થરૂરના બદલાયા સૂર ? 'રામ કા નામ બદનામ ના કરો...' કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન...

                                                                                                                                                                                                      

આજે દેશના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસીઓ સડક પર ઉતરીને ગાંધીજીના પોસ્ટરો સાથે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા અને આગામી તા. ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપનાદિને તમામ ગામડાઓ, શહેરો તથા તાલુકા મથકો પર ગાંધીજીની તસ્વીરો સાથે મોદી સરકાર  સામે વિરોધ પ્રદર્શનો કરવા કોંગ્રેસ હાઈ કમાન્ડે સૂચના આપી છે. આ વિરોધ કેન્દ્ર સરકારે મનરેગા યોજના નાબૂદ કરી તેના વિરોધમાં થઈ રહ્યો છે, અને વધુ પ્રબળતાથી મનરેગાના સ્થાને રજૂ થયેલી નવી યોજનાના નામકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મનરેગા અને નવી યોજનામાં ઓફિશયલ લાંબા નામોના શોર્ટફોર્મમાં થતા ઉચ્ચારણોનો આ વિવાદ દર્શાવે છે કે આપણાં દેશની રાજનીતિની દશા અને દિશા બદલાઈ રહી છે અને શાસન-પ્રશાસન તથા રાજનીતિના કેન્દ્રમાં હવે દેશનો નાગરિક નહીં પણ રાજનૈતિક નફા-નુકસાનની ગણતરીઓ સાથેનું મતલક્ષી ગણિત આવી ગયું છે.

હકીકતે મનરેગાનું ફૂલફોર્મ અથવા આખું નામ "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" થતું હતું, જે વર્ષ ૨૦૦૫માં સાંસદે પસાર કર્યો હતો, અને આ મહત્ત્વાકાંક્ષી યોજના ગ્રામીણ સ્તરે ગરીબ લોકોને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાની ગેરંટી આપવા માટે લાગુ કરાઈ હતી અને તે "મનરેગા" તરીકે પ્રચલીત હતી.

મોદી સરકારે આ યોજના સામે પ્રારંભમાં વાંધા-વચકા કાઢયા હતા, પરંતુ કેટલાક સુધારા-વધારા સાથે આ યોજના ચાલુ રહી હતી. આમ છતાં આ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર તથા પર્યાપ્ત રોજગાર ગેરંટી તથા તેની ફલશ્રૃતિઓ નહીં હોવાના કારણે તેમાં ધરમૂળથી ફેરફાર કરાશે તેવા દાવાઓ થતા રહ્યા હતા અને વાર્ષિક રોજગારીના દિવસો વધારવાની જરૂર, રાજ્ય સરકારોની આ યોજનાઓમાં સક્રિય સામેલગીરી તથા પેમેન્ટની પારદર્શક તથા સાપ્તાહિક પદ્ધતિ અંગે ચર્ચાઓ થતી રહેતી હતી, રજૂઆતો થઈ હતી અને માંગણીઓ પણ ઉઠી રહી હતી. આ કારણે મોદી સરકારે મનરેગા યોજના નાબૂદ કરીને તેના સ્થાને નવી વધુ પારદર્શક અને લાભાકારી યોજના અમલમાં મૂકવાના દાવા સાથે નવા નામકરણ સાથે ગઈકાલે એક નવું બીલ સંસદમાં રજૂ કર્યું હતું.

આ બીલની સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જબરદસ્ત વાંધો ઉઠાવ્યો છે, આ વાંધો મૂળ યોજના કે નવી યોજનામાં સામેલ રાખેલી જોગવાઈઓ કે અન્ય સુધારા-વધારા સામે ઓછો અને નવા નામ કરણ સામે વધુ ઉઠાવાઈ રહ્યો હોવાનો દાવો એક તરફ થઈ રહ્યો છે, તો બીજી તરફ ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર મહાત્મા ગાંધીની વિરોધી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ સડકો પર ઉતરી રહી છે, જ્યારે કોંગ્રેસમાં પાર્ટીલાઈનથી અલગ મંતવ્યો વ્યક્ત કરતા રહેતા તથા વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને કરતા રહેતા શશિ થરૂરના સૂર પણ આ મુદ્દે બદલાયા હોવાનું જણાય છે, કારણ કે તેમણે આ વખતે કોંગ્રેસના "વિરોધનો વિરોધ" નથી કર્યો, પણ તરફેણ કરી હોય તેમ જણાય છે.

મીડિયા અહેવાલો મુજબ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આને બંધારણના આર્ટિકલ-૩૪૮નું ઉલ્લંઘન બતાવીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગાની જગ્યાએ જે નવી યોજનાનું બીલ રજૂ કર્યું છે, તેના (લાંબા) નામનું શોર્ટફોર્મ અંગ્રેજી તથા હિન્દી બંને ભાષાનું સંયોજન કરીને "જી રામ જી" જેવું કર્યું ત્યારે બાળપણનું ગીત યાદ આવી ગયું હતું, જેના શબ્દો હતા, "રામ કા નામ બદનામ ના કરો..."

વાસ્તવમાં મોદી સરકારના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે લોકસભામાં જે "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ)-૨૦૨૫" બીલ રજૂ કર્યું હતું, તેમાં વર્ષ ૨૦૦૫ના રદ કરાયેલી મનરેગા એકટ હેઠળની "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" ના સ્થાને નવી યોજનાની જોગવાઈ હતી. આ નવા બીલ મુજબ રોજગાર ગેરન્ટી, પેમેન્ટ પદ્ધતિ તથા અન્ય સુધારા-વધારા સાથે નવી યોજના "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન" લાગુ થશે, તેવો દાવો કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો, પરંતુ તેનું શોર્ટફોર્મનું નામ "વીબી-જી રામજી" રખાયુ છે, તેનો જબરદસ્ત વિરોધ ઉઠયો છે. પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે "ગાંધીજી અમારા ગાંધી પરિવારના નથી, પરંતુ પરિવાર જેવા જ છે, અને આખા દેશની પણ એવી જ લાગણી છે, જેના નામથી ચાલતી મનરેગા યોજના બંધ કરીને મોદી સરકાર ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવા જઈ રહી છે."

ભાજપ તરફી લોકોનું કહેવું છે કે ગાંધીજીના અંતિમ શબ્દો પણ "હે રામ" હતા અને તેઓ રામરાજયની કલ્પના કરતા હતા, પરંતુ કોઈ યોજનાના ટૂંકા નામમાં રામનું નામ આવી જાય, તો પણ વાંધો ઉઠાવાઈ રહ્યો છે, આ પહેલાના "મનરેગા" યોજનાથી પ્રચલીત નામમાં મહાત્મા ગાંધીનું નામ ઉચ્ચારમાં આવતુ જ નહોતું, અને આખુ નામ પ્રચલીત જ નહોતુ, પરંતુ હવે મહાત્મા ગાંધીના નામે રાજનીતિ રમાઈ રહી છે. ભાજપે મહાત્મા ગાંધીનું મહાત્મય વધારવા ક્યા ક્યા પગલા લીધા અને કેટલા નવા નામ કરણોમાં ગાંધીજીને સામેલ કરાયા, તેના વિવરણો પણ અપાઈ રહ્યા છે, પરંતુ પબ્લિક નક્કી કરશે કે કૌન સચ્ચા ઔર કૌન જૂઠા ?

આ વાદ-વિવાદ વચ્ચે બાર રાજ્યોમાં એસાઆઈઆરનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, અને મોદી સરકારે સંસદમાં કેટલાક જૂના કાયદા રદ કરાવી નાખ્યા છે અને કેટલાક નવા બીલો પસાર કરાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સડકથી સંસદ સુધી મોદી સરકાર પર તડાપીટ બોલાવી રહી છે....મેરા ભારત મહાન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મંદિરમાં વીઆઈપી કલ્ચર, રૂપિયાવાળાને વિશેષ સુવિધા સામે સુપ્રિમકોર્ટ નારાજ... સરકારનો માંગ્યો જવાબ...

                                                                                                                                                                                                      

નાતાલના તહેવારો આવી રહ્યા છે અને નાતાલના વેકેશનમાં પણ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાજી, શિવરાજપુર, ઓખા મઢી સહિતના દર્શનીય અને પર્યટન સ્થળો પર ભાવિકોની ભારે ભીડ થવાની સંભાવના છે, ત્યારે તંત્રોએ પણ સુરક્ષા, સલામતિ, ટ્રાફિક, નફાખોરી, તત્કાળ સારવાર, જરૂર પડયે તત્કાળ રાહત-બચાવ યાત્રિકોના નિવાસ-ભોજન તથા પરિવહન અને તદ્વિષયક તમામ વ્યવસ્થાઓ ચૂસ્ત દૂરસ્ત કરવી પડશે.

યાત્રાધામોમાં દર્શનની વ્યવસ્થામાં ટ્રસ્ટીમંડળ અથવા સમિતિ, પૂજારીવર્ગ, સ્થાનિક પોલીસ તથા સંલગ્ન સુરક્ષાદળોનું લોકલ વ્યવસ્થાતંત્ર સાથે સારૃં સંકલન હોવું જ જોઈએ, એટલું જ નહીં, ભૂતકાળના સ્થાનિક અનુભવો તથા અન્ય યાત્રાસ્થળોના અનુભવોને સાંકળીને ફૂલપ્રૂફ એવો પ્લાન બનાવવો જોઈએ. જેથી યાત્રિકોને પણ તકલીફ ન પડે. અને સુરક્ષા, સલામતિ અને વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે, તથા સ્થાનિક પરિવહન, અલ્પાહાર કે સેવા-પૂજાની સામગ્રીમાં નફાખોરી ન થાય, તેના પર ધ્યાન આપવું પડે તેમ છે, અને કેટલાક સ્થળે આ પ્રકારની બાબતોમાં સંકુલમાં જ સ્થાપિત ઈજારાશાહી ખતમ કરવી જોઈએ. આ તમામ મુદ્દાઓમાં ક્યાંય પણ કચાશ રહી જશે તો નાતાલના તહેવારો દરમ્યાન વ્યવસ્થાઓ જાળવી રાખવી મુશ્કેલ બની જવાની છે.

યાત્રાધામોમાં ત્રણ પ્રકારના પ્રવાસીઓ આવતા હોય છે. ખૂબ જ ધનવાન લોકો તો પહેલેથી જ મોંઘી હોટલો બૂક કરાવી લેતા હોય છે, અને પોતાની ગાડીઓ કે અદ્યતન ટેકસીઓની વ્યવસ્થા કરી લેતા હોય છે. બીજા ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારો કાં તો પોતાની ગાડીમાં, અથવા ટ્રેન કે બસ દ્વારા આવતા હોય છે. આ વર્ગોના મોટા ભાગના દર્શનાર્થીઓ પેકેજ ટૂરમાં આવતા હોય છે, જેની તમામ વ્યવસ્થાઓ ટ્રાવેલ્સ સંચાલકો કરતા હોય છે. ત્રીજા પ્રકારના નિમ્ન મધ્યમવર્ગીય તથા ગરીબ લોકો પણ દર્શનાર્થે કે પ્રવાસ-પર્યટન માટે આવતા હોય છે. જે પૈકી એક વર્ગ એવો પણ હોય છે કે જેઓ માનતા ઉતારવા કે પછી અન્ય ભાવનાત્મક અને આર્થિક કારણોસર પદયાત્રાઓ કરીને પણ આવતા હોય છે. આ તમામ પ્રવાસીઓનો ધ્યેય દર્શન કરીને હરવા-ફરવાનો હોય છે. જો કે, કેટલાક સમૂહો માત્ર દર્શનાર્થે જ આવતા હોય છે, જ્યારે કેટલાક સહેલાણીઓ માટે આનંદદાયક પ્રવાસ-પર્યટન, હરવું-ફરવું અને નવું નવું જાણવાનો મુખ્ય ઉદૃેશ્ય હોય છે. તંત્રોએ આ તમામ પ્રકારના પ્રવાસીઓ માટે સમાન ઘોરણે તમામ વ્યવસ્થાઓ કરવી જોઈએ, વ્યવસ્થાપકોએ સમાન ભાવે દર્શન-સેવા વગેરે કરાવવા જોઈએ અને દર્શનાર્થીઓમાં અમીર-ગરીબનો ભેદભાવ નહીં જ હોવો જોઈએ, પરંતુ બધી જગ્યાએ કાયમ માટે એવું થતું હોતું નથી, અને કેટલાક સ્થળે તો એનાથી વિપરીત માનસિકતાથી યાત્રિકો-પ્રવાસીઓને વિધિવત રીતે "લૂંટવા"માં આવતા હોય છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને ? આ સ્થિતિ માત્ર હાલાર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નથી, પરંતુ દેશવ્યાપી છે. અને તેનું નિવારણ વ્યવસ્થાઓ સંભાળતા તંત્રના અધિકારીઓ, ટ્રસ્ટો, સંસ્થાઓ અને વિવિધ મંદિર-ધાર્મિક સ્થળોની સમિતિઓ કે પ્રાધિકરણોએ કરવાનું હોય છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે.હવે તો "પૈસા ફેંકો, તમાશા દેખો" જેવો ઘાટ સર્જાયો છે. અને ભાવનાઓ-શ્રદ્ધા અને આસ્થાને નાણાકીય ત્રાજવે માપવામાં આવતી હોય, તેવું જણાય છે. પ્રવાસ-પર્યટન ક્ષેત્રે તથા દર્શનીય સ્થળોમાં પણ વીઆઈપી કલ્ચરની જ બોલબાલા છે.

મંદિરોમાં વીઆઈપી કલ્ચર એટલું વ્યાપક અને ભયાનક બન્યું છે કે તેના પડઘા સડકથી સંસદ સુધી તો પડતા જ હતા, પરંતુ હવે આ મુદ્દો છેક સુપ્રિમકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે, અને દેશની સર્વોચ્ચ અદાલતે તો ત્યાં સુધી કહી દીધું છે કે ભગવાનને પણ આરામ કરવા નથી દેતા, તે તો શોષણ જ કહેવાય. સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી ધનવાનો માટે કેટલાક મંદિરોમાં અલગ (વીઆઈપી) વ્યવસ્થા કરવામાં આવે છે, તેને લઈને કરી હતી અને તે કોઈ એક ચોક્કસ મંદિરની સૂનાવણી માટે જ હતી, પરંતુ તેની દૂરગામી અને દેશવ્યાપી અસરો થવાની છે અને રાષ્ટ્રવ્યાપી પડઘા પણ પડયા છે.

સુપ્રિમકોર્ટે કહ્યું કે રૂપિયા લઈને ધનવાન લોકો માટે વિશેષ દર્શનીય વ્યવસ્થા આપવી કે સુવિધા આપવી, એ અયોગ્ય છે. એક મંદિર સમિતિના મેનેજમેન્ટે કરેલ અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે આ સવાલો ઉઠાવ્યા હતા.

જે મંદિરની સુનાવણી થઈ રહી હતી, તે મંદિરમાં બપોરે મંદિર બંધ થયા પછી પણ વિશેષ પૂજા-પાઠ-દર્શન વગેરે થતા હોય છે અને સૌથી વધુ રકમ અપાય, તેને ખાસ પૂજા કરાવાય છે, તેવી ફરિયાદ સાથે મંદિરના બદલી નખાયેલા સમયપત્રક અંગે પણ સવાલો ઉઠાવાયા હતા, સીજેઆઈ સહિતની બેન્ચે મોટી રકમ આપનારાઓને વિશેષ પૂજા કરાવાય, તેને અયોગ્ય ગણાવી હતી.

આ મુદ્દે કડક ટિપ્પણીઓ કર્યા પછી સર્વોચ્ચ અદાલતે યુપી સરકાર તથા સંબંધિત પાવરેડ કમિટીને નોટિસ ફટકારીને જવાબ પણ માંગ્યો છે.

આ સુનાવણીનો સારાંશ એ નીકળે છે કે સેંકડો-હજારો કિલોમીટર દૂરથી દર્શનાર્થે આવતા સામાન્ય દર્શનાર્થીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે, અને ધનિકો, સામાન્ય નેતાઓ, ઉદ્યોગપતિઓ, મોટા અફસરો કે અન્ય પોતાને વીઆઈપી માનતા લોકોને વીઆઈપી ટ્રિટમેન્ટ આપીને દર્શનની અલગ વ્યવસ્થા કરી અપાય, તે કદાચ જેના દર્શન કરાવાય છે, તે ઈશ્વરને પણ નહીં ગમતું હોય, જેની એક-એક ક્ષણ કિંમતી હોય અને દેશસેવા કે પબ્લિક સર્વિસ માટે સમર્પિત હોય, અથવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સંતો-મહંતો હોય, તેવા અપવાદો સિવાય તંત્રો, વ્યવસ્થાપકો તથા સમિતિઓ, ટ્રસ્ટોએ સામાન્ય દર્શનાર્થીઓની વધુ ચિંતા કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વન્ડરફૂલ વીક-એન્ડ, સુપર સન-ડે... મેરા ભારત મહાન...

                                                                                                                                                                                                      

ક્રિકેટ રસીયાઓ માટે ગઈકાલે સુપર સન-ડે હતો, કારણ કે અન્ડર-૧૯ની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને પછાડી, તો ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને વન-ડે મેચમાં હરાવ્યું. આ બંને જીત માત્ર સાધારણ વિજય નહોતો, પરંતુ બંને મેચોની કેટલીક વિશેષતાઓ હતી.

સિયાસતના સમરણાગણમાં પણ ગઈકાલે સુપર સન્ડે જ હતો. દિલ્હીના રામલીલા મેદામાં રવિવારે રાહુલ ગાંધીએ રણકાર કર્યો અને મોદી સરકારને પડકાર કર્યો. રાહુલ ગાંધીએ આરએસએસના વડા ભાગવતની પણ ટીકા કરી અને મોદી-શાહ બંધારણને ખતમ કરી નાખશે, તેમ જણાવીને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, ત્યારે પી.એમ. મોદીનો જન્મ પણ થયો નહોતો. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના ડીએનએમાં સરચાઈ છે, જયારે તેમના (ભાજપના !) ડીએનએમાં વોટ ચોરી છે. વિવિધ રાજ્યના આંકડાઓ સાથે રાહુલ ગાંધીએ વોટ ચોરીના ફરીથી ગંભીર આક્ષેપો કર્યા અને ચૂંટણી કમિશનર ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ દોહરાવ્યા.

પ્રિયંકા ગાંધીએ પણ વડાપ્રધાન પર જનતાના દુઃખમાં સહભાગી નહીં થવાના આક્ષેપો લગાવીને રૂપિયો ગગડી રહ્યો હોવાનો કટાક્ષ પણ કર્યો, તો બીજી તરફ ખડગેએ કેન્દ્ર સરકાર ગરીબો પ્રત્યે બેદરકાર હોવાનો આક્ષેપ લગાવીને દગાબાજ લોકોને સત્તા પરથી હટાવવા હાંકલ કરી હતી. રામલીલા મેદાન પરથી કોંગ્રેસે જે "વોટ ચોર-ગાદી છોડ" ના નારા સાથે જે વિશાળ રેલી યોજી હતી, તેના પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ હવે એકલા હાથે ભાજપના નેતૃત્વમાં સત્તા ભોગવી રહેલી સરકાર સામે તથા એનડીએ ગઠબંધન સાથે ચૂંટણીઓ લડશે, અને કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો કે શાસક પક્ષને ફાયદો થાય, તેવી મૂર્ખામી નહીં કરે.

એક તરફ સિયાસતના મેદાનમાં સટાસટી બોલી રહી હતી, તો બીજી તરફ અન્ડર-૧૯ની ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાનની ટીમ સામે ભવ્ય વિજય અને તે પછી રાત્રે દ.આફ્રિકાની ક્રિકેટ ટીમ સામે ભારતીય ક્રિકેટ ટીમનો જબરદસ્ત વિજય માત્ર ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ તમામ ભારતીયો માટે ખુશી અને ગૌરવનો પ્રતીક હતો, અને દેશભરમાં તથા જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે, ત્યાં ત્યાં "મેરા ભારત મહાન" તથા "જય હો" ના નારાઓ ગુંજી રહ્યા હતા.

રવિવાર તો રસ-રોમાંચ અને રંગીલો રહ્યો હતો, તો ગયા અઠવાડિયાનો અંત (વીક-એન્ડ અથવા શનિ-રવિ) અદ્ભુત હતા. વન્ડરફૂલ વીક-એન્ડમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણાની લંબાવાયેલી મુદ્દતમાં ચૂંટણીતંત્ર દોડતું રહ્યું હતું, તો રાજ્ય અને કેન્દ્ર સરકારોના ક્ષેત્રોમાં આ વીક-એન્ડમાં ભારે હલચલ જોવા મળી હતી, અને કેટલીક  વન્ડરફૂલ ભવિષ્યવાણીઓ, આગાહીઓ, અનુમાનો અને અટકળોએ રહસ્યમય સસ્પેન્સ પણ ઊભું કરી દીધુ હતું અને તેના અધારે જ આજે નવા અઠવાડિયાના પ્રારંભે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે, અને ટૂંક સમયમાં કાંઈક નવાજૂની થવાની છે, અને કડાકા-ભડાકા થવાના હોય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

રમત-ગમત હોય કે રાજનીતિ હોય, તેમાં હાર-જીત તો ચાલ્યા જ કરતી હોય છે, પરંતુ ગઈકાલે ક્રિકેટની બંને મેચોમાં જે રીતે ભારતીય ટીમો જીતી છે અને વિરોધી ટીમોનો તોતીંગ પરાજય થયો છે, તે જોતાં એવું કહી શકાય કે આ બંને વિજય અસાધારણ હતા અને પ્રતિસ્પર્ધી ટીમોને જે રીતે પછાડી હતી, તેમાં ખેલદિલી તથા વિજિગીષા (જીતવાની ઝંખના) તો હતી જ, પરંતુ તે ઉપરાંત પણ એક અલગ જ પ્રકારનું ઝનૂન ઝળકી રહ્યું હતુ, જેમાંથી જુસ્સેદાર દેશભાવના છલકાતી દેખાઈ હતી.

આ વીક-એન્ડમાં ફૂટબોલના ખ્યાતનામ ખેલાડીનું ભારતભ્રમણ પણ ચર્ચામાં રહ્યું. કોલકાતાના કોલાહલ અને બંગાળમાં બબાલ થયા પછી હૈદરાબાદ અને મુંબઈની તેની મુલાકાત દરમ્યાન તંત્રો વિશેષ તકેદારી રાખતા જોવા મળ્યા, તો સેલિબ્રિટીઝ તથા સંબંધિત રાજ્યોની  સરકારોના વરિષ્ઠો પણ જોડાયા. આમ, વીક-એન્ડ આ વિવાદાસ્પદ પણ રહ્યું અને વન્ડરફૂલ પણ રહ્યું તેમ કહી શકાય.

આ વીક-એન્ડમાં જ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની નિમણૂકે બધાને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ ૧૯ ડિસેમ્બરે દેશના વડાપ્રધાન જ બદલાઈ જશે, તેવી વહેતી થયેલી વાતોને ભ્રમ ગણાવીને ભાજપે ફગાવી દીધી, અને તેની પાછળ જે ફરી એપસ્ટેઈન ફાઈલ્સના કરેલા ઉલ્લેખોને પણ નકારી દેવામાં આવ્યા છે. આ ઘટનાક્રમથી વન્ડરફૂલ વીક-એન્ડમાં એક ઘેરા સસ્પેન્સનો ઉદ્ભવ થયો છે, જેની ચર્ચાઓ ટોક ઓફ ધ નેશન બની છે, અને હવે ૧૯મી ડિસેમ્બરે કાંઈ થવાનું છે કે કેમ ? તેની જ રાહ જોવાની રહી, અને આ ખરેખર એક ભ્રમ જ છે કે પછી તેમાં તથ્ય છે, તે માટે તો ઈન્તેજાર જ કરવો પડશે.

આ તરફ કોંગ્રેસમાં પાર્ટીના અધ્યક્ષ પરિવારવાદ હેઠળ મોટા ભાગે નહેરૂ ગાંધીના પરિવારોમાંથી જ આવે છે, તે જ ભાજપે હવે ભાજપના એક વરિષ્ઠ નેતાના પુત્રને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પછી સવાલ પૂછાઈ રહ્યો છે કે હવે પરિવારવાદ કયાં ગયો ?

છે....ને....વન્ડરફૂલ વીક-એન્ડ ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એકલો જાને રે... કોંગ્રેસે નીતિ બદલી ? કરવટ બદલતી રાષ્ટ્રીય રાજનીતિ...

                                                                                                                                                                                                      

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, તે કવિતાના શબ્દો છે...

તારી જો હાક સુણીને કોઈ ના આવે રે,

તો એકલો જા ને રે...એકલો જા ને રે...

આ કવિતાની પ્રત્યેક પંક્તિમાં એક મજબૂત સંદેશ છૂપાયેલો છે. અને જ્યારે બધા લોકો મોઢું ફેરવી જાય કે વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે, એકલા જ આગળ વધવાની પ્રેરણા અપાઈ રહી છે. આવી જ એક કવિતા ગોળમેજી પરિષદમાં લંડન જતા ગાંધીજી માટે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" શીર્ષકથી લખી હતી.

ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખેલી કવિતાના શબ્દો છે...

છેલ્લો કટોરો ઝેરનો, પી જજો બાપુ !

સાગર પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન મારૃં,

ધૂર્તો-દગાબાજો થકી પડિયું પનારૃં,

શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સુનારૂ,

આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !

કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

આ બંને કવિતાઓનો સંદર્ભ હાલના રાજકીય રંગમંચના ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે. વર્ષ ૨૦૨૪માં ભાજપને પહેલાની બે લોકસભાની ચૂંટણીઓ કરતા ઓછી બેઠકો મળી હોવા છતાં એનડીએ ગઠબંધનની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર પછીના દસ વર્ષ પછીની સ્થિતિમાં નવા નામકરણ સાથે વિપક્ષોનું "ઈન્ડિયા" ગઠબંધન રચાયું છે, જે હાલનું મજબૂત વિપક્ષી ગઠબંધન ગણાય છે.

વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતાપક્ષની પીછેહઠ પછી પણ સાથીદાર પક્ષોના ટેકાથી મોદી સરકાર ચાલી રહી છે, ત્યારે વિપક્ષો માટે એકજૂથ થઈને ભાજપને વધુ પડકાર આપવાની તક હતી, પરંતુ કેટલાક રાજ્યોમાં ભાજપને જનાદેશ મળ્યો, તો અન્ય કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકારોના સથવારે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધુ છે અને કેટલાક રાજ્યોમાં, ઉભયપક્ષે તોડફોડ પછી  સત્તા પરિવર્તનો થયા છે, તો બીજી તરફ કોંગ્રેસ બદલાયેલી રાજકીય સ્થિતિનો લાભ લઈ શકી નથી. છેલ્લે બિહારમાં તો વિપક્ષોના સુપડા સાફ થઈ ગયા, અને નીતિશકુમારના નેતૃત્વમાં ત્યાં ફરીથી એનડીએની સરકર તોતીંગ બહુમતીથી રચાઈ, અને કોંગ્રેસને સિંગલ ડિજિટમાં બેઠકો મળી, તે પછી હવે કોંગ્રેસે કદાચ "એકલો જા ને રે..."કવિતાની જેમ એકલા જ ચૂંટણીઓના મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હોય અને છેલ્લો ઝેરનો કટોરો પી લેવાની ગાંધીબાપુને ઉદૃેશીને લખાયેલી કવિતા મુજબ ધૂર્ત અને ધોખેબાજો સાથે લડવા માટે કાંઈક અલગ જ રણનીતિ ઘડીને કોંગ્રેસે મક્કમતાથી એકલા હાથે રાજકીય પડકારો ઝીલવાનું નક્કી કર્યું હોય, તેવા સંકેતો મળી રહ્યા છે, અને કોંગ્રેસે દિલ્હીમાં એસઆઈઆર વિરોધી રેલીમાં અન્ય પક્ષોને બોલાવ્યા જ નથી.

બિહાર અને તે પહેલાની ચૂંટણીઓના અનુભવે એ સમજાયું છે કે જો કોંગ્રેસે એકલા હાથે ચૂંટણીઓ લડી હોત તો અત્યારે જે બેઠકો મળી રહી છે, તેના કરતા તો વધુ બેઠકો મળી જ હોત. કોંગ્રેસ જો એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની અને સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન રચાયેલી કોંગ્રેસ પાર્ટીના કમિટેડ મતો વહેંચાઈ ન જાય, અને સાથીદાર પક્ષોના વિરોધી જનમતનો ભોગ પણ કોંગ્રેસને બનવું ન પડે...

વિપક્ષોના ગઠબંધનમાં કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં બેઠકોની વહેંંચણી સમયે ઓછી બેઠકો મળે, તેમાં પણ કોંગ્રેસના કમિટેડ મતો તથા ભાજપ-એનડીએ વિરોધી જનમત રહેતો હોય, તેવી બેઠકો સાથીદાર પક્ષોને ફાળે જાય, ચૂંટણી પ્રચાર દરમ્યાન પ્રાદેશિક પક્ષોનો પ્રચાર પણ કોંગ્રેસે કરવો પડે, ત્યારે પ્રાદેશિક પક્ષો શાસિત રાજ્યોમાં ત્યાંની એન્ટી ઈન્કમ્બન્સીનો ભોગ કોંગ્રેસને પણ બનવું પડે, અને સૌથી વધુ મહત્ત્વનું એ પણ છે કે ગઠબંધન ધર્મ નિભાવીને કોંગ્રેસને ફાળે આવેલી બેઠકો પર સાથીદાર પક્ષોના કાર્યકરોએ કોંગ્રેસનો પ્રચાર કરવો જોઈએ અને પ્રાદેશિક પક્ષોના કમિટેડ મતો કોંગ્રેસને ટ્રાન્સફર થવા જોઈએ, તેવું થવાના બદલે મતો વહેંચાઈ (કે વેચાઈ) જાય, તેથી એકંદરે હવે ગઠબંધન રચીને ચૂંટણી લડવી, એ કોંગ્રેસ માટે ખોટનો સોદો બની રહ્યું હોવાના તારણો આંતરિક સર્વે તથા તટસ્થ વિશ્લેષકો દ્વારા નીકળી રહ્યા હોવાનું કહેવાય છે.

બીજી તરફ કોંગ્રેસના કમિટેડ મતો ગઠબંધનના સાથીદાર પક્ષોને ટ્રાન્સફર થતા ગઠબંધનના અન્ય પક્ષો મજબૂત બનતા જાય, અને કોંગ્રેસ નબળી પડતી જાય, તેવો ઘાટ સર્જાતા કોંગ્રેસ પણ "આપ" ની જેમ "એકલો જા ને રે..."ની નીતિ અપનાવવા જઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. કેટલાક ચોક્કસ વિસ્તારો કે બેઠકો પર ગઠબંધનમાં રહીને લડવાથી કોંગ્રેસને ફાયદો પણ થઈ શકે, પરંતુ એકંદરે કોંગ્રેસના ભોગે અન્ય પક્ષો વધુ શક્તિશાળી બનતા જાય, અને કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી જાય, તેના કરતા કોંગ્રેસ મોટેભાગે એકલા હાથે ચૂંટણી લડે, તો સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટીની શાખ પણ જળવાઈ રહે અને ભાજપ-એનડીએ સામેની એન્ટી ઈન્કમ્બન્સીનો મહત્તમ ફાયદો કોંગ્રેસને મળી શકે, તેવું ગણિત મંડાયું  હોય તેમ જણાય છે.

કોંગ્રેસમાં ભૂતકાળમાં પણ ઘણી વખત પડકારો ઊભા થયા હતા અને ભાગલા પડતા રહ્યા હતા. અત્યારે ભાજપ, શિવસેના, સમાજવાદી, સામ્યવાદી અને ડાબેરી પક્ષો, મુસ્લિમ લીગ, ઓવૈસીની પાર્ટી જેવા કેટલાક રાજકીય પક્ષો સિવાયના મોટા ભાગના રાજકીય પક્ષો ભૂતકાળમાં વિખરાયેલી કોંગ્રેસમાંથી જ સ્થપાયા છે. વર્ષ ૧૯૬૯, ૧૯૭૫, ૧૯૮૯, ૧૯૯૫ અને ૧૯૯૯માં કોંગ્રેસને ઝટકો આપીને ઘણાં કદાવર નેતાઓએ કાં તો અન્ય રાજકીય પક્ષ બનાવ્યો, અથવા તો અન્ય પક્ષમાં પક્ષાંતર કર્યું, અને જે તે સમયે કોંગ્રેસ નબળી પડી ગઈ. કેટલીક વખત તો કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ ઊભો થાય, તેવા ઘટનાક્રમો પણ સર્જાયા, પરંતુ ધીમે ધીમે આપબળે લડીને કોંગ્રેસ પુનઃ ઊભી થતી રહી. એકવીસમી સદીના પ્રારંભે કેન્દ્રમાંથી ભાજપના નેતૃત્વમાં રચાયેલી એનડીએની સરકારને હટાવવા કોંગ્રેસે યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કર્યું અને દસ વર્ષ શાસન પણ કર્યું, પરંતુ તે પછી મોદી યુગ આવ્યો અને છેલ્લા દાયકામાં કોંગ્રેસ ધીમે ધીમે ઘસાતી જ રહી, જ્યારે યુપીએના સાથીદાર પક્ષોનું જોર વધતું રહ્યું. એકવીસમી સદીના પ્રારંભે કોંગ્રેસ પાસે જે રાજ્યો હતા, તે પણ ધીમે ધીમે સરકવા લાગ્યા. તેથી બિહારની ચૂંટણી પછી કોંગ્રેસે હવે "એકલા હાથે" તમામ ચૂંટણીઓ લડવાનો નિર્ણય લીધો હોય, તો તે સાચી દિશાનું કદમ હોવાના પ્રતિભાવો અને અભિપ્રાયો સામે આવી રહ્યા છે.

બીજી તરફ ભાજપ અને એનડીએને અંકુશમાં રાખવા કે મહાત કરવા એકજૂથ થવું પડે, તો પણ ગઠબંધનોમાં જોડાવાના બદલે પ્રદેશવાર તથા બેઠકવાર વિચારણા કરીને બેઠકોની વહેંચણી કરી શકાય, તેવો વિકલ્પ પણ ખુલ્લો રહે છે. ટૂંકમાં આ પ્રયોગ ટૂંકા ગાળા કે એકાદ ચૂંટણી પૂરતો મર્યાદિત નહીં, પણ લાંબા ગાળા માટે કરવો જોઈએ, તેવું તારણ નીકળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લ્યો, પાછી એસઆઈઆરની મુદૃત વધી... ગુજરાતમાં ૧૪ ટકા વોટચોરીનો કોંગ્રેસનો સણસણતો આક્ષેપ... હવે શું ?

                                                                                                                                                                                                      

સંસદમાં એસઆઈઆરને લઈને બંને ગૃહોમાં લાંબી ચર્ચાઓ ચાલી અને કોંગ્રેસે સત્તાધારી પક્ષો અને ખાસ કરીને ભાજપ પર વોટચોરીના આક્ષેપો લગાવ્યા, ચૂંટણીપંચ પર આક્ષેપો કર્યા અને વોટ ચોર, ગાદી છોડની નારેબાજી સડકથી સંસદ સંકુલ સુધી ગુંજી. બીજી તરફ બિહાર પછી ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં એસઆઈઆરની કામગીરીનો પ્રથમ તબક્કાનો સમયગાળો ચૂંટણીપંચે વધારવો જ પડ્યો, અને થોડા દિવસો પહેલા અહીંથી જે સશંક અનુમાન કરાયું હતું, તે યથાર્થ ઠર્યું.

"નોબત"ના તા. ૧-૧૨-૨૫ના અખબારમાં તંત્રીલેખના માધ્યમથી અનુમાન કરાયું હતું કે બીએલઓ દ્વારા ઘેર ઘેર ફોર્મ્સ પહોંચાડીને યોગ્ય વિગતો લખાવીને પરત એકત્ર કરવા માટે એક મહિનાનો સમયગાળો પૂરો નહીં પડે, અને આ મુદ્દત ચૂંટણીપંચે વધારવી જ પડશે, અને ચૂંટણીપંચે આ મુદ્દત પુનઃ એક અઠવાડિયા સુધી લંબાવવી પડી છે, આ મુદ્દત વધાર્યા પછી પણ ફૂલપ્રૂફ મતદારયાદી તો તૈયાર નહીં જ થાય, અને એક વખત પ્રાથમિક (ડ્રાફટ) મતદારયાદી પ્રસિદ્ધ થશે, તે પછી તેને સુધારવા અને વાંધા-સૂચનો પૂરાવા મેળવ્યા પછી પણ ફાયનલ મતદારયાદી તૈયાર કરવા સુધીની પ્રક્રિયા માટે હજુ પણ સમયગાળો પૂરો નહીં પડે, તેવી આશંકા રહે છે.

ગઈકાલે સમાચાર આવ્યા હતા કે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડૂ, છત્તીસગઢ અને આંદામાન નિકોબારમાં ચૂંટણીપંચે એસઆઈઆરની પ્રક્રિયાની મુદ્દત લંબાવી દીધી છે. આ કારણે ગુજરાતમાં એસઆઈઆરના ફોર્મ્સ ભરવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર થઈ ગઈ છે, અને ડ્રાફટ મતદારયાદી એટલે કે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવાની તારીખ પણ ૧૬ ડિસેમ્બરથી લંબાવીને ૧૯મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ જાહેરાત થયા પછી પણ વાંધા-સૂચનો તથા ચૂંટણીપંચની નોટિસ મળ્યેથી જરૂરી આધાર-પૂરાવા રજૂ કરવાની તક મળશે અને તે પછી નિયત કરેલા તથા વખતોવખત સુધરતા રહેતા ટાઈમટેબલ મુજબ આખરી મતદારયાદીઓ પ્રસિદ્ધ થવાની છે.

સંસદમાં એસઆઈઆરનો મુદ્દો દરરોજ ઉછળી રહ્યો છે, તો કેટલાક રાજયોમાં પણ એસઆઈઆરના મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે જ એસઆઈઆરનું ફોર્મ નહીં ભર્યું હોવાના ગઈકાલે આવેલા અહેવાલોના અનુસંધાને રાજનીતિ ગરમ થઈ ગઈ છે અને તેણીએ વેલણ લઈને તૈયાર રહેવા જેવી કોઈ વાત કરી હોવાના અહેવાલોએ પણ વિવાદ જગાવ્યો છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ આ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે, અને કોંગ્રેસે રાજયમાં કેટલી વોટ ચોરી થઈ છે, તેના આંકડાઓને ટાંકીને ચૂંટણીપંચ તથા સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા પછી હલચલ મચી ગઈ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ગઈકાલની પ્રેસ-કોન્ફરન્સના પડઘા પણ દેશની રાજધાની સુધી પડ્યા હશે. આ પત્રકાર પરિષદમાં ચાવડાએ એવો દાવો કર્યો હતો કે ગુજરાતમાં ૧૪ ટકા જેટલી વોટ ચોરી થઈ છે.

રાજ્યમાં ૫.૦૮ કરોડથી વધુ મતદારો મતદારયાદીમાં હતા, તેમાંથી મૃત્યુ પામેલા, સ્થળાંતર કરી અન્યત્ર ચાલ્યા ગયેલા, ડુપ્લીકેટ અને મળી નહીં આવતા કુલ ૭૪ લાખથી વધુ મતદારોના નામ હટાવાયા હોય, તો એમ કહી શકાય કે ગુજરાતની મતદારયાદીઓના દૃષ્ટિકોણથી ૧૪.૬૧ ટકા મતોની અત્યાર સુધી ચોરી થતી હશે. જે નામો હટાવાયા છે, તેના નામે તાજેતરની ચૂંટણીઓમાં મતદાન કરાયું હતું કે કેમ ? અને કરાયું હોય તો કોણે કર્યું હતું, તેની તપાસ તો થવી જ જોઈએ, પરંતુ નિયમાનુસાર જો કોર્ટ કેસ થયો ન હોય કે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ ન થઈ હોય તો નિયત સમય મર્યાદા પછી ચૂંટણી પ્રક્રિયાના વીડિયો ફૂટેજ, સીસીટીવી ફૂટેજ, વગેરેનો નાશ કરી દેવાતો હોવાથી આ પ્રકારની તપાસ સંભવ બનતી નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો ભાજપ એવું કહે છે કે માત્ર પ્રેસ-મીડિયા સમક્ષ નિવેદનો અને પ્રેઝન્ટેશનો રજૂ કરવાના બદલે પહેલા ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરવા અને જરૂર પડયે અદાલતના દ્વાર ખખડાવવાની હિંમત કેમ થતી નથી ? જો આક્ષેપો સાચા જ હોય તો બંધારણીય અને ન્યાયિક વ્યવસ્થાઓનો માર્ગ અપનાવવાના બદલે ગૃહમાં હોબાળા કરવા તથા પ્રેસ-મીડિયામાં ગોકીરૃં કરવાની તરકીબોને જનતા ઓળખી ગઈ છે વગેરે...

આ આંકડાઓને જ મુદ્દો બનાવીને અમિત ચાવડાએ એવો સણસણતો આક્ષેપ કર્યો છે કે વર્ષ ૨૦૦૨ થી અત્યાર સુધીમાં જેટલી ચૂંટણીઓ થઈ છે, તેમાં ભાજપે ૧૪ ટકા થી વધુ "વોટ ચોરી" કરી છે. તેમણે એસઆઈઆરની અણઘડ કાર્યવાહી તથા અંધાધૂંધ દબાણયુક્ત આદેશો દ્વારા માનસિક તાણ અને પ્રેશરના કારણે ૯ જેટલા બીએલઓએ જીવ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચૂંટણીપંચ પોતાની ભૂલો પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીજી તરફ ચૂંટણીપંચે દાવો કર્યો હતો કે ૧૧મી ડિસેમ્બર સુધીમાં રાજ્યના ૨૭ જિલ્લાઓમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલની મતદારયાદીમાંથી અવસાન પામેલા ૧૮ લાખથી વધુ મતદારો, ૩.૩૭ લાખથી વધુ રિપીટેડ મતદારો અને કાયમી ધોરણે સ્થળાંતર થયેલા ૪૦.૪૪ લાખ સહિત ૭૪લાખ મતદારો અંગે ચૂંટણીપંચ નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરશે, તેમ જાહેર થયું છે.

આ આંકડાઓ જોતાં પ્રશ્ન એ ઉઠે છે કે કાયમી સ્થળાંતર થયેલા મતદારોના નામો તેઓના નવા સરનામે ઉમેરાયા છે ખરા ? જે નામો રિપીટેડ એટલે કે બ જગ્યાએ નોંધાયેલા હોય, તે ચૂંટણીપંચની જ સિસ્ટમની ગંભીર ક્ષતિ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. નોકરી-ધંધાના કારણે ગામ-શહેર કે જિલ્લો બદલીને અન્યત્ર રહેવા ગયેલા મતદારોને જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે નવા સ્થળે ઉમેરવાનું ફોર્મ ભરતી વેળાએ જ તેના જૂના સરનામાની વિગતો મતદારે દર્શાવી હોવા છતાં, જૂની જગ્યાએથી જેઓના (સિસ્ટમની કાયમી ખામીના કારણે) નામ કમી થયા નહોતા, તેવા રિપીટેડ ઉમેદવારોના નામ હટાવાયા હોય તો તેમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ પણ સર્જાયો છે, હવે એસઆઈઆર પ્રક્રિયા સંપન્ન થયા પછી પણ સ્થળાંતર થયેલા ૪૦ લાખથી વધુ મતદારો નવા સ્થળે મતદાર તરીકે ઉમેરાયા છે કે નહીં, તેની તપાસ કોણ કરશે ? તેવો સવાલ અસ્થાને નથી...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"યુનેસ્કો" શું છે ?... દિવાળીને મળ્યું વૈશ્વિક ગૌરવ,

                                                                                                                                                                                                      

નગરમાં ઝળહળાટ, દેશમાં ઉલ્લાસ, 'રામરાજ્ય'ની પરિકલ્પના સાકાર થશે ?

ગઈકાલે છોટી કાશી ગણાતું રજવાડીનગર જામનગર રાત્રિના સમયે વધુ ઝળહળી ઉઠયું હતું અને દીપોત્સવી પર્વ પછી ફરીથી દિવાળીની ઉજવણી શરૂ થઈ રહી હોય, તેમ રંગોળીઓ દોરવામાં આવી હતી, નગરના મ્યુઝિયમમાં એક હજાર દિવળાઓ પ્રજજવલીત થયા હતા, જેથી "દીપોત્સવી" પર્વ જેવો માહોલ સર્જાયો હતો. રંગબેરંગી રોશની, રૂપાળી રંગોળીઓ અને દીપોત્સવ નો ત્રિવેણી સંગમ થતા લાખેણું લાખોટા તળાવ ઘણું જ આકર્ષક, મનમોહક અને સોહામણું લાગી રહ્યું હતું.

જામનગરમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલો ફલાય ઓવરબ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકાયો છે, અને તેમાં અંગ્રેજોને હંફાવનાર રાણી લક્ષ્મીબાઈની ઘોડેશ્વાર સ્વરૂપની તલવાર ધારણ કરેલી પ્રતિમાની ફરતે થયેલા સુશોભન અને તેને ફરતે નવનિર્મિત ફલાય ઓવરબ્રિજને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરાયો છે, તેની સાથે નયનરમ્ય કલરફૂલ ફૂવારાઓનો સંગમ તથા અદ્ભુત દૃશ્યો સર્જાય છે. આ સ્થળે રોશનીનો ઝગમગાટ કાંઈક અલગ જ ભાત પાડી રહ્યો હતો, અને દિવાળીના પર્વે થતા સુશોભન અને રોશની જેવા જ આબેહૂબ દૃશ્યો ખડા થયા હતા.

આ ઉપરાંત જામનગરમાં ઠેર ઠેર સુશોભનો તથા રંગબેરંગી અદ્ભુત અને આકર્ષક રોશનીના ઝળહળાટથી ઐતિહાસિક અને પ્રવર્તમાન સમયમાં વ્યૂહાત્મક તથા વિકાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવું જામનગર કાંઈક અલગ જ ભાત પાડતું જણાતુ હતું. અનેક સ્થળોએ વિશેષ રંગોળીઓ દોરવામાં આવી હતી અને તેની ફરતે દિવડાઓ ગોઠવીને સુંદર કલાત્મક દૃશ્યો ઊભા કરાયા હતા. કલેકટરની કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી જેવા સરકારી કાર્યાલયો પણ ઝળહળી રહ્યા હતા અને જિલ્લા સેવા સદનો ઉપરાંત લાલબંગલા સર્કલ, કેટલાક મંદિરો તથા નગરના મુખ્ય સંકુલોમાં સુશોભન, અને કલરફૂલ લાઈટીંગ સાથે દિવડાઓ પ્રગટાવાયા હતા અને રંગોળીઓ દોરવામાં આવી હતી.

આ ઝળહળાટ જોઈને કોઈને પણ સવાલ ઉઠે કે ફરીથી દિવાળી આવી ગઈ કે શું ? આવી રીતે આખું નગર કેમ સુશોભિત અને ઝગમગતું કરાયું છે ? તો તેનો જવાબ પણ એવો મળ્યો કે, હા, જામનગરમાં આ વર્ષે ફરીથી દિવાળી ઉજવાઈ રહી છે, અને જામનગરમાં ગઈકાલે 'ઈન્ટેન્જિબલ દિવાળી'ની ઉજવણી થઈ હતી અને તેના સંદર્ભે આજે સવારે પણ ટાઉનહોલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

હકીકતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલી સંસ્થા યુનેસ્કોની આ વર્ષે દિલ્હીના લાલ કિલ્લામાં યોજાયેલી બેઠક દરમ્યાન દિવાળીના તહેવારને "અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત" માં સામેલ કરવાની જાહેરાત થઈ, તેના સંદર્ભે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે જામનગરમાં પણ ગઈકાલે આ ઉજવણી થઈ હતી, અને એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આપણાં દેશના આ તહેવારને મળેલા ગૌરવના વધામણાં થયા હતા. યૂનેસ્કોએ ભારતના ગૌરવભર્યા સાંસ્કૃતિક વારસા તરીકે દિવાળીના તહેવારનો સ્વીકાર કર્યો હતો, તેને વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીયો દ્વારા પણ આવકાર અપાઈ રહ્યો છે, અને તદ્ વિષયક પ્રશંસાત્મક પ્રતિભાવો આવી રહ્યા છે.

હકીકતે યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર સંઘને સંલગ્ન સંસ્થા છે, જેનું ફૂલફોર્મ "યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન" છે, એટલે કે "સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન" તેવો તજુરમો કરી શકાય.

યુનેસ્કો વિશ્વના દેશોમાં શિક્ષણ, સાંસ્કૃતિક અને વિજ્ઞાનના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને વિસ્તારવા અને પ્રોત્સાહિત આપવાનું કામ કરે છે. યુનેસ્કોનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસમાં છે. યુનેસ્કોના પ્રમુખપદે વર્ષ-૨૦૧૭થી સેવા આપતા મહિલા અગ્રણી ઓડ્રે અકોલેના સ્થાને નવેમ્બર-૨૦૨૫માં ચૂંટાયેલા ખાલિદ અલ એનાની હવે કાર્યભાર સંભાળવાના છે, તેવા સમયે ભારતને મળેલું આ ગૌરવ આપણાં દેશના તહેવારોની વૈશ્વિક ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે. યુનેસ્કોમાં ૧૯૪ દેશ સામેલ છે, અને બીજા ૧૨ દેશો સહયોગી છે. એટલે કે લગભગ આખી દુનિયામાં સકારાત્મક અને સર્વવ્યાપી દૃષ્ટિએ કાર્યરત આ સંસ્થા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે, આ સંસ્થાના પ્રમુખને મહાનિર્દેશક કહેવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાના ઉદૃેશ્યથી ૧૬ નવેમ્બર ૧૯૪૫ના દિવસે થઈ હતી, અને ભારત આઝાદી પહેલાથી જ વર્ષ-૧૯૪૬થી આ સંસ્થાનું સભ્ય છે. આ વૈશ્વિક સંસ્થાએ આપણાં દેશના હવે સાર્વજનિક તહેવાર જેવા બની ચૂકેલા ફેસ્ટિવલને "અમૂર્ત સાંસ્કૃતિક વારસો" જાહેર કર્યો છે, જેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. દિવાળીના પર્વે વનવાસ પછી "રામરાજ્ય" ની અયોધ્યામાં પુનઃ સ્થાપનાનો ઈતિહાસ છે.

આ દેશવ્યાપી ઉજવણી હતી, અને આપણે તેની ઉજવણી દિવાળી અને રાષ્ટ્રીય પર્વની જેમ જ જામનગર સહિત હાલારમાં ભલે કરી હોય, પરંતુ આ ઝળહળાટ પાછળ છુપાયેલી કેટલીક કડવી વાસ્તવિકતાઓને પણ સ્વીકારવી પડે અને દેશના પ્રત્યેક નાગરિકના જીવનમાં આ જ પ્રકારનો ઝળહળાટ આવે, સામાન્ય જનતાના જીવનમાં રોનક આવે અને હવાઈ સિદ્ધિઓના ગુબ્બારાના ગ્લેમરમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ વિસરાઈ ન જાય, તેનું ધ્યાન રાખીએ. દિવાળીના તહેવારને મળેલા વૈશ્વિક ગૌરવને આવકારીએ અને દિવાળીના પર્વે સ્થપાયેલા "રામ રાજ્ય"ની પરિકલ્પનાને સાર્થક કરવા માટે આશાવાદી બનીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતની પીચ પર પોલિટિકલ ફટકાબાજીની તૈયારી... કોણ કોના ઘૂંટણીએ પડ્યું ?

                                                                                                                                                                                                      

ગઈકાલે ટી-૨૦ ક્રિકેટ મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ૧૦૧ રને જીતી અને દ.આફ્રિકાની ટીમ માત્ર ૭૪ રનમાં જ સમેટાઈ ગઈ. આમ, પહેલી જ મેચ હારીને દક્ષિણ આફ્રિકાની ટીમ થોડી બેકફૂટ પર આવી ગઈ, અને ઈન્ડિયાનો જુસ્સો વધ્યો. દ.આફ્રિકાની ટીમ પૂરી ૧૩ ઓવર પણ રમી શકી નહીં, અને ભારતના બોલરો સામે દ. આફ્રિકાએ ઘૂંટણીયા ટેકવી દીધા હોય,તેમ જણાયુ. ક્રિકેટના ટી-૨૦ મેચની જેમ જ રાજકીય પીચ પર પણ રસાકસીભરી રાજરમત રમાઈ રહી છે અને રોમાંચક રાજકીય ખેલ જામશે, તેમ જણાય છે.

સંસદમાં પણ વંદે માતરમ્ના વિષય પર ઐતિહાસિક ચર્ચા થઈ અને એસઆઈઆરના મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા થશે, આ ચર્ચાઓ દરમ્યાન ટ્રેઝરી બેન્ચ અને ઓપોઝીશન (શાસક પક્ષો અને વિપક્ષો) વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ફટકાબાજી થઈ, ચોકા અને છક્કા ફટકારાયા, બાઉન્સર અને પેસ બોલીંગ પણ થઈ અને સ્પીન તથા મીડિયમ પેસર બોલરની જેમ દ્વિઅર્થી તથા વ્યંગાત્મક વકતવ્યો પણ થયા, ગુગલી પણ ફેંકાઈ અને શોર્ટપીચ બોલીંગની જેમ તીખા-તમતમતા નિવેદનો પણ થયા. છેલ્લી ત્રણ સદીના ઈતિહાસથી લઈને રામાયણ-મહાભારત કાળ અને તેથીયે પ્રાચીનકાળના ઉલ્લેખો થયા. એકંદરે આ બધી ચર્ચાઓ સાર્થક નિવડી, નિરર્થક હતી કે કેટલાક અંશે ઉપયોગી અને કેટલાક અંશે ફાલતૂ હતી, તેનું તારણ કાઢવાનું મહત્ત્વપૂર્ણ કામ દેશની શાણી અને લોકતાંત્રિક ઢબે પરિપક્વ થઈ ચૂકેલી જનતા પર છોડીએ, પરંતુ આ ચર્ચાઓ દરમ્યાન પણ "ઘૂંટણીએ" પડી જવાના વ્યંગાત્મક સંકેતો પણ અપાયા, અને કટાક્ષો પણ થયા.આ પ્રકારની ચર્ચાઓ દરમ્યાન દેશની ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવી સમસ્યાઓથી લઈને બેલેટ પેપરથી ચૂંટણીઓમાં થતા બૂથ કેપ્ચરીંગ થી લઈને ઈવીએમ અને એસઆઈઆર સુધીના ઉલ્લેખો કરીને રાજકીય પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા અને પરસ્પર "ચીર હરણ" કરતા હોય, તેવા તથ્યો વર્ણવીને પૂરવાર કર્યું કેે "હમામ મેં સબ નંગે હૈ..."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ્ના મુદ્દે મુસ્લિમ લીગ સામે ઘૂંટણીએ પડવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો, તો વિવિધ ચર્ચાઓ દરમ્યાન સંસદમાં રાહુલ ગાંધીએ "વોટચોરી"નો મુદ્દો ઉઠાવ્યો, અને નિશાંત દુબેએ ભૂતકાળની વોટચોરી વર્ણવી...તો ગુજરાતમાં કાંઈક અલગ જ દૃશ્યો સર્જાયા.

જેવી રીતે દ.આફ્રિકાની ટીમે ટીમ ઈન્ડિયા સામે ઘુંટણીયા ટેકવી દીધા, અને રાજકીય ખેલની વાતોમાં પણ ઘુંટણીયે પડવાનો મતલબ નીકળતો હોય, તેવા વ્યંગબાણો છૂટ્યા હતા, તેવી જ રીતે ગુજરાતની મુલાકાતે "આપ"ના અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર ઈન્ડિગો એરલાઈન્સ સામે ઘુંટણીયે પડી ગઈ હોવાનો આક્ષેપ કર્યો...

જેવી રીતે અમદાવાદમાં વિરાટ ખેલ સંકુલ ઊભું કરીને તથા મોટેરા સ્ટેડિયમને વધુ મોટું કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવીને ગુજરાતને ગ્લોબલ ઓલિમ્પિક તથા કોમનવેલ્થ ખેલો માટે તૈયાર કર્યું, તેવી જ રીતે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ પણ આગામી ચૂંટણીઓ માટે ગુજરાતની ભૂમિ પસંદ કરી લીધી હોય તેમ જણાય છે. કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીયકક્ષાનું અધિવેશન યોજ્યું અને યાત્રાઓ કાઢી, તો આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં શ્રેણીબદ્ધ પ્રવાસો, કાર્યક્રમો અને સભાઓ યોજવાની શરૂઆત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે અને જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી આમઆદમી પાર્ટીનું નેટવર્ક ગોઠવાઈ રહ્યું છે, તેથી હવે રાજકીય ક્ષેત્રના ટી-૨૦, વન-ડે અને છેલ્લે ટેસ્ટમેચ એટલે કે પંચાયત, પાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને વર્ષ ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીઓ માટેની રાજકીય પીચ પણ તૈયાર કરવામાં આવી રહી હોય તેમ જણાય છે.

અરવિંદ કેજરીવાલે રાજકોટની મુલાકાત દરમ્યાન ગુજરાતની ભાજપની સરકારને તાનાશાહીનું જિવંત ઉદાહરણ ગણાવી છે. ગોવા અગ્નિકાંડના દોષિતો દેશ છોડીને ભાગી ગયા, અને ખેડૂતો સાથે અન્યાય થાય છે, તેવા આક્ષેપો ઉપરાંત કેજરીવાલે પેપરલીક, દારૂબંધી, ડ્રગ્સ વગેરે મુદ્દાઓ ઉઠાવીને એવો વિચિત્ર આક્ષેપ પણ કર્યો કે ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સાઠગાંઠ છે, અને બંને સાથે મળીને શાસન ચલાવી રહ્યા છે !

કેજરીવાલે આક્ષેપબાજી અને બળાપો કાઢયા પછી એવો દાવો પણ કર્યો છે કે વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીને બહુમત મળશે. કેજરીવાલની આ મુલાકાત દરમ્યાન ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા વગેરે સ્થાનિક નેતાઓના નિવેદનો પણ ઘણાં જ સૂચક છે.

હવે કોણ કોના ઘુંટણીએ પડયું છે, કોની-કોની વચ્ચે મિલીભગત છે અને આગામી ચૂંટણીઓ કોણ જીતશે, તેનો નિર્ણય અંતે તો ગુજરાતની જનતા જ કરશે ને ? યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ...

એટલું ચોક્કસ છે કે આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને તે પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ભાજપ તદૃન સરળતાથી જીતી શકે તેમ જણાતુ નથી, જ્યારે આપ અને કોંગ્રેસ માટે પણ કપરાં ચઢાણ છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

 

 

માથાદીઠ આવકમાં વધારો... ગુજરાતના ગ્રોથનું ગૌરવ, પણ... સિક્કાની બીજી બાજુ પણ છે...

                                                                                                                                                                                                      

ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના એક રિસર્ચ પેપરને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત ટોપ-ફાઈવમાં આવ્યું છે. ગુજરાતનો દેેશના જીડીપીમાં હિસ્સો વર્ષ-૨૦૨૦-૨૧માં ૭.૫ ટકા હતો, જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૮ ટકા અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૮.૧ ટકા થયો છે. મહારાષ્ટ્રનો દેશના જીડીપીમાં વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૫.૨ ટકા હિસ્સો હતો, તે વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૧૩.૧ ટકા થયો છે. આ રિસર્ચ પેપરમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોનું દેશના જીડીપીમાં અવ્વલ યોગદાન રહ્યું હોવાના તારણો કઢાયા છે. અને બંને રાજ્યોને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.

ભારત આઝાદ થયા પછી ભાષા આધારિત રાજ્યોની વર્ષ ૧૯૫૬માં રચના થઈ, તે સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો નહોતા, પરંતુ મરાઠી અને ગુજરાતી ભાષા બોલતા નાના નાના રાજ્યોનો સમૂહ બૃહદ મુંબઈ રાજ્યમાં સમાવાયો હતો. રાજાશાહીના સમયના નાના મોટા રાજ્યોના વિલીનીકરણ પછી દેશમાં જ્યારે ભાષા આધારિત રાજ્યો રચાયા, ત્યારે બૃહદ મુંબઈમાં મુખ્યત્વે બોલાતી મરાઠી અને ગુજરાતી ભાષા આધારિત રાજ્યોની કોઈ કારણે રચના થઈ નહીં, પરંતુ તે પછી મહાગુજરાત આંદોલન તથા બીજી તરફ મરાઠી ભાષા બોલતા રાજ્યની રચના માટે પણ જન ચળવળો શરૂ થઈ, તે પછી અંતે વર્ષ ૧૯૬૦ના દિવસે બૃહદ મુંબઈ રાજ્ય (બોમ્બે સ્ટેટ)માંથી બે રાજ્યોની રચના થઈ, જેમાંથી એક રાજ્ય ગુજરાત અને બીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર...

આ બંને રાજયોની રચના સમયે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ગુજરાતમાં રહેશે કે મહારાષ્ટ્રમાં, તે અંગે પણ ખેંચતાણ થઈ હતી એન છેવટે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રેલવેના મુખ્ય મથક સહિતના કેટલાક રાજ્યકક્ષાના એકમો અને સંસ્થાનો ગુજરાતને ફાળવવાની વાત થઈ હતી, જેમાંથી મોટા ભાગે તે પછી અમલ થયો નહોતો, જેથી એ એક અલગ વિવાદનો વિષય બન્યો હતો.

દેશની આર્થિક રાજધાની મુંબઈ મહારાષ્ટ્રમાં હોવાથી દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વાધિક રહે, તે સ્વાભાવિક છે, પરંતુ ગુજરાત પણ દેશના વિકાસમાં પહેલેથી જ સહભાગી રહ્યું છે, અને પ્રવર્તમાનકાળમાં ટોચના ઉદ્યોગપતિઓ તથા બિઝનેસમેનોમાં ઘણાં ગુજરાતીઓ છે. મુંબઈ તથા મહારાષ્ટ્રમાં રહેતા મૂળ ગુજરાતના વતનીઓ પણ ત્યાંના વ્યાપાર ઉદ્યોગમાં સહભાગી છે. ગુજરાતીઓ બિઝનેસ-ઈન્ડસ્ટ્રીઝમાં પાવરધા અને પાવરફૂલ ગણાતા હોવાથી બંને રાજ્યોમાં ગુજરાતીઓની બોલબાલા જળવાઈ રહી છે, અને બંને રાજ્યો દેશની જીડીપી અગ્રતાક્રમે સહભાગી બનતા આવ્યા છે, અને ગ્લોબલ બિઝનેસ તથા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં પણ અવ્વલ રહ્યા છે.

મહારાષ્ટ્ર માથાદીઠ આવકમાં હંમેશાં ગુજરાતથી આગળ રહ્યું છે, અને બંને રાજ્યો છુટા પડયા અથવા બંને રાજ્યોની રચના થઈ, તે વર્ષ ૧૯૬૦થી વર્ષ ૨૦૧૦-૧૧ સુધી હંમેશાં મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતા વધુ રહી હતી, પરંતુ છેલ્લા એક દાયકામાં ભારતે આ મામલે પણ મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે, અને ગુજરાત માથાદીઠ આવકમાં દેશમાં ટોપ-ફાઈવમાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.

અહેવાલો અનુસાર ગુજરાતે ઈકોનોમિ સેકટરમાં નવો માઈલસ્ટોન પાર કર્યા છે, અને રાજ્યની માથાદીઠ આવક (ઈન્કમ પર હેડ) રૂ. ત્રણ લાખને વટાવી ગઈ છે. દેશના તમામ રાજ્યોમાં ગુજરાત ત્રણ લાખ નવસો સતાવન રૂપિયાની માથાદીઠ આવક સાથે દેશના ટોપ-ફાઈવમાં પહોંચ્યું છે. તાજેતરના ડેટા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૪.૬૨ લાખ કરોડના ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી) સાથે દેશના ટોપ-ફાઈવ રાજ્યોમાં ગુજરાત પહોંચ્યું છે અને મહારાષ્ટ્રને માથાદીઠ આવકમાં પાછળ છોડયું છે.

વિવિધ માપદંડો મુજબ થતા રિસર્ચમાં કેટલાક ક્ષેત્રે ગુજરાત અવ્વલ રહ્યું છે. વર્ષ ૨૦૧૨-૧૩થી વર્ષ ૨૦૨૩-૨૪ના સમયગાળામાં હાંસલ કરેલો ૮.૪૨ ટકાનો ગ્રોથ રેઈટ રૂા ૧૦ લાખ કરોડથી વધુની ઈકોનોમિ ધરાવતા રાજ્યોમાં સૌથી વધુ છે. આ માપદંડોમાં ગુજરાતે કર્ણાટક અને તમિલનાડુને પાછળ છોડીને હાઈ જમ્પ લગાવ્યો છે. ગુજરાતમાં સ્ટ્રોંગ ઈન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર, ઈન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રકચર તથા કાર્યક્ષમ અને પ્રો-પબ્લિક તથા પ્રો-બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ પોલિસીના કારણે ગુજરાતે ઈકોનોમિના ક્ષેત્રે હાઈ જમ્પ લગાવ્યો હોવાના તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.

આ નોંધપાત્ર સિદ્ધિ છે અને ગુજરાત માટે ગૌરવરૂપ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક વધુ હોય અને બંને રાજ્યો ભલે દેશની ઈકોનોમિમાં અવ્વલ હિસ્સો આપનાર ટોપ-ફાઈવ રાજ્યોમાં સ્થાન પામ્યા હોય, તો પણ બંને રાજ્યોની જનતાની મૂળભૂત જરૂરિયાતો હજુ પૂરેપૂરી સંતોષી શકાઈ નથી અને નાની નાની જણાતી સમસ્યાઓ પણ હલ થઈ શકી નથી. બંને રાજયોમાં શિક્ષણ, આરોગ્ય,  પોષણની અપૂરતી વ્યવસ્થાઓ, ગરીબી, સ્થાનિક બેરોજગારીની સમસ્યાઓ છે. બંને રાજયોમાં શહેરી વિકાસની તુલનામાં ગ્રામ્ય વિકાસ ઘણો જ ઓછો છે. ટૂંકમાં જે માથાદીઠ આવક વધી રહી છે, તેમાં ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે, અને ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો નથી, તે કડવી વાસ્તવિકતા છે.

આ બંને રાજ્યો વચ્ચે ઘણી સમાનતા હોવા છતાં પ્રવર્તમાન રાજકીય વિરોધાભાષને કારણે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ભાષાવાદ ફરીથી પનપી રહ્યો છે. તાજેતરમાં એક ગુજરાતી પરિવારને કાર ઓવરટેઈકના સામાન્ય મુદ્દે મરાઠા પરિવાર સાથે નાનકડી તકરાર થઈ અને ગુજરાતી પરિવારને જે-તે સમયે માફી મંગાવ્યા પછી ફરિયાદ થતા આ મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ પ્રકારની ઘટનાઓ દેશની એકતા અને અખંડિતતા માટે ખતરારૂપ ગણાય.

ભાષાના આધારે ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે થયેલા આંદોલનો સમયે મુદ્દા આધારિત લડત કેન્દ્ર સરકાર સામે હતી, પરંતુ ગુજરાતીઓ અને મરાઠાઓ વચ્ચે નફરત ફેલાય, તેવી ભાવના નહોતી, પરંતુ અત્યારે જે કાંઈ બની રહ્યું છે તે બંને રાજ્યોના સહ-અસ્તિત્વ અને શાંતીમય સૌજન્ય તથા સૌહાર્દ માટે ઘાતક બની શકે તેમ છે, તેથી આ મુદ્દે તમામ રાજકીય પક્ષોની રાષ્ટ્રીય નેતાગીરીને ગંભીર ચિંતન કરીને હસ્તક્ષેપ કરવો પડે તેમ છે.

મહારાષ્ટ્રનો આર્થિક ગ્રોથ ઘટી રહ્યો હોય, તો તેની પાછળ કદાચ છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી રાજકીય ઉઠાપટક જવાબદાર (કાંઈક અંશે) હોઈ શકે, પરંતુ ગુજરાતમાં તો ત્રણ દાયકાથી ભાજપની જ સરકાર છે ને ? સમસ્યાઓ ઉકેલો...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાજનીતિમાં રાગદ્વેષ નહીં... કલામાં કંકાસ નહીં... ખેલદિલી કે ખીલવાડ...? હમામ મેં સબ નંગે હૈ ?

                                                                                                                                                                                                      

જામનગરમાં ગોપલ ઈટાલિયા પર જુતુ ફેંકાયુ, અને તેમણે વિધિવત ફરિયાદ ન કરી., જૂતુ ફેંકનારના પૂર્વ-ઈતિહાસની વાતો થઈ, અને તેમણે કયા કારણે આવું કર્યું તેની કરેલી ચોખવટ પણ ચર્ચાના ચાકડે ચડી. આ આખા ઘટનાક્રમનો રાજકીય ફાયદો એકંદરે કોને થશે અને આ પ્રકારની ઘટનાઓ શું પ્રિ-પ્લાનેડ હોય છે કે વ્યક્તિગત ઉશ્કેરાટ કે સંતોષનો ઉભરો હોય છે, તેની ચર્ચાઓ પણ થઈ, પરંતુ અંતે આ પ્રકારની ઘટનાઓ સ્વીકૃતી નથી, તેવા અભિપ્રાયો સાથે પ્રકરણ વાઈન્ડ અપ કરવાની રાબેતા મુજબ કોશિશ થઈ.

બીજી ઘટના જોઈએ, ભાજપના આખાબોલા સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ કોઈનું નામ કે સંદર્ભ જણાવ્યા વિના એવો આક્ષેપ કરી દીધો કે સનસનાટી મચી ગઈ.

તંત્રના અધિકારીઓ પર નાના-મોટા વિકાસકાર્યોમાં તપાસ માંગી, તેને સોશ્યલ મીડિયામાં મૂકી અને પ્રચાર-પ્રસિદ્ધિ કર્યા પછી તેની પાસેથી લાખો રૂપિયાનો તોડ નો આમઆદમી પાર્ટી પર આક્ષેપ મુકતા મુકતા મનસુખભાઈ વસાવાએ કેટલાક દૃષ્ટાંતો આપ્યા, પણ નામ, સંદર્ભ વિના...

એવું કહેવાય છે કે આ વાત કરતા કરતા મનસુખભાઈ આ પ્રકારના ષડયંત્રો તમામ પક્ષોના કેટલાક નેતાઓ કરી રહ્યા હોવાનું કહેતા પોતાની જ પાર્ટી માટે સેલ્ફ ગોલ કરી લીધો હતો, અને પૂરવાર કર્યું હતું કે હમામ મેં સબ નંગે હૈ...!

ત્રીજું દૃષ્ટાંત જોઈએ તો, એક કાર્યક્રમમાં ભાજપ અને વિપક્ષની સેલિબ્રિટિઝ બહેનોએ એક સાથે નૃત્ય કર્યું, અને તેના રાજકીય પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા હતા.

બન્યું હતું એવું  કે ભાજપના સાંસદ નવીન જીંદાલને ત્યાં લગ્ન પ્રસંગમાં ભાજપના કંગના રનૌત, તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને એનસીપી (શરદજૂથ) ના સુપ્રિયા સુલે એક સાથે એક જ સ્ટેજ પર ડાન્સ કરતા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એવું કહેવાય છે કે આ વીડિયો કોઈ કાર્યક્રમ માટે રિહર્સલનો છે, પરંતુ તેમાં રાજનીતિની વાસ્તવિકતા પણ પ્રગટે છે, રાજનેતાઓ ભલે સડકથી સંસદ સુધી સટાસટી બોલાવતા રહેતા હોય, પરંતુ વ્યક્તિગત રીતે તેઓ એકબીજા પ્રત્યે આદર રાખતા હોય છે, અને રાજકીય ખેલદિલીનો પરિચય આપતા હોય છે.

આ પ્રકારે જ એક અન્ય "રાજકીય ખેલદિલી"નો પ્રસંગ ગઈકાલથી જ ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ૩૬નો આંકડો છે, પરંતુ ઘણાં પ્રતિસ્પર્ધી નેતાઓના પરસ્પર મજાક-મસ્તીના સંબંધો પણ હોય છે. સંસદમાં ૬ઠ્ઠી ડિસેમ્બરે ગરમાગરમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા પ્રતિસ્પર્ધી નેતાઓ ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

આ પ્રસંગે આવેલા કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજૂ અને લોકસભામાં વિપક્ષના નેતાએ જ્યારે એકબીજાને જોયા કે તરત જ સસ્મિત હસ્તધૂનન કર્યું અને એકબીજાની મજાક-મસ્તી પણ કરી અને હળવાશથી વાતો કરી. ભાજપ પર હંમેશાં આગબબૂલા રહેતા કોંગી નેતા ઉદિત રાજની હાજરીમાં બનેલી આ ઘટનાનું પણ તાજ્જુબ સાથે "રાજકીય ખેલદિલી" ગણાવાઈ રહી છે.

તે પહેલા પાંચમી ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભોજન સમારંભમાં વિપક્ષના સાંસદ શશિ થરૂરને આમંત્રણ અપાયું હતું, જેને શાસક પક્ષની "ખેલદિલી" ગણાવાઈ હતી, તો બીજી તરફ કોંગ્રેસના અન્ય દિગ્ગજોને આમંત્રણ નહીં મળ્યું હોવાથી એક અલગ જ વિવાદ શરૂ થઈ ગયો હતો. પવન ખેડાએ આને રાજરમત ઠરાવી હતી, તો થરૂરે પણ વિપક્ષના દિગ્ગજોને આમંત્રણ અપાયું નહીં હોવાને અયોગ્ય ઠરાવ્યું હતું, પરંતુ પોતે હાજરી પણ આપી હતી, તેથી આને પણ રાજરમત જ ગણાવાઈ હતી.

ઈન્ડિગોના મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર અને ઈન્ડિગો વચ્ચેના "મેચ ફિક્સીંગ"નું પરિણામ ગણાવ્યું હતું, ત્યારે કેટલાક લોકોએ આ મુદ્દે પ્રત્યાઘાતો આપવાના ટાઈમીંગને લઈને સવાલો ઉઠાવતા કહ્યું હતું કે રાજકીય પક્ષો વચ્ચે પણ આ મુદ્દે "મેચ ફિકસીંગ" જ છે !

ગુજરાતના પ્રવાસે આવેલા "આપ"ના અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રણકાર કર્યો અને ભાજપના શાસન પર પ્રહારો કર્યા, તો ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની જામનગરની ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી. આ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઠગાંઠ હોવાની કેજરીવાલે જે વાત કરી, તે ઘણી જ સૂચક છે., અને રાજનીતિમાં કાંઈપણ અશક્ય નથી, તેના તરફ પણ ઈશારો કરે છે. ખુદ કેજરીવાલે અન્ના આંદોલન પછી પાર્ટી રચી અને પહેલી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કોંગ્રેસનો ટેકો લીધો હતો, તેને યાદ કરાવીને કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં પણ એવી ચર્ચા છે કે કેજરીવાલ કદાચ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાને સુરક્ષિત કરવાના ચક્કરમાં છે !

કેન્દ્રીય કક્ષાએ અનેક વિવાદો તથા અદાલતી કાર્યવાહીથી ઘેરાયેલા કેજરીવાલ હવે ગુજરાતમાંથી ભાજપ સામે પડકાર ઊભો કરવાની મહેનત કરી રહ્યા છે, તેવા મહત્તમ પ્રત્યાઘાતો વચ્ચે કેટલાક લોકો એવું પણ કહે છે કે હકીકતે પોલિટિકલ બ્લેક મેઈલીંગ હેઠળ કેજરીવાલ ભાજપના ઈશારે જ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓમાં તોડફોડ કરી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ કે કોઈ રાજ્યોમાં ચૂંટાયેલા નેતાઓ પક્ષાંતર કરે, ત્યારે તેને ખરીદ-વેચાણ ગણવામાં આવતું હોય, તો ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો પછી હવે કોંગ્રેસના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા નેતાઓના પક્ષાંતરને શું કહેશો ? તેવા સવાલો ઉઠતા હોય, તો તેને અવગણી શકાય તેમ નથી.

ટૂંકમાં કેજરીવાલની ભાજપ અને કોંગ્રેસની વિરૂદ્ધમાં ચાલી રહેલી આક્ષેપબાજીને વિશ્લેષકો ભિન્ન ભિન્ન રીતે મુલવી રહ્યા છે, અને વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.

હકીકતમાં રાજનેતાઓ જાહેરમાં ભલે પરસ્પર આક્રમક -આલોચક દેખાતા હોય, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે દુશ્મનાવટ રાખતા નથી, અને રાજનીતિમાં રાગદ્વેશ નહીં રાખતા હોવાનો દાવો કરાય છે. તેવી જ રીતે કલાકારો જયારે સ્ટેજ પર પરફોર્મન્સ કરે ત્યારે તેમાં રાજકીય કંકાસ આડે આવતો નથી. જો કે, આ ખાસ પ્રકારની "ખેલદિલી" હકીકતે આ જ નેતાઓ માટે પરસ્પર ઝઘડતા, કયારેક મારામારી કરતા કે જીવ ગુમાવતા જિલ્લા-ગ્રામ્યકક્ષાના નેતાઓ તથા કાર્યકરો સાથે "ખિલવાડ" જ ગણાય, કારણ કે રાજનીતિના ક્ષેત્રે "હમામ મેં સબ નંગે હૈ..."ની કહેવત લાગુ પડતી હોવાની અવધારણા પણ અગવણવા જેવી તો નથી જ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાત બનશે દેશની ૫ોલિટિકલ લેબ... બે વર્ષ પછી સેમિફાઈનલ...!

                                                                                                                                                                                                      

સંસદ ગુંજી રહી છે અને રાજયોમાં પણ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આવતા વર્ષે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનારી છે, તો મહારાષ્ટ્રમાં બીએમસી એટલે કે એક નાનકડા રાજ્ય જેટલું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા અથવા મુંબઈના કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, જેને મરાઠી તથા હિન્દી ભાષામાં અલગ નામથી અળખવામાં આવે છે. ઓફિશ્યલી બૃહદ મુંબઈ કોર્પોરેશનને ટૂંકમાં બીએમસી કહેવાય છે. આ ચૂંટણી સાથે શિવસેનાના બે ફાડિયા, એનસીપીના બે ફાડિયા, કોંગ્રેસ અને ભાજપનું મુખ્યત્વે ભવિષ્ય જોડાયેલું છે.

આવી જ રીતે કેટલાક રાજ્યોમાં વિવિધ કારણે ખાલી પડેલી વિધાનસભાઓ, વિધાન પરિષદો તથા લોકસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી, સમયાંતરે ખાલી થતી રહેતી રાજયસભાની બેઠકો પર નિયત સમયે કરવી પડતી ચૂંટણીઓ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીના જનપ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષોની આંતરિક ચૂંટણીઓ વગેરેના કારણે પણ આગામી વર્ષે, તે પછી વર્ષ-૨૦૨૭માં અને છેલ્લે વર્ષ-૨૦૨૯માં ચૂંટણીઓનો સીલસીલો ચાલતો રહેવાનો છે. તેથી ક્રિકેટની ભાષામાં એવું કહી શકાય કે પહેલા લીગ મેચો, પછી સેમી ફાયનલો અને છેલ્લે ફાયનલ મેચ રમાવાની છે. આ પોલિટિકલ ફાયનલને ધ્યાને રાખીને મોદી-શાહની જોડીને મહાત કરવા વિપક્ષો દ્વારા ગુજરાતથી જ શરૂઆત કરીને લીગ મેચોમાં વિજય મેળવીને પછી સેમિ ફાયનલોમાં વિવિધ રાજ્યોમાં ભાજપ-એનડીએને પછડાટ આપીને છેલ્લે લોકસભામાં સત્તા-પરિવર્તનની રણનીતિ અપનાવવા રહી હોય તેમ જણાય છે.

આ રણનીતિ હવે સિક્રેટ રહી નથી, કારણ કે કોંગ્રેસે ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન યોજ્યું. રાષ્ટ્રીયકક્ષાના નેતાઓએ વારંવાર ગુજરાતની મુલાકાત લીધી. રાહુલ ગાંધીના આંટાફેરા વધ્યા અને સંગઠનાત્મક ફેરફારો પછી ચારણી ફેરવીને કેટલાક નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ હટાવાયા. આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસે ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા સક્રિયતા વધારી, કેટલીક યાત્રાઓ કાઢી તથા વિવિધ મુદ્દે કેન્દ્ર-રાજય સરકારની સામેના વિરોધ પ્રદર્શનો વધુ તેજાબી અને પ્રભાવી બન્યા. કોંગ્રેસ વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી અને તે પહેલા આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઝળહળતી સફળતા મેળવીને સત્તા પ્રાપ્ત કરશે, તેવો રણકાર પણ કરાયો.

બીજી તરફ દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી આમઆદમી પાર્ટીએ પણ હવે ગુજરાત પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ જણાય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન સાથે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આંટાફેરા વધાર્યા અને કેટલાક સ્થળે તેના જાહેર કાર્યક્રમોમાં લોકમેદની પણ નોંધપાત્ર રહી, તો રાજ્યના નેતાઓ પણ બે-ત્રણ મહિનાથી એકદમ સક્રિય થઈ ગયા છે. આમઆદમી પાર્ટીને પેટા ચૂંટણીમાં વિસાવદરમાં વિજય મળ્યો, અને તેમાં પણ ગોપાલ ઈટાલિયા જેવા યુવાનેતા ધારાસભ્ય બન્યા, તેથી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત ગુજરાત વિધાનસભામાં "આપ" ના ધારાસભ્યોની મોજુદગી પણ "આપ" માટે ટોનિક બની ગઈ છે., અને હવે આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં વધુ પગપેસારો કરીને ભાજપ-કોંગ્રેસ સામે બ્યુગલ ફૂંકવાની તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે.

જામનગરમાં કોંગી કોર્પોરેટરનું રાજીનામું તથા રાજ્યકક્ષાએ કેટલાક નેતાઓનો અસંતોષનો અવાજ જોતા હવે કોંગ્રેસે પણ ગુજરાતમાં સંગઠનાત્મક ક્રાંતિ લાવવાની જરૂર વિશ્લેષકો જણાવી રહ્યા છે, તો બીજી તરફ બિહારની ચૂંટણીના પરાજય પછી કોંગ્રેસમાં આવેલી હતાશાનો રાજકીય ફાયદો લઈને આમઆદમી પાર્ટી રાજ્યો અને રાષ્ટ્રીયકક્ષાએ દ્વિતીય વિકલ્પ બનવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે. અને તેના એંધાણ હાલાર અને ગુજરાતમાં બની રહેલા તાજા રાજકીય ઘટનાક્રમો પછી સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યા છે. આ સંજોગોમાં જો રાષ્ટ્રીયકક્ષાએ ભાજપ-એનડીએને પડકારવું હોય તો કોંગ્રેસે પણ આંતરિક મતભેદોને કિનારે રાખીને મોટા લક્ષ્ય સાથે આગળ વધવું પડશે, આ માટે જિલ્લાઓ તથા રાજ્ય કક્ષાએ એકના એક ચહેરાઓને વિવિધ હોદ્દાઓ પર ફેરવ્યા રાખવાના બદલ સાહસભર્યો નિર્ણય લઈને ધરમૂળથી ફેરફારો કરવા પડશે. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતને જ્યારે રાષ્ટ્રીય રાજનીતિનું બુનિયાદી મેદાન બનાવવાનું નક્કી કર્યું હોય અને આમઆદમી પાર્ટીએ પણ ગુજરાતમાં જોર વધાર્યું હોય ત્યારે મૂળ મેદાન અને પીચને પારખીને જ ટીમનું સિલેકશન કરવું પડશે, અને ત્રિપાંખીયા જંગમાં અવ્વલ રહેવાનું લક્ષ્ય રાખવું પડશે.

બીજી તરફ આમઆદમી પાર્ટીએ વિકલ્પ બનવાના બદલે "અવ્વલ" બનવા માટે કોઈ ગૂપ્ત રણનીતિ ઘડી હોય અને તેમાં ભાજપના શાસન સામેની એન્ટિ ઈન્કમ્બન્સીનો લાભ કોંગ્રેસના બદલે "આપ" ને વધુ મળે, તેવી ચાલ અપનાવી હોય, તથા તેના ભાગરૂપે કોંગ્રેસના કાંગરા ખેરવીને કોંગી દિગ્ગજો તથા સ્થાનિક નેતાઓને "આપ"માં લઈ જવાની વ્યૂહરચના ગોઠવી હોય, તો તેમાં સાવધાનીપૂર્વક આગળ વધવુ પડે તેમ છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કમિટેડ મતદારો તથા વર્તમાન શાસન સામેની એન્ટિ-ઈન્કમ્બન્સીના કારણે કોંગ્રેસ તરફી જનતાનો સંભવિત ઝોક અવગણવા જેવો નથી. ટૂંકમાં, કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવાની ભૂલ ભારે પડી શકે છે, અને સપના રોળાઈ શકે છે. દાયકાઓના ભાજપના શાસન પછી જો ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છતી હશે, તો તેની શરૂઆત આવતા વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓથી જ થવાની છે, અને બીએમસીની ચૂંટણીની પરોક્ષ અસરો ગુજરાતમાં અને બીએમસીની ચૂંટણીઓમાં ગુજરાતી મતદારોની ભૂમિકા પરસ્પર સંકળાયેલી હોવાથી આ બાબતે ગુજરાત અને મહારાષ્ટ્રથી જ દિલ્હી ગાદી મેળવવાની જાળ બીછાવાઈ રહી હોય તેવા તારણો પણ કાઢી શકાય છે.

ટૂંકમાં ગુજરાત એક વખત ફરીથી રાષ્ટ્રીય રાજનીતિનું એ.પી. સેન્ટર બનવા જઈ રહ્યું છે, અને તેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં આમઆદમી પાર્ટી ત્રીજા મજબૂત પરિબળ તરીકે ઝંપલાવવાની તૈયારી કરી રહી છે, તેથી ગુજરાત દેશની પોલિટિકલ લેબ બનવા જઈ રહ્યું છે, તેમ કહી શકાય.

આ પહેલા વર્ષ ૧૯૭૪-૭૫ના સમયગાળામાં કોંગ્રેસ જ્યારે દેશભરમાં શક્તિશાળી હતી અને લગભગ તમામ રાજ્યોમાં કોંગ્રેસની સરકારો સત્તામાં હતી, ત્યારે તે સમયના વિપક્ષોએ ગુજરાતમાં "જનતા મોરચા" નો કરેલો પ્રયોગ સફળ રહ્યો અને તે જ ફોર્મ્યુલા પર તે સમયે, કટોકટી પછી જનતા પાર્ટી રચીને વિપક્ષોએ કોંગ્રેસને હરાવીને સત્તા પ્રાપ્ત કરી હતી. તે સમયથી જ ગુજરાત પોલિટિકલ લેબ બન્યું છે. આવતા વર્ષે પંચાયતો-પાલિકા-મહાપાલિકાની ચૂંટણીઓની લીગ મેચો પછી વર્ષ ૨૦૨૭ની સેમિફાયનલ મેચમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તે નક્કી છે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વધતી જતી દરિયાઈ જળસ૫ાટી દુનિયાના ઘણાં વિસ્તારોને ડૂબાડશે... પ્રલય અથવા કયામતનો સંકેત ?

                                                                                                                                                                                                      

છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્ર જાણે બદલાઈ ગયું હોય તેમ શિયાળો, ઉનાળો અને ચોમાસાની સમય સારણીમાં બદલાવ આવી રહ્યો છે અને વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. ગરમી વધી રહી છે અને શિયાળો ટૂંકો થઈ રહ્યો હોય તેમ જણાય છે. જે વિસ્તારમાં વરસાદની તંગી રહેતી હતી, ત્યાં વરસાદનું પ્રમાણ વધી ગયું હોય અને જ્યાં અતિવૃષ્ટિ થતી રહેતી હોય તેવા પ્રદેશોમાં દુષ્કાળ પડતા હોય, તેવા બદલાવ પર્યાવરણ, પૃથ્વી અને સમગ્ર જીવસૃષ્ટિ પર આડી અસરો ઊભી કરી રહ્યા છે અને માનવજિવન તથા પ્રાકૃતિક પરિસ્થિતિઓ પર વિપરીત અસરોના કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે.

એક પર્યાવરણ અને પ્રકૃતિના ક્ષેત્રે કાર્યરત સંસ્થા કલાઈમેટ સેન્ટ્રલના રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ તથા કલાઈમેટ ચેઈન્જના કારણે દરિયાઈ સ્તર ઝડપથી વધશે, જે સમગ્ર વિશ્વને અસર કરશે. પૃથ્વીનું વાતાવરણ બદલી રહ્યું છે અને દરિયાની જળસપાટી ધીમે ધીમે વધી રહી છે, જેના કારણે દુનિયાના દરિયાકાંઠે વસેલા અને ઝડપભેર વિસ્તરી રહેલા મોટા મોટા શહેરોમાં દરિયાઈ પૂરની સમસ્યા ઊભી કરશે. આ રિપોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેઈન્જના કારણે તથા ગ્લેશિયરો પીગળવાથી વધી રહેલી દરિયાઈ જળસપાટી થોડા દાયકાઓ પછી દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારોને ડૂબાડી શકે છે, એટલું જ નહીં, ભારતના મુંબઈ અને કોલકાતા સહિત ઘણાં શહેરોમાં દરિયાઈ પાણી ઘૂસી જતાં ભારે તબાહી સર્જાઈ શકે છે.

આપણે નાનપણથી શિખતા આવ્યા છીએ કે પૃથ્વીનો મોટો ભાગ ખારા જળનો દરિયો ધરાવે છે, જ્યારે જે જમીન છે, તેમાં વસ્તી વધારાના કારણે જે પ્રાકૃતિક અસમતુલન ઊભું થઈ રહ્યું છે, અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રાકૃતિક સ્વરૂપ બદલી રહી છે, તે ખતરનાક બની શકે છે. આ માટે જો સમયોચિત સતર્કતા નહીં આવે તો પૃથ્વી પર પ્રલય અથવા કયામતની જે સંભાવનાઓ પ્રાચીન શાસ્ત્રો અને વર્તમાન માન્યતાઓમાં વર્ણવવામાં આવે છે, તેવી સ્થિતિ વહેલી ઊભી થઈ શકે છે.

એ રિપોર્ટ મુજબ તો પૃથ્વી પરના મોટા મોટા શહેરોની ગણતરી કરીને દરિયાઈ સપાટી વધવાથી વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતના નવી મુંબઈ તથા વિકસિત કોલકાતા જળમગ્ન થઈ શકે છે, તેવી શક્યતાઓ ગણાવાઈ રહી છે, અને સાડાત્રણ કરોડથી ચાર કરોડ લોકો ડૂબી જાય, તેવી સંભાવના જણાવાઈ રહી હતી, પરંતું પ્રવર્તમાન સ્થિતિ તથા ઋતુચક્રમાં રહેલા બદલાવ મુજબ તો દરિયાકાંઠાના ઘણાં બધા વિસ્તારો જળમગ્ન થઈ શકે છે અને ડૂબી જનાર લોકોની સંખ્યા ઘણી વધુ સંભવી શકે છે. આ ઝડપી શહેરીકરણ તથા આર્થિક વિકાસની સિક્કાની બીજી બાજુ છે, જેની સામે અત્યારે સરકારે તથા વૈશ્વિક સંગઠનો તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ જણાય છે.

આ અમેરિકન સંસ્થા ઉપરાંત નાસાના એક અન્ય રિપોર્ટ મુજબ તો થોડા દાયકાઓ પછી જ ભારતમાં જ મુંબઈ-કોલકાતા જેવા દરિયાકાંઠે આડેધડ વિકસેલા મહાનગરોના ત્રણ-ચાર કરોડ લોકોનું તત્કાળ સ્થળાંતર કરવું પડશે. શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ દરિયાઈ સ્તર વધવાથી એક મોટી માનવતાવાદી કટોકટી ઊભી થશે, જે વિકાસના માચડાઓને હડપ કરી જશે, અને અનેક શહેરોની સુરત જ બદલાઈ જશે, અને કેટલાક વિસ્તારો તો જળમગ્ન થઈ જશે.

આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે દ્વારકાનો દરિયો થોડો-થોડો વધી રહ્યો છે, મતલબ કે થોડા દાયકાઓ પહેલા હતો ત્યાંથી દરિયો ધીમે-ધીમે જમીનને ડૂબાડી રહ્યો છે. દરિયાની જળસપાટી ભલે મીલિમીટર કે સેન્ટિમીટરના માપથી વધી રહી હોય, પરંતુ તેને તદૃન અવગણી શકાય તેમ નથી.

ઉક્ત રિપોર્ટ મુજબ ગુજરાતના પણ કેટલાક દરિયાઈ વિસ્તારો પર કેટલાક દાયકાઓ પછી ડૂબી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે, એ રિપોર્ટમાં સુરત શહેર પણ ભયંકર દુર્ઘટનાઓનો સામનો કરી શકે છે, તેવો ઉલ્લેખ છે.

તદુપરાંત ઓડિશાના પારાદીપ અને ઘંટેશ્વર જેવા દરિયાકાંઠાના વિસ્તારોના લાખો લોકો દરિયાઈ પૂરનો ભોગ બનશે અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જશે, તેવો ઉલ્લેખ પણ એ રિપોર્ટમાં થયો હતો. વર્ષ ૨૦૧૮માં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા પૂરના કારણે દોઢ કરોડ લોકો પ્રભાવિત થયા હતા, તે પછી પ્રતિવર્ષ થતા રહેતા સ્ટડીના આધારે એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દરિયાકાંઠે સમુદ્રની જળસપાટીમાં થનારા વધારાના કારણે એશિયા પેસિફિક વિસ્તારના ૭ સહિત વિશ્વના ૧૦ દેશો સૌથી વધુ પ્રભાવિત થશે. આ  મુદ્દો હવે ગ્લોબલ ચિંતાનો વિષય બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઠંડી કે મોસમ મેં ગરમી કા અહેસાસ... રાજધાનીમાં ભાજપને ઝટકો, ગુજરાતમાં ગરમાતી રાજનીતિ,

                                                                                                                                                                                                      

ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને તંદુરસ્તીની સાથે સ્વાસ્થ્યની સતર્કતા રાખવાની મોસમ પણ શરૃ થઈ ગઈ છે. આ ઠંડીની મોસમમાં પણ રાજધાની દિલ્હીમાં અલગ જ અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રિમકોર્ટે રાજ્ય-કેન્દ્ર સરકારોનો કાન આમળ્યો હતો, અને દેશના શહેરોમાં વધી રહેલા પ્રદુષણની ચર્ચાઓ જોર પકડ્યું હતું તો બીજી તરફ સંસદના શોરબકોર અને રાજકીય હાકલા-પડકારાના કારણે પણ રાજનીતિ ગરમાઈ છે.

દિલ્હીમાં ભાજપને જંગી જીત આપીને કેજરીવાલની આમઆદમી પાર્ટીને નકાર્યા પછી દિલ્હીની જનતાનો મોહ ભંગ થયો હોય તેમ, એક પેટા ચૂંટણીનું રિઝલ્ટ આજે "ટોક ઓફ ધ કેપિટલ" બન્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના ત્રણ નગરસેવકો ચૂંટાયા છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે ભાજપની ભ્રામક પ્રચાર-પદ્ધતિ તથા બિનબુનિયાદ આક્ષેપબાજીના કારણે વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને જનાદેશ આપનાર દિલ્હીની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જનતા આમઆદમી પાર્ટીની સત્તામાં પુનઃ વાપસી ઈચ્છે છે.

આમઆદમી પાર્ટીએ દાવો કર્યો છે કે આ પેટા ચૂંટણીમાં 'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા પસંદ કરાયેલા અને સમર્પિત એવા જનતાની વચ્ચે કામ કરતા આમઆદમી પાર્ટીના નગરસેવકો દિલ્હીની જનતાએ સ્વીકાર્યા છે.

એમસીડી (દિલ્હી મહાનગરપાલિકા)ની પેટા ચૂંટણી મોટા ફેરફારોના સંકેત આપે છે, અને થોડા સમયમાં જ ભાજપના શાસનનો અસલી ચહેરો સામે આવી જતા જનતાનો મોહભંગ થયો છે. દિલ્હીની જનતાની ચેતના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રામાણિકતાના ચાર સ્તંભો પર ટકેલી આમઆદમી પાર્ટીમાં જ રહેલી છે, તે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેને રાજકીય ઘોંઘાટ નહીં પરંતુ સકારાત્મક રાજનીતિ ઈચ્છે છે. આમઆદમી પાર્ટીએ એવો દાવો કર્યો છે કે દિલ્હીનું હૃદય હજુ આમઆદમી પાર્ટી સાથે જ ધબકે છે.

હકીકતે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી પ્રથમ વખત એમસીડીના ૧૨ વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને ૭ બેઠકો મળી, પરંતુ ભાજપનો ગઢ ગણાતી બે બેઠકો ભાજપે ગુમાવી, તો સંગમવિહારની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી. આમઆદમી પાર્ટી જે ત્રણ બેઠકો પર જીતી છે, તે ત્રણ બેઠકો પર "આપ"ના જ નગરસેવકો હતા, અને આમઆદમી પાર્ટીએ પ્રતિષ્ઠિત ચાંદનીચોકની બેઠક ગુમાવી હોવાથી ભાજપ અને કોંગ્રેસ આમઆદમી પાર્ટીને આ ચૂંટણી જોરદાર વિજય મળ્યો હોવાના દાવાઓને નકારી રહી છે, અને કોંગ્રેસનો જનાદેશ વધ્યો છે, તેવો દાવો થઈ રહ્યો છે.

જો કે, આ પેટાચૂંટણી પછી ભાજપને ધારી સફળતા તો નથી જ મળી, પરંતુ થોડો રકાસ પણ થયો હોવાથી ભાજપને આત્મમંથન કરવા જેવું છે, જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે, તેમ છતાં ભાજપ નબળુ પડતા તેનો વધુ ફાયદો કોંગ્રેસને થશે, તેવા તારણો પણ વિશ્લેષકો કાઢી રહ્યા છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા પછી એમસીડીમાંથી રાજીનામું આપનાર રેખા ગૂપ્તાએ પોતે ખાલી કરેલી બેઠક "શાલીમાર બાગ" પર ભાજપના ઉમેદવારને ૧૦ હજારથી વધુ મતોની જંગી લીડથી વિજય અપાવીને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ભાજપની પાસે ૧૨ માંથી એમસીડીની જે પેટાચૂંટણી થઈ તે પૈકીની ૯ બેઠકો હતી, જેમાંથી બે બેઠકો ગુમાવી છે, અને આ જનાદેશ રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ભાજપની ઘટી રહેલી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાનો પૂરાવો છે, તેવા તારણો પણ નીકળી રહ્યા હોવાથી અત્યારે કોંગ્રેસ અને આપ ગેલમાં છે, જ્યારે ભાજપ ૯ માંથી ૭ બેઠકો પર થયેલા વિજયની ઉજવણી કરી રહ્યું છે !

આ તરફ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૃના મુદ્દે રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરેલી કોમેન્ટનો શિક્ષણમંત્રીએ આપેલો જવાબ પણ ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ગુજરાતમાં જનાક્રોશ યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રાજ્ય (ગુજરાત)માં વધતા ગેરકાનૂની શરાબના કારણે અસુરક્ષાની સ્થિતિ વકરી છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની એ ધરતી છે જયાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, જામનગરના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ રાહુલ ગાંધીની આ કોમેન્ટના જવાબમાં 'એકસ' પર લખ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ વિરોધી અપરાધોની ટકાવારી માત્ર ૧.૪૮ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૪ ટકાના અડધાથી પણ ઓછી છે. માતાઓ-બહેનોની સુરક્ષાના મામલે ગુજરાત દેશમાં નંબર વન હતું અને હજુ પણ રહેશે. યાદ રાખજો, વર્ષ ૨૦૨૭ની ચૂંટણીઓમાં (ગુજરાત વિધાનસભા)માં કોંગ્રેસ સિંગલ ડિજિટના આંકડામાં જ સમેટાઈ જશે.

દિલ્હી અને ગુજરાતમાં જુદા જુદા વિષયો પર થતા રાજકીય નિવેદનો તથા આક્ષેપો-પ્રતિઆક્ષેપોને તટસ્થ દૃષ્ટિએ મુલવીને જનતાનો મૂડ પારખવો હોય તો, તે માટે આગામી વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણીઓના પરિણામોની રાહ જોવી પડે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આઈએમએફના રિ૫ોર્ટમાં ભારતને 'સી' ગ્રેડ કેમ અપાયો ? ટોપ ફાઈવના દાવા ખોટા ?

                                                                                                                                                                                                      

થોડા સમય પહેલા ભારતના અર્થતંત્રને લઈને ઘણાં જ પ્રોસ્તાહક અને પોઝિટીવ અહેવાલો આવ્યા હતા અને ભારત વિશ્વની ઈકોનોમિકમાં ચોથા સ્થાનથી આગળ વધીને ત્રીજા સ્થાન તરફ ગતિશીલ છે અથવા ટોપ ફાઈવમાં મજબૂતીથી સ્થાન મેળવ્યું છે, તેવા અહેવાલો આવ્યા છે, તો ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું હોવાનો દાવો પણ થયો હતો, અને પીપીપી અથવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે આ દાવાઓને પુષ્ટિ આપવામાં આવી હોય તેમ જણાતુ હતું. જો કે, જીડીપીની દૃષ્ટિએ ભારત ચોથા સ્થાને હતું, અને ટોપ ફાઈવમાં હતું, તેનો જોરશોરથી પ્રચાર-પ્રસાર પણ થયો હતો.

જો કે, ઈન્ટરનેશનલ મની મોનીટરી ફંડ (આઈએમએફ) ના વર્ષ ૨૦૨૫-૨૬ના દ્વિતીય ક્વાર્ટરના આંકડા પ્રસિદ્ધ થયા તેમાં, પણ ૮.૨ ટકાના દરે જીડીપી વધ્યો હતો, જે ગત વર્ષે ત્રિમાસિક ગાળામાં ૫.૬ ટકા હતો, અને તેને ટાંકીને ભારતની વિકસતી અર્થવ્યવસ્થાનો દાવો ભારત સરકારે કર્યો હતો. ભારતે તેનું કુલ ઘરેલુ ઉત્પાદન-જેડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન ૭.૩ ટ્રિલિયન ડોલર હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ આઈએમએફના તાજેતરના રિપોર્ટમાં 'સી' રેટિંગ આપ્યું હોવાથી ભારતની ઈકોનોમી તથા જીડીપીના માપદંડોને લઈને એક રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા છેડાઈ ગઈ છે, અને વિપક્ષોને ભારત સરકારના દાવાઓ સામે જ સવાલો ઉઠાવતા એક પ્રકારે વૈશ્વિક ફજેતી થાય, તેવો પડકાર પણ સરકાર સામે ઊભો થયો છે.

આ મુદ્દો સૌથી પહેલા દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગી નેતા પી. ચિદમ્બરમે ઉઠાવ્યો હતો, અને મોદી સરકારને પ્રશ્ન પૂછયો હતો કે આઈએમએફ દ્વારા વાર્ષિક સમીક્ષામાં ભારતના નેશનલ એકાઉન્ટન્ટ અને 'સી' ગ્રેડમાં કેમ રાખ્યા છે ?

કોંગ્રેસ નેતા જયરામ રમેશના પ્રત્યાઘાત મુજબ દેશમાં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન વધ્યનું નથી કે ઈન્વેસ્ટમેન્ટમાં ખાસ પ્રોગ્રેસ જણાતી નથી, તેથી એવું કહી શકાય કે જીડીપી દર સસ્ટેનેબલ નથી, તો મહિલા કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કહે છે કે "આઈએમએફના રિપોર્ટ મુજબ ભારતના નેશનલ એકાઉન્ટસ અને મોંઘવારીના ફિગર્સમાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા કે અનૌપચારિક ક્ષેત્ર જેવી ઈન્પોર્ટન્ટ પેટર્ન પ્રતિબંધિત થતી નથી. ગત વર્ષે પણ ભારતને આઈએમએફ દ્વારા 'સી' ગ્રેડ જ અપાયો હતો, તેથી થતાં દાવાઓ મુજબ જો ભારતની ઈકોનોમીએ જમ્પ માર્યો હોય તો તેની અસર આઈએમએફના રિપોર્ટમાં પ્રતિબંધિત થતી જ ન હોય, તો એવું કહી શકાય કે હકીકતમાં કાંઈ બદલાયું જ નથી."

આઈએમએફ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ભારત અંગેના એકાદ અઠવાડિયા પહેલાના રિપોર્ટનો ઊંડો અભ્યાસ કર્યા પછી કેટલાક પ્રખર અર્થશાસ્ત્રીઓ તથા વિશ્લેષકોએ પણ મિશ્ર પ્રત્યાઘાતો આપ્યા છે. કેટલાક તજજ્ઞોના જણાવ્યા અનુસાર આઈએમએફના તારણો તેની પાસે ઉપલબ્ધ ડેટા મુજબ જ હોય છે, અને જે ડેટા મળે, તેનું ચાર શ્રેણીમાં વર્ગીકરણ કરીને તારણો કાઢવામાં આવતા હોય છે. આ ચાર શ્રેણીમાં ડેટાની ઉપલબ્ધીની સ્થિતિ દર્શાવીને ગ્રેડ અપાતા હોય છે, તેથી ગ્રેડ ઈકોનોમીની વાસ્તવિકતા નહીં, પરંતુ ડેટાની ઉપલબ્ધી દર્શાવે છે.

અહેવાલો મુજબ વિવિધ દેશો દ્વારા અપાતા ડેટા જો પૂરેપૂરા મળ્યા હોય, તો તેને "એ" ગ્રેડમાં મુકવામાં આવે છે, પરંતુ સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષા કરવા માટે પૂરતો ડેટા હોય તો પણ થોડી-ઘણી ખામી હોવાથી તેને "બી" ગ્રેડ મળે છે. જો ડેટાની ખામીઓ સમીક્ષાની પ્રક્રિયાને આંશિક રીતે પ્રભાવિત કરે તેવી હોય ત્યારે તેને "સી" ગ્રેડ મળે છે, જયારે ડેટાની ખામી કે અનુપલબ્ધિ આખી સમસ્યાની પૂરેપૂરી પ્રક્રિયાને જ પ્રભાવિત કરે તેમ હોય, ત્યારે તેને "ડી" ગ્રેડ આપવામાં આવે છે. ભારત અંગેના રિપોર્ટ મુજબ ઉપલબ્ધ ડેટામાં નેશનલ એકાઉન્ટ્સના ફિગર્સની ફ્રિકવન્સી પણ ઉપલબ્ધ છે તથા બારિક માહિતી (માઈક્રો ઈન્ફર્મેશન) પણ પૂરી પાડવામાં આવી છે, પરંતુ કેટલીક પદ્ધતિલક્ષી ખામીઓના કારણે સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષામાં બાધા ઊભી થાય છે આ કારણે ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના અંતિમ તારણો નીકળી રહ્યા છે.

વિશ્વસનિય આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસિઝ તથા પ્રતિષ્ઠિત અખબારોમાં પણ ભારતને મળેલ "સી" ગ્રેડ પ્રક્રિયાત્મક ખામીઓ તથા ડેટા ઉપલબ્ધી પદ્ધતિલક્ષી ક્ષતિઓના કારણે "સી" ગ્રેડ મળ્યો હોય તો તેને ટેકનિકલ કે સિસ્ટોમેટિક એરર ગણી શકાય કે કેમ ? તે અંગેની અલગથી ચર્ચા થઈ રહી છે.

ભારતના ડેટાની ત્રુટિઓની ચર્ચા પણ થઈ રહી છે. ભારત સરકાર વર્ષ ૨૦૧૧-૧૨ ને આાધારવર્ષ ગણે છે, તે પણ પ્રાસંગિક જણાતુ નથી, તથા ભારત પીપીઆઈ (પ્રોડયુસર પ્રાઈસ ઈન્ડેકસ)ના સ્થાને જથ્થાબંધ ભાવાંક એટલે કે હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસનો ઉપયોગ કરે છે, તેથી ડેટામાં જણાતી ખામીઓના કારણે ભારતને "સી" ગ્રેડ અપાયો હોઈ શકે છે. સિસ્ટોમેટિક ફાયનાન્સિયલ ઈન્ટર કનેકટેડનેસ તથા એનબીએફસી અંગે ખૂબ જ મર્યાદીત ડેટા ઉપલબ્ધ હોવાનો આ જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે, તે પણ ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના મહત્ત્વપૂર્ણ કારણો પૈકીનું એક હોઈ શકે છે.

ભારતીય જનતાપક્ષના નેતાઓ અને પ્રવક્તાઓ તો આ પ્રકારની ચર્ચાને જ નિરર્થક ગણાવે છે. અને આઈએમએફની કાર્યપદ્ધતિ અંગે કેટલાક લોકોને પૂરી સમજ જ પડતી નહીં હોવાનું જણાવીને આ મુદ્દે થતી આલોચના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ઈકોનોમિની થતી પ્રગતિકૂચ પર કોઈપણ કારણ વિના આશંકાઓ ઊભી કરતી હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે, જ્યારે વિપક્ષના નેતાઓ તેનો પ્રતિકાર કરતા કહી રહ્યા છે કે, ફરેબી આંકડાની માયાજાળ ઊભી કરીને દેશને ગૂમરાહ કરાઈ રહ્યો છે, ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું છે કે કોંગ્રેસે સત્તા છોડી, ત્યારે ભારત "ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમી" માંથી એક હતી. વર્ષ ૨૦૧૩માં મોર્ગન સ્ટેનબીએ બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, તૂર્કી, દ.આફ્રિકા અને ભારતને ફ્રેઝાઈલી ફાઈવ ઈકોનોમી ગણાવી હતી, જેનો અર્થ "ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પર અવલંબિત અસુરક્ષિત અર્થવ્યવસ્થાઓ" એવો કરાયો હતો, અને તે પછી અન્ય દેશોનો ઉમેરો થયો હતો.

માલવિયેના દાવા મુજબ આજે ભારત ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમીમાંથી તો બહાર નીકળી જ ગયું છે, પરંતુ વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં હાઈજમ્પ માર્યો છે, તે હકીકત કોંગ્રેસ પચાવી શકતી નથી અને પૂર્વ નાણામંત્રી જુઠાણું ફેલાવીને દેશની જનતાને ગૂમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેશના અર્થશાસ્ત્રીઓ તથા તટસ્થ વિચારકોના સંખ્યાબંધ પ્રત્યાઘાતોનું તારણ એવું નીકળે છે કે વર્ષ ૨૦૧૧-૧૨ના આંકડા જે-તે સમયની સરકારોના જ છે. નોટબંધી વખતે પણ ત્રણ લાખ જેટલી રજિસ્ટર્ડ કંપનીઓને શેલ કંપની ગણાવીને બંધ કરી દેવાઈ હતી. સર્વિસ સેકટરમાં ૩૫ ટકા કંપનીઓ કાર્યરત જણાઈ નહોતી, તેથી તેના ડેટામાં કચાશ ગણાય. જ્યારે બેરોજગારીનો દર વધી રહ્યો હોય અને વાસ્તવિક વસતિ ગણતરી ન થઈ હોય ત્યારે મહામારી પછીની સ્થિતિમાં વિવિધ આંકડાઓ પર સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. ઘી વાયર ને ટાંકીને કહેવાયું છે કે જીડીપીની ગણતરી કરવાની પદ્ધતિની ત્રુટિઓના કારણે ભારતનો ઝડપથી વિકસતા અર્થતંત્ર ના દાવાને ઝાંખપ લાગે છે, જે ચંદ્રમાના ડાઘ જેવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"સર" અને "સાહેબ"ની ચર્ચા સાથે ગુંજતી સંસદ... ગુજરાતમાં રાજભવન બન્યું લોકભવન...!

                                                                                                                                                                                                      

ગઈકાલે દેશ-દુનિયામાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી હતી અને કુરૂક્ષેત્રના મેદાનમાં પોતાના જ પિતરાઈ ભાઈઓ, ગુરૂજનો તથા સગા-સંબંધીઓને સામા પક્ષે યુદ્ધ લડવા ઉભેલા જોઈને કન્ફ્યુઝડ થયેલા અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, તેને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે આપણે પણ સાંભળીએ છીએ અને મમળાવીએ છીએ, ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને હિંમત આપતા જે કાંઈ કહ્યું છે, તેમાંથી જ જીવનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોનો જવાબ મળી જાય છે, અને સમસ્યાઓનું સમાધાન મળી જાય છે, બસ...પ્રત્યેક શબ્દનો ગૂઢાર્થ સમજવો પડે...

ગલકાલથી જ સંસદનું શિયાળુ સત્ર અને બિહારમાં નવી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. બિહાર વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ થઈ રહ્યો હતો, ત્યારે સંસદમાં એસઆઈઆરના મુદ્દે હોબાળો થઈ રહ્યો હતો. તે પછી ગઈકાલે લોકસભા આખો દિવસ ચાલી શકી નહીં, જ્યારે રાજ્યસભામાં વિપક્ષો દ્વારા સરકાર પર તડાપીટ બોલતી રહી અને બપોર સુધી ગૃહમાં કામકાજ થઈ શક્યું નહી, અને તે પછી વિપક્ષોએ વોક આઉટ કર્યો હતો. જો કે, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપૂરમાં જીએસટીનો કાયદો, તમાકુ, પાન-મસાલા પર નવો ટેક્સ અને સેન્ટ્રલ એકસાઈઝ (અમેડમેન્ટ) બિલ-૨૦૨૫-એમ ત્રણ બિલ પસાર કરાવી લીધા હતા અને આ અંગે ટૂંકી ચર્ચા પણ થઈ હતી.

એક તરફ એસઆઈઆર, બીએલઓના મૃત્યુ સહિતના વિવિધ મુદ્દે વિપક્ષો આક્રમક મૂડમાં હતા, તો બીજી તરફ બિહારની વિધાનસભામાં તોતીંગ બહુમતિ મેળવ્યા પછી એનડીએ જુસ્સામાં હતું. વડાપ્રધાને સ્વયં ચિંટિયો ભરીને વિપક્ષોને પરાજય પચતો નહીં હોવાનું કહી ડ્રામા નહીં, પણ ડિલિવર પર ધ્યાન આપવાનું કહ્યું, તો વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ આક્રમક શૈલિમાં જવાબ આપ્યો કે દિલ્હીમાં હવાનું પ્રદુષણ અને એસઆઈઆરના મુદ્દા સંસદમાં ઉઠાવવા એ ડ્રામેબાજી નથી, પરંતુ આ પ્રકારના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા જ થવા ન દેવી એ ડ્રામા છે. વિપક્ષો સાંસદમાં લોકલક્ષી ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીએલઓની આત્મહત્યા અને દિલ્હીમાં થયેલા આતંકી હૂમલા પછી રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચા એ કાંઈ ડ્રામા નથી, હકીકતે ડ્રામા તો સંસદમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ થતી અટકાવવાના પ્રયાસોને જ ગણી શકાય. દિલ્હીમાં પ્રદુષણનો મુદ્દો સરકાર માટે શરમજનક છે, જો સરકારે આ તમામ સીધા લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ કરવા દેવા માંગતી ન હોય, તો ગૃહ કેવી રીતે ચાલે ?

રાજયસભામાં પણ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ઘનખડના રાજીનામા પછી ગૃહને તેની વિદાયની તક પણ મળી નહી, તેવી ટકોર કરતા ભાજપના સાંસદો આગબબૂલા થઈ ગયા હતા અને કોંગ્રેસને પોતાનો ભૂતકાળ યાદ કરાવવા લાગ્યા હતા. ગૃહની અંદર અને બહાર આ પ્રકારની આક્ષેપબાજી વચ્ચે એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા હતા કે સરકારને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે, તો વિપક્ષોને પણ "સર" અને "સાહેબ"ના મુદ્દાઓનો આધાર મળી ગયો છે, આ બધા વચ્ચે સામાન્ય જનતા ક્યાં છેે ?

અખિલેશ યાદવે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રામા વાળા નિવેદન પર તીખા પ્રહારો કરતા કહ્યું કે લગ્નગાળામાં એસઆઈઆરની પ્રક્રિયા કરવા પાછળ પણ ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી, તો કેટલાક વિપક્ષી સાંસદોએ વડાપ્રધાન મોદી પર જ ડ્રામેબાજીના વ્યક્તિગત આક્ષેપો કર્યા, જેના જવાબમાં સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષ પાસે બીજા મોઈ મુદ્દા જ નથી, અને કોઈપણ ચર્ચા માટે સરકાર ક્યારેય ઈન્કાર કરતી નથી, પરંતુ ગૃહના અધ્યક્ષના રૂલીંગને સાંસદોએ માન આપવું જોઈએ. વિપક્ષો એસઆઈઆરના મુદ્દે સરકાર ભાગી રહી હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે, જ્યારે સરકાર વિપક્ષોને ઉપહાસ કરી રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે પણ બંને ગૃહોમાં જે કાંઈ થઈ રહ્યું છે તે આપણી સામે જ છે.

એક તરફ વિપક્ષો એસઆઈઆરના મુદ્દે વ્યાપક ચર્ચા માંગી રહ્યા છે, તો બીજી તરફ ગૃહમાં "વંદે માતરમ્" ના મુદ્દે ૧૦ કલાકની ચર્ચા કરવાની મંજુરી મળી ગઈ હોવાના અહેવાલો પછી એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ તરફ ગુજરાતમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં રાજ્યપાલના નિવાસસ્થાનને ગવર્નર હાઉસ કે રાજભવન કહેવાતું હતુ, તેને કેન્દ્રની મંજુરીથી "લોકભવન" નામ રાખ્યું એન તેની સત્તાવાર જાહેરાત થઈ, તે પછી તેના સંદર્ભે પણ ચર્ચા થઈ રહી છે. રાજ્યપાલે કહ્યું કે જનતા સર્વોપરિ છે અને માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી જ મર્યાદિત નહીં રહેતા સમાજ કલ્યાણ તથા લોકોની સમસ્યાઓ-અપેક્ષા સાથે જિવંત રીતે જોડાય તે જરૂરી છે, તેઓએ ગુજરાતના લોકભવન દ્વારા પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉલ્લેખ કરીને વિવિધ વિષયો પર રાજ્યના રાજભવન (લોકભવન)ની છેલ્લા કેટલાક વર્ષોથી લોકલક્ષી ભૂમિકા વર્ણવી હતી.

બીજી તરફ રાષ્ટ્રીયકક્ષાએ એવી ચર્ચા થઈ રહી છે કે, રાજ્યપાલે બંધારણીય જવાબદારીઓના બદલે રાજકીય રંગે રંગાઈ રહ્યા હોય તો તે ઠીક નથી. માત્ર કેન્દ્રના એજન્ટની જેમ કામ કરતા રાજ્યપાલોએ બિજજરૂરી ઢબે રચનાત્મક અને પ્રાકૃતિક કૃષિ અભિયાનો જેવા લોકલક્ષી અભિયાન ચલાવવાનું ગુજરાતના રાજ્યપાલ પાસેથી શિખવા જેવું છેે. આ પ્રકારના પ્રતિભાવો જ હકારાત્મક અને પ્રોત્સાહિત કરનારા પણ ગણી શકાય, અને ગર્ભિત ક્ષણ પણ ગણી શકાય.?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એસઆઈઆરની પ્રક્રિયામાં બીએલઓના ભથ્થા વધ્યા, અને ફોર્મ ભરવાની મુદ્દત તો વધી પણ...?!

                                                                                                                                                                                                      

એસઆઈઆરમાં ફોર્મ્સ ભરવાની મુદ્દત એક અઠવાડિયું લંબાવાઈ છે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે જે આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે, તે માત્ર ફોર્મ વિતરણની ટકાવારી દર્શાવાઈ રહી છે, અને હજુ પૂરેપૂરા ફોર્ર્મ્સ પહોંચાડી શકાયા નથી, ત્યારે માત્ર આઠ દિવસમાં પૂરેપૂરા ફોર્મ્સ વેરીફિકેશન સાથે ભરાઈ જ જશે તેવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી, હકીકતે અત્યારે જે આંકડા ફોર્મ વિતરણના જાહેર કરાયા છે તે ફોર્મ્સ પહોંચાડી દેવાના જણાય છે. ફોર્મ્સ ભરીને પાછા આવી ગયા હોય તે રિસિવીંગની ટકાવારી તથા તેની "સિસ્ટમ" માં ડેટા એન્ટ્રી કેટલી થઈ છે, તેની વાસ્તવિક ટકાવારીના આધારે જ આ સંપૂર્ણ કાર્યવાહીનો પ્રથમ તબક્કો પૂરો થયો ગણાય, તેથી ખરેખર એક અઠવાડિયું નહીં, પરંતુ એક મહિના માટે આ મુદ્દત વધારાય, તો પણ માંડ લક્ષિત પ્રથમ તબક્કો પૂર્ણ થાય તેમ હોવાના તારણો આ પ્રકારની કામગીરીના અનુભવીઓ કાઢી રહ્યા છે, અને તે પછી વાંધા-સૂચનો તથા નોટિસ પીરિયડ પણ એક મહિનાની મર્યાદામાં પૂરો નહીં થાય, કારણ કે અત્યારે જે રીતે ફોર્મ ભરાઈ રહ્યા છે તે જોતાં ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી મોટી સંખ્યામાં અન્યત્ર રહેવા ગયેલા, કામચલાઉ સ્થળાંતર ગયેલા, લગ્ન પછી સાસરે ગયેલી દીકરીઓ, અભ્યાર્થીઓ ને કામ-ધંધા-નોકરી-મજુરી માટે અન્યત્ર ગયેલા મતદારો, તંત્રની ભૂલથી ખોટા સરનામે ચૂંટણીકાર્ડ નીકળ્યા હોય તેવા વગર વાંકે હેરાન થતા મતદારો, ભાડેથી રહેતા હોય અને વર્તમાન મતદારયાદી તૈયાર થયા પછી અન્યત્ર રહેવા ગયેલા મતદારો, કોઈ કારણે નામ-સરનામા અપડેટ કર્યા પછી નામ-સરનામું બદલી ગયું હોય, તેવા મતદાર યાદી તૈયર પછી પરણેલી દીકરીઓ, જેનું સાસરિયામાં ગયા બાદ સરનેમ-નામ-સરનામું બદલી જતું હોય છે અને પિતાની જગ્યાએ પતિનું નામ લાગી જતું હોય છે, તેવા તાજેતરના કિસ્સાઓ, આપણે ત્યાં નામની પાછળ ભાઈ, લાલ, કુમાર, રાય જેવા શબ્દો લગાડાય છે, તેમાં મામુલી ફેરફાર હોઈ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદી સાથે સુસંગત ન હોય અને 'સિસ્ટમ' કાઢી નાખતી હોય, તેવા ઘણાં બધા મતદારો પોતાના નામ ડ્રાફટ યાદીમાં નહીં મળે, ત્યારે વાંધો લેવાના જ છે અને રાજકીય પક્ષો પણ આ વખતે ડ્રાફટ યાદી બિલોરી કાચ લઈને જોવા બેસવાના છે, (જે જરૂરી પણ છે). તો બીજી તરફ પોતપોતાના મતવિસ્તારોમાં જનપ્રતિનિધિઓ પણ ડ્રાફટ યાદીમાં મતદારોના નામ ન હોય, તો તેની કમ્પલેઈન કરવા માટે ગલી-મહોલ્લા-વોર્ડ અને ગામ વાર સહાય કેન્દ્રો, હેલ્થ સેન્ટરો ઊભા કરવાની તૈયારીમાં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે, જેથી પાછળથી હોબાળા થાય, આક્રોશ થાય અને બીએલઓની વિટંબણાઓ વધે તેના કરતા અત્યારે જ આ તમામ સંભાવનાઓ ઉકેલીને જ ડ્રાફટ યાદી બહાર પડે, તે માટે કમ-સે-કમ ચાર અઠવાડિયાની પ્રથમ તબક્કાની મુદ્દત જ વધારી દેવી જોઈએ, તેવો અભિપ્રાય આ પ્રકારની કામગીરીના અનુભવી તથા રાજકીય ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવીઓ અને વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે, જે અવગણવા જેવો નથી જણાતો.

ચૂંટણીપંચે બીએલઓના પ્રોત્સાહક ભથ્થામાં વધારો કરીને સારૃં કામ કર્યું છે, આ વખતે જે વર્કલોડ છે, તે અભૂતપૂર્વ છે અને વસતિ, વિસ્તાર તથા મતદારોની સંખ્યામાં થયેલ વધારા ઉપરાંત ઓનલાઈન એન્ટ્રી-ડેટા કલેકશનની કામગીરીને જોતા તો બીએલઓ ડબલ પગાર  તથા તેના મદદનીશો દોઢા પગારના હક્કદાર હોવાની ટકોર પણ સંભળાવા લાગી છે.

જો કે, કેટલાક બીએલઓએ ઉત્કૃષ્ટ કામ કર્યું છે, અને તેને બીરદાવાઈ રહ્યા છે, પરંતુ દરરોજ કોઈને કોઈ બીએલઓ કામના ભારણ કે ડિપ્રેશનમાં બીમાર પડી જતાં હોવા કે આત્મહત્યા અથવા તેવો પ્રયાસ કરવાની બની રહેલી ઘટનાઓને પણ અવગણી શકાય તેમ નથી, અને એ દૃષ્ટિએ પણ પ્રથમ તબક્કો ચાર અઠવાડિયા માટે લંબાવવામાં ચૂંટણીપંચને કોઈ વાંધો તો નહીં જ હોય...

જો કે, ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે અને ૧૨ પૈકી કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓની સંભાવનાઓ હોય, તો તેને સુસંગત રહીને આ કામગીરી આટોપી લેવી પડે તેમ હોવાની તર્કબદ્ધ દલીલો પણ છે, પરંતુ કોઈના જીવના જોખમે અને મતદારોના અધિકારો છીનવાઈ જવાથી લેશમાત્ર પણ સંભાવના રહી જાય, તેવી રીતે ઉતાવળ કરવાના બદલે યોજાનારી ચૂંટણીઓ જરૂર પડયે થોડી ઘણી પાછળ ઠેલીને પણ આ એસઆઈઆરની કામગીરી એક પણ યોગ્ય મતદાર વંચિત ન રહી જાય, તેવી રીતે જ સંપન્ન થવી જોઈએ.

આ માટે મુદ્દત લંબાવવી પડે તો લંબાવ્યા કરવી જોઈએ, કારણ કે આપણાં દેશમાં તો સંસદની મુદ્દત પણ એક વર્ષ માટે લંબાવી શકાઈ હોવાના બંધારણીય દૃષ્ટાંતો છે, તેથી રાજકીય એન્ગલ નહીં પણ બંધારણીય એન્ગલથી મતદારોના હિતમાં જ નિર્ણયો લેવાય તે જરૂરી છે, અને એ પ્રકારની સ્થાપિત સત્તાઓ તો ચૂંટણીપંચ પાસે હશે જ ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એસઆઈઆરની કામગીરી બની રહી છે જીવલેણઃ બીએલઓના મૃત્યુનો ગુંજતો મુદ્દો જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

હમણાંથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ જામનગર સુધી પહોંચીને જુદી જુદી તપાસ હેઠળ દરોડા પાડી રહી હોવાથી જામનગર નેશનલ મીડિયામાં પણ ગુંજતું રહે છે અને જામનગરમાં તો આ પ્રકારના દરોડા ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. દોઢેક દાયકા પહેલા ઈન્કમટેક્સ અને વેચાણવેરા ખાતાની ટીમોના દરોડા ચર્ચાસ્પદ બન્યા હતા, અને હવે જીએસટી તથા આઈટીના દરોડા પડેે છે, પરંતુ જ્યારે સીબીઆઈ, ઈડી, એનઆઈએ કે વિજિલિન્સની ટીમોના આંટાફેરા વધી જાય, ત્યારે તે ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક પણ છે.

અત્યારે બીજો સૌથી વધુ ચર્ચાનો વિષય રાજ્ય અને દેશમાં ચાલી રહેલ એસઆઈઆરની ઝુંબેશ દરમ્યાન કેટલાક બીએલઓના થયેલા મૃત્યુ તથા આ કાર્યવાહી કરતા કરતા મહેસાણામાં થયેલા બીએલઓના મૃત્યુનો મુદ્દો ઉઠાવીને સવાલો ઉઠી રહ્યા છે, તથા કોંગ્રેસે આ મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ કરવાનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ જણાય છે. સંસદસભ્ય પ્રતાપગઢીના પ્રહારો તથા ડો.મનિષ દોશીના આક્ષેપો પછી રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા સામે જનાક્રોશ પણ વધી રહ્યો હોય તેમ જણાય છે. આ કામગીરી જીવલેણ બની રહી હોવાનો પ્રતાપગઢીનો આક્ષેપ ઘણો જ સૂચક છે.

રાજ્ય સરકાર તરફથી દલીલો કરતા પ્રવક્તાઓ તથા ભાજપના નેતાઓ આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણીપંચના હસ્તક છે, અને તેમાં રાજ્ય સરકારની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા જ હોતી નથી, તેમ જણાવી મોટાભાગે હાથ ઊંચા કરી રહ્યા છે, તો ચૂંટણીપંચ તરફથી કાર્યરત રાજ્ય સરકારના જ અધિકારી-કર્મચારીઓ દ્વારા બીએલઓની મદદ માટે કરાયેલી વિશેષ નિમણૂકો તથા કામના ભારણની વહેચણી સહિતની વ્યવસ્થાઓની માહિતી આપીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સૌ કોઈનો સહયોગ માંગવામાં આવી રહ્યો છે અને રાજયમાં અત્યાર સુધીમાં થયેલી કામગીરીના આંકડા પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં પાંચેક કરોડ મતદારોને એસઆઈઆર ફોર્મ્સ પહોંચાડીને કેટલા ટકા ડિજિટલાઈઝેશનની કામગીરી સંપન્ન થઈ છે, તેની વિગતો ચૂંટણીપંચ તરફથી જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલના અહેવાલો મુજબ અત્યાર સુધીમાં મતદારયાદીઓ પૈકીના ૧૩ લાખથી વધુ મૃતક મતદારોના નામો  હટાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, તે ઉપરાંત ૧૬ લાખથી વધુ મતદારોએ સ્થળાંતર કર્યું હોવાનું બહાર આવ્યું છે, તથા અઢી લાખ જેટલા મતદારો તેના સરનામે મળી આવ્યા જ નહોતા.

અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જે મળી આવ્યા નથી કે સ્થળાંતર કરીને અન્યત્ર ચાલ્યા ગયા છે, તેઓનું શું થશે ? શું તેઓની શોધખોળ કરીને કે અન્યત્ર ગયા હોય, ત્યાંના બીએલઓ સાથે કે અન્ય રાજ્યના ચૂંટણીતંત્રો સાથે સંકલન કરીને ત્યાં નામ ઉમેરવાની કોઈ પ્રક્રિયા કરવાની હોય, તો તે માટે આ મુદ્દત પર્યાપ્ત છે ખરી ? જો આાવી કોઈ પ્રક્રિયા વિચારાઈ જ ન હોય કે પછી યોગ્ય રીતે અમલ ન થાય તો એ પ્રકારના મતદારોના નામ કોઈ પણ સ્થળે નહીં ઉમેરાતા તેઓ મતદાનના અધિકારોથી વંચિત તો રહી નહીં જાય ને ? તે અંગે લોકોના મનમાં ઉઠી રહેલા સવાલોનો ચૂંટણીપંચે જવાબ આપવો જ પડે તેમ છે, અને સ્પષ્ટ ભાષામાં લોકભોગ્ય ઢબે લોકોને ગળે ઉતરે તેવી રીતે વાસ્તવિકતા જાહેર કરવી જોઈએ.

ચૂંટણીપંચના આંકાડાઓ જોઈએ તો ટોપ ટેન ડિજિટાઈઝેશન કરનારા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રનો માત્ર જુનાગઢ જિલ્લો જ છે, અને મધ્ય ઉ.ગુજરાતના જિલ્લાઓ અગ્રેસર છે૪ ટોપ ટેન જિલ્લાઓમાં ૭૯ થી ૮૯ ટકા વચ્ચે મતદારયાદીઓની એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ડિજિટાઈઝેશન થઈ ગયું છે, પરંતુ બાકીના જિલ્લાઓ પૈકી ધીમી કામગીરી કેટલા જિલ્લાઓમાં થાય છે અને તેના કારણો શું ? તેના તારણો કાઢીને જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ.

બીજી દૃષ્ટિએ જોઈએ તો ડાંગ જિલ્લો વસતિની દૃષ્ટિએ નાનો હોવાથી ત્યાં ૮૯ ટકાથી વધુ ડિજિટાઈઝેશન થઈ ગયું હોય, અને તે અગ્રસ્થાને હોય, તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાક મોટા જિલ્લાઓ પણ ટોપ ટેનમાં છે, તે જોતા પાછળ રહી ગયેલા જિલ્લાઓમાં કામગીરી સુધારવા અને વધારવા દૈનિક સમીક્ષા થવી જરૂરી છે. બધા જિલ્લાઓ વસતિ, વિસ્તાર, વ્યવસાય અને ભૌગોલિક તથા સુવિધાઓની દૃષ્ટિએ ભિન્ન-ભિન્ન હોવાથી એક લાકડે ઢોરને હાંકવાની જેમ એક સરખા ધારાધોરણો કે કર્મચારીઓની સંખ્યા રાખવાની પદ્ધતિ અપનાવાઈ રહી હોય તો તે ભૂલ ભરેલી છે અને આ તમામ પાસાઓ ધ્યાને રાખીને જ બીએલઓ તથા તેના મદદનીશોની ફાળવણી થવી જોઈએ., બીજી તરફ પ.બંગાળમાં મમતા બેનર્જીએ ઉઠાવેલા સવાલો પણ દેશમાં પડઘાઈ રહ્યા છે.

રાજકીય પક્ષોએ ચૂંટણીની કામગીરી કરતા કરતા મૃત્યુ પામ્યા હોય, અકસ્માતનો ભોગ બન્યા હોય કે બીમાર પડી ગયા હોય તો તેને અથવા તેના પરિવારોને સહાય, મૃતક કર્મચારીઓના પરિવાર પૈકી એકને નોકરી અને સારવાર-અંતિમક્રિયાનો ખર્ચ આપવાની માંગણી પણ ઉઠાવી છે, બીજી તરફ સર્વર ડાઉન થવા, નેટવર્ક નહીં મળવું કે મોબાઈલ ફોન રિચાર્જીંગ જેવા મુદ્દાઓ માટે રાજ્ય સરકાર આ રાષ્ટ્રીય કામગીરીની કચાશ નો દોષ ચૂંટણીપંચ પર ઢોળીનેે ઊંચા હાથ કરી શકે નહી, તેવા પ્રત્યાઘાતો ખોટા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પાર્ટીલાઈનથી અલગ નિવેદનો અને તેના સૂચિતાર્થો...

                                                                                                                                                                                                      

આપણાં દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ખતમ થઈ ગઈ છે, બંધારણીય સંસ્થાઓ હાઈજેક થઈ રહી છે અને જનવિરોધી નિર્ણયો લેવાઈ રહ્યા છે, એટલું જ નહીં, કેટલાક મુદ્દે વિપક્ષો તો ઠીક, સાથીદારપક્ષો કે સત્તા પર રહેલી પાર્ટીના નેતાઓને પણ વિશ્વાસમાં લેવામાં આવતા નથી, તે પ્રકારના આક્ષેપો કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં શાસન ચલાવી રહેલા નેતાઓ તથા પ્રાદેશિક હોદ્દેદારો પર થતા રહે છે અને રાજકીય પક્ષો તીખા-તમતમતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરતા રહે છે, તેમ છતાં કેટલીક વખત રાજનેતાઓ પાર્ટીલાઈનથી અલગ પ્રકારના નિવેદનો કરતા હોય છે, અને આઝાદી પછી આ સીલસીલો સતત ચાલતો રહ્યો છે, જ્યારે દુશ્મન દેશો સામેની લડત હોય, કે આતંકવાદ કે દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે પ્રહાર હોય, ત્યારે આ પ્રકારની એકજૂથતા પણ હંમેશાં આપણાં દેશે દેખાડી છે, અને તે જ આપણી તથા આપણાં લોકતંત્રની તાકાત છે. ઓપરેશન સિંદૂર પછી વિદેશોમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ વિદેશમાં જે રીતે આપણાં દેશની ગરિમામય છબિ રજૂ કરી અને પાકિસ્તાનના પ્રપંચોને ખુલ્લા પાડયા, તેની પ્રશંસા પણ થઈ હતી અને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જે રીતે દેશભાવના દેખાડાઈ, તેથી પ્રત્યેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી.ં

જો કે, હમણાંથી પાર્ટીલાઈનથી અલગ થઈને અપાતા કેટલાક નિવેદનોના સૂચિતાર્થો કાંઈક અલગ જ પ્રકારના જણાઈ રહ્યા છે, અને "કહીં પે નિગાહેં, કહીં પે નિશાના" જેવા વ્યૂહાત્મક અથવા આંતરિક અસંતોષ કે બળાપો કાઢવા માટેના પ્રયાસો જેવા જણાય છે., અને ખાસ કરીને  ભારતીય જનતા પક્ષમાં ચાલતા આંતરિક ઘુંઘવાટ આ રીતે પ્રગટી રહ્યો હોય તેમ જણાય છે, જ્યારે કેટલાક નિવેદનો એવા હોય છે, જે પછેડીમાં પાંચશેરી વિંટીને ઘા કરવા જેવા હોય છે, તો કેટલાક નિવેદનો અડધા ભરેલા અને અડધા ખાલી ગ્લાસ જેવા દૃષ્ટિભેદથી પણ મુલવી શકાય તેવા "વચલા" અથવા ડબલ ઢોલકી જેવા હોય છે.

આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરાથી એકતા માર્ચ નીકળવાની છે. આ એકતા માર્ચમાં જોડાવા થોડા દિવસો પહેલા જ વડોદરાના ભાજપના સંસદસભ્ય ડો.હેમાંગ જોશીએ કોંગી નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલોએ ઘણી ચર્ચા જગાવી હતી. કેટલાક વિશ્લેષકોએ આ રીતે ડો. જોશીએ પોતાનો આંતરિક બળાપો ઠાલવીને પરોક્ષ અસંતોષ વ્યક્ત કર્યો હોવાનો અંદાજ લગાવ્યો, તો કેટલાક વિશ્લેષકોએ આને વિપક્ષના નેતાને સરદાર પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીમાં પાર્ટીલાઈનથી ઉપર ઉઠવાની શુદ્ધ બુદ્ધિની અપીલ ગણાવી. હકીકતે વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કથિત ગજગ્રાહના કારણે ડો. હેમાંગ જોશીના આ પત્ર ચર્ચાના ચાકડે ચડયો હોવાના તારણો નીકળ્યા.

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કર્યા પછી રાજ્યના પોલીસતંત્રે તેનો જવાબ આપ્યો અને આ વિવાદ વધુ વકર્યો. હવે તો નેતાઓના નિવેદનો પોલીસના પટ્ટા ઉતરાવવાથી પેન્ટ સુધી પહોંચી ગયા છે અને આ નિવેદનબાજીમાં ભાજપના નેતાઓએ ભૂતકાળમાં અન્ય મુદ્દે પોલીસતંત્ર માટે આપેલા આ જ પ્રકારના નિવેદનો તથા ભદૃા શબ્દપ્રયોગોના દૃષ્ટાંતો પણ ઉમેરાયા છે, ત્યારે દારૂ-ડ્રગ્સની બદી અને તેનાથી યુવાવર્ગની થતી બરબાદીનો મુદ્દો હાંસીયામાં ધકેલાઈ ગયો છે, એટલું જ નહીં, ભાજપના કેટલાક નેતાઓએ પણ પોલીસતંત્ર અથવા કાયદો-વ્યવસ્થાના મુદ્દે એવા નિવેદનો કર્યા, જેને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જિજ્ઞેશ મેવાણીના મૂળ મુદ્દાને સમર્થન આપનારા પણ ગણાવાયા, તેથી ક્ષોભજનક સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.

સુરતના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી કુમાર કાનાણીએ સુરતના એક બ્રિજ નીચે ચાલતા ગોરખધંધા તરફ અંગૂલી નિર્દેશ કર્યો.

નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રીના કાર્યક્ષેત્રમાં જ કાયદો-વ્યવસ્થા તથા દારૂ-ડ્રગ્સની બદી અંગે જિજ્ઞેશ મેવાણી જેવા જ થયેલા નિવેદનોએ એક તરફ રાજ્યની વાસ્તવિકતા ખુલ્લી પાડી, તો બીજી તરફ ભાજપના નવા-જુના નેતાઓ વચ્ચેનો સંભવિત ખટરાગ પણ બહાર આવ્યો. એવી અટકળો પણ થઈ છે કે પૂર્વમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર નથી, અને તેથી જ પાર્ટી માટે બૂમરેંગ પૂરવાર થાય, તેવા નિવેદનો અપાઈ રહ્યા છે. એટલું જ નહીં, સુરતના બ્રિજ નીચે તત્કાળ "સાફસુફી" થઈ જતાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પણ બહાર આવ્યો હતો, તો પાર્ટીમાં "સાફસુફી"ની જરૂર હોવાની વાતો પણ થવા લાગી !

કોંગી નેતા પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કહી દીધું કે ડ્રગ્સ-દારૂના માફિયાઓ સામે ગુજરાતમાં જન આંદોલન વેગ પકડી રહ્યું છે, અને રાજકીય ઈશારે નાચનારા અને બંધારણના (ખોટા) સોગંદ લેનારાઓની જોવા જેવી થશે. !

કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભરતભાઈ સોલંકીએ કરેલું એક નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહે, તે કરી બતાવે છે, તેવું અર્થઘટન કાઢવામાં આવી રહ્યું છે. તેમણે બુદ્ધિમત્તાની વાત કર્યા પછી તેના ભિન્ન ભિન્ન સૂચિતાર્થો નીકળી રહ્યા છે.

કોંગ્રેસમાં પણ કર્ણાટકના શિવકુમાર એપિસોડ પછી હવે એક અન્ય દિગ્ગજ નેતાએ કોંગ્રેસનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીને સોંપવાની હિમાયત કરતા એવી ચર્ચા થઈ રહી છે કે આ નિવેદન ખડગેને ખસેડવા માટે અપાયું હશે કે રાહુલ ગાંઘીની ક્ષમતા પર પ્રહાર હશે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેશનો વધ્યો દબદબો... ગુજરાતનું ગૌરવ... કોમનવેલ્થની યજમાની તો મળી પણ...!!?

                                                                                                                                                                                                      

ગઈકાલે ગ્લાસગોમાં ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ આવી હતી, જ્યારે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે અમદાવાદમાં આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.

ગઈકાલનો દિવસ ઐતિહાસિક હતો અને આગામી ઓલિમ્પિક ગેઈમ્સ માટે પણ ભારતને ચાન્સ મળે, તે દિશામાં કૂચ થઈ છે. કોમનવેલ્થ ગેઈમ્સ અમદાવાદમાં યોજવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવ અને દેશનો દબદબો વધારનારી હતી, સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેઈમ્સની એસેમ્બલીમાં અંતિમ સત્તાવાર નિર્ણય લેવાયો, તેથી ભારતના સંવિધાન દિવસે જ યોગાનુયોગ લેવાયો, તેને શુભ સંકેત અને ગરિમામય સંયોગ ગણાવાઈ રહ્યો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું પ્રતિનિધિ મંડળ ગ્લાસગો ગયું છે. અને ગુજરાતને ગ્લોબલ મલ્ટી સ્પોર્ટસ હબ બનાવવાના દ્વાર ખુલી ગયું તેવો આ નિર્ણય લેવાયા પછી ગુજરાતીઓનો "હર્ષ" આસમાને પહોંચ્યો છે અને દેશની ગરિમા વધી છે, તેથી એકંદરે દેશભરમાંથી આ નિર્ણયને આવકારતા પ્રતિભાવો પણ ગઈકાલથી જ આવી રહ્યા છે.

ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી.ઉષા, બોકસર જૈસ્મીન લામ્બોરિયા સહિતની હસ્તીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે યુવાશક્તિના સશક્તિકરણ, ખેલ જગતને પ્રોત્સાહન અને દેશની સર્વક્ષેત્રિય પ્રતિભા વધારવાના આ ઉદૃેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર અને વૈશ્વિક ક્ષમતા સાથે આપણે આ ગૌરવપ્રદ ક્ષણને આવકારીએ. વડાપ્રધાને પણ આ ઈવેન્ટને લઈને તત્પરતા વ્યક્ત કરી છે.

કોમનવેલ્થ ગેઈમ્સને મીની ઓલિમ્પિક ગેઈમ્સ પણ ગણવામાં આવે છે, અને ગુજરાતના અમદાવાદમાં આ માટે પ્રવર્તમાન સુવિધાઓ ઊભી થશે, તેથી આ મેગા આયોજનથી સ્થાનિક રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રકચર, વિકાસ તથા ટુરિઝમ ડેવલપમેન્ટ સહિતના મહત્ત્વપૂર્ણ પૂરક ફાયદાઓ પણ મળવાના છે.

ક્રિકેટની કેટલીક મહત્ત્વપૂર્ણ મેચો ક્ષમતા, સુવિધાઓ તથા પરિવહનની દૃષ્ટિએ અને મોટું સ્ટેડિયમ હોવાથી અમદાવાદને મળે, તેની સામે અદેખાઈ કરતા અન્ય રાજ્યોના કેટલાક રાજનેતાઓએ પણ કોમનવેલ્થના આયોજનમાં ગુજરાત અને દેશની પડખે ઊભું રહેવું પડશે.

આ સ્પર્ધાઓ અમદાવાદમાં યોજાતા ટુરિઝમ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને એમ્પ્લોયમેન્ટનું ટ્રિપલ બુસ્ટર મળશે અને હજારો કરોડના ઈન્વેસ્ટમેન્ટ સાથે ગ્લોબલ મેપમાં અમદાવાદ અને ગુજરાતનું ગૌરવવંતુ સ્થાન મળશે. બસ, ધ્યાન એટલું રાખવાનું કે જામનગરના ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા પછી ત્યાં જે પ્રકારની ગંદી અને લાપરવાહી પૂર્ણ હરકતો થઈ છે, તેવું કોમનવેલ્થના ડેસ્ટિનેશન પર તો હરગીઝ ન જ થવું જોઈએ.

ગુજરાતને કોમનવેલ્થ ગેઈમ્સની યજમાની તો મળી ગઈ પરંતુ આ કારણે માત્ર ગુજરાત સરકાર કે તેના તંત્રો જ નહીં, પરંતુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગુજરાતીઓ તથા ખાસ કરીને અમદાવાદના રહીશોની જવાબદારી ઘણી જ વધી જવાની છે. આ તકને ઓલિમ્પિકના અવસરમાં બદલવા માટે સૌ કોઈએ સમર્પિત થવું જ પડશે. ગંદકી કરવાની, ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરવાની તથા છીછરી હરકતો કરવાની આદતો ધરાવતા લોકોને અંકુશમાં રાખવા પડશે તથા તમામ વ્યવસ્થાઓને અનેકગણી સુદૃઢ અને સક્ષમ બનાવવી પડશે.

કોમનવેલ્થ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે આ વખતે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેઈમ્સમાં એથ્લેટિક્સ, સ્વિમીંગ, બાઉલ્સ, તમામ પેરા સ્પોર્ટસ સહિત વેઈટ લિફટીંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, બોક્સિંગ, નેટબોલ અને ટેબલટેનિસ સહિત કુલ ૧૫ થી ૧૭ સ્પોર્ટસનો સમાવેશ થશે.

આ ગેઈમ્સ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ-અમદાવાદમાં રમાશે, અને વિશ્વના સૌથી મોટા ગણાતા સ્ટેડિયમ ઉપરાંત આ કોમ્પ્લેક્ષમાં અત્યાધુનિક ફૂટબોલ સ્ટેડિયમ, બે વિશાળ ઈન્ડોર એરેના, હાઈટેક એક્વેટિક્સ સેન્ટર અને તમામ પ્રકારની પૂરક અદ્યતન વ્યવસ્થાઓ તથા સુખ-સુવિધાઓ તથા આવાસ, નિવાસ, પરિવહન અને પ્રેકટિસની સગવડો પણ ઊભી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ આવકારદાયક છે અને આપણાં ગરવા ગુજરાત માટે એક સુવર્ણ અવસર છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે, તે જ અમદાવાદ ભયંકર ટ્રાફિકજામ માટે પણ જાણીતું છે. આ મહાનગરની આંતરિક ટ્રાફિક વ્યવસ્થા અંગે અવાર-નવાર હાઈએલર્ટ તથા સરકારી કાર્યાલયો સુધી પડઘા પડયા છે. અમદાવાદમાં રખડતા ઢોર, ટ્રાફિક નિયમોના ભંગ તથા માર્ગો પર પડતા ભુવાઓ (ઊંડા ખાડાઓ) અંગે રાજ્યની હાઈકોર્ટે પણ અવાર-નવાર એે.એમ.સી. તથા રાજય સરકારના તંત્રોને તતડાવ્યા છે, અને કેટલીક વખત તો વડી અદાલતે સુઓમોટો સુનાવણી કરીને કોર્પોરેશન તથા રાજ્ય સરકારના તંત્રોને તથા ઉચ્ચ અધિકારીઓના ખુલાસાઓ પણ માંગ્યા છે.

જો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તથા વિકસિત કરાઈ રહેલા સંકુલો, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્કલેવ અને તેમાં સમાવિષ્ટ ન.મો. સ્ટેડિયમ સહિતના ખેલસંકુલોમાં સમસ્યાઓ તથા ગીચતા અને ટ્રાફિકજામની ઉણપો પ્રમાણમાં ઓછી હશે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની આટલી બધી ગેઈમ્સ અને પ્રવૃત્તિઓ થવાની હોય, ત્યાં બહારથી પણ બહોળી સંખ્યામાં લોકો તથા પ્રવાસીઓ, ખેલાડીઓ, સંલગ્ન અધિકારી-કર્મચારીઓ અને પૂરક વ્યાવસાયિકો તો આખા અમદાવાદમાં ફેલાઈ જવાના છે, તેથી અત્યારના અમદાવાદને પાંચ વર્ષમાં ઘણું જ બદલવું પડશે. આપણી પાસે વર્ષ ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ સ્પર્ધાઓ યોજયાનો અનુભવ પણ છે અને તે સમયની સરખામણીમાં ટેકનોલોજી, સંચાર વ્યવસ્થાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઘણું જ એડવાન્સ તથા આધુનિક બની ગયું છે, તેમ છતાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે તો આ મોટો પડકાર જ છે અને તેમાં જો થોડી ઘણી પણ કચાશ રહી જાય, તો આ જ ગૌરવ આપણા દેશ માટે બૂમરેંગ પણ પૂરવાર થઈ શકે તેમ છે, તેથી આગામી પાંચ વર્ષમાં તમામ પ્રકારની સંભાવનાઓને સાંકળીને આ ભગીરથ પડકાર ઝીલવાની તૈયારી કરવી પડે તેમ છે. આ પાંચ વર્ષના સમયગાળામાં જ ગુજરાત વિધાનસભાની વર્ષ-૨૦૨૭માં ચૂંટણીઓ થવાની છે, જયારે વર્ષ ૨૦૨૯માં લોકસભાની ચૂંટણીઓ પણ આવશે, અને સરકારો બદલાશે, પરંતુ આ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં કોઈ ખામી ન રહી જાય, તે માટે રાજકીય એકજૂથતા બતાવીને રાષ્ટ્રીય ગૌરવ માટે રાષ્ટ્રીય પર્વો જેવી જ અખંડિત તાકાત પણ બતાવવી પડશે, અને તે જવાબદારી આપણી બધાની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફલાય ઓવરબ્રિજ... અડધો ખાલી...અડધો ગ્લાસ ભરેલો હોય તેવા પ્રતિભાવો... શિખામણો, સલાહો, અને સૂચનોનો દોર... જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

જામનગરમાં ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયા પછી ટ્રાફિક નિયમન નહીં, પણ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા અને એકાદ અકસ્માત પણ થયો, તે પુલના નિર્માણમાં રહી ગયેલી ત્રુટિઓ અને અધરૂપ ઉપરાંત નગરજનોની કુતૂહલપ્રવૃત્તિ તથા કેટલાક પરિબળોની અયોગ્ય તથા અનિચ્છનિય હરકતોનો પણ પર્દાફાશ કરે છે. મુખ્યમંત્રી બ્રિજ ખુલ્લો મૂકીને ગયા, તેની પ્રથમ બે રાત્રિ દરમ્યાન રંગીન રોશનીનો નજારો માણવા તથા લાંબા સમયથી નિર્માણધિન બ્રિજ કેવો બન્યો છે, તે નિહાળવા એટલા બધા લોકો ઉમટી પડયા હતા કે ટ્રાફિક જામ નિવારવા માટે ટ્રાફિક પોલીસને તથા તંત્રના નાકે દમ આવી ગયો , તો બીજી રાત્રિએ કેટલાક સ્થળે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા દૃશ્યો જોવા મળ્યા, અને એકંદરે નગરના નજરાણા જેવા આ બ્રિજની સ્વચ્છતા, સુરક્ષા તથા ટ્રાફિક તથા કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ જરૂરી એવા "ત્રીજા નેત્ર"ની વ્યવસ્થા જ હજુ થઈ નથી, તે જાણીને લોકોને તાજ્જુબ થયું. બ્રિજમાંથી ઉતરતા ઢાળીયા પાસે વળાંક પાસે વધુ ચોકસાઈ માટે વધુ ડિવાઈડરની જરૂર જણાવાઈ, તો બ્રિજ પર આવતા વળાંકો અંગે સતર્કતા રાખવાની જરૂર તથા તદ્વિષયક વધુ સાઈનીંગ બોર્ડની ચર્ચા પણ થઈ.

આપણે આપણું તદ્ન નવું મકાન આપણું પોતાનું બનાવ્યું હોય અને વાસ્તુ કરીને રહેવા જઈએ કે તરત ત્યાં દીવાલો પર થુંકીએ કે હોલ-બેડરૂમ કે ગમે ત્યાં કચરો ફેંકીએ ખરા ?...ન જ ફેંકીએ, પરંતુ નવા નકોર બ્રિજ પર આ પ્રકારની હરકતો થઈ, તેને બેશરમ અથવા નિર્લજ્જ તથા એક જવાબદાર નાગરિક તરીકે તદૃન અયોગ્ય હરકતો જ કહી શકાય...જાહેર મિલકતો પબ્લિક મનીમાંથી જ બને છે અને આપણે ભરેલા ટેકસમાંથી જ વિકાસના સંકુલો તથા માળખાકીય મિલકતો બને છે, તેવો દાવો તો આપણે હંમેશાં કરતા હોઈએ છીએ, પરંતુ આ પ્રકારની પબ્લિક પ્રોપર્ટી અથવા જનસુવિધાઓ તદૃન નવનિર્માણ પામી હોય, ત્યાં જ તેને ગંદી, ગોબરી કરવા લાગીએ, તો આપણને તંત્રની ટિકા કરવાનો કે હક્કો માંગવાનો અધિકાર ખરો ?...જરા વિચારો... દિલ પર હાથ રાખીને અંતરઆત્માને પૂછો...!

કલેકટર-એસ.પી.-મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉદઘાટન પછી આ બ્રિજની સ્થિતિ નિહાળવા આંટો માર્યો હશે. નગરના કેટલાક શ્રેષ્ઠીઓ તથા પ્રેસ-મીડિયા, લબ્ધ-પ્રતિષ્ઠિત લોકો દ્વારા વિવિધ પ્રતિભાવો વ્યક્ત થયા, કેટલાક ઉપયોગી સૂચનો પણ થયા, તો કેટલીક બાબતે આલોચના પણ થઈ, પરંતુ કોઈના તરફ એક આંગળી ચિંધીએ, ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી તરફ હોય, અને અંગૂઠો, "ડબલ ઢોલકી" વગાડતો હોય, તેમ તદૃન વચ્ચે જ હોય છે, તે ભૂલવું ન જોઈએ !

આટલા લાંબા સમયથી બ્રિજનું નિર્માણ થતું હોવા છતાં જો મૂળભૂત જરૂરિયાતો અથવા ટ્રાફિક નિયમનની પૂરતી વ્યવસ્થાઓ કે સીસીટીવી કેમેરાઝ ગોઠવી શકાયા ન હોય, તો તે આ બ્રિજની ડિઝાઈન કરનારાઓથી લઈને એન્જિનિયરો, કોન્ટ્રાકટરો, તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા ઘણી વખત નગરમાં ઊંચો કોલર રાખીને સીનસપાટા કરતા રહેતા કેટલાક નેતાઓ, નાની-નાની બાબતોમાં પ્રેસનોટના ઢગલા કરતા રહેતા કેટલાક નિવેદનીયા "જાગૃત જનસેવકો", મહાપાલિકાના પદાધિકારીઓ અને લોકોએ ચૂંટેલા નગરસેવકો તથા જનપ્રતિનિધિઓ સહિત આપણી બધાની ભાગે પડતી જવાબદારી ગણાય, અને સહિયારી ખામી જ ગણાય, ખરૃં ને ?

આજે સવારે જ સમાચાર આવ્યા છે કે આ નવાનકોર બ્રિજમાં આગ લાગતા ફાયરબ્રિગેડને દોડવું પડ્યું હતું, અને શોટસર્કિટ થતાં વાયર બળ્યું હોવાનું સામે આવ્યુું હતું, મહાનગરપાલિકાનું તંત્ર હોય કે જિલ્લાનું વહીવટી તંત્ર હોય, કોન્ટ્રાક્ટરોનું તંત્ર હોય કે લોકતંત્રના પહેરેદારો  દાવો કરતા રહેતા કેટલાક બોલકા લોકો હોય, કોઈનાય બહુ વખાણ કરવા જેવા નથી,...બ્રિજના ઉદઘાટન પછી પહેલા બે દિવસના અનુભવે જ સામે આવેલી વાસ્તવિકતાઓ માટે જવાબદાર કોણ ? તે પ્રશ્નનો જવાબ આત્મચિંતન કરીને સ્વયં જ શોધવો પડે તેમ છે.

નગરના નજરાણાં સમા બનેલા ફલાય ઓવરબ્રિજના સુશોભન, લાઈટીંગ અને ઝગહળાટ નમૂનેદાર છે અને સુંદર દૃશ્યો જોવા મળી રહ્યા છે, તે હકીકત છે, પરંતુ તેની પાછળ મૂળભૂત જરૂરિયાતો, વ્યવસ્થાઓ અને "તિસરી આંખ", તથા ટ્રાફિક નિયમન જેવી તકેદારીઓમાં કચાશ રહી ગઈ, તે ક્ષમ્ય નથી...

આ ફલાય ઓવરબ્રિજના પ્રથમ બે દિવસના અનુભવે એવું કહી શકાય કે અડધો પાણીનો ગ્લાસ ઘણાંને અડધો ભરેલો દેખાય, તો ઘણાંને અડધો ખાલી દેખાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બ્રિજ અંગે ટિકા-ટિપ્પણી થાય, વાસ્તવિક ભૂલો પ્રત્યે અંગૂલી નિર્દેશ થાય કે ઉયોગી સૂચનો થાય, તે આવકાર્ય પણ છે અને જરૂરી પણ છે, પરંતુ કેટલાક સૂફિયાણી સલાહો આપતા પરિબળો ડાહી ડાહી વાતો કરતા રહેતા હોય અને પોતે જ આ બ્રિજના લોકાર્પણની પહેલી રાત્રે શું કર્યું તે ભૂલી જતા હોય, તો એવું કહી શકાય કે આ પ્રકારના લોકો હાથી જેવા હોય છે, જેના ખાવા (ચાવવા)ના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા હોય છે...!!!

ખેર, હવે ઝડપથી રેલવેની જમીનનું હસ્તાંતરણ થઈ જાય, અને અંબર ચોકડી પાસે નવા સ્લેબ જલદી બની જાય, સમગ્ર બ્રિજને આવરી લેતા સીસીટીવી કેમેરા ઝડપથી ફિટ થઈ જાય, અને વચગાળામાં ડ્રોન કેમેરાથી નિરીક્ષણનો વિકલ્પ વિચારાય, બ્રિજની ઉપર તથા બંને છેડે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો-વ્યવસ્થા જાળવવાની રાઉન્ડ-ધ-કલોક વ્યવસ્થા ઉપરાંત અભ્યાસ કરીને ટ્રાફિક વધુ રહેતો હોય ત્યારે વિશેષ વ્યવસ્થાઓ થાય, ટ્રાફિકના સમયે બ્રિજ પર બિનજરૂરી રીતે વાહનો ઊભા રાખીને ટ્રાફિક જામ કરતા, બ્રિજ પર ગમે  ત્યાં પાન-મસાલાની પિચકારી મારતા, કચરો ફેંકતા કે અયોગ્ય હરકતો કરતા પરિબળો દંડાય અને જરૂર પડ્યે તેવા રીઢા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા, તે અત્યંત જરૂરી છે...નગરને નવલું નજરાણું મળ્યુ છે, તેને જાળવીએ, અને આપણે પણ સુધરીએ અને બીજાને પણ સાચો માર્ગ બતાવીએ....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જૂના કાયદા સુધારાયા, બિનજરૂરી કાયદા રદ થયા, કેટલાક કાયદા બદલાયા, હવે

થોડા દિવસો પહેલા દેશમાં ૨૯ જૂના કાયદાઓ રદ કરીને નવા શ્રમ કાયદા લાગુ કરાયા છે અને તેના કારણે ૪૦ કરોડ જેટલા કામદારોને સામાજિક સુરક્ષા મળશે, તેવો દાવો કરાયો છે. તે પહેલા મોદી સરકારે ઘણાં બિનજરૂરી કાયદાઓ નાબૂદ કર્યા છે. બ્રિટિશ સલ્તનતના શાસનકાળમાં ઘડાયેલા આઈપીસી, સીઆરપીસી તથા એવિડેન્સ એક્ટની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ-૨૦૨૩), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ-૨૦૨૩) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ-૨૦૨૩) લાગુ કર્યા હતા, અને ગૂન્હો, સજા, દંડ, પ્રક્રિયા અને કલમોમાં ફેરફાર કરીને વર્તમાન યુગને અનુરૂપ કાયદાઓ ઘડવાની તાર્કિક દલીલો સાથે સંસદમાં લાંબી ચર્ચાઓ પણ આ સંદર્ભે થઈ હતી.

                                                                                                                                                                                                      

આપણાં દેશમાં વર્ષ ૧૯૩૦ થી ૧૯૫૦ વચ્ચે બ્રિટિશ શાસન દરમ્યાન શ્રમ કાયદાઓ ઘડાયા હતા, જેમાં વર્તમાન સમયની જરૂરિયાતો, શ્રમના પ્રકારો તથા શ્રમિકોના હિતો પ્રતિબિંબિત થતા નહોતા. જૂના કાયદાઓમાં ફિક્સ પગાર, ગિગ વર્કર્સ, માઈગ્રેશન ઓફ લેબર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ કે લેબર્સ કોન્ટ્રાક્ટ્સ જેવા મુદ્દાઓ નહોતા. આ પ્રકારના શબ્દપ્રયોગો પણ જૂના કાયદાઓમાં જોવા મળતા નહોતા. તેથી જૂના ૨૯ કાયદાઓ હટાવીને શ્રમિકોના હિતોને સાંકળીને નવા કાયદા અમલ બનાવાયા હોવાનો દાવો કરાયો છે, અને ગિગ વર્ક, પ્લેટફોર્મ વર્ક, એગ્રીગેટર્સની વ્યાખ્યાઓ નિયત કરીને નવી શ્રમ સંહિતામાં ફિક્સ્ડ પગારથી કામ કરતા કામદારો, ટર્મ કર્મચારીઓને પણ કાયમી કર્મચારીઓની જેમ જ સમાન ધોરણે રજા, પગાર, મેડિકલ સહાય અને સામાજિક સુરક્ષાનો અધિકાર મળશે અને પાંચ વર્ષ પછી જ ગ્રેચ્યુઈટીનો અધિકાર મળશે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો, પ્લાન્ટેશન, ડિજિટલ મીડિયા, ઈલે. મીડિયા, પત્રકારો, ડબિંગ કલાકારો, સ્ટંટ કલાકારો, ખાણ કામદારો, જોખમી ઉદ્યોગો, ટેક્ષ્ટાઈલ, આઈ.ટી., આઈ.ટી.એસ કામદારો, પોર્ટસ અને એક્સપોર્ટસ ક્ષેત્રના કામદારો તથા કર્મચારીઓને પણ નવા કાયદાઓ હેઠળ આવરી લેવાયા હોવાનો પણ દાવો કરાયો છે.

આ કાયદાઓના સુદૃઢ અમલ તથા શ્રમિકો-કામદારો-કર્મચારીઓના હિતોના રક્ષણ માટે પ્રવર્તમાન કાનૂની વ્યવસ્થાઓ ઉપરાંત બે સભ્યોની નવી ઔદ્યોગિક ટ્રિબ્યુનલની વ્યવસ્થા કરાશે, તથા જ્યાં ૯૫૦૦ થી વધુ કામદારો હોય, ત્યાં સલામતિ સમિતિઓ ફરજિયાત કરાશે. સરકારે દાવાઓ તો ઘણાં કર્યા છે, પરંતુ હવે "નિવડે વખાણ થાય..."ની કહેવત મુજબ જસ્ટ વેઈટ એન્ડ વોચ...

આ જ રીતે કેન્દ્ર સરકારે હવે સાયબર ક્રાઈમના ક્ષેત્રે પણ વધુ કડક અને નવા કાયદાઓ ઘડવાની જરૂર છે. ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન બેન્કીંગના ઘણાં ફાયદા છે અને ટ્રાન્સપરન્ટ વ્યવહારોના કારણે બ્લેકમની પ્રોડકશન તથા ગેરકાનૂની નાણાકીય વ્યવહારો પર અંકુશ આવે છે, એ ખરૃં, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે... ગુજરાત સહિત દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ દિન-પ્રતિદિન ઝડપભેર વધી રહી છે, અને ગુજરાત તેમાં પણ નંબર વન હોવાનુું સામે આવ્યું છે.

તાજેતરના અહેવાલો મુજબ ગુજરાતમાં દર કલાકે સાયબરની ૨૧ ફરિયાદો એવરેજ નોંધાય છે. છેલ્લા નવ મહિનામાં જ ગુજરાતીઓ સાથે રૂ. ૧૦૧૧ કરોડની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના સાયબર ક્રાઈમ ૩૦ ટકા જેટલો વધ્યો હોવાના તારણો નીકળ્યા છે. નાણાકીય રોકાણમાં લોભામણી લાલચો આપીને સૌથી વધુ છેતરપિંડી થાય છે, ગુજરાતમાં નવ હજારથી વધુ લોકો તો લલચામણી જાહેરાતોમાં લોભાઈને જ રૂ. ૪૦૦ કરોડ જેટલી રકમ ગુમાવી બેઠા છે. ઓટીઝ, કાર્ડ ફ્રોડ અને ખોટી ઓળખાણ આપીને છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. માત્ર ખોટી ઓળખ આપીને જ ગઠિયા ઠગોએ ૨૭ હજારથી વધુ લોકો સાથે ઠગાઈ કરીને રૂ. ૧૩૭ કરોડ જેવી માતબર રકમ ખંખેરી છે. આમ, ગુજરાતમાં સાયબર ઠગો માટે મોકળું મેદાન મળી ગયું હોવાની ટિકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં એવરેજ દરરોજ ૧૫૫ ફરિયાદો નોંધાતી હતી, એટલે કે પ્રતિ કલાક ૬ ફરિયાદો થતી હતી, જે ચાલુ વર્ષે વધીને પ્રતિ કલાક ૨૧ એટલે કે ેદરરોજની ૫૨૦ જેટલી ફરિયાદો નોંધાઈ છે.

છેલ્લા પાંચ વર્ષમાં નાગરિકોએ કુલ ૩૩૮૭ કરોડ રૂપિયા ગુજરાતીઓએ ગુમાવ્યા હોય, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે હવે "હાઈટેક" નવા કાયદાઓ પણ ઘડવા જ પડે તેમ છે., કારણ કે વર્તમાન યુગને અનુરૂપ ઘડાયેલા નવા કાયદાઓમાં પણ દરરોજ અપડેટ થતી ઈન્ટરનેટ આધારિત બેંન્કીંગ અને ડિજિટલ સિસ્ટમોને અનુરૂપ નવા કાયદા અને તાલીમબદ્ધ અલાયદી પોલિસીંગ વ્યવસ્થા પણ ઊભી કરવી અથવા વિસ્તારવી જરૂર છે.

જો કે, ગુજરાતમાં સાયબર સેલ આ પ્રકારના ગૂન્હાઓને પકડવા નિષ્ઠાપૂર્વક કાર્યરત છે અને જરૂર મુજબનું આધુનિકરણ પણ થાય છે, પરંતુ સાયબર ક્રાઈમના નવા સ્વરૂપો તથા આંતરરાષ્ટ્રીય વ્યાપને જોતાં સતત અદ્યતન તાલીમ સાથે વર્કફોર્સને કાનૂની પીઠબળ પણ જરૂરી છે, અને સાયબર ઠગોમાં કાનૂનનો ડર પ્રવેશે તેવા નવા કાયદા ઘડવા અત્યંત જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભલે પધાર્યા... ભૂપેન્દ્રભાઈ... રજવાડીનગરની રૈયત આવકારે છે... નગરના દ્વારે નગારે ઘા...

                                                                                                                                                                                                      

આજે રજવાડીનગર જામનગરના આંગણે નોબત-નગારાનો નાદ ગુંજી રહ્યો છે, અને નગરમાં ખુશીનો માહોલ છે. એક તરફ મંગલ પ્રસંગો, સગાઈ, લગ્ન સમારંભોની ધૂમ મચી છે, તો બીજી તરફ નગરમાં રૂ. સવા બસો કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજના લોકાર્પણની સાથે સાથે અન્ય વિકાસ પ્રોજેકટોના લોકાર્પણો તથા ખાતમુહૂર્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવ્યા છે, જેને નગરજનો આવકારે છે...

ગઈકાલથી પ્રેસ-મીડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક માનવીય અભિગમની ભરપૂર પ્રશંસા થઈ રહી છે અને એક પરિવારના લગ્ન પ્રસંગમાં અડચણ ન આવે, તે માટે મુખ્યમંત્રીએ આજના લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમો-પ્રસંગો યોજાનાર સમારંભનું સ્થળ ટાઉનહોલથી બદલીને ધન્વન્તરિ મંદિરના ઓડિટોરિયમમાં કરાવ્યું તેની ચો તરફ ચર્ચા થઈ રહી છે અને તેમાં રાજ્ય સરકારનું માહિતી ખાતું કેવી રીતે નિમિત્ત બન્યું હતું, તેની પણ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની રહી છે. એકંદરે "અંત ભલા તો સબ ભલા..." મુજબ જેને ત્યાં લગ્ન પ્રસંગ હતો, તે પરિવારે પણ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે, અને સૌ સારા વાના થયા છે.

આમ તો મુખ્યમંત્રી ૨૦મી નવેમ્બરે ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકવા અને અન્ય વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણો કરવા માટે જામનગર આવવાના હતા. અને તેના સંદર્ભે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાનાર હતો, પરંતુ મુખ્યમંત્રીને બિહારમાં નીતિશકુમારની શપથવિધિમાં જવાનું થતાં કાર્યક્રમની તારીખ બદલી, અને તેની અસર પહેલેથી નિર્ધારિત એક પરિવારના લગ્ન પ્રસંગ પર થાય તેમ હતી, તે જોતાં વહીવટીતંત્રે પણ સ્વયં જાગૃત રહીને "આમ જનતાને" પ્રાયોરિટી આપીને જરૂરી ફેરફાર કરવા જોઈએ, અને જાહેર કાર્યક્રમોમાં ફેરફાર થાય ત્યારે સ્થળ પસંદગી, રૂટ અને અન્ય સંલગ્ન તમામ બાબતોની તલસ્પર્શી પુનઃ સમીક્ષા કરીને સ્થાનિક કક્ષાએથી જ જરૂરી ફેરફાર "સામાન્ય જનતા"ને કેન્દ્રમાં રાખીને જ કરવા જોઈએ. ખેર, દેર આયે...દૂરસ્ત આયે... ભવિષ્યમાં ધ્યાન રાખવા જેવું ખરૃં !

આજે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હસ્તકના કુલ મળીને ૬૨૨ કરોડથી વધુના ૬૯ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા પછી મુખ્યમંત્રીએ કરેલા સંબોધન તથા આ વિકાસકામોના કારણે લોકોની સુખ-સુવિધામાં થનારા સુધારા-વધારા અંગે પણ આજે નગરચર્ચા થઈ રહી છે, અને ભિન્ન-ભિન્ન મંતવ્યો વ્યકત થઈ રહ્યા છે. કેટલાક કોંગી મહિલા અગ્રણીઓના ઘર પાસે વિશેષ બંદોબસ્ત તથા કથિત નજરકેદની પણ ચર્ચા છે.

આજે મુખ્યમંત્રી નગરની મુલાકાતે આવ્યા, ત્યારે જામનગર અને હાલારની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો અને પ્રાણપ્રશ્નો અંગે સ્થાનિક નેતાગીરી અને તંત્રો સાથે ચર્ચા-પરામર્શ થયો જ હશે, તો મુખ્યમંત્રીએ સ્થાનિક તંત્રોને કોઈ સૂચનાઓ તથા સ્થાનિક નેતાગીરીને સલાહ-માર્ગદર્શન કે દિશાનિર્દેશો પણ આપ્યા હશે, તો કેટલાક મુદ્દે સ્પોટ ડિસિશન લેવાયા હશે. તે પૈકી જિલ્લાની જનતા તથા નગરજનોને સ્પર્શતા હોય કે હાલારને સંબંધિત કોઈ મુદ્દે પ્રગતિ થઈ હોય, તો તે પબ્લિક ડોમેનમાં આવે તે જરૂરી છે. કારણ કે આ વખતે મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત સમયે કેટલાક મુદ્દે રાજ્ય સરકારના સહયોગ અથવા હસ્તક્ષેપની આશા રાખીને રજવાડી નગરની રાંકડી રૈયત બેઠી હતી....!

આપણે શનિવારે "નોબત"ના તંત્રી લેખમાં પણ અહીં આ પ્રકારના સ્પોટ ડિસિશનની તક હોવાની વાત કરી હતી, જેમાં મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા થી લઈને રાજ્યકક્ષા સુધીની કેટલીક સમસ્યાઓ, જરૂરિયાતો લોકોની માંગણીઓ તથા નવા ઉદ્ભવેલા પ્રશ્નો તરફ અંગૂલી નિર્દેશ કર્યો જ હતો, અને તેના સંદર્ભે મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન સ્થાનિક નેતાગીરીએ રજૂઆતો કે ચર્ચા કરી જ હશે, તો તેની ફલશ્રુતિ શું નીકળી તેની જાણ પણ જનતાને થવી જ જોઈએ ને ?

આજે જ સમાચાર આવ્યા છે કે કોઈ ખેડૂતે ડુંગળીના ભાવો તળીયે બેસી જતા પોતાના ખેતરમાં વાવેલા ૧૧ વીઘાના ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધુ છે. જે ખેડૂતોએ ડુંગળી માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચાડી, તેને ટ્રાન્સ્પોર્ટેશનની રકમ પણ ન મળે, તેટલા ઓછા ભાવ આવી રહ્યા હોવાથી ખેડૂતો સરકારના સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે. ડુંગળીની આયાત-નિકાસની પોલિસી બદલવાના લાંબા ગાળાના ઉપાય ઉપરાંત અત્યારે જે ખેડૂતોની માર્કેટમાં ડુંગળી આવી જ રહી છે, તેને પોષણક્ષમ ભાવો મળી રહે, તેવા તત્કાળ કદમ ઉઠાવવા જરૂરી છે. આ અંગે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકારીક્ષેત્રના દિગ્ગજો તથા ધારાસભ્યો તથા સંસદસભ્યો સાથે ચર્ચા કરીને મુખ્યમંત્રી સ્વયં તાકીદનો નિર્ણય લેશે, તેવી આશા રૈયત રાખી રહી છે.

માર્કેટીંગ યાર્ડો-ખેડૂતો પાસેથી ડાયરેકટ ખરીદી કરીને ખૂબ ઓછા ભાવે મેળવેલી ડુંગળી સામાન્ય ગ્રાહક સુધી છુુટક વેચાણમાં પહોંચે, ત્યારે તેના અનેકગણા ભાવો થઈ જતા હોય છે. આ રીતે ખેડૂતોનું શોષણ થાય અને સામાન્ય જનતા સુધી પહોંચતા પહોંચતા તેનો ભાવ અનેકગણો વધી જતો હોવાથી તે મુદ્દે પણ ગાંધીનગર પરત ગયા પછી મુખ્યમંત્રી કોઈ એકશન લેવડાવશે, તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યા છે.

ખેત-ઉત્પાદનોની ખેડૂતો પાસેથી ખરીદી કર્યા પછીના તેના ટ્રાન્સ્પોર્ટેશન, બગાડ અને નુકસાન વગેરે ઉમેરીને થતી એકંદરે પડતર કિંમત થી પણ અનેકગણા ભાવો જથ્થાબંધ કે છૂટક વેચાણ થતું હોય, તો એ તગડી નફાખોરી અટકાવવા કોઈ મિકેનિઝમ જ કાર્યરત નથી. અથવા મોજુદ નથી, તે નક્કર હકીકત ધ્યાને લેવી પડે તેમ છે.

રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા હાલારમાં ગ્રામ્ય વિસ્તારો સહિતના વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ સહિતની શૈક્ષણિક વ્યવસ્થાઓ ચકાસી રહ્યા છે, ત્યારે તેઓના ધ્યાને પ્રવર્તમાન એસઆઈઆરની ચૂંટણીપંચની કામગીરી કરતા બીએલઓને પડતી કેટલીક તકલીફો પણ આવી હશે. આ તકલીફોનું સમાધાન થાય અને કોઈ એવો રસ્તો નીકળે, કે જેથી બીએલઓની સમસ્યાઓનું નિવારણ પણ થાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીયકક્ષાની આ કામગીરી પણ સમયમર્યાદામાં સંપન્ન થાય. આ માટે ચૂંટણીતંત્ર સાથે સંકલન કરીને ઝડપી પ્રયાસો થવા અત્યંત જરૂરી છે.

ટૂંકમાં, મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત અને તેઓ દ્વારા લોકાર્પિત કે ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકામો નગર અને હાલારની જનતાની સુખ-સુવિધામાં વધારો કરે, રૈયતને રાહત થાય તેવા નિર્ણયો લેવાય અને ચૂંટણીપંચની રાષ્ટ્રીય કામગીરીમાં પૂરેપૂરો જનસહયોગ મળે, તથા મતદાન અને બીએલઓની સમસ્યાઓ હળવી થાય, તેવા નિર્ણયો ચૂંટણીપંચ તરફથી પણ લેવાય, તેવી આશા રાખીએ, અને મુખ્યમંત્રીના આગમનને યાદગાર બનાવીએ...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સોમવારે મુખ્યમંત્રીની મુલાકાત સમયે શહેરની સમસ્યાઓ અંગે 'સ્પોટ' ડિસિશન્સ લેવાની તક.. પણ 'વિલપાવર' જનરેટ કરવો પડે...!!!

                                                                                                                                                                                                      

સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે આવવાના છે અને શહેરના ફલાય ઓવરબ્રિજને ખૂલ્લો મુક્યા પછી તેનું નિરીક્ષણ કરીને ધન્વન્તરિ ઓડિટોરિયમમાં ભાષણ કરશે અને રૂ. ૨૨૫ કરોડથી વધુ ખર્ચે નિર્મિત ઓવરબ્રિજ ઉપરાંત મહાનગરપાલિકાના રૂ. ૩૬ કરોડના કામો તથા જી.જી.હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પંચાયત તથા અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ મળીને કુલ રૂ. ૬૨૨ કરોડથી વધુના કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે, તેવું જાહેર થતા જ નગરમાં તંત્રોની દોડધામ વધી છે, અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓની ટીમે ફલાય ઓવરબ્રિજ તથા મુખ્યમંત્રીના નિર્ધારિત રૂટનું નિરીક્ષણ કર્યું, તેથી પાક્કું થઈ ગયું છે કે હવે સોમવારે ફલાય ઓવરબ્રિજ તો ખૂલ્લો મૂકાઈ જ જશે.

આ પહેલા તા. ૨૦મી નવેમ્બરે મુખ્યમંત્રી આવનાર હોવાથી શહેરમાં "નિશ્ચિત" માર્ગો તથા વિસ્તારો એકદમ સ્વચ્છ અને સુઘડ થઈ ગયા, નિયમિત ચાર-પાંચ દિવસ રોડની બંને તરફ દવાનો છંટકાવ થઈ ગયો, ઉકરડા-ઉભરાતા કચરા કન્ટેનરો હટાવી લેવાયા, રખડતા ઢોરની કાયમી અવર-જવર તથા સંકુલો પર થતા ઢોર-કૂતરાના અડીંગા બંધ થઈ ગયા અને ચોતરફ રંગરોગાન થવા લાગ્યું હતું.

મુખ્યમંત્રીને બિહાર જવાનું થતાં તા. ર૦નો કાર્યક્રમ મોકૂફ રહ્યા પછી એકાદ-બે દિવસ તેમાં ઓટ આવી ગઈ હતી, પરંતુ મુખ્યમંત્રી સોમવારે આવવાના છે, તે જાહેર થતાં જ ફરીથી એવી જ કવાયત શરૂ થઈ ગઈ છે., આથી લોકો કહે છે કે મુખ્યમંત્રી અવાર-નવાર આવતા હોય તો કેવું સારૃં ? કેટલાક માર્ગોની નિયમિત સફાઈ તો થતી રહે !

કેટલાક લોકો એવું માને છે કે મુખ્યમંત્રીએ તંત્ર અને સિક્યોરિટી દ્વારા નક્કી કરેલા રૂટ સિવાયના અન્ય કેટલાક વિસ્તારોની પણ નગરમાં (ભાજપના નેતાઓ કે તંત્રને અગાઉથી ભનક પણ ન આવે, તેવી રીતે "નાયક" ફિલ્મની જેમ) અચાનક મુલાકાત લેવી જોઈએ, જેથી રૂડું રૂપાળું દેખાડાતું હોય, તે સિવાયનું સ્લમ એરિયા સહિતનું જામનગર વાસ્તવમાં કેવું છે, તે સિક્કાની બીજી બાજુ પણ જોવા મળે !!

જો કે, આ પ્રકારના "પ્રોટોકોલ"થી મુખ્યમંત્રી પણ અજાણ્યા નથી, તેઓએ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા, ત્યારે તે સમયે વીઆઈપી કે વીવીઆઈપી આવતા હશે, ત્યારે આવું જ નાટક કરવું પડ્યું હશે, તેથી તેઓને આ બધી ખબર હોઈ શકે છે, પરંતુ હવે મુખ્યમંત્રી તરીકે "રાજધર્મ" બજાવીને અને આઉટ ઓફ બોક્સ તથા પ્રોટોકોલ તોડીને તેઓ દૃષ્ટાંત બેસાડે, તો જામનગરના નગરજનોને તે ગમશે, અને જામનગરની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હકીકતે "પોતાના" લાગશે !

જામનગરની મહાનગરપાલિકાથી લઈને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષા સુધીની ઘણી કાયમી સમસ્યાઓ વણ ઉકેલી છે., અને ઘણી માંગણીઓ પડતર છે, જેના વિષે સ્થાનિક તમામ નેતાઓ અને તંત્રના વર્તમાન ઉચ્ચ અધિકારીઓ પૂરેપૂરા માહિતગાર છે, તેથી મુખ્યમંત્રીની મુલાકાત સમયે ઔપચારિક મિટિંગો ઉપરાંત અનૌપચારિક રીતે થતી રહેતી ચર્ચા દરમ્યાન પણ મુખ્યમંત્રી તથા રાજ્યકક્ષાના અધિકારીઓના કાને વાત નાખીને કેટલાક "સ્પોટ ડિસિશન" લેવાય, તેવો પ્રયત્ન કરાશે, તો તંત્રો માટે સુગમ બનશે અને સ્થાનિક નેતાગીરીને પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નજીકમાં આવી રહેલી ચૂંટણીની દૃષ્ટિએ રાજકીય રીતે પણ ઉપયોગી બનશે. તથા હાલારની ઘણી બધી સમસ્યાઓ તથા લોકોની માંગણીઓ, રજૂઆતોની ચર્ચા રાજ્યની સર્વોચ્ચ સત્તા સાથે કરવાની આ તક જિલ્લાતંત્ર અને જિલ્લાના "ટોપ ટુ બોટમ" ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઝડપી લેશે, તો લોકોને ગમશે અને એકંદરે લોકતંત્રની મૂળભૂત વિભાવના સાકાર થશે...

આમ, તો જામનગરમાં ઘણી સમસ્યાઓ તો ઘર જ કરી ગઈ છે, અને હવે કેટલીક નવી સમસ્યાઓ ઉમેરાઈ ગઈ છે, પરંતુ તાજેતરમાં નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજ સહિતના વિકાસકામો તથા ભૂગર્ભ ગટર, પાણી પૂરવઠો, ગેસ-વીજળીની પાઈપલાઈનો વગેરે માટે  થયેલા ખોદકામો પછી નગરના મોટા ભાગના આંતરિક માર્ગો, શેરી-મહોલ્લાઓ તથા સોસાયટી વિસ્તારની સડકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને હજુ પણ કેટલાક ખોદકામો ચાલી રહ્યા છે. મહાનગરપાલિકામાં દાયકાઓ સુધી શાસન હોવા છતાં વર્તમાન શાસકપક્ષની નેતાગીરી હજુ સુધી શહેરનો રીંગરોડ પણ અદ્યતન અને પૂરેપૂરો ઉપયોગમાં લઈ શકાય, તેવો લાંબો-પહોળો અને મજબૂત બનાવી શકી નથી.

જામનગર તથા તેને જોડતા હાલારના માર્ગોની ટ્રાફિક વ્યવસ્થામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે., નગરને જોડતા માર્ગો પર અકસ્માતો વધી ગયા છે. જામનગરથી ખંભાળીયાના માર્ગો જાયન્ટ કંપનીઓ હોવાથી દરરોજ સવાર-સાંજ ભયંકર ટ્રાફિક જામ થતો હોવાથી સિક્કાના પાટિયાથી આરાધના ધામ સુધી ફલાય ઓવરબ્રિજના તાકીદે નિર્માણની જરૂર હોય, તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે હિંમતભર્યો જનલક્ષી નિર્ણય ઝડપથી લેવો જ પડે તેમ છે., નગરમાં સાફ-સફાઈ, સ્વચ્છ-સુઘડ શૌચાલયો અને જાહેર મૂતરડીઓની સંખ્યા વધારવી, રખડૂ ઢોર એન આવારા શ્વાનની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો વગેરે અનેક સમસ્યાઓ છે, જેમાં રાજ્ય સરકારની પણ મહત્ત્વની ભૂમિકા છે અથવા હસ્તક્ષેપની જરૂર છે. ખાસ તો રાજકીય ઈચ્છાશક્તિની ઉણપ હટાવવી પડે તેમ છે.

દૃષ્ટાંત તરીકે જામનગરના વોર્ડ નં. ૧થી૪માં પ્રારંભમાં ડહોળુ અને પછી ટૂંકા સમય માટે જ પીવાનું પાણી આવતું હોય અને વોર્ડનં. ૬માં સોસાયટી, ટાઉનશીપમાં એકાંતરા અડધી રાતે પાણી અપાતું હોય, તો તેને મહાનગરપાલિકાની "શરમ" જ ગણવી પડે, અને અબજો રૂપિયાના વિકાસના પ્રોજેક્ટો ઊભા કરવા છતાં જો રૈયતને શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ટાઈમસર મળતું ન હોય, તો તેને સુશાસન કેવી રીતે ગણી શકાય ? પ્રજાની નાડને પારખવી જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કૌન સચ્ચા, કૌન જુઠા ? ટ્રમ્પનો નવો દાવો... ૩૫૦ ટકા ટેરિફની ધમકીથી મોદી ઝુક્યાઃ યુદ્ધ અટકયું !

                                                                                                                                                                                                      

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેની વિરૂદ્ધ નિવેદનો કર્યા હતા અને "મંડાની" કહીને મજાક ઉડાવી હતી, તે ભારતીય મૂળના ન્યૂયોર્કના મેયર તરીકે "વટ થી" ચૂંટાયેલા જોહરાન મમદાણીને આજ મુલાકાત આપી રહ્યા છે, ટ્રમ્પ ક્યારે કોની તરફેણ કરે છે, કોનો વિરોધકરે છે અને કયારે વલણ ફેરવે છે અને પોતાનું જ બોલ્યું ફેરવી તોળે છે, તે નક્કી જ હોતુ નથી, પરંતુ ભારત અને વડાપ્રધાન મોદીને સાંકળીને ઓપરેશન સિંદૂર દરમ્યાન યુદ્ધ વિરામને લઈને તેનો દાવો એવો ને એવો જ રહ્યો છે અને ફરીથી એક વખત તેમણે આ જ પ્રકારનું નિવેદન વિદેશની ધરતી પરથી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ  દરમ્યાન આપ્યું છે અને એક વધારાનો ચોંકાવનારો દાવો પણ કર્યો છે, જે આજે ગ્લોબલ ટોકનો વિષય બન્યો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમ્યાન જ નાનકડુ યદ્ધ થયું હતું તે અટકાવ્યાનો ૬૦ થી વધુ વખત દાવો કરનાર ટ્રમ્પે ફરી એ જ રેકર્ડ વગાડી, પરંતુ તેમણે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે તેમની ક્યા શબ્દોમાં વાતચીત થઈ હતી, તેનું ડીટેઈલમાં વર્ણન કરતા તેમનું નવું નિવેદન વિશ્વભરના પ્રેસ મીડિયામાં તો ચર્ચાનો વિષય બન્યું જ છે, પરંતુ ભારતના રાજકીય વર્તુળોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ટ્રમ્પના આ દાવાને ભારતના વિદેશ મંત્રાલયે અવાર નવાર ફગાવ્યા છતાં તેઓ આવું જ રટણ કરતા રહેતા હોવાથી ઘણાં લોકો વડાપ્રધાન મોદી આ અંગે સ્પષ્ટપણે રદીયો કેમ આપી દેતા નથી, તેવા સવાલો ઉઠાવી રહ્યા છે.

"અમેરિકા-સાઉદી નિવેશ મંચ" માં બોલતા વૈશ્વિક કક્ષાના કાર્યક્રમમાં કહ્યું હતું કે પરમાણુ હથિયારો ધરાવતા બે દેશ (ભારત અને પાકિસ્તાન) ને તેમણે ૩૫૦ ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી પછી મોદીએ પોતે તેમને યુદ્ધ અટકાવવાની જાણ કરી હતી. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એ યુદ્ધ અટકાવવા બદલ આભાર માનતો ફોન કર્યો હોવાનો દાવો પણ કર્યો હતો.

આમ તો ટ્રમ્પ અનેક વખત આ પ્રકારની વાતો કરતા રહ્યા છે અને ભારત તરફથી તેમના દાવાઓને ફગાવાઈ રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે વધુ સ્પષ્ટતાથી અને થયેલી વાતચીતોનું શબ્દશઃ વર્ણન કરતા હવે જો સ્વયં વડાપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પના આ દાવાઓને નહીં નકારે, તો લોકોમાં વધુ આશંકાઓ ઉઠશે અને બિહારમાં વધુ વિફરેલા વિપક્ષો આ મુદ્દાને સરળતાથી નહીં છોડે, તે નક્કી છે.

એક તરફ આ વિવાદ વૈશ્વિક કક્ષાએ વધુ ગરમાયો છે, તો બીજી તરફ ભારતે અમેરિકા પાસેથી જરૂરિયાતના ૧૦ ટકા એલપીજી ખરીદવાનો કરાર કર્યા પછી સવા આઠસો કરોડ રૂપિયાના શસ્ત્રો ખરીદવાની ડીલ કરી છે, જેમાં ૧૦૦ જવેલિન મિસાઈલ્સ, એક ફલાય બાય-ટુ-બાય રાઉન્ડ, ૨૫ કમાન્ડ લોન્ચ યુનિટ, ટ્રેનિંગ એડ્સ, સ્પેરપાર્ટસ, સિમ્યુલેશન રાઉન્ડ તથા ફૂલ લાઈફ સાયકલ સપોર્ટ વગેરે યુદ્ધ સામગ્રીનો સમાવેશ થાય છે. આમ એક તરફ યુદ્ધ નહીં થવાની વાતો કરતું અમેરિકા શસ્ત્રોની ડીલ કરતી વખતે "અહિંસક" સિદ્ધાંતો કેમ વિચારતું નહીં હોય ? જો કે, શસ્ત્રો લડાઈ માટે નહીં, પણ રક્ષણ માટે વસાવાતા હોય છે, તે હકીકત છે, પરંતુ કોઈના દબાણમાં આવીને જે અંડરપ્રેશર શસ્ત્રોની ખરીદી કે વેચાણ થતું હોય તો વિશ્વના સૌથી વધુ લોકતાંત્રિક દેશો ગણાતા ભારત અને અમેરિકા માટે તો યોગ્ય નથી જ !

જો કે, ટ્રમ્પ હવે ઘર આંગણે વધુ ને વધુ ઘેરાઈ રહ્યા છે. તાજેતરના અમેરિકાના તંત્રના નિર્ણયો તથા રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ જોવા મળે છે, અને ઓપરેશન સિંદૂરના સંઘર્ષમાં પાકિસ્તાનનો વિજય થયો હતો અથવા પાકિસ્તાનનો હાથ ઊંચો રહ્યો હતો, તેવા અમેરિકન રિપોર્ટો તથા તેની વ્યાપક પ્રસિદ્ધિ પછી આપણાં દેશમાં પણ "કૌન સચ્ચા, કૌન જુઠા !" જેવા સવાલો ઉઠવા લાગ્યા છે, ત્યારે ભારતની છબિ ઝાંખી પડતી અટકાવવાના હેતુથી પણ હવે ચુપકીદી તૂટવી જ જોઈએ, તેવા અભિપ્રાયો ખોટા નથી જણાતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બિહારમાં શપથવિધિના જામનગરમાં પડઘા ? પાડાના વાંકે પખાલીને ડામ ? પબ્લિક મની ખર્ચીને શક્તિ પ્રદર્શન ?

                                                                                                                                                                                                      

આજે બિહારમાં નીતિશકુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકારે ફરીથી સત્તા સંભાળી. બિહારની આ શપથવિધિની સીધી અસર જામનગરમાં થઈ અને હાલારનું રાજકારણ ગરમાયું, તે મુદ્દો હાલારમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે બિહારમાં એનડીએમાં સત્તાની ખેંચતાણ તથા મહાગઠબંધનમાં તિરાડની અસર મહારાષ્ટ્રની રાજનીતિ પર થઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તો બીજી તરફ લાલુપ્રસાદ યાદવના પરિવારમાં ચાલી રહેલ તકરાર પછી તેજસ્વી યાદવના મિત્ર સંજય યાદવ સામે આરજેડીમાં જ વધી રહેલા વિરોધની અસર હરિયાણા સુધી થઈ, અને આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાની દિલ્હીમાં પડ્યા, તે જોતાં એવું કહી શકાય કે પાડાના વાંકે પખાલીને ડામ, કહીંપે નિગાહે, કહીંપે નિશાના તથા ખાય ભીમ અને ભોગવે મામા શકૂનિ જેવી તળપદી કહેવતો આ જુદા જુદા પરંતુ પરસ્પર સંકળાયેલા રાજનૈતિક ઘટનાક્રમોને આબેહૂબ લાગુ પડે છે !

છેલ્લા એક અઠવાડિયાથી જામનગરમાં નિર્માણ થયેલા ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે તા. ૨૦મી નવેમ્બરે થવાનું હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને સરકારી વાજિંત્રો ઉપરાંત કેટલાક લાડકવાયા સાજીંદાઓ પણ આ લોકાર્પણને સાંકડીને વખાણવાણી વહાવી રહ્યા હતા. તેવામાં જાહેર થયું કે આજે જ બિહારમાં નીતિશકુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રીની શપથ લેનાર હોવાથી તેમાં હાજરી આપવા આપણાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટણા ગયા હોવાથી આજે જામનગરમાં ફલાઈ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે અને હવે નવી તારીખ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે. આ કારણે નગરજનો નિરાશ થયા, અને વિપક્ષી નેતાઓ વિહ્વળ થયા, તેથી બિહારની શપથવિધિના નેગેટિવ પડઘા જામનગરમાં પડયા છે અને આ મુદ્દે હાલારની રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે.

આ ફલાય ઓવર બ્રિજ બની રહ્યો હતો, ત્યારે ઘણાં લાંબા સમય સુધી જામનગરની જનતાએ જુદા જુદા માર્ગો વારંવાર બંધ રહેતા હોવાથી ઘણી તકલીફો વેઠી હતી, અને હવે જ્યારે આ બ્રિજના લોકાર્પણનો સમય આવ્યો, ત્યારે મુખ્યમંત્રી રાજ્યની બહારના પ્રવાસે ચાલ્યા ગયા, તેથી નગરજનોમાં નિરાશા વ્યાપે, તે સ્વાભાવિક છે. બીજી તરફ એક લોકતાંત્રિક સરકારની શપથવિધિમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરવા જ મુખ્યમંત્રી ગયા છે, તેવા તર્ક સાથે મન મનાવવામાં આવી રહ્યું છે, અને માર્મિક એવી ટકોર પણ થઈ રહી છે, કે આ વિલંબના કારણે આ ફલાય ઓવર બ્રિજના નાના-મોટા કામો તથા નીચેના સર્વિસ રોડ તથા સૂચિત પાર્કિંગ સ્થળો, ફૂડઝોન, પબ્લિક સર્વિસ સેન્ટર્સ વગેરેના કામો કરવાનો ટાઈમ મળી ગયો છે, જેથી જે થયું તે ઠીક જ થયું છે !

બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દાને હાથોહાથ લીધો છે અને જાહેર કર્યું છે કે વર્ષ-૨૦૨૧થી હાલારની જનતા હાલાકી ભોગવી રહી છે અને જામનગરના નગરજનો તકલીફો વેઠી રહ્યા છે, છતાં કેટલાક નિર્માણ થઈ ગયેલા વિકાસના કામો માત્ર લોકાર્પણના વાંકે લટકતા રહે, તેની સામે આક્રોશ ઠાલવ્યો છે. કોગ્રેસે જામનગરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ તાત્કાલિક કરવાની માંગણી ઉઠાવીને જાહેર કર્યું છે કે જો હવે વધુ વિલંબ થશે તો તા. ૩૦મી નવેમ્બરે જામનગરની જનતા સ્વયં કોંગ્રેસના નેતૃત્વમાં આ બ્રિજને ખૂલ્લો મુકી દેશે !

શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવીને જનતાની વેદના વ્યક્ત કરી છે, ત્યારે હવે જોઈએ, મુખ્યમંત્રીને ટાઈમ મળે છે કે પછી તેઓ વર્ચ્યુલી ઈ-લોકાર્પણ કરવાનો વિકલ્પ અપનાવે છે !

બીજી તરફ એવી ટકોર પણ થઈ રહી છે કે જનતાના હાથે લોકાર્પણ જ કરાવવું હોય તો વિપક્ષે સરકારને ૧૦ દિવસનો સમય શા માટે આપ્યો ? એટલા સમયમાં તો રાજ્ય સરકાર અને મનપાના શાસકો લોકાર્પણની આમ પણ ગોઠવણ કરી જ લેવાના હોય ને ? જો આ રીતે લોકાર્પણ કરવું જ હોય તો રાહ થોડી જોવાની હોય ? બે દિવસની નોટીસમાં પણ આવું થઈ જ શકે ને ?

ટૂંકમાં ઘણી વખત ઘણું બધું એવું હોય છે, જે સામે દેખાય તેવું હોતું નથી. જો મુખ્યમંત્રી આવી શકે તેમ ન હોય, તો પ્રભારી મંત્રી તથા સ્થાનિક રાજ્યમંત્રીના હસ્તે પણ લોકાર્પણ થઈ જ શકતું હોત ?

જો કે, લોકલ કે પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ કરવાનો વિકલ્પ વિચારાયો હોત તો નગરમાં જે રીતે ઠેર-ઠેર સાફ-સફાઈ થઈ, કેટલાક માર્ગો રાતોરાત અદ્યતન બની ગયા, ખાડા-ચીરોડા બુરાઈ ગયા અને છેલ્લા અઠવાડિયાથી જાહેર માર્ગો પર દવા છંટકાવ થઈ રહ્યો છે, તે થઈ રહ્યો ન હોત, તેથી આ વિલંબની સાઈડ ઈફેક્ટના ફાયદા પણ હોવાનો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

બિહારની નવી સરકારની શપથવિધિથી વડાપ્રધાન અને એનડીએના સાથીદાર પક્ષોના નેતાઓ હાજરી આપે, તે સ્વાભાવિક છે, પરંતુ પબ્લિકમની ખર્ચીને સરકારી વિમાનો-હેલિકોપ્ટરોમાં ડઝનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તેના કાફલા સાથે હાજરી આપવા જાય, તેમાં કરોડો રૂપિયા ખર્ચાય અને જામનગરની જેમ સંબંધિત તમામ રાજ્યોમાં પ્રજાલક્ષી કાર્યો તથા વિકાસકામોને પણ માઠી અસર પહોંચતી હોય છે, તેથી આ અંગે કોઈ આચારસંહિતા ઘડવી જોઈએ, કારણ કે વિપક્ષની સરકારો છે, ત્યાં પણ ઘણી વખત શપથવિધિમાં બીજા રાજ્યોના નેતાઓ કે મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાના દાખલા છે. શું આ પ્રજાના પૈસે શક્તિ પ્રદર્શન નથી ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેશની મહત્તમ વસતિને લાલબત્તી ધરતો એક ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ...

                                                                                                                                                                                                      

આપણે સામાન્ય તાવ, શરદી, દુઃખાવો કે નાની-મોટી તકલીફ હોય તો પહેલા દેશી ઓસડિયા કરતા હતા અને કેટલીક રસોડામાં ઉપલબ્ધ ચીજ-વસ્તુઓનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા તો ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ વનસ્પતિ કે બાહ્ય ઉપચારો કરી લેતા હતા. હવે આરોગ્ય અને તબીબી સેવાઓનો સરકારી અને ખાનગીક્ષેત્રે વ્યાપ વધી રહ્યે છે ત્યારે આપણે હવે વિવિધ પ્રકારની તબીબી વ્યવસ્થાઓનો લાભ લેતા થયા છીએ અને એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ પણ કરતા થયા છીએ, અને એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, એક્યુપ્રેશર, એક્યુપંકચર, સુજોક થેેરાપી, ફિઝીયોથેરાપી વગેરે વિવિધ પ્રકારની સારવાર પદ્ધતિઓ અપનાવતા હોઈએ છીએ, અને કોઈપણ પ્રકારની સારવાર તબીબ, વૈદ્ય કે આર.એમ.પી. જેવા માન્ય તથા વિશ્વસનિય નિષ્ણાતોના નિદાન-સારવાર પછી જ થાય, તે ઈચ્છનિય પણ હોય છે.

જો કે, હવે ગ્રામ્ય વિસ્તારો સુધી મેડિકલ સ્ટોર્સ ઉપલબ્ધ બન્યા છે, તથા આપણે આપણાં ઘરોમાં પણ ફર્સ્ટ-એઈડ બોક્સ વસાવીને જુદી-જુદી પ્રકારની પ્રાથમિક સારવારની ચીજવસ્તુઓ રાખતા થયા છીએ, તે સારી વાત છે અને ઈમરજન્સી કે દૂર્ગમ વિસ્તારોમાં મોડી રાત્રે કે વિપરીત અનિવાર્ય સંજોગોમાં તાકીદે વચગાળાની સારવાર તરીકે કેટલીક દવાઓ, ટેબ્લેટ્સ, કફસિરપ વગેરેનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.

જો કે, ધીમે ધીમે આપણે નાની મોટી તકલીફો માટે ડાયરેકટ આડેધડ એન્ટિબાયોટિક દવાઓ લેવા લાગ્યા અને તેના કારણે આ પ્રકારની દવાઓથી આપણું શરીર ટેવાઈ જવા લાગ્યું હોવાથી હવે આપણા દેશના મહત્તમ લોકોને એન્ટિબાયોટિક દવાઓ અસર કરતી નહીં હોવાનો એક ચોંકાવનારો સર્વે રિપોર્ટ સામે આવ્યો છે, અને આ રિપોર્ટ નેશનલ અને ગ્લોબલ મીડિયામાં ચર્ચા તથા ચિંતાનો વિષય પણ બન્યો છે.

તબીબી ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય ગણાતા જર્નલ "ધ લેન્સેટ"માં ઈક્લિનિકલ મેડિસિનના તાજેતરના એક સર્વે રિપોર્ટે આપણા દેશમાં ખળભળાટ મચાવ્યો છે. અને હિન્દી-અંગ્રેજી ન્યુઝ ચેનલો પછી હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ આ અંગેની ચર્ચા અખબારી તથા મીડિયાના માધ્યમથી થવા લાગી છે, તથા સોશ્યલ મીડિયામાં પણ કોમેન્ટો પોસ્ટ થવા લાગી છે.

આ રિપોર્ટ મુજબ ભારતના ૮૩ ટકા દર્દીઓ "મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સ" નો શિકાર બન્યા છે, જેને તબીબી ભાષામાં ટૂંકમાં એમ.ડી.આર.ઓ. કહેવામાં આવે છે.

આ તબીબી ભાષાને સરળ ભાષામાં કન્વર્ટ કરીએ તો તેવું કહી શકાય કે દેશના ૮૦ ટકાથી વધુ લોકો પર હવે એન્ટિબાયોટિક દવાઓની અસર થવાનું સદંતર બંધ થઈ ગયું છે અને ૩ થી ૫ ટકા દર્દીઓ આ સ્થિતિની બોર્ડર પર છે. એલ.આઈ.જી. હોસ્પિટલના સ્ટડીના આધારે આ ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે, અને સેંકડો દર્દીઓના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો પણ કરાયો છે.

તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ સ્ટેવર્ડશીપ વિક ઉજવાયું, અને તેમાં ચાર દેશોના ડેટા આધારિત તારણો રજૂ થયા હતા, અને એવું તારણ નીકળ્યું હતું કે નિયમિત રીતે એન્ટિબાયોટિક દવાઓ લેતા દર્દીઓમાં દવાઓ પ્રત્યેની પ્રતિકારક શક્તિ વધી ગઈ છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, અથવા ખતમ થઈ રહી છે. આ પ્રકારના સૌથી વધુ દર્દીઓ ભારતમાં જણાયા છે. ટકાવારીની દૃષ્ટિએ ભારતમાં એમ.ડી.આર.ઓ.થી પીડિત દર્દીઓની ટકાવારી ૮૩ ટકા, ઈટાલીમાં ૩૧.૫ ટકા, અમેરિકામાં ૨૦.૧ ટકા અને નેધરલેન્ડમાં ૧૦.૮ ટકા છે. આથી એવું કહી શકાય કે ભારતમાં ૮૦ ટકાથી વધુ લોકો મેડિસનપ્રૂફ બની ગયા છેે, અથવા દવા-પ્રતિરોધક બેકટેરિયાનો શિકાર બની ગયા છે, અને આ સ્થિતિ હવે હોસ્પિટલોમાંથી ઘેર-ઘેર પહોંચવા લાગી છે.

નિષ્ણાતોના અભિપ્રાયોનું તારણ કાઢીએ તો આ એક ગંભીર સ્થિતિ છે, જેની પાછળ દવાઓનો આડેધડ ઉપયોગ, દરેક વખતે મેડિકલ સ્ટોર્સમાથી ડાયરેક્ટ એન્ટિબાયોટિકલ દવાઓ ખરીદીને તબીબી સલાહ લીધા વગર બારોબાર ઉપયોગ કરવાની વધી રહેલી માનસિકતા, તબીબોએ સૂચવેલો એન્ટિબાયોટિક દવાઓનો કોર્ષ અધુરો જ છોડી દેવાની વધી રહેલી માનસિકતા, સેલ્ફ-મેડિક્શન અથવા ગુગલગુરૂ કે એ.આઈ.ના માધ્યમથી વિવિધ દવાઓની માહિતી મેળવીને  તબીબી સલાહ લીધા વિના સ્વયંને ડોક્ટર માનીને પોતે હાઈ-ડોઝની દવાઓ લેવી કે પરિવારજન કે અન્યોને લેવડાવવી, વગેરે અયોગ્ય આદતો અથવા "ટાઈમ" ના અભાવે આડેધડ એન્ટિબાયોટિક દવાઓના સેવનના કારણે  શરીરની અંદરના બેકટેરિયાઝ એટલા મજબૂત બની ગયા છે કે તે હવે એન્ટિબાયોટિક દવાઓ સામે લડતા શીખી ગયા છે અને આ કારણે આપણાં દેશની ૮૦ ટકાથી વધુ વસતિ એમ.ડી.આર.ઓ.માંથી પીડિત ગણાવાઈ રહી છે.

જેમ જેમ આપણું શરીર સામાન્ય એન્ટિબાયોટિક દવાઓથી ટેવાઈ જાય, તેમ તેમ તે દવાઓ બિનઅસરકારક બનતી જાય એને ડોક્ટરોએ ગંભીર તો ઠીક, સામાન્ય બીમારીઓ માટે પણ નાછૂટકે હાઈ-પાવર દવાઓ આપવી પડે, જેથી તેની આડઅસરોમાંથી નવી બીમારીઓ ઊભી થાય અને સારવારનો ખર્ચ પણ વધતો જાય.

જો કે, આ રિપોર્ટની સેમ્પલસાઈઝ અને પ્રસ્તૂતિકરણ અંગે એક અલગ જ પ્રકારની ચર્ચા થઈ રહી છે, અને બાહ્ય ઉપચારો તથા એન્ટિબાયોટિક એલોપેથિક દવાઓના વિકલ્પો પર ધ્યાન વધારવાની જરૂર જણાવાઈ રહી છે, તો ડિસ્કલેયર સાથે ઉક્ત રિપોર્ટને રજૂ કરીને કેટલાક નિષ્ણાતો વિવિધ તર્કો આપી રહ્યા છે, પરંતુ એકંદરે સમગ્ર વિશ્વમાં અત્યારે એમ.ડી.આર.ઓ.નો વ્યાપ વધી રહ્યો છે, તે નક્કર હકીકત પણ સ્વીકારાઈ રહી છે, અને તેના સંદર્ભે ભારતીઓએ ચેતવા જેવું પણ છે.

મેડિકલ તબીબીક્ષેત્રની જેમ જ અત્યારે ઈન્ટરનેટ યુગમાં અપરાધો પણ હાઈ-ટેક થવા લાગ્યા છે. રીઢા અને ખંધા ગૂન્હેગારોને હવે આપણી વર્તમાન કાયદો-વ્યવસ્થા જાળવવાની સિસ્ટમ પચવા લાગી છે, અને કાયદાનો ડર રહ્યો જ ન હોય, તેમ ગૂન્હાખોરી વધવા લાગી છે. મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સની જેમ જ હવે ગૂન્હાખોરીના ક્ષેત્રે પણ કાયદાનો ડર ઘટી રહ્યો છે. જેવી રીતે દવાઓના આડેધડ ઉપયોગ તથા યોગ્ય રીતે સારવારના અભાવે આ પ્રકારની સ્થિતિ વધી જાય, અને શરીર દવાઓ માંથી ટેવાઈ જાય, તેવી જ રીતે ગૂન્હાખોરી વિરોધી વર્તમાન સિસ્ટમથી ગૂનાખોરો ટેવાઈ રહ્યા છે, અને તેની સામે પહેલા હાઈ-ટેક ઉપચારો કરીને યુગને અનુરૂપ નવા અને નક્કર વિકલ્પો શોધવા જ પડે તેમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરમાં એસ.આઈ.આર. પ્રક્રિયા... કોંગ્રેસે વ્યક્ત કરી હજારો નામો નીકળી જવાની દહેશત... તંત્રે આપી બાહેંધરી... પ્રો-પબ્લિક, વોટર ફ્રેન્ડલી, વ્યવહારૂ અભિગમ જરૂરી...

                                                                                                                                                                                                      

જામનગર સહિત રાજ્યમાં અત્યારે ચૂંટણીપંચ દ્વારા એસ.આઈ.આર. એટલે કે સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન-વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેને મતદારયાદી સઘન સુધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે બૂથ લેવલ ઓફિસર એટલે કે બી.એલ.ઓ. ઘેર-ઘેર ફરીને નિયત કરેલા ફોર્મ્સ ભરાવી રહ્યા છે. આ પ્રક્રિયામાં કેટલાક વિસ્તારોમાં ઢીલી કામગીરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં બી.એલ.ઓ. ડોર-ટુ-ડોર ફોર્મ્સ પહોંચાડયા પછી તેને એકત્રિત કરવા પહોંચ્યા નથી, અથવા તો ફોર્મ્સ ભરવાનું માર્ગદર્શન આપી રહ્યા નથી, તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. આ પ્રક્રિયા માત્ર યોગ્ય મતદારોની ઓળખ કરવા અને મૃત્યુ પામેલા અથવા ખોટા મતદારોના નામો વર્તમાન મતદારયાદીમાંથી હટાવવા માટે થઈ રહી હોવાથી ફોર્મ્સ ભરવામાં થતી નાની-મોટી ક્ષતિઓ કે ખાલી જગ્યા મતદારોએ રાખી હોય, ત્યાં જરૂરી સુધારા-વધારા કરાવી લેવાની બી.એલ.ઓ.ની મૂળભૂત ફરજ છે, અને મોટાભાગના બી.એલ.ઓ. પ્રેકટીકલ અને વોટર ફ્રેન્ડલી અભિગમ અપનાવીને આ પ્રક્રિયા સંપન્ન કરી પણ રહ્યા છે, પરંતુ જેમ જેમ અનુભવ થતો જાય, તેમ તેમ નવી નવી સમસ્યાઓ ઊભી થતી જાય છે, જેનો નિવેડો લાવવા તથા આ પ્રક્રિયા દરમ્યાન વર્ષ-૨૦૦૨ની યાદીમાંથી તે સમયે નોંધાયેલા નામોની ચકાસણી પ્રેકટીકલ બનીને બી.એલ.ઓ. દ્વારા થવી જોઈએ અને ગુજરાતીમાં કાના-માત્રા કે નામોની પાછળ લાગતા દાસ, લાલ, ભાઈ, બહેન, બેન, કુમાર વગેરે શબ્દોને લઈને કે કકા બારખડી કે વ્યાકરણની ક્ષતિઓ બતાવીેને ગૂંચવણ ઊભી કરવાના બદલે વોટર આઈડી કાર્ડમાં દેખાતી વ્યક્તિનું જ નામ વર્ષ-૨૦૦૨ની યાદીમાં છે કે નહીં, તેની ચકાસણી વ્યવહારૂ ઢબે કરીને તથા આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્ેશ્ય ધ્યાને રાખીને જ તમામ પ્રક્રિયા થાય, તો જ આ પ્રક્રિયા વધુ સરળ અને યોગ્ય બનશે તેમ જણાય છે. આ અંગે ચૂંટણીતંત્રે પણ બી.એલ.ઓ. ને સ્પષ્ટ સૂચનાઓ આપવી જ પડે તેમ છે. કારણ કે તે પ્રકારની ઉલઝનમાં પડવાથી આપણા શહેર-જિલ્લા કે રાજ્યમાં આ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂરી જ નહીં થાય. આ પ્રક્રિયાનો મૂળ ઉદ્ેશ્ય જાળવી રાખીને તથા બિનજરૂરી ક્રોસ ચેકીંગ ટાળીને (નિવારીને) વ્યવહારૂ અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિગમ અપનાવવાની જરૂર હોવાના અભિપ્રાયો તથા સૂચનો આ પ્રક્રિયાના જાણકાર વર્તુળો તથા આ પ્રકારની કામગીરી ભૂતકાળમાં કરી ચૂકેલા વરિષ્ઠ અનુભવીઓ દ્વારા વ્યક્ત થઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં જેટલી ગૂંચવણો ઊભી થશે, તેટલો વિલંબ થશે અને આશંકાઓ વધશે, તે હકીકત છે.

જામનગરમાં આ પ્રક્રિયામાં મદદરૂપ થવા તથા કામગીરી બરાબર ચાલે છે કે નહીં, તેની ચકાસણી કરવામાં રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે, તે સારી વાત છે, અને મુખ્ય રાજકીય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો આ પ્રક્રિયામાં રસ લઈ રહ્યા છે, તેથી ઘણાં સ્થળે બી.એલ.ઓ.ની કામગીરી સરળ પણ બની રહી છે, અને આ જટિલ વિકટ અને લાંબી પ્રક્રિયામાં તેઓને પડતી મુશ્કેલીઓ પણ તંત્રો સુધી પહોંચી રહી છે. આ રાષ્ટ્રીય લોકતાંત્રિક કામગીરીમાં વ્યાપક જનસહયોગ પણ જરૂરી છે એન તંત્રો વ્યવહારૂ અભિગમ તથા પ્રો-પબ્લિક વલણ દાખવતું રહે, તે પણ એટલું જ જરૂરી છે.

કોંગ્રેસે તો આ અંગે કલેકટરને તથા જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું હોવાના પણ અહેવાલો છે. કેટલાક મતદારો સુધી હજુ ફોર્મ પહોંચ્યા નથી, અને પહોંચ્યા છે તો કલેકટ કરવાનું શરૂ થયું નથી, અને ફોર્મ ભરાયા પછી કેટલાક સ્થળે વ્યવહાર અભિગમ દાખવવાના બદલે બેન્કિંગ સિસ્ટમમાં ચેક ક્લિયરન્સની પ્રક્રિયાની જેમ ચિકાસ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ ઉઠી છે, તો શનિ-રવિમાં બૂથમાં કેટલાક સ્થળે અનિવાર્ય કારણોસર બી.એલ.ઓ. રજા પર હોય, તો તેના વિકલ્પે કોઈ વ્યવસ્થા થઈ નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક લોકલ સ્થળાંતરિત થયેલા લોકોના જૂના સરનામેથી કે ફોન નંબર પર સંપર્ક કરીને હાલ નગરમાં જ અન્ય સ્થળે રહેતા હોય, તો તેને પહોંચાડવાની તકેદારી  રખાતી નહીં હોવાની પણ રાવ ઉઠી રહી છે. કોંગ્રેસે તો આ પ્રક્રિયામાં ગરબડ થતી હોવાનું જણાવી હજારો મતદારોના નામો મતદારયાદીમાંથી જ નીકળી જશે, તેવી દશેહત વ્યક્ત કરી હોવાથી ચૂંટણીતંત્રે "સબ સલામત"ની રેકર્ડ વગાડવાના બદલે જરૂરી કદમ ઉઠાવવા જોઈએ, અને વોર્ડ, ઓફિસો, સોસાયટીઓ, તથા કલેકટર, પ્રાંત, મામલતદાર કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી જોઈએ.

બીજી તરફ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એવો દાવો કરી રહ્યા છે કે યોગ્ય મતદારોના નામ તો મતદારયાદીમાંથી નહીં જ હટે. ફોર્મ્સ ભરાઈ ગયા પછી પણ મતદારોને તેનું નામ નીકળી ગયું હોય કે ભૂલ રહી ગઈ હોય, તો તે સુધારવાની તક મળવાની હોવાનો દાવો પણ તંત્ર કરી રહ્યું છે. કલેકટર કહે છે કે મુશ્કેલી હોય ત્યાં સંબંધિત તંત્રના જાહેર કરાયેલા ફોન નંબરો પર સંપર્ક કરો, પરંતુ જ્યાં ભણેલા-ગણેલાને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે, અને કેટલાક બી.એલ.ઓ. પણ આ પ્રક્રિયાને પૂરેપૂરી સમજ્યા હોય તેમ જણાતું નથી અને બિનજરૂરી ક્રોસચેકીંગ કે ચિકાસ કરી રહ્યા હોય તો તંત્રે વ્યવહારૂ બનવું પણ એટલું જ જરૂરી છે.

આ પ્રક્રિયામાં જિલ્લા અને પ્રાન્તકક્ષાનું ચૂટણીતંત્ર ખૂબ જ સક્રિય છે અને માત્ર એસ.એમ.એસ. થતા જ પ્રાંત ઓફિસરે બી.એલ.ઓ.ને સૂચનાઓ આપીને મતદારોને મદદરૂપ થવાના દૃષ્ટાંતો પણ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કેટલીક સમસ્યાઓ છે અને તેના નિવારણ માટે ચૂંટણીતંત્રે તમામ વિકલ્પો વિચારવા પડે તેમ છે. આ આખી પ્રક્રિયાનો મૂળ ઉદેશ્ય તો યોગ્ય મતદારોના નામની ખરાઈ થઈ જાય, મતદારો વંચિત ન રહી જાય, અને મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતરિત થઈને અન્યત્ર ગયેલા અને ખોટી રીતે નોંધાયેલા અયોગ્ય મતદારોના નામો હટી જાય તેવો હોય, વ્યવહારૂ અને વોટર ફ્રેન્ડલી અભિગમ ગ્રાઉન્ડ લેવલ સુધી અત્યંત જરૂરી છે, આ સૂચનો માત્ર જામનગર જ નહીં, સમગ્ર રાજ્ય માટે પણ ઉપયોગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટેકનોલોજીનું લોકતાંત્રિકરણ... ભારતની વર્કફોર્સ ગિગ ઈકોનોમીમાં પરિવર્તન થશે કે થર્ડ ઈકોનોમી બનશે ?

                                                                                                                                                                                                      

એક તરફ ભારતમાં બેરોજગારીનો દર ઘટીને ૫.૨ ટકા થઈ જતા ભારતની ઈકોનોમી વિશ્વમાં ત્રીજું સ્થાન લેવાની તૈયારીમાં હોવાનો જોરશોરથી પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, તો બીજી તરફ ભારતમાં સ્થાનિક અને વૈશ્વિક પ્રવાહોની બેવડી અસરોના કારણે અનિશ્ચિતતાઓનો માહોલ ઊભો થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. લગભગ બે કરોડ ભારતીય નોકરીઓ જોખમમાં હોવાનો અભિપ્રાય આજે ટોક ઓફ ધ નેશન અને ગ્લોબલ ટેન્શનનું માધ્યમ બન્યો છે. વિશ્વ ક્ષેત્રોના તજજ્ઞો તથા ખાસ કરીને અર્થતંત્રના નિષ્ણાતોના તારણો જોતાં વિરોધાભાસી દાવાઓના કારણે એક એવી ગૂંચ ઊભી થઈ રહી છે, તેના અર્થઘટનો ગંભીર છે અને અનુમાનો પણ અણધાર્યા પરિણામોની આશંકા ઊભી કરે છે.

મીડિયામાં થતી ડિબેટીંગ અને અખબારી આલમમાં થતી ચર્ચાઓ મુજબ આપણો દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી ઈકોનોમી બનવા જઈ રહી છે, કારણ કે અન્ય ટોપ ફાઈવ ઈકોનોમી દેશો પૈકીના ચાર દેશોમાં રોજગારી ઘટી રહી છે અને બેરોજગારી વધી રહી છે, જયારે તેનાથી વિપરીત ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે. ભારતની ગ્રામીણ રોજગારીમાં ક્રમશઃ વૃદ્ધિ થઈ રહી હોવાથી ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, અર્થશાસ્ત્રીઓ ભારતને ચેતવણી પણ આપી રહ્યા છે અને દેશની અર્થનીતિ ઘડનારાઓ નહીં ચેતે તો ભારતમાં આર્થિક સંકટોની આંધી ઉઠી શકે છે., એટલું જ નહીં, ગંભીર પરિણામો પણ આવી શકે છે. ભારતમાં નોકરીઓ પર ઝળુંબી રહેલું જોખમ માત્ર આર્થિક મંદીના કારણે નહીં આવે, પરંતુ તેની પાછળ યોગ્ય નીતિમાં તથા બદલી રહેલી ટેકનોલોજી પણ જવાબદાર હોઈ શકે છે, તે પ્રકારના અભિપ્રાયો આપીને લાલબત્તી દર્શાવી રહ્યા છે.

એમ.આઈ.એમ.ના સ્થાપક અને પ્રખર ઈકોનોમિસ્ટ સહિતના તજજ્ઞો એ.આઈ. તરફ તથ અંગૂલી નિર્દેશ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ ખર્ચ ઘટાડવા તો ઠીક, પરંતુ નવીનીકરણ અને આધુનિકરણ માટે પણ અસાધારણ કદમ ઉઠાવી રહી છે. અને યુગને અનુરૂપ તથા સ્પર્ધાના જમાનામાં કાર્યક્ષમતા અને ઝડપ વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય, તે સ્વાભાવિક પણ છે., પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તો આઈ.ટી. અને  કોમ્પ્યુટરાઈઝેશન તથા ઈન્ટરનેટ બેઈઝ સિસ્ટમના કારણે કેટલાક સેકટર્સમાં પરંપરાગત મધ્યમવર્ગોની નોકરીઓનું સ્થાન હવે ગિગ જોબ્સ લઈ રહી છે.

ઈકોનોમી અને વૈશ્વિક પ્રવાહોના જાણકારોના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છે કે આગામી બે-ચાર વર્ષમાં તો ભારતની વર્કફોર્સ ગિગ અર્થતંત્રમાં પરિવર્તીત થઈ જશે, અને અત્યારે જેવી રીતે ડિલિવર બોયઝ, ફૂડ અને કોમોડિટી ડિલિવરીની જેમ અન્ય ઘણાં ક્ષેત્રો ધીમે ધીમે કામચલાઉ અથવા અસુરક્ષિત કાર્યબળમાં બદલતા જશે, અને તેની વ્યાપક અસરો તમામ પ્રકારના વ્યવસાયો પર પણ થશે.

આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ફાયદાઓ પણ ઘણાં છે અને સિસ્ટોમેટિક, ટ્રાન્સપરન્ટ તથા એક્યુરેટ પરિણામો માટે એ.આઈ. ખૂબ જ ઉપયોગી પૂરવાર થઈ રહ્યું હોવાની જોરદાર દલીલો પણ થતી રહે છે, તો બીજી તરફ સંવેદના અને માનવીય લાગણીઓ વિહોણા મશીનીયા એડમિનિસ્ટ્રેશન કે પ્રોડક્શન સામે સવાલો પણ ઉઠી શકે છે.

ભારતનું અર્થતંત્ર ઘરઆંગણાના દેવાના બોજમાં દબાઈ રહ્યું હોવાનો અભિપ્રાય પણ અવગણવા જેવો નથી. જો હોમલોન સિવાયના દેવાની ગણતરી કરવામાં આવે, તો તે આવકના ૩૦થી ૩૫ ટકાની વચ્ચે અંદાજી શકાય, અને  આ દેવું વૈશ્વિક સરખામણીમાં સામાન્ય ગણી શકાય નહીં. આ સ્થિતિ માટે ટ્રમ્પ ટેરિફનું પ્રેશર પણ જવાબદાર ગણાય, અને જો ભારત પરથી ટ્રમ્પ ટેરિફ નહીં હટે અથવા નહીં ઘટે તો લગભગ બે કરોડ જેટલા ભારતીયો ગ્લોબલ કક્ષાએ બેરોજગાર થઈ જશે, એટલે કે તેઓ નોકરી ગુમાવશે, જેનો બોજ ભારતીય અર્થતંત્ર તથા રોજગારીક્ષેત્ર પર પડી શકે છે.

આ તમામા પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષણો વચ્ચે ગૂગલનો મેગા પ્રોજેક્ટ ભારતમાં આવી રહ્યો હોવાના તથા ગૂગલ આગામી પાંચ વર્ષમાં ૧૫ બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે, તેવું જાહેર થયું છે. વિશાખાપટ્ટનમમાં એક ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્પસના ડેવલપમેન્ટ થતા યુ.એસ.ની બહાર ગૂગલનું આ સૌથી મોટું એ.આઈ. હબ બનશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં એરટેલ અને અદાણી કોનેએકસની કથિત પાર્ટનરશીપની ફલશ્રુતિઓ અંગે પણ અલગથી અનુમાનો અને અંદાજો થઈ રહ્યા છે. ભારતી એરટેલના મેનેજીંગ ડિરેક્ટરે તો આ પાર્ટનરશીપને ભારતના ડિજિટલ ભવિષ્યની બુનિયાદ જેવું એક સમયોચિત નિર્ણાયક કદમ ગણાવ્યું, તો વડાપ્રધાને નવું એ.આઈ. હબ ટેકનોલોજીના લોકશાહીકરણમાં એક શક્તિશાળી બળ ગણાવીને શાસનવ્યવસ્થાને એ.આઈ. સાથે સાંકળીને ભારત ગ્લોબલ ટેકનોલોજીકલ લીડર બનવા જઈ રહ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

આમ, એક તરફ ઊંચા ઊંચા સપના દેખાડાઈ રહ્યા છે, અને બીજી તરફ એ.આઈ.ને લઈને વોર્નિંગ પણ અપાઈ રહી છે, ત્યારે ભારત ત્રીજી ઈકોનોમી બને ત્યારે ખરી, પરંતુ અત્યારે તો "વેઈટ અને વોચ"ની પોલિસી અપનાવીને તેલ અને તેલની ધાર જોઈ, ને જ નિર્ણયો લેવા પડે તેમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દુર્ભાગ્ય૫ૂર્ણ દૂર્ઘટના... નૌગામનો પ્રચંડ વિસ્ફોટ, ગુજરાતમાં આતંકવાદી દબોચાયો ? યે ક્યા હો રહા હૈ ?

                                                                                                                                                                                                      

આદિવાસી વર્ગો જેને ભગવાન માને છે, તે બિરસા મુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે આજે ગુજરાતના ડેડિયાપાડામાં વડાપ્રધાનના હસ્તે ૯૭૦૦ કરોડથી વધુ રૃપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે, અને જિલ્લે જિલ્લે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, અને ગઈકાલે બિહારની ચૂંટણીના પરિણામો પછી ત્યાં સરકાર રચવાની હલચલ તેજ બની રહી છે, તેવામાં જમ્મુ-કાશ્મીરના નૌગામમાં પ્રચંડ વિસ્ફોટમાં કેટલાક જવાનોના જીવ ગયા અને કેટલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલોએ સવારથી જ ચિંતા જગાવી હતી. જો કે, આ વિસ્ફોટ અકસ્માતે થયો કે કોઈ ષડ્યંત્ર હતું, તે અંગે સવારે કાંઈ સ્પષ્ટ થયું નહોતું. પોલીસ મથકમાં થયેલો ધમાકો અને સંલગ્ન તપાસના ધમધમાટ વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે અહીં જપ્ત કરાયેલા કેટલાક વિસ્ફોટકોની ચકાસણી થઈ રહી હતી. દિલ્હીના વિસ્ફોટની તપાસ કરતી એક ટીમ અહીં પહોંચી હોવાના અહેવાલો પણ આવ્યા હતા. જેથી કન્ફ્યુઝન પણ ઊભું થયું હતું.

તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે શ્રીનગરના નૌગામ પોલીસ મથકમાં એમોનિયમ નાઈટ્ર્ેટનું પરીક્ષણ થઈ રહ્યું હતું, ત્યારે આ ધમાકો થયો હતો. દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જમ્મુ-કાશ્મીરનું કનેક્શન બહાર આવ્યા પછી ધરપકડ કરાયેલા કેટલાક આતંકવાદીઓની આ પોલીસ મથકમાં પુછપરછ કરવામાં આવી રહી હતી. આ પોલીસ મથકમાં જ આતંકવાદી મોડયુલની તપાસ માટે જરૃરી પુછપરછ અને જપ્ત કરાયેલા હથિયારો, વિસ્ફોટકના પરીક્ષણ માટે થતો હોવાથી એવી શંકા સેવાઈ જ રહી હતી, કે આ વિસ્ફોટ વિસ્ફોટકોના પરીક્ષણ દરમ્યાન જ થયો હોવો જોઈએ, આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે આ ધમાકો પરીક્ષણ દરમ્યાન થયેલી એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના હોવાની પુષ્ટિ કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.

આ અંગે વિસ્તૃત જાણકારી મળ્યા પછી સ્થિતિ સ્પષ્ટ થઈ હતી અને નૌગામના ધમાકામાં શહીદ થયેલા જવાનોને સહાનુભૂતિપૂર્વક અંજલિ અર્પણ કરાઈ હતી. આ તમામ ઘટનાક્રમોના પડઘા દેશની રાજધાનીમાં પડયા છે. પરીક્ષણ દરમ્યાન પણ આ પ્રકારનો ધમાકો થાય, અને જવાનો શહીદ થઈ જાય, તેવી દુર્ધટનાને હળવાશથી લેવાશે નહીં, તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

આ અહેવાલો વચ્ચે ગુજરાત એ.ટી.એસ.દ્વારા પંજાબનો એક ફરાર આરોપી દબોચી લેવાયો હોવાના અહેવાલ પણ આવ્યા હતા અને આ ભાગેડુ આરોપી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા તાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત ત્રણ શખ્સોને ઝડપ્યા પછી તેઓ ખતરનાક ઝેર બનાવીને મંદિરોના પ્રસાદમાં ભેળવવાનું કાવતરૃં ઘડી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું, અને તેના થોડા દિવસોમાં દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, તે યોગાનુયોગ છે, કે આ ઘટનાક્રમો વચ્ચો કોઈ કનેક્શન છે, તે તપાસનો વિષય છે. તેવામાં આ ભાગેડુ આરોપી ઝડપાયા પછી તેના આતંકવાદી કનેક્શનની તપાસ ઉપરાંત આ આરોપીની પુછપરછના આધારે વધુ શખ્સો દબોચાશે અને આતંકવાદી ષડયંત્રોના સંદર્ભે વધુ એક ઘટસ્ફોટ થશે, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે.

બીજી તરફ અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૃર પણ જણાવાઈ રહી છે. ખાસ કરીને ઉપરાછાપરી મોટા મોટા ષડયંત્રો પકડાઈ રહ્યા હોવાથી હવે માત્ર બોમ્બ ધડાકા કે ફાયરીંગ જ નહીં, પરંતુ પ્રસાદ, ખોરાક કે પાણીમાં ઝેરી પદાર્થો ભેળવવા જેવા ખતરનાક અખતરાઓ પણ થવા લાગ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કારણે હવે મોટા ધર્મસ્થળો, મોટા ભોજન સમારંભો, સદાવ્રતો, અને પ્રસાદ વિતરણ કે અલ્પાહાર, ઠંડાપીણાના સામૂહિક વિતરણ સમયે પણ સંબંધિત લોકોએ સતર્ક રહેવું પડે તેમ છે.

ઘણાં લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આપણાં દેશમાં આ શું થઈ રહ્યું છે ? શું ચિદમ્બરમ્ ફેઈમ બે પ્રકારના આતંકીઓ એકબીજા સાથે મળીને આપણાં દેશને બરબાદ કરવાના કાવતરા ઘડી રહ્યા છે ? શું આઈ.એસ.આઈ.એ હવે સરહદપારથી આતંકીઓ મોકલવા ઉપરાંત ભારતમાં જ ગદ્દારોની ફોજ ઊભી કરાવીને પરોક્ષ યુદ્ધની નવી મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકી છે ? જો એવું જ હોય તો આપણી કેન્દ્રીય એજન્સીઓ તેને અટકાવવામાં પૂરેપૂરી સક્ષમ નથી ? યે ક્યા હો રહા હૈ ?

કેટલાક લોકો પરોક્ષ રીતે એવી ટીકા કરી રહ્યા છે કે દેશમાં બોમ્બ ધડાકા થતા હોય ત્યારે વિદેશ પ્રવાસો કરવા યોગ્ય નથી અને ઉત્સવો ઉજવવા કે કોઈ ચૂંટણીના વિજયોત્સવોના આયોજનો પણ નિવારવા જોઈએ. બીજી તરફ આ પ્રકારની ટીકા સામે તાર્કિક જવાબો પણ અપાઈ રહ્યા છે, આ ટીકા-ટિપ્પણીઓ વચ્ચે જનતામાંથી અવાજ ઊઠી રહ્યો છે, કે "યે ક્યા હો રહા હૈ?"

જો કે, ગુજરાતના આજના દેવમોગરાના લોકસંસ્કૃતિના તહેવાર તથા જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરલા મુંડાની ૧૫૦મી જયંતીને આ વાદ-વિવાદ અને ટીકા-ટિપ્પણીઓ સાથે સાંકળવામાં આવી રહી નથી અને અંગ્રેજો સામે ઝઝુમનાર આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓને આજે બિરદાવાઈ રહ્યા છે, તેને સાંકળીને આક્ષેપો-પ્રતિઆપેક્ષો થઈ રહ્યા નથી, તે સાચી વાત છે.

આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના દિને તમામ દેશવાસીઓને ઉદ્દેશીને જે સંદેશ અપાઈ રહ્યો છે અને બીજી તરફ દેશ પર આતંકવાદના મંડરાઈ રહેલા નવતર ખતરાઓને લઈને એલર્ટ અપાઈ રહ્યા છે, ત્યારે આતંક અને અન્યાય સામે એકજૂથ થઈને પહેલેથી ચાલતા રહેલા સંઘર્ષને આગળ વધારીએ અને તેનાથી રાજનીતિને દૂર રાખીએ, એ જ દેશહિતમાં ગણાશે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને સુચિતાર્થો... પૂનરાવર્તનનો જનાદેશ... જો જીતા વોહી સિકંદર...

                                                                                                                                                                                                      

આજે વહેલી સવારથી બિહારમાં તો રાજકીય ચહલપહલ તેજ થઈ જ ગઈ હતી, પરંતુ રાજધાની દિલ્હીમાં પણ રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય રાજકીય પક્ષોમાં પણ હલચલ વધી ગઈ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી જેમ જેમ આગળ વધી રહી હતી, તેમ તેમ લોકોની ઉત્કંઠા અને કુતૂહલ પણ વધી રહ્યા હતા. બે દાયકાથી મુખ્યમંત્રીપદ સંભાળી રહેલા નીતિશકુમાર માટે આ લિટમસ ટેસ્ટ હતો અને આરપારની લડાઈ હતી. તો તેજસ્વી યાદવ માટે તેની રાજકીય કારકીર્દિની અગ્નિપરીક્ષા હતી. બિહારની ચૂંટણીના બહુ કોણીય મુકાબલો હતો પરંતુ મુખ્ય ફાઈટ એનડીએઅ ને મહાગઠબંધન વચ્ચે હતી., અને ભારતીય જનતા પક્ષ, જે.ડી.યુ.ની સામે આર.જે.ડી. અને કોંગ્રેસની પ્રતિષ્ઠાનો સવાલ પણ હતો. બિહારની ૨૪૩ સભ્યોની વિધાનસભામાં સાદી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર હતી, પરંતુ મતદારોએ દોઢીથી વધુ બેઠકો આપી દીધી છે.

એકઝીટ પોલના તારણો એન.ડી.એ.ની તરફેણમાં આવ્યા હતા પરંતુ મહાગઠબંધન અને ખાસ કરીને તેજસ્વી યાદવે તે ફગાવી દીધા હતા તથા હરિયાણાની જેમ બિહારમાં પણ એકઝીટ પોલ્સ ઉલટા પૂરવાર થશે તથા તેજસ્વી યાદવના નેતૃત્વમાં જ સરકાર રચાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે સાંજે તેજસ્વી યાદવે તો મહાગઠબંધનની બેઠક પણ બોલાવી લીધી હતી, પરંતુ આજે પરિણામોમાં સુપડા સાફ થતાં જણાયા હતા.

બિહાર વિધાનસભાની ચૂંટણીની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વ્યાપક અસરો થવાની છે, અને આગામી બે-ત્રણ વર્ષમાં આવનારી અન્ય રાજ્યોની ચૂંટણીઓ પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો થવાની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જયાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા વર્ષે થનાર છે, ત્યાં પણ આ પરિણામોની અસરો થવાની સંભાવના હોવાથી પણ આજના પરિણામોની દૂરગામી અસરો થશે, તથા તેના સુચિતાર્થોનું વિશ્લેષણ પણ થશે, એટલું જ નહીં, ચૂંટણી પ્રક્રિયા તથા એસ.આઈ.આર.ના મુદ્દા પણ રાષ્ટ્રીયકક્ષાએ ગુંજતા રહેવાના છે.

આજે સવારે જ્યારે પહેલા પોષ્ટલ મતો ગણાતા હતા, ત્યારે પ્રારંભમાં મહાગઠબંધનની સરસાઈ હતી, પરંતુ પછી કાંટે કી ટક્કર હતી. તે પછી રાઉન્ડવાર મતગણતરી શરૂ થયા પછી ચિત્ર ધીમે ધીમે બદલવા લાગ્યું હતું, અને મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની આરજેડીની સર્વાધિક બેઠકો પર સરસાઈ હતી, જ્યાએ એનડીએ ગઠબંધનમાં ભાજપ અને જેડીયુ અગ્રેસર જણાતા હતા. બિહારમાં કોંગ્રેસનો પહેલેથી જ નબળો દેખાવ રહ્યો હતો, જ્યારે ગઠબંધનોના સાથીદાર અન્ય પક્ષોના પરિણામો પર પણ સૌ કોઈની નજર મંડાયેલી હતી. એનડીએને મળેલા પ્રચંડ જનાદેશના કારણો અને તારણોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પક્ષવાર જોઈએ તો શરૂઆતથી જ પ્રથમ ત્રણ (ટોપ થ્રી) માં ભાજપ, જેડીયુ અને આરજેડીનો સમાવેશ થતો જણાયો હતો. મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષોમાં તેજસ્વીના સમર્થક મતદારો અથવા આરજેડીના મતો ટ્રાન્સફર થયા નહીં હોવાનું તારણ પણ  નીકળી રહ્યું છે તો ઘણાં વિશ્લેષકો કોંગ્રેસે એકલા હાથે લડવાની જરૂર હતી તેવું માને છે, જ્યારે કેટલાક વિશ્લેષકોના અભિપ્રાય મુજબ આરજેડીએ એકલા હાથે ચૂંટણી લડી હોત તો પણ કાંઈક સારૃં પરિણામ આરજેડીને મળ્યું હોત.

આ ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યો, પરંતુ જેડીયુને પાછળ રાખીને ભાજપની તોતીંગ બહુમતી થાય, તેવા ગૂપ્ત કથિત મનસુબા ઘણાં નેતાઓના હતા, તે સાકાર થયા નથી. અને જેડીયુનો હાથ ઊંચો રહ્યો છે. બીજી તરફ એનડીએમાં તમામ પક્ષોના સમર્થકોના મતો એકબીજાને ટ્રાન્સફર થયા, પરંતુ મહાગઠબંધનમાં તે પ્રકારે મતો ટ્રાન્સફર નહીં થવાના તારણો નીકળી રહ્યા છે. જે હોય તે ખરૃં, પરંતુ હવે તો જો જીતા વોહી સિકંદર...!!

મહાગઠબંધનના નેતાઓ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીતંત્રને લઈને પહેલેથી જ સવાલો ઉઠાવી રહ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો ઘણાં સમયથી "વોટચોરી" નો મુદ્દો ઉઠાવી રહ્યા હતા, ત્યારે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધનનું આવું જ મંતવ્ય રહેશે, તે સ્વાભાવિક હતું અને ચૂંટણીપંચ પર થતા આક્ષેપો તથા ચૂંટણીપંચ દ્વારા અપાતા જવાબોનું પિષ્ટપિંજણ પણ થતું રહેશે, જો કે, એકઝીટ પોલ્સમાં પણ એનડીએના આટલા પ્રચંડ બહુમતની સંભાવના દર્શાવાઈ નહોતી.

હવે આ પરિણામોની રાષ્ટ્રીય રાજનીતિ પર ઘેરી અસર થશે, અને ખાસ કરીને કોંગ્રેસે આત્મમંથન કરવું પડે તેમ છે. જો આ રીતે રકાસ જ થતો રહેશે તો કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓ માટે વધુ મોટા પડકાર ઊભા થશે. કોંગ્રેસે જો પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાના બદલે એકલા હાથે ચૂંટણી લડે, તો પણ આ વખતે આવી છે તેના કરતા ઘણી વધુ બેઠકો આવી શકે છે. બિહારની જનતાએ પૂનરાવર્તનનો આદેશ આપ્યો હોવાથી હવે આગામી પાંચ વર્ષ માટે નીતિશકુમાર જ બિહારના મુખ્યમંત્રી રહેશે કે પછી તેઓને રાષ્ટ્રીય રાજનીતિમાં ખસેડીને (અથવા હાંસીયામાં ધકેલીને) બિહારને કોઈ નવો ચહેરો મળે છે, તે જોવાનું રહેશે. મહાગઠબંધન જો ૨૪૩ માંથી ૫૦ મા જ સમેટાઈ ગયું હોય તો તેના સંદર્ભે ઊંડા વિશ્લેષણો તથા મંથનની જરૂર છે, બીજી તરફ વિપક્ષો દ્વારા સતત ઉઠાવાઈ રહેલા ચૂંટણી પ્રક્રિયા તથા વોટચોરીને સંબંધિત સવાલોનો ટ્રાન્સપરન્ટ સંતોષજનક જવાબ પણ આપવો જોઈએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હવે, પાક્કા કામ કરજો... લોકોને 'ટપ...ટપ' થી નહીં, રોટલાથી મતલબ છેે...

                                                                                                                                                                                                      

આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું અને તે પછી વારંવાર કમોસમી વરસાદ પડતો રહ્યો, જેના કારણે જામનગર અને હાલાર સહિત સમગ્ર રાજ્યોમાં નગરો-મહાનગરોના આંતરિક માર્ગો, જિલ્લા-રાજ્યના ધોરીમાર્ગો, ગ્રામ્ય માર્ગો અને નેશનલ હાઈ-વેમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા, તે અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં પોલાણવાળી જમીન પર બનેલી સડકોમાં ભૂવા (ઊંડા ખાડા) પડી ગયા. આ સ્થિતિમાં કેટલાક અન્ય વિકાસકામો તથા બાંધકામો અને મૂળભૂત જરૂરિયાતના ચાલી રહેલા કામો પણ અટવાઈ પડ્યા હતા. અવરિત વરસાદને કારણે જામનગર પણ ખાડાનગર બની ગયું અને ભૂગર્ભ ગટર તથા ફ્લાયઓવર બ્રિજના ચાલી રહેલા કામોના કારણે છેલ્લા પાંચ-છ મહિનાથી જુદા જુદા સ્થળે થતા ખોદકામોના કારણે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ ગઈ અને નગરજનો પરેશાન થતા રહ્યા હતા.

હાલારમાં યાત્રાધામ દ્વારકા અને સંલગ્ન યાત્રા-પ્રવાસધામોમાં પણ માર્ગોની દૂર્દશા થઈ અને નગરોના આંતરિક માર્ગો તૂટી-ફૂટી ગયા છે, ત્યારે હવે કમોસમી વરસાદ બંધ થયો છે અને શિયાળો શરૂ થયો છે, ત્યારે તમામ માર્ગોના નવીનીકરણની જરૂર છે. માત્ર થીંગડા મારીને નહીં ચાલે, પરંતુ પાક્કા માર્ગો બનાવવા પડે તેમ છે. આંકડાઓ જાહેર કરીને આયોજનોની પબ્લિસિટી કરીને જ નહીં ચાલે, પરંતુ જમીન પર વાસ્તવિક કામો પણ થવા અત્યંત જરૂરી છે.

શિયાળાની ઋતુમાં બાંધકામો માટે અનુકૂળ વાતાવરણ હોવાથી યાત્રાધામ દ્વારકા, હર્ષદ, બેટ દ્વારકા, વૈષ્ણવ સંપ્રદાયના બેઠકજીઓ, ગોપ, ભાણવડ, હાથલા, કાલાવડ, જામજોધપુર, સીદસર, કેશોદ, બેરાજા, આસોટા, રાણ, ગોરીંજા, જોડીયા, ખીજડીયા, ખીમરાણા, ફલ્લા, શીંગડા વગેરે આસ્થા અને પ્રવાસનને સંયુક્ત રીતે જોડતા અનેક માર્ગોની તત્કાળ મરામત કરવી જરૂરી છે, જ્યારે હાલારની તમામ નગરપાલિકાઓ તથા જામનગર મહાનગરપાલિકાના તમામ આંતરિક માર્ગો, શેરી-ગલીઓ અને સોસાયટી વિસ્તારોમાં માર્ગોને થયેલા નુકસાનનો ડીપ સર્વે કરીને તત્કાળ તેની પ્રાથમિક મરામત ઉપરાંત જરૂરી પ્રક્રિયા તત્કાળ સંપન્ન કરીને પાક્કા માર્ગો ફરીથી બની જાય, તેવું નવીનીકરણ તથા વિસ્તૃતિકરણ તત્કાળ કરવું જોઈએ.

દેવભૂમિ દ્વારકા જિલ્લો જાહેર થયો, અને ખંભાળીયા તેનું મુખ્યમથક બનાવાયું, પરંતુ ખંભાળીયાની ખાડાનગરી તરીકેની છાપ ભૂંસાઈ શકી નથી. એકાદ વર્ષથી મંજુર થયેલું ઓવરબ્રિજનું કામ અટવાઈ જવું, રિવરફ્રન્ટનું કામ ગાંધીનગરના સચિવાલયમાં ગોટે ચડી જવું, વર્ષો સુધી ભૂગર્ભ ગટરના કામો ટીંગાતા રહેવા અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પછી પણ નગરમાં ઠેર-ઠેર માર્ગો પર ગંદા પાણી વહેતા રહેવા જેવા પ્રશ્નો આજે પણ એવાને એવા જ છે. આ સ્થિતિમાં કમોસમી વરસાદે દુષ્કાળમાં અધિક માસની જેમ આ સમસ્યાઓને વધુ વકરાવી દીધી છે. આ કારણે ભૂતકાળમાં પ્રવર્તમાન શાસકોની વાહવાહી કરતા ઘણાં લોકો પણ હવે ટીકાકાર બની ગયા છે !

હાલારની અન્ય નગરપાલિકાઓમાંથી પણ આ જ પ્રકારની રાવ ઉઠી રહે છે. ઓખા નગરપાલિકામાં તો સુરજકરાડી, આરંભડા, બેટ દ્વારકા, ઓખા સહિતના વિસ્તારો સમાવિષ્ટ હોવાથી ત્યાંની સ્થિતિ "ઓખો જગથી નોખો" જેવી છે, જ્યારે યાત્રાધામ દ્વારકા અને નાગેશ્વરને સંલગ્ન માર્ગો-ધોરીમાર્ગોની સ્થિતિ પણ ચોમાસા પછી નવીનીકરણ માંગે છે. દ્વારકા નગરપાલિકાએ નગરના આંતરિક માર્ગો તથા નગરમાંથી પસાર થતા ધોરીમાર્ગ માટે પ્રશાસનિક અને રાજકીય સંકલન બેસાડીને તત્કાળ કેટલીક તૂટેલી-ફૂટેલી સડકોની તત્કાળ મરામત હાથ ધરવી જ પડે તેમ છે.

રાવલ નગરપાલિકામાં તો શાસકીય અને પ્રશાસનિક અસ્થિરતાની કાયમી સમસ્યા રહી છે અને તેના કારણે જ મૂળ નગરની બજારની એકમાત્ર જાહેર મૂતરડી પણ બંધ કરાયા પછી પુનઃ શરૂ થઈ શકી નથી. રાવલમાં કોઈપણ એક પેનલનું શાસન સતત રહેતું નથી એન ચીફ ઓફિસરો પણ સતત બદલતા રહે છે, તેથી લોકોને નાના નાના દાખલા કઢાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ જ પ્રકારે સલાયા, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ વગેરે નગરપાલિકાઓ તથા ભાટીયા, લાલપુર, ભાડથર, વાડીનાર જેવા મોટા ગ્રામ્ય મથકોમાં માર્ગોની હાલત પણ કાંઈક એવી જ છે.

ચોમાસા અને કમોસમી વરસાદ દરમ્યાન પણ રાજ્યમાં કેટલાક સ્થળે મરામતના અનિવાર્ય પ્રકારના કામો, ડાયવર્ઝન અને થીંગડા મારવાના કામો થયા, પરંતુ અવાર-નવાર કમોસમી વરસાદ થતો રહ્યો હોવાથી ફરી ધોવાતા રહ્યા. હવે જ્યારે વાતાવરણ ચોખ્ખું થયું છે, ત્યારે વાતોના વડા કરવાના બદલે જવાબદારીની ફેંકાફેંકી કરવાની મનોવૃત્તિ ત્યાગીને શાસકો, પ્રશાસકોએ ઝડપભેર માર્ગોનું પુનઃ ઉચ્ચ ગુણવત્તા સાથે નવીનીકરણ અને જરૂર હોય ત્યાં વિસ્તૃતિકરણ કરવું જ જોઈએ, ખરૃં ને ?

જામનગરમાં કમોસમી વરસાદથી ઠેર-ઠેર પડેલા ખાડા અને ચીરોડાઓમાં થીગડાં મારવાનું બંધ કરીને હવે પાક્કા અને પહોળા માર્ગો માટે નવેસરથી નિર્માણ થાય તથા વિસ્તૃતિકરણ થાય, તે જરૂરી છે. ફ્લાય ઓવર બ્રિજ અને તેના સર્વિસ રોડના કામોની સાથે સાથે લાંબા ચોમાસા અને કમોસમી વરસાદના કારણે બિસ્માર થયેલા શેરી-ગલીઓ-સોસાયટીઓ સહિતના માર્ગોનું તત્કાળ નવીનીકરણ અને આધુનિકરણ થવું જરૂરી છે. આ કાર્યવાહી દરમ્યાન સંબંધિત સડકો કેટલા વર્ષ પહેલા બની છે, તેની હિસ્ટ્રીને અનુરૂપ આયોજનો થવા જોઈએ.

જો કે, જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીએ કેટલાક આંતરિક માર્ગોની મરામતના કામોને મંજુરી આપી છે, અને કેટલાક સી.સી.રોડના કામો બહાલ કરાયા છે, જેમાં હાપા, ઢીંચડા સહિત મહાનગરની ચોતરફ વિસ્તરેલી કેટલીક સોસાયટીઓને પણ આવરી લેવામાં આવી છે. તે પૈકી રવિપાર્ક અને તિરૂપતિ સોસાયટીના મુખ્ય માર્ગોમાં સી.સી.રોડ બનાવવાનો સમાવેશ કરાયો છે, પરંતુ શેરીઓ તથા પેટા ભાગોનો ઉલ્લેખ નથી અને મંજુર કરાયેલી રકમ પણ પર્યાપ્ત જણાતી નથી. જો કે, પ્રશાસકિય મર્યાદાઓના કારણે કદાચ ટૂકડે-ટૂકડે મંજુરીઓ અપાતી હોઈ શકે છે, તેથી નગરજનો માત્ર ગુણવત્તાયુક્ત અને ઝડપી કામો સાકાર થાય, તેવું જ ઈચ્છે છે. લોકોને "ટપ ટપ" થી નહીં, રોટલાથી મતલબ છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણા સૌના લાડીલા સ્વ. રોનકને ભાવભરી શ્રદ્ધાંજલિ...

                                                                                                                                                                                                      

 

વર્ષ-૨૦૧૮નો એ ગોઝારો દિવસ અમને બધાને કારમો આઘાત આપી ગયો હતો. જ્યારે માધવાણી પરિવાર સહિત સૌનો લાડકવાયો રોનક યુવાનવયે વૈકુંઠયાત્રાએ નીકળી ગયો હતો.

રોનક સાંધ્ય દૈનિક "નોબત"ના કોમ્પ્યુટર વિભાગમાં અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ સાથે સંકળાયેલી બાબતોમાં પારંગત હતો અને 'નોબત' ને સોશ્યલ મીડિયા, ઈ-પેપર તથા વેબસાઈટના માધ્યમથી સાત સમંદર પાર પહોંચાડયું હતું. અખબારનું આકર્ષક પ્રિન્ટીંગ, લે-આઉટ અને યુગને અનુરૂપ અપડેટ કરતા રહીને રોનકે 'નોબત' ને વધુ આકર્ષક બનાવ્યું હતું.

રોનક સ્ટાફ તથા પરિવાર સાથે એટલો હળીમળી ગયો હતો કે આજે પણ તેની ખોટ સૌ કોઈને વર્તાય છે. હરહંમેશ હસતો ચહેરો, મળતાવડો સ્વભાવ, વિવેકપૂર્ણ વાણી અને વિનયી વ્યવહારના કારણે રોનકનું વ્યક્તિત્વ કાંઈક અલગ જ ભાત પાડતું હતું.

નોબત પરિવાર અને માધવાણી પરિવારનો આંખોનો તારો અને સૌ કોઈનો પ્યારો રોનક વર્ષ-૨૦૧૮ની ૧૨મી નવેમ્બરે જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયો, ત્યારે નગર નિમાણું થઈ ગયું, હાલાર હિબકે ચડ્યું હતું, મિત્રમંડળમાં માતમ છવાયો હતો, 'નોબત' ભવનમાંથી રોનક ઉડી ગઈ હતી અને સર્વત્ર શોક છવાઈ ગયો હતો. એ વસમી વિદાય અમારા માટે કઠુરાઘાત સમાન હતી. રોનક વૈકુંઠવાસી થયો, તે દિવસે લાભપાંચમનું પાવન પર્વ હતું.

રોનકે 'મેઘધનુ' જેવા વાર્ષિક ત્રિદિવસીય કાર્યક્રમો યોજીને લોક-સાહિત્ય, ગીત-સંગીત અને પત્રકારિત્વનો અનોખો ત્રિવેણી સંગમ સર્જ્યો હતો, જેથી પ્રતિવર્ષ નોબતની વર્ષગાંઠની ઉજવણી વધુ શાનદાર બની હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી નગરના નવોદિતોને પણ પરફોર્મન્સનું પ્લેટફોર્મ મળ્યું હતું. રોનક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સદૈવ અગ્રેસર રહેતો હતો અને યુવાવર્ગમાં ખૂબજ લોકપ્રિય બન્યો હતો.

રોનકની "આઉટ ઓફ ધ બોક્સ" એક્ટિવિટીઝમાં સમગ્ર માધવાણી પરિવાર અને નોબત પરિવારનો સક્રિય સહયોગ મળ્યો હતો. અને ગત વર્ષે જ પહેલી નવેમ્બરે વૈકુંઠવાસી થયેલા પિતા કિરણભાઈ માધવાણીનું પ્રોત્સાહન અને પથદર્શન મળતું રહ્યું હતું. રોનક તેમના માતા જ્યોતિબેન માધવાણીની સામાજિક અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થતો હતો અને સંતાનોના ઉછેર-પરિવારની જવાબદારીઓ તથા નોબતની રોજીંદી કામગીરી ઉપરાંત સેવાપ્રવૃત્તિઓ તથા બિઝનેસ એક્ટિવિટીઝ પણ સફળતાપૂર્વક કરતો હોવાથી હંમેશાં પ્રવૃત્તિમય રહેતો હતો. આ કારણે આજે પણ નોબત ભવનના ખૂણે ખૂણે રોનકની અનુભૂતિ થઈ રહી છે.

આજે રોનક ભલે સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેના સત્કાર્યોની સુવાસ અને સંસ્મરણો-સ્મૃતિઓના સ્વરૂપમાં રોનક આજે પણ આપણાં સૌના દિલો-દિમાગમાં છવાયેલો જ છે અને આપણી વચ્ચે જ હોય, તેવી અનુભૂતિ થાય છે. માત્ર ૪૦ વર્ષની યુવાવયે કાયમી વિદાય લઈ લેનાર રોનકની કદાચ ઈશ્વરને પણ જરૂર પડી હશે. આપણે કુદરતની ઘટમાળ પાસે લાચાર છીએ અને જન્મ-મૃત્યુ આપણાં હાથમાં નથી, તે વાસ્તવિકતા સ્વીકારીને આજે રોનકની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ અશ્રુભીની આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પીએ...

જામનગર                                - માધવાણી પરિવાર

તા. ૧૨-૧૧-૨૦૨૫                  - નોબત પરિવાર

દેશના હૃદયસમી રાજધાની દિલ્હીમાં પ્રચંડ વિસ્ફોટ... આખા દેશમાં હાઈએલર્ટ, આતંકી ષડયંત્રની આશંકા, સુરક્ષાવ્યવસ્થા બોદી ?

                                                                                                                                                                                                      

આજે આખો દેશ હાઈ એલર્ટ પર છે અને દિલ્હીમાં થયેલા ઘાતક જીવલેણ કાર વિસ્ફોટ પછી દેશના હૃદયસમી રાજધાનીમાં બોદી સુરક્ષા વ્યવસ્થાઓ તથા ગુપ્તચર સંસ્થાઓની નાકામિયાબીની ચર્ચા પણ થવા લાગી છે, એટલું જ નહીં, ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક તબીબ સહિત પ્રારંભમાં ત્રણ શખ્સોને હથિયારો-વિસ્ફોટકો સાથે દબોચી લીધા પછી જમ્મુ-કાશમીર પોલીસે હરિયાણા પોલીસની મદદથી વિસ્ફોટકના જંગી જથ્થા તથા હથિયારો વગેરે સાથે ત્રણેક તબીબો સહિત કેટલાક લોકોને દબોચી લીધા હોવા છતાં આ પ્રચંડ ધડાકો દેશની રાજધાનીમાં થયો હોય, તો કેન્દ્રની એજન્સી, દિલ્હી પોલીસ અને ગૃહમંત્રાલયથી અંતગત કાર્યરત સુરક્ષા એજન્સીઓની કચાશ, ઢીલાશ કે ઓવર-કોન્ફીડેન્સ અથવા લાપરવાહી પણ દર્શાવે છે. આ તમામ ઘટનાક્રમોને પુલવામા હૂમલા અને તે પછીના ઘટનાક્રમો સાથે જોડીને કડીઓ મેળવવામાં આવી રહી છે, તેવું જાહેર કરાયું છે. ખેર, જે હોય તે ખરૃં, પરંતુ નાપાક પડોશી દેશ પાકિસ્તાને આઈએસએસ સહિતની આતંકી સંસ્થાઓ સાથે મળીને જો ભારતને નિશાન બનાવ્યું હોય, અને સરહદ પારથી આતંકીઓ ઘૂસાડવાના બદલે ભારતમાં જ કટ્ટરવાદી બ્રેઈનવોશ કરીને સ્થાનિક આતંકવાદીઓ ઊભા કરવાની રણનીતિ અપનાવી હોય, તો તે વધુ ખતરનાક અને ચિંતાજનક બની શકે છે. અહેવાલો મુજબ જૈસ-એ-મહોમ્મદનું જ આ ષડયંત્ર હોવાની પૂરેપૂરી શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી ષડયંત્રો સામે જે ઝુંબેશ ચાલી રહી હતી અને ગુજરાત એ.ટી.એસ. પછી જમ્મુ-કાશમીર પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા કેટલાક શખ્સોને જંગી વિસ્ફોટકો, હથિયારો સાથે ઝડપીને આતંકીઓની મેલી મુરાદ નિષ્ફળ બનાવ્યા પછી અંતે ડો. ઉંમર નામના શખ્સે આ સુસાઈડ એટેક કર્યો હોઈ શકે છે, અથવા તે વિસ્ફોટકની હેરાફેરી કરી રહ્યો હોય, તેવા તર્કો અને આશંકાઓ સાથે ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલી તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ જોડાઈ ગઈ છે અને જુદા જુદા એંગલોથી ચાલી રહેલી તપાસ પછી આજે બપોરે સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જે કાંઈ જાહેર થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ લખાય છે ત્યાં સુધીમાં શંકાસ્પદ ડો. ઉંમરના પરિવારજનોની પુછપરછ થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.

આ વિસ્ફોટ લાલ કિલ્લા નજીક અને દિલ્હી હાઈકોર્ટ સમા ચાંદનીચોકના માર્ગે કરવા પાછળ પણ સમજી-વિચારીને ઘડાયેલું ષડયંત્ર હોઈ શકે છે. આ ઘટનાના હૃદયદ્રાવક દૃષ્યો ઘટનાની તીવ્રતા અને કરૂણતા તો દર્શાવતા જ હતા, સાથે સાથે આ પ્રકારના કાવતરાં રચનારાઓની ઘાતકી અને કટ્ટર મનોવૃત્તિ પ્રત્યે ફિટકાર વરસાવનારી પણ હતી.

આ વિસ્ફોટ પાછળ જૈશ-એ-મહોમ્મદનો હાથ હોય અને ફરિદાબાદ જેવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હોય, તેવા પ્રથમ દૃષ્ટિએ નીકળેલા તારણો પછી સતત વિવિધ એંગલથી તપાસ સાથે ઠેર-ઠેર દરોડા પડી રહ્યા છે. આ આતંકી હૂમલા જેવી મોડસ ઓપરેન્ડી આધુનિક ટેકનોલોજી અને હાઈટેક નવતર પદ્ધતિથી એજ્યુકેટેડ આતંકીઓની તૈયાર થયેલી એક આંતરરાષ્ટ્રીય સાંકળ (નેટવર્ક) તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. એટલું જ નહીં, બિહારની વિધાનસભા માટે બીજા તબક્કાના મતદાનના આગલા દિવસે જ થયેલા દિલ્હીનો ધમાકો ટાઈમીંગ અને પોલિટિકલ દૃષ્ટિએ પણ ચર્ચાસ્પદ બન્યો છે, આ એંગલથી પણ એજન્સીઓ તપાસ કરશે, પરંતુ મેડિકલ લાઈનમાં ઉચ્ચ અભ્યાસ કરેલા આતંકીઓનું જુદા જુદા રાજ્યોમાં એક નવું જ નેટવર્ક ઊભું થયું હોય, તો તે વધુ ભયાવહ અને ખતરનાક બની શકે છે.

દિલ્હીની આ ઘટના પછી યુ.એ.પી.એ. અંતર્ગત કેસ દાખલ કરાયો હોય અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે સવારે લીધેલી ઉચ્ચસ્તરીય બેઠક પછી દેશવ્યાપી હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે કાંઈક નવાજૂનીના સંકેતો મળી રહ્યા હોય ત્યારે એ પણ નોંધનીય છે કે આતંકવાદીઓએ હવે જે નવી પદ્ધતિઓ અપનાવી છે તેની સામે લડવા કેન્દ્રીય એજન્સીઓએ વધુ સતર્ક અને સંકલિત થવું પડશે. ફરિદાબાદ મોડ્યુલની પણ પહેલેથી જ ચર્ચા થઈ રહી હતી. પુલવામાના રહીશ અને ડોક્ટર ઉંમર ગની ઘણાં સમયથી ફરાર હતો અને તેમણે આ વિસ્ફોટ કર્યો હોવાની સંભાવના પર આજે સવારથી જ તપાસ કેન્દ્રીત થઈ હતી અને આઠથી અગિયારના મૃત્યુ તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સાથે દેશભરમાં સતર્કતા અને દિલ્હીમાં ભયનો માહોલ ફેલાયો હતો, તે પછી સત્તાવાર રીતે જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તે આપણી સામે જ છે.

આ લખાય છે ત્યારે કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહની મિટિંગ ચાલી રહી છે અને તે પછી જ સત્તાવાર રીતે સરકાર વિગતવાર જાણકારી દેશના લોકો સમક્ષ મુકશે, તેમ જણાય છે.

દિલ્હીમાં વિસ્ફોટ પછી યાત્રાધામ દ્વારકા એન અંબાજી, સોમનાથ સહિત ગુજરાતના યાત્રાધામોમાં પણ સુરક્ષા વ્યવસ્થાઓ વધુ સઘન બનાવી દેવામાં આવી રહી છે. એન કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો ત્વરીત કદમ ઉઠાવીને તેનું રિપોર્ટીંગ ઉચ્ચકક્ષાએ કરવાની સૂચનાઓ જો રાષ્ટ્રીયકક્ષાએથી અપાઈ રહી હોય, તો તે હૂમલાની ગંભીરતા દર્શાવે છે.

આપણે ત્યાં આતંકવાદી ઘટનાઓ ભલે ભૂતકાળની સરખામણીમાં ઓછી-વત્તી થઈ હોય કે બંધ થઈ હોય અથવા સીમિત થઈ ગઈ હોય, તો પણ તેનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ સાવધાનીપૂર્વક થવો જરૂરી છે, અને દેશમાં સંપૂર્ણપણે આ પ્રકારની ઘટનાઓ અટકી જ ગઈ છે કે બંધ થઈ ગઈ છે, તેવો દાવો કરવામાં આવે કે પછી આતંકી ઘટનાઓ ફરી શરૂ થઈ ગઈ છે કે વધી ગઈ છે, તે પ્રકારના નિવેદનો ચૂંટણી ટાણે થાય, તે પણ તેને સાંકળીને આતંકવાદીઓ "ચેલેન્જ" ઊભી કરવા કે લોકતાંત્રિક પ્રક્રિયા પર અસર પાડવા પ્રેરાતા હોય છે તેથી આ સંવેદનશીલ મુદ્દે રાજનેતાઓએ પણ "સંવેદનશીલ" રહીને સાવધાનીપૂર્વક નિવેદનબાજી કરવી જોઈએ, તેવા તટસ્થ પ્રતિભાવો પણ અવગણવા જેવા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતમાં આતંકનો ઓછાયો ? આતંકી પરિબળોને પ્લેટફોર્મ પૂરી પાડતી ગુનાખોરી નાથવી જરૂરી...

                                                                                                                                                                                                      

કુદરત જ્યારે મહેર કરે છે, ત્યારે જીવસૃષ્ટિ અને સંસાર સોહામણા લાગે છે, પરંતુ જ્યારે એ જ કુદરત જ્યારે કહેર કરે ત્યારે બિહામણા પણ લાગે છે. લોખંડમાંથી તલવાર પણ બને છે અને ઓજાર પણ બને છે. બંદુક, દારૂગોળો અને હથિયારો રક્ષણનું કામ પણ કરે છે અને ખોટા હાથમાં હોય, ત્યારે વિનાશક પણ બની જાય છે, તેવી જ રીતે વિદ્યા પણ જો યોગ્ય રીતે વપરાય, તો તે જીવનને ઉપયોગી અને હેતુલક્ષી પૂરવાર થાય છે, પરંતુ તે જ વિદ્યા એટલે કે કૌશલ્ય, ડિગ્રી કે જ્ઞાન જ્યારે ખોટા માર્ગે વપરાય, ત્યારે તે વિનાશક અને વિકૃત બની જાય છે અને પોતાને તથા સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આ જ રીતે એમબીબીએસ કરેલા લોકો જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવે, ત્યારે એવું પ્રતિત થાય છે કે માનવ કલ્યાણ માટે કરાવાતા તબીબી અભ્યાસ પણ હવે ખતરનાક બનવા લાગ્યા છે.

ગુજરાત એટીએસ દ્વારા કેન્દ્રીય એજન્સીએ સાથે મળીને ચલાવાયેલા અભિયાનમાં આપણાં શાંતિપ્રિય ગણાતા વ્યાપારિક છાપ ધરાવતા ગુજરાતમાંથી ૩૫ વર્ષના ડોક્ટર સહિત ત્રણ કથિત આતંકીઓને ઝડપી લીધા હોવાના જ્યારે અહેવાલો આવ્યા, ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હશે, એવું પણ બહાર આવ્યું કે આ ત્રણેય શખ્સો અમદાવાદ,  દિલ્હી અને લખનૌ વગેરે સ્થળે આતંકી હૂમલાની તૈયારી કરી રહ્યા હતા, અને સૌથી ચોંકાવનારી વાત એ બહાર આવી હતી કે ડોક્ટરનું ભણેલો એક શખ્સ સાઈનાઈડથી પણ ખતરનાક ઝેર રાયઝિન બનાવી રહ્યો હતો. હવે આ ઝેરનો તે કેવી રીતે ઉપયોગ કરવાનો હતો, તે તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.

આ પ્રકારના અહેવાલો સુત્રોને ટાંકીને અથવા અન્ય માધ્યમો દ્વારા આવતા હોય છે, પરંતુ આ પ્રકારના અહેવાલો જ્યારે જ્યારે આવે, ત્યારે ત્યારે એક પ્રકારની સનસનાટી ફેલાઈ જતી હોય છે, અને જ્યારે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત થતી હોય કે માહિતી અપાતી હોય છે, ત્યારે જ લોકોને થોડી રાહત થતી હોય છે, અને વાસ્તવિક તથ્યો જાણવા મળતા હોય છે,  હવે આ ત્રણ શખ્સોની તપાસ પછી શું બહાર આવે છે અને કેવા કદમ ઉઠાવાય છે, તે જોવું રહ્યું...

એ.ટી.એસ.ની કાર્યવાહીને આવકારવી જોઈએ, અને સાથે સાથે આ પ્રકારની હિંસક અને ઘાતક માનસિકતા આપણાં રાજ્ય અને દેશમાં પનપી રહી હોય, તો તેના મૂળમાં જઈને તેને અટકાવવી જ પડે અને આ પ્રકારના પરિબળોને ઝેર કરવા જોઈએ, એ ખરૃં પરંતુ આપણાં રાજ્યમાં વધી રહેલી વિવિધ પ્રકારની ગુનાખોરીની ચિંતા પણ કરવી જ પડે તેમ છે. છોટા ઉદેપુરના બોડેલીમાં બુટલેગરની ગાડીનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યા પછી અકસ્માત થયો અને બૂટલેગર નાસી છૂટ્યો તથા કારમાં ભરેલો શરાબનો જથ્થો લૂંટાઈ ગયો, તે પ્રકારના અહેવાલો શું સૂચવે છે ?

જો કે, પાછળથી પોલીસે એકાદ બૂટલેગરને દબોચી લીધો અને અન્ય ફરાર શખ્સોની શોધખોળ આદરી, પરંતુ આ પ્રકારે દારૂની બેફામ અને બેરોકટોક હેરાફેરી થતી રહેતી હશે, તેવું પણ તારણ નીકળી શકે છે. અને દારૂબંધી ધરાવતા રાજ્યમાં દારૂની હેરાફેરીનો આ આઈસબર્ગની ટોચ જેવી આ ઘટનાઓ સપાટીની નીચેથી થઈ રહેલી વિરાટ હેરાફેરી તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. આ પ્રકારે કોઈ જંગી જથ્થો પકડાય, ત્યારે ભલે લાપરવાહી થાય અને ગૃહમંત્રી પોતાની અને પોલીસતંત્રની પીઠ થાબડતા હોય, પરંતુ જ્યારે બૂટલેગરો હાથતાળી આપીને નાસી છૂટે, દારૂનો જંગી જથ્થો લૂંટાઈ જાય કે મોટો જથ્થો પકડાયા પછી પણ તેની હેરાફેરી કરનારા પરિબળોને વર્ષો સુધી કોઈ સજા જ  થતી હોય તો આ બધી કવાયતનો અર્થ શું ? તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે ને ?

રાજ્યમાં ગુનાખોરી વધી રહી હોય અને નાગરિકો માટે ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયા જ દુષ્કર થઈ ગઈ હોય કે પછી ગુંડાગીરી, દાદાગીરી, લુખ્ખાગીરી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારાઓને કાનૂનનો ડર જ લાગતો ન હોય, તેવી ઘટનાઓની સમીક્ષા કરીને રાજ્યના ગૃહવિભાગે ગુનાખોરી સામે પરિણામલક્ષી પ્રિવેન્ટીવ કદમ ઉઠાવવા જ પડે તેમ છે.

બીજી તરફ ગુજરાત સુધી પહોંચેલા આતંકી ઓછાયાને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગણાવીને અવગણી શકાય નહીં, કે તેને કોઈપણ દૃષ્ટિએ જસ્ટીફાય પણ કરી શકાય નહીં, કારણ કે વર્ષ ૨૦૦૮માં અમદાવાદ અને સુરતમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકી હૂમલાઓમાં 'સિમી'માંથી ઈન્ડિયન મુઝાહિદિન નામક સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું, તે સમયે દેશભરમાં આતંકી ઘટનાક્રમોમાં સેંકડો નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને આ તમામ વિવિધ આતંકી સંગઠનોનું પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને/અથવા પાક. સ્થિત આતંકી સંગઠનો કે આતંકી આકાઓ સાથે સંકળાયેલું હતું. ગુજરાતમાં પકડાયેલા આ ત્રણેય શખ્સો અંગે ઉંડી તપાસ થશે, ત્યારે તેની વાસ્તવિકતા બહાર આવશે અને ન્યાયની દેવડી તેને સજા કરશે અને ન્યાય કરશે, પરંતુ જ્યારે લોકલ ગુનાખોરી વકરી રહી હોય ત્યારે આતંકી પરિબળોને પોતાનો ખતરનાક ઉદૃેશ્ય પાર પાડવા માટે સ્થાયી પ્લેટફોર્મ મળી જતું હોય છે, અને તેની આડમાં દેશવિરોધી તત્ત્વોને પનપવાની તક મળતી હોય છે, હવે ફરીથી ગુજરાતમાં "બીનવારસુ ચીજવસ્તુને અડકવું નહીં." તેવી ચેતવણીઓ આપવી જ ન પડે, તે માટે આતંકી કાવતરાઓને ઝડપી પાડવાની સાથે સાથે સ્થાનિક ગુંડાગીરી અને ગુનાખોરી પર વધુ મજબૂત સકંજો કસવાની જરૂર પણ જણાવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નામ બડે ઔર દર્શન છોટે...? રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર... દસ હજાર કરોડની સહાયની ઘોષણા, કોંગ્રેસની દેવામાફીની માંગણી...

                                                                                                                                                                                                      

રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેના નુકસાન સામે ખેડૂતોને સહાય આપવા માટે રૂા. દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ ઘોષણામાં જંગી રકમની રાહત આપવામાં હેકટર દીઠ રૂા. ૨૨ હજાર સુધીની સહાય મહત્તમ બે હેકટર દીઠ અપાશે, તેવું જાહેર થયું હોવાથી "નામ બડે ઔર દર્શન છોટે" ની ઉક્તિ યાદ આવી જાય છે. તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.

આ ઉક્તિ હકીકતે કહેવત નથી, પરંતુ "અલબેલા" ફિલ્મની એક પંક્તિ છે, જેનો ઉપયોગ કટાક્ષ કરવા માટે થતો રહ્યો છે અને મોટા ભાગે રાજનેતાઓ, રાજકીયપક્ષો, પ્રશાસકો કે સરકારો દ્વારા મોટા મોટા વાયદાઓ કર્યા પછી તેને નહીં અનુસરવાના કારણે વ્યંગ માટે થતો રહ્યો છે. રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે, તેને સહાય પેકેજ તો ઠીક, પરંતુ રાહત પેકેજ પણ કહી શકાય તેમ નથી., પરંતુ રાજ્યભરમાંથી ભાજપના નેતાઓ તથા તેના સમર્થકો આ પેકેજને આજથી જ આવકારવા લાગશે અને સરકારની વાહવાહી કરવા લાગશે, તે પહેલેથી જ નક્કી હતું, તેવી આલોચના પણ થવા લાગી છે.

જો કે, રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને કુલ રૂા. ૯૮૧૫ કરોડનું નુકસાન થયું હોવાના પ્રાથમિક અંદાજો છતાં કોઈ પણ ખેડૂત આ રાહત પેકેજથી વંચિત ન રહી જાય, તે માટે આ માતબર પેકેજ જાહેર કર્યું હોવાનો દાવો કર્યો છે, અને સહાય મેળવવા માટે ખેડૂતે પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તે પણ જણાવ્યું છે. તેમણે આવતીકાલથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી માટે પણ રૂા. ૧૫ હજાર કરોડથી વધુ મૂલ્યની રકમ ફાળવાશે, તેવો અંદાજ પણ જાહેર કર્યો છે., અને આ કારણે ખેડૂતોને કમોસમી વરસાદ સામે પૂરતી મદદ મળી રહેશે અને રવિપાક માટે પણ ખેડૂતોને આ સહાયથી ટેકો મળી રહેશે, જેમાં કિસાન સમૃદ્ધિ યોજનાનો હપ્તો પણ સહાયભૂત થશે, તેવી પણ દલીલ થઈ રહી છે.

આ સહાય પેકેજ એસ.ડી.આર.એફ.ના નિયમોને અવગણીને ખાસ કિસ્સા તરીકે સરકારે જાહેર કર્યું છે, અને આ પેકેજથી ખરેખર જરૂર છે તેવા લાખો ખેડૂતોને સમયસરનો ટેકો મળી રહેશે, અને સતત વરસતો કમોસમી વરસાદ થંભી ગયા પછી ખરીફ પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવા હજારો અધિકારી-કર્મચારીઓ તથા મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સહિતના નેતાઓ ફિલ્ડમાં ઉતર્યા હોવાનું જણાવી સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશ્યલ મીડિયા દ્વારા આ રાહત પેકેજને સૌથી વધુ મોટું પેકેજ ગણાવ્યું છે. જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું કે એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રૂા. ૬૫૦૦ની સહાય મળવાપાત્ર હોવા છતાં રાજ્ય સરકારે તેનાથી ત્રણગણી મર્યાદા નક્કી કરીને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ ડાયરેક્ટ જમા કરાવવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂતોના હિતમાં છે. રાજ્યની ૪૨ લાખ હેકટર ખેતીની જમીનમાં કમોસમી વરસાદથી ખરીફ પાકોને નુકસાન થયા પછી રાજ્ય સરકારે આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો હોવાનો દાવો પણ કરાયો છે.

આ સહાય પેકેજને આવકારતા પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે અને સમગ્ર પેકેજનો ઊંડો અભ્યાસ કર્યા પછી આજે વધુ પ્રત્યાઘાતો સામે આવશે, પરંતુ ઘણાં લોકો આ પેકેજને નામ બડે ઔર દર્શન છોટે જેવું પણ ગણાવવા લાગ્યા છે.

અમરેલી ભાજપમાંથી જ આ મુદ્દે અસંતોષના સૂર ઉઠયા છે, જેથી ભાજપમાં ભડકો થયો હોવાના અહેવાલો વહેતા થયા છે.

ચિતલકર, લતા માંગેશકરના કંઠે ગવાયેલું અને રાર્જિંદર કૃષ્ણે લખેલું દાયકાઓ પહેલાનું ફિલ્મીગીત આજે પણ ઘણાં લોકો વિવિધ સંદર્ભમાં ટાંકતા હોય છે અને તેની જુદી જુદી પંક્તિઓનો જુદા જુદા સંદર્ભે ઉપયોગ કરતા હોય છે. આ ગીતની શરૂઆતથી જ એવી રીતે થાય છે કે આ ગીત વ્યંગગીત હોવાનું પૂરવાર થાય છે. "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" થી શરૂ થયેલા ગીતની જુદી જુદી પંક્તિઓમાં જુદા જુદા કટાક્ષો થયા છે, જે ફેશન તથા જીવનશૈલી પર વ્યંગ કરે છે, પરંતુ તેમાંથી એક-બે પંક્તિઓ બહુલક્ષી કટાક્ષ કરે છે, જેમાં "ઉજલે કપડે, દિલ હૈ મૈલા, રંગ-રંગીલી દુસરે ટુકડે, પર ઘરમેં હૈ કડકી છાઈ" વગેરે કટાક્ષોનો વિવિધ અન્ય સંદર્ભો માટે પણ ઉપયોગ થતો રહ્યો છે. અહીં "ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે" ની પંક્તિ ટાંકીને કટાક્ષ થઈ રહ્યો હોય તે બંધ બેસતો જણાય. જો કે, બીજી તરફ આ જંગી રાહત પેકેજ હેઠળ વાસ્તવિક સહાય, ટેકાના ભાવે ખરીદી તથા કિસાન સમૃદ્ધિ યોજનાના સંયોજન થકી ખેડૂતોને હકીકતે નોંધાપાત્ર રાહત થશે કે કેમ ? તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અન્ય પ્રાદેશિક નેતાઓ રાજ્ય સરકારના આ સહાય પેકેજને માત્ર રાહતનું પડીકું ગણાવીને એવી ટીકા કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોના દેવા માફીની કોઈ જાહેરાત કરી નથી અને લિમિટેડ રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને છેતર્યા છે. રાજ્ય સરકારના રાહત પેકેજ સામે વિપક્ષને બોલવા જેવું કાંઈ જ નહીં હોવાથી હવે દેવા માફીનું રટણ કરવામાં આવી રહ્યું હોવાના પ્રતિપ્રહારો સરકારની તરફેણ કરતા વર્તુળો દ્વારા થવા લાગતા હવે આ મુદ્દો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુધી ગુંજવાનો છે, તે નક્કી છે.

રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું તે પહેલા કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે સોમનાથથી દ્વારકાની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ ગઈ હતી. અને વિસાવદરમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કોંગી અગ્રણીઓ વિક્રમભાઈ માડમ, પાલભાઈ આંબલીયા, લલિતભાઈ કગથરા, જે.પી.માલવીયા, લાલજીભાઈ દેસાઈ સહિતના દિગ્ગજોએ જે તેજાબી પ્રવચનો કર્યા અને આ યાત્રામાં ખેડૂતોના જે પ્રતિભાવ જોવા મળ્યા, તે જોતાં આ મુદ્દો હવે લાંબા સમય સુધી ગુંજશે, તે નક્કી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બિહારમાં નીતિશકુમાર સરકારના વળતા પાણી કે એનડીએની હવા ?... 'તેજસ્વી' સિતારાનો ઉદય કે ત્રિશંકુનો સંકેત ?... થોભો...સમજો...અને રાહ જૂઓ...

                                                                                                                                                                                                      

બિહારમાં વિધાનસભાની ચૂંટણીનું ગઈકાલે થયેલું બમ્પર મતદાન ૬૪ ટકાને ઓળંગી ગયું અને કેટલાક મતવિસ્તારમાં થયેલા બમ્પર મતદાને કેટલાક સંકેતો આપી દીધા છે. આચારસંહિતા હોવાથી અત્યારે એકઝીટ પોલ કે કોના તરફ હવા છે, તેની ચોક્કસ ડેટા કે અનુમાનો સાથેની ચર્ચા તો થઈ રહી નથી, પરંતુ ઉભય પક્ષે કરેલા ભવ્ય વિજયના દાવા છતાં જનતાને શું જનાદેશ આપ્યો છે, તેની ખબર તો બીજા તબક્કાના મતદાન પછી ૧૪મી નવેમ્બરે મત ગણતરી સમયે જ પડશે, પરંતુ રેકર્ડબ્રેક ઐતિહાસિક મતદાને ચર્ચા જરૂર જગાવી છે.

ઘણાં લોકો આ બમ્પર મતદાનને પરિવર્તનની હવા ગણાવી રહ્યા છે, તો ઘણાં લોકો આ મતદાનને પૂનરાવર્તનનો જનાદેશ ગણાવી રહ્યા છે. ઘણાં લોકો એવું માની રહ્યા છે કે બિહારમાં એન્ટી ઈન્કમ્બન્સીની હવા છે, તો ઘણાં વિવેચકો આ બમ્પર મતદાનને પ્રો-ઈન્કમ્બન્સી એટલે કે નીતિશકુમાર સરકારની લોકપ્રિયતા ગણાવી રહ્યા છે. આ વખતે વર્ષ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીથી ૧૦ ટકા જેટલું વધુ મતદાન થયું છે, તેનું વિશ્લેષણ થઈ રહ્યું છે. ઘણાં લોકો કહે છે કે "તેજસ્વી" સિતારાનો ઉદય થશે અને આગામી મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જ હશે, અને નીતિશકુમારના વળતા પાણી થશે. જ્યારે ઘણાં લોકો કહે છે કે એનડીએ ને જનાદેશ મળશે જેથી નીતિશકુમાર જ ફરીથી મુખ્યમંત્રી બનશે. આ બધા વિશ્લેષણો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકોમાં થયેલા બમ્પર મતદાનને એનડીએના વિજયનો સંકેત ગણાવ્યો છે, તો ઈન્ડિયા ગઠબંધને જણાવ્યું છે કે તેઓ તો બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં કાર્યકરો નિરાશ થઈ ન જાય, તે માટે જુસ્સો વધારી રહ્યા છે, બાકી આ વખતે એનડીએની હાર નક્કી છે. બીજી તરફ બિહારમાં આ વખતે પ્રો-ઈન્કમ્બન્સી એનડીએ તરફી હવા વહી રહી હોવાના જોરદાર દાવાઓ પણ થઈ રહ્યા છે. કેટલાક તટસ્થ વિશ્લેષકો અત્યારે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણાવીને બીજા તબક્કાના મતદાનની રાહ જોવાનું મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણાં એવા વિવેચકો પણ છે કે જેઓ ત્રિપાંખીયા જંગની હવા નીકળી ગઈ હોવા છતાં હંગ એસેમ્બલી એટલે કે ત્રિશંકૂ વિધાનસભાની સ્થિતિ ઊભી થશે, તેવા અનુમાનો કરી રહ્યા છે. ડેટાબેઈઝ મીડિયા વિશ્લેષણો દરમ્યાન જંગી મતદાન થયું હોય, ત્યાં ભાજપ અથવા એનડીએની સરકાર રચાઈ હોય અને કેટલાક રાજ્યોમાં તો સતત પૂનરાવર્તન થયું હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. બમ્પર મતદાન પછી ગુજરાત, રાજસ્થાન, બિહાર, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ભાજપ અથવા એનડીએને જનતાએ પુનઃ જનાદેશ આપ્યો હોવાના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. ઘણાં લોકો નીતિશ સરકારે મહિલાઓના ખાતામાં રૂ. દસ હજાર જમા કરાવાયા, તેને પણ સાંકળી રહ્યા છે. અને ચૂંટણી પહેલા છેલ્લી ઘડીએ આ પ્રકારની હરકતને આચારસંહિતાનો ભંગ ગણાવાઈ રહ્યો છે.

આ પ્રથમ તબક્કાના મતદાનમાં બંને મુખ્ય ગઠબંધનો તથા અન્ય પક્ષોના જે દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે, તેઓ હવે બીજા તબક્કા માટે છૂટથી પ્રચારમાં નીકળશે, જેથી બીજા તબક્કામાં કદાચ પ્રથમ તબક્કા કરતાં પણ વધુ મતદાન થશે, તેવી સંભાવનાઓ અંગે પણ ભિન્ન-ભિન્ન અનુમાનો થઈ રહ્યા છે.

ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ છે. આ પહેલા વર્ષ ૨૦૦૨-૦૩માં સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવાઈ હતી. તેના આધારે  વર્ગીકરણ કરીને નક્કી કરાયેલા માપદંડો મુજબ વર્ષ ૨૦૦૨-૦૩ની મતદાર યાદીમાં નામ હશે તેવા મહત્તમ મતદારોને કાંઈ આધાર-પુરાવા નહીં આપવા પડે. પરંતુ વર્ગીકરણ મુજબ ક્યા-ક્યા મતદારોને ક્યા આધારો અથવા દસ્તાવેજો આપવા પડશે, તેની સમજ ઘેર-ઘેર ફરીને બી.એલ.ઓ.ની ફોજ આપી રહી છે. આ જ પ્રકારે બિહારમાં પણ એસ.આઈ.આર. થયું હતું અને તે પછી આ પ્રથમ ચૂંટણી છે, તેથી તેના અનુભવે ભવિષ્યમાં પ્રક્રિયાત્મક સુધારા-વધારા પણ થઈ શકે છે, ત્યારે પ્રથમ તબક્કાના મતદાન ટાણે જ થયેલા વોટ ચોરીના આક્ષેપો અને બ્રાઝીલીયન વોટરના પ્રકરણમાં સંબંધિત બ્રાઝીલીયન યુવતીએ આપેલું કથિત નિવેદન અથવા પ્રત્યાઘાતો આજે ટોક ઓફ ધ નેશન બન્યા છે, તો બીજી તરફ સામાન્ય રીતે જંગી મતદાન થાય ત્યારે લોકો પરિવર્તન ઈચ્છતા હોય છે, તેમ જણાવીને બિહારમાં નીતિશ સરકાર ભૂંડી રીતે હારશે અને ઈન્ડિયા ગઠબંધનનો જયજયકાર થશે, તેવો જોરદાર દાવો થઈ રહ્યો છે.

બીજી તરફ એનડીએ પણ બમ્પર વિજયનો દાવો કરી  રહ્યા છે, અને ઈન્ડિયા ગઠબંધનને પરાજયની ગંધ આવી ગઈ હોવાથી વોટ ચોરી, એસઆઈઆર અને બોગસ મતદાનની બહાનાબાજી થઈ રહી હોવાના પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે બિહારની જનતામાં મતદાન માટે જોવા મળતો જુસ્સો પણ ઘણો જ સૂચક છે.

પ્રિયંકા ગાંધી કહે છે કે જે લોકો પેપરલીક તો અટકાવી શકતા નથી અને સ્થાનિક યુવાનોને રોજગારી પણ મળી રહી નથી, ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને દેશના ગૃહમંત્રી લોકોને એરપોર્ટના સપના દેખાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ નીતિશકુમાર સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે દેશમાં હવે ટૂંક સમયમાં જયારે ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાવાની છે, ત્યારે નાલંદા જેવી વિશ્વકક્ષાની બહેતર (શ્રેષ્ઠ) યુનિવર્સિટી બિહારમાં ખોલવામાં આવશે. લાલુ યાદવે તવામાં રોટલી ફેરવતા રહેવી જોઈએ, તેવું જે નિવેદન કર્યું હતું, તેના જવાબમાં એવી ટિખળભરી ટકોર થઈ રહી છે કે વર્ષો સુધી જેલની રોટલીઓ તોડી (ફેરવી) હોય, તે વયોવૃદ્ધ નેતા આ પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ ઘાસ કોણ ખાઈ ગયું હતું, તેની વાત કરતા નથી. તો ઈન્ડિયા ગઠબંધનવાળા કહે છે કે એનડીએમાં પણ ક્યાં બધા દૂધે ધોયેલા છે? હવે બીજા તબક્કાના મતદાનનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચલો સ્કૂલ ચલે હમ... શાળાઓ ખુલતા જ વિશેષ અભિયાન...

                                                                                                                                                                                                      

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની તારીખ અને સંલગ્ન વિગતો જાહેર કરી, પરંતુ કમોસમી વરસાદ સામે વળતરની કોઈ જાહેરાત ગઈકાલે થઈ નહીં, તેથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. અને તે સંદર્ભે જ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધી ખેડૂત આક્રોશયાત્રાની જાહેરાત કરી છે. આજથી સ્કૂલો અને આવતીકાલથી કોલેજો ફરીથી ધમધમશે, અને દિવાળી વેકેશન માણીને સ્ટુડન્ટ્સ પુનઃ અભ્યાસમાં જોડાશે. આજે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને સવારથી કેટલાક વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ જોતાં બિહારમાં આશ્ચર્યજનક જનાદેશ મળશે, તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે, આ તમામ ઘટનાક્રમો વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે ચોથી ટી-૨૦ મેચ પર ક્રિકેટ રસીયાઓની નજર મંડાયેલી છે. જો કે, આજથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ એક નવું "અભિયાન" શરૂ થયું તેની ચર્ચા વધુ થઈ રહી છે.

આજથી વેકેશન પછીનો શાળાઓનો માહોલ સ્વાભાવિક રીતે જ એકાદ-બે દિવસ માટે હળવાશભર્યો રહે તથા પરસ્પર શુભેચ્છાઓ પાઠવીને નવા સત્રના પ્રારંભનો ઉલ્લાસ જોવા મળે. તે પછી સ્ટુડન્ટ્સ અભ્યાસ, ટ્યુશન અને હોમવર્કના રોજીંદા શિડ્યુલમાં ગોઠવાઈ જશે અને શિક્ષણકાર્ય ધમધમવા લાગશે. જામનગર સહિત આજથી રાજયમાં પુનઃ ધમધમતી થયેલી સ્કૂલોમાં કિલ્લોલ સાંભળવા મળ્યો અને વેકેશનમાં સુના પડેલા શિક્ષણ સંકુલો ફરીથી ગુંજી ઉઠયા છે, ત્યારે એક સર્વેના રિપોર્ટે રાજ્યમાં થોડી ચિંતા પણ જગાવી છે, અને લોકલ-નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાના વિવિધ સમાચારોની આંધી વચ્ચે પણ આ રિપોર્ટની ચર્ચા પણ થવા લાગી છે. આ અહેવાલ (રિપોર્ટ) સરકારી બેઈઝ પર આધારિત હોવાથી તેને ઉપજાવી કાઢેલો કે રાજકીય હેતુઓ સાથેનું જૂઠ્ઠાણું ગણાવીને ફગાવી શકાય તેમ પણ નથી, અને આ રિપોર્ટને મુદ્દો બનાવીને વિપક્ષો સરકારને ઘેરી શકે છે, તો રાજ્યના શિક્ષણક્ષેત્રના તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ આ રિપોર્ટને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે જો ગુણવત્તા સુધારણાના કદમ ઉઠાવવાનું શરૂ કર્યું હોય તો તેમાં વિપક્ષોએ સહયોગી બનવું જોઈએ. જે હોય તે ખરૃં, પરંતુ ગઈકાલથી ચર્ચામાં અને પ્રેસ-મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહેલો "પરખ" સર્વેના અહેવાલે આપણાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની પોલ તો ખોલી જ નાંખી છે !

પ્રેસ મીડિયાના અહેવાલો તથા વિશ્લેષકો-જાણકારોના તારણો મુજબ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય સર્વેક્ષણ-૨૦૨૪નો રિપોર્ટ ગુજરાત રાજ્ય માટે આંચકા સમાન અને ચિંતાજનક છે. જો કે, આ સંદર્ભે જ રાજ્યકક્ષાએથી વિશેષ  અભિયાન ચલાવીને આ કચાશ દૂર કરવાના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત "પરફોર્મન્સ એસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ" એટલે કે પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું વિશ્લેષણ કરવાના હેતુથી કરેલા સર્વેને શોર્ટફોર્મસ્ માં "પરખ" કહેવામાં આવે છે, જેમાં રાષ્ટ્રવ્યાપી સર્વે કરીને વિદ્યાર્થીઓના શિક્ષણનું મૂલ્યાંકન કરાયું હતું અને તેના તારણો જાહેર કરાયા હતા. આ સર્વેક્ષણના આધારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન અને કૌશલ્ય તથા ગુણવત્તા અંગે વ્યાપક અને તટસ્થ ડેટા ઉપલબ્ધ કરાવીને તેમાં રહેલી કચાશ દૂર કરવાની નવી યોજનાઓ અમલી બનાવવા તથા પ્રદેશવાર જરૂરી ગુણવત્તા સુધારણા કરવાનો ઉદૃેશ્ય જણાવાયો છે, અને તેના સંદર્ભે ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા તથા તેમાં સુધારણાની ચર્ચા થઈ રહી છે.

"પરખ" ને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ વર્ષ ૨૦૨૪ના સર્વેના તારણો દર્શાવે છે કે ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ સરળતાથી વાંચી પણ નથી શકતા, તેથી લેખન અને ગણન (દાખલા ગણવા વગેરેમાં) પણ પારંગત થઈ શકતા નથી. રાજ્યના સરકારી શિક્ષણમાં આમુલ સુધારણા તથા તગડી ફી લઈને ટ્યુશન કરાવતા ક્લાસીસ તથા ખાનગી સ્કૂલોના સંચાલકોને સાંકળીને રાજ્યમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાના સૂચનો પણ આ સંદર્ભે થઈ રહ્યા છે. રાજયમાં શૈક્ષણિક વિકાસનો ઢોલ પીટતા રહેતા શાસકપક્ષના નેતાઓએ આ રિપોર્ટનો ઉંડો અભ્યાસ કરવો જોઈએ.

જો કે, આ રિપોર્ટના સંદર્ભે રાજ્ય સરકારે અનુસંધાન લીધું અને રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થી ભાઈ-બહેનોના વાચન, લેખન અને ગહન માટે ધોરણ ૩ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ) એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારની ઝુંબેશ ચલાવવી પડે, તે જ રાજ્યની બોદી શિક્ષણ પદ્ધતિ તથા પોકળ દાવાઓની પોલંપોલ ઉજાગર કરે છે. ખેર, જે હોય તે ખરૃં, દેર આયે દૂરસ્ત આયે...પણ...હવે ગુણવત્તા સુધારણાની આ વિશેષ ઝુંબેશમાં ક્યાંય પણ કચાશ ન રહેવી જોઈએ...

એવું કહેવાય છે કે આજથી એક અઠવાડિયા સુધી રાજ્યના ધો. ૩ થી ૮ના લગભગ ૪૦ લાખ જેટલા બાળકોને માત્ર વાચન-લેખન અને ગણન કરાવીને વિશેષ મૂલ્યાંકન હાથ ધરાશે. આ માટે શિક્ષણ વિભાગે જિલ્લા તંત્રોને ગાઈડલાઈન મોકલી છે, અને સી.આર.સી.-બી.આર.સી.ને મોનીટરીંગ કરવાની તાકીદ કરી છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ અભિયાન હેઠળ જી.સી.ઈ.આર.ટીના અધિકારીઓ સ્કૂલોની રેન્ડમ ચકાસણી પણ કરવાના છે, ત્યારે આ નવું અભિયાન અદ્યતન કરાયેલો નવો ગુણોત્સવ હકીકતે સફળ થાય અને વિદ્યાર્થી ભાઈ-બહેનોની શૈક્ષણિક તથા ગાણિતિક ગુણવત્તા હકીકતે સુધરે તેવું ઈચ્છીએ.

અત્યારે એક અઠવાડિયાનું અભિયાન ચલાવ્યા પછી તેનું સતત અનુસરણ કરીને ત્રણેક મહિના પછી એટલે કે ફેબ્રુઆરી-૨૦૨૬માં ફરીથી ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન થશે. અને તે સમયે બાળકો અપેક્ષિત વાચન, લેખન અને ગણિત ગણવામાં કમજોર ગણાશે, તો તેની જવાબદારી નક્કી કરીને "જવાબદારો" સામે કદમ ઉઠાવાશે. તેવું પણ જાહેર થયું છે. તેથી આ જવાબદારોમાં માત્ર શિક્ષકો જ નહીં, પરંતુ આચાર્ય, તાલુકા-જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારી-કર્મચારીઓ તથા બી.આર.સી.-સી.આર.સી. પણ સામેલ હોઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કોંગ્રેસનું કીચડિયું વિરોધ પ્રદર્શન અને... તંત્રની દોડધામ... વિના ચમત્કાર, નહીં નમસ્કાર...!

                                                                                                                                                                                                      

જામનગરના વોર્ડ નં.૬ ના રબડીરાજના મુદ્દે રસ્તાઓની દુર્દશા અને કમોસમી વરસાદ પછી ગંદકીના ખાબોચીયામાં બેસીને વિરોધ પ્રદર્શીત કરવાની કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગઈકાલે પહેલ કરી અને કાદવ-કીચડથી ખરડાયેલા કપડા સાથે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર સુપ્રત કર્યું, તથા જો સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે, તો મેયરની ચેમ્બરનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલનની ચિમકી આપી, તે પછી નગરના આ વોર્ડના કાયમી સમસ્યાગ્રસ્ત રહેતા નગરજનોને આશા જાગી છે કે શાસકપક્ષની ઉપેક્ષાનો ભોગ બનતા રહેતા આ વિસ્તારની વેદનાને કમ-સે-કમ વાચા તો મળી !

જે વોર્ડે વિપક્ષને અવસરો આપ્યા અને સામા પ્રવાહે ચાલીને જે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જનાદેશ આપ્યો, તે પક્ષોની પ્રાથમિક ફરજ પણ છે અને ચૂંટણીમાં મતદાન સંપન્ન થયા પછી સત્તાસ્થાને આવેલા પદાધિકારીઓની પણ જવાબદારી છે કે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ હલ કરે, પરંતુ માત્ર નિવેદનબાજી અને આક્ષેપો, પ્રતિઆક્ષેપો કરતી રહેતી નેતાગીરીની વચ્ચે ખાનગીમાં ઈલૂ ઈલૂ ચાલતુ હોવાથી જે આશંકાઓ જાગી રહી હતી, તેને વિરામ આપીને શાસક અને વિપક્ષના નગરસેવકોએ સાથે મળીને આ વિસ્તારની કમનસીબ જનતાને ન્યાય આપવો જોઈએ, તેવા જન-પ્રતિભાવોમાં દમ જણાય છે.

કોંગ્રેસે વોર્ડ નં. ૬માં જ્યાં ધરણાં કર્યા તે ડિફેન્સ કોલોની, એરફોર્સ ગેઈટથી વાયુનગરનો દેશની સુરક્ષા માટે તૈનાત વાયુસેનાના મથકથી નજીકનો વિસ્તાર જ ગંદકીથી ખદબદતો હોય, ત્યારે આ વોર્ડમાં વિસ્તરેલી સંખ્યાબંધ સોસાયટીઓ, ટાઉનશીપો અને એપાર્ટમેન્ટોમાં વસવાટ કરતા હજારો નગરજનોની દશા કેવી હશે, તેની કલ્પના કંપાવનારી છે.

કોંગ્રેસના ધરણાં પછી અખબારો મીડિયામાં પડઘા પડતા એ ચોક્કસ સ્થળે ભલે તત્કાળ કામ હાથ ધરાયું હોય, પરંતુ અન્યત્ર આ વોર્ડમાં હજુ પણ ઘણાં સ્થળે ગંદકી છે અને રીંગરોડ સહિતના માર્ગો તો તદૃન બિસ્માર જ છે !

નગરના સોસાયટી વિસ્તારોમાં ઠેર-ઠેર તૂટેલા-ફૂટેલા માર્ગો અને તેમાં ભરાયેલા કાદવ-કીચડ અને કમોસમી વરસાદના પાણીમાં ઉત્પન્ન થતા જીવ-જંતુ અને મચ્છરોના કારણે જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક પરિવહન અને પગપાળા અવર-જવરમાં પણ આ ગંદા ખાબોચિયાઓના કારણે અવરોધ ઊભો થઈ રહ્યો છે.

જામ્યુકોના તંત્ર અને પદાધિકારીઓ માટે વોર્ડ નં. ૬ કેમ અણમાનીતો હશે, તે જ આ વોર્ડના નગરજનોને સમજાતું નથી. કોર્પોરેશનની ચૂંટણીમાં થતા મતદાનના અંદાજોનો માપદંડ હોય, તો એ પણ વિચારવું જોઈએ કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં આ જ વોર્ડની જનતા કોને ખોબલે ખોબલે મતો આપે છે., જો કે, લોકતંત્રમાં ચૂંટણી પછી આ પ્રકારના અંદાજો કે આંકડાઓને ભૂલી જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સમાન ધોરણે "જનસેવા" કરવી જોઈએ અને એવું જ વર્તમાન શાસકો પ્રશાસકો પણ માનતા હશે, તેવી અવધારણા જૂઠી ન ઠરે, તે માટે હવે વોર્ડ નં. ૬ના તમામ વિસ્તારો માટે ઝડપભેર કદમ ઉઠાવશે અને રોડ-રસ્તા-સ્ટ્રીટ લાઈટ-ગટર-પાણી અને સફાઈ-સ્વચ્છતાને લગતી સમસ્યાઓ હળવી થશે તેવી આશા રાખીએ, અને માત્ર વોર્ડ નં. ૬ જ નહીં, સમગ્ર નગરના તમામ નગરજનો તથા ચોતરફ વિસ્તરેલા વિસ્તારો સહિત આખા મહાનગરની જનતાની મૂળભૂત જરૂરિયાતોને અવરોધતી સમસ્યાઓ દૂર થવી જોઈએ., તેવું ઈચ્છીએ.

વોર્ડ નં. ૬માં આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં તો મુખ્યમાર્ગ અને શેરી ગલીના માર્ગો એટલી હદે બિસ્માર થઈ ગયા છે કે તેમાં ભરાયેલા વરસાદી પાણી અને કચરા-ગંદકીના કારણે અહીં વસવાટ કરતા પરિવારોના જામનગરના જ અન્ય વિસ્તારોમાં રહેતા તેના સગા-સંબંધીઓએ દિવાળી જેવા તહેવારોમાં મળવા આવવાનું પણ ટાળવું પડે તેવી સ્થિતિ હતી. આ ટાઉનશીપની સ્થાપનાને દોઢ દાયકો થવા આવ્યો હોવાથી અને ભૂગર્ભ ગટર, પાણી, ગેસની પાઈપલાઈનો વગેરે માટે વારંવાર ખોદકામ થયા પછી તેને સમતળ કરવામાં લાપરવાહી રખાઈ હોવાથી આમ પણ આંતરિક તમામ માર્ગો બિસ્માર થઈ ગયા હતા અને તેમાં ભારે વરસાદે વધારો કર્યો, અને હવે કમોસમી વરસાદ પછી તો આ ટાઉનશીપમાં રહેવું દુષ્કર થઈ ગયું છે, ત્યારે હવે એ ટાઉનશીપમાં અગ્રતાના ધોરણે મુખ્યમાર્ગ અને શેરી-ગલીઓના પેટા માર્ગોનું મજબૂત નવીનીકરણ થાય. અને તેની સાથે સાથે વરસાદી પાણીના ઝડપથી નિકાલ કરવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને ત્યારે વરસાદમાં પણ જળભરાવ ન થાય, તેવી વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે ત્યાં રહેતા સેંકડો પરિવારો વોટર ટેક્સ સહિતના તમામ કરવેરા ભરે છે અને તમામ વિકાસકાર્યોમાં જામ્યુકોને સહયોગી બનતા રહ્યા છે. ત્યારે હવે આ દુર્દશામાંથી મૂક્તિની ઈચ્છા તો રાખે જ ને ?

આ જ પ્રકારની સમસ્યાઓ આ વિસ્તારના તિરૂપતિ વિસ્તારની ડઝનેક સોસાયટીઓ, યાદવનગર, નિલકંઠ તથા અન્ય નવી સોસાયટીઓમાં પણ છે. આ તમામ સમસ્યાઓ તરફ પક્ષ-વિપક્ષનું ધ્યાન પણ દોરવામાં આવતું રહ્યું છે. હવે જ્યારે કોંગ્રેસના નેતાઓએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે વોર્ડ નં. ૬માંથી ચૂંટાયેલા અન્ય જનપ્રતિનિધિઓ પણ અવાજ ઉઠાવશે અને વોર્ડ નં. ૬ સહિત નગરના તમામ વોર્ડની જનતાની સમસ્યાઓ ઉકેલાશે, તો જ આગામી જામ્યુકોની ચૂંટણીમાં જનાદેશ મળશે તે ભૂલવું ન જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માવઠાનો માર... સરકારની વિમાસણ... જગતના તાતને તબાહ તો ન જ થવા દેવાય પણ !?

                                                                                                                                                                                                      

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવાના મુદ્દે રાજ્ય સરકાર દ્વિધા (વિમાસણ)માં હોય તેમ જણાય છે. મુખ્યમંત્રી પોતે નુકસાનનું નિરીક્ષણ કરવા નીકળ્યા અને જુદા જુદા મંત્રીઓને ખેતીને માવઠાથી થયેલા નુકસાનના અંદાજો કાઢવા મોકલ્યા, તે દરમ્યાન પણ વરસાદ ઘણાં સ્થળે વરસ્યો હતો, અને એક વખત થયેલા સર્વે અથવા અંદાજોને ફરીથી ચકાસવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, તો બીજી તરફ આ વખતે માવઠું જાણે ફરીથી ચોમાસુ બની ગયું હોય તેમ જામ્યુ અને સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો, એટલું જ નહીં, કેટલાક જિલ્લાઓમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાં ખેતીનો ઊભો પાક અને મગફળી વગેરેના પાથરા કે કાલરા પલળી જતાં, થોડું ઘણું નુકસાન નહીં પરંતુ તમામ ખેતી ઉત્પાદન જ બરબાદ થઈ ગયું. આ કારણે  હવે સર્વે અને રિસર્વે કરવામાં સમય બગાડવાના બદલે તમામ ખેડૂતોને સહાય આપવાની માંગણી માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ શાસક પક્ષમાંથી પણ જોરદાર રીતે ઉઠવા લાગ્યા પછી હવે રાજ્ય સરકારે કોઈ ને કોઈ ચોક્કસ નિર્ણય તો લેવો જ પડે તેમ છે.

જો કે, રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનનું વળતર આપવાના રાહત પેકેજની તૈયારી બતાવી અને ઝડપભેર રાહત પૂરી પાડીને જે પાક બરબાદ થયો છે, તે હટાવીને રવિપાકની તૈયારી ખેડૂતો કરી શકે, તે માટે સહાયની રકમ તેઓના હાથમાં ઝડપથી આવી શકે, તેવી તૈયારીઓ પ્રશાસન કરી રહ્યું હોવાના સંકેતો પણ મળ્યા, પરંતુ તમામ ખેતી જ બરબાદ થઈ ગઈ હોય, ત્યારે સર્વે કરવાના ખર્ચા કરવાના બદલે તમામ ખેડૂતોને લમસમ સહાય આપવાની જે માંગણી ઉઠી, તે પછી ગઈકાલે રાજ્ય સરકાર અનિર્ણાયક કે મુંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગઈ હોય, તેવા સંકેતો મળી રહ્યા હતા. વારંવાર સર્વેક્ષણોને અર્થહિન ગણાવીને વિપક્ષના નેતાઓ તો તમામ ખેડૂતો તત્કાળ સહાય પૂરી પાડવાની માંગણી કરી જ રહ્યા હતા, તેવામાં દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક સહિતના ભાજપના જ કેટલાક નેતાઓએ પણ આ જ પ્રકારના મંતવ્યો વ્યક્ત કર્યા, તે પછી રાજય સરકાર પણ પુનઃવિચારણા કરી રહી હોય તેમ જણાતું હતું. રાજ્ય સરકાર કોઈ રાહત પેકેજ જાહેર કરે તે પહેલા જ સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલો વિરોધ રાજ્યવ્યાપી બની ગયો છે. અને હવે તો શાસકપક્ષના દિગ્ગજો પણ આ મુદ્દે ખુલીને પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ તો મુખ્યમંત્રીને  એક પત્ર લખીને ખેડૂતોને દેવાદારના બદલે દેવામૂક્ત કરવાના ઉપાયો સૂચવ્યા છે અને વિકાસના (માચડા સમા) કેટલાક પ્રોજેક્ટો સ્થગિત કરીને પણ ખેડૂતોની પડખે (હકીકતે) ઊભા રહેવાની સલાહ આપી છે. કુમાર કાનાણીએ કહ્યું છે કે ખેડૂતોની આર્થિક બરબાદી, ગંભીર સમસ્યાઓ ઊભી કરશે અને જો ખેડૂતો ખેતી જ કરતા બંધ થઈ જશે, તો તે સમગ્ર માનવજીવન માટે હાનિકર્તા નિવડશે. વગેરે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરષ્ટ્ર-કચ્છ માટે અલગ-અલગ કૃષિ સહાય પેકેજો જાહેર થાય અને જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે, તેવા સૌરાષ્ટ્રના હાલાર સહિતના જિલ્લાઓને વધુ સહાય મળે, તેવી માંગણી પણ ઊઠી રહી છે, કારણ કે માવઠાથી દ. ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને સર્વાધિક નુકસાન થયું છે, અથવા સંપૂર્ણ ખેતી તબાહ થઈ ગઈ છે, તેમ કહી શકાય.

માવઠાથી થયેલા નુકસાનના ડિજિટલ સહિતના સર્વેની પદ્ધતિ સાથે રાજ્યવ્યાપી વિરોધવંટોળ ઉઠ્યો છે અને કેટલાક સ્થળે તો ભાજપના ધારાસભ્યોને ખેડૂતોના આક્રોશનો જાહેર કાર્યક્રમોમાં જ સામનો કરવો પડયો હતો, તે જોતાં રાજ્ય સરકાર માટે ખેડૂતોને સંતોષકારક રાહત પેકેજ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં આપવું અને કયા માપદંડો રાખવા, તેનો પડકાર ઊભો થયો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્ય સરકાર અને તંત્રો દ્વારા થઈ રહેલી ગોળ-ગોળ વાતો અને વિરોધાભાસી પ્રત્યાઘાતો-નિવદેનો જોતા ખરેખર રાજ્ય સરકાર આ મુદ્દે મુંઝવણ અનુભવી રહી હોય તેમ જણાય છે. આ અંગે કેન્દ્રીય નેતૃત્વ પણ બિહારના ચૂંટણીપંચમાં વ્યસ્ત હોવાથી રાજ્ય સરકારે સ્વયં કોઈ નિર્ણય લેવો પડે તેમ છે. જો કે, જે જંગી નુકસાન થયું છે, તે જોતાં મોટું રાહત પેકેજ જાહેર કરવું પડે અને તેમાં કેન્દ્રીય સહયોગ અનિવાર્ય બને, પરંતુ ચૂંટણીની વ્યસ્તતાના કારણે કેન્દ્રીય નેતૃત્વ કદાચ આ મુદ્દે ધ્યાન આપી શકતું ન હોય, તેવું પણ બની શકે છે. કેટલાક કૃષિક્ષેત્રના વિશ્લેષકો ખેતીના નુકસાનનું સર્વે કર્યા વિના જ સહાય ચૂકવવાની જગ્યાએ જેને સર્વાધિક નુકસાન થયું હોય કે જેની ખેતી તદ્ન તબાહ જ થઈ ગઈ હોય, તેને મહત્તમ વળતર આપવા અને પ્રક્રિયામાં સમય જાય તેમ હોય તો ટોકનની જેમ લમસમ કાર્યકારી સહાય તત્કાળ ચૂકવીને તેને સર્વે પછી મળવાપાત્ર સહાય સાથે સરભર કરવાનો વચલો રસ્તો કાઢવાની એડવાઈઝ પણ આપી રહ્યા છે.

એવું મનાય છે કે રાજ્ય સરકાર હાલ તુરંત કોઈ લમસમ રાહત તત્કાળ ચૂકવીને કેન્દ્રના સહયોગથી નેતા દ્વારા જ જાહેર થાય, તેવો તખ્તો ગોઠવાય રહ્યો છે. ઘણાં લોકો આ જાહેરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ સાથે સાંકળી રહ્યા છે, તો કેટલાક લોકો આ પ્રકારની જાહેરાત કેન્દ્રીય કૃષિમંત્રી કરશે, તેવું પણ માને છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના કૃષિમંત્રી આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી આજે કોઈ તો સંકેતો આપશે તેવું મનાતું હતું, અને આજે આ મુદ્દે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. જગતના તાતને તબાહ થતો અટકાવવા હવે સરકાર કેટલી ઝડપથી ખેડૂતોના હાથમાં રોકડ સહાય મૂકે છે, તે જોવું રહ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતનો સુપર સન્ડે... તુલસી વિવાહના દિવસે જ નારીશક્તિનો પરચમ લ્હેરાયો... મેરા ભારત મહાન...ચક દે ઈન્ડિયા...

                                                                                                                                                                                                      

ગઈકાલે દેવોની દેવદિવાળી તરીકે ઓળખાતો તહેવાર હતો અને દેવઉઠી એકાદશી હતી. દ્વારકાના જગતમંદિર સહિત યાત્રાધામો તથા ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા હતા અને શેરડીના સાઠા સાથે તુલસીજી અને ભગવાન શાલીગ્રામનું ઘેર-ઘેર પૂજન થયું હતું. રંગોળીઓ દોરાઈ હતી, ફટાકડા ફૂટ્યા હતા અને કથા-કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. ઊના નજીકના જંગલમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામના મંદિરે તો આ પ્રસંગ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, અને માતા તુલસીના મહિમાનું ગાન થાય છે. તુલસીજીનું ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ પણ તુલસી છોડનું અલગ જ મહત્ત્વ છે, તેના ઉલ્લેખ સાથે આ દિવસે જન જાગૃતિ પણ ફેલાવાતી હોય છે.

ગઈકાલે ધાર્મિક સાંસ્કૃતિક ઉપરાંત ભારત માટે ક્રિક્ેટક્ષેત્રે પણ સુપર સન્ડે હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ ક્રિકેટ મેચ જીતીને ભારતે શ્રેણીમાં બરાબરી કરી લીધી, તો ભારતની મહિલા ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો. ગઈકાલે નવી મુંબઈમાં રમાયેલી આ રસાકસીભરી ફાયનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે  દ.આફ્રિકાની ટીમને ૫૨ રને હરાવીને જે શાનદાર સિદ્ધિ હાંસલ કરી, તેથી પુરવાર થઈ ગયું કે આપણાં દેશમાં વાસ્તવમાં મહિલાઓ પુરૂષ સમોવડી છે અને દરેક ક્ષેત્રમાં પુરૂષોના ખભેખભા મિલાવીને સંઘર્ષ પણ કરી શકે છે અને સફળતા પણ મેળવી શકે છે. ગઈકાલની મહિલા વર્લ્ડકપની જીત માત્ર ભારતીય મહિલાઓની નહીં પરંતુ દુનિયાભરની મહિલાઓ માટે ગૌરવનો દિવસ હતો, કારણ કે વિશ્વની બે શ્રેષ્ઠ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને બહેનોએ પૂરવાર કરી દીધું હતું કે "હમ કીસી સે કમ નહીં..."

ભારતમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રે પહેલેથી જ અગ્રેસર રહી છે અને ધર્મ-આધ્યાત્મકતા, શિક્ષણ અને શાસન, પ્રશાસનથી માંડીને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ફેઈમ યુદ્ધની રણભૂમિ સુધી મહિલાઓએ હંમેશાં સાહસ, હિંમત, આવડત, બુદ્ધિ-કૌશલ્ય, વીરતા અને જ્ઞાનનો પરિચય આપ્યો છે. આપણે ત્યાં કહેવત પણ છે કે દરેક સફળ પુરૂષની સફળતામાં મહિલાઓનો હાથ (સહયોગ) હોય છે. આપણે કસ્તુરબા ગાંધી, મણીબેન પટેલ, લલિતાદેવી શાસ્ત્રી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓના દૃષ્ટાંતો તથા ઋષિકાળથી લઈને રાજા-રજવાડાઓના કેટલાક દૃષ્ટાંતો પણ આપતા હોઈએ છીએ. એવી જ રીતે સફળ થયેલી સ્ત્રીઓને પણ પરિવારમાંથી જ પુરૂષોનું પ્રોત્સાહન મળતું હોય છે., જેથી ભારતમાં સ્ત્રી-પુરૂષને એક રથના બે પૈડાં પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના દૃષ્ટાંતો પતિ-પત્નીના અપાય છે, પરંતુ ઘણાં સફળ પુરૂષોની સફળતામાં માતા, બહેન, પુત્રી કે અન્ય મહિલા પરિવારજનનું યોગદાન અથવા ત્યાગ પણ હોય છે, જેનું દૃષ્ટાંત સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ છે, જેઓએ પિતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. આપણાં દેશમાં નારીશક્તિને માતા તરીકે પૂજવામાં આવે છે, અને ભગવાનના વિવિધ સ્વરૂપો સાથે પણ માતૃસ્વરૂપ જોડાયેલા છે. આપણે ત્યાં શ્રી લક્ષ્મી-નારાયણ, શ્રીરામ-સીતા, શિવ-પાર્વતી વગેરેનો મહિમા એ જ દર્શાવે છે કે નારીશક્તિનું સમાન માહત્મય છે.

ગઈકાલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ઝળહળતો વિજય થયો અને બીજી તરફ તુલસી વિવાહનો પ્રસંગ હતો, તે પણ અદ્ભુત સંગમ હતો. તુલસી માતાના શાલીગ્રામ ભગવાન (શ્યામ) સાથે લગ્નની જે કથા છે, તે પણ આપણાં દેશમાં ધાર્મિક માન્યતાઓ અને સાયન્ટિફિક તથા પર્યાવરણીય સંદર્ભોને પરસ્પર પરોક્ષ રીતે સાંકળતી હોય તેવું લાગે. ટૂંકમાં ભારતમાં મહિલાઓને પહેેલેથી જ ઉત્કૃષ્ટ દરજ્જો મળેલો છે.ં

આપણો દેશ પુરૂષપ્રધાન છે, અને મહિલાઓને તુચ્છ ગણે છે અથવા માત્ર ગૃહિણી ગણીને મહિલાઓને અન્ય ક્ષેત્રે અવગણવામાં આવે છે, તેવી માન્યતાઓ હવે ધીમે ધીમે દૂર થઈ રહી છે. એ પ્રકારની અપવાદરૂપ પરંતુ અનિચ્છનિય સ્થિતિ આજે દૂર થવા લાગી છે., તે આપણાં જ દેશના વિવિધ સેક્ટર્સમાં મહિલાઓની કામીયાબીઓ તથા સિદ્ધિઓએ પૂરવાર કર્યું છે. ભારતીય સેનામાં પણ મહિલા વિંગનું વિસ્તૃતિકરણ હોય, ખેલ જગત અને ઓલમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓની સફળતાઓ હોય કે અંતરિક્ષની ઉડાન હોય, આપણાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતાઓ અને સિદ્ધિઓ મેળવી રહી છે, મેડલ્સ જીતી રહી છે, વર્લ્ડકપો મેળવી રહી છે, અને તમામ ક્ષેત્રે સફળ થવા છતાં જમીન સાથે જોડાયેલી રહી છે, જે દેશ-દુનિયા માટે પથદર્શક ગરિમામય વાસ્તવિકતા છે. ઘણી સફળ અને સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી મહિલાઓ પોતાનો ઘરસંસાર પણ સારી રીતે સંભાળી રહી છે અને ગૃહસ્થી સાચવી રહી છે, તે પણ આપણાં દેશની પરિવાર સિસ્ટમ અને સંસ્કારોનું જ પરિણામ છે ને ?

આ વખતે મહિલા વર્લ્ડકપ વિજેતા ટીમને વર્ષ ૨૦૨૨ કરતા ચાર ગણું ઈનામ અપાયું અને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને પણ ટોકન ઈનામ અપાયું, તે સારી વાત છે, અને તેની આ ટીમો હક્કદાર પણ છે. બી.સી.સી.આઈ. જેવી ધનાઢય સંસ્થા પણ ખેલાડીઓને વિશેષ પુરસ્કારો આપે, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ દરેક રમત-ગમત સ્પર્ધાઓ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ટૂર્નામેન્ટો તથા એશિયાડ, કોમનવેલ્થ અને ઓલમ્પિક જેવા આયોજનો દરમ્યાન વિવિધ મેડલ્સ મેળવનાર તથા તમામ સ્પર્ધકોને આવી જ રીતે પ્રોત્સાહિત કરવા માટે કોઈ અલાયદી સિસ્ટમ કે મિકેનિઝમ ઊભું કરવાની જરૂર છે. અત્યારે જુદી જુદી રમતો તથા સ્પર્ધાઓ માટે અલગ-અલગ ફેડરેશનો તથા સ્થાપિત અને ખાનગી સંસ્થાઓ અસ્તિત્વમાં છે જ...જરૂર છે માત્ર સંગઠનની તથા આ તમામ ખેલ સંસ્થાઓને પક્ષીય રાજનીતિથી દૂર રાખવાની...પરંતુ તેવું થઈ શકે ખરૃં ?

મહિલા વર્લ્ડકપની ફાયનલમાં ભારતીય ટીમના વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગી નેતા રાહુલ ગાંધીએ જે શબ્દોમાં અભિનંદન આપ્યા છે, અને "એક્સ" પર જે પોસ્ટ મૂકી છે, તે જોતાં આપણાં દેશના સર્વોચ્ચ નેતૃત્વ તરફથી સમગ્ર મહિલા ખેલજગતને સમાન ધોરણે સુવિધાઓ, ફંડીંગ અને પુરસ્કારો મળશે, તેવી આશા જાગી છે.

ગઈકાલે દેવદિવાળીના તહેવારના ફટાકડા તો ફૂટતા જ હતા, પરંતુ મહિલા વર્લ્ડકપમાં વિજય મળતા જ મોડી રાતે તેની ઉજવણી પણ હાલાર સહિત્ ઠેર-ઠેર થઈ. ક્રિકેટ વર્લ્ડકપ મેળવીને ભારતની નારીશક્તિએ ઈતિહાસ રચ્યો છે, અને તે આ માટે દિવસ રાત મહેનત કરી છે, તેવી જ મહેનત બીજા નંબરે રહેલી દ.આફ્રિકાની ટીમની બહેનોએ પણ ઉજવણી કરી જ હશે...ટીમ વુમન ક્રિકેટ ઓફ ઈન્ડિયાને ઈતિહાસ રચવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'નોબત'ના અડીખમ સ્તંભ સ્વ. કિરણભાઈ માધવાણીની પ્રથમ પુણ્યતિથિ...

                                                                                                                                                                                                      

ભારે હૃદયે ભાવભરી શ્રદ્ધાંજલિ...

જામનગરના વિવિધ ક્ષેત્રોમાં દીર્ઘકાલિન સેવાઓ આ૫નાર કુશાગ્ર અગ્રણી અને "નોબત"ની કરોડરજ્જુ સમા વડીલ સ્વ. કિરણભાઈ માધવાણીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પહેલી નવેમ્બર-૨૦૨૪ના દિવસે તેઓ વૈકુંઠયાત્રાએ નીકળી ગયા.ત્યારે માધવાણી પરિવાર અને નોબત પરિવાર તથા તેઓના બહોળા મિત્રમંડળને કારમો આઘાત લાગ્યો હતો અને પત્રકાર જગતમાં, બેંકીંગ ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, લોહાણા સમાજ સહિત સૌ કોઈને આંચકો લાગ્યો હતો. અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વિક્રમ સંવતની તિથિ અનુસાર તેઓએ દીપોત્સવી પર્વે અનંતયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.

સ્વ. કિરણભાઈ પાંચ દાયકાથી "નોબત"ના અડીખમ સ્તંભ તો હતા જ, પરંતુ તેઓ સામાજિક સેવાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં પણ સતત કાર્યશીલ રહેતા હતા. જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક-નવાનગર બેંકના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અને લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે તેઓએ વર્ષો સુધી આપેેલી સેવાઓની સુવાસ આજે પણ પ્રસરી રહી છે. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું હતું. તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાં જરૂરતમંદ લોકોને રોજગારી અપાવી હતી અને સામાન્ય ગરીબ લોકોને સંકટના સમયે મદદ કરી હતી. તેઓએ તેઓના પુત્ર સ્વ. રોનક તથા નોબત પરિવારનું પથદર્શન કરીને "મેઘધનુ" સહિતના કાર્યક્રમો, નવરાત્રિના આયોજનો વગેરેમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ દાયકાઓથી બ્લડ ડોનેશન પ્રવૃત્તિના પ્રણેતા અને પછીથી થેલેસેમિયા પરીક્ષણના હિમાયતી રહ્યા હતા.

તેઓ બે દાયકાથી વધુ સમય માટે જામનગર લોહાણા મહાજનના ઉપપ્રમુખ રહ્યા, અને તે દરમ્યાન પંચેશ્વર ટાવર પાસેની લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ, વિવિધ ઉત્સવો, જલારામ જયંતીના કાર્યક્રમો તથા રઘુવંશી સમાજના કલ્યાણ, ઉત્કર્ષ અને શૈક્ષણિક-આર્થિક વિકાસ માટે તેઓનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તે ઉપરાંત તેઓના જીવનસંગિની જ્યોતિબેન માધવાણીની મહિલા ઉત્કર્ષ અને સામાજિક સેવાઓની પ્રવૃત્તિઓ પણ તેઓના પથદર્શક અને પ્રેરક રહ્યા હતા.

આઝાદી પછીના પહેલા દાયકામાં જ રાજ્યના પ્રથમ સાંધ્ય દૈનિક "નોબત" ની પ્રારંભિક યાત્રા જયારે પડકારોનો સામનો કરી રહી હતી, ત્યારે સ્વ. રતિલાલભાઈ માધવાણીની સાથે ખભેખભા મિલાવીને જ્યારે સમગ્ર પરિવારે સફળ સંઘર્ષ કર્યો હતો, તે સમયે કિરણભાઈ અખબાર વિતરણ, ફોટોગ્રાફી, બ્લોક બનાવવા, ટ્રેડલ મશીનના જમાનામાં બીબા ગોઠવવાથી લઈને માર્કેટીંગ, એડવર્ટાઈઝીંગ અને એકાઉન્ટીંગ, પ્રૂફ રિડીંગ સુધીનું કામ સંભાળતા હતા.

કિરણભાઈ પિતાના પગલે પગલે ચાલીને નખશીખ ઈમાનદાર, નિડર અને સ્પષ્ટવક્તા હતા. વિઘ્નસંતોષીઓ દ્વારા "નોબત" માંજ તેઓના પર સ્ટેબીંગ થયું, તે પછી તેઓએ જે દૃઢ મનોબળનો પરિચય આપ્યો અને જીવનના અંતિમ સમયની થોડા સમયની બીમારી સાથે પણ તેઓ ઝઝુમ્યા, તે તેઓનું પોલાદી મનોબળ અને પ્રબળ આત્મબળ દર્શાવે છે. સ્પષ્ટ વક્તા હોવા છતાં તેઓ અંદરથી મૃદુ અને ઘણાં જ સંવેદનશીલ, દયાળુ અને નરમદિલ હતા. આ કારણે જ તેઓનો બહોળો મિત્રવર્ગ આજે એક વર્ષ વિત્યા પછી પણ તેઓની વસમી વિદાયથી બહાર આવ્યો નથી. તેઓની વિદાયથી પરિવાર અને સમાજને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. નોબતના ખૂણે ખૂણે આજે પણ અમને બધાને સ્વ. કિરણભાઈની અનુભૂતિ થઈ રહી છે.

માધવાણી પરિવાર અને નોબત પરિવાર ઉપરાંત સમાજ, બેંકીંગ ક્ષેત્ર, લોહાણા મહાજન તથા વિવિધ ક્ષેત્રો માટે કિરણભાઈની વિદાય આઘાતજનક નિવડી હતી, પરંતુ ઈશ્વરની ઘટમાળ સામે પામર માનવીનું કાંઈ ચાલતું નથી. તેઓની સ્મૃતિઓ અને સત્કાર્યોની સુવાસના સ્વરૂપે તેઓ હંમેશાં આપણી વચ્ચે જ રહેવાના છે. ઠાકોરજી સ્વ. કિરણભાઈના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે આંખમાં આંસુ અને હૃદયના વલોપાત સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...

જયશ્રી કૃષ્ણ

 

જામનગર, તા. ૧-૧૧-૨૦૨૫

- માધવાણી પરિવાર - નોબત પરિવાર

આજે રાષ્ટ્રીય એકતા દિવસ... સરદાર પટેલને કોટિ કોટિ વંદન...

                                                                                                                                                                                                      

આજે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતીએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી જ કેવડિયાના એકતાનગરમાં પહોંચ્યા છે અને ગઈકાલે રૂ. ૧૨૧૯ કરોડથી વધુ રકમના વિકાસ ર્પ્રોજેકટોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યા છે. આજે સવારથી પ્રજાસત્તાક દિન ફેઈમ વિવિધ ઝાંખીઓ સાથે એકતા પરેડ યોજાયા પછી શ્રેણીબદ્ધ કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં દેશના સર્વોચ્ચ નેતૃત્વની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યા છે.

આજ થી દોઢ સદી પહેલા આ મહામાનવનો જન્મ ગુજરાતમાં થયો હતો, અને બ્રિટિશ સલ્તનત સામે લગભગ બે સદી સુધી ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામ પછી મળેલી આઝાદી તોઓએ ભારતમાં રાજા-રજવાડા-કબીલાઓને ભારતમાં સામેલ કરીને એક અને અખંડ ભારતનું સ્વાતંત્ર્ય સેનાનીઓનું સપનું સાકાર કર્યું હતું. તેથી આજે રાષ્ટ્રીય એકતા દિવસ પણ મનાવાઈ રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતી પણ ઉજવાઈ રહી છે, ત્યારે આપણે સૌ આ અખંડ ભારતના રચિયાતા અને દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ.

આજે એકતાનગરમાં ભારતીય વાયુસેનાના કરતબો, બીએસએફ દ્વારા ડોગ શો, સ્કૂલ બેન્ડ, બ્રાસ બેન્ડ, ઘોડા, ઊંટ અને શ્વાન દળોનું નિદર્શન, ડેર ડેવિલ રાઈડર્સ શો, મહિલાઓના માર્શલ આર્ટ સાથે પરેડ યોજાઈ અને વિવિધ સુરક્ષાદળો, અર્ધસૈન્ય દળો અને સેનાની પાંખો દ્વારા રજૂ થયેલા દેશભક્તિથી તરબતર અને ભારતની તાકાત દર્શાવતા વિવિધાસભર કાર્યક્રમોએ ગરિમામય આકર્ષણ જમાવ્યું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવનને અદ્ભુત રીતે રજૂ કરતા નાટક "લોહપુરૂષ"ની પ્રસ્તૂતિએ સૌને ગદ્ગદીત કરી દીધા હતા. દેશના વિવિધ રાજ્યોની વિવિધતાઓ, વિકાસ, સંસ્કૃતિ અને ઈતિહાસ વગેરેને સાંકળતુ એકઝીબિશન પણ અહીં ૧૫ દિવસ સુધી ખુલ્લું રહેશે. તેવું જાહેર કરાયું હતું. આ કાર્યક્રમોનું જિંવંત પ્રસારણ પણ રાજ્ય અને દેશભરમાં તથા મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિદેશોમાં વસવાટ કરતા ભારતીયોએ નિહાળ્યું હતું.

આજે વિવિધ પ્રકારના પડકારો અને કુદરતના બદલતા ઘટનાક્રમો વચ્ચે ભારતીયોએ સ્વાતંત્ર્ય ચળવળ સમયે હતી તેવી દેશભાવના સાથે ફરીથી એકજૂથ થઈ જવાની જરૂર છે, અને આઝાદી મળ્યા પછી પ્રારંભમાં ઉઠ્યા હતા તેવા ફરીથી ઉઠી રહેલા કેટલાક વાદ-વિવાદોને બાજુ પર મૂકીને નવા પડકારો સામે ટકી રહેવા એકજૂથ થવું પડે તેમ છે. ભાષાવાદ, જાતિવાદ, પ્રદેશવાદ, વર્ગવિગ્રહ, ધર્મ-સંપ્રદાય કે અન્ય ભાવનાત્મક વિવાદોને ટાળીને પરસ્પર સન્માન અને સદ્ભાવ સાથે સહ-અસ્તિત્વ ટકાવી રાખવા મથવું પડે તેમ છે. નફરતના સ્થાને પ્રેમ અને વિવાદના સ્થાને સંવાદ સાધવાની કવાયત હવે વધારવી જ પડે તેમ છે. લોકતંત્રને વધુ મજબૂત કરીને ભારતને એક અને અખંડ રાખવા ફરીથી સરદાર પટેલની વ્યૂહાત્મક રણનીતિ અપનાવવી પડે તેમ છે.

બંધારણને સર્વોપરી ગણીને તથા સત્તા, શક્તિ અને સંખ્યાલક્ષી લોકતાંત્રિક પ્રવૃત્તિઓમાં સહભાવ, સૌજન્યતા અને સંયમની જરૂર છે. ઘમંડ અને ગાલી-ગલોચની ભાષાના સ્થાને તાર્કિત અને તથ્યપૂર્ણ પ્રસ્તૂતિ સાથે પ્રશંસા કે ટીકાઓ અથવા સહમતિ અને અસહમતિના અધિકારોનો ઉપયોગ કરવો જરૂરી છે. લોકતંત્રમાં સત્તાનો ઘમંડ સ્વીકાર્ય પણ નથી અને સારા પરિણામો પણ લાવતો હોતો નથી, તેવી જ રીતે બંધારણે આપેલી અભિવ્યક્તિની આઝાદીનો દુરૂપયોગ કે સભ્યતા અને સુરૂચિનો ભંગ કરે તેવી હરકતો પણ સ્વીકાર્ય ગણાતી નથી. ચૂંટણી પ્રચાર સમયે તો સંયમ અને સૌજન્યતા સૌથી વધુ જરૂરી હોય છે, કારણ કે ભારતની ૭૫ વર્ષ ઓળંગી ગયેલી આઝાદી પછી દેશની જનતા હવે એટલું તો શિખી જ ગઈ છે કે ક્યારે, કોને, કેટલો જનાદેશ આપવો, ક્યારે અને કોને સત્તાના સિંહાસને બેસાડવા અને ક્યારે અને કોને સત્તા પરથી ફેંકી દેવા...

અત્યારે એક તરફ ટ્રમ્પ ટેરિફનો આતંક વધી રહ્યો છે, તો બીજી તરફ પડોશી આતંકવાદી દેશની હરકતો બદલતી નથી. ભારતની ફરતે ચીન, બાંગલાદેશ અને પાકિસ્તાન જેવા દેશો ઘેરાબંધી કરી રહ્યા છે, તો હવે અમેરિકા (ટ્રમ્પ) પણ આડુ ફાટ્યું છે. રશિયા જુનુ મિત્ર છે, એ ખરૃં, પરંતુ તેની ક્ષમતા અને ભૂમિકા પણ હવે વૈશ્વિક પ્રવાહો, યુક્રેન યુદ્ધ અને અમેરિકા સાથેના ઠંડા યુદ્ધના કારણે ડગમગી રહી છે, આ સંજોગોમાં આપણે હવે એક અને અતૂટ જ રહેવું પડે તેમ છે. ભારત આઝાદ થયા પછી અવરિત પ્રગતિ કરતું રહ્યું, તબક્કાવાર સ્વાવલંબી બનતું રહ્યું, વિકસતું રહ્યું, સમૃદ્ધ બનતું ગયું અને આજે વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં પહોંચ્યું છે, ત્યારે ભારતથી આગળની હાલની મહાસત્તાઓ અમેરિકા, ચીન વગેરેને તે ગમતું નહીં હોય, તેથી તેઓ પણ હવે ભારત સામે એકજૂથ થઈ રહ્યા છે અને ટ્રમ્પ-જીનપીંગે હાથ મિલાવ્યા છે, તેથી ભારતે હવે ચેતવા જેવું છે.

સ્વાતંત્ર્યની ચળવળ સમયે ગાંધીજીએ માત્ર રાજકીય નહીં, પરંતુ આર્થિક આઝાદીની વાત પણ કરી હતી. ભારત આઝાદ ભલે થયું, પરંતુ હવે આબાદ કરવાનો પડકાર છે, તેવો સંદેશ પણ અપાયો હતો, ગાંધીજીની સ્વદેશીની ચળવળ આગળ વધારવાના બદલે આપણે ધીમે-ધીમે "મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિશ્તાની" જેવી ફિલ્મી પંક્તિઓમાં પડઘાતી આઝાદી પછીના દાયકાઓની સ્થિતિ મુજબ વિદેશી વસ્તુઓ અપનાવતા થઈ ગયા, તેના કારણે જ આજે આપણે ટ્રમ્પ જેવા તરંગી તિક્કડબાજના ટેરિફ સામે ઝઝુમવુ પડી રહ્યું છે અને ચીન જેવા દગાબાજ પડોશી દેશ સાથે પણ મોટા પાયે વ્યાપાર કરીને ત્યાંથી ઘણી વસ્તુઓની આયાત કરવી પડી રહી છે.

નહેરૂ, સરદાર પટેલ અને ગાંધીજી જેવા મહાપુરૂષો આઝાદી પછી તબક્કાવાર પહેલા પ્રેરણાના પાત્રો હતા તે ધીમે ધીમે રાજકીય પ્રચારના માધ્યમો બની ગયા અને ચૂંટણીઓ જીતવા માટેના ઓજારની જેમ તેઓનો ઉપયોગ થવા લાગ્યો, તે આપણી કમનસીબી જ છે ને ? સરદાર વલ્લભભાઈ પટેલ ને કોટિ કોટિ વંદન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કોણ કોનાથી ડરે છે ? તરંગી તુક્કાબાજી અને તિક્કડમ્...! કેવો મળશે જનાદેશ ? વૈશ્વિક પ્રવાહોના રાષ્ટ્રીય પ્રત્યાઘાતો...

                                                                                                                                                                                                      

માવઠાના માર થી જેવી રીતે ઘણાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને ખેતીપાકને નુકસાન થયું, અને ખેડૂતોએ સરકાર તરફ મીટ માંડી, તેવી જ રીતે ટ્રમ્પના ટેરિફનો માર ભારત સહિત દુનિયાના ઘણાં દેશો સહન કરી રહ્યા છે, ત્યારે ધૂની-તરંગી અને અવિશ્વસનિય બની ગયેલા ટ્રમ્પની તિક્કડમબાજી પણ સતત ચાલી રહી છે. ટ્રમ્પે ચીન તરફ નરમ વલણ દેખાડયા પછી હવે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે, અને તેના કરતાંયે વધુ મહત્ત્વનું એ છે કે ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાના સંકેતો પણ આપ્યા છે. તેમણે કહ્યું છે કે "મોદી હેન્ડસમ અને જબરદસ્ત ઈન્સાન છે." તેઓ ઘણાં જ ટફ છે. અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. તેમણે એમ પણ કહ્યું કે, "ભારત અને પાકિસ્તાનની વાત કરવા માંગતા હોવ તો હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યો છું. !"

એવા અહેવાલો પણ છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ ન કરે પણ ઘટાડો કરવા સંમત થાય તો અમેરિકા ટેરિફ ૧૬ ટકા કરવા તૈયાર છે.

આ અહેવાલો પછી ભારતના વ્યાપાર ઉદ્યોગ અને આર્થિક ક્ષેત્રે ભલે પોઝિટીવ પ્રત્યાઘાતો પડયા હોય કે પછી મીડિયામાં પી.એમ.મોદીની પ્રશંસા થતી રહે, પરંતુ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધીનું મંતવ્ય કાંઈક અલગ જ છે અને મીડિયા અહેવાલો મુજબ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી અમેરિકા (ટ્રમ્પ)થી ડરે છે.

રાહુલ ગાંધીની સોશ્યલ મીડિયાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશ-વિદેશમાં સતત અપમાન કરી રહ્યા છે, જેનું તાજું દૃષ્ટાંત દક્ષિણ કોરિયાનું છે. ટ્રમ્પે ફરીથી કહ્યું છે કે, તેમણે ટ્રેડનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે સાત વિમાનો તોડી પડાયા હતા.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા હોય તેમ લખ્યું કે તેઓ (મોદી) ડરે નહીં, અને ટ્રમ્પને જવાબ આપવાની હિંમત બતાવે.

એક ચૂંટણી પ્રચારમાં પણ રાહુલ ગાંધીએ પડકાર ફેંકયો કે બિહારની ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી કહી બતાવે કે "ટ્રમ્પ જુઠ્ઠું બોલી રહ્યા છે".

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે આવી હિંમત મોદી દાખવી શકે તેમ જ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિએ વારંવાર કહ્યું કે તેમણે ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂર અટકાવ્યું, પરંતુ નરેન્દ્ર મોદી તે અંગે કાંઈ પણ કહેતા નથી. મોદીજીએ એક વખત પણ એવું નથી કહ્યું કે ટ્રમ્પ આડી-અવળી (ખોટી) વાતો કરી રહ્યા છે.

બીજી તરફ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને ટ્રેડ ડીલ અંગેના સંકેતો આપ્યા, તથા ટેરિફમાં ઘટાડો થશે, તેવી આશા જાગી છે, તેના અહેવાલો ખૂબજ ઝડપથી અને વ્યાપક રીતે પ્રચલિત અને પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ એ જ સમયે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન અને તેના સેનાધ્યક્ષ મુનિરના પણ વખાણ કર્યા હતા., તેની ચર્ચા ઓછી થઈ રહી છે, કારણ કે હવે ટ્રમ્પની "ડબલ ઢોલકી" ને તથા ટ્રમ્પ ટેરિફ વોર તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના પડઘા બિહારના ચૂંટણી પ્રચારમાં પડવા લાગ્યા હોવાથી આ મુદ્દો અત્યારે તો પૂર્ણપણે રાજકીય જ બની ગયો છે, અને કોણ સાચુ અને કોણ જુઠ્ઠું એ પણ જનતા જાણે જ છે ને ?

જો કે, મત માટે નાચવાના કટાક્ષનો મદ્દો એટલો બધો ગરમાયો છે કે લાલઘૂમ થયેલા ભાજપના નેતાઓ પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કરી રહ્યા છે.  અમિત શાહે તો ત્યાં સુધી કહી દીધું કે સોનીયા ગાંધી રાહુલને વડાપ્રધાન બનાવવા માંગે છે, અને લાલુ યાદવ તેના દીકરા (તેજસ્વી)ને બિહારના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. પરંતુ દિલ્હીમાં નરેન્દ્ર મોદી છે અને બિહારમાં નિતીશકુમાર છે, તેથી હાલમાં કોઈ જગ્યા ખાલી નથી !

ચૂંટણીના પ્રચાર દરમ્યાન ઘણાં જુઠ્ઠાણા ચાલતા હોય છે, જ્યારે ઘણાં કડવા સત્યો પણ બહાર આવી જતા હોય છે. આ તરફ વર્ષ ૨૦૨૬ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે આ વખતે યુરોપિયન કમિશનના પ્રમુખ યુર્સલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયા કોસ્ટાને ભારત સરકારે આમંત્રિત કર્યા હોવાના અહેવાલો જોતા, તેને ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક સંબંધો વધતા ટ્રમ્પના ટેરિફ એટેકનો સામનો કરવા તરફનું વ્યૂહાત્મક કદમ ગણાવાઈ રહ્યું છે. આ માટે નક્કી કરાયેલા એજન્ડામાં મૂક્ત વ્યાપાર (એફ.ટી.એ.) ઉપરાંત રક્ષાક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ ડીલની સંભાવના જણાવાઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી સભાઓમાં રાહુલ ગાંધી જે સટાસટી બોલાવી રહ્યા છે, તેના કેન્દ્રસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હોય છે... જોઈએ, બિહારની જનતાનો જનાદેશ શું આવે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સર...સર...સર... બિહાર પછી હવે ૧૨ રાજ્યોમાં ચૂંટણીપંચ આદરશે ઝુંબેશ... તૈયાર રહેજો...બી એલર્ટ...

                                                                                                                                                                                                      

આપણે સામાન્ય રીતે સ્કૂલોમાં વિદ્યાર્થીઓના મૂખેથી તેના શિક્ષક માટે "સર" જેવો શબ્દ સાંભળતા હોઈએ છીએ, તેવી જ રીતે કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓ માટે જુનિયર અધિકારીઓ તથા સ્ટાફ પણ આ માનવાચક શબ્દનો ઉપયોગ કરતા હોય છે., પરંતુ જ્યારે અંગ્રેજીના  "સર" શબ્દોના "એસઆઈઆર" આલ્ફાબેટને અલગ અલગ કરીને તેના ફૂલ ફોર્મ્સ કરીએ, તો અંગ્રેજીમાં તેના ભિન્ન ભિન્ન ઉચ્ચાર અને ભિન્ન ભિન્ન અર્થ થતા હોય છે., તેમાંથી ચૂંટણીપંચના તાજેતરના એક અભિવાદનના "સર" એટલે કે એસઆઈઆરની હમણાંથી સર્વાધિક ચર્ચા થઈ રહી છે.

આમ તો, એસઆઈઆર ગુજરાતમાં ઘણાં સમયથી પ્રચલિત એક મેગા પ્રોજેક્ટનું પણ નામ છે જે હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી પ્રચલિત છે. આ મેગા પ્રોજેકટનું ફૂલફોર્મ સ્પેશિયલ "ઈન્વેસ્ટમેન્ટ રિજિયન" છે, જેમાં ચોક્કસ વિસ્તારોના વિકાસ માટે ઈન્વેસ્ટરોને આકર્ષવાનો કોન્સેપ્ટ હતો. ગુજરાતનું ઘોલેરાસર તેનું દૃષ્ટાંત છે.

એસ.આઈ.આર., એટલે કે "સર" ના કોન્સેપ્ટને સાકાર કરવા માટે ગુજરાત વિધાનસભામાં સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ એકટ-૨૦૦૯ પસાર કરાયો હતો, જેમાં ઔદ્યોગિક અને માળખાકીય ક્ષેત્રોમાં મૂડીરોકાણના દ્વાર ખૂલ્યા હતા અને તે માટે લિગલ ફ્રેમવર્ક, ઉદ્ેશ્ય, ગવર્નન્સ વગેરેની વિસ્તૃત જોગવાઈ કરાઈ હતી, અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ સિટી વિકસાવવાના અને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરની જેમ ઔદ્યોગિક-માળખાકીય વિકાસ કરવાની વિપુલ તકો અપાઈ હતી.

નાણા ક્ષેત્રે એસઆઈઆરનું ફૂલફોર્મ સ્ટ્રક્ચર્ડ ઈન્વેસ્ટમેન્ટ રિવ્યુનો અર્થ મૂડીરોકાણની સમીક્ષાને સંબંધિત છે. આ કોન્સેપ્ટ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો ડિટેઈલ રિવ્યુ થાય છે., અને તેના આધારે નીતિઓ (પોલીસી) નક્કી થાય છે.

અંતરીક્ષ તકનીકોના સંદર્ભમાં એસઆઈઆર અથવા "સર"નું ફૂલફોર્મ સેટેલાઈટ ઈન્ફારેડ થાય છે. જે સેટેલાઈટમાં એનર્જીનું સંબંધિત રિમોટ સેન્સીંગ સિસ્ટમ છે. એવી જ રીતે સાયન્સ ક્ષેત્રે સ્ટાન્ડરડાઈઝ્ડ ઈન્સિડન્સ રેસિયો, સ્ટાન્ડરડાઈઝ ઈન્ફેકશન રેસિયો, સ્પેસબોર્ન ઈમેજીંગ રડાર વગેરે માટે "સર" અથવા એસઆઈઆર વપરાય છે. બિઝનેસ સેકટરમાં પણ સેલ્ફ-ઈન્સ્યોર્ડ રેટેન્શન, સપ્લાયર ઈન્વોયસ રિકવેસ્ટ, સેલ્ફ ઈન્વેસ્ટીંગ રિપોર્ટ વિગેરે શબ્દો પ્રચલીત છે. તે ઉપરાંત વિવિધ સંદર્ભોમાં સમરી ઈન્ફર્મેશન રિટર્ન, સ્કોલર ઈન રેસિડેન્સ વગેરે માટે એસઆઈઆર (સર) નો સંક્ષિપ્ત શબ્દપ્રયોગ થાય છે.

આપણે અહીં વાત કરવી છે, તે એ એસઆઈઆરની છે, જે આજે દેશભરમાં ચર્ચાનો વિષય છે અને આ મુદ્દો બિહારના રાજકીય ગલીયારાઓથી લઈને સુપ્રિમકોર્ટ સુધી પડઘાયો હતો.

ચૂંટણપંચે બિહારમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન કરાવ્યા પછી ઘણો હોબાળો થયો હતો. અને વિપક્ષોએ એનડીએ પર આક્ષેપો લગાવ્યા હતા, અને ચૂંટણીપંચને પણ ઘેર્યું હતું. તે પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને હવે ચૂંટણીપંચે આ જ પ્રકારની પ્રક્રિયા દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવાનું નક્કી કર્યું છે, જેના ઘેરા પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.

ગઈકાલે ચૂંટણીપંચે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની મતદાર યાદીનું એસઆઈઆર કરવામાં આવશે. બીજા તબક્કામાં જે ૧૨ રાજ્યોનો સમાવેશ કરાયો છે, તેમાં ગુજરાત પણ છે. અને આ પ્રક્રિયા ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બરે હંગામી મતદારયાદી, આઠમી જાન્યુઆરી-૨૦૨૬ સુધી સુધારા-વધારા અને સાતમી ફેબ્રુઆરીના દિવસે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી શકાશે. આ પ્રક્રિયા દરમ્યાન મતદારયાદીમાંથી મૃતકો તથા કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામો તો રદ કરાશે જ, સાથે સાથે મતદાનની પાત્રતા ધરાવતા મતદારોનો ઉમેરો, તથા નાગરિકતા ચકાસવા માટે ડોર-ટૂ-ડોર ચકાસણી થવાની છે. આ અંગે જે પ્રક્રિયા બિહારમાં થઈ છે, તેવી રીતે તમામ પ્રક્રિયા સંપન્ન થશે, તેમ લાગે છે.

આમ તો મધ્યરાત્રીથી બીજો તબક્કો શરૃ થઈ જતા તંત્રો આજથી જ નવ રાજ્યો અને ત્રણ રાજ્યોમાં એસઆઈઆરના કામે લાગી ગયા છે., અને પ્રાથમિક તૈયારીઓ કરી રહ્યા હોવાના અહેવાલો જોતા ચૂંટણીપંચ આ મુદ્દે ખૂબ જ ગંભીર હોવાનું પ્રતિત થાય છે.

કોંગ્રેસે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એસઆઈઆરના મુદ્દે જે સવાલો ઉઠાવ્યા છે તે જોતા આ મુદ્દો હવે રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. અને તંત્રોમાં પણ આ કપરી કામગીરીને સંપન્ન કરવાની દોડધામ થઈ રહી છે, ત્યારે મતદારોએ પણ પોતાનું નામ મતદારયાદીમાંની નીકળી જાય નહીં તે માટે જાગૃત રહેવું પડશે. આ ચકાસણી માટે ક્યા-ક્યા દસ્તાવેજો માન્ય રહેશે, તેની આગોતરી જાણકારી મેળવીને બીએલઓની મુલાકાત સમયે તે દસ્તાવેજો તૈયાર પણ રાખવા પડશે.

ચૂંટણીપંચ કે સરકાર તરફથી જ્યારે જયારે ડોર-ટૂ-ડોર મુલાકાત લઈને કોઈ પણ પ્રક્રિયાની જાહેરાત થાય છે, ત્યારે ત્યારે ઘણાં સ્થળે ડોર-ટૂ-ડોર મુલાકાત લેવાના  બદલે શેરી-મહોલ્લા કે સોસાયટીના એકાદ સ્થળે ખુરશી ટેબલ ગોઠવીને બીએલઓ દ્વારા આ પ્રક્રિયા થતી હોય છે, તેથી પુરતો પ્રચાર થયો ન હોય, લોકોને ખબર જ ન હોય કે સમય-તારીખમાં પહોંચી શકાય તેમ ન હોય, તેવા લોકો આ પ્રક્રિયાથી જ વંચિત રહી જતા હોય છે, તેથી ઓસઆઈઆર જેવા મુદ્દે વાસ્તવમાં ઘેર-ઘેર ફરીને અને ઘર બંધ હોય તો ફરીથી મુલાકાત લેવા કે ઘરની આજુબાજુમાંથી માહિતી મેળવીને અથવા ફોન નંબર દ્વારા જે-તે વ્યક્તિનો સંપર્ક કરવો અત્યંત જરૃરી છે, કારણ કે આવું થશે તો જ સ્થળાંતરિત કે મૃતકોના નામ કમી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માવઠાનો માર... સફાળી જાગી સરકાર... આંદોલનનો થયો રણકાર... સી.એમ. પદ બદલવાના એંધાણ ?

                                                                                                                                                                                                      

આ વર્ષે ચોમાસુ તો લાંબુ ચાલ્યુ જ હતું અને હવે માવઠાનો માર પડી રહ્યો છે. છેલ્લા બે-ચાર દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસી રહેલા વરસાદના કારણે હવે નવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. આ સંકટના સમયે દેશના કેટલાક વિસ્તારોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૨૧મો હપ્તો હજુ સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા નહીં થયો હોવાથી લગભગ દસેક કરોડ ખેડૂતો તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હોવાના પણ અહેવાલો છે. આ હપ્તો દિવાળી પહેલા જ તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થઈ જવો જોઈતો હતો, પરંતુ હવે મોદી સરકાર બાકીના ખેડૂતોના ખાતામાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આ હપ્તો જમા કરાવી શકે છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્ય સરકારોને ઈ-કેવાયસી, આધાર સીડીંગ અને અન્ય પ્રક્રિયા પૂરી કરીને ચકાસાયેલી ખેડૂત લાભાર્થીઓની યાદી સત્વરે કેન્દ્રને મોકલી આપવા જે અપીલ કરી છે, તે દર્શાવે છે કે કેન્દ્ર અને રાજયો વચ્ચે આ યોજનાના સંદર્ભે જોઈએ તેવો તાલમેળ નથી અથવા આ મુદ્દે પણ રાજનીતિ રમાઈ રહી છે. કેટલાક વિવેચકો કેટલાક રાજ્યોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિનો રૂા. બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવા થયેલા વિલંબને બિહારની ચૂંટણીમાં થનારા પ્રથમ તબક્કાના મતદાન સાથે પણ સાંકળે છે, જ્યારે કેટલાક વિવેચકો આને પ્રક્રિયાત્મક વિલંબ અને કેટલાક રાજયોમાં તંત્રોની લાપરવાહી અથવા અસહયોગ પણ ગણાવે છે.

પડ્યા પર લાત લાગે તેવી રીતે હવે રાજ્યમાં માવઠાનો માર પડી રહ્યો છે. આજે પણ સવારથી જ હાલાર સહિત રાજયમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે, અને હવામાન ખાતાએ જુદા જુદા એલર્ટ આપ્યા છે. ગઈ રાત્રે પણ જામનગર સહિત અનેક સ્થળે વારસાદ પડતા રસ્તાઓ પર પાણી નીકળ્યા અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો ચિંતા ઊભી કરનારા છે. કેટલાક ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા ભાગવત સપ્તાહના આયોજનોમાં પણ કમોસમી વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો હોવાના અહેવાલો જોતાં દિવાળીના તહેવારો પછી આવેલી આ કુદરતી આફતે જનજીવન પર માઠી અસર તો કરી જ છે, પરંતુ, આ કારણે જગતના તાત ધરતીપુત્રોને પડનારો આર્થિક ફટકો પણ ચિંતાજનક છે અને જેને જેને હકીકતે ભારે નુકસાન થયું હોય, તેઓને તત્કાળ સહાયની જરૂર છે.

માવઠાનો માર પડ્યો અને ખેડૂતોની માઠી દશાની સ્થિતિ પછી રાજ્ય સરકાર પણ સફાળી જાગી છે. જામનગર જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરના ભયસૂચક સિગ્નલો લગાવાયા અને વારસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં ઠંડક અને લોકોમાં ઉચાટ પ્રસર્યા છે. આજે સવારથી ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા પવન અને ઘટાટોપ વાદળોથી છવાયેલા વાતાવરણ વચ્ચે ૩૦મી ઓક્ટોબર સુધી વરસાવદની નવી આગાહી થતાં માત્ર ખેડૂતો નહીં, તમામ લોકો વિમાસણમાં મુકાયા છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે, જેથી તાજેતરમાં દરિયામાં એક બોટ ડૂબી જતાં આઠ લોકોનું મહામુસીબતે કરાયેલા રેસ્કયૂ જેવી દુર્ઘટનાને નિવારી શકાય.

જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે આ મુદ્દે તત્કાળ સિનિયર અને સંબંધિત મંત્રીઓની બેઠક યોજીને અડધો ડઝન જેટલા રાજ્ય સરકારના મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપ્યા પછી આજે જિલ્લે-જિલ્લે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના નેતાઓ સહિતના જનપ્રતિનિધિઓ પણ પોતપોતાના વિસ્તારોની સ્થિતિનું આલંકન કરીને તંત્રો સમક્ષ રજૂ કરી રહ્યા છે. પ્રાથમિક તબક્કે જ્યાં જરૂર જણાય ત્યાં લોકોને તત્કાળ મદદ-રાહત-બચાવની કામગીરી અને તે પછી તબક્કાવાર સર્વે કરીને ખેડૂતોને થયેલા ખેતીપાકના નુકસાન સંદર્ભે ઝડપભેર સહાય ચૂકવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આગામી ૪૮ કલાકમાં રાજ્ય સરકાર ખેડૂતોના હિતાથે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરશે, તેવા સંકેતો પણ અપાઈ રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદથી ફેલાઈ રહેલા સિઝનલ રોગચાળા સંદર્ભે ઝડપભેર પગલાં લેવા તથા સફાઈ-સ્વચ્છતાના શ્રેણીબદ્ધ કદમ તત્કાળ ઉઠાવવાના નિર્દેશો પણ અપાઈ રહ્યા છે.

માવઠાને કારણે ઠેર-ઠેર વીજપુરવઠો પણ ખોરવાયો છે, અને સંખ્યાબંધ ફીડરમાં માવઠાના કારણે ટ્રાન્સફોર્મર્સ ડેમેજ થતા અને કેટલાક સ્થળે થાંભલાઓ પડી જતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રિથી અંધારપટ છવાયો છે. તે ઉપરાંત વીજ કરંટથી લોકોનો જીવ ગયો હોવાના દુઃખદાયી અહેવાલો પણ આવ્યા છે. વીજતંત્રની ટીમો પુરવઠો પૂર્વવત કરવા કામે લાગી ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ ભાજપ સરકાર પર કોંગ્રેસે તડાપીટ બોલાવી છે અને સૌરાષ્ટ્રમાં વર્તમાન વિકટ સ્થિતિમાં સરકાર નિષ્ક્રિય હોવાના આક્ષેપો કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે ભાજપના નેતાઓ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ધરતીપુત્રો માટ રાજય સરકાર જરાયે ચિંતિત જણાતી નથી. તેમણેે સત્વરે રાહત પેકેજ જાહેર કરવા અને દેવામાફીની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ ગામે ગામ ઉગ્ર આંદોલનો કરશે, તેવી ચિમકી પણ રાજ્ય સરકારને આપી છે. તેમણે ભૂપેન્દ્ર પટેલ સરકારને રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર ગણાવીને ધગધગતા શાબ્દિક પ્રહારો કર્યા હતા, તો કેટલાક કોંગી નેતાઓએ તો બિહારની ચૂંટણી પછી ગુજરાતના મુખ્યમંત્રી પણ બદલાઈ જશે, તેવી ભવિષ્યવાણી કરી દીધી છે !

ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળે, તે માટે એપીએમસીમાં ગ્રેડર રાખવાના મુદ્દે પણ ભાજપ પર પ્રહારો થઈ રહ્યા છે અને ડિજિટલ બોર્ડ પર માહિતી દર્શાવાતી નહીં હોવાના આક્ષેપો સાથે રાજ્યના એપીએમસી પર ભાજપના મળતિયાઓએ ગોડાઉનો પર કબ્જો જમાવી દેવાયો હોવાના સણસણતા પ્રહારો થઈ રહ્યા છે, અને તેની સામે આને વિપક્ષની હતાશા ગણાવતા પ્રતિપ્રહારો થઈ રહ્યા છે, ત્યારે સહકારીક્ષેત્રે પણ રાજકારણ ગરમાયુ છે. આ પ્રકારના પ્રહારો કરાવનાર ભાજપના જ પરિબળો હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે.

આ તમામા ઘટનાક્રમો વચ્ચે જયારે ખેડૂતો માવઠાના મારથી પીડિત છે, ત્યારે રાજનીતિ ઉપર ઉઠીને શાસકપક્ષ અને વિપક્ષો પ્રોપાગન્ડા બંધ કરીને હકીકતમાં ખેડૂતોની વચ્ચે જઈને તેઓને મદદરૂપ થાય, તે જરૂરી હોવાના તટસ્થ પ્રતિભાવો પડી રહ્યા છે.

એક વર્ગ એવો પણ છે કે જેને વરસાદી પ્રકોપથી માલ-મિલકત, દુકાનો-ઘરવખરી કે રોજગારીના સાધનોને નુકસાન થયું હોય અને માંડ માંડ ગુજરાન ચલાવતા આ પ્રકારના લોકોને પણ સરકારે ખેતીના નુકસાનની જેમ જ સર્વે કરાવીને સહાયભૂત થવું જોઈએ, તેવી જનમાંગણીને પણ વિપક્ષોનું સમર્થન મળશે, તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે. જોઈએ, હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તહેવારો અને કાર્યક્રમોના ધમધમાટ વચ્ચે શરૂ થયું નવું વર્ષ... જાગ્યા ત્યારથી સવાર...!

                                                                                                                                                                                                      

દિવાળીના તહેવારોમાં લાભપાંચમ વીતી ગઈ, પરંતુ હજુ દેવદિવાળી-તુલસીવિવાહ સુધીનો સમયગાળો તથા દિવાળી વેકેશનનો સંયોગ હોવાથી હજુ પણ યાત્રા-પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની નોંધપાત્ર અવર-જવર રહેવાની છે, અને બીજી તરફ કારતક મહિનામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક અને પારંપારિક પ્રસંગો-કાર્યક્રમોની શ્રૃંખલા પણ ચાલી રહી હોવાથી હજી પણ માહોલ ધમધમતો જ રહેવાનો છે.

નવું વર્ષ શરૂ થયું અને લાભપાંચમ સુધી રજાઓ ભોગવ્યા પછી બજારો અને માર્કેટીંગ યાર્ડો પુનઃ ધમધમવા લાગ્યા. મીની વેકેશન માણીને વ્યાપારી વર્ગ તથા ઔદ્યોગિક ક્ષેત્રના કેટલાક લોકો પાછા પોતપોતાના કામે લાગ્યા.

જામનગરમાં પણ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહોના કારણે હજુ પણ એકાદશી અને દેવદિવાળી સુધી ધમધમાટ રહેવાનો છે, અને તેમાં પણ શરૂસેક્શન રોડ પર ચાલી રહેલી જિગ્નેશ દાદાની કથાએ અનોખું આકર્ષણ જમાવ્યું છે, અને ત્યાં દરરોજ હજારો લોકો ઉમટી રહ્યા છે.

નવા વર્ષ, નવી આશા, નવો ઉમંગ અને નવા સપના સાકાર કરવાની ઊર્જા આ પ્રકારના મંગલમય આયોજનોમાંથી પણ મળતી હોય છે. બીજી તરફ ખેતીવાડીની મહત્ત્વપૂર્ણ સિઝન પણ શરૂ થતી હોય છે, જેમાં ખરીફ પાકો લણીને તેનું વેંચાણ કરવા માટે ખેડૂતો માર્કેટ સુધી પહોંચતા હોય છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેલ બગાડ્યો છે, પરંતુ એકંદરે આ વર્ષ કૃષિક્ષેત્રે કાંઈક આશાવાદી ચિત્ર પણ ઊભું થયું છે, જેમાં ખેડૂતોની માંગણી મુજબ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની મર્યાદા વધારવામાં આવે, તો તે ખેડૂતો માટે નવા વર્ષનું બોનસ ગણાશે, જો કે આ માટે નવેસરથી મિકેનિઝમ કે પ્રક્રિયા કરવી પડે, તો પણ આપણી અદ્યતન બનેલી 'સિસ્ટમ' તે માટે સક્ષમ છે. બસ, વારંવાર સર્વ ડાઉન થવા ન જોઈએ કે પછી તેવા પ્રકારની બહાનાબાજી કરીને સરકારી કામો માટે લોકોને ધક્કા ખવડાવવાની માનસિક્તા નિરંકુશ બને નહિં, તેનો ખ્યાલ સરકારે રાખવો જરૂરી છે!!

ગુજરાત એકંદરે સમૃદ્ધ રાજ્ય ગણાય છે, અને ગુજરાતીઓ કોઈપણ ક્ષેત્રે મેગા આયોજનો કરીને તેને સફળ પણ કરતા હોય છે, અને ધાર્મિક, સામાજિક અને હેલ્થ સેક્ટર પાછળ એકસાથે જંગી ખર્ચવાળા આયોજનો પણ થતા હોય છે. આમ છતાં રાજ્યમાં બાળકોના આરોગ્ય ક્ષેત્રના એક ચિંતાજનક સમાચારે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.

કેન્દ્રના સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન વિભાગ દ્વારા એક સ્ટડીના જે તારણો જાહેર કરાયા છે, તે ચોંકાવનારા છે. 'ચિલ્ડ્રન ઈન ઈન્ડિયા'ના વર્ષ ર૦રપ ના રિપોર્ટમાં વર્ષ ર૦૧૬ થી વર્ષ ર૦ર૩ સુધીના આરોગ્ય, શિક્ષણ, પોષણ વિગેરેના આંકડાઓની સમીક્ષા કરીને જે તારણો નીકળ્યા, તેમાં ગુજરાતના બાળકોમાં મધૂપ્રમેહ માટે વધુ પડતા સંવેદનશીલ હોવાનું જણાવાયું છે.

આ તારણો મુજબ એ સમયગાળામાં ૧૦ થી ૧૯ વર્ષના વયજુથના લગભગ ત્રણ ટકા જેટલા બાળકો ડાયાબિટીસથી પીડાતા હતાં, જે આંકડો દેશના ડાયાબિટીસથી પીડાતા બાળકોની તે સમયની ૦.૬ ટકાનો સરેરાશ કરતા લગભગ પાંચ ગણો વધુ હતો.

આ વયજુથમાં પ્રિ-ડાયાબિટિક બાળકોની કેટેગરીમાં ગુજરાતના ર૦.૯ ટકા બાળકો હતાં, અને લગભગ એટલા જ એટલે કે ર૦.૮ ટકા પાંચથી નવ વર્ષની વયજુથના બાળકો પણ બોર્ડર પર હોય તેવા પ્રિ-ડાયાબિટિક જણાયા હતાં. આ ચોંકાવનારા આકંડાઓ જાહેર થયા પછી રાજ્યમાં ડાયાબિટીસના દર્દીઓના અંદાજ અને બાળકોમાં આ બીમારી વધવાના કારણોની ચર્ચા થાય, તે જરૂરી પણ છે અને સ્વાભાવિક પણ છે.

માત્ર ડાયાબિટીસ જ નહીં, અન્ય કેટલાક પરીક્ષણો પણ ચોંકાવનારા હતાં. ગુજરાતના બાળકોમાં ૬.૪ ટકા હાઈરટેન્શન, ૪.૪ બાળકોને હાઈ કોલેસ્ટ્રોલ, ૧૭.૪ ટકા બાળકોને હાઈ ટ્રાયગ્લિસરાઈડ્ઝ અને રપ.૪ ટકા બાળકોને હાઈ એચડીએસ જેવી જે સ્વાસ્થ્ય માટે જોખમી સ્થિતિ જણાઈ હતી, તે હૃદયરોગના દરવાજા ખખડાવનારી અને ચિંતાજનક જણાઈ હતી.

આ રિપોર્ટ વ્યાપક પરામર્શ, સંકલન, પરીક્ષણો તથા તેના તારણોના પરિણામોના આધારે હવે જ્યારે જાહેર થયો છે, ત્યારે રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્ય માટે શાળા બાળ આરોગ્ય તપાસણી અને સારવારના કાર્યક્રમો ઉપરાંત બાળ આરોગ્યના જતન માટે માતા-પિતા-વાલીઓ અને બાળકો માટે અલગ-અલગ જનજાગૃતિ કાર્યક્રમો તથા હેલ્થવર્કસ અને ખાસ કરીને ગ્રાસરૂટ પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ-તબીબો-નર્સીંગ સ્ટાફ વિગેરે માટે વિશેષ તાલીમ આપતા વર્કશોપ પણ યોજવા પડે અથવા તેની ગતિ અને સંખ્યા તથા સંવેદનશીલતા વધારવાની જરૂર છે.

નવા વર્ષે જ્યારે વડીલો આશીર્વાદ આપે, કે પછી ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ત્યારે પોતાના, પરિવાર અને સમાજના અને ઘણાં લોકો વિશ્વના કલ્યાણ અને સૌના સારા સ્વાસ્થ્ય, દીઘાર્યુષ્ય તથા સુખ-સમૃદ્ધિની કામના વ્યક્ત થતી હોય છે, ત્યારે આ વર્ષે નૂતન વર્ષે આપણે બધા સાથે મળીને બાળ-સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ તથા બાળમજૂરીની નાબુદી માટે સહિયારા પ્રયાસો કરીએ તે જરૂરી છે. બધી જ બાબતે માત્ર સરકાર અને તેના તંત્રો પર જ આધાર રાખવાના બદલે આપણે સ્વયં તથા સમાજો-સંસ્થાઓ પણ આ અંગે જાગૃત અને સહયોગી બને, તે અત્યંત જરૂરી છે, અને તેમા ખાસ કરીને ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને માતૃ-બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરતા વિભાગો તથા સંસ્થાઓનું 'વાસ્તવિક' યોગદાન અને સંકલન થવું અત્યંત જરૂરી છે.

માત્ર બાળકો જ નહીં, તમામ વયુથના ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન જેવી 'કાયમી' બીમારીઓ વકરવા પાછળ અનિયમિત ભોજન, જંકફૂડનો અતિરેક, વ્યાયામ-શ્રમનો અભાવ, બેઠાડું જીવન, આઉટડોર શારીરિક રમત-ગમતની સંસ્કૃતિમાં ઘટાડો, મોબાઈલ સેલફોનમાં ઓનલાઈન ગેઈમ કે અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ પાછળ ગાંડપણ અને અંતર્મુખી બની રહેલું બાળપણ વિગેરે વધુને વધુ ખતરનાક બની રહેલા પરિબળો છે, અને જો અત્યારથી જ નહીં ચેતી જઈએ, તો આપણી આગામી પેઢી માયકાંગલી, બીમારીગ્રસ્ત અને લાચાર બની જશે, તેથી જાગ્યા ત્યારથી સવાર...

આમ તો માત્ર ગુજરાત જ નહી, દેશભરમાં બાળઆરોગ્ય, બાળપોષણ, બાળશિક્ષણ, બાળ સુરક્ષા અને બાળગુનાખોરીની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. તેથી આ મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ માત્ર પ્રચાર કરવાના બદલે સંવેદનશીલ ઢબે વધુ પ્રયાસો કરીને આ ગંભીર મુદ્દાઓ માટે પ્રયાસો કરવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"ધોકો" એટલે શું ?... આજે ધોકો, કાલે નૂતનવર્ષ, જલારામ જયંતીની તૈયારી, રાજકીય ક્ષેત્રે "નવી ઘોડી નવો દાવ..."

                                                                                                                                                                                                      

ગઈકાલે આપણે દિવાળી ધામધૂમથી ઉજવી. રાતભર રોશની, ખાણીપીણી અને હરવા-ફરવાના આયોજનો થયા, તો ફટાકડા પણ ફૂટ્યા. આનંદોત્સવ ઉજવાયો. અયોધ્યામાં દિવાળીની ઉજવણી કાંઈક અલગજ આકર્ષણ સાથે ઉજવાઈ. દેશ-દુનિયામાં ઉજાસ અને ઉમંગના પર્વને મનભરીને ઉજવવામાં આવ્યું.

વિક્રમ સંવતમાં આ વખતે આસો વદ અમાવસ્યા બે ભાગમાં વહેંચાયેલી હોવાથી આજે ખાલી દિવસ છે, જેજે તળપદી ભાષામાં "ધોકો" કહેવામાં આવે છે. આવતીકાલે સંવત ૨૦૮૨નો પ્રારંભ થશે. આજે જે ખાલી દિવસ અથવા ધોકો છે, તે પ્રકારે ઘણી વખત જુદી જુદી વિક્રમ સંવતની તિથિઓ વચ્ચે ખાલી દિવસ આવતો હોય છે, જે ક્યા કારણે આવે છે, અને તેની પાછળનું ગણિત કેવું હોય છે, તે જાણવું પણ રસપ્રદ બની રહ્યું છે.

ઈસ્વીસન પહેલા ૫૭ વર્ષ અગાઉ વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમાદિત્યે કરાવી હતી. વિક્રમ સંવતમાં તિથિઓનો ક્ષય અથવા તિથિઓની વૃદ્ધિ અવાર-નવાર આવે છે, જેથી ઘણી વખત એકજ તિથિ બે દિવસ વચ્ચે વહેંચાઈ જાય છે. આ જ કારણે આ વર્ષે વિક્રમ સંવત ૨૦૮૧ની આસો વદ અમાસ બે તારીખો વચ્ચે વહેંચાયેલી છે., અને ૨૦મી ઓક્ટોબરે દિવાળી પછી આજે પણ સાંજ સુધી અમાસ છે, અને તે પછી વર્ષ ૨૦૮૨ બેસતું હોવાથી આવતીકાલે નૂતનવર્ષ ઉજવાશે. અને આજે વચ્ચેના ખાલી દિવસે પણ ધાર્મિક આયોજનો સહિતના વિશેષ દિવસોની ઉજવણી થઈ રહી છે, તેનું મહાત્મય પણ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને કાંઈક અલગ જ છે.

ચંદ્ર અને સૂર્યની પરિક્રમા પર આધારિત જુદા જુદા કેલેન્ડરો વચ્ચે તાલમેલ બેસાડવા વિક્રમ સંવતમાં તિથિક્ષય અને તિથિવૃદ્ધિ થતા હોય છે. જાણકારોના જણાવ્યા મુજબ ચંદ્ર પર આધારિત એક મહિનામાં ૨૯.૫ દિવસો હોય છે, જ્યારે સૂર્ય પર આધારિત કેલેન્ડર મુજબ વર્ષના ૩૬૫ દિવસો હોય છે. આથી દર મહિને આ તફાવતને સરભર કરવા માટે ગણતરી થતી હોય છે, અને તે મુજબ સમયાંતરે તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ થતી હોય છે. યોગાનુયોગ સંવત ૨૦૮૧ના અંતિમ દિવસે જ તિથિવૃદ્ધિ થતા આ વર્ષે દિવાળી અને નૂતનવર્ષની વચ્ચે "ધોકો" આવ્યો છે અને આવતીકાલે જ નૂતનવર્ષની ઉજવણી થવાની છે.

ચંદ્રના ૧૨ ચક્કર લગભગ ૩૫૪ દિવસોમાં થાય છે, જ્યારે સૂર્યના ૧૨ ચક્કર અંદાજે ૩૬૫ દિવસે સંપન્ન થતા હોય છે, તેથી અંદાજે ૧૧ દિવસોનો તફાવત સરભર કરવા તિથિક્ષય અને તિથિવૃદ્ધિનો આધાર લેવો પડતો હોય છે. ચંદ્ર આધારિત હિન્દુ કેલેન્ડરને સૂર્ય આધારિત કેલેન્ડર સાથે સમયોજિત કરવા માટે કેલેન્ડરમાં તિથિક્ષય અથવા તિથિવૃદ્ધિ કરીને બંને કેલેન્ડરને સંરેખિત રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

તિથિ નક્કી કરવા માટે ભારતીય પંચાંગ અનુસાર ઈસ્વીસનની તારીખની જેમ હિન્દુ કેેલેન્ડરમાં તિથિ બદલતી હોતી નથી. સૂર્ય અને ચંદ્રની અલગ-અલગ ગતિ અને જુદા જુદા પથ હોવાથી તિથિ અને તારીખનું નિર્ધારણ અલગ-અલગ રીતે થાય છે, અને બીજા દિવસે કોઈપણ સમય સુધી ચાલુ રહે છે. ટૂંકમાં તારીખ જે રીતે રાત્રે ૧૨ વાગ્યે બદલી જાય છે, તેવી રીતે તિથિ બદલતી હોતી નથી.

ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ પછી શરૂ થયેલા ઈસ્વીસન અનુસાર અત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં વહીવટ ચાલે છેે, પરંતુ તે શાસકીય, નાણાકીય અને વ્યવહારિક સમાનતા અને સંયોજન જાળવવા માટે હોય છે, જ્યારે ભારતમાં વિક્રમ સંવત મુજબ કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધીના વર્ષને પારંપારિક, સાંસ્કૃતિક અને વ્યવહારિક દૃષ્ટિએ એક વર્ષ માનવામાં આવે છે, જો કે, મૂળ હિન્દુ સંસ્કૃતિમાં યુગાબ્દની દૃષ્ટિએ અલગ મહિનાઓ વચ્ચેનું વર્ષ ગણાય છે, જ્યારે ઈસ્વીસન ૭૮માં શરૂ થયેલા શકસંવત મુજબ કેટલાક દેશોમાં વ્યવહારો ચાલે છે. આ તમામ ભૌગોલિક અને પંચાંગની ગણતરીઓના કારણે જ તિથિક્ષય, તિથિવૃદ્ધિ અને અધિક મહિનો આવે છે, અને આ વિષય ઘણો જ ગહન, ગાણિતિક અને અટપટો લાગે છતાં, તે ઘણો જ મહત્ત્વપૂર્ણ અને પારંપારિક છે.

આપણાં જ્યોતિશ શાસ્ત્રમાં ઘણુંજ ઊંડુ ગણિત તથા ગ્રહોની ગતિ, સૂર્ય ચંદ્રના ભ્રમણ અને ઋતુચક્રની માઈક્રોમેથ્સ ગણતરીઓ આધારિત ભવિષ્ય લખવાની પદ્ધતિઓ શિખવવામાં આવે છે, અને ગ્રહોની ભ્રમણગતિ તથા સ્થાનના આધારે સુત્રો અને દાખલા ગણીને જુદા જુદા તારણો કાઢવામાં આવતા હોય છે.

એકાદશી, વાગબારસ અથવા વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ધોકો, લાભ પાંચમ અને છઠ્ઠનું પર્વ મળીને એક અઠવાડિયા જેટલું લાંબુ હોવાથી તથા તેમાં શિક્ષણક્ષેત્રે તથા ન્યાયક્ષેત્રે વેકેશનોનું સંયોજન થતા આ વર્ષે દિવાળીનું પર્વ લોકો પૂરેપૂરા સમયનો ઉપયોગ કરીને મનભરીને માણી રહ્યા છે, તેવા સમયે અગ્નિશામક તંત્રો, હેલ્થ સેક્ટર, સેનીટેશન, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક નિયમન, કાયદો-વ્યવસ્થા અને યાત્રાધામો તથા પ્રવાસ પર્યટન સ્થળોમાં જરૂરી મૂળભૂત વ્યવસ્થાઓ જાળવતા પાણી પુરવઠો, વીજ પુરવઠો, આવશ્યક પુરવઠો જાળવી રાખવાની વ્યવસ્થાઓ જાળવવા માટે રજાઓનો ત્યાગ કરીને કાર્યરત રહેતા અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકો તથા સરહદે બાહ્ય અને ગામડાઓ, શહેરોમાં આંતરિક સુરક્ષા જાળવવા કાર્યરત તૈનાત જવાનો અને ઈન્ટરનેટના અદ્યતન ઓનલાઈન વ્યવસ્થાઓ જાળવતા તમામ લોકોને બિરદાવવા જોઈએ.

આજે ધોકો છે, અને આવતીકાલે નૂતનવર્ષ પછી ભાઈબીજથી લાભપાંચમ સુધી વેકેશનનો માહોલ રહેવાનો છે, અને હવે તો છઠ્ઠ માતાજીના તહેવારની ઉજવણી પણ દેશવ્યાપી બની છે. યુ.પી. અને બિહારમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહત્ત્વ છે અને ઉત્તર ભારતના રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી મનાવાય છે. અને સૌરાષ્ટ્ર સહિત હવે વિશ્વભરમાં રઘુવંશી પરિવારો દ્વારા કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતી ધામધૂમથી ઉજવાય છે. જામનગર સહિત જલારામ જયંતીની ઉજવણી માટે તૈયારીઓ આજથી શરૂ થઈ ગઈ છે. "નોબત" પરિવાર આ તમામ તહેવારોની શુભકામનાઓ સૌ કોઈને પાઠવે છે.

ગુજરાતીમાં એક કહેવત પ્રચલિત છે કે, "નવી ઘોડી, નવો દાવ..." ગુજરાતમાં રાજકીય ક્ષેત્રેથી એવા સંકેતો મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહત્તમ ફેરફારો કર્યા પછી હવે નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની ટીમ બનાવશે અને પ્રદેશ ભાજપમાં નવા હોદ્દેદારો તથા કારોબારી નિમાશે. આ નવા પ્રાદેશિક માળખામાં હાલારમાંથી કોને મહત્ત્વનો હોદ્દો અપાશે, અને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયેલા મંત્રીઓના કારણે ઊભી થયેલી નારાજગી દૂર કરવા રાજ્યભરના ભાજપના માળખામાં કેવા ફેરફારો થશે તેની ઉત્કંઠા વધી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શુભ દીપાવલી... નૂતન વર્ષની શુભકામનાઓ

                                                                                                                                                                                                      

આજે દિપાવલી છે, અને સંવત ૨૦૮૧નો છેલ્લો દિવસ છે. આમ, તો આજે બપોર પછી આસો વદ અમાસ જ રહેશે તેથી વિક્રમ સંવતનો અંતે આ વર્ષે બે દિવસો છે, તેમાંથી આજે દિવાળી ઉજવાઈ રહી છે અને આવતીકાલે 'અવકાશ' રહેશે, જેને આપણે ગામઠી ભાષામાં 'ધોકો' કહીએ છીએ. તા. ૨૨મી ઓક્ટોબરે નૂતનવર્ષ ઉજવાશે એટલે કે કારતક સુદ એકમથી વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થશે. આજે ઘેર-ઘેર રંગોળીઓ દોરાઈ છે, આતશબાજી થઈ રહી છે. વેપારીઓ ચોપડા પૂજન કરી રહ્યા છે. મીઠાઈઓની આપ-લે થઈ રહી છે. લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં રોનક છે, મંદિરોમાં વિશેષ દર્શનો થઈ રહ્યા છે અને અન્નકોટ મનોરથો સહિતના વિશેષ મનોરથો, સેવા-પૂજા-મહાપ્રસાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં કેટલાક સમાજોમાં આજે બાળકોની "હાટડી" ભરવાનો રિવાજ પણ પ્રચલીત છે. મોટા ભાગે રઘુવંશી વ્યાપારી સમાજના લોકો સંતાનોના નામની "હાટડી" ભરે છે, અને ભગવાન  સમક્ષ મીઠાઈ-ફરસાણ, ફ્રૂટ-ડ્રાયફ્રૂટ અને વિવિધ પ્રકારની વાનગીઓ ધરીને અને દીપમાળા પ્રગટાવીને વિશેષ સેવા-પૂજા કરે છે, તે પછી પ્રસાદ લોકોને વહેંચીને સામૂહિક રીતે ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. આવી જ રીતે જુદા જુદા સમાજોમાં વિવિધાસભર પરંપરાઓ અને રિવાજો મુજબ દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે અને દીપાવલી પર્વની શુભકામનાઓ પણ અપાઈ રહી છે. ઘરો શણગારાયા છે, આજે રાત્રે ઠેર-ઠેર દીપમાળાઓ, રોશની અને સુશોભન-શણગાર સાથેનો અનોખો ઝગમગાટ અદ્ભુત દૃશ્યો ઊભા કરશે. અયોધ્યામાં તો લાખો દીવડાઓની વિક્રમસર્જક રોશની આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે અને આજે દીપાવલીના દિવસે ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની ઉજવણી પણ અયોધ્યાની રામ જન્મભૂમિ સહિત દેશ-વિદેશમાં થઈ રહી છે.

ગુજરાતના યાત્રાધામો રોશની સુશોભનથી ઝળહળી રહ્યા છે અને યાત્રિકો-પ્રવાસીઓનો પ્રવાહ પણ વધી રહ્યો છે, જ્યારે હરવા-ફરવાના સ્થળો તથા ઐતિહાસિક અને હેરિટેજ સાઈટ્સ પર પણ પર્યટકો વધી રહ્યા છે, જામનગરમાં નવીનીકરણ પછીનો ભુજીયો કોઠો, તળાવની પાળ, રણજીતસાગર સાઈટ, નગરના બાગ-બગીચા તથા અન્ય તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, ધાર્મિક સ્થળો તથા હોટલ-રેસ્ટોરન્ટો-ભોજનાલયો-ડાઈનીંગ હોલમાં ભીડ ઉમટવા લાગી છે. જામનગરમાં તો બે-ત્રણ દિવસથી ઘણાં રેસ્ટોરન્ટો, ડાઈનીંગ હોલ અને હોટલ્સની "ઓનલાઈન" તથા "હોમ ડીલીવરી"ની સેવાઓ કામચલાઉ રીતે બંધ કરવી પડી હતી, કારણ કે એટલા બધા ઓર્ડર આવ્યા હતા કે પહોંચી શકાય તેવું નહોતું. બીજી તરફ મોટી હોટલો, રિસોર્ટસ, ટ્રાવેલ્સ તથા નાના-મોટા વાહનોમાં એડવાન્સ બુકીંગ પણ છેલ્લા એક અઠવાડીયામાં વધી જતાં ઘણાં સ્થળો હાઉસફૂલ થઈ ગયા છે. દિવાળીના તહેવારોમાં દેશ-વિદેશના પ્રવાસ-પર્યટન અને પારિવારિક તથા સામાજિક પ્રવાસો વધ્યા છે અને ટૂર પેકેજોના માધ્યમથી ઘણાં બધા લોકો પ્રવાસ-પર્યટન માટે અન્ય રાજયો કે દેશોમાં પણ પહોંચ્યા છે.

જામ-ખંભાળીયની ડમ્પીંગ સાઈટ સળગી, તેથી જે ચિંતા સર્જાઈ, તેના પરથી તમામ હરવા-ફરવાના સ્થળો, મંદિરો, બાગ-બગીચા, હોટેલ-રિસોર્ટસ, ધાર્મિક-સામાજિક સ્થળો, વાહન મથકો, પાર્કિંગ સ્થળો, દર્શનીય-ઐતિહાસિક કે હેરિટેજ સ્થળો, રેલવે-બસ વિમાનમથકો સહિત જ્યાં જ્યાં લોકોની ભીડ થતી હોય, તેવા તમામ સ્થળો પર વિશેષ સાવધાની રાખવાની ચેતવણી પણ અપાઈ રહી છે. અને લોકોને ફટાકડા ફોડીને આતશબાજી કરતી વખતે તથા દીપમાળાઓ કે દર્શન-પૂજન-સામૂહિક આરતી વગેરે કરતી વખતે વિશેષ સાવચેતી રાખવાની સલાહ અપાઈ રહી છે.

દ્વારકામાં જગતમંદિરનો ઝળહળાટ અને નગરીમાં ધમધમાટ દુનિયાભરમાં વિવિધ આધુનિક માધ્યમોથી પ્રસરી રહ્યો છે. અગિયારસથી લાભપાંચમ સુધી જગતમંદિરમાં વિવિધ પ્રકારના વિશેષ દર્શન થઈ રહ્યા છે અને થવાના છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ હુંડી લખી હતી અને તે શામળીયા શેઠે અથવા શામળશાએ સ્વીકારી હતી, તેની સ્મૃતિઓને પણ આવરી લેવામાં આવી રહી છે. સુદર્શન બ્રિજના આકર્ષણ સાથે ભગવાન દ્વારકાધીશના નિવાસસ્થાન મનાતા બેટ દ્વારકા ઉપરાંત લોકો દ્વારકા સંકુલના બીચ શિવરાજપુર, ઓખામઢી અને નાગેશ્વર તથા હર્ષદ માતાજી, જલારામ મંદિર સહિતના દ્વારકામંડળના સ્થાનિક મંદિરોમાં પણ ઉમટી રહ્યા છે.

આપણા દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધ તહેવારો-પ્રસંગો અને પરંપરાઓ પ્રચલીત છે, જે હવે પ્રદેશ-ભાષા-જ્ઞાતિ-જાતિ-સમાજના સિમાડા તોડીને સાર્વજનિક થઈ ગયા છે. ગુજરાતના ગરબા આખી દુનિયામાં પ્રસર્યા છે તો મહારાષ્ટ્રનો ગણેશોત્સવ પણ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પ્રચલીત થયો છે., દિવાળી પછી લાભપાંચમ સુધીમાં નૂતનવર્ષ, ભાઈબીજ અને તે પછી દેવદિવાળીના તહેવારો તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સદીઓથી ઉજવાતા હતા, પરંતુ હવે દિવાળી પછી ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઉજવાતું છઠ્ઠનું પર્વ પણ આપણે ત્યાં ઘણું જ પ્રચલીત થયું છે. છઠ્ઠના બીજા દિવસે કારતક સુદ સાતમના દિવસે જલારામબાપાની કર્મભૂમિ વીરપુર તથા જામનગર-હાલાર સહિત દેશ-દુનિયામાં ઠેર ઠેર જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થાય છે, અને રઘુવંશી પરિવારોના સમૂહ ભોજનના કાર્યક્રમો પણ ઘણાં સ્થળે યોજાય છે. જલારામ જયંતી પણ હવે વૈશ્વિક બની છે. આમ, વિવિધતામાં એકતાના સુત્રને સાર્થક કરતી આ ઉજવણીઓ વિશ્વવ્યાપી બની છે, તેમાં અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ, સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયાનું આધુનિકરણ, ઈલેકટ્રોનિક મીડિયાનું કવરેજ, મુખ્ય સ્થળોના સુધરેલા માર્ગો, પરિવહન બુકીંગ અને ટ્રાન્સ્પોર્ટેશનની વધેલી સુવિધાઓ, રોડ-રેલવે-હવાઈ પરિવહનની સુધરી રહેલી અને વિસ્તૃત બની રહેલી સગવડો તથા લોકોમાં પ્રવાસ, પર્યટન અને ધર્મ-ભક્તિ સાથે આનંદ-મોજ-મસ્તીના સંયોજન સાથે આયોજનપૂર્વકના ક્ષમતા મુજબના ટૂર પેકેજોના વિકલ્પો સાથે ગ્રુપ બનાવીને ફરવા જવાની મનોવૃત્તિ પણ કારણભૂત છે.

બીજી ટર્મમાં ચૂંટાયા પછી વિવાદાસ્પદ બનેલા ટ્રમ્પની સામે આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો હોય તેમ લાખો લોકો સડક પર ઉતર્યા હોય કે દિલ્હીમાં જંતરમંતર પર દેશના પેન્શનરોના દેખાવો થયા હોય, અધકચરા યુદ્ધ વિરામોના કારણે ઈઝરાયલ-ગાઝા-હમાસ જેવા ધૂંધવાતા ભારેલા અગ્નિ હોય કે અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષ, ચીન-અમેરિકા ટ્રેડ વોર અને રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે પછી પાકિસ્તાન સહિતના દેશોમાં આંતરિક ગ્રહ યુદ્ધ ફાટી નીકળ્યા હોય, આ વખતે અનેક પ્રકારના આરોહ-અવરોહ અથવા ઉતાર-ચઢાવ છતાં આપણો દેશ વિચલીત થયો નથી, તે આપણાં દેશની જનતાની તાકાત છે.

હવે વિક્રમ સંવત ૨૦૮૨ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નવા વર્ષે દુનિયામાં તૂંડ મિજાજી, તાનાશાહી અને સરમુખત્યારશાહી ધરાવતી શાસનવ્યવસ્થાઓ પર અંકુશ આવે, અથવા નષ્ટ થાય, સુખ-શાંતિ અને સહ-અસ્તિત્વના સિદ્ધાંત સાથે વિશ્વશાંતિ સ્થપાય અને વિશ્વકલ્યાણને કેન્દ્રમાં રાખીને દુનિયાના બધા દેશો પરસ્પર સહયોગી બનીને આગળ વધે તેવી આશા રાખીએ અને નવું વર્ષ આખી દુનિયા માટે મંગળમય, શાંતિમય અને વિકાસ તથા કલ્યાણમય બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ.

'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો, ઈ-પેપરના વાચકો, વીડિયો સમાચારના દર્શકો, નોબતની વિવિધ સોશ્યલ મીડિયા એક્ટિવિટીઝના ફોલોઅર્સ, મોબાઈલ ફોન-વ્હોટ્સએપ બ્રેકીંગ ન્યુઝના ગ્રુપના સભ્યો, ગ્રાહકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો સહિત સૌ કોઈને દિવાળીની શુભકામનાઓ પાઠવે છે, અને નવું વર્ષ સુખ-શાંતિ-સમૃદ્ધિ સારૃં સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય આપનારૃં નિવડે, તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેશ-દુનિયા-રાજ્ય કક્ષાએ બદલાતા પ્રવાહો વચ્ચે, સૌ કોઈને ધનતેરસની શુભકામનાઓ

                                                                                                                                                                                                      

આજે ધનતેરસ છે. ભગવાન ધન્વન્તરિનો પ્રાગટ્ય દિવસ છે. અને આજે ઘનલક્ષ્મી માતાજીનું પૂજન પણ થાય છે. આજે લોકો શુકનવંતી ખરીદી કરે છે અને શુભકાર્યો કરે છે. સોનાના આસમાને પહોંચેલા ભાવોના કારણે સોનાની ખરીદી કરવી જેની પહોંચની બહાર હોય, તેવા લોકો આજે ટોકન પૂરતી ખરીદી કરીને કે ચાંદીના આભુષણોની ખરીદી કરી રહ્યા છે., અને આજે ધન્વન્તરિ જયંતી નિમિત્તે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિના પ્રચાર-પ્રસાર સહિત સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.

બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી પછી આજથી પોત-પોતાના કાર્યભાર સંભાળી રહ્યા છે અને દિવાળીના તહેવારોમાં પોત-પોતાના મત વિસ્તારો તથા વતનના ગામોમાં પહોંચશે, ત્યારે તેઓને લોકો આવકારશે. જે નવા મંત્રીઓ બન્યા છે, તેઓના નિવાસસ્થાનો, વતન અને કાર્યસ્થળો પર ધમધમાટ વધ્યો છે, જ્યારે સ્વાભાવિક રીતે જ જેઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાંથી પડતા મુકાયા છે, ત્યાં ભીડભાડ અને લોકોની ચહલ-પહલ ઓછી થઈ જશે. જો કે, તેઓ ધારાસભ્ય તરીકે પોતાની સેવાઓ ચાલુ જ રાખશે, પરંતુ મંત્રીપદે હોય તેવો દબદબો નહીં રહે.

આ વખતે મંત્રીમંડળમાં કેટલાક એવા મંત્રીઓ છે, જેઓ હાલમાં કાયમી ધોરણે જુદા જિલ્લા કે શહેરમાં નિવાસસ્થાન ધરાવે છે, અને તેઓ જ્યાંથી ચૂંટાયા છે તે મતક્ષેત્ર અલગ જિલ્લામાં છે અને/અથવા વતન જુદા જિલ્લામાં છે. જો કે, મંત્રીપદ મળ્યા પછી તો ગાંધીનગરમાં મંત્રીઓનો ફાળવાતા બંગલાઓમાં રહીને જનસેવા કરવાની હોવાથી તેઓનો લાભ તેમના કાયમી નિવાસસ્થાનના શહેર/ગામ, વતનનો જિલ્લો અને પોતાના મતક્ષેત્ર સહિત સમગ્ર રાજ્યને મળશે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આ પ્રકારની વ્યૂહરચના અથવા માપદંડ "ચાણક્ય નીતિ" હેઠળ પણ ગોઠવાઈ હોઈ શકે છે. જે હોય તે ખરૃં, મંત્રી તો આખા રાજ્યના હોય, અને આખા રાજ્યનું પ્રતિનિધિત્વ જ કરવું પડે, તે પણ હકીકત છે.

જામનગર શહેરના ધારાસભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના વિશ્વસનીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક એન પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, હાલારને બે કેબિનેટકક્ષાના મંત્રી સામે એક રાજ્યકક્ષાના મંત્રી મળ્યા છે અને રાજકોટને તો કોઈ મંત્રીપદ મળ્યું નથી, તેથી આ વખતે કાંઈક અલગ જ દૃષ્ટિકોણ અને રણનીતિથી હાઈકમાન્ડે મંત્રીમંડળની પસંદગી કરી હોય તેમ જણાય છે. એક હકીકત છે કે આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઈટાલીયા વિસાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી જીતી ગયા તે પછી દર વખતે ખોબલે ખોબલે ભાજપને મતો આપતા મતદારોના બદલાતા મિજાજને પારખીને આ વખતે સૌરાષ્ટ્રને વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે અને નવા મંત્રીઓની પસંદગીમાં મતવિસ્તારવાર તથા મેરિટને ધ્યાને લઈને જ માપદંડો નક્કી કરાયા હોય તેમ જણાય છે. ટૂંકમાં એક જ લાકડે ધણ વાળવાની માનસિકતાના સ્થાને ઊંડુ મનોમંથન તથા બદલતી જનભાવનાઓની પણ નોંધ લેવાઈ હોય તેમ લાગે છે.

દિવાળી ટાણે ભારતમાં ઉત્સવનો માહોલ છવાયો છે, અને વહેલા પગાર અને ખાનગી ક્ષેત્રે પણ અપાઈ રહેલા પ્રોત્સાહનો છતાં હજુ એકંદરે બજારોમાં અત્યાર સુધી જોઈએ તેવી રોનક જોવા મળતી નહોતી, પરંતુ આજથી બજારો ધમધમશે, પ્રવાસન સ્થળોમાં ચહલ-પહલ વધશે અને યાત્રાધામોમાં ભીડ વધવા લાગશે, તેથી તંત્રો પણ તેની તૈયારીઓમાં વ્યસ્ત બની રહ્યા છે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોમાં વૈશ્વિક શાંતિભંગ અને કેટલાક દેશોમાં ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રશિયા-યુક્રેન ઉપરાંત નવા યુદ્ધો શરૂ થવા લાગ્યા છે, તેની ચિંતા વધી છે.

જો કે,જગત જમાદારની ભૂમિકાના ચિત્રવિચિત્ર હરકતો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાક સહિત સાત-આઠ યુદ્ધો સમાપ્ત કરી દેવાયા હોવાનો દાવો કરતા રહે છે. અને હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાનનું પૂર્ણકક્ષાનું યુદ્ધ સમાપ્ત કરવાનું સરળ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.

જામનગર જિલ્લાને રાજયના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું, પરંતુ વન, પર્યાવરણ અને ખાસ કરીને પ્રવાસન મંત્રી તરીકે એકંદરે સારૃં કામ કરતા ખંભાળીયાના ધારાસભ્ય અને ભાણવડના વતની મૂળુભાઈ બેરાને પડતા મુકાયા અને દ્વારકા જિલ્લાને કોઈ વૈકલ્પિક પ્રતિનિધિત્વ પણ મળ્યું નહીં. જ્ઞાતિ-જાતિની દૃષ્ટિએ કચ્છ જિલ્લાને પ્રતિનિધિત્વ આપીને ભલે સમીકરણ સરભર કરી દેવાયું હોય, પરંતુ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ ખુંચવાઈ જતા થોડી નારાજગી જોવા મળી રહી છે.. બીજી તરફ પડોશના જિલ્લા પોરબંદરને કેન્દ્ર સરકાર પછી હવે રાજ્ય સરકારમાં પણ કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળ મળતા એકંદરે ઘેડ-બરડા-બારાડી-હાલારના સંયુક્ત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ વધ્યું છે, તેવા તારણો પણ ખોટાં નથી.

દિવાળીના તહેવારોમાં જ બદલાયેલી રાજ્ય સરકાર હવે વધુ ગતિશીલતાથી કામ કરશે અને અધુરા કામો ઝડપથી પૂરા થશે, તેવી આશા લોકો રાખી રહ્યા છે. હવે, જામનગરનો ફ્લાય ઓવર બ્રિજ પણ દિવાળી પછી ટૂંક સમયમાં ખુલ્લો મૂકી દેવાશે, તેવી હૈયાધારણા પણ અપાવા લાગી છે !!

અફઘાનિસ્તાને "વટ"થી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં પાકિસ્તાન સાથે રમવાની ના પાડી દીધી, તે પછી ભારતીય ટીમે પણ હવે પછી કોઈપણ પ્રકારની ક્રિકેટ મેચ કે અન્ય રમતો પાકિસ્તાન સાથે રમવી જોઈએ નહીં, તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુદ્ધ વિરામ છતાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હૂમલો કર્યો અને તેમાં કેટલાક ક્રિકેટરો પણ માર્યા ગયા, તે પછીનો ઘટનાક્રમ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ ફાટી નીકળશે, તેવા સંકેતો પછી હવે ટ્રમ્પ આ સંભવિત ભીષણ યુદ્ધ કેવી રીતે અટકાવી શકે છે તે જોવાનું રહ્યું...

રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર રિવાબા જાડેજાને આવકારીએ અને આજથી દિવાળીના તહેવારોની ઉજવણીએ વેગ પકડ્યો છે અને ધનતેરસ ઉજવાઈ રહી છે, ત્યારે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર પ્રિય વાચકો તથા નોબતની ઈન્ટરનેટ સાથે સંલગ્ન સેવાઓ સાથે સંકળાયેલા ફોલોઅર્સ સહિત સૌ કોઈને ધનતેરસની શુભકામનાઓ પાઠવે છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાજ્યમાં નવુ મંત્રીમંડળ... કારણો અને તારણો.... વિપક્ષના પ્રહારો...પ્રજાની અપેક્ષાઓ...

                                                                                                                                                                                                      

આજે રાજ્યસભાનું નવુ મંત્રીમંડળ રચાયુ, પરંતુ એ પહેલા ઘેરૃં સસ્પેન્સ રહ્યું, ગઈકાલે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા મંત્રીમંડળની યાદી સોંપવા જવાના હતા, પરંતુ તેના બદલે આજે સવારે ગયા અને તે પછી શપથવિધિ સમારંભ યોજાયો, અને નવા-જૂના ચહેરાઓ અંગે છેલ્લા બે-ત્રણ દિવસથી ઉઠી રહેલા સવાલોના જવાબ પણ મળી ગયા, પરંતુ આ ફેરફારો ભાજપ હાઈકમાન્ડે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અપનાવેલી નવી રણનીતિ મુજબ છે, કે પછી ભૂપેન્દ્ર સરકાર સામેની એન્ટી ઈન્કમ્બન્સી, રાજ્યમાં આમઆદમી પાર્ટીનો વધી રહેલો પ્રભાવ, કોંગ્રેસની વધી રહેલી સક્રિયતા છે કે પછી ટોપ ટુ બોટમ વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે જનતામાં ઘટી રહેલી લોકપ્રિયતાના ગૂપ્ત ફીડબેક પછી "હાઈકમાન્ડે" આ નિર્ણય લીધો છે., તેની ચર્ચા થઈ રહી છે.

આ પહેલા આ પ્રકારના ફેરફારો ભાજપ શાસિત રાજયોમાં થયા, ત્યારે મોટેભાગે આગળની રાત્રે જ તે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાના હોય, તેને જાણ કરાતી અને આગળની રાત સુધીમાં ફોન આવતા હતા. તેવું આ વખતે થયું નથી, તેથી આજે સવારે મહાત્મા મંદિરમાં મંચ પર ગોઠવાયેલી ખુરશીઓની સંખ્યાના આધારે પ્રેસ-મીડિયાના મિત્રોએ પણ અટકળો કરવી પડી રહી હતી. જો કે, આજે સવારથી ફોન-કોલ્સ આવવા લાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું.

બીજી તરફ અંદાજો, અટકળો અને અફવાઓની આંધી વચ્ચે વિપક્ષી નેતાઓ આ ફેરબદલ અંગે કટાક્ષ કરી રહ્યા હતા, અને ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર, પ્રજા પ્રત્યેની વિમુખતા, ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષ અને એક હથ્થુ (દ્રિહથ્થુ) નેતૃત્વના દુષ્પ્રભાવથી ગ્રસ્ત શાસન-પ્રશાસન વ્યવસ્થાઓ અંગે પ્રહારો કરી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા ગાંધીનગર આવ્યા અને અમિત શાહનો ગુજરાતનો પ્રવાસ રદ કરીને બિહારના પ્રવાસ નક્કી કરાયો, તે અંગે પણ વિવિધ પ્રકારની અટકળો થઈ રહી છે. આજના ઘટનાક્રમ પરથી એટલું તો ફલિત થાય જ છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને તથા વિરાટ કદની બની ગયેલી સત્તાધારી પાર્ટીમાં ઉકળતો અસંતોષ ખાળવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અને જે અટકળો થઈ રહી હતી, તેમાં કેટલાક અંશે તથ્ય હતું, તેવું પણ ચર્ચાય છે.

કેટલાક મંત્રીઓના વ્યક્તિગત રાજીનામાઓ સ્વીકારાયા નહીં તેથી તેઓની પુનઃ શપથવિધિ થઈ નથી.

કેટલાક વિશ્લેષકો ચારેક દાયકા પહેલા જયારે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા અને કોંગ્રેસે ૧૪૯ બેઠકો મેળવી હતી., તેથી વિપક્ષનું જોર વિધાનસભામાં ઘટી ગયું હતું, તે પછી સોલંકી સરકાર સામે તબક્કાવાર અસંતોષ ઊભો થયો હતો, જેના કારણે કોંગ્રેસમાં જ અભૂતપૂર્વ જૂથવાદ સર્જાયો હતો, તેને યાદ કરીને હાલમાં ભાજપ અને તેની રાજય સરકારની સ્થિતિ લગભગ એવી જ હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો ૧૮૨ની વિધાનસભામાં ૧૬૦થી વધુ ધારાસભ્યો ધરાવતી પાર્ટીમાં નવા ચહેરાઓને સ્થાન મળે અને અનુભવી વરિષ્ઠોનો લાભ પણ મળે, તે માટે મધ્યાંતરે થયેલા આ ફેરફારને યોગ્ય પણ ગણાવી રહ્યા છે.

હાલારમાં આ ફેરફારોની શું અસરો થશે, હાલારના બે કેબિનેટ મંત્રીઓ રિપિટ થશે કે બદલાશે ? હાલારમાં અને સૌરાષ્ટ્રમાંથી નવા મંત્રીઓ કોણ હશે ? હાલારને પુનઃ પ્રતિનિધિત્વ કેબિનેટમાં મળશે કે કેમ ? તે પ્રકારના પ્રશ્નોનો જવાબ પણ આજે મળી ગયો છે, અને જે નામો ચર્ચાઈ રહ્યા હતા, તેના સંદર્ભે જે કુતૂહલ હતું તેનો જવાબ પણ મળી ગયો છે. જામનગર શહેરમાંથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની અને ભાજપના મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

નવા મંત્રીમંડળમાં પ્રાદેશિક, જ્ઞાતિ, જાતિ, સમાજ, વિવિધ વયજૂથના સમતુલન સાથે તથા શૈક્ષણિક લાયકાત તથા નવા ચહેરાઓ સાથે અનુભવી વરિષ્ઠ ધારાસભ્યોનું સંયોજન કરાયું હોવા છતાં કેટલીક કસર કે ચૂક રહી ગઈ હોય અને કાચુ કપાઈ ગયું હોય તેમ જણાય છે, તો બીજી તરફ પ્રદેશ ભાજપમાં નવી ટીમ માટે પણ કેટલાક દિગ્ગજોને સમાવાશે, તેવી ચર્ચા છે; જોઈએ હવે શું થાય છે તે...

હાલારમાંથી રાઘવજીભાઈ અને મૂળુભાઈ પડતા મુકાયા, પરંતુ તેની સામે રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં સમાવાતા નગરના કાર્યકર્તાઓ તથા નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નવા મંત્રીમંડળમાં બહુચર્ચિત શંકર ચૌધરી અને જયેશ રાદડિયાના નામો નહીં આવતા અને હાલાર સહિતના સૌરાષ્ટ્રમાં કેટલીક ચોક્કસ કોમ્યુનિટીને પ્રતિનિધિત્વ નહીં મળતા તેથી ભાજપને નુકસાન થશે, તેવા અભિપ્રાયો પછી હવે સંગઠનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કોને-કોને-, ક્યુ-ક્યુ પદ આપશે તેના પર સૌની નજર રહેવાની છે.

બીજી તરફ નવા મંત્રીમંડળ પાસેથી પ્રજા કેવી કેવી આશાઓ રાખી રહી છે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે અને રાજ્યની જનતાને દરરોજ હવે લાઈનોમાં ઊભવું ન પડે, સરકારી કચેરીઓના રોજીંદા ધક્કા ખાવા ન પડે, યુવાવર્ગને સરળતાથી અને પારદર્શક ઢબે રોજગારી મળી રહે, રાજ્યમાં ટોપ ટુ બોટમ વ્યાપેલા ભ્રષ્ટાચારમાં અંકુશ આવે, વિકાસના વિશાળ માચડાઓની આડમાં છેવાડાના વિસ્તારો સુધીની મૂળભૂત સુવિધાઓ તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનતાને માળખાકીય સગવડો વાસ્તવામાં મળી રહે, એવું રાજ્યની જનતા ઈચ્છે છે. હકીકતમાં શાસન અને પ્રશાસન દ્વારા પારદર્શક તથા ભ્રષ્ટાચારથી મૂક્ત વહીવટ તત્કાળ થઈ જશે, અને સુશાસન સ્થપાઈ જશે, તેવી અપેક્ષા તો વધારે પડતી ગણાય તેમ છે, પરંતુ ગરીબ-મધ્યમવર્ગોની વેદના, યુવાવર્ગનો અજંપો તથા પંચાયત-પાલિકા-મહાપાલિકાઓથી લઈને બોર્ડ નિગમો તથા રાજ્ય-કેન્દ્ર સરકારને સંબંધિત કામો તથા યોજનાકીય લાભો માટે "ધક્કા અને લાઈનો મૂક્ત પારદર્શક" વ્યવસ્થાઓ ઊભી થાય, તેવી પણ લોકોની અપેક્ષા છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફારો કેમ કરવા પડ્યા, તેવો સવાલ ઉઠાવતા કેટલાક ચોક્કસ ભ્રષ્ટ મંત્રીઓના જાહેર થયેલા કારનામા ઉપરાંત પણ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે રાજ્યમાં ઘટેલી ભાજપની લોકપ્રિયતા અને એન્ટી-ઈન્ક્યલન્સીને કારણભૂત ગણાવીને કહ્યું હતું કે આ બધા સવાલોનો જવાબ મુખ્યમંત્રીએ આપવો જોઈએ.

ગુજરાતના મંત્રીમંડળમાં ફરીથી એક વખત નાયબ મુખ્યમંત્રીની પોષ્ટ પૂનર્જિવિત થઈ અને હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા તે અપેક્ષિત જ હતું. ઘણી વખત આ હોદ્દો માનભેર ગાઈડલાઈન કરવા માટે પણ ભૂતકાળમાં વિવિધ સરકારોએ આપ્યો હતો, તો કેટલીક સરકારોએ નાયબ મુખ્યમંત્રીને "વજનદાર" ખાતાઓ ફાળવીને તેઓને હકીકતમાં નેક્સ્ટ-ટૂ સી.એમ.નું બહુમાન આપ્યું હતું. હવે હર્ષ સંઘવીનું મંત્રીમંડળમાં ટેકનિકલી તો કદ વધ્યું છે, પરંતુ ખાતા ફાળવણી પછીની સ્થિતિમાં નવા મંત્રીમંડળમાં કોને કેટલું મહત્ત્વ આપ્યું, તેની ચર્ચા પણ ચાલવાની છે, કેટલાક વિશ્લેષકો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ યાદ કરી રહ્યા છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ધરમૂળથી ફેરફાર થાય કે આખી સરકાર બદલાઈ જાય, તહેવારો ટાણે પબ્લિકનું ધ્યાન રાખજો...

                                                                                                                                                                                                      

દિવાળીના તહેવારો નજીક આવતા જ બજારોમાં રોનક આવી ગઈ. બજારોમાં ખરીદી કરવા ઉમટેલા લોકોની ભીડ જામવા લાગી. ગૃહિણીઓએ ઘરની સાફસફાઈ કરીને દિવાળીને ઉમંગભેર આવકારવાની તૈયારીઓ કરી. રમા એકાદશીથી જ દરરોજ અલગ-અલગ રંગોળીઓ કરવામાં માટેની ડિઝાઈનો આજથી જ તૈયાર થવા લાગી છે.

વેકેશન પડતા જ બહાર હરવા ફરવા જવા માટે ટૂર પેકેજ પસંદ કરીને લોકો પ્રવાસે નીકળ્યા, તો વાહનો, બસ-રેલવે અને ફલાઈટ્સના બુકિંગ થવા લાગ્યા, અને ગામડાઓમાં આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ મુજબ ઉમંગભેર દિવાળીના તહેવારો ઉજવવાની તૈયારીઓ પણ થવા લાગી.

જામનગર મહાનગરપાલિકા પણ આગામી દિવાળીના તહેવારોના સંદર્ભે નગરમાં સાફસફાઈ, સ્ટ્રીટ લાઈટ, માર્ગો તથા હરવા-ફરવાના સ્થળો અને બાગ-ગીચાઓની સફાઈ અને તેના ટાઈમીંગના સંદર્ભે જરૂરી આયોજનો કરી જ રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ દિવાળીના તહેવારોમાં એટીએમસીની સિટીબસોમાં લોકો માટે જે નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરી છે, તેવી જ રીતે જામનગરની મહાનગરપાલિકા પણ નગરજનો તથા જામનગરમાં ખરીદી માટે તથા હરવા-ફરવા આવતા લોકો માટે ત્રણ-ચાર દિવસો માટે આવી વ્યવસ્થા કરી શકે છે. આમ પણ સિટીબસોના કોન્ટ્રાક્ટની શરતો મુજબ નિયત કરેલી રકમ તો પબ્લિક મનીમાંથી ચુકવાય જ છે, ત્યારે તહેવારો ટાણે આ તમામ સિટીબસો લોકોને ઉપયોગી બને તો તેમાં ખોટું શું છે ?

આપણા નગરમાં સિટીબસોનું ચલણ ઓછું છે, તેવી પાછળના કારણો અલગ છે, પરંતુ જો સિટીબસોનું નિયત ચુકવણું કોન્ટ્રાક્ટરને કરવું જ પડતું હોય અને બસો ખાલી દોડતી હોય તો વાર-તહેવારે ફ્રી સેવા આપીને તથા રાષ્ટ્રીય પર્વો અને વિશેષ દિવસો હોય ત્યારે પણ નિઃશુલ્ક સેવા આપીને આ સેવાને લોકપ્રિય બનાવી શકાય તેમ છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જો આ પ્રકારના નિર્ણયો લેવાતા હોય તો જામનગરમાં તો આ દિશામાં વિચારીને આ દિવાળીના તહેવારોથી જ તેનો અમલ કરી શકાય તેમ છે.

આ ઉપરાંત મોટા શહેરો તથા યાત્રાધામોમાં સ્થાનિક પરિવહન, રિક્ષા, ટેકસી, ખાણીપીણી, ભોજન અને નિવાસની સગવડોમાં નફાખોરી (ઉઘાડી લૂંટ) ન થાય, તે માટે રાજ્યકક્ષાએથી, જિલ્લા તંત્રો દ્વારા તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કડક અભિગમ અપનાવાય અને તહેવારોમાં પણ સતત ચેકીંગ કરીને ઉઘાડી લૂંટ કરતા પરિબળો સામે કડકમાં કડક કદમ ઉઠાવાય તે પણ એટલું જ જરૂરી છે. તહેવારો ટાણે પ્રો-પબ્લિક અભિગમ અપનાવીને તમામ વ્યવસ્થાઓ ગોઠવાય અને ગરીબ-મધ્યમવર્ગોને કેન્દ્રમાં રાખીને જરૂરી પ્રબંધો તથા નિયમનો-નિયંત્રણોની અમલવારી ચૂસ્તપણે થાય, તે અત્યંત જરૂરી છે. તહેવારો દરમ્યાન ટ્રાફિક નિયમન, ભાવ બાંધણા, ચેકીંગ અને વ્યવસ્થાપન થવાની સાથે સાથે નાના વ્યાવસાયિકો-ધંધાર્થીઓની રોજીરોટી પર વિપરીત અસર ન પડે કે રોજગારી છીનવાઈ ન જાય, તેનું બેલેન્સ પણ જાળવવું જ પડે. ટૂંકમાં 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' નો મંત્ર કેન્દ્રમાં રાખીને પ્રામાણિકપણે તથા પારદર્શક ઢબે તમામ વ્યવસ્થાઓ થવી જોઈએ, એટલું જ નહીં, રાજકીય કે અન્ય બાબતોની કોઈપણ વિપરીત અસર તહેવારોની ઉજવણી પર પડે નહીં, શાંતિ-સૌહાર્દ જળવાઈ રહે અને લોકો મૂક્તમને નિડરતાથી તહેવારોની મજા માણી શકે, તેવા પ્રબંધો થવા જોઈએ, અને કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાઓ અને સાર્વત્રિક શાંતિ જળવાઈ રહેવા જોઈએ.

આવતીકાલે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ સાથે વિસ્તરણ થવાનું છે અને અટકળોનું બજાર ગરમ છે, ત્યારે ભાજપવાળા સંગઠનમાં પણ ધરખમ ફેરફારો કરે, તેવી સંભાવનાઓ છે, અને આજે રાજધાની ગાંધીનગરમાં રાજકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. ભલે મંત્રીમંડળ ધરમૂળથી બદલાઈ જાય કે શાસકપક્ષમાં ઉલટફેર થાય, પરંતુ આ દરમ્યાન દિવાળીના તહેવારોમાં પબ્લિકને તકલીફ પડે નહીં અને આ ઉલટફેરની તંત્રો પર અસર પડે નહીં, તેની કાળજી પણ રાખવી પડે તેમ છે.

શાળા-કોલેજોમાં વેકેશન ઉપરાંત વચ્ચેના બે દિવસોની જાહેર રજા સાથે આઠ-દસ દિવસોનુું સરકારી કર્મચારીઓને પણ વેકેશન મળ્યું છે, તેથી પ્રવાસધામો-યાત્રાધામોમાં વધનારી સંભવિત ભીડને ધ્યાને લઈને તંત્રોએ આ વર્ષે વિશેષ તૈયારીઓ કરવી પડે તેમ છે, અને ખાસ કરીને દોડધામ, નફાખોરી, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા અને પરિવહન, સેનિટેશન, પાણી, વીજ પુરવઠો અને સાફ-સફાઈને લઈને વ્યાપક પ્રબંધો કરવા પડે તેમ હોય, રાજધાનીમાં કોઈપણ ગતિવિધિ થતી હોય, સ્થાનિક કક્ષાએ તેની વિપરીત અસરો પડે નહીં, તે જોવું પડશે.

દર વર્ષે એસ.ટી. નિગમ અને રેલવે તંત્ર દ્વારા દિવાળીના તહેવારોને સાંકળીને જે વધારાની બસો અને ટ્રેનો દોડાવે છે, તેમાં નોંધપાત્ર વધારો કરવો પડે તેમ છે, કારણ કે હવે ગુજરાતમાં લોકલની સાથે સાથે અન્ય રાજ્યો તથા દેશોમાંથી પણ બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ વધવા લાગ્યા છે અને તેના કારણે જ પબ્લિક પરિવહન પૂરૃં પડતું નહીં હોવાથી ખૂબજ ધસારો હોય ત્યારે ખાનગી પરિવહનના ક્ષેત્રે નફાખોરી તથા ઉઘાડી લૂંટ થવા ઉપરાંત અસલામત અને જોખમી રીતે પ્રવાસ કરવા લોકો મજબૂર બનતા હોય છે, અને કેટલાક સ્થળે તો બસ કે ટ્રેનની ઉપર બેસીને અને ઠસોઠસ ભરેલા વાહનોમાં, ઊભા ઊભા કે લટકતા લટકતા મુસાફરી કરવી પડતી હોય છે, જેથી જાહેર આરોગ્ય તથા જીવન પર જોખમ ઊભું થતુું હોય છે. તે ઉપરાંત ધક્કામૂક્કી, ભાગદોડ કે તદ્વિષયક તકરારો ગમખ્વાર બની જાય, તેવી સ્થિતિ નિવારવા માટે પણ પૂરતા પ્રબંધો થવા જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh