરહદો સુધી પહેલા જે ડ્રોન-મિસાઈલ હૂમલાના પ્રયાસો કર્યા તે તો ભારતની ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી દીધા હતાં, પરંતુ તે પછી ભારતે કરેલા પ્રતિપ્રહારો દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચી ગઈ હતી, અને પાકિસ્તાને તેના ત્રણ-ચાર યુદ્ધ વિમાનો તથા મિસાઈલો પણ ગુમાવ્યા હતાં, એટલું જ નહીં, ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા થયેલા પ્રચંડ અને અનઅપેક્ષિત પ્રહારોથી પાકિસ્તાનમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પાકિસ્તાનના નિષ્ફળ ડ્રોનના હૂમલાથી તો ભારતમાં કોઈ નુકસાન થયું નહીં, પરંતુ તેના જવાબમાં ગઈકાલે રાત્રે થોડા કલાકોમાં જ ભારતે પાકિસ્તાનના અનેક શહેરોમાં તબાહી મચાવી દીધી હતી.

કરાંચી બંદર તો ખંઢેર જ થઈ ગયું હતું. પાકિસ્તાનના તમામ મોટા શહેરોની ડિફેન્સ સિસ્ટમો નાશ પામી. પાકિસ્તાનમાં સંખ્યાબંધ વ્યૂહાત્મક સ્થળોને ભારતીય સેનાએ કાટમાળમાં ફેરવી નાંખ્યા. પાક.ના વડાપ્રધાન શાહબાજના નિવાસસ્થાનથી તદ્દન નજીક ભારતીય સેનાની મિસાઈલો ખાબકી અને એક જ રાતમાં પ્રચંચી પાકિસ્તાન ત્રાહિમામ...ત્રાહિમામ... પોકારવા લાગ્યુ હતું. અડધી રાત પછી તબાહ થયેલા પાકિસ્તાને વિશ્વ સમુદાય સમક્ષ કાકલૂદીઓ કરવી પડી હતી, જે ભારતીય સેનાની તાકાત દર્શાવે છે.

ગઈરાત્રે પાકિસ્તાન પર એક તરફ ભારતીય સેના ચોતરફથી ત્રાટકી રહી હતી, તો બીજી તરફ બ્લુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા પણ પાકિસ્તાનના વ્યૂહાત્મક સ્થળોમાં વિસ્ફોટો કરાયા અને પાકિસ્તાનનો ધ્વજ હટાવીને તેમનો (બ્લુચિસ્તાનનો) ધ્વજ લહેરાવી દેવાયો, તો ઈમરાનખાનના સમર્થકો પણ સડકો પર ઉતરી જતા પાક.માં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી પાકિસ્તાનમાં આખી રાત ગભરાટ ફેલાયો અને નાસભાગ પણ મચી હતી. રાવલપિંડીનું સ્ટેડિયમ, કરાંચી બંદર અને અનેક વ્યૂહાત્મક સ્થળો પર પણ ભારતીય સેના ત્રાટકતા તબાહી અને બરબાદીના દૃશ્યો સર્જાયા હતાં, અને રાતોરાત પાકિસ્તાનના સૈન્ય વડા મુનિરને હટાવીને તેના સ્થાને મિરઝાને પાકિસ્તાની સેનાની કમાન્ડ સોંપાઈ હતી. તે પછી તખ્તાપલટની સંભાવનાઓ પણ ઊભી થઈ ગઈ હતી. કાયર અને નફફટ પાકિસ્તાની શાસકો દ્વારા લૂલો બચાવ અને આક્ષેપો થતા રહ્યાં અને બીજી તરફ ભારતના વિદેશમંત્રી વિશ્વ સમુદાય સાથે સતત સંપર્કોમાં રહ્યા અને વાસ્તવિક સ્થિતિ વર્ણવતા રહ્યાં હતાં. તો વિપક્ષના ટોચના નેતાઓ સરકારની પડખે અડીખમ ઊભા રહ્યાં...

એક તરફ ભારતે વળતો હૂમલો કર્યો, તેમાં પણ પાકિસ્તાનના નિર્દોષ નાગરિકો અને ત્યાંના વસાહતી વિસ્તારોને નુકસાન ન થાય, તેનો ખ્યાલ રાખ્યો, તો બીજી તરફ પ્રપંચી જૂઠ્ઠા અને કાયર પાકિસ્તાની શાસકો તથા ત્યાંની નપાવટ સેનાએ એલઓસી પર રહેતા ભારતીય નિર્દોષ લોકો પર આર્ટીલરી એટેક ચાલુ રાખીને તથા ક્રૂરતા, માનવતા અને સમજદારીને નેવે મૂકીને યુદ્ધના મૂળભૂત કેટલાક સિદ્ધાંતો અને નિયમોનો પણ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુદ્ધમાં બધું જ યોગ્ય હોવાના ગાણા ગાઈને પાકિસ્તાની પબ્લિકને ભરમાવવા ખોટા અને ખોખલા દાવા થયા અને સવાર થતા સુધીમાં તો નક્કર વાસ્તવિકતાઓ સામે આવી ગઈ હતી. આ અંગે આજે જે સીલસીલાબંધ વાસ્તવિક વિગતો રજૂ થઈ, તે પછી પાકિસ્તાનની પોકળતા અને જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ થઈ ગયો છે. કુદરતી આફતો સમયે ભારતે જેને જીવતદાન આપ્યુ હતું. તે દગાબાજ તૂર્કીયે સિવાયના વિશ્વ સમુદાયે ગઈકાલે પાકિસ્તાનની તરફેણ કરવાના બદલે તેને દર્પણ દેખાડ્યુ હતું, તે પણ નોંધનીય છે.

આજે પણ પાકિસ્તાન એલઓસી પર ગોળીબાર ઉપરાંત ડ્રોન દ્વારા હૂમલા કરી રહ્યું છે અને તેના તમામ હૂમલા નિષ્ફળ થઈ રહ્યાં છે. તેથી હવે આરપારની લડાઈ નિશ્ચિત છે, ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી, તેની ખેલજગત પર પણ વિપરીત અસર પડી છે. ભારતમાં આઈપીએલની ધર્મશાળામાં રમાઈ રહેલી ચાલુ ક્રિકેટ મેચ અડધેથી પડતી મૂકાઈ ગઈ, તો પાકિસ્તાનની પીએસએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ હવે યુએઈમાં રમાશે, તે જોતા ભારત-પાકિસ્તાનની આ તંગદિલી એકાદ-બે દિવસમાં ખતમ થવાની નથી, તેવું જણાઈ રહ્યું છે. બીજી તરફ એક જ રાતમાં પાકિસ્તાન પાયમાલ થઈ ગયું હોવાથી એકાદ અઠવાડિયામાં જ પાકિસ્તાન વેરવિખેર થઈ જશે, તેમ જણાય છે. જામનગર સહિત હાલાર પણ એલર્ટ છે. ગઈકાલે રાત્રે અંધારપટ સહિતની સાવચેતીઓ રખાઈ હતી અને અંધારપટનો લાભ ગુનેગારો, ચોર કે તસ્કરો ન લઈ જાય, તે માટે પણ તંત્રએ વિશેષ તકેદારીઓ લીધી હોવાના તથા કંટ્રોલ શરૃ કર્યાના અહેવાલો જોતા હવે ઓપરેશન સિંદૂર-૧,ર,૩ પછી પણ તંગદિલી પૂર્ણ કક્ષાના યુદ્ધ તરફ ધકેલાઈ રહી હોય તેમ જણાય છે...પણ ભારતનો વિજય નક્કી છે... મેરા ભારત મહાન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઓપરેશન સિંદૂર યથાવત ? ગાંડાબાવળ જેવા આતંકવાદ સામે કાયમી પોલિસીની જરૂર...

                                                                                                                                                                                                      

ગાંડાબાવળને ગમે તેટલી વખત હટાવો, તે નેસ્તનાબૂદ થતા નથી, એને તે જ જમીનમાં વધુ ને વધુ ફેલાતા જતા હોય છે. ગાંડાબાવળ ખારી-ઉજ્જડ જમીનમાં પણ ઝડપભેર ઉછરે છે અને તેને કાઢી નાખ્યા પછી પણ ત્યાં ને ત્યાં ફરીથી ફેલાતા હોવાથી તેને અટકાવવા મૂળીયા સહિત સળગાવીને ત્યાંની જમીનને પણ ખોદીને ખેડવી પડે, અને નવસાધ્ય કરવી પડે, તેવું કહેવાય છે. કાંઈક એવું જ આતંકવાદીઓનું છે. આતંકવાદ એટલા માટે ખતમ થતો નથી, કે તે કોઈ એક જ વ્યકિત, સંગઠન કે સંસ્થા પર અવલંબિત નથી, પરંતુ એક માનવતા વિરોધી, ઘાતકી અને વિદ્વંશક આસૂરી વિચારધારા છે, જેમાં માનવધર્મ, માનવતા કે સંવેદનશીલતા દયા-માયા કે વિવેક હોતા જ નથી; આ વિચારધારાને માત્ર આતંકીઓ, તેના ઠેકાણાંઓ કે તેના ફન્ફાસ્ટ્રકચર પર પ્રહાર કરીને અટકાવી શકાતી નથી, પરંતુ તેના મૂળને જ ખતમ કરવા પડે અને ગાંડાબાવળની જેમ મૂળમાંથી ઉખેડીને, સળગાવી નાખીને તથા ત્યાંની જમીનને ઉંડે સુધી ખોદી નાખીને જ અટકાવી શકાય, તેવું મંતવ્ય યથાર્થ જણાય છે. જો કે, આ ઘાતકી વિચારધારા સદંતર નેસ્તનાબૂદ તો સરળતાથી થાય તેવું જણાતુ નથી, પરંતુ તેને અટકાવી જરૂર શકાય છે, તેવો અભિપ્રાય પણ સાંપ્રત સંજોગોમાં યોગ્ય જણાય છે.

ભારત સામે વર્ષ ૧૮૪૭ સહિત ચાર મોટા યુદ્ધમાં ભૂંડી રીતે હાર્યા પછી પાકિસ્તાને ભારતને નબળુ પાડવાના જુદા જુદા નુસ્ખા સફળતાપૂર્વક અજમાવ્યા, અને ભારતમાં દાણચોરી, ડ્રગ્સ અને નકલી ચલણી નોટોના માધ્યમથી અંતે ભારત આઝાદ થયું ત્યારથી જ મોટા વિકાસ પ્રોજેકટોનો વિરોધ, ભાષાવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ અને અલગતાવાદ જેવા ઝેરીલા માધ્યમથી ભારતની અસ્મિતા, એક જૂથતા અને વિકાસયાત્રાને અટકાવવાના પ્રયાસો સતત કર્યા, કાશ્મીર મુદ્દે કાગારોળ કરીને તથા ભારતમાં દેશવ્યાપી આતંકવાદી હૂમલાઓ કરીને દેશને ખોખલો કરવાના પ્રયાસો થયા. કારગીલમાં ઘુસણખોરી કરી ભારત વિરોધી ચીનની ગોદમાં બેસીને ભારતને ઘેરવાના પ્રયાસો કર્યા, પરંતુ પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ) ગુમાવવુ પડયું. અને વારંવાર સૈન્ય સાશનના કારણે પાકિસ્તાન હંમેશાં નબળુ પડતુ રહ્યું અને ભારત આગળ વધતુ રહ્યું છે.

પાકિસ્તાને દાયકાઓથી પોતાને ત્યાં આતંકીઓ તૈયાર કરીને ભારતમાં આતંકી હૂમલાઓ કરાવવાની નીતિ અપનાવી છે, અને પાકિસ્તાની ચળવળને પણ પાકિસ્તાને જ હવા આપી હતી, પોતાની પ્રજાને પ્રચંડ મોંઘવારી, ગરીબી અને ગુનાખોરીમાં ધકેલીને કંગાળ થયેલું પાકિસ્તાન વિશ્વબેંક અને આઈ.એફ.એમ. જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આધારે મળતા વિવિધ ફંડ તથા ચીન જેવા દેશો તરફથી મળતી (ઊંચા વ્યાજની) લોન પર નિર્ભર છે અને ભીખનો કટોરો લઈને દુનિયામાં ફરે છે, તેમ છતાં દુનિયાભરના આતંકવાદીનું આશ્રયસ્થાન બન્યુ છે, તેની પાછળનું રહસ્ય થોડા સમય પહેલા ત્યાંના જ એક મંત્રીએ ખોલી નાખ્યું છે, હકીકતમાં ભૂતકાળમાં યુરોપ અને અમેરિકા ખંડના શક્તિશાળી દેશોના ઈશારે તેનુ પ્યાદુ બનીને દાયકાઓથી આતંકવાદની ખેતી પોતાની જમીન પર કરવા દીધી, તેથી હવે આતંકવાદીઓ જ ત્યાંની સેના, આઈ.એસ.આઈ. અને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ત્યાંની લોકતાંત્રીક સરકારોની તાકાત બની ગયા છે. વિધિમાં થતી મોટા ભાગની આતંકી પ્રવૃત્તિઓના મૂળ પાકિસ્તાનમાં જ નીકળે છે અને ઓસામા બિન લાદેન, દાઉદ ઈબ્રાહીમ, મસુદ અઝહર, હાફિઝ સઈદ, હેડલી અને ઝકીઉર રહેમાન લખવી જેવા આંતરરાષ્ટ્રીય તથા ભારતિવરોધી આતંકવાદી-ગુનેગારો તથા માફિયાઓને પાકિસ્તાને જ આશ્રય આપ્યો છે, તે આખી દૂનિયા જાણ છે.

ભારત વિરોધી યુદ્ધોમાં હારેલું પાકિસ્તાન જો કંગાળ થયા પછી પણ ભારત સામે આતંકવાદનું જ હથિયાર ઉગામતું રહે અને આતંકવાદના માધ્યમથી જ ભારત સાથે પરોક્ષ યુદ્ધ કાયમી ધોરણે ચાલુ રાખવાની પોલિસી પાકિસ્તાને અખત્યાર કરી લીધી હોય, અને આ પોલિસી ત્યાંની બદલતી રહેતી લોકતાંત્રિક સરકારો તથા માર્શલ લો દરમિયાન (મોટા ભાગે) પાકિસ્તાન પર શાસન કરનારા ત્યાંના સેનાધ્યક્ષો-તાનાશાહીએ પણ યથાવત રાખી હોય, તો પાકિસ્તાન અને તેના દ્વારા પોષણ પામેલા આતંકવાદ વિરૂદ્ધ ભારતે પણ કોઈ કાયમી નક્કર પોલિસી અખત્યાર કરવાની જરૂર છે. ભારતે અત્યાર સુધી ઘણો જ સંયમ દાખવ્યો છે, પરંતુ હવે માત્ર મોટો હૂમલો થાય, તે પછી જ સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, કે બોર્ડર પર "જડબાતોડ" જવાબ આપવાના બદલે કાયમી ધોરણે તાજેતરની સ્ટ્રાઈકની જેમ પાક.માં ધમધમતા આતંકવાદી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરતા રહેવાની પરમેનેન્ટ નેશનલ અને ઈન્ટરનેશનલ પોલિસી અમલી બનાવવી જોઈએ.

ભારતે પહલગામનો બદલો આક્રમક સ્ટ્રાઈક કરીને લીધો, તેને "ઓપરેશન સિંદૂર" નામ આપ્યું છે, તેમાં રો એ કુલ ૨૧ આતંકી ઠેકાણાઓ ચિન્હીત કર્યા હતા. તેમાંથી મુખ્ય ૯ ઠેકાણાઓ પર સ્ટ્રાઈક થઈ છે. તેથી હવે ઓપરેશન સિંદૂર-૨ અને ઓપરેશન સિંદૂર-૩ પણ થઈ શકે છે, તેવી સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. એવું પણ ચર્ચાય છે કે પાકિસ્તાનને પણ ઓપરેશન સિંદૂર હેઠળ હજી વધુ કાર્યવાહી થશે, તેવું લાગતું હોવાથી એલ.ઓ.સી. પર સતત યુદ્વવિરામનો ભંગ કરી રહ્યું છે.

આતંકવાદીઓને પહલગામમાં લોકોને ધર્મ પૂછી પૂછીને નિર્દોષોનો સંહાર કર્યો અને હવે એલ.ઓ.સી. પર પાકિસ્તાન દ્વારા ભારતીય બોર્ડર પર રહેતા નિર્દોષ ભારતીય નાગરિકો પર ગોળીબાર કરી રહ્યું છે, તે પણ એક પ્રકારનો "સત્તાવાર" આતંકવાદ જ ગણાય ને ?

ભારતે હવે આતંકવાદ વિરોધી કાયમી પોલિસી ઘડીને  પાકિસ્તાન કે વિદેશની ધરતી પર રહીને આતંકવાદીઓને મદદ કરતા તથા ભારતમાં રહીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થતાં, ફંડીંગ કરતા અને છાવરતા તેમજ દેશમાં રહીને આતંકવાદીઓને મદદ કરતા, છાવરતા કે પ્રોત્સાહિત કરતા તમામ નફ્ફટો સામે કાયમી ધોરણે કડકમાં કડક પ્રહારો કરવાની જરૂર છે. એટલુંજ નહી, પાકિસ્તાનની આતંક સમર્થક નીતિ ન બદલે ત્યાં સુધી તેની સાથે અત્યારે કાપી નાખેલા તમામ સંબંધો નહીં બદલવા તથા પાણી રોકવા સહિતના ડિપ્લો મેટિક કદમ પણ સતત ઉઠાવતા જ રહેવા જોઈએ.

ગઈ કાલથી એવી ચર્ચા હતી કે હવે ઓપરેશન-૨ લોન્ચ થશે, પરંતુ આજે સવારે લાહોરમાં મિસાઈલથી હૂમલો થયો હોવાના અહેવાલો પછી સવારથી જ એવું પૂછવામાં આવી રહ્યું છે કે શું આ હૂમલો હાફિઝ સઈદ સહિતના ભારતના દુશ્મનોને ટારગેટ કરીને ભારતે કરાવ્યો હતો કે બીજું કાંઈ ? ત્રણ ધમાકા થયા પછી એવો સવાલ પણ ઉઠી રહ્યો છે શું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે ? શું આ ધમાકા પાકિસ્તાનની કોઈ ચાલ છે...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શાબાશ.... સેનાના બહાદૂરો.. ઓ૫રેશન સિંદૂર પછી હવે શું ? પાકિસ્તાનમાં માર્શલ લો ના ભણકારા....

પહલગામ હૂમલાના પખવાડિયામાં જ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પી.ઓ.કે.માં પરગેટેડ એર સ્ટ્રાઈક કરીને ડ્રોન-મિસાઈલ દ્વારા નવ આતંકી ઠેકાણા ધ્વસ્ત કરી દીધા અને સંખ્યાબંધ આતંકી અસૂરો હણાયા હોવાના અહેવાલો આજે વહેલી સવારે જ આવવા લાગ્યા હતા અને તે પછી ભારતીય સેનાએ પ્રેસ-કોન્ફરન્સ કરી, તે પછી આજે પાકિસ્તાનમાં જે ફફડાટ વ્યાપ્યો છે, તે આપણી સામે જ છે. આ એરસ્ટ્રાઈક આપણા એરસ્પેસમાંથી જ રાફેલ સહિત અત્યાધુનિક વિમાનો દ્વારા થઈ હોવાથી તેને યુદ્ધની વ્યાખ્યા આપી શકાય તેમ નહીં હોવાથી પાકિસ્તાન ગુંચવણમાં મુકાયુ હશે, બીજી તરફ રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષના નેતાઓએ પણ ભારતીય સેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. જે નોંધનીય છે. "ઓપરેશન સિંદૂર" હેઠળ પાકિસ્તાનના આતંકીઓ તો ચૂર-ચૂર થઈ જ ગયા, પરંતુ શાહબાઝ સરકાર પણ ફફડી ઉઠી હોવાના અહેવાલો આવ્યા અને ભારતીય સેનાના ભૂમિદળ અને વાયુદળના આ સંયુકત ઓપરેશન પછી મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પછી હવે શું ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. એક તરફ આજે સાયરન વગાડીને ભારતીય નાગરિકોને યુદ્ધની સ્થિતિ માટે પ્રશિક્ષણ આપવાના આયોજનો થયા છે, તો બીજી તરફ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે આ વખતે વળતો પ્રહાર પાક સ્થિત આતંકીઓને ટારગેટ કરીને કર્યો છે, તથા પાક સેનાના કોઈ સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી, તેવા દાવાઓ પણ થયા છે. આ વખતે પી.ઓ.કે. ઉપરાંત પાકિસ્તાનના પંજાબ સહીતના આતંકી સંગઠનોના હેડક્વાર્ટર્સ પણ તબાહ કરી દીધાં હોવાના સવારે અહેવાલો આવ્યા પછી પાકિસ્તાનના સંભવિત પ્રત્યાઘાતોની ચર્ચા પણ થવા લાગી હતી.

આ વખતે જનભાવનાઓ તો એવી હતી કે ભારતીય સેના આ વખતે એવો પ્રચંડ પ્રહાર કરશે, કે પી.ઓ.કે.માં ભારતીય સેનાનો પરચમ લહેરાશે અને પાકિસ્તાનના ત્રણ-ચાર ટુકડા થશે, ભારતીય સેનાએ પી.ઓ.કે. અને પાકિસ્તાનમાં વધુ વ્યાપક અને આક્રમક પ્રહારો કરીને ભલે આતંકીઓના ઠેકાણા પર હૂમલો કરીને બદલો લીધો, તેનાથી જનભાવનાઓ સંતોષાઈ નથી, તેવી ચર્ચા વચ્ચે ભારતીય સૈન્ય કાર્યવાહીને એક સ્ટ્રેટેજિક અને વૈશ્વિક કાયદા-કાનૂનો-નિયમોને અનુસરીને થયેલો આ હૂમલો તો માત્ર ટ્રેલર જ છે, પિકચર હજી બાકી છે, તેવો દાવો પણ કેટલાંક વિશ્લેષકો કરી રહ્યા છે.

પાક. તરફથી જે પ્રતિભાવો મળી રહ્યા છે અને એલ.ઓ.સી. પર આજે સવારથી જ ફરીથી થઈ રહેલો યુદ્ધ વિરામ ભંગ અને ભારતીય સેના દ્વારા તેના જડબાતોડ જવાબના અહેવાલો જોતાં એવું પણ જણાય છે કે પાકિસ્તાન પણ પ્રતિપ્રહાર કરશે, અને તે પછી ભારત તેનો જે જવાબ આપશે, તે કદાચ જનભાવનાઓને અનુરૂપ અને મૂળ પાકિસ્તાનને સબક મળે તેવો હશે, અને તે સમયે પી.ઓ.કે. વાળી કાર્યવાહી થઈ શકે છે, તેવા વિશ્લેષણો પણ થઈ રહ્યા છે.

ઈન્ટરનેશનલ મીડિયામાં આ અંગે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે, અને ભારતે કરેલી કાર્યવાહીને એક જવાબદાર દેશ તરીકે કરેલી કાર્યવાહી ગણાવાઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાંથી "ભારતે યુદ્ધ થોપ્યું છે" તેવું રોદણું રોવાનું શરૂ કર્યુ છે  તે જોતા પણ ઓપરેશન સિંદૂર અંતિમ નથી, અને હવે પાકિસ્તાનના વળતા કદમ પર આવવાની સ્થિતિનો આધાર રહેવાનો છે એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. એવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે કે પાકિસ્તાનમાં "માર્શલ લો" લાગુ કરીને ત્યાંની સેના શાહબાઝ સરકારનો તખ્તાપલટ કરી નાંખે, અથવા પછી સરકારના નિયંત્રણમાં રહીને જ (શાહબાઝના ખભે બંદુક રાખીને) પાક. સેનાના વડા મુનિર ભારત પર વળતા પ્રહારનો પ્રયાસ પણ કરી શકે છે.

આ ઓપરેશન ખત્મ થઈ ગયું છે કે ભારતની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે, તેવું એટલા માટે લાગતું નથી કે એક તરફ તો પાકિસ્તાન હવે વળતો  કોઈ ને કોઈ જવાબ તો આપશે જ, તે ઉપરાંત જામનગર, ભૂજ, અમૃતસર, શ્રીનગર સહિતની નાગરિક હવાઈ સેવાઓ (ફલાઈટો) રદ થઈ અને કેટલીક ફલાઈટોને અન્યત્ર વાળવામાં આવી, અને પૂર્વઘોષિત ડિફેન્સ ડ્રીલ વગેરેની તૈયારીઓ જોતાં હજુ પણ આ સંધર્ષ ચાલુ રહેશે તેમ જણાય છે. ભારતે ડિફેન્સ ડ્રીલની દેશવ્યાપી તૈયારીઓ કરીને પાક.ને ભ્રમમાં રાખીને હૂમલો કર્યો છે, અને પાકિસ્તાનને અણુબોમ્બની ધમકીઓ આપી હતી અને જે ડંફાઓ હાંકી હતી, તે જોતા પાકિસ્તાન હજુ પણ ભારતની વિરૂદ્ધમાં કોઈ ને કોઈ હરકત કરશે, અને તે પછી ભારતીય સેના તેને ભરી પીશે, તેવો આશાવાદ પણ વ્યકત થઈ રહ્યો છે. ભારતે માત્ર પાક.ના આતંકીઓ ઠેકાણાઓ પર પ્રથમ હૂમલો કર્યો હોવાથી અત્યારે તો ચીન પણ તેની તરફેણમાં કોઈ સૈન્ય મદદ કરી શકે તેમ નથી, તેથી આ એક સૈન્ય સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે. ભારતે તો આતંકી ઠેકાણાઓ પર હૂમલા કર્યા, પરંતુ પાકિસ્તાન વળતો કોઈ પણ હૂમલો કરે તો તે યુદ્ધનો પ્રયાસ ગણાશે. જોઈએ હવે શું થાય છે? તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માવઠાએ બગાડી મજા.... બદલાતો માહોલ.... દઝાડનારી ઠંડક.... યુદ્ધ પહેલાની શાંતિ...?

જામનગર - હાલાર સહિત ગુજરાતમાં માવઠાએ લોકોની મજા તો બગાડી જ નાખી છે, સાથે-સાથે જાન-માલનું મોટું નુકસાન પણ થયું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની ચર્ચા એક વખત ફરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યના ૧૪૦ થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. તેફાની પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વારસાદ અને કરા પડતાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા, તો ઘણાંને નાની-મોટી ઈજા થઈ. આકાશી વીજળી પણ પડી અને વીજ પુરવઠો ખોરવાઈ જતા જનજીવન ખોરવાયું.

કેટલાક સ્થળે તો લગ્નના માંડવા પણ ઉડ્યા અને કેટલાક ખુલ્લાં મેદાનમાં યોજાનાર કાર્યક્રમો જ વેરવીખેર થઈ ગયા હોવાથી કુદરત પાસે માનવી કેટલો લાચાર છે તેની પ્રતીતિ પણ થઈ. આઈ.પી.એલ. ની મેચને પણ વરસાદે ધોઈ નાખી અને હૈદરાબાદની ટીમ હોમપીચ પરથી જ એવી સ્થિતિમાં મુકાઈ ગઈ, જ્યાંથી તેમનું છેક સુધી સ્પર્ધામાં ટકી રહેવું લગભગ અસંભવ બન્યુ છે.

ગઈકાલ રાતથી જ જામનગર સિહત સૌરાષ્ટ્રમાં માહોલ બદલાયો અને કમોસમી વરસાદ થયો, તે પછી આ માવઠું ખેડૂતો તથા ખેતીને તો નુકસાન કરશે જ, પરંતુ રોજીંદા વ્યવહારો તથા નિર્ધારિત પ્રસંગો - કાર્યક્રમોને પણ જે માઠી અસર પહોંચી રહી છે, તે આપણી સામે જ છે.

આ માવઠાથી થયેલ નુકશાન પછી સરકાર તેના અસરગ્રસ્તોની પડખે ઊભી રહે અને સહાય કે સર્વે માટે તિવ્ર માંગણીઓ ઉઠે, તેની રાહ ન જુએ, તથા કોરા વાયદાઓના બદલે લોકોને વાસ્તવમાં મદદરૂપ થાય, તેવી આશા રાખીએ.

કુદરતી માહોલ તો બદલાયો જ છે, પરંતુ રાષ્ટ્રીય માહોલ પણ બદલાઈ રહ્યો છે. પહલગામ હુમલાને પખવાડીયું થવા આવ્યું, પરંતુ દેેશની જનતાને જે રીતે વળતા પ્રવાહની ખાતરીઓ અપાઈ, તેવું કદમ ક્યારે ઉઠાવશો, તેવા અહેવાલો વચ્ચે આવતીકાલે કેટલાક રાજ્યોમાં કુલ મળીને ૨૪૦ જેટલાં સ્થળે "અંધારપટ" ની મોકડ્રીલ તથા વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથેની આજની સંભવિત મુલાકાતના અહેવાલો જોતાં હવે એકાદ બે દિવસમાં કોઈ નિર્ણાયક મોટું કદમ ઉઠાવાશે, તેવી આશા લોકોને બંધાણી છે.

માવઠા પછી થોડી ઠંડકની અનુભૂતિ થઈ અને બળબળતી ગરમીમાં થોડી રાહત પણ મળી, પરંતુ ધગધગતી ધરતી વરસાદી પાણી પી ગઈ અને વરાળ ઉત્પન્ન થતાં આજે ગરમી સાથે બફારાનો જે વરતારો થયો છે, તે જોતાં એવું કહી શકાય કે આ ઠંડક "દઝાડનારી" છે અને ક્ષણિક ઠંડક પછીની વિકરાળ સમસ્યાઓનો સામનો પણ આપણે જ કરવાનો છે ને...?

આતંકવાદ સામે આક્રમક પ્રહાર કરવામાં થતી ઢીલને પણ ઘણાં લોકો યુદ્ધ પહેલાની શાંતિ ગણાવી રહ્યા છે, તો ઘણાં લોકો સમગ્ર ઘટનાક્રમ તથા મેરેથોન બેઠકોના દોરને માઈક્રોપ્લાનીંગના એંધાણ ગણાવી રહ્યા છે. કેટલાક લોકો કહેતા હતા કે પાકિસ્તાનનું પાણી રોકવાની પોકળ જાહેરાતો જ થઈ રહી છે, તો બીજી તરફ ચિનાબ નદીનું પાણી બે સ્થળે રોકી લેવાતા પાકિસ્તાનમાં ચીનાબ નદી સુકાવા લાગી હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.

ઘણાં લોકો તુર્કીયેને મુશ્કેલીના સમયે ભારતે મદદ કરી હોવા છતાં પ્રવર્તમાન સંજોગોમાં પાકિસ્તાનમાં યુદ્ધજહાજ મોકલીને દુશ્મન દેશને મદદરૂપ થવાથી તુર્કીયેની હરકતને ઘણાં લોકો કેન્દ્ર સરકારની વિદેશનીતિને નિષ્ફળ ગણાવી રહ્યાં છે, અને ટ્રમ્પ ફેઈમ જેવા સાથે તેવાની રણનીતિ (કેટલીક બાબતોમાં) અપનાવવાની જરૂર પણ જણાવી રહ્યાં છે, પરંતુ આ લોકોનું સાંભળે છે કોણ...?

જો કે, રશિયાએ જૂની દોસ્તી નિભાવીને ભારતની પડખે ઊભી રહેવાની જાહેરાત કર્યા પછી ચીને પણ પાકિસ્તાનને ખૂલ્લો ટેકો આપવાની વાત વધુ ભારપૂર્વક દોહરાવી છે, ત્યારે ભારત-પાક. તંગદીલીના મુદ્દે પણ વિશ્વના દેશો બે જૂથમાં વહેંચાવા લાગ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય પ્રવાહો વિચિત્ર રીતે બદલાવા લાગ્યા છે, અને નવા સમીકરણો રચાવા લાગ્યા છે, ત્યારે ભારતમાં પણ તમામ રાજકીય પક્ષોને પાકિસ્તાનની સાથે જે પગલા લેવાય, તેમાં સરકારની પડખે રહેવાની જાહેરાત કરી છે, અને સરકારે સેનાને ખૂલ્લી છૂટ આપી હોવાની બે દિવસ પહેલા જે ઘોષણા કરી, તે પછીની મેરેથોન મિટિંગો જોતા પાકિસ્તાનમાં પણ ફફડાટ ફેલાયો છે, જે ઘણો જ સૂચક છે.

સૌથી વધુ અટકળો ભારત-પાક. પર કઈ પદ્ધતિ પ્રહાર કરશે, તે અંગે થઈ રહી છે. ભારતમાં એવી જનભાવનાઓ છે કે પાકિસ્તાનને આ વખતે એવો સબક શિખવવો જોઈએ કે તેની કમ્મર જ તૂટી જાય, લોકો હવે પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી છોડાવીને ત્યાં ભારતનું શાસન સ્થપાય જાય અને પાકિસ્તાનના ત્રણ-ચાર ટૂકડા થઈ જાય તેવા પ્રચંડ પ્રહારની અપેક્ષા રાખી રહ્યાં છે, વર્ષ-૧૯૭૧ માં તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ પૂરેપૂરી તૈયારીઓ માટે જે રીતે પૂરતો સમય ભારતીય સેનાને આપ્યો હતો, તેવી જ રીતે અત્યારે પણ ભારતીય સેના ફૂલપ્રૂલ પ્લાન બનાવી રહી હોવાનો અંદાજ પણ લગાવાઈ રહ્યો છે, તો બીજી તરફ પૂર્ણ કક્ષાનું યુદ્ધ કરવાના બદલે પાણી રોકવા, વૈશ્વિક મદદો મળતી અટકાવવા અને પાકિસ્તાનને દુનિયામાં એકલુ અટુલુ પાડી દેવાના ડિપ્લોમેટિક પગલાઓને પણ ઘણાં લોકો યથાર્થ ગણાવે છે.

એવું અનુમાન છે કે, પાકિસ્તાનને પાણી મળતુુ અટકાવીને તથા આર્થિક મદદો કે વૈશ્વિક રણનૈતિક સમર્થન અટકાવીને પહેલા પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દેવુ અને તેનાથી વિચલિત થઈને પાકિસ્તાન કોઈપણ ભૂલ કરે કે હૂમલા કરે તો વ્યાપકપણે તૂટી પડવાની કોઈ ઉંડી રણનીતિ ઘડાઈ હોવી જોઈએ. જે હોય તે ખરૃં, પરંતુ હવે નિર્ણાયક પ્રહાર નહીં થાય તો પાકિસ્તાન વિરૂદ્ધ જનભાવનાઓ કઈ તરફ વળી શકે છે, તે જણાવવાની જરૂર નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તેલંગાણામાં ૩૮ વર્ષની મમ્મી અને તેની દીકરીએ એક સાથે નીટની પરીક્ષા આપી.

પરીક્ષાના પરિણામો આવી ગયા, હવે શું ? નિરાશાઓમાં પણ અમર આશા છે મોજુદ...

                                                                                                                                                                                                      

આજે હાયર સેકન્ડરીના ધેરણ ૧૨નું વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહ ઉપરાંત ગુજકેટના પરિણામો જાહેર થયા અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ - પરિવારજનોની સવારથી જ ઊભી થયેલી કુતૂહલતા બપોર થતાં થતાં  ભવિષ્યના આયોજન, ચિંતા અથવા દ્વિધામાં પલટાઈ ગઈ અને સ્વાભાવિક રીતે જ "કહીં ખુશી કહીં ગમ" નો માહોલ સર્જાયો છે, અને ઉત્કૃષ્ટ પરિણામો મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેના પરિવારજનોમાં ઉમંગ ઉછળી રહ્યો છે. બીજી તરફ ધાર્યુ પરિણામ ન આવ્યુ હોય તે ઉત્તીર્ણ ન થયા હોય તેવા વિદ્યાર્થીઓએ પણ હતાશ થવાની જરૂર નથી, તેવું કાઉન્સીલીંગ કરીને તેઓને હવે પછીના વિકલ્પો સમજાવાઈ રહ્યા છે. ઓછી ટકાવારી આવી હોય, તેવા વિદ્યાર્થીઓ માટે પણ ઉજ્જવળ ભવિષ્ય તથા કારકિર્દી ઘડવાના ઉપલબ્ધ સંખ્યાબંધ વિકલ્પોની સમજ પણ અપાઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે પરિણામો પછીનો આ સમય વિદ્યાર્થીઓ માટે એક નવો પડકાર પણ છે અને એક ઉજ્જવળ અવસર પણ છે.

પરીક્ષા હોય કે પોલિટિકસ, બન્નેમાં પડકારો પણ હોય છે અને તેમાં જ સફળતાઓ પણ સમાયેલી હોય છે. જેવી રીતે એકાદ વખત ચૂંટણી હારી ગયા પછી હતાશ થઈને મેદાન છોડીને ભાગવાના બદલે પોલિટિકસને મોટા ભાગે ૫ુનઃ પ્રયાસો કરતા રહે છે તેવી જ રીતે જીવનના કોઈપણ ક્ષેત્રમાં એકાદ-બે વખત નિષ્ફળતા સામે હારી જવાના બદલે વધુ મક્કમતાથી આગળ વધવાના પરિણામો પણ મોટા ભાગે ઉત્તમ અને આશાવાદી જ રહેતા હોય છે. માત્ર રાજકીય ક્ષેત્ર જ નહીં, વ્યાપાર, ઉદ્યોગ, અને વ્યવસાયો તથા ઉચ્ચ કારકિર્દીના ક્ષેત્રે પણ એવા અનેક ઉદાહરણો મળી આવશે, જેમાં નિષ્ફળતાઓની જ નિસરણી બનાવીને લોકોએ ઝળહળતી સિદ્ધિઓ અને સર્વોચ્ચ સફળતાઓ હાંસલ કરી હોય.....

આપણાં દેશમાં પણ વિવિધ ક્ષેત્રે અનોખી ઉપલબ્ધિઓ ઉપલબ્ધ કરતાં પહેલાં અનેક પડકારોનો સામનો વૈજ્ઞાનિકો, સંશોધકો, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો, પોલિટિશ્યન્સ, બિઝનેસમેન અને બ્યુરોક્રેટ્સ વગેરે એ કર્યો હતો તે પણ હકીકત જ છે ને ?

આપણા દેશમાં અંતરિક્ષ વિજ્ઞાનના પ્રારંભે આપણા સાયન્ટિસ્ટો અને સંલગ્ન વૈધાનિક સંસ્થાઓએ પણ ઘણો જ પડકારોનો સામનો કર્યો હતો. એક સમય એવો હતો, જયારે લગભગ ૬ દાયકાઓ પહેલા વર્ષ ૧૯૬૦ ના દાયકામાં ઈસરોએ પહેલું રોકેટ થુમ્બાથી લોન્ચ કર્યુ હતું, તેને સાયકલ અને બળદગાડામાં લોન્ચીંગના સ્થળ સુધી પહોંચાડ્યુ હતું. ભારતે જ્યારે વર્ષ ૧૯૬૩ માં પ્રથમ રોકેટ લોન્ચ કર્યુ ત્યારે ઘણાં મર્યાદિત સાધનો હતા, ફંડની લિમિટ હતી અને, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સંસાધનો પણ ઘણાં જ ઓછાં હતા, તેમ છતાં આપણા સ્પેસ સાયન્ટિસ્ટો હિંમત હાર્યા નહોતા અને જે સુવિધાઓ ઉપલબ્ધ હતી તેનો પરિશ્રમપૂર્વક ઉપયોગ કરીને અવકાશી સિદ્ધિઓની બુનિયાદ રચી હતી. એ જ દેશ આજે અંતરિક્ષમાં ડોગ ફાઈટીંગ જેવી અંતરિક્ષની અત્યાધુનિક સફળતાઓ મેળવી રહ્યો છે. આપણો દેશ ભારત અત્યારે ચંદ્ર, મંગળ અને સૂર્યનો અભ્યાસ કરવા સુધીના મિશન્સ તો ચલાવી જ રહ્યો છે પરંતુ દુનિયાભરના ઉપગ્રહોને ઈસરોના માધ્યમથી અંતરિક્ષમાં સ્થાપવામાં આવી રહ્યા છે. આમ, શૂન્યમાંથી સર્જન કરીને સર્વોચ્ચ સફળતાઓની સોનેરી સિદ્ધિઓ મેળવનાર વિક્રમ સારાભાઈ થી લઈને આજ સુધીના તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના જીવનમાંથી પ્રેરણા મેળવીને અને નિષ્ફળતાને જ સફળતાનું પગથિયું બનાવતા રહીને આગળ વધતા રહેવું જોઈએ.

આપણી અંતરિક્ષની સફળતાઓને આજે વિશ્વની મહાસત્તાઓ પણ સલામ કરે છે અને આખી દુનિયામાં ઈસરોનો દબદબો છે, એટલું જ નહીં, હવે ઈસરો જેવી ભગિનિ સ્પેસ ક્ષેત્રની સંસ્થાઓ જેની ઝળહળતી સિદ્ધિના કારણે આપણો દેશ સ્પેસ સમ્રાટ ગણાઈ રહ્યો છે અને નાસા જેવી ઈન્ટરનેશનલ કક્ષાની સ્પેસ સંસ્થાઓની હરોળમાં આપણા દેશની સ્પેસ ઉપલબ્ધિઓ ગણાવાઈ રહી છે, તેની પાછળ અનેક વખતનાં પડકારો, પ્રારંભિક નિષ્ફળતાઓ તથા હાર્યા વગર ફરી ફરીને પ્રયાસો કરતા રહેવાની તત્પરતા અને તાકાત છુપાયેલી છે, જે આજે અનુતીર્ણ થયેલ કે થોડા ઓછા પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ લક્ષ્યમાં લેવું જ જોઈએ.

ઈસરોએ મંગળયાન સફળતાપૂર્વક પ્રથમ પ્રયત્ને જ લોન્ચ કર્યુ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારા પ્રથમ દેશ તરીકે ભારતનું નામ સુવર્ણ અક્ષરે નોંધાયુ અને હવે સૂર્યના અધ્યયન માટે ગગનયાન તથા શુક્ર ગ્રહ પર ઉતરાણ કરવાનાં મહત્વકાંક્ષી અભિયાનો શરૂ થવા જઈ રહ્યા છે, જે સૂચવે છે કે અનેક નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી હોય છે. અંતરિક્ષની સિદ્ધિઓમાં ગુજરાતીઓનો પણ બુનિયાદી સિંહફાળો છે. અંતરિક્ષ વિજ્ઞાનના ભારતના જનક વિક્રમ સારાભાઈથી લઈને તાજેતરમાં સ્પેસ સ્ટેશનમાં ઘણાં મહિનાઓ વિતાવીને ધરતી પર પરત ફરેલી સુનિતા વિલિયમ્સ સુધીના ભારતીઓએ ગ્લોબલ સિદ્ધિઓ મેળવીને ભારતમાતાનું નામ રોશન કર્યુ છે, તેમાંથી પ્રેરણા લઈને આજના પરિણામો પછી સફળ-અસફળ રહેલા અને ઉચ્ચ પર્સેન્ટાઈલ મેળવેલા તમામ વિદ્યાર્થીઓએ હવે પછીની કારિકર્દી ઘડવા આગળ વધી જવું જોઈએ, ખરું ને ?

તાજા અહેવાલો મુજબ ભારતે સ્પેડેક્ષ મિશન અંતર્ગત પૃથ્વીથી લગભગ ૫૦૦ કિલોમીટર દૂર ભ્રમણ કરી રહેલા "ચેંઝર" અને "ટાઈગર" ઉપગ્રહો વચ્ચે આકાશમાં જ દાવપેચ કરાવીને અત્યાધુનિક સ્પેસ ટેકનોલોજીની ભારતની સિદ્ધિઓ તથા શક્તિઓનો પરિચય આપ્યો છે. આ બન્ને ઉપગ્રહો અંતરિક્ષમાં પ્રતિ કલાક ૨૮હજારથી વધુ કિલોમીટરની ગતિએ ઉડી રહ્યા છે. થોડો સમય પહેલા અમેરિકાએ ચીનના ઉપગ્રહો વચ્ચે અવકાશમાં ડોગ ફાઈટ અંગે ચિંતા વ્યકત કરી હતી, ત્યારે ભારતની આ સિદ્ધિથી અમેરિકાને પણ કહીં ખુશી કહીં ગમની અનુભૂતિ એક સાથે થઈ હશે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગોબેલ્સ ને ૫ણ શરમાવે તેવો પ્રોપાગન્ડા...!!! જય જય ગરવી ગુજરાત...

                                                                                                                                                                                                      

જર્મનીના તાનાશાહ હિટલરનો જમણો હાથ ગણાતા જોસેફ ગોબેલ્સ તેની અનોખી પ્રચાર પદ્ધતિ માટે જાણીતા હતાં અને પ્રોપાગન્ડાના માહિર હતા. તેથી જ આજે જ્યારે કોઈપણ પ્રકારનો પ્રચાર જોસેફ ગોબેલ્સની સ્ટાઈલથી કરવામાં આવે છે, ત્યારે તેને "ગોબેલ્સ" પ્રોપાગન્ડાથી (વ્યંગમાં) ઓળખવામાં આવે છે.

કોઈપણ સાચી-ખોટી બાબત જો વારંવાર ચર્ચામાં આવે, કહેવાતી રહે કે પ્રચારિત, પ્રસારિત કે પ્રકાશિત થતી રહે, તો તે લોકોના દિમાગમાં ઠસી જાય છે અને જો તે વાત ખોટી હોય, તો પણ તે સાચી લાગવા માંડે છે, અને આ સિદ્ધાંતનો જ ઉપયોગ પ્રવર્તમાન સમયમાં પણ વ્યાપકપણે અને આયોજનબદ્ધ રીતે થઈ રહ્યો હોય તેમ નથી લાગતું...?

દૃષ્ટાંત તરીકે શાસક પક્ષના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે નેતા કોઈ લોકલક્ષી રજૂઆત કરે, ત્યારે પ્રસિદ્ધિ થાય, તે પછી તેની મિટિંગ કે કેબિનેટમાં ચર્ચા થાય ત્યારે તેા વિવરણો પ્રેસ-મીડિયા અને હવે તો સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પણ વહેતા થાય, અને તેવી જ રીતે એ જ બાબતે મંજૂરી મળે, પછી વિકાસનું કામ હોય તો તેનું સ્થળ નિરીક્ષણ કરવા જાય, તેની પબ્લિસિટી થાય, તે પછી તેનું ખાતમુહૂર્ત કે ભૂમિપૂજન થાય, તે પછી કામ ચાલતું હોય તે દરમિયાન નેતાઓ, અધિકારીઓ તેનું નિરીક્ષણ કરવા જાય અને છેલ્લે લોકાર્પણ થાય, ત્યાં સુધીમાં આ એકના એક મુદ્દાની પબ્લિસિટી પંદર-વીસ વખત વ્યાપકપણે થઈ ગઈ હોય.... આને કહેવાય ગોબેલ્સ પ્રચાર.

વિકાસના કામો જ નહીં, વહીવટીતંત્રોની મિટિંગો, ફરિયાદ નિવારણ કાર્યક્રમો, વિવિધ પ્રકારના કેમ્પો, તંત્રોની રોજિંદી કામગીરી તથા ફરજમાં આવતી કામગીરીની પણ મોટી સિદ્ધિઓ મેળવી લીધી હોય, તેવી રીતે થતી પ્રસિદ્ધિ અને રાજ્ય, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોય, તો તેનો "આભાર" માનતા નિવેદનોની ભરમારની પબ્લિસિટી જથ્થાબંધ ધોરણે થવા લાગે અને આ માટે પ્રિન્ટ મીડિયા, ન્યુઝ ચેનલો તથા સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થાય, ત્યારે એવું લાગે કે આ તો જોસેફ ગોબેલ્સને પણ ટપી જાય, તેવી પબ્લિસિટી સ્કીલ ડેવલપ થઈ છે...!!

ગુજરાતની પારદર્શક સરકારના ગૃહવિભાગે તાજેતરમાં "તેરા તૂજ કો અર્પણ" કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં કોઈ નાની-મોટી ચીજવસ્તુ તંત્ર કે અદાલતના ચોપડે નોંધાઈ ન હોય, તેવા અપવાદો સિવાય મોટાભાગે જેમાં ચીજવસ્તુ ગૂમ થવાની કે ચોરાઈ જવાની ફરિયાદ નોંધાય, તપાસ થાય, અદાલતી આદેશ થાય, કે કાનૂની રીતે સંપૂર્ણ લાંબી પ્રક્રિયા પછી પહેલાની જેમ જ પાછી સોંપવાની થાય, ત્યારે તે મેળવવા માટે પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજાય તેની પણ રાહ જોવી પડતી હોય તો તે પણ એક પ્રકારનો સરકારી પ્રોપાગન્ડા જ કહેવાય ને...?

હા, એવો અભિપ્રાય દાખવવામાં આવે કે જેની ખોવાયેલી, ચોરાયેલી કે ગંભીર પ્રકારના ક્રાઈમના ગૂન્હા સાથે સંકળાયેલી કે મહત્ત્વની ન જણાતી હોય, તેવી ચીજવસ્તુઓ જો સક્ષમ અધિકારી કે ન્યાયતંત્રમાં પ્રારંભિક સુનાવણી દરમિયાન જ અદાલતના આદેશથી જો ટૂંક સમયમાં જ સંબંધિત વ્યક્તિને સોંપી દેવામાં આવે, અને તેના માટે આ પ્રકારના પચીસ-પચાસ કેસની સુનાવણીઓ ભેગી થવાની રાહ જોવામાં ન આવે, તો આ પ્રકારના કાર્યક્રમો સાર્થક ઠરે, પરંતુ તે માટે "રિફોર્મ્સ" ની પણ જરૂર પડે, ખેર, આ કાનૂની પ્રક્રિયાઓ છે અને તેમાં નિયમ-કાયદાઓનું પાલન તો કરવું જ પડે, પરંતુ જો તેમામં જોસેફ ગોબેલ્સ સ્ટાઈલથી નિરર્થક પ્રોપાગન્ડાની નીતિરીતિ કેન્દ્ર કે રાજ્ય સરકારો અપનાવતી હોય તો તે યોગ્ય નથી, તેવી જનમાનસમાં પડી રહેલી છાપ અંગે પણ વિચારવું પડે તેમ છે. આપણે ગરવા ગુજરાતની ગરિમા તો જાળવવી જ જોઈએ...?

કોઈપણ મોટી દૂર્ઘટના બને, તેમાં મૃત્યુ થાય અને તેમાં જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે રાજ્ય-કેન્દ્ર કક્ષાની તત્કાળ રાહત નિધિઓમાંથી રોકડ સહાય આપી શકાય તેમ હોય, તો તેની જાહેરાતો તો તરત જ થઈ જાય છે. ઘણી વખત પિડીતોને આવાસ, બાળકોના શિક્ષણ કે ગંભીર ઈજાગ્રસ્તોને જીવનભર સારવારની વ્યવસ્થા જેવા વાયદાઓ પણ કરી દેવાતા હોય છે, પરંતુ તે પછી તેનો અમલ યોગ્ય રીતે થતો હોતો નથી, જેના સંખ્યાબંધ દૃષ્ટાંતો દેશભરમાં ઠેરઠેર મળી આવે છે. આ પ્રકારની જ્યારે જાહેરાતો થાય અને વાયદાઓ થાય, ત્યારે તો તેનો "ગોબેલ્સ" પ્રચાર થતો જ હોય છે, પરંતુ તે પછી તેનો અમલ કેટલો થાય છે, તેનું સંશોધન કરવામાં કદાચ લોકતંત્રનો ચોથો સ્તંભ પણ કાચો પડી રહ્યો હોય તેમ નથી લાગતું...?

તાજેતરનું દૃષ્ટાંત જોઈએ તો વડોદરામાં મુખ્યમંત્રીના એક કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધન વચ્ચે જ બે મહિલાઓ ઊભી થઈને કાંઈક રજૂઆતો કરવા લાગી, તેને મુખ્યમુત્રીએ "એજન્ડા" ગણાવ્યો અને તંત્ર દ્વારા બહાર મોકલી દીધી અને પછીથી સાંભળી, તે ઘટનાક્રમ સૌ કોઈ જાણે જ છે. આ ઘટનામાં પણ હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર બાળકોના પરિવારની વ્યથા જ પડઘાઈ હતી, અને તે દુર્ઘટના વખતે "ગોબેલ્સ" પ્રચાર કરીને જ વાયદા કરાયા, તેનો અમલ થયો નહીં હોવાની ફરિયાદ પડઘાતી હોય તેમ જણાતું હતું. હવે તેઓને "સંવેદનશીલ" સરકાર શું કરે છે, તે જોવું રહ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાનીઓ ઝડપાયા.

સેટિંગ કમિટી અને કચરા શેઠના વ્યંગ પછી લટકી ગયો ઈજારો...! આરએમસી પાસેથી લેશન લીધુ...?

                                                                                                                                                                                                      

ભારત-પાકિસ્તાનની સરહદે અને કુદરતી વાતાવરણમાં પ્રચંડ ગરમી વચ્ચે હવે માવઠાની આગાહીઓ થઈ રહી છે, ત્યારે એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ધગધગતી ગરમી હવે માવઠામાં પરિણમશે, તેવી જ રીતે પહલગામ પછી પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની વાતો હવાઈ તો નહીં જાય ને...? મોદી સરકાર કોથળામાંથી બિલાડુ તો નહીં કાઢે ને...? તેવું થાય તો દેશવાસીઓનો વિશ્વાસ તૂટી જશે, જે બુમરેંગ પુરવાર થશે, તે તો રણનીતિકારો જાણતા હશે ને...?

સંજય રાઉત કહે છે કે, સેનાને ખૂલ્લી છૂટ આપવાની વાતો કરીને મોદી સરકાર છટકી જવા માંગે છે, કારણ કે, જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતીય સેનાને તો પહેલેથી જ છૂટ મળી છે ને...?

કુદરતી ગરમી, વધતુ તાપમાન અને યુદ્ધના ભણકારાની ગરમી નગરથી નેશન સુધી વ્યાપેલી છે, તેવામાં જામનગરની મહાનગરપાલિકાનો માહોલ પણ ગઈકાલે ગરમાગરમ રહ્યો હતો અને ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ઈજારો આપવાના મુદ્દે શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે જામી પડી હતી.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નરે કચરા કલેકશનનો ઈજારો અઢી વર્ષના બદલે દસ વર્ષ માટે આપવાની દરખાસ્ત કરતા જ વિપક્ષના કોર્પોરેટરો અને નેતાઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને દેખાવો યોજી ધરણાં કર્યા હતા, તેમ મનપાનું તાપમાન પણ કુદરતી ગરમીની સાથે જાહેર હરિફાઈ કરવા લાગ્યું હતું. વિપક્ષોએ કોને કચરા શેઠનું બિરૂદ આપ્યુ અને સ્ટેન્ડીંગ કમિટીને "સેટિંગ" કંપની તરીકે વર્ણવીને વ્યંગ કર્યો, તે આપણી સામે જ છે ને...?

આ મુદ્દો જામનગરમાં ગઈકાલે "ટોક ઓફ ધ ટાઉન" તો બન્યો જ હતો, પરંતુ મનરેગા, કિસાન કાયદા અને રાષ્ટ્રીય કક્ષાએ નીતિ આધારિત વસતિ ગણત્રીની જેમ જામનગર મનપાના શાસકોએ પણ રોલબેક (પીછેહઠ) કરીને ૯૦૦ કરોડ રૂપિયામાં દસ વર્ષ માટે ઈજારો આપી દેવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવી પડી હતી.

અહીં સમજવા જેવી વાત એ પણ છે કે, આ દરખાસ્ત હજુ રદ્દ નથી, પરંતુ "પેન્ડીગ" છે, તેથી તે પુનઃ પ્રસ્તૂત થાય કે વર્ષો ઘટાડવા સહિતા કેટલાક સુધારા કરીને નવેસરથી રજૂ થશે, તેવી પ્રબળ સંભાવનાઓ તો રહેવાની જ છે.

આ પ્રબળ સંભાવના એટલા માટે છે કે, સ્ટેન્ડીંગ કમિટીએ જ આ મુદ્દો સમિતિએ કાઢેલી "કવેરી" સંતોષાઈ નહીં હોવાથી પેન્ડીંગ રખાઈ હોવાનું જણાવીને વિપક્ષને તો ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે, તેવો પરોક્ષ પ્રતિપ્રહાર કર્યો છે.

સ્ટેન્ડીંગ કમિટીએ ગઈકાલે લગભગ સાડાચાર કરોડના ખર્ચઓને બહાલી આપી, તેમાં કેટલાક ઈન્ફ્રાસ્ટ્રકચરના જનઉપયોગી કામો થયા છે, જ્યારે ટ્રીગાર્ડની ખરીદી જેવા કેટલાક ખર્ચાઓના સંદર્ભે ચર્ચાઓ પણ થઈ રહી છે. એવું કહી શકાય કે અત્યારે ૯૦૦ કરોડની કચરા દરખાસ્ત ભલે અભેરાઈએ ચડી ગઈ હોય, પરંતુ સર્વવ્યાપી અને સર્વપક્ષિય "સેટિંગ" કરીને આ જ દરખાસ્ત (બે-ત્રણ ટૂકડામાં) ચોક્કસ ઈજારેદાર માટે મંજૂર થાય છે કે નહીં, તેના પર નગરના બિનપક્ષીય જાગૃત નાગરિકોએ નજર રાખવી પડશે, તેવો વ્યંગ થાય, તેમાં દમ છે.

રાજકોટ મનપાએ પણ ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ૧૧૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હોય તો એવું કહી શકાય કે આ પ્રકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ કદાચ રાજ્યકક્ષાએ જ નક્કી થઈ હોય અને જામ્યુકોના શાસકો-તંત્રોએ તો માત્ર અનુસરણ જ કરવાનું હશે... એવી અટકળો પણ થઈ રહી છે કે, જામ્યુકોના શાસકો કે તંત્રોએ જામનગર ડોર-ટુ-ડોર કચરા કલેકશનના કોન્ટ્રાક્ટ માટે કદાચ આરએમસી પાસેથી લેશન લીધું હશે...!

જો કે, રાજકોટમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટેના કોન્ટ્રાક્ટમાં જે કડક નિયમો અને આકરી શરતો રાખવામાં આવી છે, તેવી જ શરતો તથા નિયમોનો સમાવેશ જામનગર મહાનરગપાલિકા તથા ઈજારેદાર વચ્ચે થતા કરારમાં સમાવેશ કરાવવો જોઈએ, અને જો સમાવેશ કરાયો જ હોય, તો તે છૂપાવવાના બદલે આરએમસીની જેમ પબ્લિક ડોમેનમાં મૂકીને તેનો હકીકતે ચૂસ્ત અમલ થાય અને કોઈની લાજ ન કાઢવી પડે, તેવી વાસ્તવિક પારદર્શકતા દાખવવી જોઈએ.

કચરો કલેકશન કરતી ગાડીઓમાંથી રોડ પર કચરો વેરાય તો પેન્ટલ્ટી, કચરા વાહનોની આજુબાજુ કોથળામાં ટિંગાળવાની મનાઈ, મનફાવે તેવી રીતે કચરાવાહનોનું સ્ટોપેજ, ગૃહિણીઓ તથા નાગરિકો પોતાનો કચરો ઠાલવી શકે, ત્યાં સુધી કચરાવાહન ફરજીયાતપણે થોભે તેવી વ્યવસ્થા પહેલેથી વિસ્તારવાર ટાઈમ-ટેબલ, કચરાવાહન દ્વારા નિયત ગીતો વગાડવાની સાથે-સાથે વ્હીસલ વગાડવાની વ્યવસ્થા અને સાંકડી ગલીઓમાંથી કચરા કલેકશન માટે વ્હીલબરો દ્વારા કચરો ગલીના નાકે ઊભતી કચરાવાહન સુધી પહોંચાડવાની વ્યવસ્થા થવી જોઈએ.

આ ઉપરાંત આરએમસીએ વહેલી સવારથી બપોર સુધી રહેણાંક વિસ્તારો, બપોરના સમયે બજારો તથા વ્યાપાર-ઉદ્યોગના વિસ્તારો અને રાત્રિના સમયે હોટલો, રેસ્ટોરન્ટોનો કચરો એકત્રિત કરવાની જે વ્યવસ્થા કરી છે, તેને જામનગરની સ્થિતિને અનુરૂપ કેટલા પ્રમાણમાં લાગુ કરી શકાય તેમ છે, તેનો અભ્યાસ કરીને અમલ કરવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જાતિ જનગણનાના મુદ્દે મોદી સરકાર ઝુકી... રાહુલ ગાંધીએ પૂછી તારીખ...! ઈન્ડિયા ગઠબંધનનો વિજય...!!?!!

                                                                                                                                                                                                         

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી અને યુદ્ધના ભણકારા વચ્ચે ગઈકાલે જ્યારે મેરેથોન બેઠકોનો દોર ચાલી રહ્યો હતો અને સુપર કેબિનેટમાં મોદી સરકારે પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની યોજનાને આખરી મંજુરી આપી હોવાના અહેવાલો આવી જ રહ્યાં હતાં, ત્યારે જ મોદી સરકાર તરફથી એક એવો ધડાકો કરાયો કે થોડા સમય સુધી તો આ અહેવાલો પર વિશ્વાસ આવતો નહોતો, પરંતુ સાંજે થતા થતા તો આ મુદ્દો સ્થાનિક રાજનીતિનો કેન્દ્રવર્તી ચર્ચાનો વિષય બની ગયો હતો અને મોદી સરકાર અંતે રાહુલ ગાંધી સામે ઝુકી ગઈ હોવાનો દાવો કોંગ્રેસ તરફથી થવા લાગ્યો હતો.

ગઈકાલે મોદી સરકારે જ્યારે એવી જાહેરાત કરી કે દેશમાં જાતિ આધારિત જનગણના થશે ત્યારે પ્રારંભમાં તો રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ હતી, પરંતુ તે પછી કોંગ્રેસના પવન ખેડાએ મોદી સરકારની આ જાહેરાતને 'હેડલાઈન્સ મેનેજમેન્ટ' ગણાવીને આશંકાઓ વ્યક્ત કરી, તો વિપક્ષના કેટલાક નેતાઓ સહિતના તદ્વિષયક અગ્રગણ્ય નાગરિકોએ તો પહલગામમાં નિર્દોષ લોકોની કત્લેઆમ થઈ, તેમાં મોદી સરકારની ઘોર નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવાની તરકીબ ગણાવી હતી.

આ પહેલા ભાજપના નેતાઓ રાહુલ ગાંધી તથા વિપક્ષો દ્વારા થતી જાતિ જનગણનાની માંગણીને સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયાસ ગણાવીને તેનો રાજકીય લાભ લેવા અને વોટબેંક ઊભી કરવાની રણનીતિ ગણાવતા હતા, તેથી એવા કટાક્ષો પણ થવા જ લાગ્યા હતાં કે, હવે શું મોદી સરકાર જાતિ જનગણના કરાવીને પોતાની વોટબેંક ઊભી કરવા માટે સમાજમાં ભાગલા પડાવવા જઈ રહી છે...?

રાહુલ ગાંધીએ એક પીઢ રાજનેતાની જેમ પ્રત્યાઘાતો આપતા કહ્યું કે, અમે જાતિ જનગણના કરાવીને પ૦ ટકા આરક્ષણની મર્યાદા હટાવીને ઝંપીશુ, તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, બિહાર અને તેલંગણામાં થયેલી જાતિ જનગણના અનુભવે એ સમજાયું છે કે, જાતિ આધારીત વસ્તી ગણતરી કરતા પહેલા કોઈ ચોક્કસ ડિઝાઈન (પદ્ધતિ) નક્કી કરવી પડશે. મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપતા તેમણે કહ્યું કે, મોદી સરકાર હવે નીતિ આધારિત વસ્તી ગણતરીની તારીખ જણાવે.

બીજી તરફ સરકારની આ જાહેરાત પછી તેને ઈન્ડિયા ગઠબંધનની જીત ગણાવીને વિપક્ષોમાં આ જાહેરાતનો જશ લેવાની હોડ લાગી ગઈ, પરંતુ ઘણાં વર્ષોથી રાહુલ ગાંધી આ માંગણી ઉઠાવી રહ્યાં હોવાથી કોંગ્રેસની વાત મોદી સરકારે માનવી પડી છે, અને આ જાહેરાત પાછળ કોંગ્રેસના હાથમાંથી આગામી ચૂંટણીઓમાં પ્રચારનો મુખ્ય મુદ્દો છીનવી લેવાનો પ્રયાસ પણ ગણાવી રહ્યો છે.

એવું પણ કહેવાય છે કે, મોદી સરકાર પર એનડીએના જ સાથીદાર પક્ષોનું પણ જાતિ આધારિત જનગણના કરાવવાનું દબાણ હતુ, અને એનડીએના સાથીદાર લગભગ તમામ પક્ષો (ભાજપ સિવાય) જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની તરફેણમાં હતાં, તેથી મોદી સરકારે આંતરિક દબાણ હેઠળ પરોઠના પગલાં ભરવા પડ્યા છે...!!

આ જાહેરાત પછી લાલુ યાદવ, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ ત્વરીત પ્રતિભાવો આપીને મોદી સરકારની આ પીછેહઠને "સમાજવાદીઓ તથા લાલુ યાદવ" ની જીત ગણાવી હતી... તો બીજી તરફ બિહારના એનડીએના જેડીયુ સહિતના સાથીદાર પક્ષો તથા ચિરાગ પાસવાન દ્વારા અપાયેલા પ્રતિભાવો એ તરફ સંકેત કરે છે કે, મોદી સરકારે આ નિર્ણય બિહારની ચૂંટણીઓમાં ઘોર પરાજય થતો અટકાવવા માટે લીધો હોવો જોઈએ.

જે હોય તે ખરૃં.... પરંતુ અત્યારે તો ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે મોદી સરકારની આ જાહેરાત પછી પહલગામમાં સુરક્ષા વ્યવસ્થાની પોલંપોલની તપાસની માંગણી, મોંઘવારી, બેરોજગારી તથા વકફ વિવાદને પાછળ ધકેલી દીધા જ છે, તે હકીકત છે.

 

આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિને નોબત પરિવાર અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો તથા નોબતના ઈ-પેપર, ડિજિટલ માધ્યમો, બ્રેકીંગ ન્યુઝ સર્વિસ, વીડિયો સમાચાર તથા સોશ્યલ મીડિયાના માધ્યમો સાથે સંકળાયેલા ફોલોઅર્સ, શુભેચ્છકો, વિજ્ઞાપનકારો, પત્રકારો, પ્રતિનિધિઓ, વિતરકો સહિત ગુજરાત તથા દેશ-વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવે છે... જય-જય ગરવી ગુજરાત.....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બાંગ્લાદેશઃ રાજદ્રોહના કેસમાં ચિન્મયદાસને જામીન મળ્યા.

હવે ગેરકાયદે વસાહતો ૫ર રાજ્યવ્યાપી

                                                                                                                                                                                                      

અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેની વિશાળ ગેરકાયદે વસાહતો અને ઝુંપડપટ્ટીઓ પર ગઈકાલે બુલડોઝર ફર્યુ, તે પછી એવા સવાલો ઉઠ્યા હતાં કે આટલા દાયકાઓથી અહીં સરકારી જમીનો પર જંગી બાંધકામો તથા મોટી ઝુંપડપટ્ટી ઊભી થઈ ગઈ, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા તંત્ર કે ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરોએ કેમ આંખ આડા કાન કર્યા હતાં...? અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરો મોટી સંખ્યામાં રહેતા હોવા છતાં પોલીસતંત્ર કે વહીવટી તંત્રના સ્થાનિક અમલદારોનું ધ્યાન જ નહીં ગયું હોય...?, અહીં દારૂના અડ્ડા કે ગેરકાનૂની પ્રવૃત્તિ ફાલીફૂલી હોય તો રાજ્યની રાજધાની અમદાવાદથી નજીક જ હોવા છતાં ગૃહવિભાગ કે તેના તાબાની કચેરીઓએ કોઈ નક્કર કામગીરી આ પહેલા કેમ નહીં કરી હોય...?

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો અમદાવાદના મ્યુનિ. કોર્પોરેશન તથા શહેરની રાજનીતિ સાથે પણ પહેલેથી જ સંકળાયેલા હોવા છતાં તેઓએ મુખ્યમંત્રી પદની બીજી ટર્મ સુધી ગેરકાનૂની અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક કદમ લેવા માટે વાર કેમ લગાડી...? શું સ્થાનિક રાજકીય પક્ષો અને નેતાઓ આ મુદ્દે "એકમત" હતા, વોટબેંકની રાજનીતિ હતી કે પછી હપ્તાખોરી, ગેરરીતિ અને સંકલિત ભ્રષ્ટાચારનું પરિણામ હતું...?

ખેર, દેર આયે દૂરસ્ત આયે, પરંતુ ભારત-પાક. તંગદિલી વચ્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ગેરકાયદે રહેતા લોકોને હાંકી કાઢવાની પ્રક્રિયાની સાથે આ મેગા ડિમોલીશન થયા પછી એ જ સ્થળે ફરીથી કોઈ બીજા લલ્લુઓ આવીને ગેરકાયદે વસાહતો ઊભી ન કરે તેનું ધ્યાન રાખવું પડશે, એટલું જ નહીં, અમદાવાદના અન્ય વિસ્તારો તથા રાજ્યના તમામ નાના-મોટા શહેરો તથા ધોરીમાર્ગોની આજુબાજુ થયેલા ગેરકાયદે બાંધકામો, વસાહતો અને વિશાળ ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ સામે પણ આ જ પ્રકારના મેગા ડિમોલિશન ઓપરેશનો કોઈપણ ભેદભાવ કે રાજકીય નફા-નુકસાનના ગણિત માંડ્યા વિના ચલાવવા જોઈએ, તેવો લોકમત ઘડાઈ રહ્યો છે, તે પણ રાજ્ય સરકારે સમજવું પડે તેમ છે.

ખાસ કરીને રાજ્યના ઘણાં એવા વિસ્તારો છે, જ્યાં રેલવેની જમીનો પર લાંબા સમયથી તદ્દન ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ અને વસાહતો સ્થાપિત થઈ ગઈ છે, પરંતુ રેલવે તંત્રને તેની પડી નથી, તેથી ચંડોળા જેવી જ ગેરકાનૂની વસાહતો તથા ઝુંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે, અને ત્યાં ઘણાં સ્થળોએ દારૂના અડ્ડા, જુગારધામો, કૂટ્ટણખાના અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમી રહી હોય તે સંભવ છે, (અને ઓપન સિક્રેટ છે), તેથી હવે રાજ્ય સરકારે કોઈપણ ભેદભાવ કે ગણિતો, સમીકરણોને બાજુ પર રાખીને તદ્દન સમાન અને તટસ્થ ધોરણે રેલવે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જમીનો પર ખડકાઈ ગયેલા ગેરકાનૂની બાંધકામો, લેન્ડગ્રેબીંગ કારસ્તાનો તથા ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ધમધમતા હોય તેવા તમામ સ્લમ વિસ્તારોમાં તમામ કાનૂની પ્રક્રિયા સંપન્ન કરીને તથા નોટીસો વગેરે આપ્યા પછી શક્ય તેટલી ઝડપે ઓપરેશન ડિમોલીશનની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવી જોઈએ, તેમ નથી લાગતું...?

જામનગર સહિત હાલારમાં પણ ઘણાં એવા સ્લમ વિસ્તારો છે, જે કોઈપણ પ્રકારની મંજૂરીઓ વગર સરકારી કે રેલવેની જમીનો પર વસાહતો ખડકાઈ ગઈ છે, અને કેટલાક સ્થળોએ તો તેના વિકલ્પે સરકારી આવાસો બાંધી આપ્યા હોવા છતાં તે સ્લમ વિસ્તારો ખાલી થતા નથી. જો તેની સામે આંખઆડા કાન કરવાનું યથાવત રહેશે તો ચંડોળા વિસ્તારનું મેગા ડિમોલીશન પણ કોઈ ચોક્કસ રાજકીય ગણતરી હેઠળ થયું હોવાના આક્ષેપો થવા લાગશે.

રેલવેની ખાલી પડેલી જમીનો હોય, અને તેને ફ્લાયઓવર બ્રીજનો સ્લોપ બનાવવા માટે જરૂર હોય તો અત્યારે ત્રિપલ એન્જિનની સરકાર ધારે તો રાતોરાત મંજૂરી આપી શકે તેમ છે, તેથી નગરજનોનો આશાવાદ નિરર્થક તો નથી જ ને...?

જામનગરની વાત હોય કે, ખંભાળીયાની, કે રાજ્યના કોઈપણ સ્થળે, જ્યાં-જ્યાં રેલવેની જમીનો કે સરકારી જમીનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓથી ધમધમતી હોય, ગેરકાયદે વસાહતો હોય તો ત્યાં પણ "ચંડોળા" ફેઈમ મેગા ડિમોલીશન થવું જ જોઈએ ને...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઉનાળો, ઉત્તેજના, સૂર્યપ્રકોપ અને સૂર્યવંશીની ફટકાબાજી... દાદાનું બુલડોઝર તો ફર્યુ...પણ...!!!

                                                                                                                                                                                                      

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી અને સૂર્યપ્રકોપના ગરમાગરમ માહોલ વચ્ચે રાજસ્થાનની રણભૂમિ નજીક રન ભૂમિ બનેલા સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં પણ રોમાંચ અને ઉત્તેજનાની ગરમાહટ છવાઈ ગઈ હતી. ખાસ કરીને ૧૪ વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ દિગ્ગજ બોલરોને ઝુડી નાખ્યા અને માત્ર ૩પ રનમાં સદી ફટકારીને ગુજરાત ટાઈટન્સ પાસેથી મેચ આંચકી લીધી અને રાજસ્થાન રોયલ્સે ભવ્ય વિજય મેળવ્યો, તેમાંથી ટીમ ઈન્ડિયાને એક નવી ઉગતી પ્રતિભા સાંપડી છે, તે પણ એક ઉપલબ્ધિ જ છે ને...?

સૂર્યપ્રકોપ વચ્ચે સૂર્યવંશીની ઉર્જાવાન ઈનિંગના કારણે ગુજરાત ટાઈટન્સે ર૦ ઓવરમાં ખડકેલા ૨૧૦ રનના જંગી જુમલાને તદ્દન સરળ બનાવી દીધો, તેમાં જયસ્વાલની ઈનિંગની પણ નોંધપાત્ર ભૂમિકા રહી હતી. ટૂંકમાં ગઈકાલે સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં ઉત્તેજનાની ગરમી પછી થયેલ રનવર્ષાએ પ્રેક્ષકો અને દર્શકોના દિલ જીતી લીધા હતાં.

ગઈકાલે સૂર્યવંશીના ચોકા-છક્કાની જેમ જ તાપમાનનો પારો પણ "હાઈ" રહ્યો હતો અને ગુજરાતના ઘણાં રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું હતું. રાજકોટમાં તો ૪૬.ર ડિગ્રી તાપમાન સાથે ૪૮ વર્ષની રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. જામનગરમાં પણ ગઈકાલે સરેરાશ ૩પ ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં મહત્તમ ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જામનગરમાં આજે સવારે ર૮ થી ૩૦ ડિગ્રીની આસપાસ રહેલું તાપમાન બપોર સુધીમાં ૩૭ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં પ્રચંડ ગરમી સાથે લૂ વાતી હોવાથી બપોરના સમયે કરફયૂ જેવું વાતાવરણ ઊભું થાય છે અને સવાર-સાંજ ધમધમતા રહેતા માર્ગો અને ટ્રાફિક જામ થઈ જાય, તેટલું પરિવહન ધરાવતા સર્કલો સૂમસામ થઈ જાય છે. તેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે નાનુ-મોટું યુદ્ધ છેડાશે, અથવા ભારત અચાનક જ પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરશે, તેવી સંભાવનાઓ પાકિસ્તાનના જ નેતાઓ અને મંત્રીઓ દર્શાવી રહ્યાં હોવાથી ભારત-પાક. સરહદે પણ માહોલ ગરમાયો છે તથા સૈન્યો શસ્ત્ર-સરંજામ અને યુદ્ધ - વાહનો સાથે એલઓસીની આજુબાજુ સજ્જ થઈ રહ્યા હોય તેવા અહેવાલો તથા વીડિયો વહેતા થતા સરહદે ગરમી વધી રહી છે, તો બીજી તરફ ગઈ મોટી રાત્રે વાયુસેનાના વિમાનોની ઘરેરાટી સંભળાયા પછી તથા દરિયામાં પણ નૌકાદળના યુદ્ધ જહાજોની ચહલપહલ વધ્યા પછી પ્રિ-વોર (યુદ્ધ પહેલાની સ્થિતિ) મૂવમેન્ટ કાંઈ નવાજુની ટૂંક સમયમાં થશે, તેવા સંકેતો આપે છે.

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પણ રાજ્યની સૌથી મોટી ગણાવાતી દબાણ હટાવ ઝુંબેશે ગરમી જન્માવી છે. આ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને તો હટાવાયા, પરંતુ ત્યાં બનેલા અસામાજિક તત્ત્વોનો અડ્ડો પણ હટાવાઈ રહ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, વર્ષ-૧૯૭૦ થી ૧૯૮૦ થી સરકારી જમીન પર વિશાળ ગેરકાયદે બાંધકામો ખડકાયા છે, અને ખોટા દસ્તાવેજોના આધારે અહીં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ તથા અસામાજિક તત્ત્વોની વસાહતો ઊભી થઈ હતી, તેને હટાવાઈ રહી હોવાના દાવા વચ્ચે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની તે મુલાકાત ઘણુંઘણું કહી જાય છે.

ગુજરાત સરકારનું આ કદમ અમદાવાદવાસીઓને તો ગમ્યુ જ હશે, પરંતુ આ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરીને બેઠેલા અસામાજિક તત્ત્વોમાં પણ ફફડાટ ફેલાયો હશે. આજે દાદાનું બુલડોઝર ભલે ચૂસ્ત બંદોબસ્ત સાથે ત્રાટક્યું હોય, પરંતુ આટલી વિશાળ જમીન પર ઊભા થઈ ગયેલા સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો સામે આટલા દાયકાઓથી કેમ પગલા ન લેવાયા, અને અઢી-ત્રણ દાયકાથી શાસનમાં હતી, તે ભાજપ સરકારે પણ અત્યાર સુધી કેમ આંખ આડા કાન કર્યા...? તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.

લલ્લુ અથવા લાલા બિહારીએ ચંડોળમાં મોટો ગેરકાયદે બંગલો બાંધ્યો હતો અને બાંગ્લાદેશીઓને ગેરકાયદે પ્રવેશ અપાવીને અહીં ઝુંપડપટ્ટીમાં વસાવીને અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા પણ અહીં થતા હતાં, તેવું કહેવાય છે.

આજ સુધી સાડાપાંચ દાયકામાં ઘણી સરકારો બદલાઈ, પરંતુ આ ગેરકાનૂની સામ્રાજ્ય વિસ્તરી જ રહ્યું હતું, તે જ આપણાં રાજ્યમાં શાસન કરી ગયેલા શાસકોથી લઈને આજ સુધીની સરકારોના સુશાસન (કુશાસન) અને (અ) પારદર્શક "વહીવટ" નો પ્રત્યક્ષ પુરાવો છે,

અમદાવાદના અતિક્રમણ પર આ સૌથી મોટું આક્રમણ છે. ચંડોળા તળાવ વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની ચૂકેલી ઝુંપડપટ્ટીઓને આજે હટાવાઈ રહી છે, અને ૧૯૭૦-૮૦ ના દાયકા પછી વર્ષ-ર૦૦૦ માં રાહત શિબિર બની અને સને-ર૦૧૧ સુધીમાં આ મામલો અદાલતની અટારીએ પહોંચ્યો હતો, પરંતુ વર્ષ-ર૦૧૧ પછી અહીં અબજોની સરકારી જમીન પર જાયન્ટ એન્ક્રોચમેન્ટ (જંગી દબાણો) થયા હોય તો તે સમયથી લઈને આજ સુધીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા રાજ્ય-કેન્દ્ર કક્ષા સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ જવાબદાર ઠેરવવા જ જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકાર વિરૂદ્ધ બોલે તે નહીં, પણ દેશ વિરૂદ્ધ હોય તો ગદ્દાર.... બકવાસો બંધ થાય તો સારૂ...

                                                                                                                                                                                                      

પહલગામ આતંકી હૂમલો થયા પછી એક તરફ તો આખો દેશ એકજૂથ થઈ ગયો, સરકારની તરત જ ભૂલો કાઢવાના બદલે વિપક્ષોએ સરકાર દ્વારા પાકિસ્તાન સામે લેવાઈ રહેલા પગલાઓને સમર્થન આપ્યુ, અને અનેક મસ્જિદોમાં આતંકવાદી કૃત્યને વખોડવાની સાથેસાથે ભારતીય મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી અને આતંકીઓની તસ્વીરોને પગ તળે કચડીને પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો, તો બીજી તરફ કેટલાક બટકબોલા નેતાઓએ મનફાવે તેવા ઉટપટાંગ નિવેદનો કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો, કેટલાક નેતાઓએ હિન્દુ-મુસ્લિમ વિવાદ વકરાવવાનો પાકિસ્તાનનો બચાવ કરતા હોય તેવા નિવેદનો કર્યા. એક તરફ મોદી સરકારના ઘોર વિરોધી અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ આતંકીઓના નાપાક અને નિંદનીય કૃત્યને ખૂબ જ કડક ભાષામાં વિરોધ કરીને નમાઝ વખતે હાથોમાં કાળી પટ્ટી બંધાવી અને બાંધી, તો બીજી તરફ કેટલાક નેતાઓએ પહલગામમાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને હત્યાઓ કરી, તેવી જ રીતે દુકાનોમાંથી ખરીદી કરતા પહેલા તે દુકાનદારનો ધર્મ પૂછવાની વાહિયાત સલાહો આપી. મહારાષ્ટ્રમાં તો ભાજપના જ એક દિગ્ગજ નેતાએ કરેલુ આ પ્રકારનું ભાષણ એટલુ ચર્ચાસ્પદ બન્યુ છે કે, જેને લઈને ભાજપની નેતાગીરીને પણ ભોંઠપ અનુભવવી પડી હશે. ઘણાં લોકો એવી આશંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે કે, આ પ્રકારના નિવેદનો કોઈ "ગોડફાધરો" ના ઈશારે જ અપાતા હશે, અન્યથા કોઈપણ વિવાદાસ્પદ નિવેદન પછી સંબંધિત રાજકીય પક્ષે તે નેતાની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જે થતી નથી, પરંતુ તે નિવેદનો સાથે પાર્ટી સહમત નથી, તેવું નિવેદન કરીને થાબડભાણાં કરવામાં આવે છે. આ પ્રકારના બોલકા નેતાઓની બોબડી બંધ રહે તો સારૂ...

પહલગામમાં આતંકી હૂમલો થયો, તે પછી ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓ તથા ત્યાં ચાલતા લોલંલોલની પોલ ખૂલી ગઈ, અને ત્યાંના તંત્રો તથા સરકાર સામે સવાલો ઉઠવા લાગ્યા. કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષોએ મૂળભૂત સવાલો પૂછ્યા અને આ ઘોર બેદરકારીની જવાબદારી નક્કી કરવાની માંગણી ઉઠવા લાગી, તો તે સવાલોના જવાબો આપવાના બદલે શાસક પક્ષના કેટલાક નેતાઓ પણ ઉટપટાંગ નિવેદનો કરવા લાગ્યા, પરંતુ એ સમજી લેવાની જરૂર છે કે, સિસ્ટમ, સરકાર કે તંત્રો વિરૂદ્ધ બોલે તેઓ નહીં, પણ દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરતા હોય, તેને જ ગદ્દાર કહી શકાય... લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોય છે.

જો કે, ગઈકાલે યુટયુબર મહિલા નેહાસિંહ રાઠોડ સામે નોંધાયેલી એફઆઈઆર પછી તેની સામે ગંભીર આક્ષેપો થતા નવો જ વિવાદ શરૂ થયો છે.

આપણા દેશના બંધારણમાં જ નહીં, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ માનવતા, સહ્ય્દયતા, નૈતિકતા અને વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના ધબકે છે. આ દેશમાં નરફત કે ભેદભાવને પહેલેથી જ કોઈ સ્થાન નથી, ત્યારે જો આપણે પણ માથા ફરેલા આતંકવાદીઓ જેવો જ વ્યવહાર કરવા લાગશું, તો આપણામાં અને એ આતંકવાદીઓ વચ્ચે ક્યો તફાવત રહેશે...?

લોકતંત્રમાં બધાને બોલવાની સ્વતંત્રતા હોય છે, પરંતુ તેમાં પણ મર્યાદાઓ રાખવી જરૂરત છે. એવા નિવેદનો તો ન જ થવા જોઈએ, જેથી વૈમનસ્ય વધે, હિંસા ભડકે કે વર્ગવિગ્રહ જેવી સ્થિતિ ઊભી થઈ જાય. આ કાળજી ઉભયપક્ષે રાખવી જ જોઈએ, અન્યથા મોટા અનર્થો સર્જાઈ શકે છે.

નેહા રાઠોડ મુદ્દે વિવાદ જાગ્યા પછી એવો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે કે, સરકાર સામે સવાલો ઉઠાવવાને દેશદ્રોહ કેવી રીતે ગણી શકાય...?

પાકિસ્તાની નેતાઓ તથા શાહબાઝ સરકારના મંત્રીઓ દ્વારા પણ ભારતને અણુબોમ્બની ધકમી આપવામાં આવી રહી છે અને ચીન-રશિયા પાસે પહલગામ હૂમલાની તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે, જેને ચીનનું પણ સમર્થન મળ્યું છે. પાક.સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલે છે કે ખોટું તેની આંતરરાષ્ટ્રીય કક્ષાની ટીમ બનાવીને તટસ્થ તપાસ કરાવવી જોઈએ. આ પ્રકારની માંગણી કરવાની સાથેસાથે ચીન અને રશિયાનું નામ પાકિસ્તાને સૂચવ્યું હોવાથી અમેરિકાના ભવા પણ ઊંચા થયા છે, તો બીજી તરફ ભારતના ટ્રેડ યુનિયનોએ પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો વ્યાપાર બંધ કરી દેતા પાકિસ્તાનને અબજો રૂપિયાનો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. સિંધુ સમજૂતિ રદ્દ કરવાની ભારતે કરેલી જાહેરાત પછી પણ પાકિસ્તાનમાં ડર ફેલાયો છે, તો ભારત યુદ્ધ શરૂ કરે તે પહેલા પાકિસ્તાનની સેનાના જવાનો મોટી સંખ્યામાં રાજીનામા સોંપીને સેના છોડી રહ્યાં હોવાના પણ અહેવાલો આવ્યા છે, અને જેલમ નદીમાં પૂર આવતા મુઝફફરબાદમાં સર્જાયેલી સ્થિતિ માટે પાકિસ્તાનએ ભારતને જવાબદાર ગણાવ્યું છે.

જો કે, ભારત કોઈ મોટું કદમ ઉઠાવશે, તેવી ગઈકાલે દિવસભર અટકળો ચાલી અને દેશ અને દુનિયામાં ભારત સરકાર હવે શું કરશે તેવો સવાલ ઉઠતો રહ્યો હતો.

પશ્ચિમ બંગાળની પોલંપોલ અંગે કેન્દ્ર સરકારની મુખ્ય જવાબદારી ગણાય, અને સ્થાનિક તંત્રો પણ જવાબદાર છે તેથી ભારતમાં પહલગામમાં સુરક્ષા વ્યવસ્થાની ખામી અંગે મોદી સરકાર અને ઓમર અબ્દુલ્લાની રાજ્ય સરકાર પર પસ્તાળ પડતી રહી અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બોલાવાયેલા વિશેષ સત્રમાં પણ તેના પડઘા પડશે, તે પહેલેથી નક્કી જ હતું. જમ્મુકાશ્મીર સરકારના સ્થાનિક તંત્રો પણ પહલગામ મુદ્દે સવાલોના ઘેરામાં છે.

ટૂંકમાં પહલગામની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો પૂછવામાં આવે કે, કેન્દ્ર અને કાશ્મીરની સરકારોની સુરક્ષા નીતિ કે કેન્દ્રની વિદેશનીતિની ટીકા કરવામાં આવે, તે આપણાં લોકતાંત્રિક દેશમાં નાગરિકો અને પ્રેસ મીડિયા તથા રાજકીય પક્ષોનો અધિકાર છે, અને દેશના વિરોધમાં કે પાકિસ્તાનની તરફેણમાં કે દેશવિરોધી નિવેદનો આપનારા સિવાયના પ્રશ્નોને 'ગદ્દારી" કેવી રીતે ગણાવી શકાય...? તેવા કટાક્ષો પણ અસ્થાને નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આઈપીએલમાં ૧પ૦ મેચ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ ટીમ બની.

નિયમ-કાનૂન-પ્રતિબંધોની કડક અમલવારી જરૂરી... દરકાર હટી, દુર્ઘટના ઘટી...

                                                                                                                                                                                                      

જામનગર જેવા શહેરોમાં નો-હોકીંગ, નો-પાર્કિંગ, વનવે જેવા પ્રતિબંધો હોય કે દ્વારકાની ગોમતી નદીના દરિયા સાથે થતા સંગમ સ્થળની આજુબાજુ ઉંડા પાણીમાં ન્હાવા પર પ્રતિબંધ હોય, કે પછી હિમાલય, જમ્મુ-કાશ્મીરના કેટલાક જોખમી સ્થળો પર કેટલીક ઋતુમાં હરવા-ફરવા જવા પરના પ્રતિબંધો હોય, નિયમ-કાનૂન-પ્રતિબંધની કડક અમલવારી, સુરક્ષા, સલામતી અને જરૂર પડ્યે રાહત-બચાવ-પ્રતિકાર કરવાની વ્યવસ્થાઓ જ ન હોવી અથવા  બોદી કે અપૂરતી વ્યવસ્થાઓ હોવી અને કડક અમલવારી નહીં થવી, એ આપણાં દેશમાં સામાન્ય બાબત ગણાય છે, એટલું જ નહીં કુદરતી રીતે જોખમી, આતંક પ્રભાવિત કે નકસલ પ્રભાવિત વિસ્તારોમાં જનસુરક્ષા માટે લાદવામાં આવતા કેટલાક પ્રતિબંધોમાં ભ્રષ્ટ તંત્રો અને કેટલાક લાલચુ ધંધાર્થીઓ દ્વારા થતો ખિલવાડ ઘણી વખત જીવલેણ અને ગમખ્વાર બનતો હોય છે, તેનું દૃષ્ટાંત તો પહલગામની આતંકી અને ઘાતકી ઘટનાએ આપી જ દીધું છે ને...?

દ્વારકાનું જગત મંદિર આમ તો કાયમી ધોરણે સઘન સુરક્ષાના ઘેરામાં જ રાખવામાં આવે છે, પરંતુ પહલગામ હૂમલા પછી ત્યાં હાઈએલર્ટ જાહેર કરીને મંદિરની સુરક્ષા  વધારવા ઉપરાંત દરિયાઈ પેટ્રોલીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, અને તંત્રોને યાત્રિકો-ભાવિકો પણ સહયોગ આપી રહ્યાં છે. આ જ પ્રકારની સતર્કતા અને સહયોગ ગોમતીજી કે દરિયાના ઉંડા પાણીમાં ન્હાવા નહીં જવા માટે પણ દાખવવામાં આવે તો ડૂબી જવાથી યાત્રિકોની જિંદગી ગુમાવવાની ગમખ્વાર ઘટનાઓ ઘટાડી શકાય. અહીં માત્ર "મનાઈ છે" ના બોર્ડ લગાવીને છૂટી જતા તંત્રો આ સ્થળે સાવચેતી અને રેસ્ક્યૂ બોટ સાથેની ટીમો કાયમી ધોરણે રાખે, તેવી માંગણી પણ અવાર-નવાર ઉઠતી હોય છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ સ્થાનિક તંત્રો, નેતાઓ કે અધિકારીઓ આ મુદ્દે હાલમાં સળવળતા જ નથી...!!

એવું કહેવાય છે કે, પહલગામમાં જ્યાં આતંકી હૂમલો થયો, તે સ્થળ તો અમરનાથ યાત્રા સમયે જૂન મહિનામાં જ ખૂલે છે, તો પછી આ સ્થળ આટલું વહેલું કેવી રીતે અને કોની મંજૂરીથી ખૂલી ગયું...? તેવો સવાલ ઉઠી રહ્યો છે, અને સ્થાનિક તંત્રો, ટૂર-ઓપરેટરો કે લાલચુ સંલગ્ન વ્યવસાયિકોએ જો સરકારની જાણ બહાર આ સ્થળ ખોલાવ્યું હોય તો તે તમામ જવાબદારોના આ કૃત્ય અથવા લાપરવાહીને પણ ગંભીર ગણીને અથવા આતંકવાદીઓને મદદ કરવાના આક્ષેપો મૂકીને કડકમાં કડક નશ્યત થવી જ જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં જો સરકારના નાકની નીચે જ આ પ્રકારની લોલંલોલ ચાલી હોય તો એ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને જવાબદાર ગણીને તેમનું રાજીનામું માંગવામાં આવી રહ્યું હોય અને જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લાની સરકારના તાબા હેઠળના સ્થાનિક સંલગ્ન તંત્રો સામે પણ આંગળી ચિંધવામાં આવી રહી હોય, ત્યારે આ ગંભીર પ્રકારની ક્ષતીઓની માત્ર કબૂલાત કરી લેવાથી જ નહીં ચાલે, પરંતુ નૈતિક જવાબદારી સ્વીકારવાની પણ તૈયારી રાખવી જ પડે ને...?

અત્યારે આ સંવેદનશીલ મુદ્દે વિપક્ષોએ પ્રારંભમાં રાજનીતિ કરવાથી અંતર જાળવ્યું, તે આવકારદાયક છે, અને સર્વપક્ષીય બેઠક અને તે પછી વિપક્ષોએ ઉઠાવેલા પ્રશ્નો તથા કોંગ્રેસે પૂછેલા ૬ સવાલોના જવાબો આપીને સરકારે પણ વિશ્વસનિયતા અને રાષ્ટ્રીય એકજૂથતાનું પ્રમાણ આપવું જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.

આપણા દેશમાં "લાપરવાહી" અને "મિલિભગત" રાષ્ટ્રવ્યાપી છે. જામનગરમાં "નો હોકીંગ ઝોન" ના કડક અમલ માટે ધરણા અને વિરોધ પ્રદર્શનો કરવા પડે, અને બર્ધનચોકમાં વારંવાર ચેકીંગ છતાં ફરીથી "જૈસે થે" ની સ્થિતિ ઊભી થઈ જતી હોય, તો તેમાં કોઈને કોઈ "ગોડફાધર" ના આશીર્વાદ હોય કે "મજબુત હપ્તા સિસ્ટમ" ના પ્રભાવથી ચેકીંગની આગોતરી જાણ થઈ જતી હોય તેવું બની શકે, તેવી આશંકાઓ પણ હવે ઉઠવા લાગી છે, ત્યારે આ આશંકાઓ સંબંધિત તંત્રો અને મનપાના વિભાગો માટે પણ કલંકરૂપ જ ગણાય છે...?

બીજી તરફ ફૂટપાથો પર પોતાની વેંચાણ કરવાની સામગ્રી, જાહેરાતના બોર્ડ કે ફર્નિચર વિગેરે ગોઠવીને વેપારીઓ વિગેરે દ્વારા થતુ દબાણ પણ રેંકડી, પથારાવાળાના દબાણો જેટલું જ ટ્રાફિક અને જનસુવિધા માટે અવરોધક છે, તે પણ સમજવું પડશે.

જામનગરના ઘણાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બને તેવી રીતે તોતીંગ વાહનો કલાકો સુધી પાર્ક કરવાની સમસ્યા સામે પણ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરવામાં આવે છે.. નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ફરતી ગાડીઓ પૈકીના કેટલાક વાહનોમાંથી રોડ પર ઢોળાતો જતો કચરો અથવા ગંદકી, પાણીના ટેન્કરોના લીકેજ થતા રહેતા નળ, માટી-મોરમ વિગરે બાંધકામ સામગ્રી લઈને જતા વાહનોમાંથી રોડ પર પડતા જતા માટી-મોરમ, કાંકરી વિગેરેના કારણે ઊભા થતા જોખમો સામે પણ આપણે તદ્દન બેદરકાર જ રહીએ છીએ, અને નગરના કેટલાક માર્ગો પર તોતીંગ વાહનોના લાંબા સમય સુધી થતા ખડકલા પણ જનસુવિધા માટે અવરોધક છે, પણ કોઈ કાંઈ બોલતું નથી, અને કોઈ કાંઈ કરતુંય નથી...!!

એક કહેવતને થોડી મોડીફાય કરીએ તો કહી શકાય કે 'દરકાર હટી તો દુર્ઘટના ઘટી' ની નગરથી નેશન સુધી અને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશો સુધી આ જ પ્રકારની "સમાન" માનસિકતા રહેતી હોય, તો તેના મૂળમાંથી જ સુધારો થવો જોઈએ, અને તેના માટે કોઈ મહાન, અહિંસક પરંતુ પરિણામલક્ષી જનક્રાન્તિની રાહ જોવી પડશે, તેવું લાગે છે.

આજે ફરીથી પાકિસ્તાન તરફથી બોર્ડર પર ફાયરીંગ થયુ. યુએનએસસીએ પણ પહલગામ હૂમલાને વખોડ્યો. ઘણાં દેશોએ ભારત પ્રત્યે સમર્થન જાહેર કર્યુ, તેથી અત્યારે પીઓકે પાછુ મેળવવાનો મોકો છે, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યાં છે, અને પહલગામની ઘટના માટે કારણભૂત ગંભીર ક્ષતિઓ, લોલંલોલ અને લાપરવાહીને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છો ત્યારે હવે મોદી સરકાર આ સવાલોના શું જવાબો આપે છે, અને પાકિસ્તાનને કલ્પના ન હોય તેવો પાઠ ક્યારે ભણાવે છે, તે જોવું રહ્યું...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પહલગામની ઘટના આતંકી હુમલો હતો, ઉગ્ર્રવાદી નહીં: અમેરિકાની સરકારે ન્યૂયોર્ક ટાઈમ્સની ઝાટકણી કાઢી.

મુન્દ્રા ડ્રગ્સ કેસના નાણા આતંકીઓને ભંડોળ આપવામાં વપરાયાઃ એનઆઈએનો દાવો.

૫ાણીના મુદ્દે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા...? પાક.ને પાઠ ભણાવો... ઉકળતી જનભાવના...

                                                                                                                                                                                                      

બાબા વેંગાએ સિરિયાના પતન પછી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ જશે, તેવી આગાહી કરી હતી, તેવી જ રીતે નાસ્ત્રેદમસથી લઈને અત્યાર સુધીના ઘણાં ભવિષ્યકારોએ ત્રીજા વિશ્વયુદ્ધની આગાહીઓ કરી છે, અને તેના માટે ભિન્ન-ભિન્ન કારણો આપવામાં આવે છે, અને તેમાં એક કારણ સમાન રહે છે અને તે છે પાણી...

લગભગ તમામ આગાહીકારો અથવા ભવિષ્યવેતાઓ એવું સમાન રીતે માને છે કે, ભવિષ્યમાં શુદ્ધ પાણીની તંગી વધી જશે અને તેને લઈને લોકો વચ્ચે જ નહીં, દુનિયાના કેટલાક દેશો વચ્ચે પણ યુદ્ધો થશે.

ત્રીજા વિશ્વયુદ્ધ માટે મહાસત્તાઓ અથવા શક્તિશાળી દેશો વચ્ચે વર્ચસ્વ અને પ્રતિષ્ઠાનો જંગ, સીમાવિવાદો, દરિયાઈ સીમાઓના વિવાદો, આતંકવાદ અને આર્થિક આધિપત્ય જેવા કારણો વર્ણવાઈ રહ્યાં છે, અને મોટાભાગની ભવિષ્યવાણીઓમાં પાણીના કારણે થનારા યુદ્ધો વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, અને હવે તે ભવિષ્યવાણીઓ કદાચ સાચી પડી જાય, તેવા સંજોગો પણ ઊભા થવા લાગ્યા છે.

પહલગામ હૂમલા પછી ભારતે સિંધુ જળ સમજૂતિ પાકિસ્તાન આતંકવાદને સીમાપારથી ભારતમાં વકરાવવાનું બંધ ન કરે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાની જે જાહેરાત કરી છે, અને ગઈકાલે મળેલી સર્વપક્ષિય બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ ભારત સરકાર પહલગામ હૂમલા પછી તેના પ્રતિકારમાં આતંકવાદ સામે જે કદમ ઉઠાવે, તેના સમર્થનમાં હોવાની જાહેરાત કરી છે, તે પછી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, અને પાકિસ્તાનની ખેતી, સિંચાઈ, વીજ ઉત્પાદન તથા પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓને કેટલી છીન્ન-ભિન્ન થઈ શકે છે, તેના અંદાજો મૂકાવા લાગ્યા છે.

જો ભારત ક્રમશઃ સિંધુ જળ સમજૂતિને રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ કરે, તો તેને પાકિસ્તાન હળવાશથી લેશે નહીં અને ભારતે પાક. વિરોધી કદમો ઉઠાવ્યા પછી પાકિસ્તાને પણ કેટલીક જાહેરાતો કરી છે અને યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે, તે જોતા તો એવું લાગે છે કે, જળસંધિનો મુદ્દો જ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધારવાની બુનિયાદ બની શકે છે, અને તે પછી લિમિટેડ વોર કે પૂર્ણાકક્ષાના યુદ્ધ માટેના અન્ય કારણોનું સંયોજન થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

સાથેસાથે ભારત પીઓકે પાછું મેળવવા માટે પણ પ્રયાસ કરી શકે છે, અને તેમ થાય તો ચીનનો કોરિડોર પ્રોજેક્ટ વધુ ઘોચમાં પડે તેમ હોવાથી ચીન જે ખૂલ્લેઆમ પાકિસ્તાનની તરફેણ કરે, તો ભારતના મિત્ર દેશો તથા ચીન વિરોધી દેશો ભારતની તરફેણમાં આવી શકે છે. આતંકવાદના મુદ્દે પણ વિશ્વની મોટાભાગની શક્તિશાળી સત્તાઓ ભારતની તરફેણમાં છે, તેવામાં ચીન બ્રહ્મપુત્રાનું પાણી અટકાવવાની મેલી મુરાદને આગળ વધારીને નદીઓના જળનો જ હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકે છે...

ટ્રમ્પ ટેરિફ વોર અને વિશ્વમાં ચાલી રહેલા નાના-મોટા યુદ્ધોમાં જો ભારતીય ઉપખંડમાં પણ વિવિધ કારણોસર યુદ્ધની સ્થિતિ ઊભી થાય, અને વૈશ્વિક સમીકરણોમાં ઉલટફેર થાય તો દુનિયા વિશ્વયુદ્ધ તરફ ઝડપથી ઢસેડાઈ શકે છે.

નદીઓ તથા સરોવરોના વિવાદો માત્ર ભારતીય ઉપખંડમાં નથી, પણ દુનિયાભરમાં છે. તે ઉપરાંત અખૂટ ખારૂ પાણી ધરાવતો અખૂટ દરિયાઈ સંપદા અને ઋતુચક્રનું કેન્દ્ર એવો દરિયો પણ હમાણાંથી વિશ્વના જુદા-જુદા દેશોના યુદ્ધનું જળમેદાન બની રહ્યો છે, એવામાં દરિયાઈ સરહદો, જળમાર્ગો અને દરિયાઈ સંપત્તિ પણ વિશ્વના જુદા-જુદા દેશોને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

ભારતમાં પાકિસ્તાન લીગના પ્રસારણ પર પ્રતિબંધ મૂકાયો.

૫હલગામ આતંકી હૂમલામાંથી બોધપાઠ લઈએ... નજર હટી તો દુર્ઘટના ઘટી...!

                                                                                                                                                                                                      

હમણાંથી યુવાનવયે હ્ય્દયરોગથી મૃત્યુના કિસ્સા વધી રહ્યાં છે, તેથી હ્ય્દયરોગને લઈને જનજાગૃતિ ફેલાવાઈ રહી છે, અને કાર્ડિયાક એટેક અથવા હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો (સિમ્ટમ્સ) અથવા સંકેતો મળતા હોય છે, તે અંગે ઝીણવટભર્યુ માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. હ્ય્દયરોગ થતો અટકાવવા અને એટેક આવે ત્યારે તેને બચાવવાના ઉપાયો પણ સમજાવાઈ રહ્યાં છે, એટલું જ નહીં, જેને હાર્ટ એટેક આવ્યો હોય, તેને બચાવવા માટે સીપીઆરની તાલીમ પણ અ૫ાતી હોય છે.

એક વ્યક્તિનો જીવ બચી જાય, તે માટે સંકેતો કે લક્ષણોના આધારે આપણે સાવચેતીના આટલા બધા કદમ ઉઠાવતા હોઈએ, ત્યારે સામૂહિક સુરક્ષા કે સંખ્યાબંધ લોકોની જિંદગી જોખમમાં હોવાના સંકેતો મળે, ત્યારે તો ખૂબ જ ઝડપી અને શ્રેણીબદ્ધ બચાવ અને સુરક્ષાના કદમ તો ઉઠાવવા જ જોઈએ ને...?

પહલગામમાં થયેલા આતંકી હૂમલા પછી આખો દેશ એક જૂથ થઈને દેશના દુશ્મનોના દાંત ખાટા કરવા સરકાર ક્યારે, કેવા અને ક્યા માધ્યમોથી વળતો પ્રહાર થશે, તેની રાહ જોઈ રહ્યો છે અને આ વખતે તો પ્રપંચી પાકિસ્તાનને ઘણું જ મોંઘુ પડે, તેવું કોઈ કદમ સરકાર ઉઠાવશે, તેવી અટકળો પણ થઈ રહી છે, અને તેની સાથેસાથે અતિશય આત્મવિશ્વાસ કે ગાફેલ રહેવું પણ પાલવે તેમ નથી તે પણ હકીકત જ છે ને...?

પાકિસ્તાનના આર્મીચીફે થોડા દિવસો પહેલા કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે, અને તેના માટે તેમનો દેશ કાંઈપણ કરી શકે છે, તેવા મતલબનું કોઈ નિવેદન કે ભાષણ કર્યું હતું અને તે પછી ભારતની ગુપ્તચાર એજન્સીઓએ પણ તાજેતરમાં જ એવી વોર્નિંગ આપી હોવાના અહેવાલો વહેતા થયા છે કે, જેની નોંધ ગંભીરતાથી લેવી જ પડે તેમ હતી. મીડિયા ડિસ્કશન મુજબ કેન્દ્રીય એજન્સીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ ઉનાળામાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત પરિબળો કાંઈક નવાજુની કરી શકે છે. ગુપ્તચાર એજન્સીઓએ એવી ચેતવણી આપી હતી કે, "પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં ઉનાળો ગરમ કરવા માટે તૈયાર છે, હવે એ ચેતવણી ખરી ઠરી છે અને પાક. સૈન્યના જનરલ મુનિરના વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષણ પછી થયેલો આતંકી હૂમલો ઘણુ બધું કહી જાય છે.

આ આતંકી હૂમલો માત્ર ઉશ્કેરણી કે ગૂમરાહ થયેલા યુવકોનું જઘન્ય કૃત્ય જ નથી, પરંતુ ઘણાં જ પ્લાનીંગ સાથે ભારત પર બહુહેતુક પ્રહાર કરવાનું ષડયંત્ર છે. આ આતંકી હૂમલામાં આતંકીઓને પીઠબળ પૂરૃં પાડનાર પાક.ની સેના તથા આઈએસઆઈના ઘણાં મિલન ઈરાદાઓ હોવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમ વધ્યુ અને ત્યાંના તમામ લોકોને શાંતિ તથા વિકાસ ગમવા લાગ્યો, તેવા સંજોગોમાં ટુરિઝમ ડેવલપમેન્ટ પર પ્રહાર કરીને તથા પર્યટકોમાં ખોફ ફેલાવીને ભારતને આર્થિક નુકસાન પહોંચાડવા તથા જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ છીન્ન-ભીન્ન કરવાનું આ ઉંડુ કાવતરૂ હોવું જોઈએ, ખરૃં ને...?

ભારતમાં મુસ્લિમો સલામત નથી, તેવો "હાઉ" ફેલાવીને દેશમાં હિન્દુ-મુસ્લિમ દંગાઓ - કોમી તોફાનો કરાવવા અને ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી કરવાનું આ ષડયંત્ર હોઈ શકે છે, પરંતુ ભારતમાં દેશભરના મુસ્લિમો તથા રાજકીય પક્ષોએ જે રીતે પહલગામના આતંકી હૂમલાને વખોડવાની સાથેસાથે જે રીતે પાકિસ્તાનને આડે હાથ લીધુ છે, તે જોતા "નાપાક" ષડયંત્રકારોને એ જવાબ તો મળી જ ગયો હશે કે ઘર આંગણે ગમે તેટલા મતભેદો હોય, પરંતુ જ્યારે દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે ભારત એક અને અતૂટ છે. ભારતના સાર્વભૌમત્વ, ગૌરવ કે સ્થિરતાને હાનિ પહોંચાડવી એટલી સરળ નથી...! મીડિયા અને અખબારોમાં છેલ્લા દસ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલી આતંકી ઘટનાઓનું વર્ણન આવી રહ્યું છે તે શું સૂચવે છે...?

આમ છતાં, આપણે હવે વધુ સાવધ અને સજ્જ પણ રહેવું પડશે. જમ્મુ-કાશ્મીરની હોટેલોની એપ્રિલના પહેલા અઠવાડિયામાં રેકી થઈ હોય, પાક. સેનાના વડાએ ભારત વિરોધી તેજાબી ભાષણ આપ્યુ હોય, ગુપ્તચર એજન્સીઓએ પણ પાકિસ્તાન ઉનાળો ગરમ કરવાની તૈયારીમાં હોવાના ઈનપુટ આપ્યા હોય, ત્યારે આ સંકેતો (સિમ્ટમ્સ) મોટી આતંકી ઘટનાની તૈયારીની હતા, તે હકીકત ગંભીરતાથી લેવાની જરૂર હતી અને જમ્મુ-કાશ્મીરના તમામ પર્યટન સ્થળોનો વધુ સઘન સુરક્ષાનું કવચ આપવાની જરૂર હતી. ખેર, હવે જાગ્યા ત્યારથી સવાર...

બીજી તરફ ગુપ્તચર એજન્સીઓ પણ કેટલાક મુદ્દે અંધારામાં રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે, જેવી રીતે કોઈ સ્થળે બોમ્બ હોવાની સાચી-ખોટી ધમકી મળે ત્યારે તે કોઈપણ માધ્યમથી અપાઈ હોય, તો પણ તેની ગંભીરતાથી તપાસ કરીને તત્કાળ એકશન લેવાતા હોય છે, તેટલું જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ સતર્કતા ગુપ્તચર સંસ્થાની ચેતવણીઓ કે પડોશી દેશમાં થતી શંકાસપદ હિલચાલ પછી રાખવી જ જોઈએ, તેટલો નક્કર બોધપાઠ તો પહલગામના આતંકી હૂમલાએ આપણને સૌને આપ્યો જ છે... નજર હટી, તો દુર્ઘટના ઘટી...!

પહેલી પ્રતિક્રિયામાં જ ભારતે અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવા, સિંધુ જળ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વીઝા રદ્દ, ભારતમાં પાકિસ્તાનનું ઉચ્ચાયુક્ત બંધ અને ઉચ્ચાયુક્તોની સંખ્યા ઘટાડવાના નિર્ણયો પછી પાકિસ્તાનમાં હલચલ વધી છે, જોઈએ, હવે શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માનવતા વિરોધી આતંકી હૂમલા સામે આખો દેશ આક્રોશમાં... પોકળ દાવા નહીં, નક્કર કદમની માંગ...

                                                                                                                                                                                                      

ઘણાં વર્ષો પછી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર નિર્મમ અને અમાનવીય હૂમલો કરીને એક વખત ફરીથી પોત પ્રકાશ્યુ છે. આ હૂમલાના કારણે વિશ્વભરમાં ભારતમાં થયેલા આ આતંકી હૂમલાના ઘણાં જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને સુરક્ષા વ્યવસ્થાઓ અને ગુપ્તચર તંત્રો સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે.

આ આતંકી હૂમલાની તત્કાળ તપાસ એનઆઈએની ટીમે શરૃ કરી, ગઈ રાત્રે જ દેશના ગૃહમંત્રી અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દોડી ગયા, અને રાત્રે જ મેરેથોન બેઠકો શરૃ કરી હતી, અને આ કાયરતાપૂર્ણ હૂમલાના દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં તો નહીં જ આવે, પરંતુ તેના સીમાપારના માસ્ટર માઈન્ડ કે પડોશી દેશની સંડોવણી પુરવાર થયે આ નિર્દોષ લોકોના હત્યાકાંડનો બદલો લેવામાં આવશે, તેવો રણટંકાર પણ ગત્ રાત્રે જ સંભળાવા લાગ્યો હતો.

આ હૂમલા પછી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને રાજયપાલ સહિતના નેતાઓએ તો સામૂહિક સ્વરે આ હૂમલાને વખોડી જ કાઢ્યો હતો, તે ઉપરાંત આ હૂમલા પછી તરત જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેજરીવાલ, ગુલામનબી આઝાદ, ઈલ્તિની મૂફતી, અસદુદ્દીન ઓવૈસી, એસ. જયશંકર તથા શાસક અને વિપક્ષના તમામ નેતાઓએ એક સૂરે આ હૂમલાને વખોડ્યો અને આ હૂમલા સામે આખો દેશ એક જૂથ છે, તેવો જે મક્કમ રણકાર કર્યો, તે આપણા દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓની ખૂબી પણ છે અને ખૂબસુરતી પણ છે.

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી હતી, અને દેશ-વિદેશથી પ્રવાસીઓ નિડરતાથી પુથ્વી પરના સ્વર્ગસમા જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવા લાગ્યા હતાં, ત્યારે જ થયેલા આ હૂમલાએ એ પણ પુરવાર કર્યુ છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ નેસ્તનાબુદ થયો નથી અને પાકિસ્તાન સ્થિત ભારતના દુશ્મનોના ષડયંત્રો હજુ પણ એટલા જ સક્રિય છે, અને આપણે હજુ પણ અતિ આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી.

જમ્મુ-કાશ્મીરના સ્થાનિકો આ હૂમલા સામે આક્રોશમાં હશે, કારણ કે જ્યારે અમરનાથ યાત્રા શરૃ થવાની હતી, તેવા સમયે જ આ આતંકી હૂમલાએ ત્યાંના સ્થાનિક લોકોની રોજગારી પર પણ પ્રહાર કર્યો છે. બીજી તરફ આતંકવાદીઓના મદદગારો (સ્લીપર સેલ્સ) હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં જ મોજુદ છે, અને સીમાપારથી આવતા આતંકીઓ તથા શસ્ત્રસરંજામને લોજિસ્ટિક સપોર્ટ પણ મળી જ રહ્યો છે. આ કારણે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરની રાજય સરકારે પણ વધુ સતર્ક થવાની જરૃર છે, અને આ આતંકી પ્રવૃત્તિઓ પુનઃ પહેલાની જેમ સર્વવ્યાપી ન બની જાય, તેની તકેદારી પણ રાખવી જ પડશે.

આ આતંકી હૂમલાના કારણે વિદેશપ્રવાસ અધૂરો છોડીને પરત સ્વદેશ આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મેરેથોન બેઠકો બોલાવવાનું શરૃ કર્યુ છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર આ કાયરતાપૂર્ણ હૂમલો કરનારા દોષિતોની સાથેસાથે સીમાપારથી હૂમલાઓ કરાવતા આતંકી સંગઠનોની ઓળખ કરીને પડોશી દેશની આઈએસઆઈ જેવી જાસૂસી સંસ્થા અને સૈન્યના ભારત વિરોધી પરિબળો સામે પણ નક્કર કદમ ઉઠાવશે અને આપણા દેશમાં આતંકી હૂમલો કરીને સંખ્યાબંધ નિર્દોષોનો જીવ લેનાર તથા તેને મદદ કરનાર સ્થાનિક સ્લીપર સેલ્સને ઝડપી લેશે તેવી આશા દેશવાસીઓ સેવી રહ્યાં છે.

અમેરિકા-રશિયા-યુએઈ-ઈરાનથી માંડીને બ્રિટન, ફ્રાન્સ, જાપાન સહિતના દેશોમાંથી આ આતંકી હૂમલા સામે જે આક્રોશ પડઘાયો અને દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતની પડખે હોવાની જાહેરાતો કરી, તે જોતા આ હૂમલા પછી હવે વૈશ્વિક કક્ષાએ પણ ભારત પર થતા સીમાપારના આતંકવાદના કારણે પાકિસ્તાન પર તડાપીટ બોલવાની છે, તે નક્કી છે.

વિપક્ષોએ એકજૂથ થઈને જે રીતે આ આતંકી હૂમલાને વખોડ્યો છે, તે જોતા આ મુદ્દો રાજકીય રૃપ ધારણ નહીં કરે, પરંતુ દેશવાસીઓના પ્રત્યાઘાતોનું તારણ એવું પણ નીકળે છે કે, આતંકવાદને નેસ્તનાબુદ કરવાના માત્ર પોકળ દાવાઓ હવે નહીં જ ચાલે, હવે સીમાપારના આતંકવાદને અટકાવવા નિર્ણાયક અને સાહસિક કદમ ઉઠાવવાનો સમય પાકી ગયો છે. આ આતંકી હૂમલા પછી હવે ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અથવા પીઓકે પાછું મેળવવા માટે નિર્ણયાક "સૈન્ય કદમ" ઉઠાવાશે એવી અટકળો પણ થવા લાગી છે, જ્યારે પીઓકેની સાથેસાથે પાકિસ્તાનથી છૂટા પડવા માંગતા બ્લુચિસ્તાન અને સિંધ જેવા પ્રદેશોને પણ ભારતનો રણનૈતિક કે કૂટનૈતિક ટેકો મળશે, તેવો આશાવાદ પણ જાગ્યો છે. આ માટે પહેલા બાંગ્લાદેશનો ઈશ્યૂ પણ ઉકેલવો પડે તેમ છે. આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા પર્યટકોના પરિવારોને ઈશ્વર હિંમત આપે, તેવી પ્રાર્થના સાથે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંસદ સર્વો૫રિ કે સુપ્રિમકોર્ટ...? આઝાદી પછી વખતો વખત ચર્ચાતો મુદ્દો

                                                                                                                                                                                                      

ગુજરાતમાં કાંઈક નવું થવાનું છે અને ભાજપ, આમઆદમી પાર્ટી તથા કોંગ્રેસમાં આંતરિક હિલચાલ તેજ બની છે, તેવી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ દૂબે એ દબદબો વધારવા દમદાર નિવેદનો કર્યા હોવાના દિગ્વિજયસિંહના આક્ષેપો પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓનો મુદ્દો પણ આજે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.

ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક અને દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ પ્રમુખની નિમણૂક તા. ર૦-એપ્રિલ પછી ગમે ત્યારે થઈ શકે છે, તેવી અટકળો પહેલેથી જ થઈ રહી હતી, અને આ નિમણૂકોને પછી ગુજરાતમાં પ્રદેશ ભાજપની ટીમ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના તમામ હોદ્દેદારોમાં મોટા પાયે ફેરબદલ થશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બન્ને મુખ્ય હોદ્દાઓ માટે દાવેદારોના નામોને લઈને પણ અટકળોનું બજાર ગરમ હતું.

બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની બે ખાલી બેઠકોની પેટાચૂંટણી જાહેર થયા પછી આમઆદમી પાર્ટીમાં હલચલ તેજ બની હતી અને હવે આમઆદમી પાર્ટી પણ અત્યારથી જ ગુજરાતમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે બેઠકવાર પ્રભારીઓ નક્કી કરી રહી હોવાના અહેવાલો છે.

બીજી તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજયા પછી ગુજરાતમાં કોંગ્રેસ પણ વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીના સેમિફાયનલની જેમ ગણીને ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી પૂરી તાકાતથી લડશે, તેવા સંકેતો મળી રહ્યાં છે, ત્યારે વર્ષ-ર૦ર૭ ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થાય કે, બહુપાંખિયો જંગ ખેલાય, તો કોને ફાયદો થાય...? તેના ગણિત પણ અત્યારથી જ મંડાઈ રહ્યાં છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કરેલા કેટલાક નિવેદનોને લઈને એનડીએના નેતાઓ ઉકળી ઉઠ્યા છે, અને આકરા પ્રત્યાઘાતો આપી રહ્યાં છે.

ભારતના ચૂંટણીપંચ પર થયેલા આક્ષેપો અને ચૂંટણીપંચની વિશ્વસનિયતા તથા તટસ્થતા સામે ઉઠાવેલા સવાલોને લઈને પ્રમોદ તિવારી કહે છે કે, રાહુલ ગાંધીએ રજૂ કરેલા તથ્યોને ગંભીરતાથી લઈને ચૂંટણીપંચે વલણ બદલવું જોઈએ...?

એનડીએના નેતાઓ કહે છે કે, વિદેશની ધરતી પર જઈને ભારતીય બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાના બદલે રાહુલ ગાંધીએ કાંઈ વાંધો કે ફરિયાદ હોય તો દેશની સુપ્રિમ કોર્ટમાં જવું જોઈએ. બીજી તરફ મુર્શીદાબાદ કેસ અને પશ્ચિમ બંગાળના મુદ્દે થતી સુનાવણી દરમિયાન ખુદ સુપ્રિમકોર્ટે કટાક્ષ કર્યો છે કે, અમારા પર સંવૈધાનિક મર્યાદાઓ ઓળંગી જવાની આક્ષેપબાજી થઈ રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાનો આદેશ કેવી રીતે આપી શકીએ...?

મૂળ વિવાદ નિશિકાંત દુબેએ તાજેતરના સુપ્રિમકોર્ટમાં વકફ બિલના મુદ્દે થયેલી સુનાવણી પછી સુપ્રિમકોર્ટ પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી ઊભો થયો હતો, અને ભાજપના આ બોલ સાંસદના નિવેદન સાથે ભાજપ સહમત નથી, અને તે તેના અંગત નિવેદનો છે, તેવી ચોખવટ ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરવી પડી હતી. તે પછી કોંગી નેતા દિગ્વિજયસિંહે નિશિકાંત દૂબે (મોદીની ગુડબૂકમાં આવીને) મંત્રી બનવા માંગતા હોવાનું નિવેદન કર્યુ હતું. તે પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓ અંગેની ચર્ચા ટોક ઓફ ધી નેશન બની ગઈ હતી.

સંસદ સર્વોપરિ કે સુપ્રિમકોર્ટ...? એવો સવાલ આ પહેલા ભૂતકાળમાં પણ ઘણી વખત અને લાંબાગાળા માટે ચર્ચાયો હતો. ખાસ કરીને અલ્હાબાદ હાઈકોર્ટના એક ચૂકાદા પછીનો ઘટનાક્રમ, કટોકટીકાળ અને તે પછી મોરારજી દેસાઈના શાસન સમયે શાહ કમિશનની નિમણૂક, તે પછી શાહબાનું કેસમાં સંસદ અને સુપ્રિમકોર્ટનો ઘટનાક્રમ, અયોધ્યા કેસ, તાજેતરના ઈલેકશન બોન્ડનો કેસ અને હવે રાજયપાલ-રાષ્ટ્રપતિની સત્તામર્યાદાઓ અંગે સુપ્રિમકોર્ટના આદેશો તથા સંસદે પસાર કરેલા અને રાષ્ટ્રપતિએ મંજૂર કરેલા વકફ બિલને લઈને એ જ સવાલ ફરીથી ઉઠવા લાગ્યો છે કે આપણા દેશના બંધારણ મુજબ સંસદે ઘડેલા કાયદાને ધરમૂળથી રદ્દ કરવાની સત્તા સુપ્રિમકોર્ટ પાસે છે ખરી...?

આ બંધારણીય પ્રશ્ને બંધારણીય નિષ્ણાતોના અભિપ્રાયો વહેંચાયેલા છે. કેટલાક તદ્વિષયક તજજ્ઞો અને વિખ્યાત ધારાશાસ્ત્રીઓ તો વિવિધ રાજકીય વિચારધારા કે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે, તેથી તેઓના અભિપ્રાયો તો રાજકીય દૃષ્ટિકોણ મુજબના જ હોય, અને સ્વાભાવિક છે, પરંતુ બિનરાજકીય નિષ્ણાતો, રાજકીય ક્ષેત્રના તજજ્ઞો, મીડિયામેનો અને બંધારણીય - કાનૂની નિષ્ણાતોના અભિપ્રાયો પણ આ મુદ્દે વહેંચાયેલા છે, તેથી હવે સુપ્રિમકોર્ટમાં હવે પછી થનારી સુનાવણીઓ પછી જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

સુપ્રિમકોર્ટને બંધારણે ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોના રક્ષણની જવાબદારી સોંપી છે, તેવી જ રીતે ન્યાયતંત્ર, ધારાગૃહો એટલે કે સંસદ તેના હેઠળ સરકાર તથા વિપક્ષો અને વહીવટીતંત્રની વચ્ચે સુદૃઢ સંકલન રહે અને લોકશાહીના આ ત્રણેય ઘટકો એકબીજાના કાર્યક્ષેત્ર કે સત્તાઓ પર અતિક્રમણ ન કરે, એકબીજાના નિર્ણયોનું સન્માન કરે અને વિવાદાસ્પદ કે મતમતાંતર ધરાવતા મુદ્દાઓ ઘર્ષણમાં ઉતરીને નહીં, પણ પરસ્પર મંત્રણા કરીને કે મર્યાદામાં રહીને ઉકેલે તેવી વિભાવના પણ બંધારણ નિર્માતાઓની રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દાહોદના એનટીપીસી સોલાર પ્લાન્ટમાં ભયાનક આગથી ૪૦૦ કરોડ રૂપિયાનો સામાન બળીને ખાખ.

ફાયર સેફ્ટી સિસ્ટમ અદ્યતન કરીને આગ-અકસ્માતો માટે નક્કર પોલિસી બનાવો... 'વન સ્ટેટ, ફાયર સર્વિસ'નો કોન્સેપ્ટ

'ગાડીવાલા આયા, ઘર સે કચરા નિકાલ' જેવા સંગીતમય ગીતવાદન સાથે દરરોજ જુદા જુદા સમયે જામનગરમાં ડોર-ટુ-ડોર એકત્રિત કરતી કચરાની ગાડીઓ છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં પહોંચી નહીં હોવાના અહેવાલો પછી ગઈકાલે સાંજથી આ વ્યવસ્થા પૂર્વવત થઈ હોવાના પ્રતિભાવો પણ સાંપડ્યા હતાં અને ગૃહિણીઓએ એકત્રિત કરેલા કચરાનો નિકાલ થયો હતો. આ અનિયમિતતાનું કારણ જે હોય તે ખરૂ, પરંતુ હાપા પાસે જામનગર મહાનગરપાલિકાની કચરાનું વહન કરતી આઠ જેટલી ગાડીઓ સળગી ગઈ હોવાના અહેવાલો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા હતાં અને હાલાર સહિત રાજ્ય અને દેશમાં વિવિધ સ્થળે બનેલી આગ-અકસ્માતની દુર્ઘટનાઓને સાંકળીને ફાયર સેફેટીનો મુદ્દો પણ ફરીથી રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

સામાન્યરીતે ઉનાળામાં આગની દુર્ઘટનાઓ વધી જતી હોય છે અને જંગલોમાં આગ લાગતી હોય, તેવી જ રીતે કચરાના ઢગલા કે ઘાસના સંગ્રહસ્થાનો પણ સળગી ઊઠતા હોય છે. તે ઉપરાંત વીજ ઉપકરણો પર દબાણ વધી જતા શોટસરકીટની દુર્ઘટનાઓ પણ વધી જતી હોય છે.

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ ગુજરાત સહિત દેશમાં કેટલીક આગની દુર્ઘટનાઓ ગમખ્વાર બની હતી અને મોટું નુક્સાન પણ નોંધાયું હતું. રહેણાંક વિસ્તારો ઉપરાંત ગોડાઉનો અને વ્યાપાર-ઉદ્યોગના સ્થળો તેમજ સંલગ્ન વાહનોમાં પણ આગ લાગી જતા સંબંધિત વિસ્તારોમાં અફરાતફરી મચી જતી હોય છે. ઘણાં એપાર્ટમેન્ટના ઉપરના હાઈરાઈઝ ફ્લેટોમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી ઘણી જ અઘરી પડતી હોય છે. તેવી જ રીતે સાંકડી ગલીઓ ધરાવતા ગીચ વિસ્તારો અને ઝુંપડપટ્ટીઓમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી અઘરી પડતી હોય છે.

તક્ષશીલા અને ટીઆરપી ગેઈમ ઝોન જેવી ગુજરાતની ગમખ્વાર દુર્ઘટનાઓને ભ્રષ્ટ તથા લાપરવાહ તંત્રો, મિલિભગત ધરાવતા નેતાઓ અને સ્થાનિક જાગૃતિના અભાવના કારણે થતા મોટા અગ્નિકાંડો, મગફળીના ગોડાઉનોના આગ કૌભાંડો તથા ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાઓના અભાવે સર્જાતા અગ્નિકાંડોને લઈને પણ કોઈ ચોક્કસ નીતિ-નિયમો તથા જનજાગૃતિની જરૂર છે, તેમ નથી લાગતું?

મીડિયા અહેવાલો મુજબ ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિએ આગની દુર્ઘટનાઓ રોકવા અંગે કોઈ નક્કર પોલિસી હોવાની જરૂર જણાવી છે. આ સમિતિએ 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન'ના અમલ અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને રાજ્યમાં બનતી આગની દુર્ઘટનાઓના મૂળમાં જઈને પ્રિવેન્ટીવ અને અવેરનેશના કદમ ઊઠાવવાનો મુદ્દો પણ ગંભીરતાપૂર્વક ચર્ચાયો હતો.

આ બેઠકમાં ઉપયોગી સૂચનો પણ થયા હતાં અને 'વન સ્ટેટ, વન ફાયર સર્વિસ'ની વ્યવસ્થા કરીને અગ્નિકાંડો અને આગ-અકસ્માતોમાં થતી જાનહાનિ અટકાવવાનું સૂચન પણ પ્રસ્તુત થયું હતું.

આ બેઠકમાં મહાનગરો જ નહીં, પણ નાના શહેરોની નગરપાલિકાઓમાં પણ ફાયરબ્રિગેડની વ્યવસ્થાઓ વધુ સુદૃઢ અને વ્યાપક બનાવવાની જરૂર જણાવાઈ હતી. વધતી જતી વસતિ વિસ્તરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રક્રિયાના કારણે જોખમો પણ વધી રહેલા હોવાથી હવે ફાયરસેફ્ટીની જુની-પુરાણી સિસ્ટમ ચાલે તેમ નથી, અને નાના શહેરો સુધી અગ્નિશામક વ્યવસ્થાઓ ઊભી કરીને અને તેનું સતત નિરીક્ષણ તથા પરીક્ષણ કરીને સજ્જ રાખવા પર ભાર મૂકાયો, તેની નોંધ સરકારે તથા સંબંધિત તંત્રોએ પણ લેવી જ પડે તેમ છે. અગ્નિશમન માટે બહુમાળી બિલ્ડીંગો તથા સોસાયટીઓમાં રિઝર્વ જળસંગ્રહ કાયમી ધોરણે ઉપલબ્ધ રહે તે માટે પાણીની અલાયદી મોટી ટાંકીઓ બનાવીને તેમાં નિયમિત પાણી ભરેલુ રાખવાનું સૂચન પણ નોંધનિય છે અને તેની નોંધ તો રિયલ એસ્ટેટ, બિલ્ડર્સ, ડેવલપર્સ અને સ્થાનિક તંત્રો-મંજુરી આપતા સત્તાધીશોએ પણ લેવી જ જોઈએ.

રાજ્યવ્યાપી એક ફાયરસેફ્ટી પોલિસી ઘડીને તેમાં મેટ્રોપોલિટન મેગા સિટીઝ, મધ્યમ કક્ષાના મોટા શહેરો, નાના શહેરો, મોટા ગામો, નાના ગામડાઓ તથા ઝુંપડપટ્ટી વિસ્તારોનું વર્ગિકરણ સામેલ રાખવું જોઈએ અને તે માટે રાજ્યવ્યાપી સર્વે કરાવવું જોઈએ. તે ઉપરાંત એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ્સ, જુના મકાનો, નવા બાંધકામો, ગીચ વિસ્તારો, કોમર્શિયલ વિસ્તારો, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંકુલો ધરાવતા વિસ્તારો, માર્ગો-ધોરીમાર્ગો તથા વિસ્ફોટક કે જવલનશીલ પદાર્થોનું વહન કે સંગ્રહ થતું હોય તેવા સ્થળો, વગેરેનો પ્રતિવર્ષ સર્વે કરીને તે મુજબની ફાયર સેફ્ટીની એડવાન્સ વ્યવસ્થાઓ તથા આગ લાગ્યા પછી ત્વરીત ત્યાં પહોંચીને અગ્નિશમન-આગ બુઝાવવાની અલગ-અલગ સિસ્ટમો ગોઠવીને તેને અપગ્રેડ કરતા રહેવું જોઈએ.

ખૂબ જ ગીચ વિસ્તારો, સાંકડી ગલીઓ કે અટપટા માર્ગો ધરાવતી વસાહતોમાં આગ લાગે તો ત્યાં મોટી અગ્નિશામક ગાડીઓ પહોંચી જ ન શકે તેમ હોય, ત્યારે વૈકલ્પિક કેવી કેવી વ્યવસ્થાઓ થઈ શકે અને આ પ્રકારના સ્થળો માટે વધુ ક્ષમતા, અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણો સાથે લાંબી પાઈપોની વ્યવસ્થા વિગેરે સૂચનો પણ થઈ રહ્યા છે. તે ઉપરાંત સાંકડા, ગીચ અને અટપટા કે દુર્ગમ વિસ્તારો, પહાડી વિસ્તારો અને વનિકરણ કરાયેલા વિસ્તારો, વિવિધ મોટા ગોડાઉનો, બંદરોના ગોડાઉનો વગેરેની નજીક જ મોટી ભૂગર્ભ કે જમીન પરની ટાંકીઓમાં આગ ઠારવા માટે કેટલોક જળરાશિ સંગ્રહીત કરીને રાખવામાં આવે, તો આગ લાગતા જ તરત જ તેને ઠારી નાખીને મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય, ખાસ કરીને ગીચ અને સાંકડા રસ્તાવાળા વિસ્તારો માટે તો કોઈ નક્કર પોલિસી તો ઘડાવી જ દોઈએ ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં કોંગ્રેસનો નવતર પ્રયોગ... ગઠબંધન, ઠગબંધન, જનબંધનની ચર્ચા...

                                                                                                                                                                                                      

ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશન યોજીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે એડીચોટીનું જોર લગાવીને મોદી-શાહના ગૃહરાજ્યમાંથી જ મક્કમ લડત આપવાની નીતિ અખત્યાર કરી છે, તેવા સમયે જ વિધાનસભાની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે. આ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી - ત્રણેય માટે લીટમસ ટેસ્ટ પુરવાર થનાર છે, કારણ કે, વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ થશે એ સુનિશ્ચિત થઈ ગયું છે.

રાષ્ટ્રીયકક્ષાએ ઈન્ડિયા ગઠબંધનમાં સાથે હોવા છતાં આમઆદમી પાર્ટીએ કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વિના જ વિસાવદરમાંથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ ફાળવી દેતા કોંગ્રેસ માટે અન્ય વિકલ્પ જ નહોતો, એટલું જ નહીં, હરિયાણામાં પણ આમઆદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને ભાજપને જીતાડવાનો માર્ગ સરળ કરી દીધો હતો, તેથી આમઆદમી પાર્ટી સાથે રાજયમાં ગઠબંધન નહીં, પણ કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાની રણનીતિ કોંગ્રેસે અખત્યાર કરી હોય, તેમ જણાય છે.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પછી વિસાવદરની બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું અને કેશુભાઈનો પુત્ર પણ સફળ થયો નહીં. વર્ષ-ર૦રર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના હર્ષદ રિબડીયા અને કોંગ્રેસના કરસનભાઈ વડોદરીયાને હરાવીને આમઆદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતી ગયા હતાં. પરંતુ પછી તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતું, અને વિસાવદરની બેઠક ખાલી પડી હતી.

બીજી તરફ હર્ષદ રિબડિયાએ ભૂપત ભાયાણીએ ઈલેકશન ફોર્મમાં કેટલીક હકીકતો ખોટી બતાવી હોવાના આક્ષેપ સાથે પીટીશન દાખલ કરી દેતા સબ જ્યુડિસ કેસ હોવાથી આ બેઠક પર ચૂંટણી યોજાઈ નહોતી, પરંતુ પાછળથી રિબડિયાએ પીટીશન પાછી ખેંચી લેતા હવે વિસાવદર બેઠકની પેટાચૂંટણી થવાની છે, જ્યારે કડીમાં ત્યાંના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનુું નિધન થવાથી પેટા ચૂંટણી યોજાવાની છે.

રાજકીય વિશ્લેષકો વિસાવદરની પેટા ચૂંટણી અંગે હજુ પણ કોઈ સ્પષ્ટ તારણ પર આવી શક્યા નથી. આપઆદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સામે કોંગ્રેસ જો પરેશ ધાનાણી જેવા કોઈપણ દિગ્ગજ પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતારે તો કોંગ્રેસ માટે સંજોગો ઉજળા છે, અને ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે મતો વહેંચાઈ જાય તો ઈટાલીયાનો માર્ગ સરળ થઈ જાય, તેવા તારણો નીકળી રહ્યા છે.

આ પેટા ચૂંટણીઓનું પરિણામ જે આવે તે ખરૃં, પરંતુ વિસાવદરની બેઠક પર તો હાઈ પ્રોફાઈલ જંગ થવાનો જ છે, કારણ કે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાંથી શરૂ કરાયેલા નવતર પ્રયોગ પછી કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ છે અને કોઈપણ કચાશ પાલવે તેમ નથી. ગુજરાતમાં અધિવેશન યોજ્યા પછી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો તથા નવા-જુના નેતાઓમાં જે જુસ્સાનો સંચાર થયો હતો, જે જાળવી રાખવો પણ જરૂરી છે. જો આ બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીતી શકે, તો વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમબેક કરી પણ શકે.

એક એવી વાત પણ થઈ રહી છે કે ગોપાલ ઈટાલિયાનો વિસાવદર બેઠક પર હોલ્ટ સારો છે. આ મતવિસ્તારમાં ગોપાલ ઈટાલિયાએ આમઆદમી પાર્ટી માટે ઘણું ખેડાણ કર્યુ છે, અને તેની લોકપ્રિયતા પણ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર મનાય છે. આ કારણે જ તેમનો ગઠબંધન નહીં પણ "જનબંધન" નો કોન્સેપ્ટ રજૂ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાની ચર્ચા છે.

ગઠબંધન ભલે ન થયું, પરંતુ વિસાવદર વિસ્તાર પૂરતુ "જનબંધન" કરીને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને જનતાનો વિજય સુનિશ્ચિત કરે, તેવી આ "વિડીયો ગુગલી" પણ ચર્ચાનો વિષય બની છે.

આ પહેલા કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય, તેવી શક્યતાઓ હતી ત્યારે તેની ટીકા પણ થઈ હતી અને કોંગ્રેસ તથા 'આપ' ના નેતાઓએ લાંબા સયમ સુધી મગનું નામ મરી પાડયુ નહોતું, પરંતુ 'આપ' દ્વારા એક તરફી રીતે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરીને ભાજપને હરાવવા કોંગ્રેસ સમર્થન આપશે, તેવી આશા રાખી હશે અથવા એકલા હાથે લડી લેવાની રણનીતિ અપનાવી હશે, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના પ્રવક્તાઓ વિપક્ષના ગઠબંધનને ઠગબંધન કહેતા હોવાથી ગઠબંધન અને ઠગબંધન વચ્ચે ઈટાલિયાએ જનબંધનનો પાસો ફેંક્યો છે, ત્યારે હવે ત્રિપાંખિયો જંગ ઘણો જ રસપ્રદ બનશે, તે નક્કી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભેેંસ ભાગોળે... છાશ છાગોળે અને ઘેર ધમાધમ.... જોસેફ ગોબેલ્સની સ્મૃતિઓ તાજી થઈ...!

ગુજરાતીમાં એક તળપદી કહેવત છે કે, ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ...

આ કહેવત એક લોકવાર્તા પરથી પડી છે. એ વાર્તા તો લાંબી છે, પરંતુ સંક્ષિપ્તમાં વર્ણવીએ તો એક ગામના પાદરે ભેંસ વેચાવા આવી. દુઝણી ભેંસ વેંચાતી લેવા એક દંપતીએ વિચાર્યુ અને પતિ-પત્ની વચ્ચે ચર્ચા થઈ - ભેંસ દૂધ આપશે, તેમાંથી માખણ, ઘી અને છાશ બનશે. ઘરવપરાશ ઉપરાંતના દૂધ-ઘી વેંચાશે, જેમાંથી આવક વધશે, અને છાશ નજીકના સગા-સંબંધીઓને નિઃશુલ્ક સેવાભાવનાથી આપવાની વાત પણ થઈ...

આજે તો પીવાનું શુદ્ધ પાણી પણ મફત નથી મળતું, પરંતુ થોડા દાયકાઓ પહેલાના સમયગાળા સુધી ગામડાઓમાં દહીં વલોવીને માખણ કાઢયા પછી છાશ પોતાના ઘર માટે ઉપયોગી હોય તેટલી રાખીને બાકીની નજીકના સગા-સંબંધીકે ગરીબોને નિઃશુલ્ક આપી દેવામાં આવતી હતી. કદાચ કેટલાક ગામડાઓમાં આજે પણ આ પરંપરા નિભાવાઈ રહી હશે.

આ કહાનીમાંથી ઉક્ત કહેવત પ્રગટી છે. ભેંસ ભાગોળે છે, છાશ છાગોળે, એટલે કે, હજુ વલોણુ ચલાવવાની કલ્પના જ કરી છે, ત્યાં છાશ કોને-કોને નિઃશુલ્ક આપવી, તે મુદ્દે દંપતી વચ્ચે તકરાર થાય છે. આ તકરાર ઠંડી પાડવા પડોશી વડીલો આવે છે અને તકરાર સાંભળીને કહે છે કે, પહેલા ભેંસ ખરીદવાની જોગવાઈઓ તો કરો.... ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ... જેવું કાલ્પનિક અને અણધાર્યુ અને અણધડ વર્તન કેમ કરો છો...?

આજે નગરથી નેશન સુધી અને ગામડાથી ગ્લોબ સુધી આ પ્રકારની ઘણી ઘટનાઓ ચર્ચાસ્પદ બનતી હોય છે. કેટલાક વિકાસ પ્રોજેક્ટોને લઈને પણ કાંઈક એવું જ બનતું હોય છે.

જામનગરની વાત કરીએ તો જામનગરથી રંગમતી નદી ઉંડી-પહોળી કરવાનું કામ શરૂ થયું છે, અને તેથી નદીની જળસંગ્રહ ક્ષમતા પણ વધશે અને ભૂગર્ભ જળ સ્થિતિ સુધરશે, ગેરકાયદે બાંધકામો થતા અટકશે અને નદી લુપ્ત થતી અટકશે, એ તમામ પ્રકારના દાવાઓ ગળે ઉતરે તેવા છે. આ સ્થળની મુલાકાતે પણ (અલગ-અલગ સમયે) જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ગયા અને તેની વ્યાપક પ્રસિદ્ધિ પણ થઈ, તે આપણી સામે જ છે.

રંગમતી નદીને પહોળી અને ઉંડી ઉતારવાનું કામ રીવરફ્રન્ટના રૂ.  પ૦૦ કરોડના સુચિત પ્રોજેક્ટના ભાગરૂપે થઈ રહ્યું હોવાનું જાહેર કરાયુ અને અત્યારનું ચાલી રહેલું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટનો જ ભાગ હોય છે, તેવો આભાસ ઊભો થયો (અથવા કરાયો).

તે પછી હવે એવા અહેવાલો પણ આવ્યા કે, રંગમતી નદીને ઉંડી ઉતારવાનું તથા પહોળી કરવાનું કામ તો સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ થઈ રહ્યું છે. આ કામને જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કર્યુ છે, જ્યારે રીવરફ્રન્ટના પ૦૦ કરોડના કામનો તો મનપાના ગયા વર્ષના બજેટમાં સમાવેશ કરાયા પછી વર્ષ-ર૦રપ-ર૬ ના  બજેટમાં સુધારા-વધારા સાથે સમાવવાની દરખાસ્ત સરકારને કરવામાં આવી છે, અને સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે...!

અહીંથી કન્ફયુઝન ઊભું થયું છે. શું રંગમતી નદીને ઉંડી ઉતારવાનું વર્તમાન કામ રીવરફ્રન્ટ રૂ.  પ૦૦ કરોડના પ્રોજેક્ટમાં સામેલ નથી...? જો તેવું જ હોય તો આ કામને  રીવરફ્રન્ટના પ્રોજેક્ટનો ભાગ (પ્રથમ તબક્કો) ગણાવીને "ભેંસ ભાગોળે ને...છાશ છાગોળે..." ની કહેવતની જેમ મિથ્યા પ્રચાર શા માટે કરાયો...?

હવે એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો હોય કે, સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ રંગમતી નદીને ઉંડી ઉતારવાનું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટને "પુરક" તો બનવાનું જ છે ને...? જો રંગમતી નદીનું વર્તમાન કામ સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ બનતું હોય, તો તેનો ૧રપ કરોડનો ખર્ચ પ૦૦ કરોડ રૂપિયાના સુચિત અને સરકાર સમક્ષ પેન્ડીંગ રીવરફ્રન્ટ પ્રોજેક્ટનો ભાગ કેવી રીતે ગણાય...? શું જુદી-જુદી યોજનાઓ હેઠળ થનારા કામોના સમૂહને (મોદી સરકારની સ્ટાઈલમાં) મેગા પ્રોજેક્ટનું નામ આપીને હજુ સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી નથી, છતાં તેનો પ્રોપાગન્ડા ચલાવાઈ રહ્યો છે...? ટૂંકમાં આ કન્ફયુઝન ઊભું કરવા અને "ભેંસ ભાગોળે, છાશ છાગોળે" જેવું હાસ્યાસ્પદ આભાસી ચિત્ર ઊભું કરવા પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે, તેની ચર્ચા આજે નગરજનોમાં થઈ રહી છે, અને "ટોક ઓફ ધ ટાઉન" બની છે.

રંગમતી નદી ઉંડી ઉતારીને પહોળી થાય કે રીવરફ્રન્ટનો મેગા પ્રોજેક્ટ આવે, તે નગરજનો માટે તો આવકારદાયક જ ગણાય અને તેનાથી આજુબાજુના ખેડૂતો - રહેવાસીઓને સીધો ફાયદો પણ થશે, પરંતુ "પાર્ટ ઓફ ધી પ્રોજેક્ટ" અને બીજી કોઈ યોજનામાંથી "પુરક" કામ થઈ રહ્યું હોવા વચ્ચે જે "કન્ફયુઝન" ઉભુ થયુ છે, અને તેની પાછળ નાઝી પ્રચાર પદ્ધતિના જોસેફ ગોબેલ્સ જેવું કોઈ ભેજું તો કામ કરી રહ્યું નથી ને...? તેવા કટાક્ષો પણ સંભળાઈ રહ્યાં છે.

"ભેંસ ભાગોળેને છાશ છાગોળે" જેવા કેટલાક અન્ય નેશનલ, ઈન્ટરનેશનલ દૃષ્ટાંતો પણ ચર્ચામાં છે. જેમાં પાકિસ્તાની સેનાના પ્રમુખનું શેખચલ્લીના વિચારો જેવું નિવેદન, ભાજપના રાષ્ટ્રીય તથા પ્રદેશ પ્રમુખની નિમણૂકોને લઈને વહેતી કરાયેલી અટકળો, વકફના મુદ્દે સુપ્રિમકોર્ટના વચગાળાના નિર્ણયને બન્ને તરફના પક્ષકારો દ્વારા પોતાનો "વિજય" ગણાવતા થયેલા દાવા, બિહારની ચૂંટણીમાં વિજયના અત્યારથી જ એનડીએ - યુપીએના દાવા અને ચીન સાથે વ્યાપરસંધીનો ટ્રમ્પનો આશાવાદ વગેરેનો સમાવેશ કરી શકાય.

નગરચર્ચા દરમિયાન કેટલાક લોકો જોસેફ ગ્લોબેલ્સને યાદ કરીને તથા દેશની કેન્દ્ર-રાજ્ય સરકારોની પ્રવર્તમાન "પીઆર" સિસ્ટમ તથા પ્રચાર પદ્ધતિને સાંકળીને રમુજી વ્યંગ પણ કરી રહ્યાં છે. જોઈએ, હવે કેવા-કેવા ખૂલાસા થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગમખ્વાર અકસ્માતોનું જવાબદાર કોણ...? જામનગર સહિત હાલાર જાગે...

ગઈકાલે રાજકોટમાં એક સિટી બસે જે કરૂણાંતિકા સર્જી અને ચાર-ચાર જિંદગીઓનો ભોગ લીધો અને બીજા પાંચ લોકોને ઈજા પહોંચી, તે પછી મનપાના તંત્રમાં ચાલતું લોલંલોલ પણ બહાર આવ્યુ અને બસચાલક તથા ઈજારેદારની ઘોર લાપરવાહી પણ ચર્ચાના ચાકડે ચડી છે. આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોમાં એક તો મહાનગરપાલિકાના જ કર્મચારી હોવાનું કહેવાય છે, એવી વાતો પણ વહેતી થઈ કે સિટી બસ માટે ડ્રાઈવરો ૫ૂરા પાડનાર ઈજારેદાર ભાજપ સાથે સંકળાયેલા છે, જેના સંદર્ભે એવી ચોખવટ પણ થઈ કે કથિત ઈજારેદાર હાલમાં ભાજપના હોદ્દેદાર નથી. જે હોય તે ખરૃં, પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં માત્ર વાહનચાલક જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા મનપાના જવાબદાર અધિકારીઓ, ઈજારેદાર તથા બસમાં કોઈ ખામી હોય તો બસો પૂરી પાડનાર તથા તેની ટેકિનકલ તપાસણી કરનાર ઓથોરિટી સહિત તમામ લોકોને અપરાધ મનુષ્યવધમાં મદદગારીની કલમો લગાડીને કાનૂની કાર્યવાહી થવી જોઈએ, તેવી ઉઠી રહેલી જનભાવનાઓને પણ રાજકોટના મેયર, મ્યુનિ., કમિશ્નર અને રાજય સરકારે પણ ધ્યાને લેવી જ પડશે, એટલું જ નહીં, ગતિમર્યાદા બાંધવા ઉપરાંત સિટીબસો તથા બીઆરટીએસના ડ્રાઈવરોને સમયાંતરે નિયમિત તાલીમ અને ઈલેક્ટ્રિક બસોની ટેકનોલોજીને અનુરૂપ અપડેટડ પ્રશિક્ષણ પણ અપાતુ રહે તેવી વ્યવસ્થા ત્યાંની મનપાએ જ નહીં, સિટી બસોનું સંચાલન કરતી અન્ય મહાનગરપાલિકાઓ તથા સંસ્થાઓએ અને ઈજારેદારોએ પણ કરવી જોઈએ. આ ઉપરાંત રાજયભરમાં એસ.ટી. બસોનું સંચાલન કરતા ગુજરાત રાજય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને પણ આ દુર્ઘટનામાંથી ધડો લઈને ડ્રાઈવરોનો સમયાંતરે અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ તાલીમ તથા સ્વાસ્થ્ય ચકાસણી અને તેઓને કોઈ વ્યસનો હોય તો તેમાંથી મુક્ત કરવાના ઉપાયો સહિતની વ્યવસ્થાઓ તત્કાળ ઊભી કરવી જોઈએ.

રાજકોટની દુર્ઘટનામાં જવાબદાર ખાનગી એજન્સીને માત્ર બે-અઢી હજારનો દંડ કરાયો હોવાના અહેવાલો પછી જનાક્રોશ વધુ તીવ્ર બન્યો છે.

આ દુર્ઘટનામાંથી સૌથી વધુ બોધપાઠ ખાનગી ટ્રાવેલ્સની બસો તથા વાહનોના માલિકો, સંચાલકો અને તેને સંબંધિત સરકારી તંત્રોએ લેવો પડે તેમ છે. ખાનગી બસોમાં પણ સંખ્યાબંધ જિદંગીઓ જેના હાથમાં હોય છે, તેવા ડ્રાઈવરોના પાકા લાયસન્સ, સ્વાસ્થ્ય, વ્યસનો તથા મર્યાદીત કલાકો માટે ડ્રાઈવીંગ ઉપરાંત બસો-વાહનોની ગતિ મર્યાદા બાંધવાની જરૂર છે, તેમાં પણ પબ્લિકની વચ્ચે, શહેરોના આંતરિક માર્ગો પર, ભીડ કે પશુઓ, રાહદારીઓ, પદયાત્રીઓની વચ્ચેથી વાહનો ચલાવવા માટે વિશેષ તાલીમ અને પ્રશિક્ષણ જરૂરી છે. ધોરીમાર્ગો, એકસ્પ્રેસ-વે અને શહેરો કે વસતિ વચ્ચેથી વાહનો ચલાવતી વખતે ભિન્ન-ભિન્ન પ્રકારની સાવધાનીઓ રાખવી પડે, તે તફાવત પણ તમામ વાહન ચાલકોએ સમજવો પડે તેમ છે.

જામનગરમાં પણ તાજેતરમાં એક સિટીબસ અને એક ખાનગી બસ વચ્ચે "ગૌરવપથ" તરીકે ઓળખાતા માર્ગ પર અને મહાનગરપાલિકાની નજીકમાં જ અકસ્માત સર્જાયો હતો, જેના દૃશ્યો અને તસ્વીરો સ્થાનિક અખબારો તથા ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રકાશિત અને પ્રસારિત થઈ હતી. એ અકસ્માતમાં વાંક કોનો હતો એ તપાસનો વિષય ભલે ગણાતો હોય, પરંતુ શહેરમાં કેટલીક ખાનગી કંપનીઓના વાહનો માતેલા સાંઢની જેમ રફ ડ્રાઈવીંગ તથા આડેધડ પાર્કીંગ અને મનફાવે તેવી રીતે પોતાના મુસાફરોને ચડાવતા-ઉતારતા હોય, તો તેની સામે પણ કડક કદમ ઉઠાવવા ઉપરાંત જે-તે બસ સંચાલકોએ ડ્રાઈવરોને પ્રશિક્ષણ આપવું જોઈએ તેવા લોકોના પ્રતિભાવોમાં પણ દમ છે, તેમ નથી લાગતું...?

અમરેલીમાં પણ એસ.ટી. બસો અકસ્માત સર્જાયો, તે જોતા માત્ર રાજકોટ કે જામનગર નહીં, આ સમસ્યા આખા રાજ્યની તથા રાષ્ટ્રવ્યાપી છે, તેથી એસ.ટી. તંત્રે પણ ડ્રાઈવરોના મુદ્દે વધુ સાવચેત રહેવું જરૂરી જણાય છે.

અકસ્માતો બધી વખતે ડ્રાઈવરોની ભૂલ હોય તેવું નથી, ઓવરટાઈમ ડ્રાઈવીંગ, વાહનોમાં ખામીઓ ચલાવી લેવાની વાહન-માલિકોની માનસિકતા, વાહનોની નિયમિત મરામત અને ચકાસણીનો અભાવ તથા ઠેરઠેર થતા ટ્રાફિક જામ વચ્ચે ટાઈમીંગ જાળવવાના દબાણ જેવા ઘણાં કારણો પણ જવાબદાર હોય છે. માત્ર કાર, ટ્રક કે બસો જ નહીં, પરંતુ દ્વિ-ચક્રી અને ત્રિ-ચક્રી વાહનો પણ ઘણી વખત અકસ્માતોનો ભોગ બનતા હોય છે, તે ગંભીર અકસ્માતોનું કારણ બનતા હોય છે, તે જોતા વધી રહેલી વાહનોની સંખ્યા અને તેની સાથે સંકળાયેલી વ્યવસ્થાઓને લક્ષ્યમાં લઈને 'સિસ્ટમ' ની સાથે-સાથે લોકોની માનસિકતામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે. આ સમગ્ર સિસ્ટમની ઝીણામાં ઝીણી ક્ષતિઓનું સંશોધન કરીને સાર્વત્રિક અને સર્વવ્યાપી સુધારણા થવી જરૂરી છે.

તાજેતરમાં જ માત્ર હાલારમાં જ કેટલા બધા વાહન-અકસ્માતો થયા છે અને તેનાથી જાનમાલનું કેટલું નુકસાન થયું છે, તેના પર સંશોધન કરવામાં આવે, તો ચોંકાવનારી સંખ્યા અને આંકડા બહાર આવશે. ટૂંકમાં વાહનોની ટેકનિકલ તપાસણી નિયમિત થવી જોઈએ. ડ્રાઈવરો પૂરેપૂરા તાલીમબદ્ધ અને લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, જરૂરી ગતિમર્યાદાનું ચૂસ્ત પાલન થવું જોઈએ અને વાહન કે ડ્રાઈવરો પાસેથી અસહ્ય બની જાય, તેટલું ઓવરટાઈમ કામ ન કરાવવું જોઈએ, આ અંગે લોકો સ્વયં પણ જાગૃત રહે તે જરૂરી છે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જો એવું થયું તો આખું જામનગર જ 'જામ' થઈ જશે...! ઠંડક આપની આગાહી પણ...?!

ધોમધખતા તાપ સાથે જ્યારે બળબળતો ઉનાળો શરૂ થયો છે, ત્યારે આજે એક ઠંડક પહોંચાડનારી ખબર ટોક ઓફ ધી નેશન બની છે. ભારતીય હવામાનખાતાએ આગાહી કરી છે કે આગામી ચોમાસુ સારૃં હશે. અલનીનોની અસર નહીં થાય અને દેશમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડી શકેે છે.

જો કે, હવામાનખાતાએ ચોમાસા પહેલાના હવે પછીના બે મહિના સુધી તીવ્ર ગરમીની ચેતવણી પણ આપી છે. આ કારણે વીજ પુરવઠા પર દબાણ આવી શકે છે, અને પીવાના પાણીની તંગી પડવાની પણ શક્યતાઓ છે.

હવામાનખાતાએ ભીષણ ગરમી વચ્ચે ૧૮મી એપ્રિલથી ઉત્તરપૂર્વીય રાજ્યો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની તથા વરસાદની આગાહી કરી છે, તાજેતરમાં આકાશી વીજળીના કારણે થયેલા સંખ્યાબંધ મૃત્યુના કારણે આ નવી આગાહી ૫છી લોકોમાં ગભરાટ હોવાની સાથેસાથે તંત્રો પણ બદલાતા હવામાનને લઈને સતર્ક થઈ રહ્યાં હોવાનો દાવો થઈ રહ્યો છે.

જો કે, હવામાનખાતાએ દેશના કેટલાક રાજ્યોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી પણ કરી છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદોમાં જ આઈએમડીના વડાએ કેટલાક રાજયોમાં ભયંકર ગરમી અને લૂ લાગવાની સંભાવના પણ વ્યક્ત કરી અને કેટલાક વિસ્તારોમાં તો દુષ્કાળ જેવી સ્થિતિની ભીતિ પણ દર્શાવી, તે જોતા એકંદરે દેશમાં આગામી ચોમાસામાં "કહી ખુશી, કહીં ગમ" જેવી સ્થિતિ સર્જાશે, તેમ કહી શકાય.

અત્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનું તીવ્ર મોજુ ફેલાયું છે. ગઈકાલે રાજયના ૬ સ્થળો પર મહત્તમ તાપમાન ૪ર ડીગ્રીને પાર કરી ગયું હતું અને અમદાવાદ, ડીસા, ગાંધીનગર તથા રાજકોટ, કંડલામાં ૪૪ ડીગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. એવું કહેવાય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા બે-ત્રણ દિવસમાં તાપમાન થોડું ઘટશે.

અહેવાલો મુજબ ગુજરાતના ર૦૦ થી વધુ જળાશયોમાં ૧૪ હજાર મિલિયન ઘનમીટરથી વધુ જથ્થો સંગ્રહાયો હોય, ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નિવારવા ૬ર જળાશયોનું પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે. બંધ પડેલા હેન્ડપંપો સક્રિય કરવામાં આવી રહ્યાં છે. ખંભાળીયા સહિત રાજ્યમાં કેટલાક ચેકડેમો નવા બની રહ્યાં છે, જ્યારે કેટલાક રીપેર કરવામાં આવી રહ્યાં છે. જરૂર પડ્યે સરદાર સરોવર યોજના અને સૌની યોજના હેઠળ વિવિધ હેતુઓ માટે પાણી પુરવઠાનો વિકલ્પ પણ છે, તેથી ગુજરાતમાં ઉનાળામાં મોટાભાગે પાણીની તંગી નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો પણ અત્યારથી જ ઉઠવા લાગી છે, તો કેટલાક સ્થળોએ પાણીની પાઈપલાઈનો લીકેજ થઈ જતા મહામુલા પાણીની બરબાદી થઈ હોવાના અહેવાલો તંત્રોની લાપરવાહીની ગવાહી પૂરી રહ્યાં છે, હાલાર સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ પીવાના પાણીની પાઈપલાઈનો બીછાવવા કે મરામત કરવાના કામો થઈ રહ્યાં છે અને જામનગર સહિતના કેટલાક શહેરોમાં નવા વિસ્તરેલા સોસાયટી વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ છે, તે ખરૃં, પરંતુ જ્યાં જ્યાં "નલ સે જલ" યોજના હેઠળ પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે, ત્યાં ત્યાં આગામી ભીષણ ગરમી સાથેના ઉનાળામાં જળ વિતરણ નિયમિત જળવાઈ રહે તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યાં છે.

રાજ્યની કેબિનેટમાં પણ ઉનાળામાં પીવાના પાણીની સ્થિતિ અંગે ચર્ચા થઈ અને લોકોને પીવાનું પાણી નિયમિત મળતું રહે, તે માટે મુખ્યમંત્રીએ તંત્રોને તાકીદ કરી હોવાના અહેવાલો આવ્યા, પરંતુ જેમ-જેમ ઉનાળો વકરતો જાય છે, તેમતેમ માનવી અને પશુઓ માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, વીજ પુરવઠો અને ઘાસચારાનો પુરવઠો જાળવી રાખવાનો પડકાર પણ વધી રહ્યો છે, તેથી તંત્રો માત્ર વાતોના વડા ન કરે અને વાસ્તવિક સ્થિતિની નક્કર હકીકતો પહેલાથી જ મેળવીને (ચૂંટણીની જેમ) માઈક્રો પ્લાનીંગ કરે, તે અત્યંત જરૂરી છે. લોકોએ પણ સમયોચિત રજૂઆતો કરીને અત્યારથી જ તંત્રોને ઢંઢોળવા જોઈએ, ખરૃં ને...?

આજે પણ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડી રહ્યાં હોવાના અહેવાલો છે અને ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, તે જોતા જો ચોમાસા પહેલા કમોસમી વરસાદ થાય, તો તે નુકસાનકારક નિવડી શકે, તેથી દેશની સાર્વત્રિક આગાહીની સાથે-સાથે સ્થાનિક હવામાન તથા આગાહીઓનો પણ રોજિંદો અભ્યાસ કરીને જ ખેતી સહિતના આયોજનો કરવા જોઈએ, અને જ્યાં ઓછા વરસાદની સંભાવના જણાય ત્યાં સ્થાનિક તંત્રોએ આગોતરા કદમ ઉઠાવવા જોઈએ.

જામનગરમાં રંગમતી નદી ઉંડી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, તેથી આગામી ચોમાસા પહેલા નદી જેટલી ઉંડી ઉતરશે, તેટલી જળસંગ્રહ ક્ષમતા વધશે...

એવા આશાવાદ સાથે જામનગરમાં ફલાયઓવર બ્રીજનું કામ પણ ચોમાસા પહેલા સંપન્ન થઈ જશે, તેવો દાવો થઈ રહ્યો છે. અત્યારે ફલાયઓવર બ્રીજના કામના કારણે નગરના કેટલાક માર્ગો બંધ છે, અને ટ્રાફિક જામના વરવા દૃશ્યો સર્જાઈ રહ્યાં છે, ત્યારે સવાલ એ ઉઠે કે, જો ફલાયઓવર બ્રીજનું કામ ચોમાસા પહેલા પૂરૂ ન થયું, કે કમ ભાગ્યે તે પહેલા જ કમોસમી વરસાદ થાય, તો તો જામનગર આખુ જ "જામ" થઈ જાય ને...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં ડ્રગ્સની બદી પર કોંગ્રેસનો પ્રહાર... શું છે નવો પાયલોટ પ્રોજેક્ટ...?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ અઢી વર્ષ જેટલી વાર છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સંમેલન યોજ્યા પછી પ્રદેશ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મળતા દિશા નિર્દેશો મુજબ સંગઠનમાં ફેરફારોની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ હોય, તેમ જણાય છે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના બીજા રાઉન્ડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મૂળમાંથી જ ફેરફાર કરવાનો કોઈ પાઈલોટ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાંથી શરૂ થશે અને અરવલ્લી જિલ્લામાં આ સૂચિત પ્રોજેક્ટ સફળ થાય, તો આખા રાજ્યમાં તેને લાગુ કરવાનું કોંગ્રેસ હાઈકમાન્ડનું પ્લાનીંગ હોવાની ચર્ચા ગઈકાલથી જ પ્રેસ મીડિયામાં થઈ રહી છે.

એવું કહેવાય છે કે, ગુજરાતમાં ચૂંટણીની ટિકિટો આપવાની સત્તા પ્રદેશકક્ષાની નેતાગીરીના બદલે જિલ્લા કોંગ્રેસને સોંપવાની રણનીતિ કોંગ્રેસ અપનાવશે, અથવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસમાં લઈને જ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટો ફાળવાય, તેવું માળખું રચાશે.

ટૂંકમાં કોંગ્રેસ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને આંતરિક જૂથવાદ અને ખેંચતાણની પ્રદેશકક્ષાની જૂની સમસ્યાને ખતમ કરવા માંગે છે અને આ રીતે કોંગ્રેસની કાયાપલટ કરીને વર્ષ-ર૦ર૭ માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવાની તૈયારી થઈ રડી હોય, તેવું ચિત્ર ઉપસે છે.

આ તમામ કવાયત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી એ ચેલેન્જના સંદર્ભે થઈ રહી હોય તેમ જણાય છે, જેમાં રાહુલ ગાંધીએ વર્ષ-ર૦ર૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીને રાજ્યમાં કોંગ્રેસનું શાસન સ્થાપવાનો પડકાર ફેંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટમાં જ ભાજપને પડકારીને કોંગ્રેસમાં દેશવ્યાપી જુસ્સો વધારવાની રણનીતિ હેઠળ કોંગ્રેસ હવે મહત્તમ લક્ષ્ય ગુજરાત પર જ કેન્દ્રીત કરશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પક્ષે પણ હવે ઓવર કોન્ફિડન્સમાં રહેવાના બદલે પાર્ટીમાં ઘૂસી ગયેલા જૂથવાદ અને આંતરિક અસંતોષ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, અને ટોપ-ટુ-બોટમ વ્યાપેલા કથિત ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લેવો પડશે, તેવું તટસ્થ વિશ્લેષકો માને છે.

લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતાપક્ષમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યા પછી તેનું ગ્રુપ હવે કોંગ્રેસ તરફ ઝૂકશે કે આમઆદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે, તેવી અટકળો વચ્ચે એવું કહેવાય છે કે, મહેશભાઈ વસાવા તેના પિતા છોટુભાઈ વસાવા સાથે મળીને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી) ને વધુ મજબૂત બનાવશે. આમઆદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોને આમઆદમી પાર્ટીમાં ખેંચીને બુનિયાદ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, તેવી પણ ચર્ચા છે, ત્યારે રાહુલ ગાંધીનો આ પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે.

ગુજરાતમાં ડ્રગ્સની બદીનો મુદ્દો કોંગ્રેસ જોરશોરથી ઉઠાવશે અને રાહુલ ગાંધી પણ આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ સણસણતા આક્ષેપો કરતા કહ્યું છે કે, ગુજરાતમાં છાશવારે પકડાતા ડ્રગ્સના જથ્થાનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ ભલે પોતાની પીઠ થાબડે કે વાહવાહી મેળવે, પરંતુ હકીકત એ છે કે ડ્રગ્સ પકડાય ત્યારે માત્ર નાની-નાની માછલીઓ જ પકડાય છે, અને મોટા મગરમચ્છો પકડાતા નથી, તેથી જ ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ફાલ્યોફૂલ્યો છે. સીબીઆઈ-ઈડી જેવી રાષ્ટ્રીય એજન્સીઓનો રાજકીય રીતે દુરઉપયોગ કરવાના બદલે જો સરકારે ડીઆઈઆર, નાર્કોટિક્સ જેવી સંસ્થાઓનો સરકારે યોગ્ય ઉપયોગ કર્યો હોત તો યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું ગુજરાત એ.પી. સેન્ટર બન્યુ જ ન હોત. વાસ્તવમાં તો સરકાર ડ્રગ્સના નેટવર્કને ભેદવામાં જ નિષ્ફળ ગઈ છે.

પોરબંદર પાસે પકડાયેલા અબજો રૂપિયાની કિંમતના ત્રણ ક્વિન્ટલ જેટલા ડ્રગ્સને લઈને કોંગ્રેસે ટીકા કરી, તેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતની પોલીસે કેન્દ્રીય સંકલન સાથે ઘણાં દિવસો સુધી સતત મહેનત કરીને પાકિસ્તાન પ્રેરિત ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કર્યો છે અને અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે, તેની શાબાશી આપવાના બદલે તેની ટીકા કરતા કોંગ્રેસવાળા શું ડ્રગ્સ પકડવા ગયા હતાં...? આ પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસના પ્રવક્તા વળતો પ્રહાર કરી રહ્યાં છે અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે સવાલ એ ઉઠે છે કે, આટલું મોટું જોખમ વેઠીને ગુજરાત તરફ આટલો મોટો ડ્રગ્સનો જથ્થો મોકલાતો હોય, તો તે ક્યાંક તો વપરાતો હશે ને...? કેરિયરોને પકડ્યા પછી જો તેનો ભારતમાં વેપલો કરતા પરિબળો ન પકડાય, તો તે નિષ્ફળતા જ ગણાય ને...?

હકીકતે ગુજરાતમાં ફેલાતી જતી ડ્રગ્સની આ સંભવિત જીવલેણ બદી સામે સમાજે પણ જાગવાની જરૂર છે, અને યુવા પેઢીને આ ખતરનાક આદતથી બચાવવા જાગૃતિની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં 'ગરમી' વધી...! રાજ્યમાં કાંઈક 'મોટું' થવાનું છે...?

ગુજરાતમાં ગરમી વધી રહી છે, અને તાપમાનનો પારો દિન-પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ વીજ વપરાશ વધવાનો છે. આ કારણે વીજ વપરાશ નિયમન તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ઝુંબેશ આદરવાની જરૂર છે, અને તેની શરૂઆત સરકારી કચેરીઓ, નેતાઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, જનપ્રતિનિધિઓની ચેમ્બર્સ, બેંકો, શાળા-મહાશાળાઓ અને એવા તમામ જાહેર સ્થળોથી કરવી જોઈએ, જ્યાં રાત-દિવસ સામૂહિક રીતે વીજ ઉપકરણો વપરાતા હોય.

કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવા છતાં એ.સી., લાઈટ ચાલુ રહેવા કે પંખા ફરતા રહેવા, સેનિટેશન સંકૂલો તથા લોબીઓમાં વિનાકારણ લાઈટો ચાલુ રહેવી, કેટલાક સ્થળોએ સવારે મોડે સુધી સ્ટ્રીટલાઈટો બંધ નહીં થવી અને કોઈ જોતું ન હોય તો પણ ચોવીસેય કલાક ટેલિવિઝન ચાલુ રહેવું, વિગેરે નાની-નાની જણાતી આપણી ભૂલોના કારણે એકંદરે ઘણી જ મોટી માત્રામાં વીજળી વપરાય જતી હોય છે, અને વીજળીની તંગી ઊભી થવાની સંભાવનાઓ વધી જવાની સાથે-સાથે વીજલાઈનો, ડી.પી. ટ્રાન્સમીશન ઉપકરણો તથા વિદ્યુત સપ્લાઈ સ્ટેશનો પર બોજ વધી જતા મેગા ફોલ્ટ સર્જાતા હોય છે, અને આ બધાનો ભોગ છેવટે તો પબ્લિકે જ બનવું પડતું હોય છે ને...?

હજુ ઉનાળાનો પ્રારંભ થયો ત્યાં જ વીજળીના ધાંધિયાની ફરિયાદો વિવિધ ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોમાંથી પણ ઉઠવા લાગી છે, ત્યારે આખો ઉનાળો કેવો જશે અને અસહ્ય ગરમી વચ્ચે વીજ ઉપકરણોની પણ મર્યાદા હોવાથી કોણ જાણે કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ પ્રકારની સંભાવનાઓ વચ્ચે "સબ સલામત" ની રેકર્ડ વગાડતા તંત્રો અને અતિ આત્મવિશ્વાસ કે દુર્લક્ષ્યતાની માનસિકતામાં રહેતા શાસકોએ પણ અત્યારથી જ જાગી જવાની જરૂર છે, અન્યથા ભરઉનાળે જો ભયંકર વીજ તંગી કે નબળી વીજ લાઈનો કે પૂરતી ક્ષમતા વિનાના વીજ ઉપરકરણોના કારણે લાંબો વીજ વિક્ષેપ સર્જાશે, ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવાનું મુશ્કેલ બની જશે, આવુ બધું થશે, તો લોકોની નારાજગી ક્યાં સુધી પડઘાશે, તે સરકાર અને શાસકપક્ષે વિચારવું જ પડે ને...?

ગુજરાતમા ઋતુગત ગરમીની સાથેસાથે રાજકીય ક્ષેત્રે પણ ગરમી વધી રહી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કાંઈક "મોટું" થવાનું છે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનનું ગુજરાતમાં આયોજન થયા પછી પાર્ટીમાં સંચાર થયો છે, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થાશે, તેવા અહેવાલો વચ્ચે આમઆદમી પાર્ટી પણ વિસાવદર વિધાનસભા બેઠકના દરવાજેથી ગુજરાતની રાજનીતિમાં જબરદસ્ત કમ બેક કરવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ હલચલ મચી છે, અને પ્રદેશ પ્રમુખ કોણ થશે...? તેની ચર્ચા ફરીથી ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.

કોઈ કહે છે કે, ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ ઓબીસીમાંથી હશે, તો કોઈ કહે છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતનો વારો છે. કોઈ કહે છે કે, શાહ-નડ્ડાના કોઈ વિશ્વાસુને ચાન્સ મળશે તો કોઈ કહે છે કે, પી.એમ. મોદીના કોઈ નજદીકી વફાદર નેતાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાશે. આ વખતે હાલારના  કોઈ નેતાને પણ પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી શકે છે, તેવી ગપસપ વચ્ચે એક વખત ફરીથી જામનગર સાથે સંકળાયેલા ભીખુભાઈ દલસાણીયાનું નામ ચર્ચામાં છે. દાયકાઓથી ગુજરાત ભાજપ સાથે સંકળાયેલા અને પ્રદેશ ભાજપનું સંગઠન મજબૂત બનાવ્યા પછી બિહારમાં સંગઠન મંત્રી તરીકે સાયલન્ટલી કામ કર્યા પછી ગુજરાત ભાજપનું સુકાન તેમને સોંપાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે. જો કે, ભાજપ આશ્ચર્યજનક જાહેરાતો માટે જાણીતો હોવાથી કોઈક નવું જ નામ જાહેર થઈ શકે છે.

કેટલાક વ્યંગકારો એવો કટાક્ષ પણ કરી રહ્યાં છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ બન્ને કેન્દ્રીય મંત્રી છે, અને બબ્બે પદો પર બિરાજમાન છે, છતાં ભાજપમાં એક વ્યક્તિ એક પદનો દાવો થતો રહે છે. આ બન્ને મહાનુભાવો મંત્રી બન્યા પછી હજુ સુધી તેના રાજકીય પદો માટે પસંદગી ન થઈ શકતી હોય તો પાર્ટી વિથ ડિફરન્સ કેમ કહેવાય...?

આજે બંધારણના ઘડવૈયા અને આઝાદીના લડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જ્યંતી નિમિત્તે તેઓને ભાવભરી સ્મરણાંજલિ અર્પીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફરી ઉછળ્યો મુદ્દો... ઈવીએમ હેક થઈ શકે? અમેરિકાની કેબિનેટમાં શું ચર્ચાયું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવાયો અને શેરબજારો ધરાશાયી થયા, ચીન સિવાયના દેશો પર આ ટેરિફ ત્રણ મહિના માટે મોકૂફ રખાયો, તો શેરબજારો ઉછળ્યા, અમેરિકા-ચીન વચ્ચે ટેરિફવોર ફાટી નીકળ્યું, વગેરેની દુનિયાભરમાં ખૂબ જ ચર્ચા થઈ, અને હવે અમેરિકાથી જ ઉદ્ભવેલી એક બીજી ચર્ચાએ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં ખાસ ચર્ચા જગાવી છે અને આજે આ નવી ચર્ચાએ આપણા દેશમાં અન્ય તમામ મુદ્દાઓને પાછળ છોડી દીધા છે.

ટેરિફ વોરની ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતાં, અને આ નવી ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડ છે, જેઓ ભારતીય મૂળના છે.

બન્યું એવું કે ટેરિફ વોર, યુદ્ધો અને અન્ય એજન્ડા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષસ્થાને અમેરિકન સરકારની એક કેબિનેટ મિટિંગ યોજાઈ હતી, અને તેમાં તુલસી ગાબાર્ડે એક એવો મુદ્દો ઉછાળી દીધો, જેના પડઘા અમેરિકા કરતા પણ ભારતમાં વધુ પડ્યા અને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે છેલ્લા અઢી દાયકાથી ચાલતો રહેલો વિવાદ ફરી એક વખત સપાટી પર આવી ગયો છે.

તુલસી ગાબાર્ડે એ મિટિંગમાં એવો દાવો કર્યો કે ઈવીએસ હેક થઈ શકે છે. અમેરિકામાં મશીનથી થતા મતદાનની સિસ્ટમને ઈવીએસ કહે છે, અને આ સિસ્ટમ ઓનલાઈન વોટીંગ સાથે પણ સંકળાયેલી છે. અમેરિકામાં ઈવીએસથી પણ મતદાન થાય છે, અને તે હેક થઈ શકે છે, તેવો દાવો તુલસી ગાબાર્ડે કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન થાય તેવી તર્કબદ્ધ દલીલો કરીને ત્યાંની ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમમાં ખામી હોવાના કેટલાક દૃષ્ટાંતો પણ આધારો સાથે રજૂ કર્યા હોવનું કહેવાય છે.

આ પહેલા પણ અમેરિકામાં ઈવીએસ સામે સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને જંગી બહુમતી મળી હોવા છતાં તુલસી ગાબાર્ડે આ પ્રકારનો દાવો કર્યો, તેને અમેરિકાની લોકતાંત્રિક સ્વતંત્રતાનું દૃષ્ટાંત ગણવું કે આંતરિક મતભેદો ગણવા, તેવા સવાલો પણ ઊઠ્યા હતાં, અને તેનો જવાબ પણ આવ્યો હતો. હકીકતે ટ્રમ્પે વર્ષ ર૦ર૦ ની ચૂંટણી દરમિયાન પૂર્વ સાયબર સિક્યોરિટી ક્રિસ ક્રેબ્સને જવાબદાર ગણીને તપાસ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ (કાનૂન મંત્રાલય) ને આદેશો આપ્યા, તેના બીજા જ દિવસે આ કેબિનેટ યોજાઈ હતી અને ગત્ ચૂંટણીના સંદર્ભે ગાબાર્ડે આ પ્રકારનો દાવો મજબૂતીથી રજૂ કર્યો હતો, તેવું મનાય છે. ગાબાર્ડે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ લાંબા સમયથી હેકર્સના નિશાન પર રહી હોવાનું જણાવી તેના પૂરાવા હોવાનો દાવો કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન ફરજિયાત કરવાની માંગણી ઊઠાવી હતી.

ભારતમાં વિપક્ષોએ આ મુદ્દાને હાથોહાથ ઉપાડી લીધો છે, અને ભારતમાં પણ ઈવીએમ સાથે ચેડા થતા હોવાથી બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણી જોરશોરથી ઊઠવા પામી છે. પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતમાં પણ ઈવીએમ હેક થઈ શકે કે તેની સાથે ચેડા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હોવાથી બેલેટ પેપરથી મતદાન ફરજિયાત કરવાની જરૃર હોવાના અભિપ્રાયો વ્યક્ત થવા લાગ્યા છે, અને તેની તરફેણ તથા વિરોધમાં કોમેન્ટો થવા લાગી છે.

જો કે, ભારતીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ (ઈવીએસ) અને ભારતના ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) વચ્ચેનો તફાવત વર્ણવતા જણાવ્યું છે કે, કેટલાક દેશોમાં જે ઈવીએસ (ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ) થી મતદાન થાય છે, તે વિવિધ સિસ્ટમ, મશીન, પ્રોસેસના સંયોજન સાથે ઈન્ટરનેટ સહિતના વિવિધ ખાનગી નેટવર્કસ સાથે જોડાયેલી હોય છે, જ્યારે ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ નહીં, પણ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો જ ઉપયોગ થાય છે, જે કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલું હોતું નથી અને બેટરીથી ચાલતું માત્ર સાદા કેલ્યુલેટર જેવું એવું ફૂલપ્રૂફ મશીન છે, જેને હેક કરવું સંભવ જ નથી!

મોકપોલ, સંપૂર્ણ ચકાસણી અને દેશની સર્વોચ્ચ અદાલતે કાયદાકીય તપાસ કરાવી, તેમાં પણ યોગ્ય ઠરેલા ઈવીએમ (મશીન) ને અમેરિકા સહિતના કેટલાક દેશોમાં વપરાતી ઈવીએસ (સિસ્ટમ) સાથે સરખાવવી યોગ્ય નથી.

બીજી તરફ ઈવીએમનો મુદ્દો ભારતમાં ફરીથી સળવળ્યો છે અને હજુ તુલસી ગાબાર્ડના આ અભિપ્રાયના અહેવાલો તાજા જ છે, તેથી આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ જેમ જેમ કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક આવશે, તેમ તેમ આ મુદે ભારતમાં ફરી એક વખત ચૂંટણીપ્રચારનો મુખ્ય મુદ્દો બની જશે, તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે.

કેટલાક લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે જે દેશમાં નકલી જજ, નકલી સરકારી વકીલ, નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા અને ટપાલવેનોની ભરમાર હોય, તે દેશમાં કાંઈ પણ બની શકે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે તુલસી ગાબાર્ડની જેમ કોઈ નક્કર આધાર-પુરાવા હોય તો સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ ને?

જે હોય તે ખરૃં, પરંતુ એક વખત ફરીથી ઈવીએમમાં ગરબડનો મુદ્દો આપણા દેશમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને તે ઈવીએમથી ચૂંટાયેલી મોદી સરકાર અને તમામ રાજ્ય સરકારોના જનપ્રતિનિધિત્વ સામે પ્રશ્નચિન્હો ઊભા કરશે, તે પણ હકીકત જ છે ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમાજ હોય કે પરિવાર... 'સાયલન્ટ' બીમારીઓથી સાવધાન....

આપણે "કોરોના" મહામારીની ભયાનકતા અનુભવી છે. એ મહામારીમાં વાયરસ ઝડપથી ફેલાતો હતો, સ્વરૃપો બદલતો હતો અને તેનું નિદાન થઈ શકતું હતું, પણ સારવાર ઉપલબ્ધ નહોતી. તે પછી વેક્સિન શોધાઈ અને રોગચાળો નિયંત્રણમાં આવ્યો. આ રોગચાળાના લક્ષણો અનુભવી શકાતા હતાં અને તેના આધારે લેબ ચકાસણી કરીને નિદાન થઈ શકતું હતું.

હવે "હેલ્થ ઓફ ધ નેશન-ર૦રપ" નો એક તાજો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં લોકોને "સાયલન્ટ" બીમારી સામે વોર્નિંગ આપવામાં આવી છે. આ "સાયલન્ટ" બીમારીઓમાં  લક્ષણો દેખાતા નથી અને સામાન્ય જિંદગીમાં કોઈ અવરોધ પણ ઊભો થતો નથી, પરંતુ આ બીમારી ગુપચુપ શરીરમાં પ્રવેશીને પોતાનો પ્રભાવ વધારતી જાય છે, જેને સર્વેક્ષણ કરનારા ગ્રુપ ઓફ હોસ્પિટલના તબીબો "સાયલન્ટ એપેડેમિક" તરીકે ઓળખાવી રહ્યાં છે. આ શાંત બીમારીઓની અસરો ઘણી જ ખતરનાક અને જોખમી છે, અને ઝડપથી પ્રસરી રહેલા આ "સાયલન્ટ એપેડેમિક" સામે ઝડપથી ઝઝુમવું અત્યંત જરૃરી ગણાવાયું છે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં હાઈ બી.પી., ડાયાબિટીસ, ફેટી લીવર જેવી બીમારીઓથી પીડાતા ઘણાં લોકોને ખબર જ હોતી નથી કે તેઓના શરીરમાં આ બીમારીઓ પનપી રહી છે અને ધીમેધીમે ગંભીર બની રહી છે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં પ્રિ-હેલ્થકેરથી લોકો ટેવાયેલા નથી અને બીમારી થાય અને લક્ષણો દેખાય, તે પછી જ સારવાર લેવા જતા હોય છે, તેથી લક્ષણો વિનાની આ બીમારીઓ ક્રમશઃ ગંભીર સ્વરૃપ ધારણ કરવા લાગે છે.

આ રિપોર્ટમાં કેટલાક ચિંતાજનક આંકડાઓ જાહેર થયા છે, તે મુજબ કોલેજોમાં પ્રત્યેક ત્રણ વિદ્યાર્થી દીઠ એક વિદ્યાર્થી મેદસ્વીતા અથવા જાડાપણાની બીમારીથી પીડાય છે. મોનોપોઝ પછી ૪૦% મહિલાઓમાં ડાયાબિટીસ અને ફેટી લીવરની સમસ્યા વધીને ૭૦% થઈ ગઈ છે. ૧૯% વિદ્યાર્થીઓમાં બ્લડપ્રેસર જણાયું હતું. કુલ ૪૭ હજાર લોકોના સર્વે દરમિયાન ચેકઅપ પછી ૬% લોકો ડિપ્રેશનના શિકાર પણ જણાયા હતાં.

આ સર્વેક્ષણ અંગે એપોલો હોસ્પિટસના તબીબોનો અભિપ્રાય એવો છે કે, લોકોને બીમાર થયા પછી સારવાર લેવાની માનસિકતામાંથી બહાર લાવીને "સાઈલન્ટ એપેડેમિક" સામે જાગૃત કરીને લક્ષણો ન દેખાતા હોય, તો પણ સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવા તથા નાની-મોટી તકલીફો કે શરીરના કોઈપણ ભાગમાં સોજા ચડે કે નાદુરસ્તી જેવું લાગે, તો તરત જ નિદાન કરાવવા પ્રશિક્ષિત કરવા જોઈએ.

જો આ રીતે બીમારીઓને થતી જ અટકાવી શકાય કે ઉગતી જ ડામી શકાય, તો હોસ્પિટલોમાં ઉભરાતા દર્દીઓની સંખ્યા ક્રમશઃ ઘટે, હેલ્થ સિક્યોરિટી વધતા સારવારનું ખર્ચ ઘટે અને આર્થિક રીતે ઘણા લોકોને એકંદરે ફાયદો થાય તેમ છે.

આ રિપોર્ટ અને તેના સંદર્ભે આવતા અભિપ્રાયો અને સૂચનો યથાર્થ છે, પરંતુ આ મોંઘવારીમાં ઉચ્ચ-મધ્યમવર્ગને પણ ઘરખર્ચના બે છેડા માંડ ભેગા થતા હોય, ત્યાં પ્રિ-મેડિકલ ચેકઅપ કે પ્રિ-હેલ્થ કેરના ખર્ચા ગરીબ-મધ્યમવર્ગ ક્યાંથી કરી શકે...? તેવો સવાલ ઉઠે તે પણ સ્વાભાવિક છે. તેથી સમાજના સમૃદ્ધ લોકો દાનવીરો, સેવાભાવી સંસ્થાઓ અને સમદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી અવારનવાર નિઃશુલક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પો યોજાય અને તેમાં સ્થાનિક સરકારી હોસ્પિટલો જ નહીં, પણ ગ્રુપ ઓફ એપોલો હોસ્પિટલ્સ, એઈમ્સ અને ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલના નિષ્ણાત તબીબો, અદ્યતન લેબોરેટરી અને સાધન સામગ્રી તથા લેબ ટેકિનશિયનોની સુવિધા સાથે સેવાઓ આપે, તે અત્યંત જરૃરી છે. કેન્દ્ર અને રાજ્યોના આરોગ્ય કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલોની તો આ પ્રાથમિક જવાબદારી જ ગણાય ને...?

એક અન્ય અહેવાલ મુજબ ગુજરાતમાં ૧૦ લાખ જેટલા લોકો પાર્કિન્સન્સથી પીડાય છે. પાર્કિન્સન્સ એટલે ધ્રુજતા અંગો સાથેનો લકવા...

પહેલા આફટર ફીફટી એટલે કે પ૦ કે ૬૦ વર્ષની ઉંમરે આ રોગ દેખા દેતો હતો, પરંતુ હવે તો યુવાવયે પણ આ બીમારી થવા લાગી છે, એટલું જ નહીં, આ રોગ મહિલાઓમાં પણ વધી રહ્યો છે. આ બીમારી માટે સ્ટ્રેસ (તણાવ), બદલતી જીવનશૈલી, જંકફૂડ, વાયુપ્રકોપ વિગેરેને જવાબદાર ગણવામાં આવે છે. સાદો પાર્કિન્સન્સ અને પાર્કિન્સન્સ પ્લસ, એમ બે પ્રકારના પૈકી પાર્કિન્સન્સ પ્લસ રોગ અસાધ્ય ગણાય છે, જ્યારે સાદા પાર્કિન્સન્સમાં દવાઓથી થોડી રાહત મળી શકે છે. આ કારણે આ રોગ થતો જ અટકાવવા માટે પણ વ્યાપક જનજાગૃતિ, યોગ્ય જીવનશૈલી અને હેલ્થ ચેકઅપ તથા યોગ્ય સારવાર જરૃરી બની જાય છે.

સાયલન્ટ એપેડેમિક અને પાર્કિન્સન્સ જેવી જ બીમારીઓ અત્યારે આપણાં સમાજમાં પણ પ્રવેશીની ફાલીફૂલી રહી છે, કિશોરવયે આત્મહત્યાના કિસ્સા પાછળ મોટાભાગે બાળકોને શિશુવયેથી જ મોબાઈલ સેલફોન કે વીડિયો ગેઈમની આદત લાગી જાય, તેની આડઅસરો જવાબદાર ગણાય છે, તેવી જ રીતે કોલેજકાળમાં ડ્રગ્સ એડિક્ટ બની જતો યુવા વર્ગ ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જાય છે. અલ્પશિક્ષિત યુવા વર્ગમાં પણ નશાખોરી અને માનસિક વિકૃતિઓ વધી રહી છે, સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ નેગેટિવ અને વિકૃત સામગ્રીના કારણે બાળકો વિચિત્ર હરકતો કરે છે, અને યુવાવયે માતા-પિતા, પરિવારના અંકુશમાં જ રહેતા નથી. સમાજમાં વધી રહેલા આ "સોશ્યલ સાયલન્ટ એપેડેમિક" સામે પણ સૌએ જાગવું પડશે, અન્યથા નવી પેઢી બરબાદીની ખાઈમાં ધકેલાઈ જશે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ખાનગી શિક્ષણ ક્ષેત્રે ઉઘાડી લૂંટ, પ્રવાસ નહીં છતાં વાહન ભાડા ચાલુ...!! નેતાગણ ચૂપ... 'સુઓમોટો' નો ઈન્તેજાર..

ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડે વર્ષ-ર૦રપ-ર૬ નું વાર્ષિક શાળાકીય કેલેન્ડર જાહેર કર્યુ છે, જેમાં ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન તથા અન્ય જાહેર રજાઓ સહિત ૮૦ જાહેર રજાઓનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત બાર મહિનાના પ૦ ની આસપાસ રવિવાર આવે, અન્ય છૂટક રજાઓ અપાય, કુદરતી આફતો કે આકસ્મિક સંજોગો અથવા ઋતુગત કારણોથી રજાઓ અપાય અને દર શનિવારે મોટાભાગે અડધા દિવસનું શિક્ષણ હોય, તેની ગણત્રી કરીએ તો આખા વર્ષમાં બસો-સવાબસ્સો દિવસનું જ શિક્ષણ બાકી રહે.

આ કેલેન્ડર તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું છે, એટલે કે ધોરણ ૯ થી ૧ર સુધીનું જ છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તો જાહેર રજાઓ, રવિવારો અને ઈત્તર કારણોસર પડતી રજાઓ ઉપરાંત સ્થાનિક રજાઓ, પ્રાસંગિક રજાઓ કે સારા-માઠા પ્રસંગે અપાતી રજાઓનો હિસાબ કરવામાં આવે તો એવું કહી શકાય કે વર્ષમાં અડધું વર્ષ જ શાળાઓ ચાલુ રહે અને અડધોઅડધ વેકેશનો, જુદા-જુદા પ્રકારની રજાઓ અને સ્થાનિક - પ્રાસંગિક રજાઓ તથા સરકારી મેળાવડાઓમાં જ વીતી જતું હોય છે.

આ કારણે બાળકોના શિક્ષણ પર, તો અસર પડે જ છે, પરંતુ માતા-પિતા પરિવારના ગજવા પર પણ કાતર ફરતી હોય છે.

બન્ને વેકેશનો અને રજાના દિવસોમાં શાળાકીય પ્રવૃત્તિઓ બંધ રહે, તો પણ ખાનગી શાળાઓ દ્વારા જુદી-જુદી પ્રકારના ચાર્જીસ વિગેરે લગાડીને પૂરેપૂરી તોતીંગ ફી વસુલ કરી લેવામાં આવે છે. ફી નિર્ધારણ થયા પછી પણ કોઈને કોઈ બહાને બાળકો પાસેથી તોતીંગ ફી મેળવતી શાળાઓ નિર્દ્યપણે માતા-પિતા, વાલીઓને પઠાણી ઉઘરાણીઓ કરીને પજવતી હોય છે. જે શાળાઓ સ્કૂલ બસો કે વાહતુક સુવિધાઓ આપે છે, તે સ્કૂલો જ વેકેશન સહિતનું બસભાડું એડવાન્સમાં વસુલતી હોવાથી જે ગરીબ-મધ્યમવર્ગીય માતા-પિતા, વાલીઓ રિક્ષા, રિક્ષા છકડા, ઈક્કોવેન જેવા અન્ય વાહનોમાં પોતાની રીતે બાળકોને શાળાએ મોકલતા હોય છે. તેઓ પાસેથી ખાનગી વાહનોવાળા પણ વેકેશન સહિતનું તોતીંગ વાહનભાડું વસુલતા હોય છે. આ ઉઘાડી લૂંટ સામે વિપક્ષી નેતાગણ દ્વારા ઘણી વખત અવાજ ઉઠાવાતો હોય છે, પરંતુ એ વિરોધ પણ માત્ર "પ્રાસંગિક" હોય, તેમ એકાદ વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર આપવા સુધી જ મર્યાદિત રહેતો હોય છે, અને પછી રહસ્યમય રીતે સમી જતો હોય છે.

શાસકપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિતના નેતાઓ પણ આ મુદ્દે જુદા-જુદા સ્તરે રજૂઆતો તો કરતા હોય છે, પરંતુ આ મુદ્દાઓના ઉકેલ સુધી પહોંચવાનો જુસ્સો હોતો નથી અને ઘણી વખત આ બધી જ કવાયત દેખાવ ખાતર જ થતી હોય તેમ જણાય છે.

જ્યારે આ મુદ્દે મીડિયામાં ચર્ચા થાય છે, ત્યારે એવા તારણો પણ નીકળતા હોય છે કે, કેટલાક વિપક્ષના નેતાઓ સહિત શાસકપક્ષના નેતાગણના નજીકના વર્તુળો, સગા-સંબંધી કે મળતીયાઓ જ ગુજરાતમાં ઘણી ખાનગી સ્કૂલોની સંચાલક બોડી સાથે સંકળાયેલા હોવાથી કદાચ તેની "શરમ" (કે બીજુ કાંઈક) લાગવાથી આ ઉઘાડી લૂંટ સામે આંખ આડા કાન કરાતા હશે.

રાજ્યના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો એવી અપેક્ષા તો રાખી જ શકે ને કે કમ-સે-કમ વેકેશનના સમયગાળાની કોઈપણ ફી, વાહન ભાડું કે ચાર્જીસ વિદ્યાર્થીઓ, વાલીઓ પાસેથી વસુલવામાં આવે નહીં. જો સ્કૂલો જ વેકેશનના નાણા વસુલતી હોય તો ખાનગી વાહનધારકો ક્યાંથી છોડે...?

સરકારે તથા નેતાગણે આ મુદ્દે માનવતાલક્ષી અભિગમ દાખવીને વેકેશનમાં લેવાતા મનસ્વી ચાર્જીસ અને વાહન ભાડું, ટ્રાન્સપોર્ટેશન કે બસભાડું વિગેરે જે વાહતૂક વ્યવસ્થાઓ અપાતી જ ન હોય, અને વેકેશનમાં બંધ જ રહેતી હોય, તેવા ચાર્જીસ લેવાતા બંધ થાય તે માટે ખાનગી શાળાઓના સંચાલકોને સમજાવવા જોઈએ અને ન માને તો તે માટે આદેશો આપવા જોઈએ, કારણ કે, જે સેવાઓ બંધ જ હોય, તેનું ભાડું કે ચાર્જ લેવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની પણ વિરૂદ્ધમાં છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, વેકેશન તથા જાહેર રજાઓ વિગેરેમાં વિદ્યાર્થીઓ, બાળકોએ પ્રવાસ જ કર્યો નહીં હોવા છતાં તેનું ભાડું લેવાના સ્વરૂપે થતી કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધનો આ મનસ્વી અને ઉઘાડી લૂંટ સામે કોઈએ અદાલતના દ્વાર કેમ ખખડાવ્યા નહીં હોય...? આરટીઆઈ એક્વિવીસ્ટો, સમાજના જાગૃત નાગરિકો અને શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ (એનજીઓ), વિદ્યાર્થીઓ સંગઠનો પણ આ મુદ્દે "કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધમાં જઈને થતી વસુલાત સામે અદાલતના દ્વાર ખખડાવી શકે છે. વિપક્ષના કોર્પોરેટરો પાલિકા - મહાપાલિકાઓ અને ધારાસભ્યો વિધાનસભાગૃહમાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવી શકે છે, અને ગુજરાતમાં વિપક્ષના અલ્પ સાંસદો હોવાથી જરૂર પડ્યે શાસકપક્ષના સાંસદોએ પણ આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને તથા પાર્ટીની કક્ષાએ પણ આ ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સહિતના વિદ્યાર્થીઓ, વાલીઓને સ્પર્શતા મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ ને...?

ખુદ સરકાર પણ કોન્ટ્રાક્ટ બેઈઝ પર જે સેવાઓ મેળવે છે, તેનું ચૂકવણું થયેલા કામ આધારિત જ કરે છે ને...? વચ્ચે અપાતી રજાઓનો ચાર્જ કે ઉધડુ વાહન ભાડું પૂરેપૂરૃં ચૂકવાય એ સમજાય, પણ સળંગ બબ્બે વેેકેશન કે અઠવાડિય, પંદર દિવસ માટે શાળાઓ જ બંધ રહે, છતાં વાહન ભાડા વસુલવા એ ખૂલ્લો અન્યાય જ છે, અને આ મુદ્દે અદાલતોમાં પણ સુઓમોટો સુનાવણી થાય તે પણ ઈચ્છનિય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હીટવેવ-ગરમ પવનોની આગાહી, ઉનાળાને લઈને તંત્રોની સજ્જતા કેવી...? 'સિમ્બોલિક' નહીં 'સાર્વત્રિક' ચેકીંગ જરૂરી

રાજ્યના પાણી પુરવઠા મંત્રીનો દાવો છે કે, આ ઉનળાામાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે. રાજ્યના ર૦૦ થી વધુ જળાશયોમાં પ૭% થી વધારે જળસંગ્રહ છે અને આ વર્ષે સાર્વત્રિક પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી જમીનની સપાટી ઉપર અને ભૂગર્ભ જળની સ્થિતિ પણ એકંદરે જળવાઈ રહી છે, તેથી ઉનાળામાં ગુજરાતની જનતાને પીવાના પાણી માટે તકલીફ નહીં પડે.

બીજી તરફ રાજકોટમાં લદાયેલા પાણીકાપના કારણે મહિલાઓએ થાળી વગાડીને તથા માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યા પછી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને વિપક્ષના અન્ય સ્થાનિક વર્તુળો કહે છે કે, સરકારના દાવાઓની પોલ ખૂલી ગઈ છે અને અત્યારથી જ પાણીકાપ લાદવાની નોબત આવી છે, ત્યારે ઉનાળામાં શું થશે...? તેના જવાબમાં ભાજપના વર્તુળો કહે છે કે, આ પાણીકાપ પાણીની તંગીના કારણે નહીં, પરંતુ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈને ચાલી રહેલી મરામતના કારણે લગાવાયો છે, તો લોકો કહે છે કે, આ તો બધી બહાના બાજી છે.

રાજકોટની જેમ જ સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની વકરી રહેલી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા પણ અત્યારથી જ ચાલુ થઈ ગયા છે, અને નોટીસ આપ્યા વિનાનો વીજકાપ અવાર-નવાર લગાવાઈ રહ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો વીજળીરાણી ક્યારે રિસાઈ જાય અને કેટલા કલાકો સુધી રાહ જોવી પડશે, તે નક્કી જ નથી રહેતું, તેથી વીજ પુરવઠાને લઈને પણ અત્યારથી જ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. એક તરફ ગરમી વધી રહી હોવાથી પંખા, કૂલર, એરકન્ડિશન્ડ મશીનો, રેફ્રિજરેટરો વિગેરે ઉપકરણોનો ઉપયોગ વધી રહ્યો હોવાથી વીજળીની માંગ ક્રમશઃ દરરોજ વધી રહી છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીઓ પણ પ્રિ-મોન્સુન કામગીરી, ફોલ્ટ તથા મરામતના બહાને અવારનવાર સપ્લાઈ બંધ કરતી હોવાથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં લોકોની રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે, અને વીજ આધારિત કામધંધાને પણ માઠી અસર પડી રહી છે.

અહેવાલો મુજબ ગત્ નાણાકીય વર્ષ દરમિયાન વીજ પુરવઠાને લગતી પપ હજાર કમ્પ્લેઈન નોંધાઈ હતી. વીજ કંપનીઓએ જંગી ખર્ચ કરીને વીજ વાયરો બદલ્યા, ઉપકરણો બદલ્યા, સાધન-સામગ્રીનું અપગ્રેડેશન કર્યુ, તે પછી પણ જો એક વર્ષમાં (ચોપડે નોંધાયેલી) પપ હજાર ફરિયાદો આવતી હોય, તો આ આધુનિકરણ શું કામનું...? તેવો સવાલ તો ઉઠે જ ને...?

ગ્રામ્ય વિસ્તારો તથા નાના નગરોમાં તો નાના-મોટા ફોલ્ટ કે થાંભલેથી લૂસ કોન્ટેક્ટ જેવી ફરિયાદો ચોપડે નોંધાતી જ હોતી નથી અને સ્થાનિક હેલ્પરો કે ખાનગી ઈલેક્ટ્રિશ્યનો રીપેર કરી નાંખતા હોય છે, તેથી વીજ સપ્લાઈ તથા ફોલ્ટ નિવારણ વ્યવસ્થાઓ નાનામાં નાના ગામડા સુધી વધુ મજબૂત અને નિયમિત કરવાની જરૂર છે, કારણ કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ અનેકગણો વધી રહ્યો હોવાથી નિયમિત - અવિરત વીજ પુરવઠાની ડિમાન્ડ પણ સ્વાભાવિક રીતે જ વધી રહી છે.

જામનગરની મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરની મિટિંગમાં રંગમતી નદીને ઉંડી ઉતારીને તેમાં જળસંગ્રહ ક્ષમતા વધારવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠાની પાઈપ લાઈનોના ખર્ચની દરખાસ્તો પણ મંજૂર થઈ, તેમ છતાં આ વર્ષે ઉનાળામાં નગરને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે, તેવા આશ્વાસનો કેટલા સાચા પડે છે, તે જોવું રહ્યું.

હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ દેશના નવ રાજ્યોમાં તો હીટવેવ અને ગરમ પવન ફૂંકાવાની તાજી આગાહી હવામાન ખાતાએ કરી છે, અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હોવાથી ગુજરાતને પણ એલર્ટ કરાયું છે, ત્યારે હવે તંત્રોએ પીવાનું પાણી અને વીજ પુરવઠા ઉપરાંત હવે આરોગ્ય અને તબીબી ક્ષેત્રે પણ સજ્જ રહેવું પડશે, અને ઋતુજન્ય રોગચાળો, સનસ્ટોક તથા બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીથી જાહેર આરોગ્ય પર ખતરો ઊભો ન થઈ જાય, તે માટે જાગૃત રહેવું પડશે. હવે આ માટે ચેકીંગ કરતા તગડા પગાર મેળવતા સંબંધિત તંત્રો 'સિમ્બોલિક' ચેકીંગ કરવાથી આગળ વધીને ગ્રામ્ય વિસ્તારો સહિત "સાર્વત્રિક" ચેકીંગ કરે, તે જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેન્દ્રના બેવડા ધોરણો...? ક્રૂડના ભાવ ઘટાડાનો ફાયદો કોને...?

ગઈકાલે દુનિયાભરના શેરબજારો કડડભૂસ... કરતા ફસડાઈ પડ્યા અને હાહાકાર મચી ગયો. નગરથી નેશન સુધી અને ગામડાઓથી ગ્લોબ સુધી કોણે કેટલા ગુમાવ્યા...? તેની જ ચર્ચા થતી રહી અને ટ્રમ્પના ટેરિફ એટેકને જવાબદાર ગણાવાતો રહ્યો. હજુ શેરબજારની કળ ઉતરી નહોતી, ત્યાં જ દેશવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો.

ગઈકાલે એલપીજી ગેસના ભાવોમાં વધારો ઝીંકી દેવાયો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જ જાહેરાત કરી કે ગઈકાલથી સબસીડીવાળા અને સબસીડી વગરના તમામ ગેસ સિલિન્ડર દીઠ પચાસ રૂપિયાનો વધારો લાગુ કરી દેવાયો છે. આ જાહેરાતો ઘરખર્ચના બે છેડા માંડ પૂરા કરી રહેલી મહિલાઓ (ગૃહિણીઓ) ને પણ ઝટકો આપ્યો અને મોંઘવારીના મારથી પિડીત પુરૂષવર્ગમાં પણ નારાજગી ફેલાવા લાગી.

રાજયભરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મિલ્લાકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, મોદી સરકારે લોકોના ઝખમ પર મીંઠુ ભભરાવવાનું કામ કર્યુ છે. ખડગેએ ખૂબ જ આક્રમક ભાષામાં "એક્સ" પર પોષ્ટ કરીને લખ્યું કે, ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ૪૧ ટકા જેટલો ભાવ ઘટાડો થયો, તેનો લાભ જનતાને આપવાના બદલે લૂંટારી સરકારે એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ બે રૂપિયા વધારી દીધી છે. ખડગેએ આ પોષ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જે લખ્યુ, તે ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યું. શેરબજારમાં રોકાણકારોને ૧૯ લાખ કરોડનું જંગી નુકસાન થયું, તેના માટે પણ મોદી સરકારની કુંભકરણી જેવી ઊંઘ (લાપરવાહી) ને જવાબદાર ગણાવીને ખડગેએ લખ્યું કે, મોદી સરકારે એલપીજીના ભાવો વધારીને ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. તેમણે ઉજ્જવલાની ગરીબ મહિલાઓની બચત પર તરાપ મારવાનો આક્ષેપ કરીને કહ્યું કે, લૂંટ અને જબરદસ્તી વસુલી એ મોદી સરકારના જાણે પર્યાય બની ગયા છે.

બીજી તરફ ભૂતકાળમાં એલપીજી ગેસમાં ભાવો વધ્યા, તેવા સમયે યુપીએ સરકારના સમયગાળાનો વડાપ્રધાન મોદીનો જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાના અહેવાલોમાં જે કાંઈ કહેવાય રહ્યું છે, તેને સાંકળીને કોંગ્રેેસ પાર્ટી આને મોદી સરકારના બેવડા ધોરણો ગણાવીને જનતા પર મોંઘવારીનો બેવડો બોજ ઝીંકવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ઘરેલું ગેસ સિલિન્ડર પર પચાસ રૂપિયાનો બોજો નખાતા ગરીબ અને મધ્યમવર્ગની ગૃહિણીઓના બજેટ તો ખોરવાઈ જ જશે, સાથેસાથે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અપેક્ષાકૃત ઘટાડો નહીં થતા દેશની જનતા છેતરાઈ હોવાની અનુભૂતિ કરી રહી હશે.

કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો, પરંતુ તેનો બોજ ઓઈલ કંપનીઓ પર લાદ્યો (નાંખ્યો) છે, જેથી પેટ્રોલ-ડીઝલની રિટેઈલ પ્રાઈઝમાં કોઈ વધારો નહીં થાય, પરંતુ કંપનીઓને તેની અસર થશે.

સરકારે લીટરદીઠ એક્સાઈઝ ડ્યૂટી બે રૂપિયા વધારી છે, જે કદમ ઓએમસીને ગેસ સેગમેન્ટમાં થયેલા રૂ.  ૪૩૦૦૦ કરોડનું વળતર મળી રહે, તેવા હેતુથી ઉઠાવાયુ હોવાનું કહેવાય છે. જો કે, અંતે તો આ વિષચક્રનો અંત પબ્લિક મનીમાંથી થતી ચૂકવાણીઓ દ્વારા જ આવશે ને...?

ટૂંકમાં ક્રૂડમાં ભાવ ઘટાડાનો ફાયદો દેશવાસીઓને થવાનો નથી. વૈશ્વિક ક્રૂડના ભાવો ઘટતા લોકોને એવી આશા હતી કે, પેટ્રોલ-ડીઝલના ભાવો પણ ઘટશે અને તેના કારણે તમામ વીજ વસ્તુઓ તથા પેઈડ સેવાઓની મોંઘવારીમાં પણ રાહત થશે, પરંતુ આ આશા ઠગારી નિવડી છે અને વિપક્ષો કેન્દ્રના બેવડા ધોરણોની આલોચના કરી રહ્યાં છે, તો બેરોજગારી અને મોંઘવારીના બેવડા મારમાં પીસાતી જનતા ગેસના ભાવોમાં ઘટાડા માટે આગામી ચૂંટણીઓની રાહ જોઈ રહી છે, જોઈએ, સરકાર કૃપાળુ બને છે કે નહીં...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કુદરતી-કૃત્રિમ ગરમીના માહોલ વચ્ચે

જામનગર સહિત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, અને આ વર્ષે ગરમી નવા રેકોર્ડસ સ્થાપશે, તેવા અનુમાનો વચ્ચે ભારતીય હવામાન વિભાગે અલનીનોની સંભાવનાઓને નકારી દેતા ચોમાસા વિષે ઊભી થઈ રહેલી આશંકાઓ ઓછી થઈ છે. જો કે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચોમાસુ કેવું રહેશે, તેની સચોટ આગાહી કરવા માટે એપ્રિલ એન્ડીંગ સુધી રાહ જોવી પડશે. એપ્રિલથી જૂન સુધી પ્રચંડ ગરમી (હીટવેવ) ની આગાહી થઈ છે, અને પૂર્વ ભારતમાં ૧૦ દિવસ સુધી ગરમીના મોજા ઉછળવાની સંભાવના જણાવાઈ છે.

તો આજે ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારો કડડભૂસ થઈ ગઈ હોવાથી ગભરાટ ફેલાયો છે.

એક તરફ બળબળતા બપોર અને ધોમધખતા તાપ સાથે ઉનાળાનો પ્રકોપ જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની અસરોના કારણે સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, જેની સીધી કે આડકતરી અસરો અર્થતંત્રો અને વૈશ્વિક પરિવહન, જનજીવન અને સરકારો પર પણ પડી રહી છે. ગઈકાલે રામનવમી ઉજવાઈ, અને આજે તેના પારણાં થઈ રહ્યાં છે, ત્યારે ભગવાન શ્રીરામની કૃપા સૌ પર વરસે તેવું પ્રાર્થીએ...

કુદરતી ગરમીની સાથે-સાથે વિશ્વભરમાં ટ્રમ્પ ટેરિફ યુદ્ધો અશાંતિ, વિદ્રોહ અને અનિશ્ચિતતાઓના કારણે વૈશ્વિક અને ઘરઆંગણાની રાજનૈતિક તથા કૂટનૈતિક ગતિવિધિઓને પણ માઠી અસરો થઈ રહી છે.

અત્યારે દેશભરમાં વકફ બિલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેની સામે તરફેણમાં પણ નિવેદનો આવી રહ્યા, આ બધી ગતિવિધિઓની વચ્ચે સંસદે - રાજયસભાએ પાસ કર્યા પછી વકફ સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહી થતા જ તે હવે "કાયદો" બની ગયું છે.

નવું વકફ શંસોધન બિલ "ઉમ્મીદ" ના નામે ઓળખાશે, જેનું ફૂલ ફોર્મ "યુનાઈટેડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ" રખાયું છે. આ બિલ અંગે સરકારનો દાવો એવો છે કે, વકફના વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને વ્યાપકતાનો સમાવેશ થયો છે. જે ગરીબ મુસ્લિમો પોતાના અધિકારોથી વંચિત રહેતા હતા, તેઓને તેઓનો હક્ક મળશે.

દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે, મહિલાઓને પણ વકફની મિલકતો પર સમાન અધિકારો છે. આ કાયદો લૈંગિક સમાનતાને પ્રોત્સાહિત કરવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, વિગેરે...

જો કે, વિરોધપક્ષો આ મુદ્દે એકજૂથ થઈ ગયા છે, અને આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેને સુપ્રિમકોર્ટમાં પડકારવાનું જાહેર કર્યુ છે. આ કાયદાના વિરોધમાં દેશવ્યાપી દેેખાવો તો થઈ રહ્યાં છે, પરંતુ સુપ્રિમકોર્ટમાં આ કાયદાના વિરોધમાં ચાર જેટલી અરજીઓ પણ દાખલ થઈ ગઈ હોવાના અહેવાલો છે, આ કારણે હવે આ મુદ્દે કાનૂની જંગ લડાશે, તે નક્કી છે.

વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલી અરજીઓમાં મુખ્યત્વે આ કાયદાને ગેરબંધારણીય કરાવવાની માંગણી કરવામાં આવી છે, અને અરજીમાં તર્ક અપાયો છે કે, આ કાયદો વકફ પ્રોપર્ટી અને તેમના મેનેજમેન્ટ પર મનસ્વી નિયંત્રણો લાદે છે, જેથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયતતાને નુકસાન પહોંચે છે. સરકારનું કહેવું છે કે, આ નવો કાયદો કોઈપણ રીતે મુસ્લિમ સમુદાયના ધાર્મિક માળખાને અસરકર્તા નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ માટેની એડમિનિસ્ટ્રેટિવ જોગવાઈઓ જ કરે છે. હવે આ મુદ્દો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, ત્યારે તેમાં તબક્કાવાર સુનાવણીઓ થશે, તે દરમિયાન હજુ વધુ તાર્કિક અને કાનૂની મુદ્દાઓ ઉદ્ભવશે.

વકફ સુધારા બિલનો મુદ્દો હવે માત્ર સામુદાયિક કે કાનૂની નથી રહ્યો, પરંતુ શુદ્ધ રાજનૈતિક મુદ્દો બની ગયો છે, અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભાજપના મુસ્લિમ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલો પણ છે.

ભારતીય જનતા પક્ષને એક તરફ સમગ્ર દેશમાં વકફ બિલના કારણે થોડા-ઘણાં અંશે પણ આંતરિક અજંપો વર્તાઈ રહ્યો હશે, ત્યાં તામિલનાડુમાં ત્યાંના પ્રદેશ ભાજપ પ્રમુખના રાજીનામાનું પ્રકરણ તામિલનાડુમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું કહેવાય છે કે, તામિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણીમાં એઆઈએડીએમકે સાથે ગઠબંધન માટે તામિલનાડૂના વર્તમાન પ્રદેશ પ્રમુખનો ભોગ લેવાયો છે, જે હોય તે ખરૃં, પણ ભાજપ, નિતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડૂ માટે કપરાં ચઢાણ તો છે જે...

ગ્લોબલ વોર્મિંગ, ટેરિફ ટેસ્ટ, ટ્રેડવોર, ગૃહયુદ્ધો, યુદ્ધો અને રાજકીય ગરમીના આ માહોલમાં સાઉદી અરેબિયાએ વધારો કર્યો છે, ત્યાંના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાન સહિતના ૧૪ દેશો માટે વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે...!

જો કે, બિઝનેસ, ઉમરાહ એન ફેમિલી વિઝા પર મૂકાયેલો આ પ્રતિબંધ ૧પમી જૂન અથવા જૂનના ત્રીજા સપ્તાહ સુધી જ ચાલુ રહેશે, અને ઉમરાહ વિઝા ધરાવતા લોકોને થોડી છૂટછાટ પણ અપાઈ છે, પરંતુ આ પ્રતિબંધ હજ્જયાત્રામાં થતી ગેરકાનૂની ઘૂસણખોરી અટકાવવા લેવાયો હોવાનું કહેવાય છે, એવું કહેવાય છે ક,ે અન્ય વિઝા) પર પ્રવેશ મેળવીને અયોગ્ય રીતે હજયાત્રા કરવાની આ પ્રવૃત્તિના કારણે હજયાત્રા માટે જરૂરી પ્રબંધો કરવામાં મુશ્કેલી પડતી હતી, જેથી ભીડ વધતી હતી તથા હજયાત્રીઓની સુરક્ષા અને સલામતીને લઈને સમસ્યાઓ ઊભી થતી હતી. આ કારણે આ પ્રકારનો હંગામી પ્રતિબંધ લગાવાયો છે. ભાગદોડ કે અવ્યવસ્થાઓ સર્જાતી અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત ત્યાંની સરકારે કર્યા પછી આશંકાઓ અને અટકળોનો દોર ખતમ થયો છે.

અત્યારે મોદી-૦૩ ને નવ મહિના થયા તેમ છતાં કેન્દ્રીય મંત્રી બનેલા જે.પી. નડ્ડાના સ્થાને ભાજપ હજુ સુધી નવા અધ્યક્ષ જાહેર કરી શક્યું નથી, અને એવું જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના કિસ્સામાં થયું છે. બીજી તરફ કર્ણાટક કોંગ્રેસમાં પણ સિધ્ધાર મૈયા અને ડી. શિવકુમારનો ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ બધી ગરમીઓની વચ્ચે લોકોને ઠંડક મળે, કાંઈક રાહત થાય, તે માટે ભગવાન શ્રી રામને પ્રાર્થીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બળબળતો ઉનાળો.... તંત્રોની તૈયારી કેવી...? વીજ તંત્રો, પાણીપુરવઠા તંત્રોની કસોટી...

ઉનાળોઆવ્યો અને ક્રમશઃ તાપમાન વધી રહ્યું છે, આગઝરતી ગરમીની આગાહીઓ થઈ રહી છે અને બપોરના સમયે સૂર્યપ્રકોપના કારણે લોકો બહાર નીકળતા નથી અને રહેણાંક વિસ્તારોમાં તો કુદરતી કરફ્યૂ જેવું વાતાવરણ સર્જાઈ જ જાય છે, પરંતુ બજારો પણ સુમસામ થઈ જાય છે. ગઈકાલે જામનગરનું તાપમાન ૪૦ ડીગ્રી નજીક પહોંચતા પ્રચંડ ગરમીથી નગરજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતાં. કેટલાક શહેરોમાં તો તાપમાન ૪૩-૪૪ ડીગ્રીથી પણ વધી જતા જનજીવન પ્રભાવિત થયું હતું.

રાજ્યમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઘણાં શહેરોમાં ૪૦ થી ૪પ ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અસહ્ય ગરમીના કારણે ધંધા-વ્યવસાય ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે અને રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવનારા અત્યંત ગરીબ પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, એપ્રિલમાં આટલી ભયંકર ગરમી પડી રહી છે, ત્યારે મે મહિના અને જૂનમાં ચોમાસાના પ્રથમ વરસાદ થતા સુધી શું થશે, તેનું આકલન કરીને સંબંધિત તંત્રો અત્યારથી જ તૈયારી નહીં કરે, તો આ ઉનાળામાં જિંદગી જીવવી મુશ્કેલ બની જશે.

તંત્રોએ અત્યારથી જ ધોમધખતો ઉનાળો, સંભવિત માવઠું અને ઋતુચક્રમાં થતા ફેરફારોને લક્ષ્યમાં રાખીને જરૂરી પ્રબંધો વિચારી લેવા પડશે, અને જરૂરી પ્રક્રિયા, દરખાસ્તો, મંજૂરીઓ, એસ્ટીમેટ, કાર્યયોજના અને વૈકલ્પિક વ્યવસ્થાઓ સહિતનો રોડમેપ તૈયાર કરી લેવો પડશે, અન્યથા આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવો ઘાટ સર્જાશે.

ગયા વર્ષે જ્યારે ગરમીનો પ્રચંડ પ્રકોપ હતો, ત્યારે પંખા, એ.સી., કૂલર, ફ્રીઝ અને બરફનું ઉત્પાદન કરતા સાધનોના ઉપયોગમાં અનેકગણો વધારો થયો હતો, અને તેના કારણે લોડ વધી જતા ઘણાં વિસ્તારોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું, તો લો વોલ્ટેજની સમસ્યાના કારણે પણ ઠંડક આપતા સાધનો ચાલી શક્યા નહોતા. વોલ્ટેજની વધઘટના કારણે ઘણાં સ્થળે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી ઘરેલુ વ્યવસ્થાઓ પણ વેરવિખેર થઈ જતી હતી. વીજતંત્રોએ આ વર્ષે ગયા વર્ષનો અનુભવ અને ચાલુ વર્ષે અંદાજીત ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો જાળવી રાખવાની કવાયત કરી લેવી પડશે અને જ્યાં જરૂર હોય ત્યાં વીજ લાઈનો તથા તેને સંલગ્ન ઉપકરણોની ક્ષમતા વધારી લેવી પડશે.

જામનગર સહિતના શહેરોની વસ્તી વધી છે. વેકેશનનો માહોલ છે. વીજ ઉપકરણોની જરૂરિયાતો પણ વધી રહી છે. અત્યારે ઘેરઘેર એરકન્ડીશન્ડ મશીનો, વોશીંગ મશીનો, ઘરઘંટી, ટેલિવિઝન, વીજ આધારિત ચુલાઓ, ઈલેક્ટ્રિક મોટરો, એરકૂલરો, રેફ્રીજરેટરો અને ઈ-વાહનોની સુવિધાઓ ઉપલબ્ધ બની છે, અને હવે મધ્યમવર્ગીય પરિવારો તથા અપર-પૂઅર વર્ગોના પરિવારો પણ આ પ્રકારના વીજ આધારિત ઉપકરણો તથા સેવાઓ મેળવવા લાગ્યા છે, ત્યારે જરૂર પહેલા ડોર-ટુ-ડોર સર્વે કરીને પણ શહેરમાં અંદાજીત કેટલાક ઉપકરણો છે, તેના અંદાજ આધારિત વીજક્ષમતા વધારવાની કવાયત અત્યારથી જ કરી લેવી જોઈએ, જેથી ભર ઉનાળે ધોમધખતી ગરમીમાં પીસાતી જનતાને થોડી રાહત આપી શકાય.

જામનગર મહાનગરપાલિકાના તંત્રો દ્વારા ઘેર-ઘેર નળ દ્વારા અપાતો પાણી પુરવઠો ઉપરની ટાંકીમાં પહોંચાડવા ભૂગર્ભ ટાંકીઓમાં દેડકો મોટર કે ઈલેક્ટ્રિક મોટરો પણ વાપરવામાં આવે છે, અને તેનો અંદાજ ભાગ્યે જ ગણતરીમાં લેવાતો હોય, તે ઉપરાંત વીજ આધારિત વ્યવસાયો, ઔદ્યોગિક-વ્યાપારિક જરૂરિયાતો અને કોમ્પ્યુટર્સ, વાયફાય અને મોબાઈલ સેલફોન આધારિત પ્રવૃત્તિઓ માટે પણ વીજ પુરવઠાની જરૂર તો પડવાની જ છે ને...?

ટૂંકમાં વીજતંત્રોએ માઈક્રો પ્લાનીંગ પણ કરવું જોઈએ અને અત્યારથી વિસ્તારવાઈઝ અંદાજો કાઢીને તે મુજબ વીજલાઈનો તથા સંલગ્ન સાધનોનું અપગ્રેડેશન કરી લેવું જોઈએ.

વીજ તંત્રોની જેમ જ પાણી પુરવઠાના વિભાગ તથા પાલિકા-મહાપાલિકા, પંચાયતોના વોટરવર્કસ તંત્રોએ પણ ઉનાળામાં માનવી અને પશુઓ માટે જરૂરી પાણી પુરવઠાનો અંદાજ કાઢીને આગામી બે-અઢી મહિના સુધી એટલે કે જુલાઈ મહિના સુધીનું માઈક્રો પ્લાનીંગ કરી લેવું જોઈએ. તે ઉપરાંત જે વિસ્તારોમાં હજુ પણ ટેન્કરો ચાલી રહ્યાં છે, ત્યારે ટેન્કરોના ફેરા કે સંખ્યા વધારીને લોકોને કમસેકમ પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે, તેવી વ્યવસ્થાઓ તંત્રોએ અત્યારથી જ કરી લેવી જોઈએ, ખરૃં ને...?

ઉનાળામાં વીજ વપરાશ વધવાની સાથેસાથે આગ અકસ્માત જેવી ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે, જેથી ઉનાળાના પ્રારંભે જ ફાયરસેફટી સહિતની વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવે તે જરૂરી છે. ઉનાળામાં ઘણી બધી સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ પાણીના પરબ, છાશ વિતરણ તથા શિતળ છાંયડાની વ્યવસ્થાઓ થતી હોય છે, અને ઘરવિહોણાં રખડતા-ભટકતા લોકો માટે શેલ્ટર હોમ પણ ઊભા કરાતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનું સંકલન કરીને જરૂરિયાત મુજબના તમામ સ્થળોએ સમાન ધોરણે પૂરતા પ્રમાણમાં આ નિઃશુલ્ક સેવાઓ મળી શકે તેવું સંકલિત આયોજન થાય તે ઈચ્છનિય રહેશે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટ્રમ્પનો ટેરિફ ટેરર... અમેરિકા ખુદ ડૂબશે, દુનિયાને પણ ડૂબાડશે...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદીને પગ પર કૂહાડો માર્યો હોય, તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે. શેરબજારો ડગમગવા લાગ્યા છે, અને ડોલરને પણ ફટકો પડવા લાગ્યો છે. વ્યાપારમાં "જેવા સાથે તેવા" નો અભિગમ ચાલે નહીં, કારણ કે, વિવિધ દેશોમાં માંગ, પુરવઠાની ઉપલબ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર તથા પરસ્પર દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય કરારો, સમજૂતિઓ અને ખાસ કરીને વિવિધ દેશો સાથેના દ્વિપક્ષીય રાજનૈતિક તથા કૂટનૈતિક સંબંધો અને ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન તથા ટ્રાન્ઝેકશન જેવા તમામ પરિબળો પર વ્યાપારિક ગતિવિધિઓનો આધાર રહેતો હોય છે, અને તેમાં ઋતુચક્ર, કુદરતી આફતો અને વૈશ્વિક શાંતિ-અશાંતિ-યુદ્ધો વગેરેની અસર પણ થતી હોય છે. આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ ઘર આંગણે જ ઝટકાઓ લાગે અને આંતરિક અવરોધો ઊભા થાય, તો તેમાં નવાઈ નહીં લાગે.

વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ, શેરબજારો, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રો અને બેન્કીગ ક્ષેત્રોના તજજ્ઞો, વિશ્લેષકો અને બ્યુરોક્રેટ્સના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છ કે, ટ્રમ્પનો ટેરિફ ટેરર અમેરિકાને તો ડુબાડશે જ, પરંતુ આખી દુનિયાને પણ માઠી અસરો પહોંચાડશે. કેટલાક જાણકારો માને છે કે, ટેરિફ નીતિ પછી ભારત-અમેરિકાના સંબંધો બગડશે.

અમેરિકાના મશહૂર અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગ તર્કબદ્ધ પ્રત્યાઘાતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ટ્રમ્પની ટેરિફ પોલિસીથી અમેરિકા મંદીના વમળમાં ફસાઈ શકે છે, અને અર્થતંત્રને ફટકો પડી શકે છે. રોઝનબર્ગે તો ત્યાં સુધી કહ્યું છે કે, ટ્રમ્પની આ પોલિસી માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયાને મહામંદીમાં ધકેલી શકે છે અને આ વૈશ્વિક મંદીની અસરો ઘણી જ ગંભીર હશે.

ટ્રમ્પના કદમની બોમ્બ, ટેરર કે એટેક જેવા ભારેખમ શબ્દપ્રયોગ કરીને જે આલોચના થઈ રહી છે, તેમાંથી વૈશ્વિક પ્રત્યાઘાતોની આક્રોશિત જનભાવનાઓ પ્રગટે છે, અને વિવિધ ક્ષેત્રોમાંથી પણ તીવ્ર નારાજગી સાથેના ઘરઆંગણે ચર્ચાઈ રહેલા પ્રત્યાઘાતો પછી ટ્રમ્પ કદાચ થોડા નરમ પડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.

જો કે, ભારતને લાગે-વળગે છે ત્યાં સુધી ભારત પર ર૭ ટકા જેવો ટેરિફ લગાવ્યા પછી પણ એટલો મોટો ફટકો નહીં લાગે, જેટલા નુકસાનની કલ્પના કરવામાં આવે છે, તેવું ભારતીય રિઝર્વબેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન સહિતના કેટલાક ફાયનાન્સ એન્ડ બેંન્કીગ સેક્ટરના નિષ્ણાતોનું મંતવ્ય છે.

રઘુરામ રાજને ટ્રમ્પના ટેરિફ એટેકને સેલ્ફ ગોલ ગણાવ્યો છે, જેને ગુજરાતી કહેવત મુજબ પોતાના જ પગ પર કૂહાડો મારવા જેવું કદમ ગણાવી શકાય.

જો કે, ટ્રમ્પે ટેરિફ લગાવ્યા પછી અમેરિકન કસ્ટમર્સને વિપરીત અસરો થતા ડિમાન્ડ ઘટશે અને ટ્રમ્પે ૬૦ દેશો પર નોંધેલા ટેરિફની નેગેટિવ અને પોઝિટિવ અસરોનો સરવાળો-બાદબાકી કરતા એકંદરે ભારતને ઓછી વિપરીત અસર થશે, તેવું રઘુરામ રાજન માને છે.

ભારતની અમેરિકામાં નિકાસ ઓછી થતી હોવાથી આખી ઈન્ડિયન માર્કેટ કે ઈકોનોમીને સીધી અને ગંભીર અસરો થવાની સંભાવના ઓછી છે. અમેરિકાએ ટેરિફ વધારતા ચીન જેવા દેશને પણ ભારતની જરૂરિયાતો મુજબની નવી વ્યાપાર નીતિ અપનાવશે, જેનો ફાયદો પણ ભારતને થઈ શકે છે.

રઘુરામ રાજન માને છે કે, જ્યારે આખી દુનિયા "નેશન ફર્સ્ટ" ની નીતિ અપનાવીને પોતાને "સુરક્ષિત" રાખવાને અગ્રીમતા આપતી હોય, ત્યારે ભારતે પણ ચાલાકીપૂર્વક કામ કરવું જોઈએ. ભારતે યુરોપ, આફ્રિકા અને ચીન સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા ઉપરાંત ચીન સાથે સાવધાનીપૂર્વક અને સમોવડિયા થઈને નવી ફૂડપોલિસી અખત્યાર કરવી જોઈએ.

રઘુરામ રાજન એવું પણ માને છે કે, ભારતે આડોશ-પાડોશના દેશો સાથે સહયોગ વધારીને સંબંધો મજબૂત બનાવવાની જરૂર છે. પડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધો અને મતભેદોની વિપરીત અસરો વ્યાપાર અને આર્થિક વ્યવહાર પર પડવી ન જોઈએ. ચીને તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પ૪% ટેરિફનો મુદ્દો લઈ જવાનું મન બનાવ્યું છે, તેવા અહેવાલો પછી વૈશ્વિક ટ્રેડ વોર અને સંભવિત મંદીની સંભાવનાઓ વચ્ચે ભારતે "નેશન ફર્સ્ટ" ની નીતિ મુજબ નવા સમીકરણો રચવા પડશે. આ ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન સાંસદોના પ્રત્યાઘાતો પણ નોંધનીય છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તો ટ્રમ્પ પર દગાબાજીનો આરોપ લગાવતા કહ્યું કે, આ કોઈ મિત્ર જેવો વ્યવહાર નથી. ઓસ્ટ્રેલિયાના એકાદ-બે ટાપુ પર તો માનવ વસ્તી જ નથી, ત્યાં લગાવાયેલા રેસિપ્રોેકલ ટેરિફની હાંસી પણ ઉડાવાઈ રહી છે.

ભારતમાં ટ્રમ્પની ટેરિફ નીતિની મિશ્ર અસરો થશે, અને કેટલાક સેક્ટર્સને લાભ પણ થશે, તેવા અભિપ્રાયો અને તેના સંદર્ભે થઈ રહેલી ચર્ચા મુજબ ભારતના જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની પોલિસીથી ગંભીર ફટકો પડવાની સંભાવનાઓ જણાવાઈ રહી છેે, કારણ કે, ભારતમાંથી જ્વેલરી, હીરા, રત્નો, ફાર્મા પ્રોડક્ટસ, ટેલિકોમ્યુનિકેશનના ઉપકરણો, પેટ્રો પ્રોડક્ટસ, ગારમેન્ટસ વિગેરેની નિકાસ થાય છે. બીજી તરફ અમેરિકાએ બીજા દેશો પર લગાવેલા ભારે ટેરિફથી ટેક્સટાઈલ્સ સેક્ટરને ફાયદો થઈ શકશે. જ્યારે કેટલાક સેક્ટરોમાં ટેરિફ નહીં લગાડાતા રાહત પણ થઈ છે. જોઈએ, હવે તબક્કાવાર ટ્રમ્પ ટેરિફના અમલીકરણ પછી શું થાય છે તે...!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મધરાત્રે ત્રિપલ ધમાકા... દેશ-દુનિયામાં હલચલ... વિશ્વબજારમાં ઉથલપાથલ...

ગઈકાલે જામનગર નજીક જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થવાના સમાચારોએ ચિંતા જગાવી હતી, તે પણ દેશવાસીઓ મીઠી ઊંઘ માણી રહ્યાં હશે ત્યારે જાણે કે, ત્રિપલ ધમાકા થયા હોય, તેવી હલચલ દેશ અને દુનિયામાં અનુભવાઈ હતી. દેશમાં જે લોકો સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યાં હતાં. તેઓએ ગઈકાલની લગભગ ૧૩ કલાકની લાંબી ચર્ચા પછી લોકસભામાં વકફનું બિલ બહુમતીથી પસાર થયું, તે પછી મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચર્ચા નિહાળી હશે, તે પછી અમેરિકામાં ટ્રમ્પે ટેરિફ એટેકની જાહેરાત કરી ત્યારે દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.

ભારતમાં મધ્યરાત્રિ વીતી ગઈ હતી, તેવા સમયે ટ્રમ્પે ભારત પર ૨૬ ટકા સહિત વિવિધ દેશો પર જંગી રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી.

ગઈકાલે મધ્યરાત્રિ પછી બહુમતીથી વકફનું બિલ પસાર તો થયું, પરંતુ તે પહેલા થયેલી લાંબી ચર્ચામાં લગભગ તમામ રાષ્ટ્રીય પક્ષો તથા અપક્ષ સાંસદોએ પણ મન મૂકીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં અને તીખાતમતમતા ભાષણો કર્યા હતાં. વિરોધપક્ષોએ એકજૂથ થઈને મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી અને વકફ બિલ પાછળ સરકારની ગુપ્ત નીતિ-રીતિઓ અંગે આશંકાઓ વ્યક્ત કરી હતી. કેટલાક સાંસદોએ સરકાર બંધારણ પર આક્રમણ કરી રહી હોવાના આક્ષેપો લગાવ્યા હતાં. તો સરકાર તરફથી એનડીએના સાંસદોએ પણ તેટલી જ કડક અને આક્રમક ભાષાના જવાબો આપીને આક્ષેપો ફગાવ્યા હતાં.

લાંબી ચર્ચાના અંતે પાક્કી બહુમતી સાથે વકફ બિલ પસાર થઈ ગયું અને સરકારને વિપક્ષો કરતા પ૩ મતો વધુ મળ્યા, તેથી મોદી સરકાર તથા એનડીએ મજબૂત દેખાયા અને આજે બપોરે આ બિલ રાજ્યસભામાં રજૂ થયા પછી તેના પર લાંબી ચર્ચા થશે અને જો રાજ્યસભા પણ આ બિલ પાસ કરી દેશે, તો તે પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે કાયદો બની જશે. જો કે, તે પછી પણ વિરોધપક્ષો દ્વારા આ બિલનો વિરોધ થતો રહેશે અને કદાચ આ મુદ્દો અદાલતની અટારીએ પહોંચે, તો પણ નવાઈ જેવું નહીં હોય, કારણ કે, કેટલાક નેતાઓએ આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે, એવું કહેવાય છે કે, વિપક્ષના એક સાંસદે તો બિલને ત્યાં જ ફાડ્યું, તેમાંથી નવો વિવાદ ઊભો થયો છે.

ગઈકાલે મધ્યરાત્રિ પછી લગભગ બે વાગ્યાની આસપાસ આ બિલ લોકસભામાં પાસ થયું હતું, જેથી આપણાં દેશને અડધી રાત્રે આઝાદી મળી, ત્યારથી લઈને જીએસટીની મંજુરી સુધીના મહત્ત્વના નિર્ણયો સંસદમાં મધ્યરાત્રિ કે મોડી રાત્રે લેવાયા હોવાની ચર્ચા પણ થવા લાગી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર-ર૦૧૬ ની રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાતનો અમલ પણ તે દિવસે મધ્યરાત્રિથી જ શરૂ થયો હતો ને...?

હજુ તો વકફ બિલ પાસ થયા પછી લોકસભામાં મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસનના મુદ્દે ચર્ચા શરૂ જ થઈ હતી, ત્યાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું બ્યુગલ ફૂંક્યુ હતું અને તેનું જીવંત પ્રસારણ વિશ્વભરના ટેલિવિઝન નેટવર્ક તથા રેડિયો બ્રોડકાસ્ટીંગ વિગેરે માધ્યમો દ્વારા થવા લાગ્યું હતું. તેમાં સૌથી પહેલા તેમણે ઓટોમોબાઈલ્સ સેક્ટર માટે રપ% ટેરિફની જનરલ જાહેરાત કરી હતી અને પછી ક્રમશઃ રેસિપ્રોકલ ટેક્સની ઘોષણા કરી હતી. જ્યારે ટ્રમ્પ આ ટેરિફવોરની જાહેરાત કરી રહ્યાં હતા, ત્યારે જ  દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "મિત્રો" ગણાવ્યા, અને હળવેકથી ભારત પર ર૬% ટેરિફ પણ લગાવી દીધો, તે પછી આજે આવી રહેલા પ્રતિભાવોમાં "મોદી-ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી દેશને શું કામની...?" તેવા સવાલો સાથે મોદી સરકારની વિદેશનીતિ તથા અનિર્ણાયક અથવા કન્ફ્યુઝડ પોલિસીની આલોચના પણ થવા લાગી છે, અને હવે બિમ્સ્ટેકમાં પી.એમ. મોદીના વલણ પણ સૌની નજર રહેવાની છે.

ભારત પર ર૬% ટેરિફ લગાવવા છતાં ટ્રમ્પે ભારત સાથે જાણે મિત્રતા નિભાવી હોય તેવા સ્વરમાં કહ્યું કે, ભારત-અમેરિકા પર બાવન ટકા ટેરિફ લગાવે છે, પંરતુ અમે (અમેરિકા) ભારત પર અડધો જ ટેરિફ લગાવ્યો છે...!

જો કે, ટ્રમ્પે પાંચ-સાત અપવાદો સિવાય દુનિયાના અનેક દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો છે અને રેસિપ્રોકલ ટેરિફ ટેરરની હકીકતમાં જાહેરાત કરીને તેના અમલની તારીખો પણ જાહેર કરી દીધી છે.

ભારત પર ર૬% ટેરિફ અને ઓટોમોબાઈલ પર રપ% ટેરિફના એટેકથી ભારતમાં તો હલચલ મચી જ છે, પરંતુ દુનિયાભરના બજારોમાં આજે જે હડકંપ મચ્યો છે, તે આપણી સામે જ છે. દુનિયાભરના શેરમાર્કેટમાં પણ અફરાતફરી મચી ગઈ છે, અને ભારતનું શેરબજાર પણ પછડાયું છે... ભારત સરકારે તો આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ ઊભો કરી દીધો છે...!

ગઈકાલે મધ્યરાત્રિ પછી સંસદમાં વકફ બિલ પાસ થયું અને મણીપુરનું રાષ્ટ્રપતિ શાસન પણ ગુંજ્યું, અને તેની સાથે-સાથે ટ્રમ્પનો ટેરિફ એટેક થયો, તે ત્રિપલ ધમાકાઓના તીવ્ર આફટરશોક્સ આજે પણ આવી રહ્યાં છે., અને ટ્રેડવોર અને જમીન યુદ્ધોમાં અટવાયેલી દુનિયાના તમામ સમીકરણો હવે ધરમૂળથી બદલાઈ જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

એક રસપ્રદ ઘટના એ પણ બની હતી કે, ટ્રમ્પની સામે ડેમોક્રેટ સાંસદ કોરી બુકરે ત્યાંની સેનેટમાં સોમ-મંગળવારે નોનસ્ટોપ રપ કલાક અને પાંચ મિનિટ સુધી ભાષણ કરીને ટ્રમ્પના મનસ્વી અને આડેધડ નિર્ણયોથી તેમનો દેશ - (અમેરિકા) સંકટમાં હોવાનો આક્ષેપ કર્યો હતો, અને તે પછી ટ્રમ્પે ગઈકાલે ત્યાંના સમય મુજબ સાંજે સાડાચાર વાગ્યે ટેરિફવોરનું બ્યુગલ ફેંકતું આક્રમક ભાષણ કર્યુ હતું. ઘણાં વૈશ્વિક વિશ્લેષકો આ બન્ને ઘટનાક્રમોને જોડીને એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, આ એક યોગાનું યોગ હતો, કે પછી પૂર્વ નિર્ધારીત પબ્લિસિટી સ્ટંટ હતો...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh