Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. પૂ. રતિલાલ દેવચંદ માધવાણી
વૈકુંઠવાસ તા. રર-૭-૧૯૮૭
ગુજરાતના સર્વપ્રથમ સાંધ્ય દૈનિક 'નોબત'ના આદ્યસ્થાપક અમારા સૌના પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા પૂ. રતિલાલભાઈ માધવાણીની આજે પુણ્યતિથિ છે.
તા. રર જુલાઈ, ૧૯૮૭ ના દિવસે માધવાણી પરિવારને કુઠારાઘાત લાગ્યો હતો, જ્યારે તેઓએ અનંતયાત્રાની વાટ પકડી હતી અને વૈકુંઠગમન કર્યું હતું. એ દિવસે 'નોબત' પરિવાર શોકગ્રસ્ત હતો, તો સમગ્ર હાલારમાં ગમગીની છવાઈ હતી, કારણ કે રતિલાલભાઈએ જન-જનના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
સ્વ. રતિલાલભાઈ માધવાણી લોકોના હૃદયમાં વસવાટ કરતા હતાં, કારણ કે તેઓએ હંમેશાં સામાન્ય જનતાના અવાજને વાચા આપી હતી અને કોઈપણ ચમરબંધીની શેહ શરમ રાખ્યા વગર તથા પાપી પરિબળો તથા એન્ટી-સોશિયલ એલિમેન્ટ્સથી ડર્યા વગર પત્રકારિત્વ કર્યું હતું. તેઓ એવા નિડર પત્રકાર હતાં, જેઓએ લઘુઅખબારમાં પણ તેજીલી કલમથી ભલભલાના આસનો ડોલાવ્યા હતાં અને દિગ્ગજોને દર્પણ દેખાડ્યું હતું. તેઓ ખૂબ જ સંવેદનશીલ, કોમળ અને લાગણીપ્રધાન હતાં, પરંતુ અન્યાય, અવ્યવસ્થા કે અવળચંડાઈ કરનારાઓ સામે ખૂબ જ કડક અને મજબૂત વલણ ધરાવતા હતાં. તેઓ અવારનવાર ગામડાઓનો પ્રવાસ કરીને લોકોની વેદના સમજીને તેને વાચા આપતા હતાં, તેથી તેઓ હાલારીઓના હૈયે વસેલા હતાં.
તેઓ નિડર પત્રકારની સાથે સાથે સમકાલીન તથા ઐતિહાસિક વિષયોના અભ્યાસુ અને સાચા સાહિત્યકાર પણ હતાં. તેઓની કલમમાં પત્રકારિત્વ તથા સાહિત્યકલાનું મિશ્રણ જોવા મળતું હતું.તેઓના સાહિત્યસર્જનમાંથી માનવતા, ખુમારી અને ન્યાયપ્રિયતાની સાથે સાથે જી.કે. અને ઐતિહાસિક, રાજનૈતિક તથા આર્થિક જ્ઞાનવર્ધન કરતા વિવરણો પણ પ્રગટતા હતાં, અને તેઓના પોતાના અભિપ્રાયોમાંથી પવિત્રતા અને પ્રામાણિક્તા ટપકતી હતી. તેઓએ જામનગરની યશગાથા, મહાગુજરાતની યશગાથા જેવા ગ્રન્થો લખ્યા હતાં, જે આજે લગભગ અપ્રાપ્ય છે. તે ઉપરાંત આઝાદી પહેલાના સમયગાળામાં પણ તેઓએ 'લોહાણા મહાજનો' નામનો ગ્રન્થ લખ્યો હતો, અને 'બંડખોર' નામની નવલકથા પણ લખી હતી. તે ઉપરાંત 'મહાજનો', 'કસુંબીનો રંગ', 'ફટાકડા' વગેરે પુસ્તકો પણ તેઓએ લખ્યા હતાં. તેઓના પુસ્તકો અત્યારે કોઈ જુની લાઈબ્રેરીઓમાં સચવાયેલા હોઈ શકે, પરંતુ તેઓના આ સંભારણા આજે પણ અમોને પ્રેરણા આપી રહ્યા છે.
તેઓ પત્રકારિત્વ, સાહિત્યસર્જન ઉપરાંત સમાજસેવાના પણ ભેખધારી હોવાથી તેેઓમાં કલા, સાહિત્ય અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો, જેને પત્રકારિત્વની રાહે પ્રવાહ મળ્યો હતો, તેમ કહી શકાય.
પૂ. ભાઈ પ્રથમ દૃષ્ટિએ કડક મિજાજી અને મોઢામોઢ સત્ય કહી દેતા હોવાથી કઠોર સ્વભાવના જણાતા, પરંતુ નજીક ગયા પછી તેઓની સંવેદનશીલતા, સ્નેહ, લાગણીશીલતા અને અણીશુદ્ધ માનવતાનો પરિચય થતો. તેઓ દીનદુઃખિયાના બેલી હતાં, તથા કોઈપણ કુદરતી આફતો, યુદ્ધનો સમય, રોગચાળાનો પ્રકોપ કે જનતાની સમસ્યા-પીડિતોની પરેશાની હોય ત્યારે તેઓ હંમેશાં અખબારના માધ્યમથી તથા વ્યક્તિગત રીતે પણ સમાજસેવા, દેશસેવા અને જનસેવાને જ પ્રાધાન્ય આપતા હતાં.
તેઓએ ટાંચા સાધનો, પારિવારિક જવાબદારીઓ અને અનિષ્ટ પરિબળોના પડકારો સામે લડતા હતાં. મજબૂતીથી સિંચેલું 'નોબત' સાંધ્ય અખબાર તરીકે વટવૃક્ષ બન્યું છે. 'નોબત' સાંજની સોબતની ઉક્તિ હવે ડિજિટલ પણ બની ગઈ છે. લોકલથી ગ્લોબલ સુધીના તમામ સમાચારો, ઉપરાંત વિવિધાસભર લેખો, સંગત વિભાગ, ખ્યાતનામ લેખકોના આર્ટિકલ્સ, વિશેષ સાપ્તાહિક-લેખો, ભવિષ્ય, જ્યોતિષ, ચિરવિદાય, રોજ-બ-રોજના ગામડાઓથી લઈને દુનિયાભરના સમાચારો, ભાવપત્રકો, સામાજિક-આર્થિક અને રાજકીય પ્રવાહો, રોજ-બ-રોજની પ્રવૃત્તિઓ તથા ઘટનાક્રમો, ક્રાઈમ અને દૈનિક પંચાંગ સહિતની વિવિધાસભર વાચન સામગ્રી પીરસતું 'નોબત' આ તમામ વિષયોના યૂ-ટ્યુબના માધ્યમથી વીડિયો સમાચાર, વિશેષ ઈન્ટરવ્યૂ, વ્હોટસ એપ ગ્રુપમાં બ્રેકીંગ ન્યૂઝ, તસ્વીરકથાઓ, વેબસાઈટ, ઈ-પેપર તથા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી સાત-સમંદર પાર પહોંચ્યું છે અને દેશ-વિદેશમાં ગુજરાતીઓનું માનીતુ બન્યું છે, તે મજબૂત બુનિયાદ રાખીને તેનું સિંચન કરાવનારા સ્વ. પૂ. રતિલાલભાઈ માધવાણી તથા તેઓની કંડારેલી કેડીએ ચાલનાર માધવાણી પરિવાર તથા 'નોબત' પરિવારને તથા ત્રણેય પેઢીઓને સાંકળતા 'નોબત' ગ્રુપને આભારી છે.
દાયકાઓ વિતી ગયા, સમય બદલાયો, સદી બદલાઈ ગઈ છતાં વીસમી સદીના એ મહામાનવની પ્રેરણા અને પથદર્શન આજે ર૧ મી સદીમાં પણ ઉપયોગી બની રહ્યું છે, તે અમારા સદ્ભાગ્ય છે.
કુદરની ઘટમાળ અને ઈશ્વરની ઈચ્છા સર્વોપરિ છે, તે સ્વીકારીને આપણે પૂ. રતિલાલભાઈએ 'નોબત' તથા પત્રકારિત્વ, સાહિત્ય સર્જન અને સમાજસેવા માટે જીવન ખપાવ્યું તેમાંથી પ્રેરણા લઈએ અને તેઓની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર,
તા. રર-૭-ર૦ર૬
- માધવાણી પરિવાર
- નોબત પરિવાર
ગઈકાલે જંતર-મંતર અને તે પછી સંસદ ભવન નજીક જે કાંઈ થયું, તે દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય ઘટનાક્રમો હતાં, અને કોઈ ઊંડુ રાજકારણ ખેલાઈ રહ્યું હોય, તેવા સંકેતો મળી રહ્યા હતાં. દેશની રાજધાનીમાં સડકથી સંસદ સુધી જાણે સંગ્રામ ચાલી રહ્યો હોય, તેવો આભાસ થતો હતો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો તથા નિવેદનબાજીના ઘોડાપૂર આવ્યા હતાં. નેતાઓની નિવેદનબાજી, તંત્રોના તિક્કડમ્ અને સાચા-ખોટા દાવા-પ્રતિદાવાઓની આંધી વચ્ચે લોકતંત્ર જ જાણે અટવાઈ ગયું હોય અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં જ લોકશાહી જાણે કોઈ ભૂલભૂલામણીમાં અટવાઈ ગઈ હોય તેવા દૃશ્યો ખડા થયા હતાં, તો વ્યંગવાણી તથા સણસણતા સવાલોના કારણે સ્વયં રાજનીતિ જ રણે ચડી હોય, તેમ જણાતું હતું.
ગઈકાલે સંસદના સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને જે સંબોધન કર્યું, તેના કેટલાક શબ્દપ્રયોગો ઘણાં જ સૂચક હતાં, તો કેટલીક વ્યંગોક્તિઓ પણ પડઘાઈ હતી. વડાપ્રધાને હૈદ્રાબાદના સ્કાઈરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-૧ ના સફળ પરીક્ષણની પ્રશંસા કરીને આ સિદ્ધિ મેળવનારી ટીમના સભ્યોની સરેરાશ ઉંમર માત્ર ર૮ વર્ષની હતી, તેની વાત કરતા કહ્યું કે, 'હું કોઈ પ૬ વર્ષના નૌજવાનોની વાત કરી રહ્યો નથી, પરંતુ દેશના ર૮ વર્ષના યુવાઓની વાત કરી રહ્યો છું, જેમણે અંતરીક્ષમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો છે...'
આ શબ્દપ્રયોગો અને વ્યંગોક્તિ કોંગીનેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરવા માટે જ વડાપ્રધાને અજમાવી હોવાની ચર્ચા, રાજનૈતિક ગલિયારાઓમાંથી પ્રગટી અને પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ અને તેની સાથે સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કરેલા આક્ષેપોના વીડિયો પણ વાયરલ થવા લાગ્યા.
દિલ્હીમાં સીજેપીના આંદોલનને કચડી નાંખવાની નીતિ મોદી સરકારે અપનાવી હોવાની આલોચના વિપક્ષી વર્તુળોએ કરી છે. કોંગી નેતા રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદ ભારતના ઈતિહાસના સૌથી વધુ યુવા વિરોધી વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, શિક્ષણના મુદ્દે અવાજ ઊઠાવનારાઓ પર લાઠીચાર્જ કરવાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, દેશમાં ૧પર પેપરલીક થયા, સાડાસાત કરોડ વિદ્યાર્થીઓ તેનાથી પીડિત બન્યા, પરંતુ એક પણ ગુનેગારને સજા થઈ નથી. પેપરલીક કરનારા અપરાધીઓ આઝાદ ઘૂમી રહ્યા છે, જ્યારે વાજબી મુદ્દાઓ ઊઠાવીને અવાજ ઊઠાવનારા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને ઢસડવામાં આવે છે, મારવામાં આવે છે, સરકાર યુવાવર્ગ પર અત્યાચાર કરી રહી છે વિગેરે...
રાહુલે તો ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન એટલા યુવા વિરોધી છે કે તેઓ નિષ્ફળ ગયેલા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લઈ શકતા નથી!
શાસક પક્ષના પ્રવક્તાઓ તેનો જવાબ એવી રીતે આપી રહ્યા છે કે, આ પ્રકારના નિવેદનો રાહુલ ગાંધીની નિરાશા દર્શાવે છે અને કોંગ્રેસ વિદ્યાર્થીઓના મુદ્દે પોતાની રાજનીતિ ચમકાવવા માંગે છે. ખુદ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને આઝાદ ભારતના સૌથી વધુ યુવાવિરોધી ગણાવતા હોય, તો તેનો મતલબ એવો થાય કે ભૂતકાળમાં અન્ય વડાપ્રધાનો પણ યુવાવિરોધી તો હતાં જ... તેમાંથી કોંગ્રેસના કેટલા હતાં?
ભાઈની સાથે બહેન પ્રિયંકા ગાંધી વડેરાએ સીજેપીના કાર્યકરો પર બીજેપીની સરકારે લાઠીચાર્જ કરાવ્યો હોવાનો આક્ષેપ કરીને કહ્યું કે, સરકારે આવું કરવાના બદલે નિષ્ફળ નીતિઓ તથા બિનકાર્યક્ષમતાનું આત્મમંથન સરકારે કરવું જોઈએ. પહેલા નીટનું પેપરલીક થયું, અને હવે રિ-નીટની પરીક્ષામાં પણ ગરબડ થઈ હોવાના અહેવાલો વહેતા થયા છે. એવો દાવો કરાયો હતો કે હવે પરીક્ષા પદ્ધતિ પર વડાપ્રધાન સ્વયં દેખરેખ રાખશે, પરંતુ તેમ છતાં વારંવાર પેપરલીક થાય, તો શું સમજવું?
પ્રિયંકા ગાંધીએ એવી માંગણી પણ ઊઠાવી કે સંસદમાં આ તમામ મુદ્દે વિગતવાર ચર્ચા થવી જોઈએ, અને દેશના કરોડો યુવાઓની પરેશાની સાંભળીને વડાપ્રધાને તેનો જવાબ આપવો જ જોઈએ.
વડાપ્રધાને રાહુલ ગાંધી પર કરેલો કટાક્ષ તથા ગાંધી બ્રધર-સિસ્ટર (રાહુલ-પ્રિયંકા) ના તીખા તમતમતા નિવેદનો જોતા એવું લાગે છે કે સીજેપીની સામે બીજેપીના સંઘર્ષનો રાજકીય ફાયદો વિપક્ષોને થઈ રહ્યો છે. બીજી તરફ એવી અટકળો પણ છે કે આ એક ઊંડુ રાજકારણ છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ભાજપની એક વધુ 'બી' ટીમ ચાલાકીપૂર્વક ઊભી કરવામાં આવી રહી છે, જે મજબૂત બને અને યુવાવર્ગમાં લોકપ્રિય બને તો ભાજપ વિરોધી અને મોદીવિરોધી મતોમાં ભાગ પડાવે, જેનો સીધો ફાયદો પંજાબમાં ગુપ્ત રીતે આકાર પામી રહેલા ભાજપ-અકાલીદળ સંભવિત ગઠબંધન તથા કોંગ્રેસના એ અસંતુષ્ટોને થાય, જેઓ હાઈકમાન્ડથી નારાજ છે અને વાડ ઠેકવા (પક્ષપલટા) ની તૈયારીમાં છે!
ગઈકાલે જંતર-મંતર પર અભિજિત દીપકે બેભાન થયા, તો વાંગચૂકે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ખબર સાંભળ્યા પછી ઉપવાસ ચાલુ રાખ્યા, તેના કારણે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, તો રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓના હક્કોની વાત કરી છે. તેમણે લખ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધ એ એક અકબંધ અને મૌલિક અધિકાર છે. વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના આદેશોનું આંખો બંધ કરીને પાલન કરનારા દરેક પોલીસ અધિકારી અને સરકારી કર્મચારી એ વાત ધ્યાનમાં રાખે કે સંવિધાન જ તમારો માલિક છે-સત્તા કાયમ માટે રહેતી નથી. જવાબદારી ચોક્કસપણ નક્કી કરવામાં આવશે. રાહુલ ગાંધીના આ નિવેદનમાં જવાબમાં પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે ક આ જ દિલ્હીમાં અડધી રાતે રામદેવ મહારાજ અને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા હજારો લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારે સંવિધાન યાદ ન આવ્યું? બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજોએ પણ વિદ્યાર્થીઓના આંદોલનને કચડવાની રીતરસમો સામે વિરોધ વ્યક્ત કર્યો છે, તેથી સરકાર બેકફૂટ પર જણાય છે.
સૌથી વધુ વિવાદ એ વાતનો છે કે જંતર-મંતર પર લાઠીચાર્જનો દિલ્હી પોલીસ ઈન્કાર કરી રહી છે, અને પથ્થરમારામાં સંખ્યાબંધ જવાનો ઘાયલ થયા હોવાનું જણાવી રહી છે, તો આંદોલનકારીઓ અને વિપક્ષો સરકારના ઈશારે આંદોલનકારીઓ પર પોલીસે જંતર-મંતર પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરીને પોલીસ આંદોલનકારીઓ પર લાઠીયો વીંઝતી હોય, તેવા દૃશ્યો વાયરલ થઈ રહ્યા છે, જેના જવાબમાં એવું કહેવાઈ રહ્યું છે કે, એ દૃશ્યો જંતર-મંતરના નથી, પણ સંસદ પાસે બેરીકેડિંગ તોડીને ઘૂસવાના પ્રયાસો થયા, તે સમયના છે. આ બધા વિવાદો વચ્ચે જનતા પૂછી રહી છે કે મોંઘવારી, બેરોજગારી, આ વર્ષે વરસાદની અસમાનતાના કારણે ઊભી થનારી સ્થિતિ, વગેરેની સંસદમાં ચર્ચા ક્યારે થશે? એક મંત્રીનું રાજીનામું લેવાથી સ્થિતિ શાંત થતી હોય તો સરકારે જીદે ન ચડવું જોઈએ વિગેરે...
હકીકતે દાનચોરી તથા હોર્મુઝ તથા અન્યત્ર ભારતીય જહાજો પર થતા હુમલામાં ભારતીયોના મૃત્યુ જેવા મુદ્દાઓમાં કેન્દ્ર સરકાર ઘેેરાયેલી હોઈ, તે મુદ્દાઓ દબાઈ જાય અને સરકાર જે નક્કી કર્યા છે, તે બિલો બન્ને ગૃહોમાંથી હોબાળા વચ્ચે પણ પસાર થાય, તેવી રણનીતિ હેઠળ સરકારને પણ આ પ્રવર્તમાન સંજોગો અને સ્થિતિ સૂટ કરતી (અનુકુકળ આવતી) હોય તેમ જણાય છે, અને લોકશાહી કોઈ ભૂલભૂલામણીમાં અટવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે નગરથી નેશન સુધી જામનગરના નાનકડા એવા વિભાપર ગામની દીકરી પૃથ્વીએ મેળવેલી સિદ્ધિની ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચાની ગૂંજ પૃથ્વીથી અંતરીક્ષ સુધી પડઘાઈ રહી છે. પૃથ્વીએ વિભાપર, જામનગર જિલ્લો, હાલાર, સૌરાષ્ટ્ર અને રાજ્ય સાથે દેશનું ગૌરવ વધાર્યું છે અને ભારતે કરેલા પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ માં કંટ્રોલ સિસ્ટમ લીડર તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને મહિલા સશક્તિકરણ સાથે 'મન હોય તો માળવે જવાય'ની માન્યતાને પણ સાર્થક કરી છે.
પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ માટેે ખૂબ જ જટિલ ગણાતી ઓટોપાયલોટ સિસ્ટમને સ્વયં ડિઝાઈન કરીને વિક્સાવી હતી. આ સિસ્ટમ રોકેટને અંતરિક્ષમાં ચોક્કસ દિશા અને સંતુલન (બેલેન્સ) જાળવી રાખવામાં મદદ કરે છે.
આ સિદ્ધિ બદલ પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે, અને સ્થાનિક જનપ્રતિનિધિઓથી લઈને વડાપ્રધાન સુધીના દિગ્ગજો તથા જિલ્લા તંત્રથી લઈને સ્પેસ સેક્ટર સાથે સંકળાયેલા સાયન્ટિસ્ટો અને તજજ્ઞો સુધીના લોકોએ અભિનંદન સાથે પૃથ્વીની પોતાની કોઠાસુઝ અને પરિશ્રમનેે પણ બીરદાવ્યા છે, અને તેના દ્વારા જ પૃથ્વીની કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓની ચર્ચા પણ થઈ રહી છે.
તદ્નુસાર, પૃથ્વીએ ડીઆઈએટી એટલે કે ડિફેન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી પૂણેમાંથી 'ગાઈડેડ મિસાઈન્સ' સ્પેશલાઈઝેશન સાથે માસ્ટ ઓફ ટેકનોલોજી (એમ.ટેક) ની ડીગ્રી મેળવી હતી. તે પહેલા તેણીએ આત્મીય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી એન્જિનિયરીંગની ડીગ્રી મેળવી હતી. તેણીની સાથે ભણેલા તથા કામ કર્યું હોય તેવા સહાધ્યાયીઓના ફીડબેક પણ ચર્ચાઈ રહ્યા છે અને તેણીની વિશેષતાઓના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. તેણી એનએનસી એટલે કે ગાઈડેન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની નિષ્ણાત છે. નાની ઉંમરેથી જ નિપુણ પૃથ્વીએ જટિલ ટેકનોલોજીનો ગહન અભ્યાસ કર્યો છે, અને ડિફેન્સ તથા સ્પેસના બન્ને ક્ષેત્રોમાં તેણીની માસ્ટરી છે. તેણીએ જામનગરમાં હાઈસ્કૂલ કક્ષાનું શિક્ષણ મેળવ્યા પછી આ સિદ્ધિઓની હારમાળા સર્જી છે.
પૃથ્વી એક નાનકડા ગામના મધ્યમવર્ગિય પરિવારમાંથી ડીઆરડીઓ અને સ્પેસટેક સ્કાઈરૂટ એરોસ્પેસ સુધી પહોંચી છે. તે બદલ 'નોબત' પણ તેણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
ભારતે હૈદ્રાબાદની અંતરીક્ષ સ્ટાર્ટ-અપ કંપની સ્કાયરૂટ એરસ્પેસ દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-૧'નું શ્રીહરિકોટાસ્થિત સતીશધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી સફળ પરીક્ષણ કર્યું, તેથી આપણો દેશ ખાનગી ક્ષેત્ર દ્વારા સ્પેસમાં પેલોડ સ્થાપિત કરનારો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર અમેરિકા અને ચીને જ મેળવી હતી, અને હવે ભારત પણ આ ક્લબમાં જોડાઈ ગયો છે, જે દેશ માટે ગૌરવ તથા આપણાં દેશના સ્પેસ સાયન્ટિસ્ટો અને એન્જિનિયર્સ, સ્પેસ, ટેક-ડિઝાઈનરો માટે પણ ખૂબ જ ગરિમાપૂર્ણ ઉપલબ્ધિ છે. આ 'પૃથ્વી' પર 'સ્પેસ' સુધીની ગૌરવયાત્રામાં આપણા જિલ્લાની દીકરીએ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોય, ત્યારે દરેક હાલારીઓ અને ગુજરાતીઓની છાતી પણ ગજ ગજ ફૂલે... કોંગ્રેચ્યુલેશન!
જામનગરમાં તાજેતરમાં ભારત ટેક્સી ચાલુ થઈ છે, તે ઉપરાંત સહકાર ક્ષેત્ર દ્વારા જ હવે કાર્ગો-ટ્રાન્સપોર્ટેશન (માલસામાનના પરિવહન) માટે સહકારી ક્ષેત્રની પોતાની ટ્રાન્સપોર્ટેશન ચેનલ ઊભી કરવાની સંભાવનાઓ પણ ચકાસાઈ રહી હોય, અને આ પ્રકારની પ્રવર્તમાન પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની દિશામાં સહકાર વિભાગ આગળ વધી રહ્યો હોય, તો તે આવકાર્ય ગણાય. જેવી રીતે સ્થાનિક પરિવહન કરતા વાહનો માટે 'કેબ' શબ્દ વપરાય છે, તેવી જ રીતે સ્પેસ સાયન્ટિસ્ટો, સ્પેસ એડવેન્ચર્સ તથા સ્પેસ ટુરિઝમની દિશામાં પણ દુનિયા આગળ વધી રહી છે, જેને 'સ્પેસ કેબ' કહેવાય છે.
વિક્રમ-૧ પણ આ પ્રકારની સ્પેસ કેબ છે, જે દુનિયાભરના નાના નાના ઉપગ્રહોને (ડિમાન્ડ મુજબ) અંતરીક્ષમાં પહેંચાડશે. અંતરીક્ષમાં ફેલાયેલા બિનઉપયોગી પદાર્થો (કચરા) ની સાફસુફી કરીને તેનો નિકાલ કરવાના ઉપયોગનું સંશોધન પણ કરશે. મુખ્ય કામ વૈશ્વિક સ્પેસ માર્કેટનો હિસ્સો બનીને વિવિધ કંપનીઓ કે સેક્ટરો પાસેથી કોમર્શિયલ ઓર્ડર મેળવીને નાના નાના ઉપગ્રહો લોન્ચ કરવાનું હશે, તેવા તારણો તદ્વિષયક ચર્ચાઓ તથા અહેવાલોમાંથી નીકળે છે.
વિક્રમ-૧ આગામી સમયમાં ૩પ૦ કિલોગ્રામ વજન સુધીનું વજન ધરાવતા ઉપગ્રહો પૃથ્વીની નીચલી કક્ષા (લો અર્થ ઓરબીટ) માં સ્થાપિત કરશે. તે પછી વિક્રમ-૧ (યુ) પપ૦ કિ.ગ્રા. સુધીનું વજન વહન કરવાની ક્ષમતા મેળવી લેશે. ભવિષ્યમાં આ જ કંપની વિક્રમ-ર અને વિક્રમ-૩ દ્વારા ૯૦૦ કિ.ગ્રા. સુધીની ક્ષમતા મેળવી લેશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જે એક અનોખી સિદ્ધિ હશે.
લોકોમાં એવી ચર્ચા પણ છે કે ખાનગી કંપનીઓ આ પ્રકારની સ્પેસ સિદ્ધિઓ મેળવે, તેમાં તો તે ખાનગી કંપનીઓના, હિતોને જ પ્રાધાન્ય આપશે, પરંતુ તેથી દેશને અને જનતાને કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ફાયદો થશે ખરો?
આ પ્રકારના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ ઊઠે, કારણ કે 'દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે' તે કહેવત મુજબ કેટલાક કટુ અનુભવોના કારણે આ પ્રકારના પ્રશ્નો પબ્લિકમાં ઊઠતા હોય છે.
આ પ્રશ્નોનો જવાબ પણ અપાઈ રહ્યો છે. આ રીતે અમેરિકા અને ચીન પછી ભારત પણ આ ક્ષમતા હાંસલ કરીને પ્રાઈવેટ સેક્ટરને પ્રોત્સાહિત કરશે, તો સૌથી મોટો ફાયદો એ છે કે ગ્લોબલ સ્પેસ માર્કેટમાં ભારતનો દબદબો વધશે, અને આ સિદ્ધિ મળ્યા પછી મહાસત્તાઓની હરોળમાં ભારતની આગેકૂચને વેગ મળશે.
શ્રેણીક્ષદ્ધ નાના-નાના સેટેલાઈટ્સ વિક્રમ-૧, ર, ૩ દ્વારા અંતરીક્ષમાં ગોઠવાયા પછી આપણા દેશના દૂર દૂરના અંતરિયાળ વિસ્તારો, પહાડી ક્ષેત્રો, રણક્ષેત્રો અને દુર્ગમ વિસ્તારો સુધી સસ્તુ અને હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે.
આ જ રીતે વરસાદની આગાહીઓ, વાવાઝોડા, કુદરતી આફતો અને ભારે પૂરની ક્ષણભરમાં માહિતી મળી જતા તત્કાળ જાન-માલનું રક્ષણ કરવું શક્ય બનશે. એટલું જ નહીં, જમીન વિષયક સટીક ડેટા મળતા ખેત ઉત્પાદન વધારી શકાશે. આ ઉપરાંત 'ઈસરો'નું ભારણ પણ ઘટશે.
વિક્રમ-૧ માં ભારતના ૪૦૦ જેટલા એમએસએમઈની મદદ લેવાઈ, જેમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં તકનિકી લાયકાત ધરાવતા લોકોને પૃથ્વીની જેમ હાઈ-ટેક જોબ સાથે આગળ વધવાની તકો મળે છે. આ કંપનીઓ દ્વારા સરકારને ફી તથા ટેક્સીસની જંગી ચૂકવણી થતા દેશની તિજોરીને પણ ફાયદો થશે, તેવો દાવો થઈ રહ્યો છે, પરંતુ જોવાનું એ રહે છે કે આ દાવાઓ કેટલા પ્રમાણમાં સાર્થક થાય છે... વિભાપરની દીકરી અને જામનગરના ગૌરવ પૃથ્વીને પુનઃ પુનઃ અભિનંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દિલ્હી પોલીસે આજે સોનમ વાંગચૂકને હોસ્પિટલે ખસેડતા જ વિપક્ષો આગબબૂલા છે અને મોદી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવીને લોકતંત્રની હત્યા કરાઈ રહી હોવાનો તમતમતો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ પોલીસ હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને બચાવ કરી રહી છે. ર૧ દિવસના ઉપવાસ પછી વાંગચૂકનું વજન ૯ કિલો જેટલુ ઘટી ગયા પછી ઘણાં નેતાઓએ વાંગચૂકને ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આજે જંતર-મંતર પરથ વાંગચૂકની સાથે અન્ય સમર્થકોને હટાવીને પોસ્ટર-બેનર્સ પણ હટાવી દેતા મોદી સરકાર પર ગંભીર આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે.
ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા સોનિયા ગાંધીએ પણ તાજેતરમાં જ સોનલ વાંગચૂકની તરફેણ કરતા ઈંદિરા ગાંધીના સમયગાળામાં સોનમ વાંગચૂકના પિતાએ કરેલી ભૂખ હડતાલની સ્મૃતિઓ તાજી થઈ ગઈ અને લગભગ ચાર દાયકા પહેલાનો એ ઘટનાક્રમ પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ પડઘાવા લાગ્યો હતો, જેને લઈને નવી પેઢીના યુવાવર્ગમાં કુતૂહલ પણ જાગ્યું હતું.
હકીકતે પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઈ છે કે સ્વયં સોનિયા ગાંધીએ જ પોતાની સાસુ ઈંદિરા ગાંધીના સમયગાળામાં બનેલી એ ઘટનાની ચર્ચા કોંગ્રેસના વફાદાર નેતાઓ સાથે કરી હતી, અને ઈંદિરા ગાંધીએ વર્ષ ૧૯૮૪ માં સોનમ વાંગચૂકના પિતા સોનમ વાંગ્યાલની લેહમાં જઈને મુલાકાત લીધી હતી અને તેઓને ભૂખ હડતાલ સમાપ્ત કરવા સમજાવ્યા હતાં, તેના સ્મરણો વાગોળ્યા હતાં.
સંસદનું ચોમાસ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તેની તૈયારી માટે કોંગ્રેસ પાર્લામેન્ટરી કમિટીની બેઠકમાં આ ઘટનાની યાદ તાજી થઈ તે પછી સોનિયા ગાંધીએ ઈંદિરા ગાંધીના સમયગાળાની આ ઘટના વર્ણવી હોવાનું કહેવાય છે.
તે સમયે લદખ માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી સાથે સોનમ વાંગચૂકે ગાંધીચિંધ્યા માર્ગે સત્યાગ્રહ આદર્યો હતો અને અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ શરૂ કરી હતી. તે સમયે તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ લેહ જઈને સોનમ વાંગચૂકને તેમની માંગણીઓ પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું હતું.
જો કે, તે જ વર્ષમાં ઈંદિરા ગાંધીની હત્યા થઈ ગઈ હતી, પરંતુ વર્ષ ૧૯૮૯ માં રાજીવ ગાંધી સરકારે લદ્દાખના કેટલાક સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો હતો. પિતા-પુત્રએ સરકાર સમક્ષ માંગણી મૂકવાનો સમાન પ્રકાર અપનાવ્યો છે. પિતાએ લદ્દાખને બંધરાણીય ઓળખ અપાવવા સંઘર્ષ કર્યો, તેના ઉલ્લેખો લદ્દાખ સ્ટડીઝમાં પ્રકાશિત થયેલા વાંગ્યાલના સંસ્મરણો અને અન્ય ઐતિહાસિક સાહિત્યમાંથી પણ મળે છે.
પિતાએ લદ્દાખની લડાઈ લડી, હવે પુત્ર કોંકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈને પેપરલીકના મુદ્દે વિદ્યાર્થીઓની સાથે લડત આપી રહ્યા છે, જો કે સોનમ વાંગચૂકે અત્યાર સુધી તો લદ્દાખના બંધારણીય સંરક્ષણ તથા શૈક્ષણિક-સામાજિક વિકાસ માટે અભિયાનો ચલાવ્યા હતાં, પરંતુ પેપરલીકના મુદ્દે વિરોધ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા-પદ્ધતિમાં બદલાવના મુદ્દે સોનમ વાંગચૂકે ભૂખ હડતાલ શરૂ કરી હતી, છતાં કેન્દ્રિય શિક્ષણમંત્રીએ રાજીનામું આપ્યું નહીં.
બીજી તરફ અરવિંદ કેજરીવાલ, ડિમ્પલ યાદવ, સુપ્રિયા શુલે, પવન ખેડા, રાકેશ ટિકૈત, પ્રકાશ આંબેડકર વગેરેએ વાંગચૂકની મુલાકાત લીધી તો પૂર્વ કેન્દ્રિય કાનૂન મંત્રીએ વ્યક્તિગતરૂપે મુલાકાત લીધી હતી, તો અખિલેશ યાદવ સહિતના વિવિધ રાજકીય પક્ષોના ઘણાં નેતાઓએ વાંગચૂકના સમર્થનમાં નિવેદનો કર્યા હતાં.
રાજકીય ક્ષેત્રે જ નહીં, બોલીવૂડમાં પણ આ મુદ્દે ઘમાસાણ મચ્યું છે. આમિરખાને રોચોના પાત્ર વિષે કહ્યું કે વર્ષ ર૦૦૯ માં તેઓ વાંગચૂકને ઓળખતા નહોતા, તો કોઈએ વર્ષ ર૦૦૮ નો કોઈ વીડિયો વાયરલ કરીને તે સમયે આમીર ખાન વાંગચૂકને મળ્યા હોવાનો દાવો કર્યો, તે બીજી તરફ કિરણ રાવે વાંગચૂકને સમર્થન જાહેર કર્યા પછી આ મુદ્દો બોલીવૂડની એક ફેમિલી મેટરથી લઈને ફિલ્મમેકર્સ સુધીના વર્તુળોની આંતરિક ખેંચતાણનું હથિયાર પણ બની ગયો હતો. આ બધા વિવાદો વચ્ચે આમિર ખાને પણ વાંગચૂકની કથળતી તબિયતનો ઉલ્લેખ કરીને તેમના ઉપવાસ ટૂંકસમયમાં ખતમ થઈ જાય, તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દહેરાદૂનમાં કોંગ્રેસના 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં દેશમાં ૧૦ વર્ષમાં ૧પર પેપર લીક થયા હોવાનું જણાવી સરકાર અને સમગ્ર સિસ્ટમ પર આકરા પ્રહારો કર્યા, તે સમયે મંચ પર જઈને એક પિતાએ પોતાની મહેનતુ પુત્રીએ પેપલીકના કારણે આત્મહત્યા કરી હોવાની આપવિતી રડતા રડતા રજૂ કરતા તેના પણ દેશવ્યાપી પડઘા પડ્યા છે, અને તેની સાથે વાંગચૂક સાથેના ઘટનાક્રમને સાંકળીને સરકારની ટીકા થઈ રહી છે.
આ બધા ઘટનાક્રમો પછી એવા તટસ્થ પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે ભૂતકાળમાં ઈંદિરા ગાંધીએ જે સંવેદનશીલતા દર્શાવી હતી, તેવી સહાનુભૂતિ દર્શાવીને સરકારે શિક્ષણમંત્રીને હટાવવા જોઈએ અને પેપરલીક અટકાવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થયા પછી ઈંધણની તંગીના કારણે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા તથા ઈથોનોલ મિશ્રિત ઈંધણ વાપરવાની ઝુંબેશને વધુ વેગીલી બનાવાઈ અને ઈ-ર૦ થી ઈ-૮પ પેટ્રોલનો વપરાશ વધારવાના ઉપયોગનો જોરદાર પ્રચાર-પ્રસાર કરાયો. પેટ્રોલ કરતા આ ઈંધણ સસ્તુ પડતું હોવાથી તેનો વૈકલ્પિક ઉપયોગ વધારવા તે પ્રકારના વાહનોનું ઉત્પાદન તથા વિશેષ પ્રકારના એન્જિનો બનાવવાની અનિવાર્યતાની ચર્ચાઓ પણ થઈ.
જો કે, ભારતમાં આ પ્રયોગ છેલ્લા ત્રણેક વર્ષથી થઈ રહ્યો છે. પ્રારંભમાં ઊર્જા સપ્તાહની ઉજવણી રિલાયન્સ દેશના ૮૪ પેટ્રોલપંપો પરથી ઈ-ર૦ ઈંધણનું વેંચાણ શરૂ કરાયું, અને તેને પાઈલોટ પ્રોજેક્ટ ગણાવાયો તે સમયે ઈ-ર૦ ઈંધણનો ઉપયોગ કરી શકાય, તે પ્રકારના વાહનોનું નિર્માણ કરવાની સૂચનાઓ અપાઈ, અને તે પ્રકારના એન્જિનો તૈયાર થયા, પરંતુ કેટલીક ફરિયાદો પણ ઊભી થઈ હતી. તે પછી તાજેતરમાં મિડલ ઈસ્ટની અશાંતિ અને હોર્મુઝ બંધ થવાના કારણે વૈકલ્પિક ઊર્જાથી સંચાલિત વાહનો ચલાવીને પેટ્રોલ-ડીઝલ-ગેસની બચત કરવાના અભિયાનો શરૂ થયા, પરંતુ તેમાંથી ઈ-ર૦ ના ઉપયોગનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો.
આ મુદ્દે હવે વધું ગરમાયો છે, અને છત્તીસગઢની અદાલતે એક કાર ઉત્પાદક કંપની સામે ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપીને નવી કાર અથવા વ્યાજ સાથે કેશ રિફંડ કરવાનો આદેશ કર્યો, તે કિસ્સાના કારણે ઈ-ર૦ ઈંધણ ફરીથી ટોક ઓફ ધ નેશન બન્યું છે.
એક ગ્રાહકે જુન-ર૦ર૪ માં એક હાઈબ્રિડ કાર ખરીદી, જેમાં ઈ-ર૦ નો વપરાશ થઈ શકે, તેવી સિસ્ટમ હોવાનું કહીંને કંપનીએ આ કાર ડિસેમ્બર-ર૦ર૩ માં (એટલે કે ઈ-ર૦ ઈંધણનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયા પછી) બની હોવાનું ગ્રાહકને જણાવ્યું હતું, તે પછી એક જ મહિનામાં ગાડી ધાંધિયા કરવા લાગી, તે પછી કાર ઉત્પાદન કંપનીએ હાથ ઊંચા કરી દેતા અને ગેરંટીમાં આ પ્રકારનો ફોલ્ટ નહીં હોવાનું કહીને રૂ।. પાંચ લાખથી વધુનો ચાર્જ જણાવ્યો, તે પછી ગ્રાહકે કાનૂની કદમ ઊઠાવ્યા અને મામલો રાયપુર જિલ્લા ગ્રાહક ફોરમમાં માર્ચ-ર૦રપ માં પહોંચ્યો, તે પછી અદાલતના આદેશથી લેબોરેટરી ચેકીંગ, ટેકનિકલ તપાસ વગેરે કરાયું અને સુનાવણીના અંતે ગ્રાહક અદાલતે ઠરાવ્યું કે ઈ-ર૦ ઈંધણને અનુરૂપ એન્જિન નહીં હોવા છતાં કંપનીએ ગ્રાહકને જાન્યુઆરી-ર૩ માં ઉત્પાદિત કાર (ડિસેમ્બર-ર૩ માં બની હોવા છતાં) વેંચી હતી, જેથી કાર કંપનીએ નવી કાર ગ્રાહકને આપવી પડશે, જે ઈ-ર૦ ઈંધણને અનુરૂપ હોય, અથવા તો રૂ।. ર૦.પ લાખ ગ્રાહકને ચૂકવવા પડશે. હવે દોઢ મહિનાની મુદ્ત મળી હોવાથી કંપની કદાચ અપીલ કરી શકશે અથવા ભૂલ સ્વીકારીને ગ્રાહક ફોરમના આદેશનો અમલ કરશે, તે ચર્ચાનો વિષય છે, પરંતુ આ કેસના કારણે દેશમાં ઈ-ર૦ ઈંધણ કેટલું ઉપયોગી છે અને કેટલું નુક્સાનકારક છે, તેની ચર્ચા એક વખત ફરીથી શરૂ થઈ ગઈ છે, અને ઈ-ર૦ ઈથોનોલના નિર્ણય બદલ મોદી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ જેવું ઈંધણ વાહનો માટે પસંદગીનું ઈંધણ છે અને તેની સામે પર્યાવરણ સુરક્ષા આયાતબીલમાં ઘટાડો અને ઈંધણની પ્રવર્તમાન સંજોગોમાં તંગ સ્થિતિ સહિતના કારણો સાથે હાલમાં ઈ-ર૦ ઈંધણના વપરાશની તરફેણ કરવામાં આવી રહી છે, અને આ માટે પહેલેથી જ પ્રયત્નશીલ રહેવા કેન્દ્રિય માર્ગ-વાહનવ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરી આ માટે જોરદાર ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે ઈ-ર૦ ઈથોનોલના ઉપયોગથી ગ્રાહકોને તો કોઈ ખાસ લાભ થતો નથી, પરંતુ વાહનોના એન્જિનો ખરાબ થઈ જાય છે, તે પ્રકારનો વિવાદ ઊઠ્યો હોવાથી તાજેતરમાં જ ગડકરીએ કહ્યું હતું કે, જેને ઈ-ર૦ માં વિશ્વાસ ન હોય, તે મોંઘુ પેટ્રોલ ભરાવે... બાકી ઈ-ર૦ નો ઉપયોગ કરવાથી તેના માટે સ્પેશ્યલ એન્જિનો બનાવાયા હોય, તેવા વાહનો બગડી જતાં હોવાની વાત ખોટી છે, વગેરે...
નીતિન ગડકરીને આ પ્રકારના અહેવાલો પ્રેસ-મીડિયામાં આવતા રહ્યા અને આ વિવાદ ચાલતો જ હતો, તેવામાં એક નવો જ વિવાદ ઊભો થયો. કેજરીવાલે તો 'સફેદ જૂઠ' બોલવાનો ધગધગતો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવ્યો અને ઈ-ર૦ ઈથોનોલનો ઉપયોગ કરનાર (મંત્રી) ને સજા કરવાની માંગણી પણ કરી દીધી હોવાના અહેવાલો પછી દેશની રાજનીતિ પણ ઉકળવા લાગી હતી.
વિપક્ષી નેતાઓએ તો ત્યાં સુધી આરોપો લગાવ્યા છે કે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના પરિવાર (દીકરાઓ) ની ખાંડ અને ઈથોનોલ કંપનીઓ છે, જેને ફાયદો પહોંચાડવા નીતિન ગડકરીએ ઈ-ર૦ ફરજિયાત કરવાનો પ્રયાસ કર્યો હશે.
આ પ્રકારના આરોપોનો જવાબ આપતા ગડકરીએ કહ્યું કે, દેશના ઈથોનોલ બિઝનેસના ૦પ ટકાથી પણ ઓછી ભાગીદારી છે અને તેના પર રૂ।. ૧૬૦૦ (સોળસો) કરોડનું દેવું છે. તેમણે આલોચકોને ઈ-ર૦ ઈંધણથી એન્જિન ખરાબ થતા હોવાના કોઈ પ્રામાણિક પુરાવા હોય તો રજૂ કરવાનો પડકાર પણ ફેંક્યો છે.
જેના જવાબમાં રસપ્રદ આંકડાઓ પણ રજૂ થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ દેશનો ઈથોનોલ બિઝનેસ વર્ષ ર૦રપ માં અંદાજે લગભગ રૂ।. પ૦ હજાર કરોડનો હતો, તો તે ગણતરીએ ગડકરીજીના દાવા મુજબ ૦.પ ટકા કેટલા થાય? એક બીજા અંદાજ મુજબ ભારતમાં ઈથોનોલ સંબંધિત ટર્નઓવર ૧ થી દોઢ લાખ કરોડનું હોય, તો તેના ૦.પ ટકા કેટલા થાય? જરા વિચારો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આગામી ૨૦ જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે એક તરફ સરકાર કોઈક મોટું કદમ ઉઠાવવા જઈ રહી હોવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, અને મહિલા આરક્ષણ સાથે લોકસભાના મતવિસ્તારોના નવા સિમાંકન સંબંધિત પ્રસ્તાવ ફરીથી રજૂ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષો અયોધ્યાના રામમંદિરમાં દાનચોરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે, અને મોદી સરકાર તથા ભારતીય જનતા પક્ષની ઘેરાબંધી કરશે, તેવા સ્પષ્ટ સંકેતો પણ મળી રહ્યા છે.
ગઈકાલથી શરૂ થયેલી ચર્ચા મુજબ સંસદમાં દાનચોરી ઉપરાંત એક એવો મુદ્દો પણ ઉછળવાનો છે, જેમાં કેન્દ્ર સકરકારની વિદેશનીતિ ઉપરાંત અર્થનીતિ સામે પણ સવાલ ઊભા થવાના છે. ગઈકાલે એવા અહેવાલો આવ્યા હતા કે ભારત સરકાર અને એલઆઈસીનો આઈડીબીઆઈ બેન્કમાં જે ૬૦.૭૨ ટકા જેટલો હિસ્સો છે, તે કેનેડાની દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ કંપની ફેયર ફૈકસ ફાયનાન્સિયલ હોલ્ડિંગ્સને વેચવાની ડીલ લભગભ ફાયનલ થઈ ગઈ છે.
ગઈકાલથી આધારભૂત વર્તુળોને ટાંકીને ચાલી રહેલી ચર્ચા મુજબ ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સાની આ કંપનીએ આઈડીબીઆઈ બેન્કના શેરો માટે સૌથી ઊંચી બોલી લગાવી છે.
એવું કહેવાય છે કે આ સોદા માટે એમિરેટ્સ એનબીડી-(દુબઈ) પણ રેસમાં હતી, પરંતુ ફેયર ફૈકસની શેર દીઠ રૂા. ૮૧ની બોલી પછી આ ડીલ લગભગ ફાયનલ ગણાય છે. આ પહેલા ફેયર ફેકસે શેરદીઠ રૂા. ૭૫ની બોલી લગાવી હતી, જેને ઠુકરાવી દેવામાં આવી હતી, તે પછી ફેયર ફૈકસે બોલી વધારી દીધી હતી, અને આ સોદો થશે તો તે રૂા. ૫૩ હજાર કરોડથી વધુનો હશે, તેમ મનાય છે. જો આ ડીલ થશે તો ભારતીય બેન્કીંગ ઈતિહાસમાં આ સૌથી મોટું ફોરેન ઈન્વેસ્ટમેન્ટ હશે. એવું કહેવાય છે કે આ ડીલને ભારત સરકારના નાણા મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે. જો કે, આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે અને જો આ સોદો થાય તો ફેયર ફૈકસે સાર્વજનિક શેરધારકો માટે એક ઓપન ઓફર પણ કરવી પડશે. બીજો એક અવરોધ પણ આ સોદાના સંદર્ભે પાર પાડવો પડે તેમ છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ ફેયર ફૈકસની ભારતના કેરળની એક બેઠક સીએસબી બેન્કમાં હિસ્સેદારી છે, તેથી ફેયર ફૈકસે નવી ડીલ કરવી હોય તો કાં તો સીએસબીની હિસ્સેદારી છોડવી પડે અથવા વિલીનીકરણ કરવું પડે.
જો કે, આ મુદ્દે પણ નિર્ણય લેવાઈ ગયો છે, પરંતુ તેને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મંજુરી મળે, તેના પર સમગ્ર ડીલનો આધાર રહેવાનો છે, તેના કારણે જ કદાચ નાણાં મંત્રાલયની લીલી ઝંડી તથા લગભગ ફાયનલ થયેલી ડીલને હજુ આખરી ઓપ અપાયો નથી.
આ અહેવાલ પછી જો આ નિર્ણય લેવાયો હોય તો તેને કેટલાક શેરધારકો તથા ઈન્વેસ્ટરો વિગેરેના વર્તુળો દ્વારા મિશ્ર પ્રત્યાઘાતો અપાઈ રહ્યા છે, જ્યારે પહેલેથી જ રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા વિપક્ષોએ આકરી ટીકા કરી છે.
વિપક્ષના વર્તુળોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણથી દેશની સાર્વજનિક સંપત્તિ ખાનગી માલેતુજારોના હાથમાં જશે, જે દેશહિતના વિરોધમાં છે. વિપક્ષી નેતાઓ ઉપરાંત કેટલાક કર્મચારી સંઘોએ પણ આ પ્રકારના કદમને વર્ષ ૨૦૦૩માં સંસદમાં અપાયેલા અવિશ્વાસનોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. જહોન બ્રિટાીસ સહિતના સાંસદોએ પણ વિદેશી કંપનીઓને ૫૦ ટકાથી વધુની હિસ્સેદારી આપવા સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. કર્મચારી યુનિયનોના વર્તુળોમાં એવો ફફડાટ પણ વ્યાપી ઉઠયો છે કે જો સરકારી બેન્કનું ખાનગીકરણ થશે, તો પ્રવર્તમાન સ્ટાફ, વેતન અને નોકરીની શરતો વગેરે અંગે અસુરક્ષાની ભાવના ઊભી થશે, એટલું જ નહીં, અવિશ્વસનિયતા વધતા ગંભીર પ્રકારનું સંકટ પણ ઊભું થશે અને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવતા ભારતીય નોકરિયાતોનું તથા બેન્કના વફાદાર કસ્ટમરોનું હિત પણ જોખમાશે.
પહેલેથી જ સરકારી બેન્કોના ખાનગીકરણ સામે કર્મચારી યુનિયનો વિરોધ કરતા રહ્યા છે. ઓલ ઈન્ડિયા આઈડીબીઆઈ ઓફિસર્સ અને સ્ટાફે દિલ્હીના જંતરમંતર પર ધરણાં પણ કર્યા હતા. આ ધરણાં દરમ્યાન વિપક્ષના કેટલાક સાંસદોએ તેઓની મુલાકાત લઈને સમર્થન પણ જાહેર કર્યું હતું.
ખાનગીકરણ થતાં જ અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી આરક્ષણ ખતમ થઈ જશે, કારણ કે અનામત માત્ર સરકારી બેન્કોમાં જ લાગૂ પડે છે. વિદેશી કંપની પોતાના હિતોનું જ રક્ષણ કરશે, અને પોતાના નફા માટે જ કામ કરશે, જેથી ગ્રામ્ય વિસ્તારોની બેન્કીંગ સેવાઓ, જનકલ્યાણની યોજનાઓ તથા સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચતા કરવામાં મુશ્કેલી પડશે, જેથી દેશની સામાન્ય જનતાને આ સોદો ઝટકા સમાન હશે, તે પ્રકારના ઘેરા પ્રત્યાઘાતો સંભળાઈ રહ્યા છે, તો તેની સામે આ તમામ આશંકાઓનો છેદ ઉડાડતી દલીલો પણ રજૂ થઈ રહી છે. જો કે, મહત્તમ જન સમર્થન કર્મચારી યુનિયનો તરફી જણાય છે અને વિપક્ષનું પણ સમર્થન મળ્યું હોવાથી આ મુદ્દો પણ સંસદમાં જોરદાર આક્રમકતા સાથે વિપક્ષના સાંસદો ઉઠાવશે, તેમાં કોઈ સંદેહ જણાતો નથી.
એ ઉલ્લેખનિય છે કે આ પહેલાં પણ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આઈડીબીઆઈ બેન્કના કર્મચારીઓ સાથે મુલાકાત પછી ખાનગીકરણનો પ્રચંડ વિરોધ વ્યક્ત કરતા નિવેદનો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ફાયદામાં ચાલી રહેલા સાર્વજનિક ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર કે વિદેશી હાથોમાં સોંપવું એ દેશહિતના વિરોધમાં તો છે જ, પરંતુ સામાન્ય જનતા માટે અને બેન્કીંગ કર્મચારીઓના હિતોની પણ વિરૂદ્ધમાં છે. તેમણે પડકાર ફેંક્યો હતો કે કોંગ્રેસ આ પ્રકારની જનવિરોધી નીતિઓનો સડકથી સંસદ સુધી સામનો કરશે. કોંગી નેતા જયરામ રમેશે પણ આ નીતિનો જોરદાર વિરોધ કર્યો છે. હવે આ મુદ્દો સંસદમાં પણ જોરશોરથી ગુંજશે કે સરકાર વિપક્ષોને ગળે ઉતરે તેવી ચોખવટ કરીને વિરોધ સમાવશે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
હાલાર સહિત રાજ્યમાં વ્યાજખોરોની ક્રૂરતાના ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે, ઘણાં જ ઊંચા વ્યાજે લોકોને ગેરકાયદે નાણાની ધીરધાર કર્યા પછી મુદ્લ કરતા અનેકગણુ વ્યાજ વસૂલ્યા પછી અને મૂળ રકમ પણ ભરપાઈ કરી દીધા પછી પણ તોતિંગ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને ધાકધમકી આપીને કે માર-કૂટ કરીને જમીન, માલ-મિલકત કે આભૂષણો જેવી કિંમતી ચીજો હડપી લેવાની વ્યાજંકવાદીઓની મોડસ ઓપરેન્ડી હોય છે.
ગઈકાલે જ ગુજરાતના પાટણ જિલ્લાની એક ઘટનાના સમાચારે આખા રાજ્યમાં ચર્ચા જગાવી હતી અને તેના રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે, કારણ કે સામાન્ય રકમની ઉઘરાણીમાં એક વ્યાજખોરે જે કૃત્ય કર્યું, તે માત્ર સરકાર જ નહીં, પરંતુ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. આ જ પ્રકારની ઘટનાઓ જો વધતી રહેશે, તો તેને લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર કાળુ કલંક અને શાસન-પ્રશાસનની ઘોર નિષ્ફળતા જ ગણવી પડે તેમ છે, કારણ કે જો નરાધમોને કાયદાનો ડર જ નહીં રહે, તો સામાજિક સમતુલા અને સુરક્ષા તદ્ન ભાંગી પડશે.
ગુજરાતના પાટણ જિલ્લાના ખાલકપુરા ગામની એક મહિલાએ વ્યાજખોર પાસેથી ઘરખર્ચને પહોંચી વળવા માટે પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. તે પછી આ મહિલા પાસે વ્યાજખોરે ઉઘરાણી કરી, તો મહિલાએ થોડો વધારે સમય માંગ્યો, તો વ્યાખજરોે એ મહિલાને કોઈ જવલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી, અને તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાઈ, પરંતુ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થઈ ગયું. તેણીના મૃત્યુ પહેલા પોલીસે તેણીનું મૃત્યુ પહેલાનું નિવેદન (ડાઈંગ ડિક્લેરેશન) નોંધીને તપાસ હાથ ધરી છે. આ વ્યાજખોરને કડકમાં કડક સજા થવી જોઈએ, તેવી રાજ્યવ્યાપી માંગ પણ ઊઠી રહી છે.
આ કમકમાટીભરી અને નિંદનિય ઘાતકી ઘટનાના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને તંત્ર તથા સમાજ સામે ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે. આટલી નજીવી રકમ માટે કોઈનો આટલી ક્રૂરતાથી જીવ લઈ લેવો, એ કાયદો-વ્યવસ્થા સામે તો એક પડકાર છે જ, પરંતુ આ પ્રકારની ક્રૂરતાભરી દયાહીન માનસિક્તા સમાજમાં પનપી રહી હોય તો તે સભ્યસમાજ સામે પણ લાલબત્તી છે. આટલા કડક કાયદાઓ હોવા છતાં જો વ્યાજખોરો અંકુશમાં રહેતા ન હોય અને રોજ-બ-રોજ આવી ઘટના બનતી રહેતી હોય તો તે રાજ્યના ગૃહવિભાગ અને રાજ્ય સરકાર માટે પણ લાંછન સમાન છે.
એક તરફ રાજ્યભરમાં ઠેર-ઠેર પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશો ચલાવાઈ રહી છે, અને જનજાગૃતિ માટે પ્રયાસો વધારાયા છે તથા વ્યાજખોરોને વીણી વીણીને પાઠ ભણાવવાના દાવાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી નથી, તેથી આ બદી ડામવા માટે વધુ કડક કાયદા સાથે સામાજિક જાગૃતિ અને લોકોને જરૂર પડ્યે પાંચ-પચીસ હજાર જેવી રકમ સહકારી ક્ષેત્ર કે કોઈ સોશિયલ ફંડ ઊભુ કરીને ત્યાંથી ટૂંકી મુદ્ત માટે ઉછીની મળી રહે, તેવી કોઈ વ્યવસ્થા સમાજ-સરકારના સહિયારા સંયોજનથી થાય, તે અત્યંત જરૂરી છે.
એવું કહેવાય છે કે, પાટણની ઘટનાનો મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે. તે ઉપરાંત વિપક્ષી વર્તુળોમાં પણ આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાણો પડ્યા છે. વ્યાજખોરો કાંઈ સીમાપારથી આવતા નથી, તેઓ આપણી (સમાજની) વચ્ચે જ રહે છે અને સમાજની નજર સામે જ આ પ્રકારની ક્રૂરતા કરે છે. એવા અનેક દૃષ્ટાંતો રાજ્યભરમાંથી સંભળાય છે, જેમાં વ્યાજખોરોએ તોતિંગ વ્યાજની સામે જમીન, ખેતર, મકાન કે અન્ય સ્થાવર-જંગમ મિલકત પડાવી લીધી હોય. ઘણાં લોકો વ્યાજખોરોને કાયદાનો ડર ન હોવા પાછળ કોઈ મજબૂત અદૃશ્ય પીઠબળ અને સાઠગાંઠની આશંકાઓ પણ વ્યક્ત કરતા હોય છે, અને સંભવિત ભ્રષ્ટાચાર તરફ અંગૂલીનિર્દેશ થતો હોય છે.
જો પોલીસતંત્રના સંનિષ્ઠ પ્રયાસો અને સામાજિક જાગૃતિના પૂરપૂરા પ્રયત્નો છતાં જો આ ક્રૂર ગુનાખોરી અંકુશમાં આવતી ન હોય, તો સમાજોને સ્થાનિક ધોરણે વ્યાજખોરોના સામૂહિક બહિષ્કાર અને હિંમતપૂર્વકના પ્રતિકારની સાથે સાથે વ્યાજખોરો સામે લોકો વધુ મુક્તમને ફરિયાદ કરી શકે, તે માટે ગામે-ગામ અને શહેરોના પ્રભાવિત વિસ્તારોમાં અવારનવાર વ્યાજખોરમુક્તિ કેન્દ્રો ખોલવા જોઈએ. સરકારે પણ આ પ્રકારના કૃત્યોનો અસાધારણ કે માનવતા વિરોધી ગુન્હો ગણીને (આતંકવાદી કે ઉગ્રવાદી-અલગતાવાદી સામે થાય છે તેવી) કડક કાનૂની કાર્યવાહી થઈ શકે, તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ જેવો કડક કાયદો બનાવવો જોઈએ.
એવું નથી કે સરકાર, સમાજ કે પોલીસતંત્ર આ મુદ્દે કોઈ પ્રયત્નો જ કરતા નથી, પરંતુ આ તમામ પ્રયાસોને મજબૂત કાનૂની પીઠબળ મળે, તે માટે અત્યંત કડક કાયદાની જરૂર છે અને તે ઉપરાંત ગામેગામ વ્યાજખોરો સામે લોકઆંદોલનો તથા વ્યાપક જનજાગૃતિ પણ જરૂરી છે. સરકારની પ્રવર્તમાન વ્યાજખોરી વિરૂદ્ધની કડક ઝુંબેશો છતાં નિર્દય વ્યાજખોરોને અંકુશમાં લઈ શકાતા ન હોય તો 'લિકેજ' ક્યાં છે, તે શોધવું પડેે તેમ છે. આ રાજ્યવ્યાપી મુદ્દો ગુજરાતના સાંસદો આગામી સંસદીય સત્રમાં સંસદમાં પણ ઊઠાવશે, ધારાસભ્યો વિધાનસભામાં પણ ઉઠાવશે અને સ્થાનિક કક્ષાએ પણ રાજનેતાઓ 'વગદાર' વ્યાજખોર કૂચક્રને ભેદવા કટિબદ્ધ થશે તે ઉપરાંત લોકોને નાની-નાની રકમની લોન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થાય, તેવી કોઈ સામાજિક વ્યવસ્થા થશે, તો આ દૂષણ સામે પરિણામલક્ષી લડત આપી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્વ. લલિતાબેન રતિલાલ માધવાણી
વૈકુંઠવાસ તા. ૧૩-૦૭-ર૦૦૭
સંસ્કારોની સરવાણી સમા મમતાની મૂર્તિ એવા પૂ. બા વૈકુંઠવાસી થઈ ગયા, તેને બે દાયકા થયા છે, છતાં તેઓની મમતાનો છાંયડો અને સ્નેહભરી હૂંફની અનુભૂતિ અમે આજ પણ કરી રહ્યા છીએ. તેઓ આપણી વચ્ચે હતા, ત્યારે મમતા, પ્રેમ અને હૂંફાળો જે સ્નેહ વરસાવ્યો, તેને ક્યારેય વિસરી શકાય તેમ નથી.
પૂ. બા ની સાદગી, સરળતા અને ગૌરવપ્રદ જીવનશૈલી હંમેશાં પ્રેરણાત્મક રહી હતી. તેઓએ પરિવારને એવા સંસ્કારો આપ્યા, જે આજે પણ અમારૂ પ્રેરક પથદર્શન કરી રહ્યા છે. અમારા પૂ. પિતાશ્રી રતિલાલ માધવાણીના જીવનસંગિનિ તથા પરિવારના મોભી તરીકે તેઓએ હંમેશાં સમર્પિત ભાવથી યોગદાન આપ્યું છે, અને 'નોબત' દૈનિકનું પણ પડકારરૂપ સમયથી લઈને વટવૃક્ષ બન્યું ત્યાં સુધી પરિશ્રમપૂર્વક સિંચન કર્યું છે.
પૂ. બા માં સૌ કોઈને પોતાના પરિવારજન કરી લેવાની અદ્ભુત શક્તિ હતી અને તેઓના માયાળુ સ્વભાવના કારણે તેઓ અમારા બધાનું પ્રેરકબળ બન્યા હતા. તેઓ તે સમયે હતા, એવા જ અત્યારે પણ અમારી સ્મૃતિમાં જીવંત છે અને માતાની ખોટ તો ક્યારેય પૂરાય તેવી હોતી જ નથી. 'માઁ' શબ્દ ઉચારતા જ મમત્વનો ધોધ વહેતો હોય, તેવી લાગણી જન્મે છે. તેઓની કાલ્પનિક સ્મૃતિઓ વાગોળતા અનોખી પ્રેરણા સાથે અદ્ભુત શાંતિની અનુભૂતિ પણ થાય છે.
પૂ. બા નો પ્રસન્નચિત્ત ચહેરો, હંમેશાં સક્રિય રહેતી જીવનશૈલી, સુમધૂરવાણી, સંસ્કાર અને સંસ્કૃતિથી ભરપૂર કાર્યશૈલી અને હેતાળ મિલનસાર સ્વભાવના કારણે તેઓ સૌ કોઈના હૈયે વસી જાય, તેવું વ્યક્તિત્વ હતાં. તેઓ આજે પણ વૈકુંઠમાંથી અમારા બધા પર અમીભર્યા આશીર્વાદ વરસાવી જ રહ્યા છે, અને અમારો પ્રેરણાપથ કંડારી રહ્યા છે.
જ્યારે ૧૩ જુલાઈ-ર૦૦૭ ના પૂ. બા એ વૈકુંઠગમન કર્યું, ત્યારે અમોને બધાને કારમો આઘાત લાગ્યો હતો, પણ કુદરતની ઘટમાળમાં આપણું કાંઈ ચાલતું નથી. પૂ. બા ના સમગ્ર જીવનમાંથી હંમેશાં અમને બધાને પ્રેરણા મળતી રહે, અને તેઓનો દિવ્યાત્મા આપણા બધા પર હંમેશાં અમીભર્યા આશીર્વાદ વરસાવતો રહે, તેવી શ્રીજીને પ્રાર્થના સાથે પૂ. બા ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર
તા. ૧૪-૦૭-ર૦ર૬
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
જામનગરમાં સ્થાનિક પરિવહન માટે સિટીબસોની સેવા ધીમે ધીમે વિસ્તરી રહી છે. કેટલાક ઓછા જાણીતા થયેલા મહાનુભાવો, જાગૃત નાગરિકો અને પ્રોફેશ્નલો જુદા જુદા રૂટ પર સ્વયં મુસાફરી કરીને કદાચ 'રિયાલિટી ચેક' કરતા હોવાનું તથા કેટલાક પ્રતિષ્ઠિતો ઈંધણ બચાવવાના રાષ્ટ્રીય આહ્વાન તથા પર્યાવરણ જાગૃતિ માટે ઈલેક્ટ્રીક એરકન્ડિશન્ડ સિટીબસમાં રોજીંદો પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડવાનો પ્રયાસ કરતા હશે,તેમ મનાય છે. ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી ફાટી નીકળતા ફરીથી ઈધણના કરકસરપૂર્વકના ઉપયોગની દેશને જરૂર છે, ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ સહિત જાગૃતિ નાગરિકો સિટીબસનો પ્રવાસ નિયમિત રીતે કરીને જનજાગૃતિ ફેલાવે તે આવકાર્ય પણ છે અને ઈચ્છનિય પણ છે.
બંગલુરૂમાં તો રાજ્ય સરકારના પરિવહન મંત્રીએ પોતે જ મોઢા પર માસ્ક પહેરીને સિટીબસમાં પ્રવાસ કર્યો, તે દૃષ્ટાંત આજે ટોક ઓફ ધ નેશન બન્યું છે. કર્ણાટકના પરિવહન મંત્રી બાપરાથી સુરેશે શનિવારે રાત્રે જ્યારેે સિટીબસમાં મુસાફરી કરી, ત્યારે તેની પાસે ટિકિટના છૂટા પૈસા નહીં હોવાથી કન્ડક્ટરે તેઓને બસમાંથી ઉતારી મૂક્યા હતાં, અને તેઓ પોતાની ઓળખ છૂપાવીને બસમાંથી ઉતરી પણ ગયા હતાં. તે પછી તેેેમણે જ્યાંથી તેઓને ઉતારી મૂકાયા હતાં, તે સ્થળેથી ઓટોરિક્ષામાં મુસાફરી કરી હતી, તો રિક્ષાચાલકે મીટરમાં દર્શાવેલા ભાડા કરતા વધુ ભાડું વસૂલ્યું હતું. મંત્રીએ વધારાનું ભાડું લેવાનું કારણ પૂછ્યું, તો ઓટોચાલકે મીટર બગડી ગયું હોવાનું જણાવી બહાનું કાઢ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ડ્રાઈવરે પણ એેક સ્ટોપ પર બસ ઊભી રાખી નહોતી, તે પછી બી.એમ.ટી.સી.- સરકારી બસના ડ્રાઈવર અને કન્ડક્ટર બન્નેને સસ્પેન્ડ કરી દેવાયા હોવાના અહેવાલો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યા છે, અને મંત્રીની આ 'પોલખોલ' પ્રવૃત્તિને આવકાર મળી રહ્યો છે.
સિટીબસમાંથી ઓળખ આપ્યા વિના ઉતરી ગયેલા પરિવહન મંત્રીએ તે પછી ઓટોચાલકને પોતાની સાચી ઓળખ આપીને કડક ચેતવણી આપી હોવાના કારણે સ્થાનિક રિક્ષાચાલકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો.
બેંગ્લુરૂની આ પોલંપોલ દેશમાં બધી જગ્યાએ ચાલી રહી છે, અને જામનગર સહિત જ્યાં જ્યાં સિટીબસો ચાલે છે, તેવા સ્થળે આ પ્રકારના રિયાલિટી ચેક થતા રહે, તે ઈચ્છનિય પણ છે. કર્ણાટકના કોંગ્રેસી પરિવહન મંત્રીએ જ રિયાલિટી ચેક કર્યું તે જ પ્રકારનું રિયાલિટી ચેક ઘણી વખત પ્રેસ-મીડિયાવાળા પણ કરતા હોય છે, પરંતુ માત્ર મંત્રી જ નહીં, શાસક અને વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ પણ કરી જ શકે છે. આ પદ્ધતિથી 'સિસ્ટમ'માં સુધારો થઈ શકે છે. શરત માત્ર એટલી જ છે કે આ પ્રકારનું રિયાલિટી ચેક અવિરત અને જુદા જુદા વ્યક્તિઓ દ્વારા થતું રહેવું જોઈએ, અને ઉદ્દેશ્ય પબ્લિસિટી સ્ટંટ નહીં પણ જનજાગૃતિ ફેલાવવાનો હોવો જોઈએ.
બેંગ્લુરૂમાં તો રિયાલિટી કરવા નીકળેલા મંત્રીએ કદાચ કોઈ આસિસ્ટંટ કે સાથીદારને ગૂપચૂપ વીડિયો ઉતારી લેવાની વ્યવસ્થા કરી હશે, તેથી તે ઘટનાના વીડિયો પણ વાયરલ થયા હશે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા સતત સમયાંતરે થતી રહે તો 'સિસ્ટમ' સુધરી શકે. આ પ્રકારના રિયાલિટી ચેકમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફીની ગુપ્ત વ્યવસ્થા જ કરવી પડે, અન્યથા જેનું ચેકીંગ કરવાનું હોય, તે ચેતી જાય અને 'પબ્લિસિટી સ્ટંટ'નો મુખ્ય ઉદ્દેશ્ય હોવાની આલોચના પણ થાય, આ પ્રકારના રિયાલિટી ચેક માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, વિપક્ષના નેતાઓ પણ કરી શકે છે.
સૌરાષ્ટ્રમાં સિટીબસ સેવાઓમાં ઘણાં બધા સુધારા-વધારા થવા જરૂરી છે. બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેટ્રો સિટીઝમાં કાંઈક ઠીક ઠીક ચાલે છે, પરંતુ બીઆરટીએસ સિવાયની સિટીબસ સેવાઓને હજુ ઘણાં સુધારા-વધારા અને લોજેસ્ટિક અને પબ્લિક સપોર્ટની જરૂર છે, અને તેની સાચી અને સચોટ માહિતી તથા ફીડબેક આ પ્રકારના રિયાલિટી ચેક સતત અને વાસ્તવિક રીતે નિષ્ઠાપૂર્વક તથા પબ્લિક સર્વિસ સુધારણાની શુદ્ધ ભાવનાથી થતા રહે તો જ મળી રહે છે, બાકી મિટિંગો યોજીને ચર્ચા કરીને તથા દલાતરવાડીઓના જ ફીડબેક માંગીને કાંઈ વળવાનું નથી, તથા સ્થાપિત હિતોના ઈશારે જો નાચતા રહેવાનું હોય તો આ પ્રકારના રિયાલિટી ચેક ખરેખર જ પબ્લિસિટી સ્ટંટ બની શકે છે.
તાજેતરમાં જ જે શહેરોમાં પી.એમ. દ્વારા બસો ફાળવીને ઈછેક્ટ્રીક બસોનો વ્યાપ વધારાયો છે અથવા નવી શરૂ કરાઈ છે, ત્યાં રિયાલિટી ચેકીંગ ઉપરાંત પબ્લિકને સિટીબસો તરફ વાળવા તથા નગરોમાં નિયત કરેલા બસસ્ટોપ પર ટાઈમટેબલ સાથેના બોર્ડ, સર્કલો પર છાપરાવાળા સ્ટેન્ડ, નજીકમાં પાણીની તથા સેનિટેશનની વ્યવસ્થા, સિટીબસોમાં છૂટા પૈસાની માથાકૂટ નિવારવાના ઉપાયો તથા સૌથી વધુ આ બસો અવિરત સેવા આપતી રહે તે જરૂરી છે. જામનગરમાં એક બસ રસ્તા વચ્ચે ખોટકાઈ ગઈ, તો સુરત, ગોંડલ, ઉપલેટા સહિતના શહેરોમાં માર્ગો પર ખાડાઓ કે વરસાદી પાણીના જલભરાવના કારણે ફસાઈ ગઈ હોવાના અહેવાલો પણ માર્ગોની મરામત, જલભરાવની સમસ્યા નિવારવા તથા 'સિસ્ટમ' સુધારવાની જરૂર જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર (ગ્રામ્ય) પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસતંત્રે જે રક્તદાન કેમ્પ યોજ્યો અને તેમાં પોલીસ બેડાના જવાનો તથા અધિકારીઓએ બહોળી સંખ્યામાં જે રીતે રક્તદાન કરીને પોણાચારસોથી વધુ બોટલ બ્લડ એકત્રિત કર્યું, તેવા અહેવાલોએ હાલમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ તરફ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.
પહેલુ એ મહત્ત્વનું અને આવકાર્ય છે કે પોલીસતંત્રે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ માટે રક્તદાન કેમ્પ યોજીને સમાજ અને સમગ્ર દેશનું આ મુદ્દા તરફ ધ્યાન પણ ખેંચ્યું છે, અને થેલેસેમિયાની ગંભીરતા પણ સમજાવી છે. આ બીમારીથી ગ્રસ્ત બાળકો માટે આ રક્ત અમૃત જેવું જ છે જે તેઓને જીવન બક્ષે છે. પોલીસતંત્રની માનવતાલક્ષી બાજુ પણ ઉજાગર થઈ છે. તે ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સરકારી હોસ્પિટલોમાંથી કોઈપણ પ્રકારની પરેશાની વિના નિઃશુલ્ક રક્ત મળતું રહે અને નિયમિત રીતે લોહી ચડાવાય, તેમ જ આ પીડામાંથી ગુજરતા બાળકો અને પરેશાનીઓથી મુંઝાયેલા, અટવાયેલા વાલીઓ, માતા-પિતા અને પરિવારજનોને પણ બ્લડબેંક તથા થેલેસેમિયા વિભાગના તબીબો, નર્સીંગ સ્ટાફ તથા સિક્યોરિટી સ્ટાફ સહિત તમામની હૂંફ મળતી રહે, તેવા નિરંતર પ્રયાસોની જરૂર તરફ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે, અને આ પવિત્ર કાર્ય સંપૂર્ણ સંવેદના તથા સહાનુભૂતિ સાથે કરતા સ્ટાફ તથા તબીબોની માનવીય સેવા તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.
અત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની જીવાદોરી ડોનેટેડ બ્લડના આધારે જ લંબાતી હોય છે અને બોર્નમેરોના જટિલ અને રિસ્ક લેવા જેવી શસ્ત્રક્રિયા સિવાય થેલેસેમિયાનો કોઈ ઉપચાર ઉપલબ્ધ નથી, ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મે જ નહીં, તે માટે જનજાગૃતિ ફેલાવવાની ઘણી જ જરૂરી છે. ઘણાં જ્ઞાતિ-સમાજોએ લગ્ન પહેલા જ વર-કન્યાના થેલેસેમિયા ટેસ્ટ કરાવીને આગમચેતી રાખવામાં આવે, તે માટે વિશેષ અભિયાનો આદર્યા છે, અને તદ્વિષયક માહિતી-માર્ગદર્શન અને વ્યવસ્થાઓ પણ કરવમાં આવી રહી છે. થેલેસેમિયા ટેસ્ટીંગ કેમ્પોના શ્રેણીબદ્ધ આયોજનો તથા બ્લડ ડોનેશનના મેગા કેમ્પો યોજવાની ઝુંબેશો ચાલી રહી છે, જે આવકારદાયક છે.
આમ છતાં, હજુ પણ આ વિષયે દરેક છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક અને આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, અને તેમાં સરકારી મશીનરી તથા સ્થાનિક સામાજિક સપોર્ટના સુદૃઢ સંકલન તથા તદ્વિષયક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે એનજીઓઝ-સ્વૈચ્છિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સતત સક્રિય સહયોગની જરૂર રહે છે. થેલેસેમિયા હાલમાં એક કાયમી સમસ્યા છે, અને તેની સામે લાંબી લડત લડવાની હોવાથી ઉક્ત પ્રકારના પ્રયાસો પણ સતત અને સક્રિયતાથી ચાલતા રહે તે જરૂરી છે. આપણે નવા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જન્મતા જ અટકાવવા તથા બે માઈનોર થેલેસેમિયાગ્રસ્ત પાત્રો દ્વારા માઈનોર થેલેસેમિયાગ્રસ્ત સંતાનો જન્મે જ નહીં, તેવા પ્રયાસો ખૂબ જ ઝડપથી વ્યાપક પ્રમાણમાં વધારવા જ પડે અને સતત ચાલુ જ રાખવા પડે તેમ છે.
થેલેસેમિયાગ્રસ્ત બાળકોના પરિવારજનો બોર્નમેરો મેચ થાય, તો પણ તેનું જટિલ અને પર્યાપ્ત ઓપરેશન કરાવવા માટે સરકારી હોસ્પિટલો ઉપરાંત જે હોસ્પિટલોમાં આ પ્રકારની શસ્ત્રક્રિયાઓમાં સારા રિઝલ્ટ આવતા હોય, તેવી ટ્રસ્ટ સંચાલિત કે ખાનગી હોસ્પિટલોમાં પણ ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોની શસ્ત્રક્રિયાઓ થાય, તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના જેવી જ કોઈ અલાયદી યોજના અમલી બનાવવી જોઈએ, જેમાં આ પ્રકારના ઓપરેશનો માટે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને તત્કાળ મદદ મળી રહે.
આ ઉપરાંત કેનદ્ર-રાજ્યસરકારોએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેની એવી અલાયદી વ્યવસ્થા કે કે રિઝર્વ બ્લડબેંકો ઊભી કરવી જોઈએ, જ્યાં બાળકોને નિયમિત અને ધક્કા ખાધા સિવાય જરૂરી બ્લડ પણ મળતું રહે અને તેના પરિવારોને વિવેકપૂર્ણ વ્યવહાર સાથે તબીબી તથા નર્સીંગ સિસ્ટમની હૂંફ પણ મળી રહે. આપણાં જ હજારો-લાખો બળકોની જિંદગીનો સવાલ હોવાથી કેન્દ્ર-રાજ્યકક્ષાએ અલાયદુ થેલેસેમિયા નિવારવા બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ અને જિલ્લાવાર અલાયદી અને સતત સક્રિય રહે તેવી જિલ્લા થેલેસેમિયા નિવારણ કમિટીઓ (વૈધાનિક રીતે) બને, જેમાં સંબંધિત તંત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીમંડળો રચીને તેનો સમાવેશ કરવામાં આવે તથા તેની સમયાંતરે બેઠકો યોજવા ઉપરાંત રોજીંદી કામગીરી અને પ્રવૃત્તિઓ માટે અલાયદુ મિકેનિઝમ ઊભું કરીને તેને રાજ્ય અને કેન્દ્રના આરોગ્ય વિભાગો દ્વારા ફંડીંગ કરવામાં આવે. એટલું જ નહીં, તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારની જિલ્લા સમિતિઓમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો જન્મ જ નહીં, તેની જનજાગૃતિમાં ઉપયોગી બનેે તેવી સંસ્થાઓ, વિશેષજ્ઞો અને લબ્ધપ્રતિષ્ઠિત સ્થાનિક અગ્રણીઓ તથા તબીબી જગતના નિષ્ણાતોને પણ સામેલ કરવા જોઈએ.
આ અનેવાંશિક બીમારી છે. દંપતીમાં બન્નેને માઈનોર થેલસેમિયા હોય તો મેજર થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મી શકે છે, અન આ પ્રકારની સંભાવનાઓને ટાળવા લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે ઉપરાંત ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૬ મા અઠવાડિયા વચ્ચે પણ સીવીસી ટેસ્ટ કરાવાતો હોય છે. આ બધી તકેદારીઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો જન્મદર ઘટાડવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય ગણાય.
આમ તો આ શુદ્ધ તબીબી જ્ઞાનનો વિષય છે, અને તે અંગે પૂરેપૂરી જાણકારી અને માર્ગદર્શન તો તબીબી નિષ્ણાતો તથા આરોગ્યતંત્ર જ આપી શકે, પરંતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યા વધતી અટકાવવા-ધીમે ધીમેે ઘટાડવા અને થેલેસેમિયા પર કાબૂ મેળવવા માટે ભગીરથ પ્રયાસો કરવા જરૂરી છે. હાલમાં થતાં પ્રયાસો 'ઊંટના મૂખમાં જીરૃં' જેવા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશભરની મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારોનો સુપ્રિમ કોર્ટે જે મુદ્દે કાન આમળ્યો છે, તે સીધો જનતાને તો સ્પર્શે જ છે, પરંતુ 'સિસ્ટમ' માટે પણ શરમજનક ગણાય, જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત આ પ્રકારની ટકોર કરે, ત્યારે તેની દેશવ્યાપી અને દૂરગામી અસરો થતી જ હોય છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય તંત્રોને સાંકળીને જે વ્યાપક ટકોરો કરી છે, તે ઘણી વખત સામાન્ય જનતામાં પણ ચર્ચાતો વિષય છે, અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ટકોર જામનગર સહિત દેશભરની મહાનગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારોની ટોપ ટુ બોટમ બ્યુરોકેસીને પણ લાગુ પડે છે.
હકીકતે એક ચોક્કસની સુનાવણી દરમિયાન તાજેતરમાં બનેલી જીવલેણ હોનારતોને ટાંકીને સુપ્રિમ કોર્ટે આપેલી સૂચનાઓ કે આદેશોની અમલવારી સામે અત્યંત નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે જે કાંઈ કહ્યું છે, જે દેશભરના શાસકો-પ્રશાસકો માટે ઝટકા સમાન તેમજ શરમજનક છે.
દિલ્હીના સાકેત વિસ્તારમાં જર્જરિત વિમાન ધરાશાહી થવી, માલવિયા નગરની આગ, લખનૌના અલીજંગના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગ સહિતના ઘટનાક્રમોમાં તંત્રોની મિલીભગત, ભ્રષ્ટ નીતિ-રીતિ અથવા સખ્તાઈપૂર્વક અંગુલી નિર્દેશ કર્યો છે. દિલ્હીમાં ગેરકાયદેસર રીતે બહુમાળી ઈમારતો ખડકી દેવાઈ, અને તે તૂટી પડી, સાકેતની દુર્ઘટનામાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા, તો લખનૌની ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગ ૧પ નિર્દોષ લોકોને ભરખી ગઈ, તેવો ઉલ્લેખ કરીને સુપ્રિમ કોર્ટે સરકારી તંત્રોની આકરી ઝાટકણી કાઢી, તેને વ્યાપક આવકાર આપતા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટની બે જજોની બેન્ચે જ્યારે કહ્યું કે કાયદો માત્ર દેખાડો કરવા માટે નથી. અદાલતે કહ્યું કે તંત્રો દ્વારા માત્ર ફેઈસ સેવીંગ એક્સરસાઈઝ થઈ રહી છે, એટલે કે આ પ્રકારની દુર્ઘટનાઓને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અદાલતે સામાન્ય જનતામાં વ્યાપી રહેલી જનભાવનાઓ તથા આશંકાઓને વાચા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનાઓ પછી મકાનમાલિકો, બિલ્ડરો વગેરે સામે કાર્યવાહી થાય છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ હોય, તે વિસ્તારના તદ્વિષયક સંબંધિત અધિકારીઓ સામે કોઈ પગલાં જ લેવાતા નથી, જે ઘણી જ ગંભીર બાબત ગણાય.
અદાલતે ગેરકાયદે બાંધકામોના સંદર્ભે પૂછ્યું કે, આ પ્રકારના ગેરકાયદે કૃત્યો-બાંધકામો પકડાય છે, ત્યારે માત્ર બિલ્ડરો સામે જ કાર્યવાહી થાય છે, પરંતુ પાયાના નિયમોના લીરેલીરા ઊડ્યા હોય, તેવા વિસ્તારોના સંબંધિત અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કેમ થતી નથી. દિલ્હી એમસીડીના અધિકારીઓની મિલીભગતથી જ બેફામ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાની ટકોર પણ થઈ હતી.
મે મહિનામાં અદાલતે આપેલી સૂચનાઓ તથા વ્યક્ત કરેલી ચિંતાઓમાં સર્વોચ્ચ અદાલતની નારાજગી સ્પષ્ટપણે પડઘાય છે. કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જો આવું જ ચાલશે તો સીધી જ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને લેખિતમાં સ્પષ્ટ આદેશો અપાશે, જે ઘણાં લોકો (અધિકારીઓ) ને ભીંસમાં મૂકશે. અદાલતનો ઈશારો ભ્રષ્ટ તંત્ર અને નેતાગીરીની મિલીભગત તરફ હોય તેવો આભાસ ઊભો થયો હતો.
સર્વોચ્ચ અદાલતે હકીકતે ખૂબ જ કડક અભિગમ અપનાવીને દિલ્હીની આઈઆઈટીના બે પ્રોફેસરો તથા બે ડ્રાફ્ટ્સમેનની એક સ્પેશ્યલ ઈન્સ્પેક્શન ટીમ બનાવવાનું ફરમાન પણ કર્યું છે. આ ટીમ એમસીડીના અધિકારીઓ સાથે સંકલન કરીને ઉક્ત તમામ ગેરકાયદે બાંધકામોની તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાનો અહેવાલ અદાલતને સુપ્રત કરશે, અને આ સમગ્ર પ્રક્રિયાનું નિયમન એડિશનલ સોલીશીટર જનરલને સોંપાયું, તે અદાલતની આ મુદ્દે ગંભીરતા દર્શાવે છે. આ સંબંધિત રાજ્યો ઉપરાંત તામિલનાડુની નવી સરકારને પણ તામિલનાડુમાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે લેવાયેલા પગલાંનો રિપોર્ટ માંગ્યો છે.
આ તમામ સુનાવણી અને સુપ્રિમ કોર્ટનું સખ્ત વલણ 'સિસ્ટમ'ની નફ્ફટાઈ અને પોલંપોલને પણ ઉજાગર કરે છે.
આ દેશવ્યાપી મુદ્દો જે રાજ્યોના માધ્યમથી ચર્ચાયો અને સુપ્રિમ કોર્ટે એમસીડી અને દિલ્હીની રાજ્ય સરકારની સિસ્ટમને લતાડ લગાવી હોવાથી દિલ્હીની સર્વાધિક ચર્ચા થઈ રહી છે, અને ત્યાં 'ત્રિપલ' એન્જિનની સરકાર છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપની તથા તામિલનાડુમાં નવી રાજકીય પાર્ટી સત્તામાં છે, તેથી સ્વાભાવિક રીતે જ તેની જ આલોચના સંભળાય, પરંતુ વાસ્તવમાં જામનગર, ગુજરાત સહિત દેશભરમાં મોટાભાગની મહાનગરપાલિકાઓ અને શાસન-પ્રશાસનમાં સમાન સિસ્ટોમેટિક સડો વ્યાપી ગયો છે, અને તે તમામ રાજકીય પક્ષોને 'ભેદી' કારનામાઓ દ્વારા ભેદી શકે છે, તેથી હવે જનતાએ જ વધુ જાગવાની જરૂર છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશ અને રાજ્યમાં આઝાદી પછી ઘણી સરકારો બદલાઈ, અને તેની સાથે બ્યુરોક્રેટ્સ પણ બદલાતા રહ્યા, નેતૃત્વ બદલાયું, શાસક પક્ષો વિપક્ષમાં અને વિપક્ષી નેતાઓ શાસનમાં આવ્યા, ગયા ને બદલતા રહ્યા, વહીવટી તંત્રમાં અમલદારો બદલાતા રહ્યા, પરંતુ સરકારી રીત-રસમો, નીતિ-રીતિઓ, શાસન પદ્ધતિ કે અમલદારશાહી બદલી નહીં. આપણાં દેશમાં કેટલાક રાજાશાહી સમયના તો કેટલાક બ્રિટિશ સરકારના સમયના કાયદાઓ ચાલી રહ્યા છે. કેટલાક કાયદાઓ રદ્ થયા, કેટલાક બદલાયા, કેટલાક સુધારાયા અને કેટલાક નવા કાયદા ઘડાયા, પરંતુ સિસ્ટમ, નીતિ, પદ્ધતિ, અમલદારશાહી કે રીત-રસમો બદલી જ નહીં. આ પ્રકારની માન્યતાના ઘણાં દૃષ્ટાંતો આપણા દેશમાં ટોપ-ટુ-બોટમ મળતા જ રહ્યા છે. આપણાં દેશમાં સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ દેશની જનતાએ ઘણી વખત આમૂલ પરિવર્તન થઈ જાય, તેવા જનાદેશો આપ્યા અને શાસનો બદલાતા રહ્યા, પરંતુ 'સિસ્ટમ', માનસિક્તા અને નીતિ-રીતિ બહું બદાલાય જ નહીં!!!
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ અને તેની સાથે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ થઈ. એક વખત ફરીથી ભારતીય જનતા પક્ષને પ્રચંડ જનાદેશ મળ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો નક્કી કરવામાં હાઈકમાન્ડે થોડી વાર લગાડી, અને તે દરમિયાન નવા બોડી અને ખાસ કરીને મેયર, ડે. મેયર, મહત્ત્વપૂર્ણ ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી) ના ચેરમેન તથા અન્ય હોદ્દેદારો કોણ બનશે, તેની અટકળો ચાલી, ઘણાં નામો ચર્ચાયા, પરંતુ ભાજપની વિશેષતા મુજબ તદ્ન નવા જ ચહેરાઓની પસંદગી થઈ અને આ નવા હોદ્દેદારોએ હવાલોએ હવાલો સંભાળી લીધો.
જામનગરના નવા મેયર અને હોદ્દેદારો ર૬ મી મે-ર૦ર૬ ના હવાલો સંભાળ્યો, અને તે સમયે નગરજનોને આશા જાગી હતી કે હવે તદ્ન નવા અને ઉત્સાહી હોદ્દેદારો ફટાફટ નગરની સમસ્યાઓનું નિવારણ કરશે અને તમામ સેવાઓને નિયમિત અને ઝડપી બનાવી દેશે.
બીજી તરફ નવા હોદ્દેદારોએ કામકાજ સંભાળ્યું, તેના એકાદ અઠવાડિયા પહેલા જ જામનગરમાં નવા મ્યુનિસિપલ કમિશનર મૂકાયા હતાં. તેઓએ હવાલો સંભાળતા જ પ્રારંભમાં ઘણી જ સક્રિયતા દાખવી હતી અને કેટલાક મુદ્દે ઊંડો રસ દાખવ્યો હતો. નગરના પ્રશ્નો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો, તેવી જ રીતે મેયર, ડે. મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારો પણ પ્રારંભમાં તંત્ર સાથે સંકલન કરીને કેટલાક મુદ્દે ઝડપી નિર્ણયો લેવાનો પ્રયાસ કર્યો હતો, તથા પહેલેથી જ તેઓ નગરના મુખ્ય પ્રશ્નો, નગરજનોની સમસ્યાઓ તથા અપેક્ષાઓથી માહિતગાર હોવાથી તદ્વિષયક મુદ્દાઓ ઊઠાવ્યા હતાં.
નગરમાં થતી ચર્ચા મુજબ નેતૃત્વ અને સત્તાધીશો બદલાયા છે, પરંતુ નીતિ-રીતિ, કાર્યપદ્ધતિ અને 'સિસ્ટમ' બદલતા વાર લાગવાની છે, કારણ કે તે માટે નક્કર નિષ્ઠા, ધમધમતી તત્પરતા અને ઝનૂન હોવું જોઈએ, જે નવા અધિકારી-પદાધિકારીઓએ કેળવવું જ પડશે. જન-પ્રત્યાઘાતોમાંથી જ એવા સૂર પણ સંભળાઈ રહ્યા છે કે હજુ તો નવા મ્યુનિ. કમિશનર અને નવા મેયર તથા નવી બોડીને ત્રણ મહિના પણ થયા નથી, તેથી તેઓને સમય આપવો જોઈએ, અને તેલ અને તેલની ધાર જોયા પછી જ અંતિમ અભિપ્રાય સુધી પહોંચવું જોઈએ.
એ વાત સાચી છે કે એવી માન્યતામાં દમ છે કે સત્તા બદલાય, પરંતુ સિસ્ટમ બદલાય નહીં, નેતા બદલાય પણ નીતિ બદલાય નહીં, અમલદાર બદલાય, પરંતુ 'અમલ', એટલે કે કાર્યપદ્ધતિ બદલાય નહીં, પરંતુ એવા દૃષ્ટાંતો પણ છે કે જ્યારે આ જ શાસકો-પ્રશાસકો મક્કમ નિર્ધાર કરે, પ્રામાણિક પ્રયાસો કરે, પ્રબળ ઈચ્છાશક્તિ દાખવે અને ભ્રષ્ટાચાને પનપવા ન દ્યે, તો કાંઈપણ કરી શકાય છે, અને જનતાની અપેક્ષાઓ સંતોષી શકાય છે.
અત્યારે જામ્યુકોમાં પદાધિકારીઓ પણ નવા છે અને મુખ્ય અધિકારી એવા મ્યુનિ. કમિશનર પણ જામનગરમાં નવા મૂકાયા છે. નવા બોડી પાસે તેના સિનિયર અને અનુભવી વરિષ્ઠ સાથીદારોનું માર્ગદર્શન છે, જ્યારે મ્યુનિ. કમિશનર પાસે પણ અનુભવી સહયોગીઓ છે, અને સ્વયં તાલીમબદ્ધ અને ઉત્સાહી છે. તેથી આ શાસકો-પ્રશાસકો પાસેથી નગરજનો એવી આશા રાખે છે કે તેઓ અયોગ્ય 'સિસ્ટમ'ને જનલક્ષી 'સિસ્ટમ'માં બદલે અને આ પ્રકારનું લક્ષ્ય હાંસલ કરવામાં નવા પદાધિકારીઓના સહયોગી બને, તથા પરસ્પર પૂરક બને.
બસ, એટલું જ ધ્યાન રાખવાનું છે કે, સ્થાપિત હિતો, ભ્રષ્ટ પરિબળો અને ખુશામતખોર લેભાગુ તત્ત્વોને પોતાની નજીક ફરકવા જ ન દ્યે, અને ખાસ કરીને કૌભાંડિયા ગરબડદાઓથી હંમેશાં સાવધાન રહે...
આઝાદી પહેલા અને પછીના ઈતિહાસમાં એવા ઘણાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ નોંધાયા છે, જેને દાયકાઓ અને સદીઓ પછી પણ યાદ કરે છે... ચૂંટણીઓ જીતવી સહેલી છે, પણ લોકોના દિલ જીતવા અઘરા છે, અને જેઓ લોકોના દિલ જીતી લ્યે છે, તેઓને ક્યાંય મતો માટે મથવું પડતું હોતું નથી. તેવી જ રીતે લોકોના દિલ જીતનાર કેટલાક બ્યૂરોક્રેશ પણ ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે નોંધાયા છે...ગોલ્ડન ચાન્સ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની વાતો વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે થંભી ગયેલા યુદ્ધમાં પલિતો ચપાયો છે, અને ઈરાનના અટકચાળા પછી અમેરિકાએ ફરી એરસ્ટ્રાઈક કરી છે, તો બીજી તરફ વિશ્વના ભારત સહિતના ઘણાં તટસ્થ દેશો વિશ્વમાં શાંતિની સ્થાપનાના હિમાયતી છે. વિશ્વમાં વાતાવરણ ડહોળાયેલું છે, તેવા સમયે વિશ્વશાંતિની વકીલાત કરતા દુનિયાના તટસ્થ દેશો યુદ્ધોના બદલે વિવાદાસ્પદ મુદ્દાઓ વાતચીત અને સમજદારીથી ઉકેલવાની હિમાયત પણ કરતા રહ્યા છે, તેથી ટ્રમ્પની તુમાખી અને પુતિનની જીદ્ વચ્ચે હાલતુરત વિશ્વમાં વ્યાપક શાંતિના મંડાણ થશે, તેવી આશા ઠગારી નિવડતી જણાય છે.
તકલીફ એ છે કે શાંતિદૂત બનવા નીકળેલા અને શાંતિના નોબેલ પુરસ્કારનો અભરખો રાખનારા ટ્રમ્પે પોતે જ ઈઝરાયલ-ઈરાનના યદ્ધ વચ્ચે ઝંપલાવીને યુદ્ધ વહોરી લીધું, અને દુનિયાની મહાસત્તા હોવા છતાં ઈરાનને વટથી હરાવી કે ડગાવી નહીં શકનાર અમેરિકાની છબિ પણ ખરડાઈ તેથી ઘરઆંગણે અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ વધુ વકરી રહ્યો છે.
એક તરફ યુદ્ધો ખતમ કરીને વૈશ્વિક શાંતિ સ્થાપવાના સામૂહિક પ્રયાસો નિષ્ફળ બની રહ્યા છે, તો બીજી વિશ્વના ઘણાં દેશોમાં આંતરિક અશાંતિ, વિદ્રોહ અને આઝાદીના આંદોલનોના કારણે ગૃહયુદ્ધો ગતિ પકડી રહ્યા છે, જેમાં ભારતના બે પડોશી દેશોમાં ચાલતા ગૃહયુદ્ધો મોખરે જણાય છે. આ ગૃહયુદ્ધો કોઈ બે દેશો વચ્ચે ચાલતા સશસ્ત્ર યુદ્ધો જેવા જ હોવાથી વૈશ્વિક ચિંતા વધી રહી છે.
તે ઉપરાંત વિશ્વના ઘણાં દેશોમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. સિરિયામાં તો લાંબા સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રોન સિરિયાના પ્રવાસે હતાં, ત્યારે જ થયેલો વિસ્ફોટ આંતરિક ખેંચતાણનું જ પરિણામ છે, જો કે બશર-અલ-રશીદ સિરિયાના શાસક બન્યા પછી માહોલ બદલાયો છે, અને વિવિધ દેશો સાથે સંબંધ સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્રોહીઓ તેમાં અવરોધ ઊભા કરતા રહેતા હોવાથી બશર-અલ-રશીદને આંતરવિગ્રહનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે મૈંક્રોને પ્રવાસ યથાવત્ રાખીને વિદ્રોહીઓને જવાબ આપી દીધો છે, પરંતુ આ આંતરયુદ્ધ પડકારરૂપ તો છે જ...
ભારતના પડોશમાં પણ આંતરવિગ્રહની ઘટનાઓ બની રહી છે. મ્યાનમારમાં રખાઈન રાજ્યમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. મ્યાનમારના સૈન્ય શાસન સામે રખાઈનની આઝાદીની માગણી સાથે અરાકાન આર્મી ગૃહયુદ્ધ કરી રહી છે. બૌદ્ધ સશસ્ત્ર સમૂહે અરાકાન સેનાની રચના કરીને રખાઈનને મ્યાનમારથી સ્વતંત્ર કરવા આદરેલી લાંબી લડત રંગ લાવી રહી છે, અને લોકતંત્રની સ્થાપનાની દિશામાં ચાલી રહેલી લડતને સફળતા મળવાના સંજોગો ઉજળા થવા લાગ્યા છે. મ્યાનમારની તાત્માડો સેના અને રખાઈનની અરાકાન આર્મી વચ્ચેનું ગૃહયુદ્ધ લાંબા સમયથી ચાલે છે, અને હવે અરાકાન આર્મીનું વર્ચસ્વ વધી રહ્યું છે.
હાલમાં અરાકાન આર્મીએ રખાઈન સ્ટેટના મહત્તમ હિસ્સા પર કબજો મેળવ્યા પછી ત્યાંના સ્થાનિક વહીવટી, આર્થિક અને કાયદાકીય સરકારી કામકાજો પણ સંભાળી લીધા છે, અને હવે રખાઈનને સ્વતંત્ર લોકતાંત્રિક દેશ ઘોષિત કરવાની માંગણી પણ વધુ ને વધુ તીવ્ર બની રહી છે.
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તો એકથી વધુ આંતરયુદ્ધો ચાલી રહ્યા છે. લાંબા સમયથી બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરવાની માંગણી સાથે બી.એલ.ઓ. એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનની સેના સાથે ગૃહયુદ્ધ લડી રહી છે.
બલુચ સંસ્કૃતિઓના રક્ષણ તથા લોકતાંત્રિક શોષણથી મુક્ત શાસન માટે આ આંદોલન ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકાર અને સેના તેઓને ઉગ્રવાદી ગણાવે છે, જ્યારે બલુચો આ સંગઠનને ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક સંગઠન માને છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે પાકિસ્તાન સાથે મહત્તમ બલુચો જોડાવા માંગતા નહીં હોવા છતાં તે સમયે પાકિસ્તાન તરફી પરિબળોએ બલુચિસ્તાન પર કબજો જમાવી દીધો અને તે માટે ખૂનખરાબા થયા, એ અલગ ઈતિહાસ છે. હવે બલુચિસ્તાન પાકિસ્તાનની સેનાને જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે, અને પાકિસતાનથી અલગ સ્વતંત્ર લોકતાંત્રિક ધર્મનિરપેક્ષ દેશ તરીકે માન્યતા મેળવવા માંગે છે.
બીજી તરફ પીઓકેમાં પાકિસ્તાનની સરકાર અને સેના સામે પીઓકેની પ્રજાએ બળવો કર્યો છે. પીઓકેના લોકો પાકિસ્તાનથી વાસ્તવમાં આઝાદી ઈચ્છે છે. આ માટે જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટીની રચના થઈ છે. પાકિસ્તાનની સેનાના અત્યાચારો તથા પાકિસ્તાન સરકારની ભેદભાવભરી પક્ષપાતપૂર્ણ નીતિ સાથે કહેવાતા આઝાદ કાશ્મીર પર દમન અને અવગણના સામે જેએએસીની આ ચળવળ આઝાદી પહેલાની અંગ્રેજો સામેની સ્વાતંત્ર્ય ચળવળની યાદ અપાવી રહી છે. પીઓકેમાં લોકો સડકો પર ઉતર્યા છે અને આઝાદીની માંગણી કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની સરકાર અને સેનાએ પીઓકેમાં જતો દૂધ-શાકભાજી-જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પણ રોકી દેતા વિદ્રોહ વધુ વકર્યો છે. પીકોએના રાવલકોટ, મીરકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદ સહિત અનેક સ્થળે પાકિસ્તાનની નિર્દય સેનાના અત્યાચારોનો સામનો કરીને લોકો સડકો પર ઉતર્યા છે અને નારેબાજી કરી રહ્યા છે. આ આંદોલનને કચડી નાખવા હિંસક દમન સાથે પાકિસ્તાનની સેનાએ સેંકડો લોકોને ગિરફ્તાર કર્યા છે, જેની સામે આંદોલનકારીઓએ પણ સ્વાતંત્ર્ય ચળવળ સમયના 'જેલભરો' આંદોલન જેવી ચળવળ શરૂ કરી છે. આંદોલનકારીઓએ પીઓકેને પાકિસ્તાનથી આઝાદ કરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.
આ ઉપરાંત સુદાન, નાઈઝીરિયા, સોમાલિયા, બુર્કિના ફાસો, માલી સહિતના ઘણાં દેશોમાં સરકાર સામે બળવાખોર જુથોની નાની-મોટી લડાઈઓ ચાલી રહી છે.
વિવિધ દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય યુદ્ધો કરતા યે ગૃહયુદ્ધો વધુ ખતરનાક હોય છે, કારણ કે દેશો વચ્ચેના યુદ્ધો માટે કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમ-કાયદાઓ તથા પરંપરાઓ છે, જ્યારે ગૃહયુદ્ધમાં કોઈ ચોક્કસ નિયમ-કાયદાઓ યુદ્ધોને અંકુશિત કે નિયંત્રિત કરતા નથી કે સરકારોનું નિયમન કરી શકતા હોતા નથી. પીઓકે અને રખાઈનની આઝાદીની લડાઈમાંથી બે નવા લોકતાંત્રિક દેશ બને કે પીઓકે ભારતમાં ભળી જાય તેવા સંજોગો છે. બીજી તરફ ચીને તાઈવાન ફરતે કરેલી કિલ્લેબંધી પણ વૈશ્વિક ચિંતાનું કારણ બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાત્રે જામનગરમાં ગાજવીજ સાથે ઝરમરિયા ઝાપટાં શરૂ થયા અને મેઘાવી માહોલ જામ્યો, અને ઠંડક પ્રસરી તે પછી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી હાલારીઓ વરસાદની ચાતકડોળે રાહ જોઈ રહ્યા હતાં. આ વર્ષે ચોમાસું મોડું થયું અને અલનીનો નામનો અસુર આડો ફરતા તેની ગતિ પણ ધીમી પડી ગઈ. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી ગયો, પરંતુ હાલાર સહિત ચાર-પાંચ જિલ્લાઓમાં નહીંવત્ વરસાદ પડતા ચિંતા પ્રસરી છે, તેવામાં ગઈકાલે થયેલા અમીછાંટણા પછી હાલારીઓના હૈયે નવી આશા જન્મી છે અને ટાઢક પણ વળી છે, પરંતુ ગોરંભાયેલા વાદળછાંયા વાતાવરણ છતાં મેઘો મન મૂકીને વરસી રહ્યો નહીં હોવાથી હાલારના મોટાભાગના વિસ્તારોમાં લોકો ચિંતિત છે, અને દ. ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની જેમ સંતોષકારક વરસાદ પડી જાય, તે માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. આજે પણ સવારથી વાદળછાંયા વાતાવરણના કારણે છવાયેલા મેઘાવી માહોલે લોકોની આશાને જિવંત રાખી હતી. ગત્ રાત્રે પણ જામનગર સહિત હાલારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં.
જો કે, ગુજરાતના લગભગ સવાબસ્સો તાલુકાઓમાં વરસાદ પડતા રાજ્યમાં હવે સૂકો દૃષ્કાળ તો નહીં પડે, અને હજુ પણ જરૂરી વરસાદ વરસતો રહેશે તો વર્ષ સારૂ જશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.
ગઈકાલે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી દીધી, જેથી કેટલાક સ્થળે જનજીવન ખોરવાયું, પરિવહન અટવાયું અને સડકો પર સરિતાઓ વહેતી થઈ હોવાના અહેવાલો હતાં, તો આજે સવારથી જ થઈ રહેલા રાજ્યવ્યાપી વરસાદના કારણે કેટલાક સ્થળે સમસ્યાઓ સર્જાઈ રહી હોવાના દૃશ્યો ખડા થયા છે, તેમ છતાં લોકો ખુશખૂશાલ છે, કારણ કે વરસાદ ખેંચાયો અને તે પહેલાથી અલનીનોના કારણે આ વર્ષે વરસાદના અભાવે કે અલ્પવૃષ્ટિના કારણે દુષ્કાળ પડશે, તેવી આગાહીઓ તથા અનુમાનો થઈ રહ્યા હતાં.
જામનગરમાં તો ગઈકાલે પણ એક જર્જરિત ઈમારતનો હિસ્સો ભારે વરસાદમાં ધરાશાયી થયો હોવાની ઘટના પછી એવી ટીકા થઈ રહી છે કે નગરના જર્જરિત મકાનોને નોટીસો અપાઈ હોય અને તેનું અનુસરણ કરાયું હોય, તો આવી ઘટનાઓ બનવી જ ન જોઈએ. બીજી તરફ એવી આલોચના પણ થઈ રહી છે કે આ વખતે વરસાદ ખેંચાયો અને ચોમાસું મોડું બેઠું હોવા છતાં હજુ પણ જામ્યુકોની પ્રિ-મોન્સુન કામગીરી પૂરી થઈ ન હોય, તો તે શરમજનક છે.
આ વખતે વરસાદની પેટર્ન એવી જણાય છે કે જ્યાં પડે છે, ત્યાં દે ધનાધન... ભારેથી અતિભારે વરસાદ પડે છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટાછૂટી પડે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો હજુ વરસાદના છાંટા પણ પડ્યા નથી, તેથી આ વર્ષે દુષ્કાળ કે અર્ધઅછત જેવી સ્થિતિ ઊભી નહીં થાય, તો પણ કેટલાક અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિની અસર ધરાવતા વિસ્તારોમાં ખેતી બચાવવા તથા આગામી ઉનાળા સુધી પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ કરવી પડશે, જેથી આ વર્ષે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં જળસંગ્રહનું જતન કરીને કાળજીપૂર્વક વોટરમેનેજમેન્ટ કરવું જ પડશે.
એક તરફ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ હાલાર-કચ્છ વિગેરે જિલ્લાઓમાં હજુ અમીછાંટણા કે જોરદાર ઝાપટાં જ પડી રહ્યા છે, તેમાં પણ કેટલાક તાલુકાઓ તો કોરા ધાકોડ છે. તેથી વોટર મેનેજમેન્ટની સાથે જરૂર પડ્યે પશુધનને બચાવવા તથા ખેડૂતો-પશુપાલકો-ગોશાળાઓ તથા પાંજરાપોળોને મદદરૂપ થવા માટેના વૈકલ્પિક આયોજનો અત્યારથી જ વિચારીને જરૂરી મંજુરી મેળવી લેવી જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તરત જ એક્શન લઈ શકાય અને જનતા-જનાર્દનને મદદ કરી શકાય, જો કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતાની શાસન-પ્રશાસનની માનસિક્તા હોવાથી આ પ્રકારની આશા ઘણી વખત નઠારી પૂરવાર થતી હોય છે, પરંતુ આવતું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી આ વર્ષે તો શાસકો અને રાજનેતાઓ 'જાગૃત' રહેશે, તેવી આશા પણ છે...!
જામનગર સહિત હાલારમાં ઘણાં સ્થળે 'વરસાદના ચાર છાંટ પડ્યા નથી ને લાઈટ ગઈ નથી'નું વ્યંગાત્મક સૂત્ર સાર્થક જ કરવું હોય તેમ ઠેર-ઠેર વીજળીરાણી રિસાયા હતાં અને ક્યાંક લબૂક...ઝબૂક, ક્યાંક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો, તો ઘણાં સ્થળે લો વોલ્ટેજની સમસ્યા સર્જાઈ છે. આ વર્ષે અસહ્ય ગરમી પડી હોવાથી લોકોએ ગ્રામ્ય વિસ્તારો સહિત એરકન્ડીશન્ડ મશીનો (એ.સી.) ફીટ કરાવવી દીધા અને એક જ ઘરમાં બે-ત્રણ કે તેથી વધુ એ.સી. ફીટ કરાવ્યા અને તેટલી ક્ષમતા માટેનું નિયમાનુસાર અપગ્રેડેશન પોતાના ઘર કે વ્યવસાયના સ્થળોમાં નહીં કરાવતા ઠેર-ઠેર અંધારપટ જેવા દૃશ્યો પણ ઊભા થયા હતાં, તો જ્યાં ભારે વરસાદ થયો છે, તેવા જિલ્લાઓમાં કેટલાક સ્થળે વીજપોલ પડી જતા કે વીજવાયરો ધ્વસ્ત થતા પણ વીજ સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો કેટલાક સ્થળે સાવચેતી ખાતર કામ ચલાઉ ધોરણે વીજપુરવઠો બંધ કરાયો હશે, જે હોય તે ખરૂ, પરંતુ હવે જુના જમાનાની જેમ કલાકો કે દિવસો સુધી વીજપુરવઠો ખોરવાઈ જાય, તેવું ચાલે તેમ નથી અને ઉહાપોહ મચે તેમ હોવાથી સંબંધિત તંત્રોએ સાવચેતી અને સક્રિયતા રાખવી અનિવાર્ય બની ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભૂતકાળમાં હાલાર, બરડો અને સોરઠનો દરિયાકાંઠો દાણોચોરી માટે કુખ્યાત હતો, અને તેમાં પણ હાલારના દાણોચોરો તો વિશ્વકુખ્યાત હતાં... એ સમયે દાણચોરીને માત્ર કાનૂની મુદ્દો ગણવામાં આવતો હતો, પરંતુ પછીથી લોકોમાં જાગૃતિ આવી તો બીજી તરફ શાસકોએ પણ બિનજરૂરી નિયંત્રણો હળવા કરવાની નીતિ અપનાવી. વર્ષ ૧૯૯૦ થી ર૦૦૦ ના દાયકામાં આપણા દેશે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી જે કિંમતી ચીજવસ્તુઓની દાણચોરી થતી હતી, તે પૈકીની ઘણી વસ્તુઓ આપણા દેશના માર્કેટમાં ઉપલબ્ધ બની તો કેટલાક ઉત્પાદનો આપણા દેશમાં જ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી ઉપલબ્ધ થવા લાગ્યા. તે પછી તે જ નેટવર્કે હથિયારો અને ડ્રગ્સ જેવી ગેરકાનૂની ચીજોના દાણચોરીનો માર્ગ અપનાવ્યો છે, અને આ આંતરરાષ્ટ્રીય સ્મગલીંગ ગેન્ગની દિશા પણ બદલી ગઈ છે. આ પ્રકારના દાણચોરો કોઈપણ દેશને વફાદાર હોતા નથી કે કોઈનાય સગા હોતા નથી.
આ જ રીતે 'ઈમાનચોરી' કરતા પરિબળો પણ કોઈ દેશના વફાદાર, કોઈ ધર્મ-સંપ્રદાયના વાહક કે કોઈના યે સગા હોતા નથી. લાંચ-રૂશ્વત લઈને ખોટા કામ કરનારા, બોગસ દસ્તાવેજો કરીને મિલકતો હડપનારા, તોતિંગ વ્યાજના ચક્રમાં ફસાવીને લોકોનું સર્વસ્વ લૂંટી લેતા ગેરકાનૂની વ્યાજખોરો, સાઈબર ક્રાઈમ કે લોકોને લાલચ આપીને છેતરતા ઠગો, મિલકત કે ધન-સંપત્તિ માટે પોતાના જ પરિવારજનો સાથે વિશ્વાસઘાત કરતા આપ્તજનો અને જનતાને ખોટા વાયદાઓ કરીને મતો મેળવ્યા પછી મસમોટા કૌભાંડો કરતા રાજનેતાઓ 'ઈમાન' ચોરો છે, અને તેનામાં અને દાણચોરોમાં તફાવત એ છે કે દાણચોરો દેશના કાયદાનો ભંગ કરીને કાનૂનની-બંધારણની આત્મા પર પ્રહાર કરે છે, જ્યારે અન્ય ઉક્ત વિવિધ પ્રકારના 'ઈમાન' ચોરો તો દેશ-સમાજના કાયદા-સિદ્ધાંતો ઉપરાંત જનવિશ્વાસની પણ હત્યા કરે છે.
દાણચોરો કરતા યે 'દાનચોરો'ને વધુ ખતરનાક ગણી શકાય. દાણચોરો દેશ અને દેશવાસીઓને છેતરીને 'કમાઈ' લેવાના કારસ્તાન કરે છે, જ્યારે 'દાનચોરો' તો તેનાથી આગળ વધીને દેશ અને દેશવાસીઓ ઉપરાંત ઈશ્વરને પણ છેતરે છે. આ મુદ્દો અત્યારે દેશનો સર્વાધિક મુદ્દો છે, કારણ કે આસ્થાળુઓના વિશ્વાસ અને શ્રદ્ધાઓ પર 'દાનચોરો'એ કઠુરાઘાત કર્યો છે.
ભૂતકાળમાં જ્યારે દાણચોરો પકડાતા ત્યારે પણ તેઓની સામે તપાસ થતી, અને કાનૂની કાર્યવાહી થતી હતી. તે સમયે પણ દાણચોરો દોષિત પૂરવાર ન થાય, ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવતા હતાં, તેવી જ રીતે કટ્ટર ઈમાનદારો પર પણ જ્યાં સુધી આરોપો પૂરવાર થાય નહીં, ત્યાં સુધી તેઓને દોષિત ગણવામાં આવશે નહીં, અને તે આપણા બંધારણે આપેલી સુરક્ષા છે. આપણા બંધારણ અને ન્યાયતંત્રમાં એક સૂત્ર પ્રચલિત છે કે ૧૦૦ ગુનેગાર ભલે નિર્દોષ છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ સૂત્ર મુજબ જ લાંબી તપાસો ચાલે, સુનાવણીઓ થતી રહે અને એક સમયે ઘણો જ ચર્ચાસ્પદ બનેલો મુદ્દો જ્યારે જનતા પણ ભૂલી ગઈ હોય, ત્યારે એ કેસનો ફેંસલો થાય, અને તેમાં પણ એક સમયે જનતાની અદાલતમાં શકમંદ આરોપી ઠરેલા ગુનેગારો કે કૌભાંડિયાઓ પુરાવાના અભાવે કે શંકાનો લાભ આપીને નિર્દોષ છૂટી જતા હોય છે.
ભરોસેમંદ ટ્રસ્ટીમંડળો કે વ્યવસ્થાપક સમિતિઓ, કાનૂને રચેલી સંચાલક સંસ્થાનો, જનતાએ ચૂંટેલા શાસકો કે ખાનગી-ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક જાહેર ક્ષેત્રોની સંસ્થાઓ દ્વારા જ્યારે 'ઈમાન'ચોરી થાય કે સરકારી તંત્રો ભ્રષ્ટ બને, ત્યારે હંમેશાં તપાસ અને અંતિમ ફેંસલો આવતા સુધી એક પ્રકારની ભ્રમ તથા અસમંજસની સ્થિતિ ઊભી થતી હોય છે, જેનો લાભ લેવા તત્પર રહેતા પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોને પ્રચારનો મુદ્દો મળી જાય છે, અને એ મુદ્દાને ચગાવીને સત્તા મેળવી લીધા પછી એ મુદ્દાને જ અભેરાઈએ ચડાવી દેવાય ત્યારે એવું લાગે કે, 'હમામ મેં સબ નંગે હૈ...'
આ જ પ્રકારની એક અન્ય ચોરી થઈ રહી છે, જેના પર બહુ ઓછી ચર્ચા થતી હોય છે, અને તે છે ખાણચોરી...
આપણા દેશમાં પૃથ્વીના પેટાળામાંથી નીકળતી ચીજવસ્તુઓ પર સરકારનો હક્ક રહે છે, અને ધરતીમાંથી માટી, રેતી, પથ્થર, ધાતુ, ખનિજો વગેરે ખોદીને લઈ જવા માટે રોયલ્ટી ભરવી પડે છે અને તેના માટે નિયમ-કાયદા ઘડાયા છે, જેને માઈનીંગ એક્ટ કહે છે. વર્ષ ૧૯પ૭ માં ખાણ-ખનિજનો પ્રથમ કાયદો બન્યો હતો. ગુજરાતમાં માટી, પથ્થર, મોરમ વગેરે માટે વર્ષ ર૦૧૦ માં કાયદો બન્યો, જેમાં સુધારા-વધારા સાથે હાલમાં જીએમએમસીઆર એટલે કે ગુજરાત માઈનોર મિનરલ કોન્સેસર રૂલ્સ-ર૦૧૭ અમલી બન્યો છે. આ તમામ કાયદાઓનો ભંગ કરનારને આપણે ખનિજચોરો અથવા 'ખાણચોરો' કહી શકાય.
એક અંદાજ મુજબ ગુજરાતમાં ખાણ-ખનિજ ખાતુ દર વર્ષે લગભગ ૯ થી ૧૦ હજાર કેસો કરે છે, જેમાં ગેરકાનૂની રીતે ખાણ ખોદવી, ખનિજ ચોરી કરવી અથવા જેનું ગેરકાનૂની પરિવહન કે સંગ્રહ કરવાના ગુન્હાઓ હોય છે. સરકારી તંત્રોએ ખનિજચોરી અટકાવવા માટે ખોલેલી ખાણ-ખનિજ કચેરીઓ દ્વારા કરોડો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવે છે, છતાં કેટલાક તંત્રવાહકો અથવા અધિકારી-કર્મચારીઓની સાઠગાંઠ હોવાના આક્ષેપો પણ વિવિધ સ્થળે થતા રહે છે. આવી જ રીતે દેશમાં પણ ગેરકાનૂની ખનનના હજારો મામલા નોંધાય છે. આ બધા 'ખાણચોરો' પણ ઈમાનચોરો તથા દાનચોરો અનેે દાણચોરીની હરોળમાં જ મૂકવા જેવા ગણાય.
સદીઓ સુધીના સંઘર્ષ પછી જ્યાં વિશ્વભરના આસ્થાળુઓનું કેન્દ્ર બન્યું હોય, ત્યાં 'દાનચોરી' થાય કે પછી ઢગલાબંધ મતો આપીને સત્તા સોંપ્યા પછી પણ કૌભાંડોના આરોપોમાં મુખ્ય શાસકો જેલમાં જાય અને લાંબી કાનૂની લડત ચાલે, તે પ્રકારની 'ઈમાનચોરી' થાય તેને કાનૂભંગ કરીને સ્વહિતાર્થે 'દાણચોરી' કે 'ખાણચોરી' કરતા માફિયાઓથી પણ ઘણાં જ ખતરનાક ગણાય, અને તેને અંકુશમાં લાવવા વ્યાપક જનજાગૃતિ અને સમજદારીની જરૂર છે. આ તમામ 'ચોરો'ના મુદ્દે ગમે તેવી રાજનીતિ રમાતી હોય, તો પણ અસ્સલ 'ચોરો'ને ઓળખી લઈને તેને બંધારણીય રસ્તે પાઠ ભણાવવાની તાકાત દેશની શાણી જનતામાં છે જ...
આ મુદ્દે એટલું જ કહી શકાય કે અસ્સલ દાનચોરોને પાઠ ભણાવો, પણ 'રામ કા નામ બદનામ ન કરો...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાજ્ય સરકારે ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનો માટે ઉપયોગમાં લેવાતી જમીનનું વળતર માર્કેટ રેન્ટ મુજબ આપવાની જાહેરાત કરી, તેને એકંદરે આવકાર મળ્યો અને અંતે સરકારે ખેડૂતોની સંગઠનશક્તિ સામે ઝુકવું પડ્યું હોવાના પ્રત્યાઘાતો પડ્યા. બીજી તરફ વળતરના દરો ગ્રામ્ય, શહેરો અને મહાનગરોના વિસ્તારો માટે અલગ અલગ ટકાવારી પ્રમાણે વળતર આપવાની નીતિ સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અન્યાય થનાર હોવાના તીખા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓ તરફી અને ખેડૂત વિરોધી નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા હતાં. મોરબીના જેતપુરમાં આ મુદ્દે એક પખવાડિયાથી વધુ સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતાં, પરંતુ આ મુદ્દો હકીકતે રાજ્યવ્યાપી અસરો પાડી રહી હતી.
આ વિવાદની શરૂઆત આમ તો બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મોરબીના હળવદ અને આજુબાજુના વીજકંપનીઓને ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવા સામે નજીવા વળતરનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાજુના વિસ્તારોમાં થાંભલા દીઠ એક લાખ રૂપિયાનું વળતર અપાતું હોય અને હળવદની આજુબાજુના વિસ્તારોમાં પ૦ હજાર રૂપિયાનું પ્રતિ પોલ વળતર અપાય, તે ભેદભાવ સામે શરૂ થયેલો વિરોધ વર્ષ ર૦રપ માં વધુ વકર્યો હતો અને આંદોલનના મંડાણ કર્યા હતાં.
તે સમયે દસેક ગામોના ખેડૂતોએ આદરેલું આંદોલન વિસ્તરતુ રહ્યું હતું. વર્ષ ર૦રપ ના જાન્યુઆરીમાં એક જિલ્લા કક્ષાની કમિટી બની હતી. તે સમયે તંત્રે જાહેર કરેલા એક નોટિફિકેશન સામે ખેડૂતોએ સંગઠીત થઈને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતાં, પરંતુ ત્યાં રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાની દલીલો કરવામાં આવી હતી અન મેગા પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઈ હતી. તે પછી ખેડૂતોનું આંદોલન વિસ્તરી રહ્યું હતું, અને તેને કિસાન સંગઠનો ઉપરાંત વિપક્ષોનું પણ સમર્થન મળતું રહ્યું હતું. ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાના પ્રોજેક્ટોનો વિરોધ નથી, પરંતુ ખેતરોમાં ઊભા થતા વીજપોલ તથા વીજલાઈનોના કારણે તેઓની આજુબાજુની પ્રભાવિત થતી જમીન તથા પાકપાણીને થતા નુક્સાન સામે જંત્રીથી ડબલ વળતર ઘણું જ ઓછું છે, જેમાં વધારો થવો જોઈએ અન ખેડૂતોને તેમના ખેતરની સુરક્ષા થાય અને બિનજરૂરી કનડગત નહીં થાય, તેવી બાહેંધરી મળવી જોઈએ.
ખેડૂતોએ જૂન-ર૦ર૬ માં આદરેલું આંદોલન વધુને વધુ તીવ્ર બની રહ્યું હતું, અને ભૂખ હડતાલ આદરી હતી, આ આંદોલન સળંગ ૧૪ દિવસ ચાલ્યા પછી અંતે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, અને રાજ્ય સરકારના નિર્ણયની કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખેડૂતોની મહત્તમ માંગણીઓ સ્વીકારી લેવાઈ હોવાની જાહેરાત કરવી પડી છે. આ ઉપવાસ છાવણીની મુલાકાતે વિપક્ષના નેતાઓ ગયા હતાં. આ દરમિયાન કેટલાક ખેડૂતોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા મૂંડન કરાવ્યું હતું અને તે પહેલા અમદાવાદમાં વિરોધ પ્રદર્શિત કરવા ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેમાં અનેક જિલ્લાઓના ખેડૂતો જોડાયા હતાં. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો તથા ખેડુતોના દિગ્ગજ નેતાઓએ પણ આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજ્યા હતાં અને ઠેર ઠેર આવેદનપત્રો અપાયા હતાં.
મીડિયા અહેવાલો મુજબ થતી ચર્ચા અનુસાર રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે જે ખેતરમાંથી વીજલાઈનો જતી હોય, તેનું વળતર તે વિસ્તારની જંત્રીથી ડબલ નહીં, પરંતુ તે વિસ્તારમાં વર્તમાન માર્કેટ રેઈટથી ડબલ આપવામાં આવશે. આ પહેલા ખેડૂતો (જમીન માલિકો) ને તબક્કાવાર પેમેન્ટ અપાતું હતું તેના બદલે હવે વળતરની રકમ એક સાથે એડવાન્સમાં અપાશે, તે ઉપરાંત જરૂર જમીનના માપમાં પણ ખેડૂતોને નુક્સાન ન થાય તેવો અભિગમ અપનાવીને પાયાના વધારાનું એક મીટર ગણતરીમાં લેવાશે. સંબંધિત વિસ્તારની જમીનના માર્કેટ રેન્ટ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી બનશે. આ કમિટી જે વળતર નક્કી કરશે, તો સિવિલ કોર્ટમાં અપીલ કરવાની નોબત જ નહીં આવે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મિશ્ર પ્રત્યાઘાતો છે. આજથી સરકારની આ ઘોષણાને મોટાભાગે આવકાર મળ્યો છે, સાથે સાથે કેટલોક અસંતોષ હજુ પણ પ્રગટી રહ્યો છે. અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરીને ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જને યાદ કરીને ભેદભાવભર્યા વલણનો આરોપ લગાવ્યો, તો શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો કડક રીતે અમલ કરાવીને ખેડૂતોને સાચા અર્થમાં મદદરૂપ થવાની વાત કરી હોવાના અહેવાલો વહેતા થયા. ઈશુદાન ગઢવીએ પણ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો. કિસાન કોંગ્રેસના અધ્યક્ષે આને ખેડૂતોની સંગઠન શક્તિની ફલશ્રૂતિ ગણાવીને ડબલ નહીં, પણ ચારગણું વળતર આપવું જોઈએ તેવા મતલબના ફીડબેક આપ્યા હોવાના અહેવાલો છે. તો કિસાન સંઘર્ષ સમિતિએ આ વીજલાઈનોના કારણે આગ લાગે કે જાનમાલનું નુક્સાન થાય, તેની સામે યોગ્ય માતબર વળતરની માંગણી કરી હોવાના અહેવાલો છે.
કેટલાક નેતાઓએ જમીન સંપાદન અધિનિયમ-ર૦૧૩ નો અમલ કરીને પોલ દીઠ પચાસ હજાર રૂપિયાનું માસિક ભાડુ તથા માર્કેટ રેન્ટથી ચારગણું વળતર ચૂકવાની માંગણી દોહરાવી છે, તો કેટલાક નેતાઓએ સરકારની આ જાહેરાતને એકંદરે સંતોષકારક ગણાવીને કેટલાક સૂચનો પણ કર્યા છે.
જો કે, સરકારનો દાવો એવો છે કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં આ 'ઉદાર' નિર્ણય ખેડૂતો સાથે વ્યાપક વિચાર-વિમર્શ-પરામર્શ કરીને લીધો છે, જેથી અક્ષય ઊર્જા એટલે કે સૂર્યઊર્જા અને પવન ઊર્જાને પણ વેગ મળે અને ખેડૂતોના હિતો પણ જળવાઈ રહે. એકંદરે આ મિશ્ર પ્રતિભાવોનો સારાંશ એટલો નીકળે છે કે આ નિર્ણય પછી ખેડૂતોની મહત્તમ માંગણીઓ સંતોષાઈ હોવા છતાં સરકારે અન્ય કેટલીક માંગણીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ, અને ખેડૂતોએ પણ આ માટે સરકારને સમય આપવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધ વિરામ અને તબક્કાવાર વાતચીત તથા અનિશ્ચિતતાઓ વચ્ચે હોર્મુઝ સંકટ હળવું થયા પછી ભારતના ઘણાં વહાણો હોર્મુઝ પસાર કરીને ભારતીય બંદરો આવી પહોંચ્યા છે અને હવે કેટલાક પ્રતિબંધો પણ હળવા થઈ ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલ-ગેસ વગેરેના ભાવો ઘટશે તેવી અપેક્ષા હતાી, કારણ કે એક સમયે રૂ।. ૧૧૦ સુધી પહોંચેલા ક્રૂડના બેરલના ભાવમાં ત્રીસ-ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે.
ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા કે કોમર્શિયલ ગેસના ભાવોમાં ધરખમ ઘટાડો થયો છે, ત્યારે સરકારી કંપનીઓ હવે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્વરીત ઘટાડો કરીને મોડું ચોમાસું તથા અલનીનોની આશંકાથી ફફડતા ખેડૂતો અને મોંઘવારીમાં પીસાતી સામાન્ય જનતાનેે કેન્દ્ર સરકાર રાહત આપશે. ખાસ કરીને ખાનગી પેટ્રોલિયમ કંપની નાયરાએ ડીઝલ અને પેટ્રોલમાં રૂ।. ૩ થી પ નો લીટરદીઠ ઘટાડો કર્યા પછી સરકારી કંપનીઓ પણ આ જ રીતે ઘટાડો કરશે તેવો આશાવાદ હતો, પરંતુ હકીકતે તેવું થયું નથી અને કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દેતા પબ્લિકમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે.
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવો સરકારી કંપનીઓ હાલતુરંત નહીં ઘટાડે, તેવી ચોખ્ખીચટ જાહેરાત કરી દીધી હોવાના અહેવાલોએ દેશવાસીઓને ચોંકાવી દીધા છે અને પબ્લિકમાં નિરાશા વ્યાપી ગઈ છે.
કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના મંત્રીએ કહ્યું કે હલાતુરંત પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા શક્ય જ નથી. હજુ પણ સરકારી કંપનીઓ ખોટ કરી રહી છે. હોર્મુઝ સંકટ હળવું થયા પછી નવું ક્રૂડ ખરીદાય અને ઓછા ભાવે ક્રુડની આયાત થાય, ત્યાં સુધી જુના ભાવે આવેલા ક્રૂડના ભાવો ઘટાડી શકાય તેમ નથી, તેવા મતલબની કેન્દ્રિય મંત્રીની વાત સાંભળીને એવો પ્રશ્ન ઊઠે છે કે આ સરકારના મંત્રી બોલે છે કે પછી કોઈ વેપારી પેઢીના ડીલર બોલી રહ્યા છે?
તેમણે દલીલ કરી કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસમાં પડતર કિંમતથી ઓછી કિંમતે વેંચાણ કરવાના કારણે ૩૦ મી જુન ર૦ર૬ સુધીમાં સાડાચીમોતેર હજાર કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની ખોટ ગઈ છે. રિફાઈનરીઓ સામાન્ય રીતે બે મહિના પહેલા કાચું તેલ (ક્રૂડ) ખરીદતી હોય છે. અત્યારે બજારમાં જે ઈંધણ વેંચાય છે તે પશ્ચિમ એશિયા સંકટ સમયે ખરીદેલું મોંઘા ભાવનું ઈંધણ છે, તેથી હાલતુરંત ભાવો ઘટાડવા સંભવ નથી.
પુરીએ એવો તર્ક પણ રજૂ કર્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ તથા ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન જ્યારે હોર્મુઝ સંકટ ઘેરાયું હતું, ત્યારે પણ ભારતના નાગરિકોને અત્યંત મોંઘા ઈંધણના ભાવથી બચાવ્યા હતાં અને સપ્લાઈ ચાલુ રાખી હતી. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં યુરોપિયન દેશોમાં ઈંધણના ભાવો ઊંચકાયા હતાં તેની સરખામણીમાં ભારતમાં માત્ર પ.પ૮ ટકા જેવો અત્યંત સાધારણ વધારો જ કરાયો હતો.
આ વાતચીત દરમિયાન હરદીપસિંહ પુરીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવો સ્થિર રહેશે અથવા વધુ ઘટવા લાગશે અને થોડાક અઠવાડિયાઓ સુધી તેમાં વધારો થવાની સંભાવનાઓ ઊભી નહીં થાય તો સરકાર દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ (ઈંધણ) ના ભાવોમાં ઘટાડો કરવા 'વિચારી' શકે છે!
આ દરમિયાન પુરીએ એવો દાવો પણ કર્યો હતો કે હાલમાં ભારતની રિફાઈનરીઓની ક્ષમતા ર૭૦ એમટીપીએ (મિલિયન ટનસ પર એનમ) એટલે કે પ્રતિવર્ષ ર૭૦ મિલિયન ટનની છે, તે વધારીને ટૂંક સમયમાં ૩૦૦ એમટીપીએ કરાશે, જેથી ભવિષ્યમાં પણ ભાવો સ્થિર રહી શકે. હાલતુરંત તો પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા સંભવ જણાતા નથી તેવા સરકારી નિવેદનથી પબ્લિકમાં એક પ્રકારની નિરાશા પ્રવર્તે છે.
એવો સવાલ પણ ઊભો થાય કે જો ખાનગી કંપની ભાવો ઘટાડી શકતી હોય, તો સરકારી કંપનીઓ કેમ ભાવો ઘટાડી ન શકે? તેવો સવાલ લોકોના મનમાં ઊઠે તે સ્વાભાવિક છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડના ભાવો જ્યારે પણ વધે, ત્યારે તો તમામ કંપનીઓ તત્કાલ ભાવો વધારીને જુના ભાવે આવેલા પુરવઠામાં કમાણી કરી લેતી હોય છે, ત્યારે અત્યારે બેવડો માર ઝીલી રહેલી દેશની જનતાને રાહત આપવા માટે સરકારી કંપનીઓ ઈંધણના ભાવો તત્કાળ ઘટાડે, તેવા કદમ ઊઠાવવાના બદલે ખુદ પેટ્રોલિયમ મંત્રી જ બચાવની ભૂમિકા ભજવવા લાગે, ત્યારે જનતાને નિરાશા જાગે, તે સ્વાભાવિક છે.
જો કે, પુરીએ એલપીજીના સંદર્ભે પૂરેપૂરી માહિતી આપી હતી અને આગામી રણનીતિની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે વાતવાતમાં એવા સંકેતો આપ્યા કે સરકાર હવે દેશની અંદાજીત જરૂરિયાતનો ૩૦ દિવસ ચાલે તેટલો એલપીજીનો પુરવઠો રિઝર્વ રાખશે, અને તે માટે રૂ।. પ૦૦૦ કરોડ (પાંચ હજાર કરોડ) નું રોકાણ કરીને ભારત પેટ્રોલિયમ તેની ક્ષમતા વધારશે, અને વર્તમાન સંગ્રહ ક્ષમતા ર૦૦૦૦૦ મે.ટન છે, તે વધારીને ૩૪૦૦૦૦ મે.ટન કરશે. આમ રિફાઈનરીઓ તથા સરકારી કંપની ભારત પેટ્રોલિયમની સંગ્રહશક્તિ વધારીને કેન્દ્ર સરકાર આગામી સમયમાં જો અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તંગદિલી વધે, તો પણ એલીપીજીનો પુરવઠો પણ જળવાઈ રહે, તેવા પ્રયાસો કરી રહી હોય તેમ જણાય છે, પરંતુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો કરવેરા (વેટ સહિત) ઘટાડીને જનતાને રાહત આપશે, તો મોંઘવારીથી પીડાતી પ્રજાને રાહત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ગઈકાલે સાંજે થોડા સમય માટે કેટલાક મોબાઈલ સેલફોનમાં સિગનલ મળતા બંધ થઈ ગયા હતાં અને ઈન્ટરનેટ વ્યવહાર પણ ખોરવાયો હતો. મોબાઈલ ડેટા બંધ થતા જ ઘણાં વ્યવહારો ખોરંભે પડી ગયા હતાં. નાણાકીય વ્યવહારો જ નહીં,પરંતુ સંદેશા વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો, જેથી રોજીંદી જિંદગી પર વિપરીત અસરો પડી હતી. એવું કહેવાય છે કે, વોડાફોન-આઈડિયા (વીઆઈ) અને એરટેલનું નેટવર્ક ગઈ સાંજે કેટલાક સમય માટે ખોરવાઈ ગયું હતું.
આજે અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટના કારણે માનવજીવન ઘણું જ બદલી ગયું છે અને એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ આ અદ્યતન વ્યવસ્થાઓ થોડીકવાર ખોરવાઈ જાય, તો પણ થોડા સમય માટે માનવી તરત પાંગળો અને હાંફળો ફાંફડો થવા લાગે છે, જેનું દૃષ્ટાંત ગઈકાલે સાંજે આપણે બધાએ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. આ સ્થિતિ એવું દર્શાવે છે કે, અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારિત વ્યવસ્થાઓ જ્યારે ખોરવાઈ જાય, ત્યારે તેના વિકલ્પે ઓફલાઈન વિકલ્પો તથા કેટલાક દેશી પદ્ધતિના ઉપાયો પણ હોવા જોઈએ, જેથી વ્યવહારો તદ્ન ઠપ્પ થઈ જાય નહીં...
એવું નથી કે આવી સ્થિતિ માત્ર આપણા દેશમાં કે જિલ્લામાં જ થાય છે, આ ગ્લોબલ સમસ્યા છે. તાજેતરમાં જ લાલસાગરમાં લાંગરેલા જહાજોના લંગર સાથે ટકરાઈને કેટલાક અંડર શી (દરિયાના તળિયે બીછાવેલા) કેબલ્સ ક્પાઈ ગયા હતાં, જેના કારણે ભારત, પાકિસ્તાન તથા મીડલ ઈસ્ટના દેશોમાં ઈન્ટરનેટ ધીમુ પડી ગયું હતું અને કેટલાક સ્થળે બંધ થઈ ગયું હતું. આ કારણે સડક-રેલવે અને હવાઈ સેવાઓ, બેન્કીંગ સુવિધાઓ તથા ઘણી ઈન્ટરનેટ આધારિત સેવાઓ ખોરવાઈ જતા હાહાકાર મચી ગયો હતો.
વિશ્વનું ૯પ ટકાથી વધુ ઈન્ટરનેટ દરિયાના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સ આધારિત છે. જો આ કેબલ્સ તૂટી જાય, તો આપણે આખા દેશ અથવા મહાદ્વીપોમાં ઈન્ટરનેટ ધીમુ પડી જાય છે, અને ક્યારેક થોડા સમય માટે તદ્ન બંધ પણ થઈ જાય છે, અને તેની મરામત જટિલ અને મહેનત માંગી લેતી હોવાથી પડકારરૂપ બને છે.
કોરોનાકાળના ઉત્તરાર્ધમાં વર્ષ ર૦ર૧ માં પણ ફેસબુક, વ્હોટ્એપ, ઈન્સ્ટાગ્રામ સહિતની પેટા કંપનીની ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સુવિધાઓ ખોરવાઈ ગઈ, ત્યારે ઉહાપોહ મચી ગયો હતો. આ ખલેલ પહોંચી અને તમામ ડેટા સેન્ટર્સ ૬ કલાક માટે ઓફલાઈન થઈ ગયા હતાં, તેનું કારણ અક કોન્ફિગ્રેશન ક્ષતિ હતી. એમ કહેવાય છે કે, સાડાત્રણથી ચાર અબજ લોકો પ્રભાવિત થયા હતાં.
જ્યારે ગુગલ, એ.ડબલ્યુ.એસ કે મેટા જેવી જાયન્ટ ટેક કંપનીઓના સર્વર્સ ડાઉન થાય કે ક્લાઉડ, સિસ્ટમ્સ ખોરવાય, ત્યારે હજારો વેબસાઈટ્સ અન એપ્લિકેશન્સ એક સાથે ઠપ્પ થઈ જાય છે. આ કારણે પ્રવર્તમાન ઈન્ટરનેટ આધારિત તમામ પ્રવૃત્તિઓ, પ્રક્રિયાઓ અને સેવાઓ અટવાઈ જાય છે, ત્યારે આપણે અદ્યતન ટેકનોલોજીના વધી રહેલા વ્યાપની સિક્કાની બીજી બાજુ પણ અનુભવતા જોઈએ છીએ.
ઘણી વખત સ્થાનિક કારણોસર પણ ચોક્કસ વિસ્તારોમાં નેટવર્ક ખોરવાઈ તું હોય છે. જામનગરની જેમ જ એેક વિકાસ કામે સડકો ખોદવામાં આવે, તે ફરીથી પૂર્વવત થાય, ન થાય, ત્યાં બીજા કામ માટે ખોદકામ થાય. આ દરમિયાન જમીનમાં બીછાવેલી પાણીની પાઈપલાઈનો, અંડરગ્રાઉન્ડ વીજકેબલ્સ અને ઘણી વખત ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ પણ કપાઈ જતા હોય છે. આ કારણે પણ આખા શહેર, વિસ્તાર કે કેટલાક ચોક્કસ હિસ્સામાં ઈન્ટરનેટ ગાયબ થઈ જતું હોય છે, અને તેની મરામત થતા સુધી તમામ ડિજિટલ વ્યવહારો, ઈન્ટરનેટ આધારિત સેવાઓ તથા ઘણી વખત સંદેશાવ્યવહાર પણ ખોરંભાઈ જતો હોય છે. આ સ્થાનિક કારણોસર ઓનલાઈન સુવિધાઓ તથા ડિજિટલ પેમન્ટ તથા હોમ ડિલિવરી સહિતના વ્યવહારો ખોરવાઈ જતા ઘણી વખત વિચિત્ર સ્થિતિ ઊભી થતી હોય છે.
ઈન્ટરનેટ ઘણી વખત કૃત્રિમ અથવા શુદ્ધ ઈરાદાપૂર્વક પણ બંધ કરવામાં આવતું હોય છે. કાનૂન વ્યવસ્થા જાળવવા, પેપરલીક અટકાવવા, હિંસક તોફાનો, આંદોલનો અને ચળવળો દરમિયાન અફવાઓ ફેલાતી અટકાવવા અથવા વીવીઆઈપીના આગમન વખતે સુરક્ષા કારણોસર તંત્રો દ્વારા પણ ચોક્કસ-મર્યાદિત સમય માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવતું હોય છે.
ઘણી વખત સાયબર હુમલાઓ વધી જાય ત્યારે પણ ઈન્ટરનેટ અટકાવાય છે, તો કેટલીક વખત ચોક્કસ સ્પોટમાં સાયબર એટેકની આશંકાના કારણે પણ ઈન્ટરનેટ સુવિધા અટકાવી દેવામાં આવતી હોય છે. વર્ષ ર૦૧ર માં અલાસ્કાના મતનુસ્કા અને સુમિત્રાના વિસ્તારોમાં સાયબર હુમલાઓના કારણે ડિજિટલ સુવિધાઓ સદંતર ઠપ્પ થઈ જતા લોકોએ કોમ્પ્યુટર્સના બદલે ફરીથી ટાઈપરાઈટર્સનો ઉપયોગ કરવો પડ્યો તો. તે સમયે ત્યાં ઈન્ટરનેટ પૂર્વવત થતા અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો.
વર્ષ ર૦૧૯ માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા પછી ત્યાં લાંબા સમય સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. તે પછી પણ સુરક્ષા કારણોસર અને આતંકી હુમલાઓ પછી અવાર-નવાર ઈન્ટરનેટ બંધ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪-રપ માં મણીપુરમાં અને છેલ્લા કેટલાક વર્ષો દમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આસામ, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ વિગેરે શહેરોમાં પણ વિવિધ કારણોસર ઈન્ટરનેટ સુવિધા ચોક્કસ સમય માટે બંધ કરવી પડી હોય તેવા ઘણાં દૃષ્ટાંતો છે. ગુજરાતમાં પણ વર્ષ ર૦૧પ માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે તથા વર્ષ ર૦૧૬ માં તલાટીઓની ભરતી માટે લેવાનાર પરીક્ષા સમયે પણ કામચલાઉ ધોરણે ઈન્ટરનેટ બંધ કરાયું હતું, તે ઉપરાંત સીએએ વિરોધી આંદોલન તથા કેટલાક વિવિધ વિરોધ-પ્રદર્શનો સમયે પણ થોડા કલાકો માટે અલગ-અલગ સ્થળે ઈન્ટરનેટ બંધ કરાયું હતું. આ તમામ અનિવાર્ય ગણી શકાય તેવા પ્રતિબંધો સમયે પણ લોકોને મુશ્કેલી તો પડી જ હતી.
આ રીતે કૃત્રિમ, કુદરતી કે અનિવાર્ય સંજોગોમાં ઈન્ટરનેટ ઠપ્પ થાય, અટકાવાય, ધીમુ પડે કે ખોરવાઈ જાય, ત્યારે પણ કેટલીક સુવિધાઓ તદ્ન અટકી ન પડે અને તદ્ન ઓનલાઈન સુવિધાઓ કે ડિજિટલ વ્યવસ્થાઓના આધિન રહેવાના બદલે લોકોને તેનો કોઈ અસરકારક વિકલ્પ મળી રહે, તે દિશામાં વિચારવું જ જોઈએ. ખાસ કરીને સડક, રેલવે, હવાઈ પરિવહન, ડિજિટલ પેમેન્ટ તથા એજ્યુકેશન-હેલ્થ-સરકારી રોજીંદી સેવાઓમાં વૈકલ્પિક ઓફલાઈન વ્યવસ્થાઓ પણ બેકીંગમાં (પહેલા હતી તેવી રીતે) સક્રિય રાખવી જોઈએ, જેથી 'પેનિક' તથા અફરા-તફરી થતી અટકાવી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મહારાષ્ટ્રથી દેશની રાજધાની સુધી ચોમાસાના આગમન અને મેઘવૃષ્ટિ ઉપરાંત સૌથી વધુ ચર્ચા શરદ પવારની નેશનલ કોંગ્રેસ પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સંભવિત વિલીનીકરણની થઈ રહી હતી અને આ પ્રકારનો દાવો ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એનસીપી (શરદ પવાર) ના નેતાઓ દ્વારા જ કરાયો હોવાનું કહેવાય છે. આ વખતે વિલીનીકરણની ગુપ્ત વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું તથા આખરી સમજુતિ સાથે શરદ પવાર અને સોનિયા ગાંધીની સહમતિ હોવાનો દાવો પણ પાર્ટીના અંતરંગ વર્તુળોને સાંકળીને કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના એક કોંગી નેતાએ પણ વિલય અંગે હાઈકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાની પુષ્ટિ કર્યા પછી આ દિશામાં પ્રગતિ થઈ રહી હોવાનો આશાવાદ જાગ્યો છે.
લગભગ અઢી દાયકા પહેલા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિદ્રોહ કરીને શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવર સહિતના નેતાઓએ નેશનલ કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. તે પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારની એનસીપીનો દબદબો રહ્યો હતો. આ એનસીપીમાં પણ વિભાજન થયું અને અજિત પવારનું જુથ અલગ થઈ ગયું, જેનું ભાજપ અને શિવસેનાના બળવાખોર જુથ સાથે ગઠબંધન રચાયું. બીજી તરફ શિવસેનામાં પણ વિભાજન થયું અને એકનાથ શિંદેના જુથે બળવો કર્યો. મોટાભાગના ફંટાયેલા જનપ્રતિનિધિઓ વિદ્રોહી જુથોમાં જતા રહેતા તેઓના જુથની એનસીપી તથા શિવસેનાને મૂળ પક્ષો ગણવામાં આવ્યા અને ચૂંટણીપ્રતીકો બળવાખોર જુથોને ફાળવાયા. તે પછી મહારાષ્ટ્રમાં બાકી રહેલી શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસે મળીને મેળવેલી મહારાષ્ટ્રની સત્તા પણ ગઈ અને ભાજપ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના ગઠબંધનની સરકાર રચાઈ.
મહારાષ્ટ્રમાં તે પછી મહાવિકાસ અઘાડીની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ રચાઈ અને અભૂતપૂર્વ સમીકરણો રચાયા તથા અજબ-ગજબની ઘટનાઓ બની. મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમો બની રહ્યા હતાં તેની વ્યાપકઅસરો રાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડી રહી હતી. મહારાષ્ટ્રમાં તો રાજનૈતિક ઉઠાપટક થતી રહી હતી, પરંતુ સંસદમાં પણ આ ઘટનાક્રમોનો સીધો લાભ એનડીએને થઈ રહ્યો હતો. કોંગ્રેસ તથા વિપક્ષો ભારતીય જનતા પક્ષ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા હતાં, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તથા રાષ્ટ્રીય નેતાગીરી વચ્ચે પણ મત-મતાંતરો સપાટી પર આવ્યા હતાં. તે પછી આ જ પદ્ધતિથી અન્ય રાજ્યોમાં પણ સમીકરણો બદલાયા હતાં, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિમાં પણ આંતરિક મતભેદો હોવાની વાતો વહેતી થઈ હતી. આ દરમિયાન એક હવાઈ દુર્ઘટનાએ ફરીથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.
વિમાન દુર્ઘટનામાં અજીત પવાર દિવંગત થયા પછી તેના સ્થાને તેઓના પત્ની સુનિત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા, તે પહેલા શરદ પવાર અને સદ્ગત અજીત પવારની એનસીપીના પુનઃ જોડાણની વાતો વહેતી થઈ હતી, પરંતુ તે પછી સમીકરણો ફરી બદલાયા અનેે હવે શરદ પવારની એનસીપીના કોંગ્રેસમાં વિલીનીકરણની વાતો ફરીથી થવા લાગી છે અને હવે સ્થાનિક નેેતાઓ દ્વારા ઉભય પક્ષે પુષ્ટિ થવાના અહેવાલો પછી એવું મનાય છે કે ટૂંક સમયમાં શરદ પવારની એેનસીપીનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિધિવત વિલીનીકરણ થઈ જશે.
જો કે, શરદ પવારની એનસીપીમાં પણ બે ગ્રુપ છે. એક જુથ એવું માને છે કે રાજ્યકક્ષાએ ફ્રેન્ડલીફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ એનસીપી (શરદ પવાર) દ્વારા એનડીએને સમર્થન આપવું જોઈએ, કારણ કે કેન્દ્ર, રાજ્ય અને બીએમસીમાં હવે એનડીએનું જ શાસન હોવાથી લોકોના કામો કરવા તથા અપેક્ષાઓ સંતોષવા માટે (ભલે બહાર રહીને પણ) એનડીએને સમર્થન આપવું જોઈએ. આ જુથ પૈકીના કેટલાક નેતાઓ તો રાજ્ય કક્ષાએ તથા સ્થાનિક સ્તરે પણ એનડીએ તરફી રાજનીતિ કરવી જોઈએ, તેવું માનતા હોવાનું કહેવાય છે. કદાચ આ કારણે જ વિલંબ થઈ રહ્યો હશે, જો કે અંતિમ નિર્ણય તો શરદ પવારનો જ હશે, તેથી આ વિલીનીકરણની સંભાવનાઓ વધુ મજબૂત છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વાતો જો હકીકતમાં બદલે, તો કોંગ્રેસ માટે તો ઉત્તમ તક હશે જ, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિ પણ કરવટ બદલશે...
આ પહેલા પ. બંગાળમાં કારમી હાર થયા પછી આસમાનમાં ઊડતા મમતા બેનરજી જમીન પર આવી ગયા, ત્યારે ખુદ સોનિયા ગાંધીએ મમતા બેનરજીને એવો પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસની વિલીનીકરણ કરી નાખે, તો તેણીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાશે. આ પ્રકારની વાતો વહેતી થઈ, ત્યારે મમતા બેનરજી અને ભત્રીજો અભિષેક બેનરજી દિલ્હીની મુલાકાતે પણ આવ્યા હતાં. તે પછી એવું બહાર આવ્યું કે મમતા બેનરજીએ કોંગ્રેસમાં વિલીનીકરણ પછી તેણીને તથા તેના ભત્રીજાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં અન્ય મહત્ત્વપૂર્ણ પદોની માંગણી કરી હતી. તે પછી આ વાત અટકી ગઈ છે, પરંતુ તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલીનીકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું નથી, અને આ વાત ગમે ત્યારે આગળ વધી શકે છે.
ભૂતકાળમાં રાજીવ ગાંધીના નિધન પછી જ્યારે કોંગ્રેસના ઘણાં દિગ્ગજો કોંગ્રેસ છોડવા લાગ્યા હતાં, ત્યારે સોનિયા ગાંધીએે પોતાનો રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય પડતો મૂકીને કોંગ્રેસની કમાન્ડ સંભાળી. તે પછી કોંગ્રેસ મજબૂત બની અને પ્રારંભિક પડકારો પછી કેન્દ્રમાં યુપીએની સરકાર રચીને દસ વર્ષ શાસન પણ કર્યું હતું. તેવી જ રીતે કોંગ્રેસ પુનઃ મજબૂત બનીને મજબૂત વિપક્ષ બન્યા પછી ઈતિહાસ દોહરાવી પણ શકે છે.
અત્યારે સંસદમાં એનડીએ ઘણું જ મજબૂત છે, અને હવે રાજ્યસભામાં પણ તોતિંગ બહુમતી મળી છે, તથા અધિકત્તમ રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકારો છે, ત્યારે કેન્દ્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે પૂર્તતા દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ જ કરી શકે તેમ છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ, પરંતુ હવે શું થાય છે તે જોવું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દિલ્હીની રાજ્ય સરકારે નવી ઈવી પોલિસી જાહેર કરી છે. આ ઈલેક્ટ્રીક વાહન નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે, તે ઉપરાંત કેટલીક છૂટછાટો તથા પ્રોત્સાહનો પણ જાહેર કરાયા છે. આ જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસકોન્ફરન્સ યોજીને કરી હતી. આ બહુહેતુક નવી નીતિને આવકાર પણ મળી રહ્યો છે, તો કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં આ પ્રયોગ સફળ થાય અને વ્યાપક (જંગી) પબ્લિક રિસ્પોન્સ મળે, તો અન્ય રાજ્ય સરકારો પણ તેના આધારે પોતપોતાના રાજ્યોમાં આ પ્રકારની નવી યોજનાઓ બનાવશે. પોલિસીઓ ઘડશે અને લોકોને ઈવીના માર્ગે વાળવા માટે તેના ઉમદા ઉદ્દેશ્યો સમજાવી શકશે ખરી? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, અને કેટલાક તર્કો પણ પડઘાઈ રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જાહેર કર્યા મુજબ આ નવી પોલિસી પહેલી જુલાઈથી જ લાગુ થઈ જશે અને ૩૧ મી માર્ચ ર૦૩૦ સુધી અમલમાં રહેશે. આ નવી નીતિના મુખ્ય ઉદ્દેશ્યોમાં પર્યાવરણની સુરક્ષા, હવાઈ પ્રદૂષણમાં ઘટાડો અને પરિવહનના ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલ-સીએનજી પરની નિર્ભરતા ઘટાડવાના હોઈ શકે છે.
આ પોલિસી અંતર્ગત દ્વિચક્રીય, ત્રિચક્રીય અને ફોરવ્હીલર્સ ઈલેક્ટ્રીક વાહનોમાં માતબર સબસિડી અપાશે. રૂ।. ૩૦ લાખ સુધીની એક્સ શો-રૂમ ઈલેક્ટ્રીક કારો પર લાગતી રજિસ્ટ્રેશન ફી તથા રોડ ટેક્સમાં સંપૂર્ણ માફી અપાશે. દ્વિચક્રીય વાહનો, જેવા કે સ્કુટર, બાઈક વગેરેની ખરીદી પર પહેલા વર્ષે રૂ।. ૩૦ હજાર, બીજા વર્ષે રૂ।. ર૦ હજાર અને ત્રીજા વર્ષે રૂ।. ૧૦ હજારની સબસિડી આપવાની જોગવાઈ કરાઈ છે. ત્રિચક્રીય વાહનો એટલે કે ઓટોરિક્ષા/ઈ-રિક્ષા પર પહેલા વર્ષે રૂ।. પ૦ હજાર સુધીની સબસિડી અપાશે, તેવું જાહેર કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત સંબંધિત વિભાગ દ્વારા પરિપત્રિત પણ કરાશે.
આ નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી વધે અને જુના વાહનોનો ભંગાર પણ વેંચાઈ જાય તે માટે એક્સચેઈન્જની વ્યવસ્થા પણ અમલી બનશે, તેવા સંકેતો છે. જાણકારોના અભિપ્રાયો મુજબ જુના વાહનો સ્ક્રેપમાં આપીને નવા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર રૂ।. પ૦૦૦ થી લઈને રૂ।. એક લાખ સુધીનું વિશેષ ઈન્સેન્ટિવ અપાશે.
આ પ્રકારની નવી નીતિ અમલી બને, ત્યારે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાથી નક્કી કરી લેવું ઘણું જ જરૂરી હોય છે. જ્યારે સીએનજી આધારિત વાહનોનો પ્રચાર-પ્રસાર વધારાયો હતો, ત્યારે એક તરફ માર્કેટમાં સીએનજી (ગેસ સંચાલિત) વાહનો માર્કેટમાં આવી ગયા હતાં, તો બીજી તરફ ગેસ ભરાવવા વાહનચાલકોને કેટલાક કિલોમીટર દૂર જવું પડતું હતું, કારણ કે ગેસ આધારિત વાહનોમાં ગેસ ભરવાની વ્યવસ્થા માટે ગેસફિલીંગ સ્ટેશનો (ગેસના પંપો) શરૂ કરવાના નવા નીતિ-નિયમો અમલી બનવામાં વાર લાગી હતી. હજુ પણ કેટલાક સ્થળે આ સમસ્યા છે, તેથી આ અનુભવના સંદર્ભે એવા સવાલો ઊઠી રહ્યા છે કે, આ નવી પોલિસીના અમલીકરણ માટે આ જ સમસ્યા તો ઊભી નહીં થાય ને? ઈલેક્ટ્રીક વાહનો ચાર્જીંગ માટેનું નેટવર્ક પર્યાપ્ત અને ફૂલપ્રૂફ તો હશે ને? ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સિસ્ટમમાં અવરોધ તો નહીં આવે ને? તેવી આશંકાઓ પણ ઊઠી રહી છે.
આ અંગે એવું જણાવાઈ રહ્યું છે કે આ યોજના ફૂલપ્રૂફ જ હશે, અને તમામ સંભાવનાઓ વિચારીને તેના નિવારણની વ્યવસ્થાઓ પણ થશે. રાજ્ય સરકાર આવતા ચાર વર્ષમાં આ યોજના પાછળ રૂ।. ૧પ હજાર કરોડનું રોકાણ કરશે. પહેલી જાન્યુ. ર૯ર૭ માં માત્ર ઈલેક્ટ્રીક ત્રિચક્રીય વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે, અને વર્ષ ર૦ર૮ ના એપ્રિલથી માત્ર દ્વિચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે. તેનો મતલબ એવો થાય કે આગામી પહેલી જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજી આધારિત ઓટોરિક્ષા વગેરે ત્રિચક્રીય વાહનોનું રજિસ્ટ્રેશન જ નહીં થાય, તેવી જ રીતે એપ્રિલ ર૦ર૮ થી આ પ્રકારના દ્વિચક્રીય વાહનો એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ આધારિત સ્કુટર, બાઈક વગેરેનું રજિસ્ટ્રેશન જ નહીં થાય. આ પ્રકારના કડક નિર્ણયો પણ પર્યાવરણ સુરક્ષા, ઈંધણબચત તથા પર્યાવરણ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને લેવાયા છે.
આ નવી પોલિસીમાં પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણ અને ઈંધણબચત જેવા ઉદ્દેશ્યોને વિપક્ષી વર્તુળોએ પણ આવકાર આપ્યો છે, પરંતુ આ રીતે અચાનક જ ઈલેક્ટ્રીક વાહનોની નવી નીતિ લાગુ કરી દેવાથી ગરીબ-મધ્યમ વર્ગિય વાહનચાલકો અને ગિગ વર્કર્સ, ડિલિવરી બોય વગેરેને આર્થિક ફટકો પડશે, તેવી દહેશત પણ બતાવાઈ રહી છે.
ઈલેક્ટ્રીક વાહનોના સમયોચિત ચાર્જીંગ, બેટરીઓ ખરાબ થઈ જવાની સમસ્યા તથા બિનઉપયોગી થઈ ગયેલી બેટરીઓના સુરક્ષિત યોગ્ય નિકાલનો પ્રશ્ન ઊભો થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા વિના તથા તમામ વ્યવસ્થાઓની પ્રયોગાત્મક સફળતા સાથે પર્યાપ્ત વ્યાપક્તા વધાર્યા વિના સીધેસીધા જ એક-બે વર્ષમાં આ પ્રકારના કડક નિયમનો લાગુ કરી લેવા હિતાવહ કે વ્યવહારૂ નહીં હોવાના મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે. તેની સામે એવો જવાબ પણ અપાઈ રહ્યો છે કે પર્યાવરણની સુરક્ષા, જીવસૃષ્ટિ પર ખતરો ઊભો કરી રહેલું હવાઈ પ્રદૂષણ અને પ્રવર્તમાન સમયમાં ડીઝલ-પેટ્રોલ-ગેસ જેવા ઈંધણ પરની નિર્ભરતા વગેરે ઘટાડવા માટે આ પ્રકારની થોડીઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવામાં સૌએ સહભાગી બનવું જોઈએ, અને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઊઠવું જોઈએ.
એકંદરે એવું કહી શકાય કે તબક્કાવાર વર્ષ ર૦ર૭ સુધીમાં દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનોનું નવું રજિસ્ટ્રેશન બંધ કરવાથી આગામી એક દાયકા સુધીમાં હવાઈ પ્રદૂષણ ઘણું ઘટી શકે અને પ્રોત્સાહક યોજનાઓ થકી બહુચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ પણ વધતો રહે તો માત્ર પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની સુરક્ષા જ નહીં, પરંતુ જીવસૃષ્ટિને પણ નૈસર્ગિક નવજીવન આપી શકાય, તેમ હોવાથી જે આશંકાઓ ઊઠી રહી છે તેનો ઉકેલ લાવીને પણ આ પ્રકારની પોલિસી દિલ્હીની જેમ અન્ય રાજ્યો પણ અપનાવી શકે છે.
ગુજરાત રાજ્ય દ્વારા પણ વર્ષ ર૦ર૧ માં ઈવી અંગે પોલિસી બની હતી, હવે આ પ્રકારની પોલિસી અપનાવવાની પહેલ ભાજપ શાસિત રાજ્યો ઝડપથી કરશે, તથા વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના વતનના રાજ્ય ગુજરાતમાં પણ દિલ્હીની નવી યોજનાનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરીને એ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ઉદાર પ્રોત્સાહનો જાહેર કરાશે, તેવી આશા સેવાઈ રહી છે, જો કે દિલ્હી નાનું રાજ્ય અને દેશની રાજધાની છે, તથા ત્યાં હવાઈ પ્રદૂષણની સર્વાધિક સમસ્યા છે, તેથી ત્યાં આ પ્રકારની પોલિસી તત્કાળ અમલી બની શકે, તેવી દલીલ થઈ રહી છે, પરંતુ આખા ગુજરાતને લક્ષ્ય બનાવીને પ્રાયોરિટીમાં અમદાવાદ સહિતના વધુ હવાઈ પ્રદૂષણ તથા વાહનો ધરાવતા શહેરો-જિલ્લાઓમાં પ્રયોગાત્મક પ્રારંભ તો થઈ જ શકે ને? ભૂપેન્દ્રભાઈ વિચારશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ ગુજરાત સહિત ડ્રગ્સનો જથ્થો ઠેર ઠેરથી પકડાઈ રહ્યો છે, અને ગુજરાતમાં ડ્રગ્સ એડિક્સ વધી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે મોટાભાગે ડ્રગ્સના બંધાણીઓ કોલજિયનો બનતા હોવાની વાતોએ ચિંતા વધારી દીધી છે, તો બીજી તરફ કુમળી વયથી જ તમાકુના વિવિધ પ્રકારોનું સેવન કરતા બાળકોની સંખ્યા વધી રહી છે અને કન્યાઓ તથા મહિલાઓ પણ તમાકુના વ્યસનમાં વધુને વધુ સંખ્યામાં લપેટાઈ રહી હોવાના તારણો નીકળી રહ્યા છે, ત્યારે વાલીઓ, સમાજ અને સામાજિક-ધાર્મિક-સંગઠનાત્મક અને સંસ્થાકીય આગેવાનોએ જાગવાની જરૂર છે.
ગુજરાતમાં ઠેર-ઠેર વધી રહેલી આ બદીની ચર્ચા શરૂ થઈ છે. તે પહેલા આ ચર્ચા રાષ્ટ્રીય કક્ષાએ શરૂ થઈ હતી અને કેન્દ્ર સરકારે રાજ્યોને ઉદ્દેશીને આ અંગેની એડવાઈઝરી પણ ભૂતકાળમાં જાહેર કરી હતી.
તમામ શેક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, ટ્યુશન ક્લાસીઝ, સંશોધન કેન્દ્રો, કૌશલ્યવર્ધન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો અને બાલમંદિરથી આઈઆઈએમ, આઈઆઈટી તથા સાયન્ટિસ્ટ ક્ષેત્રોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની શાખાઓ, પ્રયગશાળાઓને સાંકળીને આખા શિક્ષણ ક્ષેત્ર (ટોટલ એજ્યુકેશન સેક્ટર) ને તમાકુ અને ડ્રગ્સમુક્ત કરવાની આ પહેલને માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવમાં પંચાયતથી પાર્લામેન્ટ અને આંગણવાડીથી કેન્દ્રિય સચિવાલય તથા એમ્બેસી સુધી ચૂસ્તપણે અમલી બનાવવાની જરૂર છે.
આ પહેલનો પ્રારંભ કેન્દ્ર અને રાજ્યોના શિક્ષણ વિભાગના તમામ કાર્યાલયો, સચિવાલય, જિલ્લા તંત્રો, તાલુકા તંત્રો અને તમામ સરકારી કચેરીઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગૃહવિભાગથી શરૂ કરીને તમામ મહેકમોમાં ટોપ ટુ બોટમ અમલ કરીને પછી તેને છેક ગ્રામ્યસ્તર સુધી વિસ્તારવાથી જ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ અને ડ્રગ્સમુક્ત સમાજની આશા રાખી શકાશે.
કેન્દ્ર સરકારની એડવાઈઝરીમાં તો તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્દેશ્યને અગ્રતા અપાઈ હતી, પરંતુ તમાકુમુક્ત અને ડ્રગ્સ મુક્ત સમાજના ઉદ્દેશ્ય સાથે દેશવ્યાપી જનઆંદોલન શરૂ થવું જોઈએ, અને આ ચળવળ અવિરત ચાલતી રહેવી જોઈએ.
ટી.ઓ. એફઈઆઈ એટલે કે તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના મેન્યુઅલનો કડક અમલ કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ભૂતકાળમાં એડવાઈઝ આપી હતી. તેનો કેટલો અમલ થાય છે અને તેના હકારાત્મક કેવા પરિણામો છે, તેનો સ્ટડી થઈ રહ્યો છે.
ગ્લોબલ યુથ ટોબેકનો રિપોર્ટ કોરોનાકાળ પહેલા જાહેર થયો અને તેના ડેટા સામે આવ્યા પછી આ પ્રકારની એડવાઈઝરીઓ કેટલીક વિશ્વકક્ષાની સંસ્થાઓ તથા કેટલાક દેશોએ પણ પોતાના દેશોમાં જાહેર કરી હતી. એ રિપોર્ટમાં ભારતીય બાળકોમાં તમાકુના વ્યસનીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાનું બહાર આવ્યું હતું. આજે વર્ષો વિતી ગયા પછી પણ સ્થિતિમાં સુધારો થયો નથી અને આંકડાઓ વધતા જ રહ્યા છે.
ભારતમાં ૧૩ થી ૧પ વર્ષના વયજુથમાં તે સમયે સાડાઆઠ ટકા બાળકો તમાકુના વ્યસનીઓ હોવાનું જાહર થયું હતું, જે સંખ્યા અત્યારે કદાચ દોઢી કે ડબલ થઈ ગઈ હશે, કારણ કે તે સર્વે થયો તેને સાતેક વર્ષ થઈ ગયા છે. તે સમયે એવા તારણો રજૂ થયા હતાં કે ભારતમાં સાડાપાંચ હજારથી વધુ બાળકો દરરોજ તમાકુના વ્યસની બની રહ્યા છે. આ ગણતરી મુજબ અત્યારે તો દેશમાં કરોડો બાળકો વિવિધ તમાકુ પ્રોડક્ટ્સના વ્યસની થઈ ગયા હોવા જોઈએ. માત્ર તમાકુ જ નહીં, ડ્રગ્સના બંધાણીઓ પણ ઝડપભેર વધી રહ્યા હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ધૂમ્રપાનને લઈને બીજા ચિંતાજનક અને ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતાં. દેશમાં જીવનભર ધૂમ્રપાન કરનારા વ્યસનીઓ પૈકીના પપ (પંચાવન) ટકા લોકોએ ર૦ વર્ષની ઉંમર થતા પહેલા જ ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દીધુ હોય છે. ધૂમ્રપાન પછી યુવાવર્ગ ખૂબ જ ઝડપથી અને સરળતાથી ડ્રગ્સનું સેવન કરવા તરફ વળી જાય છે, તેવા તારણો પણ નીકળ્યા છે.
તમાકુનું સતત સેવન કરવાથી જીવનું જોખમ ઊભું થાય છે. તમાકુની આદતના કારણે મોઢું, ગળું, અન્નનળી, મૂત્રાશય, કિડની, સ્વાદુપીંડ અને સર્વિક્સ સહિતના કેન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાનથી ફેંફસાનું કેન્સર, હાર્ટએટેક, સ્ટ્રોક અને શ્વાસના દર્દોનું જોખમ વધે છે. પેટની લાઈનીંગને. નુક્સાન પહોંચે છે, કબજિયાત વધે છે, જે અનેક અન્ય બીમારીઓને જન્મ આપે છે. આંખ, કાન, બેલેન્સ અને ગેસ્ટ્રોલાઈઝની ગંભીર બીમારીઓ પણ આ કારણે ઉદ્ભવી શકે છે.
એવું નથી કે વ્યસનો છોડી શકાતા જ નથી, તમાકુ છોડી શકાય છે, આ માટે દૃઢ સંકલ્પ લેવો પડે અને જીવનભર બીડી-સિગારેટ પીતા હોય કે તમાકુવાળા પાન-માવા-ગુટ્ખા ખાધા હોય, તેને બધાને ક્યાં કેન્સર થાય છે? તેવા પ્રકારની દલીલો-તર્કોને સૌ પ્રથમ દિલોદિમાગમાંથી હટાવી દેવા પડે. તે પછી ખૂબ જ મક્કમ રહીને તમાકુને તિલાંજલિ આપી દેવી પડે, અને તે પછી કઈપણ સંજોગોમાં આદત ફરી લાગુ ન પડે તે માટે સ્વયં જ દૃઢ રહેવું પડે.
તમાકુ છોડી દીધા પછી કોઈપણ વ્યક્તિ ગમે તેટલો આગ્રહ કરે, મગજ કામ કરતું નથી, ડાયજેસ્ટીંગ પ્રોબ્લેમ થાય છે, તે પ્રકારની વિટંબણાઓ ઉદ્ભવે કે પછી થોડા દિવસો કે મહિનાઓ માટે સુસ્તી અનુભવાય કે અપચા જેવું રહે, તો પણ જો તમાકુનું સેવન રજમાત્ર પણ પુનઃ શરૂ થાય નહીં, તો તેનાથી કાયમી છૂટકારો મળી જાય છે, અને જીવ પરનું સંભવિત જોખમ પણ ટળી જાય છે, તે હકીકત છે.
હમણાંથી ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સનો જંગી જથ્થો પકડાય છે. તમાકુ જેટલું જ ખતરનાક ડ્રગ્સનું સેવન છે. ડ્રગ્સનું વ્યસન ખૂબ જ મોંઘુ, ખતરનાક અને શારીરિક-માનસિક તમામ ક્ષમતાઓનો વિનાશ કરનારૂ હોય છે. તેનાથી તો દૂર જ રહેવું સારૂ અને કોઈના આંધળા અનુકરણ કે પછી ટેન્શનો હળવા કરવા માટે શરાબના વ્યસનમાંથી ડ્રગ્સ તરફ વળ જવાથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. ટૂંકમાં તમાકુ હોય કે શરાબ, કે પછી ડ્રગ્સ હોય, તે બધા વ્યસનોનો અંજામ ખૂબ જ ખરાબ આવી શકે છે, અને સારો અંજામ ક્યારેય આવતો જ નથી.
ગુજરાતમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો પકડાતો હોવાથી ડ્રગ્સ માફિયાઓમાં પણ ફફડાટ હશે, કારણ કે પાકિસ્તાન સાથેની જમીન બોર્ડર તદ્ન બંધ થયા પછીથી પંજાબ-હરિયાણાના માર્ગે મોકલાતા ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘૂસાડવા માટે જુના જમાનામાં સ્મગલીંગ માટે ઉપયોગમાં લેવાતા માર્ગોનો ઉપયોગ થઈ રહ્યો હોય, અને ગુજરાતમાંથી ડ્રગ્સને દેશભરમાં મોકલાઈ રહ્યો હોય તો તે ખતરનાક છે, અને ગુજરાતની ભાવીપેઢીને બરબાદ કરીને ખોટા માર્ગે વાળનાર છે. આ કારણે હવે આ મુદ્દે સમાજ અને પબ્લિકે જાગૃત રહીંને એજન્સીઓને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં મદદરૂપ થવા અને યુવા વર્ગ પર નજર રાખીને ડ્રગ્સના આડે ચડતા અટકાવવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ધમાકેદાર શાળા પ્રવેશોત્સવ મનાવાયા. રાજ્યભરમાં મંત્રી-મહાનુભાવો-સચિવો તથા જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતના પદાધિકારીઓ-આગેવાનો ગામડાઓ સુધી પહોંચ્યા અને પહેલેથી કરેલા સર્વે મુજબ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને આધ્યાત્મિક શિક્ષણમાં પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને મોજમસ્તીભર્યા માહોલમાં સ્કૂલોમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રવેશોત્સવ દરમિયાન કેટલાક દાતાઓએ ઉદાર દિલે દાન આપ્યું, તે ગ્રામજનો-સ્થાનિક આગેવાનોએ કાર્યક્રમોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો. વર્ષ ર૦૦૩ થી ચાલી આવતી આ સરકારી પરંપરા નિભાવાઈ ગઈ અને હવે આખુ તંત્ર પોતપોતાની મૂળ ચીજો તફ વળ્યું હશે, અને વીક એન્ડ તથા તાજિયાની રજાઓ પછી સરકારી કચેરીઓમાં પહેલાની જેમ જ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપલબ્ધ રહેશે, તેવું માની શકાય.
આ વખતે પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કેટલીક ક્ષતિઓ સપાટી પર આવી ગઈ, તો કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની ખૂટતી જરૂરિયાતો કે વહીવટી-ટેકનિકલ સમસ્યાઓ પણ નજરે પડી. આ કાર્યક્રમોમાં મોટાભાગે શાસક પક્ષના નેતાઓ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોવાથી આ પ્રકારની ક્ષતિઓ કે સમસ્યાઓ પર ઢાંકપીછોડો થઈ શકે, પરંતુ કેટલાક સ્થળે રાજનીતિને બાજુ પર મૂકીને, આ કાર્યક્રમોમાં શિક્ષણ જેવા પવિત્ર કાર્ય તથા ભાવિ પેઢીની બુનિયાદ મજબૂત કરવાના ઉદ્દેશ્યો સામેલ હોવાથી વિપક્ષના નેતાઓ, પદાધિકારીઓ પણ જોડાયા હોય, ત્યાં ઢાંકપીછોડા થઈ શકતો હોતો નથી, અને પોલંપોલ બહાર આવી જતી હોય છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક જાગૃત નાગરિકો પણ મોબાઈલ સેલફોનમાં રેકોર્ડીંગ કરીને શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો, સમસ્યાઓ કે ખામીઓને પ્રકાશમાં લાવવાનો સંનિષ્ઠ અને પવિત્ર પ્રયાસ કરતા હોવાથી પણ હવે બધી વાત પર ઢાંકપીછોડો કરવો મુશ્કેલ છે.
આ કારણે જ એક સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતાં. હાલારની એક પ્રાથમિક શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ તો ઉજવાયો, પરંતુ એવું બહાર આવ્યું કે એ પ્રાથમિક શાળામાં તો ચારેય શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એ પછી પ્રેસ-મીડિયામાં આ વાત છવાઈ ગઈ અને સોશિયલ મીડિયાની પાંખો આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. આ સત્ય બહાર એટલા માટે આવ્યું કે ત્યાં વિપક્ષના ધારાસભ્ય હાજર હતાં. આ જ રીતે શિક્ષકો, સુવિધા કે બુનિયાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી ઘણાં સ્થળે હશે, તો પણ બધી જગ્યાએ વિપક્ષના નેતાઓ કે સંનિષ્ઠ જાગૃત અગ્રણીઓની હાજરી નહીં હોય, કે પછી તેઓથી વાસ્તવિક્તા છૂપાયેલી રાખવામાં સફળતા મળી હશે. ઘણી સરકારી શાળાઓ ખૂબ જ સુંદર કામ કરે છે, શિક્ષકો ઉત્સાહી છે અને સ્થાનિક સહયોગ તથા ગ્રામજનો-દાતાઓની હૂંફ તથા અદ્યતન સાધન-સુવિધાઓ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી હોય છે, તેની નોંધ પણ લેવાવી જ જોઈએ.
ગુજરાતમાં વર્ષ ર૦ર૪-રપ માં જિલ્લાવાર શિક્ષકોની જગ્યાઓ તથા તેની સામે ખાલી જગ્યાઓના આંકડાઓ મુજબ જામનગર જિલ્લામાં ૬૬૩ સરકારી પ્રાથમિક શાળાઓ ધોરણ ૧ થી ૮ ના ર૮૬૧ શિક્ષકો છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૮૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮ માં ર૪૭૬ શિક્ષકો છે. તેવી જ રીતે જામનગર મહાનગરમાં ૪૪ સ્કૂલોમાં ૩૯૯ શિક્ષકો છે. રાજ્યના આંકડાઓ મુજબ રાજ્યમાં લગભગ ૩ર હજાર સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં ૧૯ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૧ હજાર જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પછી બીજા તબક્કામાં ૩ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ભરવાની છે. રાજ્યમાં ૧૬૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વર્ષ ર૦ર૪-રપ માં બજેટસત્રમાં તત્કાલિન શિક્ષણ મંત્રીએ આ આંકડાઓ આપ્યા પછી કેટલીક ભરતી પ્રક્રિયાઓ થઈ, અને કેટલીક પ્રક્રિયાઓ ચાલી રહી છે, તેમ છતાં કેટલીક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય, ત્યાં કેવી સ્થિતિ હશે, અને તેને રજા પર જવું પડે, ત્યારે બાળકોના શિક્ષણનું શું થતું હશે, તે સમજી શકાય તેવું છે.
આંકડાઓ મુજબ વર્તમાન પ્રક્રિયા દરમિયાન ૧૧ હજાર તથા ૩૯૦૦ થી વધુ શિક્ષકોની ભરતી પછી પણ ૪ થી પ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે, જેમાં છાપરે ચડેલી એક પણ શિક્ષક વગરની હાલારની સરકારી પ્રાથમિક સ્કૂલ પણ સામેલ હશે ને?
ગુજરાતમાં વિપક્ષી નેતાઓ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ તથા ખાનગી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના મુદ્દે સરકારને ઘેરતા હોય છે. વિપક્ષના નેતાઓ ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની સેવાઓ લેવાતી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ પણ કરતા હોય છે. રાજ્યની વિધાનસભામાં પણ દોઢ હજારથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાની ચર્ચા થઈ હતી. જ્ઞાનસહાયક જેવી શોષણપદ્ધતિ બંધ કરીને નિયમિત પૂરા પગારથી કાયમી શિક્ષકની નિમણૂક કરવા તથા અત્યારે ફરજો બજાવી રહેલા કરાર આધારિત જ્ઞાનસહાયકોને કાયમી કરવાની માંગણી પણ વિપક્ષો દ્વારા થઈ છે.
શાળા પ્રવેશોત્સવો દરમિયાન જ કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં ઈમારતોની સ્થિતિ, વાયરીંગ અને જર્જરિત સંકુલો જોવા મળ્યા હશે, અને દર વર્ષની જેમ પ્રિ-મોન્સુન સાવચેતીના પગલાં લેવાની ફોર્માલિટી પણ પૂરી કરવાની હશે, તેથી રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. સરકારી શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં વરસાદી સિઝનમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવા ઉદ્દેશ્ય સાથે કેટલીક સૂચનાઓ પણ અપાઈ રહી છે. આ અંગે જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓ કડક નિરીક્ષણ કરશે તેમ જાહેર થયું છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે જર્જરિત ઓરડાઓમાં કે સ્કૂલોમાં અભ્યાસવર્ગો કે અન્ય કાર્યક્રમો નહીં ચલાવવા, મેદાન, છત તથા વરસાદી પાણી ભરાતા હોય, તેવા સ્થળોની સફાઈ કરીને સેઈફ સ્ટેજ નક્કી કરવા, ઈલેક્ટ્રીક વાયરીંગ તથા મધ્યાહ્ન ભોજન કેન્દ્રોની પ્રિ-મોન્સુન ચકાસણી કરી લેવા તથા ખુલ્લા વાયરો, નબળી સ્વીચો કે ખામીયુક્ત અર્થીંગ, જોખમી વીજલાઈનોની તત્કાળ મરામત કરીને આઈએસએસ પ્રમાણિત વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા, ભારે વરસાદ-પૂર જેવી સ્થિતિ માટે ઈમરજન્સી પ્રોટોકોલ નક્કી કરવા અને જરૂર પડ્યે વિદ્યાર્થીઓના તત્કાળ સ્થળાંતરની વ્યવસ્થા રાખવા આ ગાઈડલાઈન્સ દ્વારા તાકીદ કરાઈ છે. આમાં ક્યાંય ક્ષતિ રહેશે, તો જિલ્લા કક્ષાના બન્ને શિક્ષણાધિકારીઓની જવાબદારી ગણી શકાય, તેવી ગાઈડલાઈન્સ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધવિરામ પછી કાયમી શાંતિ સ્થપાશે, તેવા આશાવાદ વચ્ચે બન્ને દેશો વચ્ચે હજુ પણ અવિશ્વાસનું વાતાવરણ છે, અને ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે, જો કે ઈઝરાયલ દ્વારા હુમલા ચાલુ રહ્યા હોવાથી આ પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ રહે તે સ્વાભાવિક પણ છે, પરંતુ અનિશ્ચિતતાઓ હજુ પણ છવાયેલી હોવાથી ઈંધણનો પુરવઠો જાળવવાના પ્રયાસો બધા દેશોએ ચાલુ રાખ્યા છે. ભારતમાં દોઢેક મહિના ચાલે તેવો પુરવઠો હોવા ઉપરાંત હવે નવો પુરવઠો આવવા લાગ્યો હોવાથી આપણાં દેશને બહુ વાંધો આવે તેવું નથી, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ભારત સરકારે યુદ્ધ સમયે લીધેલા કેટલાક કડક નિર્ણયોની પનર્વિચારણા કરીને કેટલીક છૂટછાટો કરવાની દિશામાં પહેલું કદમ ઊઠાવ્યું છે અનેે એલપીજી સંદર્ભે લદાયેલા કેટલાક અંકુશો હટાવી લેવામાં આવ્યા છે. કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ (નોન-ડોમેસ્ટિક) હેતુઓ માટે સરકારે યુદ્ધ સમયે કેટલાક અંકુશો મૂક્યા હતાં અને બલ્ક ખરીદી-વેંચાણ તદ્ન બંધ કરાયું હતું. હવે તેમાં પ૦ ટકા સુધીની છૂટછાટ અપાઈ છે. હવે સી-૩ અને સી-૪ નો ઉપયોગ ફરીથી વધી શકે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ઘરેલુ રાંધણગેસની પ્રાયોરિટી યથાવત્ રહેશે અને તેના ભાવોમાં કોઈ વધારો થશે નહીં, જો કે જે લોકો પાઈપલાઈનથી ગેસ મેળવતા હોય, એવા પીએનજીના ગ્રાહકોને એલપીજી કનેક્શન નહીં મળે, એ નિયમ યુદ્ધ પછી લાગુ કરાયો હતો તે યથાવત્ રખાયો છે, અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ક્રૂડ ઓઈલના બેરલના ભાવ, જે ૧ર૦ ડોલર સુધી પહોંચી ગયા હતાં, તેમાં ર૦ ટકાથી ૪ર ટકા સુધીનો ઘટાડો થયો છે, અને ગઈકાલ સુધીમાં ૭ર ડોલર સુધી પહોંચી ગયા છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં હજુ ઘટાડો કરાયો નથી, જેની લોકો રાહ જોઈ રહ્યા હતાં. આવું થવાના કારણો પણ અપાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવો ઘટી ગયા હોવા છતાં પહેલાથી ખરીદેલું ક્રૂડ જે રસ્તામાં હોય તથા જેનો સોદો થઈ ગયો હોય, તેના ભાવો મૂળ ખરીદકિંમત મુજબ જ રહે, તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, લેબરચાર્જ, કરવેરા, ઘસારો વગેરે ઉમેરાતા ક્રૂડના ભાવોની ખરીદકિંમત વધી જાય. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે ભાવો જાળવી રાખવા જ્યારે ક્રૂડનું બેરલ રૂ।. ૧૦૦ થી ૧ર૦ વચ્ચે હતું, ત્યારે એક્સાઈઝ ડ્યુટી શૂન્ય સુધી ઘટાડી હતી, તેને સરભર કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ કારણે સરકારે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત આપી નહીં હોય તેમ મનાય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવો પર જ માર્કેટ, ટ્રાવેલીંગ, ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરનો આધાર હોવાથી જો થોડો-ઘણો પણ ભાવઘટાડો થાય, તો તેની અસરો આ તમામ સેક્ટર્સ પર થતા લોકોને ઘણી રાહત થાય તેમ છે, તેથી સરકારે ઈંધણના ભાવોમાં ઘટાડો થાય તેવો નિર્ણય લેવો જ જોઈએ. બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા માટે પેટ્રોલિયમ પેદાશો મોંઘા જ રાખવાની નીતિ અપનાવાઈ રહી હોય, તો પણ પહેલા મુસાફરીથી લઈને કાર્ગો સુધીના પરિવહન માટે પર્યાપ્ત ઈલેક્ટ્રીક વાહનો ઉપલબ્ધ થઈ જતા સુધી સરકારે રાહ જોવી જોઈએ અને ક્રૂડ આધારિત ઈંધણના ભાવો ઘટાડવાનું કદમ ઝડપભેર ઊઠાવવું જોઈએ, તેવા મંતવ્યો હકીકતલક્ષી ગણાય. જો પબ્લિકને ક્રૂડના ઘટતા ભાવોનો લાભ નહીં મળે તો મોંઘવારી ફાટી નીકળશે તથા અલનીનોની અસરથી જો વર્ષ નબળું જશે, તો સ્થિતિ બેકાબૂ બની જશે, તેવી આશંકાઓમાં વજુદ છે. આજે નહીં તો કાલે, કેન્દ્ર સરકાર ઈંધણના ભાવોમાં રાહત આપશે, તેવી આશા રાખીને બેઠેલી પ્રજાને જો નિરાશા સાંપડશે, તો તેના પડઘા આગામી વિવિધ ચૂંટણીમાં દેશવ્યાપી ધોરણે પડી શકે છે.
ગઈકાલે ભારતીય જનતા પક્ષ રપ મી જૂન-૧૯૭પ માં લદાયેલી કટોકટીની વરસી મનાવી રહ્યો હતો, ત્યારે વિપક્ષો અયોધ્યાના રામમંદિરમાં દાનની ચોરી, ઈંધણના ભાવ તથા તાજેતરના અગ્નિકાંડો તથા બિહારના એન્કાઉન્ટરના મુદ્દે ભાજપ પર તડાપીટ બોલાવી રહ્યા હતાં. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે એલપીજી પરથી અંકુશો ઊઠ્યા પછી હવે સરકાર કેવા કદમ ઊઠાવે છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઈને સતત વિરોધાભાસી સમાચારો આવી રહ્યા છે. એક તરફ યુનો દ્વારા અમેરિકાના સહયોગથી ઓમાનના દરિયામાંથી નવો રૂટ એક્ટિવેટ કર્યા પછી ઈરાને ત્યાંથી પસાર થતા જ્હાજો મિસાઈલની રેન્જમાં હોવાનું જણાવી હુમલાની ગંભીર અને ગર્ભિત ધમકી આપ્યા પછી એવું પ્રતીત થાય છે કે હોર્મુઝ સંકટ ગમે ત્યારે ફરીથી સર્જાઈ શકે છે. આ સંજોગોમાં સરકારે ભવિષ્યને ધ્યાને લઈને રણનીતિ નવેસરથી નક્કી કરવી પડે તેમ છે. તો બીજી તરફ મોંઘવારીથી પીડાતી પ્રજાએ સંકટના સમયે સરકારને સતત સહયોગ આપ્યા પછી હવે જો બધું બરાબર હોય તો ક્રૂડના ભાવમાં થયેલા જંગી ઘટાડાના કારણે પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં થવાપાત્ર ઘટાડાનો મહત્તમ લાભ કંપનીઓને નહીં, પરંતુ ગ્રાહકો (જનતા) ને મળે, તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો એવું નહીં થાય તો જનતામાં આક્રોશ વધશે, અને કોંગ્રેસની 'ગૂંજ' તથા વિપક્ષોની ફોજ દિલ્હી (કેન્દ્ર સરકાર) ને રાજકીય રીતે ઘેરી વળશે, તે નક્કી છે. આશા રાખીએ કે એકાદ અઠવાડિયામાં દેશવાસીઓને 'રાહત'ના સમાચાર મળે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ભીમ અગિયારસ છે, જેને નિર્જલા એકાદશી પણ કહે છે. આ વખતે અધિક (પરસોત્તમ) મહિનો પ્રથમ જયેષ્ઠ (જેઠ) મહિનામાં હતો, તેથી ભીમ અગિયારસ એક મહિનો મોડી થઈ છે. ભીમ ભૂખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શકતો નહીં હોવાથી વ્યાસજીએ જેઠ સુદ-એકાદશીના દિવસે જળ ગ્રહણ કર્યા વગર એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીઓના વ્રતનું ફળ મળશે, તેવી સલાહ આપી હતી. આ નિર્જલા વ્રત ભીમે કર્યું હતું, તેથી આ એકાદશીને ભીમ અગિયારસ અથવા નિર્જલા એકાદશી કહેવાય છે, તેવી કથા છે. ઘણાં લોકો આ એકાદશીને પાંડવ પૂર્ણિમા અથવા પાંડવી પૂનમ પણ કહે છે. આ વ્રત કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, અને વર્ષની મોટી અગિયારસ અથવા મોક્ષદાયિની એકાદશી પણ કહેવાય છે.
જુના જમાનાથી એેવું કહેવાય છે કે ભીમ અગિયારસથી અષાઢી બીજ વચ્ચે શ્રીકાર વર્ષા થાય છે. ભીમ અગિયારસના દિવસે અમીછાંટણા થાય છે, તેને શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પછી ખેડૂતોએ ખરીફ સિઝન માટે કરેલા પરિશ્રમની ફલશ્રૂતિ મેળવવાનો અવસર જેઠ મહિનામાં ભીમ અગિયારસથી શરૂ થાય છે. આ વર્ષે પણ આ પરંપરા જળવાય અને સાર્વત્રિક શ્રીકાર વર્ષા થાય, તવી આશા સ્વાભાવિક રીતે જ સૌ કોઈ રાખે છે.
ગઈકાલે આવેલ ફોરકાસ્ટ મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી ૭ દિવસમાં ભારે પવન અને વરસાદ સાથે વરસાદ થશે. મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ગઈકાલે જ ર૪ કલાકમાં દસ-બાર ઈંચ વરસાદ થઈ ગયો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ થયા પછી એકાદ-બે અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતો હોય છે. આ વખતે ચોમાસું મોડું થતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વિલંબથી આવશે, પરંતુ આ વર્ષે અલનીનોની કેટલીક અસર થશે, તે અંગે મતમતાંરો છે.
એવું કહેવાય છે કે અલનીનોની વિપરીત અસરો શરૂ થઈ ગઈ છે અને તેની માઠી અસરો હાલાર સહિત ગુજરાતના ચાર-પાંચ જિલ્લામાં થઈ શકે છે. તે ઉપરાંત પ્રાચીન વર્ષા વિજ્ઞાન તથા કુદરતી બદલાવ પરથી થતી આગાહીઓ સાથે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂક્યા હોવાના દાવો કરીને નબળા ચોમાસાની આગાહીઓ થઈ રહી છે. આ સંજોગોમાં લોકોને તદ્ન સચોટ અને વાસ્તવિક જાણકારી મળતી રહે અને હકીકતે જો નબળા ચોમાસાની સંભાવનાઓ હોય તો લોકોને તથા ખેડૂતોને સમયોચિત રીતે માહિતગાર કરીને તેને મદદરૂપ થવાનો માસ્ટરપ્લાન પણ અત્યારથી જ વિચારી લેવો જોઈએ. અલનીનોની બહુ અસર ન થાય, અથવા અરબી સમુદ્રમાં પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાયપોલ અલનીનોની વિપરીત અસરોનેે અટકાવી શકે છે અને દુષ્કાળની સંભાવનાઓને પણ મહદ્અંશે ઘટાડી શકે છે, તેથી આજે એકાદશીના પવિત્ર પર્વે એેવું પ્રાર્થીએ કે સારો વરસાદ થાય, અને અલનીનોનો કાળો પડછાયો ન પડે. વર્ષ સારૂ જાય અને ધનધાન્યની ઉણપ રહે નહીં.
આમ છતાં, બદલતા ઋતુચક્ર, સંભાવનાઓ તથા ફોરકાસ્ટને ધ્યાને લઈને આગમચેતી રાખવી જરૂરી છે. જુના જમાનાની જેમ અત્યારે ટાંચા સાધનો તથા ઢીલી સંચાર વ્યવસ્થા નથી. આજના ઈન્ટરનેટ યુગમાં હજારો કિલોમીટર દૂર દરિયામાં થતી ઘટનાઓની રજેરજ માહિતી મોકલી પણ શકાય છે, અને નિહાળી પણ શકાય છે, તેથી મોસમ પર બાજ નજર રાખીને સાયન્ટિસ્ટો, તંત્રો અને સરકાર તમામ જરૂરી આગોતરા કદમ પણ ઊઠાવી શકે છે, અને જરૂર પડ્યે કરકસરના કદમ પણ ઊઠાવી શકે છે. આ માટે પ્રવર્તમાન ઉપલબ્ધ જળરાશિ તથા ભૂગર્ભ સપાટીની સમીક્ષા કરીને અત્યારથી જ કેટલાક અંકુશો મૂકવાનું વિચારી શકાય છે, અને તે દિશામાં કદાચ કેટલાક તંત્રોએ કદમ ઊઠાવવાનું શરૂ પણ કરી દીધું છે.
કેન્દ્ર સરકારે દેશના ૩૧પ થી વધુ સૌથી વધુ એવા જિલ્લાઓ અલગ તારવ્યા છે, તેમાં પણ સિંચાઈની સુવિધાઓ ઘણી જ ઓછી હોય, તેવા જિલ્લાઓને પ્રાયોરિટીમાં રાખ્યા છે. આ જિલ્લાઓમાં પાણીની કરકસર અને બચત માટે જરૂર પડ્યે કડક કદમ ઊઠાવવાની તૈયારી પણ રખાઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે.
અલ્પવૃષ્ટિની સ્થિતિમાં દાળ, તેલિબિયાનું અનાજ-કઠોળના વિકલ્પે અથવા મહત્તમ વાવેતર કરવામાં ખેડૂતોને મદદરૂપ થવા, પશુધનને નિભાવવા તથા લોકોને પીવાનું પાણી પૂરૃં પાડવા માટે પ્લાન એ, બી, સી, બનાવીને તેનો અમલ કરાવવાનું માઈક્રો પ્લાનિંગ કરવું પણ આવશ્યક છે. તે ઉપરાંત અનાજ, કઠોળ અને આવશ્યક ચીજવસ્તુઓનો બંફરસ્ટોક તથા ઘાસચારાનો વિપુલ જથ્થો સંગ્રહી રાખવા જેવા કદમ ઊઠાવવા પણ જરૂરી છે. આ તમામ બાબતો કેન્દ્ર સરકારના માસ્ટ પ્લાનમાં હશે જ, તેવી આશા રાખીએ...
ગુજરાતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી અને હાલારમાં ચોમાનું મોડું પડ્યું છે, ત્યારે અલનીનોની આશંકાને લઈને સ્થાનિક તંત્રો પણ એલર્ટ થઈ ગયા છે. જામનગર સહિતના ૧૦ શહેરોમાં આંશિક 'નળબંધી' થઈ રહી છે અને જ્યાં દૈનિક જળવિતરણ થતું હતું, ત્યાં હવે એકાંતરા જળવિતરણ થશે, તેવું જાહેર થયું છે. તે ઉપરાંત કેટલાક નગરો તથા ગ્રામ વિસ્તારોમાં તો ચાર-પાંચ દિવસ કે અઠવાડિયે પાણી પુરવઠો અપાતો હોવાની રાવ પણ ઊઠી રહી છે. જો વરસાદ વધુ ખેંચાય, તો પ્રવર્તમાન નળબંધીમાં વધારો પણ થઈ શકે છે.
જો આગામી સમયને સુરક્ષિત રાખવા માટે વર્તમાનમાં થોડી કરકસર કરવી પડે, કે તકલીફ ભોગવવી પડે, તો નાગરિકોએ સહયોગ પૂરો પાડવો જોઈએ, જે આપણું કર્તવ્ય છે, પરંતુ પીવાના પાણી પર કાપ મૂકવાની સાથે સાથે વિવિધ કામો માટે ભૂગર્ભમાંથી દરરોજ વિપુલ જળરાશિ ખેંચતા લોકો પર 'જળબંધી' કરવી જરૂરી છે. તે પણ ન ભૂલવું જોઈએ. આજે નિર્જલા એકાદશીના દિવસે પ્રભુને પ્રાર્થીએ કે પુષ્કળ વરસાદ વરસાવીને અલનીનોને અટકાવી દ્યે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપની સ્નેહાળ સ્મૃતિઓ... પ્રેરણાનું ઝરણું...
માધવાણી પરિવાર અને 'નોબત' પરિવારના માતૃતુલ્ય અને 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના જીવનસંગિની સ્વ. ઉર્મિલાબન માધવાણીની આજે પુણ્યતિથિ છે. આજે તેઓની સ્નેહાળ સ્મૃતિઓ વધુ તાજી થઈ છે, અને અમને સૌને તેની પ્રેરણાદાયી હૂંફની અનુભૂતિ આજે પણ થઈ રહી છે.
વર્ષ ર૦૧૯ ની ર૪ મી જૂનનો એ દિવસ અમારા માટે આઘાતજનક હતો, જ્યારે આપ અમને બધાને છોડીને અનંતયાત્રાએ નીકળી ગયા હતાં. આપે હંમેશાં અમનેે સૌનેે પ્રેમાળ પથદર્શન સાથે હૂંફાળુ વાત્સલ્ય આપ્યું હતું. આપની મમતાળું હૂંફ, નિખાલસ સ્વભાવ, શાંત મનોવૃત્તિ અને જીવનના પડકારો સામે ઝઝુમવાની તાકાત અમારા માટે હંમેશાં પ્રેરણાદાયી રહેશે. આપનું સદાચાર, સંસ્કાર અને સાદગીભર્યું જીવન અમારા બધા માટે હંમેશાં અનુકરણીય બન્યું છે.
માતૃત્વની શિતળ છાયા ગુમાવ્યા પછી ક્યારેય પુનઃ મળતી નથી. આપ અમારા બધાના માતૃતૃલ્ય હતાં. આપની અણધારી વિદાય હતી, પરંતુ ઈશ્વરની આ ઘટમાળ પાસે પામર મનુષ્યનું કાંઈ ચાલતું નથી. જન્મ-મરણ ઈશ્વરને આધીન હોય છે, તેથી આપ અનંતયાત્રાએ નીકળી ગયા પછી આપની ખોટ આજ સુધી પૂરી શકાઈ નથી.
આપની પ્રેરણાદાયી સ્મૃતિઓ તથા માતૃત્વના શિતળ છાંયડાને સ્મરીને આજે પણ અમને બધાને જીવનના સંઘર્ષો સામે લડવાની તથા સર્વજનહિતાય, સર્વજનસુખાય જીવવાની તથા સૌને મદદરૂપ થવાની પ્રેરણા મળે છે.
આપના રાશીર્વાદ હંમેશાં અમારા પર વરસતા રહે અને વૈકુંઠમાંથી પણ અમારા બધા પર આપની અમી દૃષ્ટિ રહે તેવી શ્રીજીને પ્રાર્થના સાથે અમે બધા ખૂબ જ ભાવપૂર્વક આપને સ્મરણાંજલિ-સહ-શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
જામનગર
તા. ર૪-૦૬-ર૦ર૬
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
એક તરફ સામાન્ય જનતામાં હંમેશાં એક કોમન ફરિયાદ સંભળાતી હોય છે કે સરકારી-અર્ધ સરકારી કચેરીઓ-બોર્ડ-નિગમોમાં કોઈપણ કામ મોટાભાગે પૈસા આપ્યા વિના થતું જ નથી, તો બીજી તરફ સરકાર પારદર્શક વહીવટનો દાવો કરતી રહે છે. ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન માટે જ ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. અને સિસ્ટમ પણ હવે ટ્રાન્સપરન્ટ અને ડિજિટલાઈઝેશન સાથે અદ્યતન થઈ રહી હોવાનું જણાવાય છે. આ વિરોધાભાસી મંતવ્યો-દાવાઓ વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરોએ જાહેર જનતાને ભ્રષ્ટાચારી તંત્રો અંગે જાણકારી આપવાનો અનુરોધ કર્યા પછી વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો એક વધુ વખત 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે.
બન્યું છે એવું કે આણંદના એક પૂર્વ આર.એ.સી.ની સામે ચાલી રહેલી એક તપાસ પછી એસીબી દ્વારા તેણી સામે ગૂન્હો નોંધવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો કે તેણીએ પોતાના અને પોતાના પરિવારના નામે વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતો તેણીની આવક કરતા ઘણી વધુ છે. વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ દરમ્યાન તેણીના આવક-ખર્ચ વચ્ચે ઘણી બધી વિસંગતતા સામે આવી હોવાનો દાવો પણ કરાયો છે. આ ડિફરન્સ આ અધિકારીએ કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે. તેણીએ આ માલ-મિલકતો સત્તાનો દુરૂપયોગ દ્વારા આર્થિક લાભ મેળવીને વસાવી હોવાનો આરોપ મુકાયો છે, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જુદી જુદી કલમો હેઠળ ગૂન્હો નોંધ્યા પછી જાહેર જનતાને એવો અનુરોધ કરાયો છે કે તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે સહયોગ આપે અને કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારી ભ્રષ્ટાચાર આચરીને ગેરકાયદેસર રીતે સંપત્તિઓ ખરીદતા હોય કે મિલકતો વસાવતા હોય તો તેની જાણ એસીબીને તત્કાળ કરે.
આ વિવાદાસ્પદ કેસ સાથે સંકળાયેલા મહિલા અધિકારી સામે અન્ય કેટલાક કેસો પણ થયા હતા અને સજા થઈ હતી, હવે તેણીની મિલકતને લઈને એસીબી દ્વારા કેસ થયો હોવાના અખબારી અને પ્રેસ મીડિયાના અહેવાલો ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ માટે બોધપાઠરૂપ છે અને તંત્રમાં ચર્ચાનો વિષય બન્યા છે.
તાજેતરમાં જ એસીબીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓને એન્ટિકરપ્શન એકટ હેઠળ દબોચ્યા છે અને લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. આ અધિકારીઓની સંપત્તિ પણ આવક કરતા ઘણી જ વધુ નીકળી હતી. એસીબીએ સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલને રૂ।. ૩૦ લાખની લાંચ લેવાના કેસમાં દબોચ્યા. તેથી ખાતાની ક્રેડેટિબિલિટી વધી હતી. તે ઉપરાંત જમીનની કોઈ ફાઈલના નિકાલ માટે એક ડેપ્યુટી મામલતદાર, જપ્ત કરેલા વાહનને છોડાવવા માટે જીએસટીના એક અધિકારી દ્વારા રૂ।. ૧૦ લાખ લેતા ઝડપાયા હોવાના રાજ્યના જુદા જુદા સ્થળે નોંંધાયેલા ગૂન્હા જોતા ભ્રષ્ટાચાર પણ હવે "મોંઘો" થઈ ગયો હોવાનું તારણ નીકળે છે.
વર્ષ ૨૦૨૫ના એક રિપોર્ટ મુજબ બે વર્ષમાં એસીબીએ રાજયમાં ભ્રષ્ટાચાર વિરોધી ૨૧૩થી વધુ ગૂન્હાઓ નોંધીને ૩૧૦ ભ્રષ્ટાચારીઓને દબોચી લીધા હતા. જેમાં વર્ગ-૧ના ૧૩ તથા વર્ગ-૨ના ૩૫ અધિકરીઓ સામેલ છે. સૌથી વધુ કેસ ગૃહ-મહેસુલ અને પંચાયત વિભાગમાં નોંધાયા છે.
તાજેતરમાં મોટી ખાવડી પાસેથી પીજીવીસીએલના કર્મચારીઓ પકડાયા હતા, જેની સામે રૂ।. ૮૦ હજારની લાંચ લેવાનો આરોપ મુકાયો છે. તે પહેલા કલ્યાણપુરના હરિપરમાં તો સરપંચના પરિવારજનો જ લાંચ કેસમાં પકડાયા હતા. આ પ્રકારના દૃષ્ટાંતો ચોતરફ ચાલી રહેલા ભૂંડા ભ્રષ્ટાચારના છે.
જો કે, આ દૃષ્ટાંતો તો પકડાયેલા ભ્રષ્ટાચારીઓના છે. આઈસબર્ગની જેમ આ પકડાયેલા કેસો કરતા અનેકગણો ભ્રષ્ટાચાર ઉધઈની જેમ જનતાને કોતરી રહ્યો છે, અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જરૂરી પૂરાવા અને સરકારી ખાતા સામે બાથ ભીડવાની હિંમતના અભાવે ઘણી વખત ભ્રષ્ટાચારીઓની ફરિયાદ કાં તો થતી જ નથી અને કાં તો પૂરવાર થતી નથી, તેથી જ આ ભોરીંગ વધુ ને વધુ ભરડો લઈ રહ્યો છે.
એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા છટકાં ગોઠવાય, આરોપીઓ રંગે હાથ પકડાય અને તે સમયે તેની વ્યાપક પબ્લિસિટી થાય, તેથી લાંચમાં પકડયેલા અધિકારી-કર્મચારીઓની આબરૂ જાય કે સમાજમાં નીચાજોણું થાય તેથી લાંચ-રૂશ્વતના રવાડે નહીં ચડવા વડીલો સલાહ આપતા અને અધિકારી-કર્મચારીઓ પણ આ પ્રકારની સંભાવનાઓથી ડરતા હતા, પરંતુ હવે ધીમે ધીમે આ પ્રકારની શરમ-સંકોચ રહ્યા નથી અને પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને કાનૂની લડત લડીને ઘણાં લાંચ રૂશ્વતના આરોપીઓ વર્ષો સુધી કેસ ચાલ્યા પછી નિર્દોષ છૂટી જતા હોય છે, તેથી એક નવી ચર્ચાએ પણ ઊઠી છે કે છટકું ગોઠવીને પૂરતા પૂરાવા સાથે રંગેહાથ સ્વયં લાંચ લેતા અધિકારીઓ-કર્મચારીઓ નિર્દોષ છૂટવા જ ન જોઈએ. આ સંદર્ભેે એસીબીના થતા કેસોમાં કેટલાને સજા થાય છે, અને કેટલા નિર્દોષ છૂટે છે, તેની ચર્ચા સાથે સવાલો પણ ઉઠતા રહે છે કે આ માટે "સિસ્ટમ" જવાબદાર છે ? કોણ જવાબદાર છે ?
ભ્રષ્ટાચારના કારણે માનવજિંદગીઓ પણ હોમાતી હોય છે. સુરતનો તક્ષશીલા અગ્નિકાંડ હોય, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, કે પછી ગઈકાલનો લખનૌનો અગ્નિકાંડ હોય, આ બધા અગ્નિકાંડોમાં હોમાયેલી જિંદગીઓ પાછળ ભ્રષ્ટ રીતિ-નીતિ તથા લાંચિયા અધિકારીઓ જ જવાબદાર ગણાય ને ?
એક કરચોરીના કેસમાં રૂ।. ૨૦ લાખની લાંચની માંગણી કરવાના આક્ષેપ હેઠળ આણંદના ઈન્કમ ટેકસના એક ઉચ્ચ અધિકારી તથા એક એડવોકેટને સીબીઆઈ દ્વારા રંગેહાથ પકડાયા હતા. આ કેસમાં એટલા સચોટ પૂરાવા એકત્રિત કરાયા હતા કે સ્પેશિયલ કોર્ટે આ બંનેને સજા ફટકારી હતી. ઈન્કમ ટેકસના તે સમયના ૨૩ વર્ષ પહેલાના ડેપ્યુટી ડાયરેકટર કક્ષાના ઉચ્ચ અધિકારી અને તેની મદદ કરનાર એડવોક્ેટને અનુક્રમે બે વર્ષ તથા એક વર્ષની સજા ફટકારાઈ હતી. આ ચૂકાદા સામે થયેલી અપીલમાં હાઈકોર્ટે આ સજા યથાવત રાખી છે. આ દૃષ્ટાંત મજબૂત પૂરાવા હોય તો દાયકાઓ પછી પણ અપરાધીઓ છુટી શકતા નથી. આ પ્રકારના સોલીડ કેસમાં લાંચિયાઓને છટકબારી મળતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોમાસું અટવાઈ ગયું અને ગરમી વધી ગઈ તેથી ગુજરાતીઓ પરેશાન છે. રાજ્યમાં ગરમી અસહ્ય બની રહી છે અને તેમાં હવે ભેજનું ૩૦ થી ૬૦ ટકા સુધીનું પ્રમાણ ઉમેરાતા બફારો પણ વધ્યો છે. આ કારણે માર્કેટમાં એરકન્ડીશન્ડ મશીનોનું પ્રમાણ વધ્યું છે, તેથી વીજ પુરવઠાની માંગ પણ વધી છે. આ જ કારણે વીજલાઈનો પર દબાણ વધતા વીજળીના ધાંધિયા પણ વધ્યા છે અને નાના-મોટા વીજફોલ્ટ વધી જતા વીજકંપનીની ટીમોની હડિયાપટ્ટી પણ વધી છે.
કેરળમાં ચોમાસાના આગમન પછી જે ગતિથી ચોમાસું આગળ વધતું હોય, તેમાં આ વખતે બદલાવ આવ્યો છે. ચોમાસાની ઉત્તરીય સીમા અત્યારે હૈદ્રાબાદ, સોલાપુર, રાંચી થઈને પસાર થઈ રહી છે. ઉત્તર ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. આ કારણેે દક્ષિણ ઉત્તર તરફથી પટ્ટીમાં વરસાદની એક્ટિવિટી વધી છે. હવામાન ખાતાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ઉ. ગુજરાતથી પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીની પટ્ટીમાં સપાટીથી પ.૮ કિ.મી.ની ઊંચાઈ પર રચાયેલી ટ્રફ લાઈન અને નીચલા સ્તરે ફૂંકાઈ રહેલા દક્ષિણ-પશ્ચિમ પવનોના કારણે ગઈકાલે સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનને માઠી અસર પહોંચવા છતાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે, અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ તા. ર૮ થી જૂન સુધીમાં પડી શકે છે.
હવામાન ખાતાએ ર૮ મી જૂન સુધીની કરેલી છૂટાછવાયા, મધ્યમ વરસાદની આગાહીમાં મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નામ છે, પરંતુ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં માત્ર હળવા વરસાદનું અનુમાન કરાયું છે. તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની સંભાવના દર્શાવાઈ છે. આમ, એક તરફ ચોમાસાના આગમનના કારણે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી વહેલી થશે, તેવી શક્યતા જણાવાઈ રહી છે, તો બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્રના મહત્તમ જિલ્લાઓ બાકાત રહેતા ચિંતા પણ વધી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમી ગતિથી આગળ વધીને આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચશે, તેવી આગાહી છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમનની કોઈ ચોક્કસ તારીખ નક્કી થઈ શકી નથી. અત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડે, તે પ્રિ-મોન્સુન એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ છે. આમ, મોડું થતું ચોમાસું, અલનીનોની અસરો અને રાજ્યના જળાશયોમાં ખૂટી રહેલો જળરાશિ ચિંતાજનક છે, તેથી રાજ્ય સરકારે 'સબ સલામત'ની રાબેતામુજબની રેકર્ડ વગાડવાના બદલે સમયોચિત કદમ ઊઠાવવા જોઈએ.
ગઈકાલે ર૧ મી જૂને યોગ દિવસ ઉજવાયો અને જામનગર-હાલાર સહિત ઠેેર ઠેર યોગશિબિરો યોજાઈ. યોગાના કાર્યક્રમો દરમિયાન એકત્રિત થતા લોકોમાં પણ ખેંચાયેલું ચોમાસું, અલનીનોની અસર અને જળાશયોમાં ઉપલબ્ધ જળસંગ્રહની જ સર્વાધિક ચિંતા વ્યક્ત થઈ રહેલી જોવા મળી રહી હતી. લોકો જામનગરમાં તો પહેલા વરસાદી ઝાપટાંમાં જ શહેરમાં થયેલા જળભરાવને યાદ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની ટીકા કરી રહ્યા હતાં, ત્યારે કેટલાક લોકો વ્યંગમાં એવું કહેતા પણ સંભળાયા હતાં કે ચોમાસું મોડું આવવાનું હોવાથી તંત્રોને ક્ષતિ સુધારવા અને બાકી રહી ગયેલી પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની તક મળી ગઈ છે, તો કેટલાક લોકો નિંભર તંત્રો આ કુદરતે આપેલી તકનો લાભ નહીં ઊઠાવે, તો મહાનગરની 'મહાદશા' કેવી હશે? તેવો સવાલ પણ ઊઠાવી રહ્યા હતાં. સામાન્ય જનતાની આ લાગણીઓ અને ચિંતાઓની અસર હંમેશાં ઉજવણીઓના મૂડમાં રહેતા શાસકો-પ્રશાસકો સુધી પહોંચી હશે કે કેમ? તે તો રામ જાણે, પરંતુ દેશમાં ફરીથી એક વખત અયોધ્યાના રામમંદિરનો મુદ્દો જુદા સ્વરૂપે ફરીથી 'ટોક ઓફ ધ નેશન' બન્યો છે, તેની થોડી ઘણી ચર્ચા પણ થતી જોવા મળી હતી. અયોધ્યાના રામમંદિરમાં ગોલખચોરીના મુદ્દે રચાયેલી એસઆઈટી આજે યુ.પી.ને પ્રાથમિક રિપોર્ટ આપશે, તેવા અહેવાલો વચ્ચે દેશભરના પ્રત્યેક ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓને મંદિર માટે કરેલા દાન પર 'તરાપ' મારતા, દર્શન માટે ઊંચો ચાર્જ વસૂલતા કે પ્રસાદમાં ઘાલમેલ કરતા પરિબળોને સાંકળીને કોઈ કડક કાયદા બનવા જોઈએ, તેવા જન-પ્રત્યાઘાતો પણ સંભળાઈ રહ્યા હતાં, જો કે સર્વાધિક ચિંતા અલ્પવૃષ્ટિ અને સંભવિત દુષ્કાળની જ થઈ રહી છે.
આવી ચિંતા વ્યક્ત થઈ રહી હોય, તે સ્વાભાવિક છે, કારણ કે ચોમાસાની અનિશ્ચિતતાઓ સાથે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં ર૦ ટકા જેટલો જળસંગ્રહ ઓછો હોવાના અહેવાલો પછી અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં માત્ર સિંચાઈ નહીં, પરંતુ લોકોનો પીવાના પાણી તથા પશુ-પંખીઓના નિભાવનો પ્રશ્ન ઊભો થાય તેમ છે. અત્યારે તો સૌની યોજના અને નર્મદા યોજનાનો સહારો છે, પરંતુ જો દુષ્કાળ પડે તો અણકલ્પ્ય સ્થિતિ ઊભી થાય અને દાયકાઓ પહેલા ઊભા થતા દૃશ્યો ફરીથી જોવા મળે, તેવી સંભાવના નકારી શકાય નહીં.
અહેવાલો મુજબ સૌરાષ્ટ્રમાં ૧૪૦ થી વધુ ડેમોમાં અત્યારે માત્ર ર૭.૪૦ ટકા જ જળસંગ્રહ છે. આખા રાજ્યની વાત કરીએ, તો રાજ્યમાં ર૦૦ થી વધુ ડેમોમાં પણ ૩૬.૯૪ ટકા જ જળસંગ્રહ છે, જેના પર આખા રાજ્યનો આધાર છે, તે નર્મદા ડેમમાં પણ ૬પ ટકાની આજુબાજુ જળસંગ્રહ છે. ગયા વર્ષે તો આ જ સમયગાળામાં પ્રિ-મોન્સુનના ભારે વરસાદ અને તે પછી ચોમાસાની એન્ટ્રી થતા ડેમોમાં પ૦ ટકા જેટલો જળસંગ્રહ થયો હતો, જ્યારે આ વર્ષે તો હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અડધો ડઝન જિલ્લાઓમાં ઘણાં ડેમોમાં શુન્ય જળરાશિ હોવાથી સૂકાઈ ગયા છે, અને મેદાનો જેવા બની ગયા છે, જ્યારે ૧૧૦ જેટલા ડેમોમાં માત્ર ર૦ ટકા કે તેથી ઓછું જ પાણી બચ્યું છે.
જળસંગ્રહની રાજ્યની કુલ ૮.૯૧ લાખ એમસીએફટી જેટલી ક્ષમતા છે, તેમાં સૌરાષ્ટ્રની ૯૧ હજારથી વધુ એમસીએફટીની ક્ષમતા છે, પરંતુ તેમાંથી અત્યારે નર્મદા સહિત ૪.ર૪ લાખ એમસીએફટી જળસંગ્રહ છે. તેથી જો ભીષણ દુષ્કાળ પડે તો આ જળસંગ્રહ પણ ઓછો પડે તેમ હોવાથી ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા અત્યારથી જ આગમચેતીના પગલાં લેવા જરૂરી છે.
જો કે, ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાં ગત્ વર્ષે આ સમયગાળામાં હતો, તેનાથી સવાયો જળસંગ્રહ હોવાથી રાજ્ય માટે રાહતરૂપ છે, પરંતુ જું કહેવાઈ રહ્યું છે, તે મુજબ અલનીનોની વિપરીત અસરો સર્વાધિક હાલાર સહિત સૌરાષ્ટ્રના ચાર-પાંચ જિલ્લાઓને થવાની હોય તો તેના પર ધ્યાન કેન્દ્રિત (ફોકસ) કરીને પાણીની બચત, કરકસર અને ખાસ કરીને ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા નવા બોર કરવા તથા પ્રવર્તમાન બોરમાંથી ખૂબ જ મોટો જથ્થો ઉલેચવા પર સંતોષકારક વરસાદ થતા સુધી અંકુશો મૂકવાની જરૂર જણાય છે.
ટૂંકમાં, આ વર્ષે અલનીનોની વિપરીત અસર થાય, વરસાદ ઓછો પડે, દુષ્કાળ કે અછત જેવી સ્થિતિ ઉપસ્થિત થાય અથવા હાલાર સહિત કેટલાક જિલ્લાઓમાં વધુ વિષમ સ્થિતિ ઊભી થાય, તો તેના માટે અલાયદો માસ્ટર પ્લાન અત્યારથી જ તૈયાર રાખવાની જરૂર છે, અને ઉપરાંત આગામી વર્ષ માટે તમામ લોકો તથા પશુધન માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, ખેતીની સિંચાઈને અગ્રતા આપીને અન્ય હેતુઓ માટે જંગી જળ વપરાશ પર હાલતુરંત અંકુશો મૂકવાની તાતિ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આ સંદર્ભે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું એકચક્રીય શાસન રહ્યું છે, પરંતુ વર્ષ ર૦ર૭ ની ચૂંટણીમાં આ વખતે માત્ર કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી પણ જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી રહી છે, અને આ વર્ષે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ રાજ્યવ્યાપી માઈક્રો પ્લાનીંગ અમલમાં મૂકી દીધું હોય તેવા સંકેતો છે.
ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં હોદ્દાઓની જાણે લ્હાણી કરી છે. આ પહેલા પણ રાજ્યવ્યાપી નિમણૂકો થઈ હતી. ગઈકાલે જાહેર થયેલી યાદી મુજબ રાજ્યમાં ૧ર નવા ઉપપ્રમુખો અને ૧૪ સંગઠનમંત્રીઓ ઉપરાંત યુવા, મહિલા અને વિદ્યાર્થી મોરચાઓના નવા પ્રમુખો નિમાયા છે. આ નિમણૂકોમાં જ્ઞાતિ-જાતિ, વર્ગ અને પ્રદેશનું સંતુલન બેસાડવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે. ભૂતકાળમાં યુવા આંદોલનો સાથે જોડાયેલા કેટલાક યુવાનેતાઓને આ નિમણૂકોમાં પણ સ્થાન મળ્યું છે, અને પરીક્ષાઓમાં ગરબડ, પેપરલીક અને સરકારી ભરતીઓના મુદ્દે અવારનવાર અવાજ ઊઠાવનાર યુવરાજસિંહ જાડેજાનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં ઓનલાઈન ઉભરેલી કોકરોચ પાર્ટીને પણ 'આપ'નું મૂક સમર્થન હોય તેમ જણાય છે. તાજેતરમાં 'આપ'ના સાંસદ સંજયસિંહે કરેલા કેટલાક નિવેદનો પણ ગુજરાતમાં પડઘાઈ રહ્યા છે.
આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હીના પરાજ્યનો બદલો ગુજરાતમાં લેવા કમર કસી રહી હોય તેમ જણાય છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવર્તમાન શાસન સામેની ત્રણ દાયકાની એન્ટી ઈન્કમ્બન્સીનો લાભ લેવા અને કોંગ્રેસનો વિકલ્પ બનીને શક્તિશાળી વિપક્ષ બનવા અથવા ભાજપને પછાડીને ગુજરાતમાં પંજાબની જેમ સરકાર રચવાના સપના જોઈ રહી હોવાથી તેને અનુરૂપ તૈયારીઓ અત્યારથી જ આદરી દીધી હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપીને જો વર્ષ ર૦ર૭ માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાઠું કાઢી શકે, તો તેનો ફાયદો આગામી ચૂંટણીઓમાં થઈ શકે છે. દિલ્હીમાં સત્તા પાછી મેળવવી અને પંજાબમાં સત્તા જાળવી રાખવાના પડકારો વચ્ચે આમ આદમી પાર્ટી અત્યારે તો રાષ્ટ્રીય કક્ષાએ પડેલા ભંગાણ પછી હવે અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસો કરી રહી છે. આ સંજોગોમાં જો ગુજરાતમાં કમ-સે-કમ મુખ્ય વિપક્ષ બની શકે, તો પણ સર્વાઈવ કરવામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રુસ્ટર ડોઝ મળે તેમ છે. આ કારણે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી માત્ર ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસને પણ ટક્કર આપવાનો ભરપૂર પ્રયાસ કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીને ભાજપનું ત્યાં બહું ઉપજતું નહી હોવાથી સૌથી વધુ ફાઈટ કોંગ્રેસ જ આપવાની છે, તેથી ગુજરાતમાં કોંગ્રેસને પડકારીને 'આપ' એક કાંકરે બે નિશાન સાધવાના પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે.
કોંગ્રેસે તાજેતરમાં ખેડૂતોના પ્રશ્ને અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ રેલી અમદાવાદથી નીકળી, પરંતુ ઓગણજ સુધી જ પહોંચી અને ત્યાં સભામાં ફેરવાઈ ગઈ. ઓગણજમાં ભાજપ સરકાર વિરોધી દેખાવો થયા અને તીખા-તમતમતા ભાષણો પણ થયા. આ રેલીને સરકાર (ભાજપ) ના ઈશારે ઓગણજમાં જ રોકી દેવાઈ હોવાનો આક્ષેપ પણ થયો હતો.
હવે આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે માત્ર પબ્લિસિટી સ્ટંટ જ કર્યો હતો. કોંગ્રેસે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા માત્ર ડ્રામેબાજી જ કરી હતી. હકીકતે કોંગ્રેસે આ રેલી માટે ગાંધીનગર સુધી જવાની મંજુરી જ લીધી નહોતી, પરંતુ માત્ર ઓગણજ સુધીની જ મંજુરી માંગી હતી, પરંતુ ગાંધીનગર કૂચના બહાને ખેડૂતોને અંધારામાં રાખીને ખેડૂતોની પરેશાનીઓનો રાજકીય લાભ લેવાનો જ પ્રયાસ થયો હતો, તે પ્રકારના પ્રેસ-મીડિયાના અહેવાલો પછી કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટી પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
ગઈકાલથી થઈ રહેલી રાજ્યવ્યાપી ચર્ચા મુજબ આમ આદમી પાર્ટીએ ગઈકાલે પડકાર ફેંક્યો હતો કે જો કોંગ્રેસે ગાંધીનગર સુધીની રેલીની મંજુરી માંગી હોય અને તેને નામંજુર કરીને ઓગણજ સુધીની જ મંજુરી અપાઈ હોય, તો કોંગ્રેસ પોલીસના જવાબનો પત્ર જાહેર કરે. પોલીસે હકીકતે પહેલેથી જ કથિત રીતે ૧૪ મી જૂને જ અમદાવાદના ઓગણજ સુધીની જ મંજુરી આપવા છતાં કોંગ્રેસે ખેડૂતોને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોર્યા હતાં.
બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપની 'બી' ટીમ તરીકે કામ કરતી હોવાના વારંવાર આક્ષેપો કરતી રહે છે, અને આ વખતે પણ 'આપ'ના કાર્યકરોએ ખેડૂતોની રેલીમાં ઘૂસણખોરી કરીને ખેડૂતોને ઉશ્કેર્યા હતાં. જો કોંગ્રેસના નેતાઓએ શાણપણ દાખવીને કંટ્રોલ ન કર્યો હોત તો લાઠીચાર્જ થયો હોત અને કડદાકાંડ જેવો ઘાટ સર્જયો હોવાનો દાવો કરીને કોંગ્રેસે તે તરફ જ અંગુલીનિર્દેશ કર્યો છે.
આ દૃષ્ટાંત જોતા એવું લાગે છે કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરેપૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને ત્રિપાંખિયા જંગમાં ભાજપને પડકારશે.
આમ આદમી પાર્ટીને ભાજપે રાષ્ટ્રીયકક્ષાએ તોડી નાંખી છે, અને સંસદમાં મોટો ઝટકો આપ્યો છે, પરંતુ ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ આમ આદમી પાર્ટી ભાજપને ફાયદો થાય, તેવા પ્રયાસો કરતી હોય તો તેને રાજનીતિમાં બધું ય ચાલે, તેવી માન્યતાની ફલશ્રૂતિ જ ગણવી પડે. આપણાં દેશમાં રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા અભિગમો હોય, તેેમાં કોઈ નવાઈ નથી, ઘણાં પ્રાદેશિક પક્ષો રાજ્યકક્ષાએ ફ્રેન્ડલી ફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ પરસ્પર તાલમેળ જાળવતી હોય છે. કેટલાક રાજકીય પક્ષો કેન્દ્રમાં સામસામે હોય, પણ રાજ્યમાં સહિયારૂ શાસન ચલાવતા હોય કે ગઠબંધનમાં સાથીદારો હોય, તેવા ઘણાં દૃષ્ટાંતો છે.
વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ઔદ્યોગિક ઘરાનાઓ તથા તેની સાથે સંકળાયેલા જાહેર જીવનમાં પ્રતિષ્ઠિત કેટલાક મહાનુભાવો-ઉદ્યોગપતિઓ કે રાષ્ટ્રીય કક્ષાએ જનપ્રતિનિધિત્વ કરતા વ્યક્તિવિશેષો ઉપરાંત કેટલાક જ્ઞાતિ સમાજોમાં રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા સુધીના હોદ્દાઓ ધરાવતા હાલારના મહાનુભાવો પણ માત્ર ફંડીંગ કે બેક ગ્રાઉન્ડ સપોર્ટના બદલે પ્રત્યક્ષ રીતે મેદાનમાં ઉતરે અને વિવિધ રાજકીય પક્ષોમાંથી ચૂંટણીમાં ઝંપલાવે, તેવા સંકેતો મળી રહ્યા છે. જો તેવું થશે તો સૌરાષ્ટ્રના રાજકીય સિમરણો બદલાઈ જશે.
છેલ્લે... ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એેજીએમમાં મુકેશભાઈ અંબાણીએ જિયોના આઈપીઓ ઉપરાંત એ.આઈ.ના યુઝર્સ નહીં, પણ મેનયુફેક્ચર બનવાની સાથે આગળ વધવાનો સંકેત આપતા જામનગર હવે એ.આઈ.ના ક્ષેત્રે પણ ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે, તેના સંદર્ભે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં વાદળછાયા વાતાવરણ પછી ગઈકાલે પોણાઈંચ જેવો વરસાદ પડ્યોઅને થોડા સમય માટે ઠંડક પ્રસરી, માહોલ બદલાયો અને આહ્લાદક વાતાવરણના કારણે મજા પડી ગઈ, પરંતુ થોડા સમયમાં જ તડકો તપવા લાગ્યો. જામનગરની જેમ જ હાલારમાં કેટલાક સ્થળે હળવા ઝાપટા પડ્યા. આ પ્રિ-મોન્સુન વરસાદ હતો, અને ચોમાસું હજુ બાકી છે, ત્યાં જ પ્રારંભિક વરસાદે ગાઈ-વગાડીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી.
જામનગરમાં ખડકાયેલા વિકાસના માચડાઓ પર આ પ્રારંભિક વરસાદ પછી ગંદકી અને બદબુનું આવરણ ચડી ગયુંઅને સોહામણા સંકુલોમાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. આ કારણે લોકોમાં પહેલા વરસાદની આવેલી પ્રારંભિક ખુશી તો જાણે હવામાં જ ઊડી ગઈ.
ગઈકાલે પોણા ઈંચના ઝાપટા પછી જે સ્થિતિ જોવા મળી, તેમાં વિકાસના કામોની અણઘડતા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. જામનગર મહાનગરપાલિકાનું પ્રવેશ દ્વાર, મહાનગરપાલિકા પાસેથી ભીડભંજન મહાદેવના મંદિરના સામેનો તળાવની પાળ તરફનો માર્ગ, જિલ્લા અદાલતનું પટાંગણ, લાલબંગલો સંકુલ, ટાઉનહોલ, અપના બજાર, પંચેશ્વર ટાવર તરફનો માર્ગ, ગ્રેઈન માર્કેટ, ત્રણદરવાજા, ધરારનગર, ડી.કે.વી., હાપા રોડ તથા ઘણાં સોસાયટી વિસ્તારોમાં થયેલો જળભરાવ થોડા સમય માટે તો એવો દેખાતો હતો, જાણે કે આખું નગર જ ગટર બની ગયું હોય!
જામનગરને છોટીકાશી પણ કહે છે. છોટીકાશી એટલે મંદિરોની નગરી. આ ધર્મનગરી એક સમયે સુંદર રજવાડીનગર પણ હતું. આ મહાનગરમાં આજે પણ રૂડો-રૂપાળો ઓવરબ્રિજ અને નવનિર્મિત ભૂજિયો કોઠો, લાખેણું લાખોટા તળાવ અને રળ્યામણા સર્કલો ઊભા કરાયા છે, પરંતુ સોનાની થાળીના લોઢાની મેખની જેમ અણઘડ ગટર વ્યવસ્થા, સ્વચ્છતાના નામે માત્ર ડ્રામેબાજી અને તુંડમિજાજી માનસિક્તાના કારણે પહેલા વરસાદે જ ગંદી દુર્દશા જોવા મળી હતી.
જાનગરમાં વરસાદી પાણીના નિકાલ અને વપરાતી ડ્રેનેજ લાઈન અને ગટર જાણે નરક હોય, તેવા દૃશ્યો ઊભા થયા હતાં. નગરમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી તથા કચરાના ઢગલા ભળી જતા જામનગર જહન્નમ બની ગયું હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં. જિલ્લા તંત્રના હાર્દ સમા વિસ્તારો તથા લાલબંગલા સર્કલમાં આવેલી જામ્યુકો સહિતની કચેરીના પ્રાંગણમાં જ સ્કુટર-બાઈકના અડધા વ્હીલ ડૂબી જાય તેવા પાણી ભરાઈ જતા સ્વયં અધિકારી-કર્મચારીઓ પણ હાલાકી ભોગવી રહેલા દેખાયા હતાં. આ કારણે થોડા કલાકો માટે કેટલીક કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી. નાગનાથ ગેઈટ પાસેના મહેશ્વરી વાસ વિસ્તારોમાં તો કેનાલ અને ગટરના ગંધાતા પાણીએ દોઝખના દૃશ્યો ખડા કરી દીધા હતાં. આ તમામ દૃશ્યો નપાવટ પ્રિ-મોન્સુન કામગીરી અને તે પહેલા અણઘડ રીતે નિર્માણ થયેલા કે રિપેર કરાયેલા માર્ગોમાં રખાયેલી બેદરકારી કે પછી આચરાયેલા સંભવિત ભ્રષ્ટાચારની ગવાહી પૂરે છે. લોકો સવાલો ઊઠાવી રહ્યા છે કેે કરોડોના ખર્ચે વિકાસના માચડા ખડકતા સત્તાધીશોને મૂળભૂત જરૂરિયાતો કે બુનિયાદી જન-જરૂરિયાતોની ખબર જ નહીં હોયકે પછી આંખ આડા કાન કરાતા હશે? તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...
એવું કહેવાય છે કે, જામનગરમાં હજુ પ્રિ-મોન્સુન કામગીરી ચાલી જ રહી છે, તેવામાં વરસાદી ઝાટું પડી જતા આવું થયું છે. જો એવું જ હોય તો પ્રિ-મોન્સુન કામગીરીના સમયગાળા તથા પ્રારંભિક ટાઈમીંગ અંગે પણ પૂનર્વિચાર કરવો જ પડે, કારણ કે મે-જૂનમાં પ્રિ-મોન્સુન વરસાદી ઝાપટાઓની શક્યતાઓ રહેતી જ હોય છે. હવે, જાગ્યા ત્યારથી સવારની જેમ જામનગર મહાનગરપાલિકાના તંત્રો નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્ય્વસ્થાઓનુ પુનઃનિરીક્ષણ કરીને જરૂરી સુધારા-વધારા કરે તથા નગરમાં ખડકાયેલા તથા છૂપાયેલા ઉકરડાઓ અને કચરાના પથારાઓને તાત્કાલિક હટાવે, તે અત્યંત જરૂરી છે.
જામનગરની જેમ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ઓખા, રાવલ, ભાણવડ, ખંભાળિયા, કલ્યાણપુર સહિતના તાલુકાઓમાં પણ પ્રથમ વરસાદી ઝાટપા પછી આ જ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. ઠેર-ઠેરથી આ પ્રકારના દૃશ્યો પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગટી રહ્યા છે, તેથી સમગ્ર હાલારમાં પહેલા વરસાદે પ્રિ-મોન્સુન કામગીરીની પોલંપોલ તો ખોલી જ નાંખી છે અને શાસન-પ્રશાસન અંગે એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે 'કાગળા તો બધે જ કાળા...'
જ્યાં સુધી આપણી બુનિયાદી વ્યવસ્થાઓ નહીં સુધરે ત્યાં સુધી યુપીઆઈ કે એ.આઈ.ના ક્ષેત્રે દેશની સિદ્ધિઓના ગુણગાન ફિક્કા જ લાગે. વિકાસની સાથે જો લોક-કલ્યાણ કે સામાન્ય જનતાની સુખાકારીની ચિંતા નહીં જોવાય, તો તે વિકાસ અધુરો ગણાય. સામાન્ય લોકોની જિંદગીને સરખી, સુવિધામય અને પોષણક્ષમ બનાવવા માટે નક્કર પ્રયાસો થવા પણ જરૂરી છે. ખોખલા હાડપીંજરોને સોના-ચાંદીના આભૂષણો પહેરાવીને તેને સમૃદ્ધ મનુષ્ય તરીકે રજૂ કરવામાં આવે, તો તેમાં જીવ આવી જવાનો નથી.... માત્ર આભાસ જ ઊભો થવાનો છે!
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ પહેલા વરસાદે જ જલભરાવ થયો. દેશની રાજધાની દિલ્હીમાં તો બારે ય માસ હવે કોઈને કોઈ વિટંબણા ઊભી થતી જ રહે છે. એક તરફ તૂટેલી કે તોડેલી પાર્ટીઓના નેતાઓ સંસદના આંટાફેરા લગાવી રહ્યા છે, તો બીજી તરફ વાયુ-પ્રદૂષણથી કાયમી પીડાતું દિલ્હી પણ ઘણી વખત વરસાદ-વાવાઝોડા અને બદલાતી મોસમનું શિકાર થતું રહ્યું છે. નગરથી નેશન સુધી ચોમાસાના ઈન્તેજાર વચ્ચે પ્રિ-મોન્સુનથી ઊભી થતી બદબુ અન ગંદકી ઘણું ઘણું કહી જાય છે...
હાલારની હાલાકી અને નગરમાં નર્કાગાર જેવી સ્થિતિ માટે આત્મનિરીક્ષણ કરવું પડે તેમ છે. શાસકો-પ્રશાસકો તો આ સ્થિતિ માટે જવાબદાર છે જ... પરંતુ જન-સામાન્યની પણ સહિયારી જવાબદારી છે. નાગરિકોનું પણ કર્તવ્ય છે કે જાહેર સ્વચ્છતા જળવાય અને તંત્રો દ્વારા થતી વિકાસ પ્રક્રિયાને વેગ મળે, તેમાં સક્રિય સહયોગ આપે. પહેલા વરસાદે ઘણા સ્થળે ખૂણે-ખાચરેથી ફેંકાયેલો કચરો કે છોડાયેલા ગંદા પાણી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. પબ્લિક ન્યુસન્સ અથવા જાહેર અડચણો ફેલાવતા તત્ત્વોને અટકાવવા પડશે. એપાર્ટમેન્ટ, મહોલ્લા, સોસાયટીઓના સંચાલકો, સ્થાનિક અગ્રણીઓ તથા વોર્ડ-કોર્પોરેટરોથી માંડીને ધારાસભ્યો સુધીના ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ આ જવાબદારી ઊઠાવવી પડશે.
છેલ્લે... આપણાં હાલારના ગૌરવ અને માત્ર ઔદ્યોગિક નહીં, પણ સામાજિક-સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર રહેલા રઘુવંશી સમાજના શ્રેષ્ઠી એવા આપણા પરિમલભાઈ ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યા છે અને ઝારખંડ વિધાનસભામાંથી ચૂંટણી લડીને પુનઃ સાંસદ બન્યા છે, તેને સમગ્ર હાલાર અને સમાજ તરફથી હાર્દિક અભિનંદન પાઠવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજના ઈન્ટરનેટ યુગમાં 'ડિજિટલ'નો દબદબો જોવા મળી રહ્યો છે. આજે ભારત જેવા બહુવર્ગીય દેશમાં શાકભાજી કે રિક્ષાભાડું પણ 'ડિજિટલ' ટેકનોલોજીના માધ્યમથી ચૂકવાય છે અને મોટા-મોટા વ્યાપાર-વ્યવસાયોના જંગી પેમેન્ટ પણ ડિજિટલી થાય છે. હવે તો 'ડિજિટલ' ટેકનોલોજીનો દબદબો એટલો વધ્યો છે કે, આંતરરાષ્ટ્રીય કરારો પણ ડિજિટલી થવા લાગ્યા છે, અને વિવિધ દેશોના સામૂહિક પ્રસ્તાવો ય ડિજિટલી રજૂ થવા લાગ્યા છે.
તાજેતરમાં જ ભારતે સ્લોવાકિયા સાથે ડિજિટલ ટેકનોલોજીના ઉપામાંગનો વ્યાપ વધારવા મહત્ત્વપૂર્ણ ડિજિટલ એમ.ઓ.યુ. કર્યા છે. તે પહેલા દ. કોરિયા સાથે પણ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિઓને સાંકળવા અને વ્યાપ વધારવાના એમ.ઓ.યુ. થયા હતાં. તે ઉપરાંત દેશમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી ઈઆર નેટ અને સેમી-કન્ડક્ટર લેબોરેટરી જેવા સંગઠનો સાથે ડિજિટલ એમ.ઓ.યુ. થયા છે.
આ પ્રકારની સમજુતિઓ, કરારો અથવા તો મેમોરેન્ડમ (ઈરાદાપત્રો) માં ઈલેક્ટ્રોનિક ઢબે હસ્તાક્ષર થતા હોય છે, જે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેને જુદા જુદા દેશોએ વૈધાનિક માન્યતા આપેલી હોય છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર (સહી) એ આઈ.ટી. એક્ટ-ર૦૦૦ હેઠળ માન્યતા મળી છે. તે ઉપરાંત ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડિયા સ્ટેકને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારવા માટે ર૩ દેશો સાથે સમજુતિઓ કરી છે. આ જ રીતે દુનિયાના દેશોને ડિજિટલ ટેકનોલોજી માટે પરસ્પર સમજુતિઓ કરી છે.
આ પ્રકારના એક ડિજિટલ એમ.ઓ.યુ. ગઈકાલે અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓ દ્વારા થયા છે, જેમાં ૧૪ મુદ્દા પર અમેરિકા-ઈરાન સહમત થયા છે, તથા યુદ્ધ બંધ કરીને ૬૦ દિવસમાં અંતિમ શાંતિ સમજુતિ કરવાનો નિર્ધાર વ્યક્ત થયો છે.
ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો જી-સેવનની બેઠકમાં હતાં અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષિય વાતચીત અને પત્રકાર પરિષદ યોજાઈ, તેને લઈને આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બીજી તરફ પહેલા નિર્ધારિત કર્યા મુજબ રૂબરૂમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ઈરાનના સર્વોચ્ચ નેતાઓ જે એમ.ઓ.યુ.માં સહી કરવાના હતા, તેના બદલે બન્ને દેશો (અમેરિકા અને ઈરાન) ના રાષ્ટ્રપતિઓ દ્વારા શાંતિ સમજુતિ પર 'ડિજિટલ' હસ્તાક્ષર કરાયા છે, જેને વૈધાનિક માન્યતા મળેલી છે. આ હસ્તાક્ષર થયા પછી બન્ને દેશો તેનો અમલ કરવા બંધાયેલા છે, અને એક પણ પક્ષ (દેશ) તેનો ભંગ કરે તો આ એમઓયુ ખતરામાં પડી શકે છે.
જો કે, ટ્રમ્પ બોલે કાંઈક, કરે કાંઈક અને વિચારે કાંઈક જુદુ, તેથી જે એમઓયુ થયા છે, તેને જ આંતરરાષ્ટ્રીય ધરાધોરણો મુજબ માન્ય ગણવા પડે, પરંતુ ગઈકાલે ટ્રમ્પે ફરીથી કહ્યું કે ઈરાન સમજુતિનું પાલન નહીં કરે અથવા ચાલાકી કરશે તો અમેરિકા ફરીથી બોમ્બ વરસાવશે. બીજી તરફ ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટ ૬૦ દિવસ માટે ખોલ્યું હોવાની વાતો વહેતી કરી, તે પછી એવી આશંકાઓ ઊઠી રહી છે કે આ 'ડિજિટલ' એમ.ઓ.યુ.નું 'અસ્સલ' અમલીકરણ થશે ખરૂ?
આ અંગે વિરોધાભાસી પ્રત્યાઘાતો અને મંતવ્યો સામે આવી રહ્યા છે. જે મુદ્દાઓ પર સહમતી થઈ છે અને હવે પછી જે મુદ્દા ચર્ચાવાના છે, તેમાં તો બહું વાંધો નહીં આવે, પરંતુ ઈઝરાયલ સખણું નહીં રહે અને હીઝબુલ્લાના બહાને લેબેનોન પર કે હમાસ પર હુમલાના નામે ગાઝા પર હુમલા કરશે, તો અવરોધ પણ આવી શકે છે, તેવું ઘણાં વશ્વિક વિશ્લેષકો કહે છે. બીજી તરફ વૈશ્વિક પ્રવાહો, યુદ્ધો અને પશ્ચિમ-મધ્યમ પૂર્વમાં ચાલતા ડિપ્લોમેટિક પ્રવાહોના જાણકારો સહિત મોટાભાગના વિશ્લષકો અવું માને છે કે ઈઝરાયલ અમેરિકાનું હકીકતે નહીં માને તો ટ્રમ્પ તેને અલગ પાડી દેશે અને સહયોગ પણ નહીં આપે, પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે હવે ફરીથી પૂર્ણ કક્ષાનું યુદ્ધ થવાની શક્યતાઓ નહીંવત્ છે.
નેતન્યાહૂને ઘરઆંગણે આવી રહેલી ચૂંટણીઓમાં પરાજય કે ખુરસી ગુમાવવાનો ભય રહે છે, તેથી ઈઝરાયલની વાયડાઈ અથવા અમેરિકા-ઈઝરાયલની ગુપ્ત મીલીભગતના કારણે જો ઈઝરાયલના હુમલા ચાલુ રહે, અને ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો કરે તો તેવા સંજોગોમાં આ હંગામી એમ.ઓ.યુ. નિષ્ફળ જાય તેમ છે. બીજી તરફ અમેરિકાની મિલીભગત નહીં હોય તો ઈરાન-ઈઝરાયલના સંભવિત ભાવિ સંઘર્ષમાં હવે અમેરિકા હસ્તક્ષેપ નહીં કરે અને મદદ નહીં કરે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. આ 'ઈફ એન્ડ બટ'ની શક્યતાઓ વચ્ચે અત્યારે તો યુદ્ધ બંધ થયું અને એક-બે દિવસમાં હોર્મુઝ સંપૂર્ણપણે ખુલી જશે, તેને જ આ એમ.ઓ.યુ.ની ફલશ્રૂતિ ગણવી પડે તેમ છે.
ભારતે પણ ટ્રમ્પની ડબલ ઢોલકી વગાડવા તથા 'મૂખ મેં રામ, બગલ મેં છૂરા'ની કહેવત મુજબ બેવડા ધોરણ અપનાવવાની મનોવૃત્તિને પારખીને માત્ર ને માત્ર ભારતના હિતો તથા ભારતીય સુરક્ષાને કેન્દ્રમાં રાખીને જ કદમ ઊઠાવવા પડે અને રણનીતિ અપનાવવી પડે તેમ છે, કારણ કે ટ્રમ્પનો ભરોસો તો તેના ઘનિષ્ઠ મિત્રદેશો પણ કરે તેમ નથી. આ પ્રકારની દ્વિપક્ષિય વાટાઘાટોમાં કોઈ દેશ કે તેના વડાની વ્યક્તિગત પ્રશંસા થાય, તેથી ફૂલાઈ જવાના બદલે મિત્રદેશ તરીકે ભારતની પડખે હોવાનો દાવો કરતા અન્ય દેશની મનોવૃત્તિ પારખવી પડે તેમ છે, અને તેમાં ભારત પારંગત છે. ટ્રમ્પે મીઠી-મીઠી વાતો કરી, તે જ સમયે 'ઈન્ડો-પેસિફિક' એપમાંથી 'ઈન્ડો' કાઢી નાંખવું, તે કદમ ઘણું જ સૂચક છે, તેથી સાવધાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં એક તરફ વડાપ્રધાનના ૧ર વર્ષના શાસનકાળના સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણીઓ થઈ રહી છે, તે બીજી તરફ શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ થઈ રહી છે. આ ઝાકઝમાળ વચ્ચે રાજ્યમાં વિવિધ મુદ્દે આંદોલનોની મોસમ પણ ચાલી રહી હોય તેમ જણાય છે. મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની વીજલાઈનો માટે ખેડૂતોના ખેતરોમાં ઊભા કરાતા હાઈવોલ્ટેજ વીજસ્તંભોની સામે આક્રોશ જાગ્યો છે, તો ખેડૂતોના વિવિધ પ્રશ્નોને સાંકળીને કોંગ્રેસેે તાજેતરમાં જ અમદાવાદથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેને ગાંધીનગર જવા દેવામાં આવી નહોતી, અને ઓગણ જ પાસે જ અટકાવી દેવામાં આવી હતી. આ કારણે રાજ્યમાં ખેડૂતવર્ગ રાજ્ય સરકારથી નારાજ હોવાનો વિપક્ષનો દાવો ચર્ચાના કેન્દ્રમાં છે.
રાજ્યમાં વર્ષ ર૦૦૩ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથનો પ્રારંભ થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીક નરેન્દ્રભાઈએ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના નાના નાના ગામડાઓમાં જઈને એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય, તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી, અને કન્યાઓની કેળવણીને પ્રોત્સાહિત કરવાનું અભિયાન પણ આદર્યું હતું. તે સમયે જે જુસ્સો, સંવેદનશીલતા અને સમયબદ્ધતા જોવા મળી હતી, તેવી હવે કદાચ રહીં નથી. બીજી તરફ શાળા પ્રવેશોત્સવને 'તાયફો' ગણાવતા વિપક્ષી નેતાઓ ઘણી વખત વ્યંગાત્મક આલોચનાઓ પણ કરતા હોય છે. આ મહોત્સવ દરમિયાન એક તરફ શિક્ષકો (ગુરુજનો) ની અગત્યતા સમજાવીને આદર-સન્માન અપાતું હોય છે, પરંતુ બીજી તરફ અત્યારે રાજ્યના અનુભવી અને વયસ્ક-વરિષ્ઠ શિક્ષકોનો એક વર્ગ ઘણો જ નારાજ છે, અને ખેડૂતો પછી હવે એ આદરણીય ગુરુજનો પણ રાજ્ય સરકાર સામે આંદોલન આદરવાના છે.
અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે અને મહત્તમ તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે, ત્યારે શાળા-પ્રવેશોત્સવો દરમિયાન બાળકોના આરોગ્ય અને પાણી-છાંયડા-પરિવહન માટે વિશેષ કાળજી રખાય, તે જરૂરી છે. વલસાડના મલાવ ગામમાં વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન બે બાળકો ચક્કર ખાઈને પડી ગયા પછી પણ પૂરતી રાળજી નહીં લેવાઈ હોવાની તથા ળાળકોને જે ઘેટાં-બકરાની જેમ લવાયા હોવાની જે ફરિયાદ ઊઠી છે, તેના જેવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય ઘટના શાળ-પ્રવેશોત્સવો દરમિયાન માત્ર જામનગર કે હાલાર જ નહીં, સમગ્ર રાજ્યમાં ન બને, તે માટે સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીમંડળે ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ કાર્યક્રમોમાં રાજ્યના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સાથે મંત્રીઓ-મહાનુભાવો પણ જોડાવાના છે. જો આ પ્રકારની કોઈ ઘટના બનશે, તો તેનું લાંછન ત્યાં ઉપસ્થિત મહાનુભાવોને પણ લાગશે, તેથી વિશેષ સાવધાની જરૂરી છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના શિક્ષણ ક્ષેત્રના કેટલાક સંગઠનોએ આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ત્રણ દિવસ સુધી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે, અને જામનગર સહિત તા. ૧૭ થી ર૦ જૂન સુધી જે મુદ્દે વિરોધ-પ્રદર્શનો આદર્યા છે, અને આવેદનપત્રો અપાઈ રહ્યા છે, તે મુદ્દો પણ ગુરુજનો (શિક્ષકો) ના આત્મ સન્માન અને કારકિર્દી સાથે સંકળાયેલો છે. કદાચ આ આંદોલનની સંભાવનાઓને ધ્યાને લઈને જ શિક્ષણ વિભાગે શાળા-પ્રવેશોત્સવની તારીખો બદલી નાંખી હશે!
બીજી તરફ ટેટ પરીક્ષા પાસ કરવાના મુદ્દે વર્ષ ર૦૧૦ પહેલા નિયુક્ત થયેલા હજારો વરિષ્ઠ શિક્ષકોમાં આક્રોશ છે, એવી રજૂઆત કરવામાં આવી રહી છે કે ટેટનો નિયમ વર્ષ ર૦૧૦ માં આવ્યો, પરંતુ તે પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને પણ ટેટની પરીક્ષા પાસ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની રાવ સાથે એ અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોય તો તે યોગ્ય નથી.
રાજકોટના પ્રા. શિક્ષક સંઘે તો કેન્દ્રિય શિક્ષણ મંત્રીને પત્ર લખીે આ મુદ્દે તત્કાળ હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે, અને સુપ્રિમ કોર્ટના આદેશના સંદર્ભે એક્સન લેવાય તો સંખ્યાંબધ શિક્ષકોની નોકરી પર સંકટ આવશે, જેથી તેની ડાયરેક્ટ અસરો શિક્ષણ કાર્ય ઉપર પણ પડશે, જેથી બાળકોનું હિત જોખમાશે, તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હકીકતે સુપ્રિમ કોર્ટના એક ચૂકાદા પછી શિક્ષકોને ટેટની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરાયું છે, અનેે તે માટે ૩૧ મી ઓગસ્ટ ર૦ર૮ સુધીની મુદ્ત અપાઈ છે. ટેટની પરીક્ષાઓ લેવાય છે અને તેની લાયકાત હોય તો જ નોકરીમાં ચાલુ રહી શકાય, કે પ્રમોશનને પાત્ર બની શકાય, તેવો નિર્ણય થયા પછી દાયકાઓ પહેલા જે શિક્ષકો નોકરીમાં જોડાયા હતાં, અને તે સમયની લાયકાત પૂરવાર કરી હતી, તેઓને શિક્ષણ અધિકાર અધિનિયમ ર૦૦૯ હેઠળ ફરીથી નવી લાયકાત મેળવવા પરીક્ષા આપવી પડે, તે અન્યાયકર્તા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષકોએ જુના શિક્ષકો માટે પણ 'ટેટ' ફરજિયાત કરાવવાના મુદ્દે પુનઃ વિચાર કરીને કોઈ રસ્તો કાઢવા રજૂઆત કરી છે. આ માટે રાજ્ય સરકારો અને હિતધારકો, શિક્ષક સંઘો અને સંગઠનો તથા શિક્ષણ અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને ઉકેલ લાવવો જરૂરી છે. સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ શિક્ષકની નોકરી જોખમાય નહીં અને પ્રમોશનો અટકે નહીં.
આ નિયમો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાથી લાંબા સમયથી સેવારત શિક્ષકોને માટે ટેટના વિકલ્પે બીજી કોઈ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી જરૂરી છે. પુરસ્કારો, એવોર્ડ કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મેળવેલા વયસ્ક અને વરિષ્ઠ અનુભવી શિક્ષકોની સેવાઓની સુરક્ષા માટે નીતિગત તથા કાનૂની પગલાં પણ જરૂર પડ્યે લેવા પડે, તો લેવા જોઈએ. આ માટે કોઈને કોઈ વચલો રસ્તો કાઢવા કેન્દ્રિય શિક્ષણ વિભાગ સુધી થયેલી રજૂઆતો છતાં કોઈ રિસ્પોન્સ નહીં મળે તો આ આંદોલન વધુ ગતિ પકડશે, તેવા સંકેતો છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય, તેની સાથે સાથે કોઈપણ વરિષ્ઠ, વયષ્ક, અનુભવી શ્રેષ્ઠ શિક્ષકની નોકરી છીનવાઈ ન જાય, તેવા સંનિષ્ઠ સરકારી પ્રયાસો પણ અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતિ થઈ ગઈ અને શુક્રવારે હસ્તાક્ષર થવાના છે, તેથી ઈંધણની અછતની સંભવિત સ્થિતિ દૂર થઈ ગઈ છે. હજુ હોર્મુઝ સ્ટ્રેટ વાસ્તવમાં ખુલી જાય અને ઈઝરાયલ દ્વારા લેબનોન સ્થિત હીઝબુલ્લા પર થતા હૂમલા બંધ થઈ જાય, અથવા અમેરિકા-ઈરાન સમજૂતિમાં ત્યાંનો મુદ્દો સામેલ નહીં હોવાથી તેને અવગણવામાં આવે, તો જ બે મહિના માટે થયેલી કામચલાઉ સમજૂતિ કાયમી બની શકે છે. હવે તો માત્ર ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે, તેવી બાહેંધરીથી જ ચલાવી લેવું પડશે, અને યુરેનિયમનો જથ્થો કબજે કરવા તથા ઈરાનમાં પોતાની કઠપૂતળી સરકાર રચવાના ટ્રમ્પના ઓરતાં અધૂરા જ રહી જશે, તેમ જણાય છે.
આ સમજૂતિના જાહેર થયેલા ૧૪ મુદ્દા જોતાં તો ઈરાનનો હાથ ઊંચો રહ્યો હોય તેવું લાગે છે. ઈરાનને યુદ્ધમાં થયેલા નુકસાન સામે વળતર અથવા મદદ, સીઝ કરેલા ફંડ પૈકી અડધું તરત જ રિલીઝ કરવું, અમેરિકી નાકાબંધી હટાવવી, ઈરાન સામેના તમામ પ્રતિબંધો હટાવવા, સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ નહીં, ૩૦૦ અબજ ડોલરનો ઈરાનમાં રિકન્સ્ટ્રકશનનો પ્લાન વગેરે ઉપરાંત ઈરાને બાકીના મુદ્દે વાટાઘાટો શરૂ કરવા માટે પણ જે ત્રણ શરતો રાખી છે, તે જોતાં ઈરાનનું પલડું ભારે રહ્યું છે, અને ટ્રમ્પે ઈરાનના તેલક્ષેત્રો હડપ કરી લેવા અથવા ત્યાં પાકિસ્તાન જેવા જીહજુરિયા શાસકોને બેસાડીને પરોક્ષ રીતે વેનેઝુએલા ફેઈમ પોતાની હકુમત ચલાવવાના જે સપનાં જોયા હતા, તેનાથી તદૃન વિપરીત અંજામ આવ્યો છે. એવું કહી શકાય કે ઈઝરાયલ-ઈરાનના યુદ્ધને હાઈજેક કરીને અમેરિકાએ પોતાના શિરે લઈ લીધું તે બૂમરેંગ પૂરવાર થયું છે. ફૂટબોલની ભાષામાં એવું કહી શકાય કે આ કદમ લઈને અમેરિકાએ સેલ્ફગોલ કરી લીધો છે એટલે કે વિરોધી ટીમના બદલે પોતાને જ નુકસાન કરી દીધુ છે. ક્રિકેટની ભાષામાં કહી શકાય કે પ્રારંભમાં ઈરાનની અગ્રીમ હરોળના નેતાઓ અને સૈન્ય અધિકારીઓને મારી નાંખીને ફટકાબાજી પછી ટ્રમ્પ પછીથી હિટવિકેટ થઈ ગયા છે અને તેની ટીમ પણ હારી ગઈ છે.
બીજી તરફ ઈરાનને પણ આ યુદ્ધમાં ઘણું નુકસાન થયું છે. હવે ઈરાનના રિકન્સ્ટ્રકશન માટેની પ્રક્રિયા કાંઈ રાતોરાત થઈ જવાની નથી અને હજુ તો અંતિમ શાંતિ સમજૂતિ ૬૦ દિવસ પછી થવાની છે, ત્યારે અત્યારે ઈરાનને બેઠું કરીને અમેરિકાની સેનાએ કરેલા જંગી નુકસાન પછી પુનઃ ધમધમતુ કરવામાં વર્ષો લાગી જવાના છે. બીજી તરફ ઈરાને અમેરિકાના લશ્કરી મથકો પર આક્રમણ કરવા માટે પોતાની આજુબાજુના મુસ્લિમ દેશોમાં પણ હૂમલા કરવા પડયા, તેથી પડોશી દેશો સાથે વધુ વણસેલા સંબંધો પુનઃ ઠીક કરવામાં વાર લાગશે, એટલું જ નહીં, ક્ષેત્રિય અસહયોગનો સામનો પણ ઈરાનને કરવો પડશે, આમ છતાં, ઈરાને અમેરિકા સામે બાથ ભીડીને મહાસત્તાની હવા કાઢી નાંખી છે, તે પ્રકારનું ગૌરવ ઈરાન લઈ શકે છે. જો કે, આને ટ્રમ્પે ચોખવટ કરી છે કે અમેરિકા ૩૦૦ મિલિયન ડોલરનું વળતર આપશે, તે ફેક ન્યૂઝ છે અને ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા સંમત થયું જ છે. અંતિમ સમજૂતિ હજુ બાકી છે.
ઈરાનમાં પણ આ શાંતિ સમજૂતિ સામે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા વર્તુળો અને જૂથો ઉપરાંત આમજનતા પણ નારાજ છે અને ઈરાનમાં ઠેર-ઠેર લોકો પ્રવર્તમાન શાસકો સામે સડકો પર ઉતર્યા છે, તેથી આ ચળવળ જો લાંબી ચાલશે, તો ઈરાનને થાળે પડવામાં મોટી અડચણ ઊભી થવાની છે. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિએ તો તાજેતરમાં રાજીનામાની પેશકશ કરી હતી, તથા ઈરાનની સેના ત્યાંની સરકારના કંટ્રોલમાં નહીં હોવાની જે સ્થિતિ ઊભી થઈ હતી, તે જોતાં ત્યાંની સેના અને સરકાર વચ્ચે તાલમેલ બેસાડવાનો પડકાર પણ ઈરાન સામે રહેશે.
આ બધા તથ્યો અને સંભાવનાઓ જોતા હજુ અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં કોણ જીત્યુ કે કોણ હાર્યુ, તે નકકી થઈ શકે તેમ નથી. હકીકતે આ યુદ્ધમાં કોઈ જીત્યું નથી, પરંતુ બંને દેશો હાર્યા છે, પરંતુ નેતન્યાહુનો હાથ ઊંચો રહ્યો છે, અને ઈરાન-અમેરિકાની શાંતિ સમજૂતિમાંથી ઈઝરાયલને અલગ રાખીને નેતન્યાહુએ છેલ્લા બોલે સિક્સર મારી દીધી હોય, તેમ જણાય છે. તેથી અત્યારે તો આ સમજૂતિ ફ્રી પબ્લિક એન્ટરટેઈનમેન્ટ જેવી છાપ ઊભી કરી રહી છે.
હવે આજે ટ્રમ્પ-મોદીની સંભવિત મુલાકાતની ચર્ચા વચ્ચે દેશમાં મોદી સરકારની વિદેશનીતિ પર વિપક્ષો પ્રહારો કરી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે કોંગ્રેસની કિસાન-ટ્રેકટર રેલીને અટકાવી દેવાના મુદ્દે પણ રાજકારણ ગરમાયુ છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ સહિતના હાલારના નેતાઓ પણ એ રેલીમાં જોડાયા હોવાથી હાલારમાં પણ તેના પડઘા પડ્યા છે. કેટલાક વિશ્લેષકોના મંતવ્યો એવા છે કે ખેડૂતોના મુદ્દે કદાચ રાજ્ય સરકાર સેલ્ફ ગોલ કરી રહી છે. બીજી તરફ કથિત રીતે ઉચ્ચારાયેલા "જંત્રુ-બંત્રુ" જેવા શબ્દ પ્રયોગોની થઈ રહેલી ટીકા પણ "હિટ વિકેટ" જેવી જ છે.
એવું નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ સેલ્ફ ગોલ કરે કે હિટ વિકેટ થાય, તેવા કદમ ઉઠાવે છે, પરંતુ આપણાં દેશમાં કેન્દ્ર-રાજય સરકારો દ્વારા લેવાતા કેટલાક નિર્ણયો પણ ઘણી વખત એવા જ હોય છે.
હમણાંથી ઉજવણીઓનો સીલસીલો ચાલી રહ્યો છે અને ગામડાઓ અને શહેરોમાં ઠેર-ઠેર વિવિધ પ્રકારની ઉજવણીઓ ચાલી રહી છે. આ પ્રકારના કાર્યક્રમો દરમ્યાન પણ ઘણી વખત સેલ્ફ ગોલ કે હિટ વિકેટ જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. જામનગરમાં પણ એક ઓડિટોરિયમમાં યોજાયેલા એક સંમેલનમાં જામ્યુકોના નવા પદાધિકારીઓની બેઠક વ્યવસ્થામાં ગરબડ થઈ ગઈ અને તે પછી જે કાંઈ બન્યુ, તે રમુજ સાથે અચંબો ઊભો કરનારૂ હોવાની ચર્ચા થઈ રહી છે. આ સંમેલનનું આયોજન કરનારા લોકો માટે આ સંમેલન જ સેલ્ફ ગોલ અથવા હિટ વિકેટ જેવું પૂરવાર થયું હશે. જો કે, પછીથી ડેમેજ કંટ્રોલના સફળ પ્રયાસોથયા, પરંતુ કેમેરાની આંખે ચડેલા આ દૃશ્યોએ તો "ટોક ઓફ ધ ટાઉન" બની જ ગયા હશે ને ? ફ્રી પબ્લિક એન્ટરટેઈનમેન્ટ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આખી દુનિયા જેની અત્યંત આતૂરતાથી રાહ જોઈ રહી હતી, તે સમાચાર આજે આવ્યા છે અને ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ સમજુતિનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તથા ઈરાનના રાષ્ટ્રપતિ અને સંસદના અધ્યક્ષ આવતા ટૂંક સમયમાં જીનીવામાં હસ્તાક્ષર કરશે, તેવા અહેવાલોએ વિશ્વ સમુદાયમાં નવો આશાવાદ જગાવ્યો છે. અવાર-નવાર 'ડીલ' ફાયનલ થઈ હોવાના અહેવાલો પછી ક્યાંક ને ક્યાંક અવરોધ આવતો હતો તેથી સમજુતી અટકી જતી હતી, તેથી સવાલ એ ઊઠી રહ્યો છે કે જે સમયમર્યાદા નક્કી થઈ છે, તે દરમિયાન ઈઝરાયલના હુમલાઓ કે અન્ય કારણે કોઈ અવરોધ તો નહીં આવે ને? અંતે ફાયનલ થયેલી આ ડીલ ક્યાંક તૂટી નહીં જાય ને? આ ડીલ સફળ થાય તો તેનો શ્રેય કોને જશે? બન્ને પક્ષો વિજયનો દાવો કરશે, પણ હકીકતમાં કૌન જીતા... કૌન હારા?
એવા અહેવાલો છે કે આ સમજુતિ મુજબ અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશો તથા સંલગ્ન પ્રોડક્ટ્સ પર લાદેલા તમામ પ્રતિબંધો હટી જશે. ઈરાનને નાણાકીય સંસાધનોનો એક્સેસ પાછો મળશે. આગામી બે મહિના (૬૦ દિવસ) સુધી અમેરિકાએ ઈરાનના ર૪ અબજ ડોલર મુક્ત કરવા અંગે વાટાઘાટો થશે, પરંતુ તે પહેલા જ ૧ર અબજ ડોલર રીલીઝ કરી દેવાશે. અમેરિકા અને તેના સાથીદાર દેશો યુદ્ધથી ઈરાનને થયેલું નુક્સાન ભરપાઈ કરવા માટે અંદાજે ૩૦૦ અબજ ડોલરની યોજનાઓ બનાવશે. અત્યારે લેબેનોન સહિત તમામ મોરચે તત્કાળ યુદ્ધવિરામ થશે. અમેરિકા તેની નાકાબંધી હટાવી લેશે. ઈરાનની આંતરિક બાબતોમાં કોઈ બહારનો દેશ (અમેરિકા) હસ્તક્ષેપ નહીં કરે. અમેરિકાનું સૈન્ય પાછું ખેંચાશે.
સૌથી મોટા સમાચાર એ છે કે કોમર્શિયલ દરિયાઈ પરિવહન માટે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલી નંખાશે, અને ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવાનું વચન દોહરાવશે. આગામી બે મહિના સુધી વાટાઘાટો થાય, ત્યાં સુધી અમેરિકા કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે કે મિડલ ઈસ્ટમાં સૈન્ય તાકાત નહીં વધારે. આ માટે યુનોની સુરક્ષા પરિષદ આખરી કરારને મંજુરી આપશે. આ સમજુતિ પર દેખરેખ રાખવા યુએનએસસી દ્વારા વિશેષ પ્રબન્ધો કરાશે અને મોનિટરીંગ સિસ્ટમ અમલી બનાવાશે.
સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ પણ છે કે ઈરાનનો મિસાઈલ આ ડીલનો ભાગ નહીં હોય, બીજી તરફ અમેરિકા અને ઈરાને બન્નેએ પોતાનો વિજય થયો હોવાનો દાવો કર્યો છે. ઈરાને અમેરિકા સામે પોતાની જીત થઈ હોવાનો દાવો કર્યો તેની સામે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પણ અમેરિકાનો વિજય થયો હોવાનું જણાવી કહ્યું કે, ઈરાન હવે યુરેનિયમ નહીં રાખી શકે. આમ વિરોધાભાસી અહેવાલો છતાં આખરે આ સમજુતિ થઈ જ જશે, અને હસ્તાક્ષર પણ થઈ જશે, તેવું સ્પષ્ટ જણાય છે, જો કે તે પછી શું થશે, તેની અટકળો થઈ રહી છે, પરંતુ હોર્મુઝ ખુલી જતા ભારત સહિતના દુનિયાના ઘણાં દેશોને રાહત થશે. બીજી તરફ અમેરિકાએ યુદ્ધ સમયે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની આપેલી છૂટ પાછી ખેંચાઈ જશે, તો ભારત સહિતના રશિયાના મિત્રદેશો માટે ઉલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ સર્જાશે.
ઈઝરાયલ દ્વારા લેબેનોન પર થતા હુમલા અટકાવવા ટ્રમ્પે ધમકાવ્યા પછી પણ નેતન્યાહૂ દ્વારા હુમલા ચાલુ રખાતા એક અનિશ્ચિતા ઊભી થઈ છે, પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે સમજુતિ પર હસ્તાક્ષર પછી કદાચ આગામી ૬૦ દિવસ સુધી નેતન્યાહૂ લેબેનોન પર હુમલા ન કરે, પરંતુ હિઝબુલ્લા પર આક્રમણના નામે તંગદિલી ચાલુ રહે કે પછી હમાસ પર હુમલા કરે, તેવી પ્રબળ શક્યતાઓ છે, કારણ કે યુદ્ધ સમાપ્ત થઈ તો ઘરઆંગણાની રાજનીતિને કારણે નેતન્યાહુને સત્તાનું સિંહાસન ગુમાવવું પડે તેમ હોવાથી તેઓ કોઈને કોઈ દિશામાં યુદ્ધ જેવી સ્થિતિ ચાલુ જ રાખશે, અને તેની અસરો ઈરાન-અમેરિકાની સમજુતિ પર પડી શકે છે. ટ્રમ્પ એક તરફ નેતન્યાહુને તતડાવે, બૈરૂત પર હુમલાઓને વખોડે, અને લેબેનોન સાથે શાંતિ સમજુતિ કરવા છતાં હિઝબુલ્લા-હમાસ પર હુમલાઓના નામે નેતન્યાહુ હુમલા ચાલુ રાખે, તેથી કોઈ ચતૂરાઈપૂર્વકની બેવડી ચાલ ઈઝરાયલ-અમેરિકા સાથે મળીને ચાલી રહ્યા હોય, તેવી આશંકા પણ ખોટી નથી.
બીજી તરફ હવે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનું દબાણ વધશે. આખી દુનિયા આ યુદ્ધ પણ સમાપ્ત થાય તેવું ઈચ્છશે, કારણ કે આ બહાને અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે તો ફરીથી નવું ક્રાઈસીસ શરૂ થશે.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામને યુરોપના દેશો, કતાર સહિતના ખાડીના દેશો તથા પાકિસ્તાન સહિતના એશિયાના કેટલાક દેશોએ તરત જ આવકાર આપ્યો છે, પરંતુ રશિયા અને ચીનની પ્રારંભિક ચૂપકીદી પણ ઘણી જ સૂચક છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિના વિશ્લેષકોના પ્રારંભિક પ્રત્યાઘાતોનું તારણ કાઢીએ, તો હકીકતે અમેરિકાને આ સમજુતિ કરવી પડી, તે સ્થિતિ દુનિયાની મહાસત્તા ગણાવતા અમેરિકા અને તેના તુંડમિજાજી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે જબરો ફટકો પડ્યો છે. અમેરિકાને ખાડીના દેશોમાં 'રક્ષક' માનતા દેશો હવે સમજી ગયા છે કે અમેરિકાની કઈ કઈ નબળાઈઓ અને મર્યાદાઓ છે, તો બીજી તરફ ખાડીના દેશો-મીડલ ઈસ્ટમાં હવે ઈરાનનું વર્ચસ્વ વધશે, કારણ કે આ યુદ્ધ શરૂ કર્યું, ત્યારે અમેરિકાને ઈરાક અને વેનેઝુએલાની જેમ જ ઈરાનને 'હસ્તગત' કરવાનો મનસુબો હતો, પરંતુ સ્થિતિ તેનાથી વિપરીત થઈ અને ખાડીના દેશોમાં સ્થાપિત અમેરિકાના સૈન્ય મથકો ઈરાને તબાહ કરી નાંખ્યા. આ યુદ્ધે દુનિયાને એ પણ સમજાવ્યું છે કે માત્ર સમૃદ્ધ હોવાથી કે સૈન્ય શક્તિ સર્વાધિક હોવાથી જ યુદ્ધો જીતી શકાતા નથી, પરંતુ ભૌગોલિક, સામરિક અને વ્યૂહાત્મક વાસ્તવિક્તાઓ પણ લક્ષ્યમાં લેવી પડતી હોય છે. યુદ્ધમાં તુમાખી કે તનાશાહી ચાલતી નથી.
હજુ આ સમજુતિની જાહેરાત જ થઈ છે, ત્યાં ક્રૂડના ભાવમાં કડાકો બોલ્યો અને ગ્લોબલ માર્કેટ્સ પર જે પોઝિટિવ પ્રભાવ પપડ્યો તે નોંધનિય છે. આ સમજુતિથી એ પણ પ્રતિપાદિત થયું છે કે અમેરિકાથી દબાવાની જરૂર નથી. રાહુલ ગાંધીની ભાષામાં કહીએ તો 'અમેરિકાના આજ્ઞાંકિત બનીને હા...જી... કરવાની જરૂર નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત હાલારમાં જુલાઈ સુધી પીવાના પાણીનો પુરવઠો જળવાઈ રહેશે અને તે દરમ્યાન ચોમાસુ બેસી ગયા પછી વાવણીલાયક વરસાદ પણ થઈ જશે, તેવા આશાવાદ વચ્ચે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો, આગાહીઓ તથા સંભાવનાઓ જોતા આવતુ વર્ષ પડકારરૂપ રહેવાના સંકેતો પણ મળી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને સુપર અલનીનોની દશેહત અકળાવી રહી છે, અને આ અંગે જે અનુમાનો તથા આશંકાઓ પ્રેસ-મીડિયા અને હવામાન નિષ્ણાતો તથા વિવિધ ખાનગી એજન્સીઓ દ્વારા વ્યક્ત થતી હતી, તેનું હવે કન્ફર્મેશન થઈ ગયું છે, અને હવે સત્તાવાર રીતે જાહેર કરાયુ છે કે પેસિફિકના પાણી ગરમ થતા સર્જાયેલા સુપર અલનીનોની માઠી અસર ભારત સહિતના દેશોને થવાની છે.
નેશનલ ઓસિયેનિક એન્ડ એસ્મોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) નામની અમેરિકાની સાયન્ટિફિક અને રેગ્યુલેટરી ઓથોરિટીના રિપોર્ટ મુજબ પ્રશાંત મહાસાગરમાં અસાધારણ રીતે તાપમાન વધવા લાગતા અલનીનોની અધિકૃત શરૂઆત થઈ ચૂકી છે, અને તે વર્ષ-૨૦૨૬માં (ચાલુ વર્ષે જ) સુપર અલનીનોમાં બદલવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ કારણે ભારત સહિત દુનિયાભરમાં ભીષણ ગરમી અને નબળા ચોમાસાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ ઉપરાંત વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(ડબલ્યુ.એમ.ઓ.)ના જુદા જુદા રિપોર્ટો પણ જણાવે છે કે પૂર્વ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઝડપભેર વધી રહ્યું છે. આ વૃદ્ધિ બે અંશ સેન્ટિગ્રેડથી વધી શકે છે. જે સુપર અલનીનોની દસ્તક હશે. સુપર અલનીનોની આ બોર્ડર છે, જ્યાંથી મહા અલનીનોનો પ્રારંભ ગણાય છે. વર્ષ ૧૯૭૮માં જે રીતે વિશ્વભરમાં મહા અલનીનોએ દુષ્કાળ, જળસંકટ એન બેરોજગારીના કારણે હાહાકાર મચાવ્યો હતો, તેવી જ સ્થિતિ આ વર્ષે સર્જાઈ શકે છે. આ ઉપરાંત હીટવેવના કારણે પબ્લિક હેલ્થ પર પણ ગંભીર ખતરો ઊભો થઈ શકે છે.
જો કે, કેટલાક હવામાન ક્ષેત્રના સાયન્ટિસ્ટોએ પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડિપોલ્સ એટલેકે પોઝિટિવ આઈઓડીની આશા છે. આ સ્થિતિને ઈન્ડિયન અલનીનો પણ કહેવાય છે. આ સ્થિતિ ઊભી થાય તો સુપર અલનીનોનો પ્રભાવ કેટલાક અંશે ઘટી શકે છે.
એનઓઅએની આગાહી મુજબ વર્ષ ૨૦૨૬ના મે થી જુલાઈ વચ્ચે અલનીનો વિકસીત થવાની ૮૨ ટકા સંભાવના જણાવાઈ હતી, અને તેની શરૂઆત થઈ ગઈ હોવાના અહેવાલો પછી ભારત સહિત દુનિયાભરમાં આ અંગે ચિંતા જાગી છે. ભારત સરકાર દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય નીતિપંથની બેઠકમાં સ્વયં વડાપ્રધાને આ મુદ્દે વિશેષ ચિંતા વ્યકત કરીને કેટલાક દિશા-નિર્દેશો આપ્યા હોવાના અહેવાલો જોતા ભારતને પણ આ સુપર અલનીનોની માઠી અસર થવાની છે, ત્યારે જેટલો વરસાદ પડે, તેનું ટીપેટીપું સંગ્રહ કરીને તથા ખેતી, સિંચાઈ, પશુપાલન, પાણી પુરવઠો અને ખાદ્યાનને લઈને અત્યારથી જ ગામ, તાલુકા, જિલ્લા, રાજ્ય એન રાષ્ટ્રીય કક્ષા સુધીનું ફ્રેમવર્ક તૈયાર કરીને માઈક્રોપ્લાનીંગ કરવાની જરૂર છે.
એક તરફ ઈરાન-અમેરિકા, રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હીઝબુલ્લા/હમાસના યુદ્ધો તથા પાકિસ્તાનમાં આંતર ગૃહ યુદ્ધો અને અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે સરહદી છમકલાઓ ઉપરાંત આતંકી ઘટનાઓના કારણે દારૂગોળાના ઉપયોગથી પર્યાવરણ બદલી રહ્યું છે, અને કલાઈમેટ ચેઈન્જ થઈ રહ્યું છે, તેવામાં સુપર અલનીનોના કારણે ધરતી પર વિનાશ વેરાય અને સમગ્ર જીવસૃષ્ટિ પર ખતરો ઊભો થાય, તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. સુપર અલનીનોની અધિકૃત જાહેરાત પછી હવે દુનિયાના બધા દેશોએ યુદ્ધો અને દારૂગોળાનો અયોગ્ય ઉપયોગ થતો હોય તેવી તમામ પ્રવૃત્તિઓ તત્કાળ અટકાવી દેવી જોઈએ.
શાસ્ત્રોમાં પ્રલય (કયામત) જેવા ઉલ્લેખો છે, તેવી સ્થિતિ ઊભી થાય, તે પહેલા પૃથ્વીવાસીઓએ ચેતી જવાની જરૂર છે, કારણ કે સુપર અલનીનો કે કલાઈમેટ ચેઈન્જ કોઈ ચોક્કસ દેશ કે વૈશ્વિક જૂથ નહીં, પરંતુ આખી પૃથ્વી પર વસવાટ કરતી માનવી સહિતના જીવસૃષ્ટિને બરબાદ કરી શકે છે.
હમણાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા ખૂબ ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)ને એક અવસર તરીકે સ્વીકારવાની વાત કરે છે, અને આ અદ્યતન ટેકનોલોજીનો સહાયક તરીકે ઉપયોગ કરવાની સલાહો પણ કેટલાક બુદ્ધિજીવીઓ આપી રહ્યા છે, અને તેમાં વજુદ છે. પરંતુ પ્રવર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સંજોગો તથા ખાસ કરીને સુપર અલનીનોની આહટના સમયે એ.આઈ.નું વિસ્તરણ કદાચ દુષ્કાળમાં અધિક માસ જેવું બની રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ પણ રહે છે.
એવું કહેવાય છે કે એ.આઈ. ટેકનોલોજીમાં પુષ્કળ ઊર્જા અને પાણીની જરૂર પડતી હોય છે. અને જંગી પાણી પુરવઠાનો આ માટે અત્યારે જ ઉપયોગ થઈ રહ્યો હોવાના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ સુપર નીનોના કારણે ચોમાસુ નબળુ જતા પીવાના પાણીની પણ તીવ્ર તંગી ઊભી થવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે. આ સ્થિતિમાં જો લોકોને પાણીનું ટીપેટીપું બચાવવાની સલાહ આપીએ અને બીજી તરફ અદ્યતન ટેકનોલોજીમાં પાણીનો જંગી પુરવઠો વાપરીએ તો તે તર્ક સંગત પણ નથી અને નૈતિક પણ નથી. આ માટે દરિયાનું પાણી મીઠું કરીને વાપરવાની દલીલ થતી હોય છે, પરંતુ એવો સવાલ પણ ઊઠે છે કે એ જ ટેકનોલોજી વાપરીને દુષ્કાળ જેવા સંજોગોમાં લોકોની પીવાનું પાણી પ્રાયોરિટીમાં પૂરૃં પાડવું જોઈએ, કારણ કે લોકતંત્રનું હિત સર્વોપરિ ગણાય..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણો દેશ આઝાદ થયો, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને દેશના ર૦ થી વધુ રાજ્યોમાં પણ કોંગ્રેસનું જ શાસન હતું. તે સમયે વિપક્ષમાં મુખ્યત્વે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સામ્યવાદી), સોશ્યાલિસ્ટ પાર્ટી (સમાજવાદી), કિસાન મજદુર પ્રજા પાર્ટી, ભારતીય જનસંઘ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, શેડ્યુલ કાસ્ટ ફેડરેશન સહિતના પક્ષો હતાં, જો કે વર્ષ ૧૯પ૧-પર ની પહેલી લોકસભા ચૂંટણી વખતે પ૩ જેટલા રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને નોંધપાત્ર સંખ્યામાં અપક્ષો પણ ચૂંટાયા હતાં.
તે પછી વર્ષ ૧૯૮૮-૮૯ સુધી દેશમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું, પરંતુ કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ વધ્યું. વર્ષ ૧૯૬૯ મં સિન્ડિકેટ-ઈન્ડિકેટના જમાનામાં કોંગ્રેસના ભાગલા પડ્યા અને શાસક-સંસ્થા કોંગ્રેસના સ્વરૂપમાં કોંગ્રેસ વહેંચાઈ ગઈ, અને તે પછી કોંગ્રેસમાંથી છૂટા પડીને કેટલાક નાના-નાના પક્ષો સ્થપાતા રહ્યા. કોંગ્રેસનું છેલ્લું સૌથી મોટું વિભાજન, જ્યારે યુપીએ ગઠબંધનની સરકાર રચાવાની હતી, ત્યારે સોનિય ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિવાદ થયો, ત્યારે થયું હતું અને શરદ પવાર, પી.એ. સંગ્મા વગેરે દિગ્ગજોએ કોંગ્રેસ છોડીને નેશનલ કોંગ્રેસ પાર્ટી સ્થાપી હતી, અને તેમાં કોંગ્રેસના ઘણાં દિગ્ગજો જોડાયા હતાં. આ પાર્ટીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને જોરદાર ટક્કર આપી હતી.
મહારાષ્ટ્રની વિધાનસભાની ગત્ ચૂંટણી પછી ઓપરેશન લોટ્સથી ઓળખાતા રાજકીય એજન્ડાની ખૂબ ચર્ચા થઈ હતી. તે પછી એનસીપી અને શિવસેનામાં પણ વિભાજનો થયા હતાં. એનસીપીના સર્વેસર્વા શરદ પવારના ભત્રીજા સ્વ. અજીત પવારના નેતૃત્વમાં વિદ્રોહ થયો અને એનસીપીના બે ભાગલા પડી ગયા. અજીત પવારનું જુથ ભાજપ અને શિવસેનાના બાગી જુથ સાથે જોડાયું અને મહારાષ્ટ્રમાં સતતા હાંસલ કરી તે પછી શરદ પવાર જુથની એનસીપી ત્યાં વિપક્ષમાં છે. આ દરમિયાન અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયા પછી તે જુથનું નેતૃત્વ સ્વ. અજીત પવારના પત્ની સુનેત્રા પવારે સંભાળ્યું, અને તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
અજીત પવારના નિધન પછી તેના ગ્રુપનું શરદ પવારના જુથમાં વિલીનીકરણ અથવા મૂળ એનસીપીના બન્ને જુથના એકીકરણના પ્રયાસો પણ થયા હતાં, પરંતુ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા પછી ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું હતું, અને શરદ પવારનું જુથ વિપક્ષમાં યથાવત્ રહ્યું હતું.
પ. બંગાળમાં મમતા બેનરજીની સત્તા ગઈ, તે પછી તૃણમુલ કોંગ્રેસમાં બળવો થયો અથવા કરાવાયો, તે પણ તૃણમુલ કોંગ્રેસનું મૂળ પાર્ટી કોંગ્રેસમાં વિલીનીકરણ કરવાની વાતો વહેતી થઈ અને સોનિયા ગાંધી સાથે મમતા બેનરજીની સૂચક મુલાકાત, સોનિયા ગાંધીએ મમતાને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તથા તેના ચર્ચાસ્પદ બનેલા ભત્રીજા અભિષેક બેનરજીને મહાસચિવને સમકક્ષ હોદ્દા આપવાની કરેલી ઓફર તથા રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે થયેલી લાંબી ચર્ચા પછી એ લગભગ નક્કી મનાતું હતું કે કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસનું વિલીનીકરણ થઈ જશે, પરંતુ તે પછી અભિષેક બેનરજીએ મમતાને રાજ્યસભામાં મોકલીને ત્યાં તેને ખડગેની જગ્યાએ વિપક્ષના નેતાનું પદ આપવાની માંગણી કરી હોવાના અહેવાલો આવ્યા, અને તે પછી કોંગ્રેસના નેતા કે. વેણુગોપાલે આ તમામ વાતો જ પાયાવિહોણી હોવાનું જણાવતા તૃણમુલ કોંગ્રેસનું કોંગ્રેસમાં વિલીનીકરણ થવાની વાતો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેવું લાગ્યું અને મમતા-અભિષેક પણ દિલ્હીથી કોલકાતા પરત ચાલ્યા જતા આખી વાત સમેટાઈ ગઈ.
જો કે, રાજનીતિમાં બહારથી દેખાય, તેવું જ હોતું નથી અને 'બેકડોર' એટલે કે પડદા પાછળથી જે ગતિવિધિઓ ચાલતી હોય તે જાહેર થતી હોતી નથી.
મહારાષ્ટ્ર શિવસેનાના એક નેતાએ એવું સૂચન કર્યું કે ભૂતકાળમાં કોંગ્રેસમાંથી છૂટા પડેલા હોય, તેવા પક્ષોએ કોંગ્રેસમાં વિલીન થઈ જવું જોઈએ. આ નિવેદન પછી તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાજકીય કોંગ્રેસમાં વિલીનીકરણની સંભાવનાઓ હજુ પણ જિવંત છે અને બેકડોર ચર્ચાઓ-ગુફ્તેગો ચાલી રહી છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જ્યારે શરદ પવાર જુથ અને અજીત પવાર જુથ વચ્ચે એક્તા ન સધાય, તો શરદ પવાર જુથની એનસીપી કોંગ્રેસમાં ભળી જાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે.
હકીકતે, કોંગ્રેસને મજબૂત બનાવીને જ રાષ્ટ્રીય કક્ષાએ મોદી સરકારને પડકાર આપી શકાય તેમ છે, કારણ કે રાષ્ટ્રવ્યાપી અને સૌથી જુની પાર્ટી કોંગ્રેસ જ છે. કોંગ્રેસના ભોગે કેટલાક રાજ્યોમાં મજબૂત બનેલા પ્રાદેશિક પક્ષો પૈકી મૂળ કોંગ્રેસી ગોત્રની રાજકીય પાર્ટીઓ જો કોંગ્રેસમાં ભળી જાય, તો રાષ્ટ્રીય કક્ષાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ ઊભો થઈ શકે અને કેટલાક રાજ્યોના સમીકરણો પણ બદલી જાય, તેવી ગણતરીથી થઈ રહેલી આ નવી હિલચાલે એનડીએ અને મોદી સરકારની ઊંઘ ઊડાડી દીધી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, અને એવું થાય તો ઈન્ડિયા ગઠબંધન કોંગ્રેસના નેતૃત્વમાં ફરી મજબૂત બને તથા ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા પણ મેળવી શકે, તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે.
પંજાબમાં અકાલીદળ નબળું પડતા ત્યાં આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ પણ મજબૂત બનશે, તેવી શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં કોંગ્રેસ સત્તામાં ભાગીદાર છે. તે ઉપરાંત હિમાચલપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે, અને સત્તામાં છે, ત્યારે રાજ્યોમાં નબળા પડી રહેલા પ્રાદેશિક રાજકીય પક્ષોનો સીધો રાજકીય ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો હોવાના વ્યક્ત થઈ રહેલા તર્કોમાં પણ વજુદ છે.
એક અભિપ્રાય એવો છે કે કોંગ્રેસે ગઠબંધનની રાજનીતીમાં ઘણો ભોગ આપ્યો છે, અને કેટલાક પ્રાદેશિક પક્ષો કે નવા રચાયેલા રાજકીય પક્ષો કોંગ્રેસના ભોગે જશક્તિશાળી બન્યા છે, ત્યારે કોંગ્રેસે હવે કાં તો 'એકલો જાને રે...'ની નીતિ અપનાવી જોઈએ, અથવા સન્માનજનક બેઠકો મેળવીને જ ગઠબંધન કે ચૂંટણી પહેલાની સમજુતિઓ કરવી જોઈએ, જો કે ભાજપ અને એનડીએના વર્તુળો આ બધા કોન્સેપ્ટ તથા સંભાવનાઓનું શેખચલીના સપના ગણાવી રહ્યા છે, પણ....?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી શરૂ થયા પછી ઈંધણની અછતની વિશ્વવ્યાપી સમસ્યા ઝડપથી ખતમ થાય, તેમ જણાતું નથી, ત્યારે ઈંધણનું સ્વરૂપ બદલવા તથા પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો વધુ તેજ બનાવવા પડશે અને તેના સંદર્ભે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવો, કારપુલીંગ અને સાર્વજનિક વાહનોમાં સ્થાનિક મુસાફરી સહિતનો પ્રવાસ કરવાનો આગ્રહ રાખવાની ઝુંબેશ પણ હવે ટોપ ટુ બોટમ શાસકો અને તંત્રોએ સ્વયં અપનાવીને દૃષ્ટાંત બેસાડવું પડશે, જેના કારણે સામાન્ય જનતાને પણ પ્રેરણા મળશે અને ખાનગી ટુ વ્હીલર્સ, કાર અને અન્ય પેટ્રોલ-ડીઝલ-ગેસ આધારિત વાહનો ઓછા દોડશે. હવે સરકારી-અર્ધસરકારી અને પબ્લિક પરિવહનમાં પણ વધુમાં વધુ ઈલેક્ટ્રીક વાહનો દોડાવવાનો સમય પાકી ગયો છે, તેથી ક્રમશઃ ઈલેક્ટ્રીક વાહનોનો મહત્તમ અને સહિયારો ઉપયોગ કરીને પેટ્રોલ-ડીઝલ-ગેસની ડિમાન્ડ ઘટાડીને આ વૈશ્વિક અને રાષ્ટ્રીય કૃત્રિમ આફત સામે સૌએ સાથે મળીને જ લડવું પડશે, અને તેની આગેવાની નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓએ જ લેવી પડશે.
ગઈકાલે સમાચાર આવ્યા કે જામનગરમાં ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવાની છે અને તેની ટ્રાયલ હાપાથી ગાંધીનગર વચ્ચે લેવામાં આવી છે. અત્યારે કેટલાક રૂટો પર જે સિટી બસો ચાલે છે, તેના સ્થાને તો સિટીબસો આવી જશે, પરંતુ તે ઉપરાંત પણ જામનગરથી નજીકના ગામડાઓ તથા ચોતરફ વિક્સેલા સોસાયટી વિસ્તારોને સાંકળીને આ બસસેવા ચલાવવી પડશે અને પ્રારંભમાં સિટીબસો તરફ લોકોને વાળવા માટે જુદા જુદા રાહતભર્યા પ્રયોગો પણ કરવા પડશે. એટલું જ નહીં, નેતાગણ તથા અધિકારી-કર્મચારીઓએ પોતે પણ સિટીબસમાં જ પ્રવાસ કરીને પ્રવર્તમાન સંજોગોમાં પ્રેરણાત્મક દૃષ્ટાંત બેસાડવું જોઈએ. આ માટે વડાપ્રધાનના શાસનગાળાના ૧ર વર્ષની ઉજવણી સાથે સાંકળીને તમામ સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ તથા નેતાગણ પણ કમ-સે-કમ વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિના કારણે ઈંધણની સમસ્યા ચાલે, ત્યાં સુધી આ ઈલેક્ટ્રીક સિટીબસોમાં જ મહત્તમ મુસાફરી કરવાનો આગ્રહ રાખે.
વડાપ્રધાન તરીકે ૧ર વર્ષ અને તે પહેલા મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ મળીને નરેન્દ્રભાઈએ અઢી દાયકાના શાસન દરમિયાન જે ઝુંબેશો ચલાવી, તેનો પ્રારંભ પોતે કર્યો છે. દૃષ્ટાંત તરીકે સ્વચ્છતા અભિયાન આદર્યું, તો પોતે જ સફાઈ રાખવાને પ્રાધાન્ય આપવા લાગ્યા હતાં. તેવી જ રીતે જુદી જુદી ઝુંબેશો સ્વયંથી શરૂ કરીને સરકાર અને સંગઠનના હોદ્દેદારો, નેતાઓ તથા કાર્યકરોથી લઈને સમાજના જુદા જુદા વર્ગોને પણ તેમાં જોડતા રહ્યા છે. આ જ રીતે જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, કમિશનર, કલેક્ટર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ, સભ્યો, સરકારી-અર્ધસરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ જો ઈલેક્ટ્રીક સિટીબસોમાં જ મહત્તમ સ્થાનિક પ્રવાસ કરવાનો આગ્રહ રાખે. એટલું જ નહીં, નગરના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તથા વ્યાપારી પેઢીઓ પણ જો પોતાના સ્ટાફ અને કામદારો-શ્રમિકોને ઈલેક્ટ્રીક સિટીબસોની મુસાફરી કરવા પ્રેરણા આપે, અને પોતે પણ અનુસરે, તો ઈલેક્ટ્રીક સિટીબસો ખાલી દોડવાના બદલે ભરચક્ક દોડશે.
જો આ ઈલેક્ટ્રીક સિટીબસો નિયમિત દોડશે અને સતત ઉપલબ્ધ થતી રહેશે, અને ઠેર-ઠેર સિટીબસ સ્ટેન્ડો ઉપરાંત વ્યવહારૂ અભિગમ દાખવીને વિવેકી સ્ટાફ દ્વારા મુસાફરોને ચડવા-ઉતરવાની સગવડ આપશે, તો સિટીબસો પહેલાની જેમ જ સફળતાપૂર્વક સારા પરિણામો એકંદરે હાંસલ કરી શકશે. આ માટે પ્રારંભિક સમયમાં થોડી ધીરજ રાખવી જરૂરી ફેરફારો કરતા રહેવા તૈયાર રહેવું પડશે.
જો જામનગર મહાનગરપાલિકા મહિલાઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો વિગેરે માટે પ્રારંભમાં નિઃશુલ્ક અથવા ટોકન દરે સિટીબસમાં પ્રવાસની સુવિધા આપશે અને શ્રમિકો, દરરોજ પ્રવાસ કરતા નોકરિયાતો અને નાના વ્યવસાયિકોને કન્સેશન આપશે. એટલું જ નહીં, છૂટાની માથાકુટ ના થાય તે રીતે મિનિમમ ટિકિટનો દર ઓછો રાખશે, તો આ બસ સેવા સફળ થશે. પ્રારંભમાં બધા લોકો માટે નિઃશુલ્ક સેવા આપીને મહત્તમ લોકોને સિટીબસ તરફ વાળીને પ્રવર્તમન સમયમાં પેટ્રોલ-ડીઝલની મહત્તમ બચત કરવાનો પ્રયોગ પણ કરવા જેવો ખરો...
જેવી રીતે શ્રમયજ્ઞો, વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વદેશીની ઝુંબેશ, વોકલ ટુ લોકલ, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો ચાલે છે, તેવી જ રીતે 'ચાલો, સિટીબસમાં જ પ્રવાસ કરીએ' જેવી ઝુંબેશ ચલાવીને નેતાગણ અને આગેવાનો, મહિલા અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓ સ્વયં દરરોજ સિટીબસનો ઉપયોગ કરશે, તો આ અભિયાન બહુહેતુક પૂરવાર થશે.
બીજી તરફ જેવી રીતે સીએનજી આધારિત ઓટોરિક્ષા અને રિક્ષાછકડાઓની સંખ્યા વધારીને ડીઝલ આધારિત વાહનો ઘટાડાયા, તેવી જ રીતે હવે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધારવાનો અભિગમ પણ અપનાવવો અત્યંત જરૂરી છે. રિક્ષાચાલકોના હિતો પણ જળવાય, ઈલેક્ટ્રીક સિટીબસોનો ઉપયોગ પણ વધે અને ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગોને તેનો આર્થિક ફાયદો તો થાય જ, પરંતુ પર્યાવરણ સુધરે તથા હાલના સંજોગોમાં ઈંધણની ક્રાઈસીસ ચાલી રહી છે, ત્યારે સાર્વજનિક વાહનોનો સામૂહિક પ્રયોગ 'મોટા માણસો' સહિત બધા કરતા થાય, તો આ કોન્સેપ્ટ બહુહેતુક પૂરવાર થવાનો છે. જો તેમ નહીં થાય તો દળી દળીને ઢાંકણીમાં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે સહન ન થાય એવી ગરમી પડી રહી છે અને તાપમાન જુના રેકોર્ડ તોડી રહ્યું છે. વયોવૃદ્ધ અને પ્રૌઢ વયજુથના લોકોએ તો ભૂતકાળમાં પ્રચંડ ગરમી, દુષ્કાળો અન સતત અલ્પવૃષ્ટિ તથા અનાવૃષ્ટિનો અનુભવ કર્યો છે, પરંતુ નવી પેઢીએ આ બધા વર્ણનો અભ્યાસ દરમિયાન કે પછી ઈતિહાસના સ્ટડી અથવા જનરલ નોલેજના વાચનમાંથી જ મેળવ્યા હશે. ઘણાં આઝાદીકાળના વડીલો છપ્પનિયા દુષ્કાળની કપરી સ્થિતિની વાતો કરતા હોય છે, તો પચાસ-પંચાવન વર્ષની ઉંમરના લોકો તેના બાળપણ કે યુવાવયે અનુભવેલી દુષ્કાળની સ્થિતિના અનુભવો વર્ણવતા હોય છે. આ કપરાકાળને પણ પાછળ છોડે, તેવી સુપર અલનીનોની સ્થિતિ આવી રહી છે, જેને લઈને વૈજ્ઞાનિકો 'એન્વાયરમેન્ટ બોમ્બ' જેવી વોર્નિંગ આપી રહ્યા છે, તેથી સરકાર, સમાજ અને ખાસ કરીને આકાશી ખેતી તથા જળઆધારિત ઉદ્યોગ-ધંધા કરતા લોકોએ સાવધાન થઈ જવું જરૂરી છે, અને અત્યારથી જ કપરાકાળનો સામનો કરવાની તૈયારીઓ આદરવી જરૂરી છે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ દ્વારા ચાલુ (જૂન) મહિના માટે જાહેર કરેલા રિપોર્ટે આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ રિપોર્ટમાં હવામાન મોડેલનું અપડેટ્સ અપાયું છે. આ વૈશ્વિક મોડેલ મુજબ પેસિફિક મહાસાગરમાં રચાઈ રહેલા વિનાશક 'સુપર અલનીનો'ના કારણે ચાલુ વર્ષ (ર૦ર૬) ના અંત સુધીમાં પેસિફિક મહાસાગરનું તાપમાન પ્લસ ૩ થી ૪ અંશ સન્ટિગ્રેડ સુધી વધી શકે છે. આ અપડેટ્સ તો ત્યાં સુધીના સંકેતો આપે છે કે પેરૂ અને ઈકવેડોરના દરિયાઈ વિસ્તારોમાં તાપમાન પ્લસ પાંચ અંશ સેન્ટિગ્રેડ સુધી વધી શકે છે. તેનો અર્થ એવો થાય કે જ્યાં હાલમાં મહત્તમ ૪૦ થી ૪પ અંશ સેન્ટિગ્રેડ તાપમાન પહોંચતું હોય ત્યાં પ૦ થી પપ અંશ સેન્ટિગ્રેડ સુધી તાપમાન પહોંચી શકે છે. એવું કહેવાય છે કે આટલું ઊંચુ તાપમાન પૃથ્વી પરના મહત્તમ લોકો સહન કરી શકે તેમ નથી, જો કે દરિયામાં વધતું તાપમાન જમીન પર વસવાટ કરતા લોકોને સીધુ અસર ન કરે તો પણ તેની અસરો માનવી અને સમગ્ર પ્રાણીસૃષ્ટિ માટે અસહ્ય બની શકે છે.
અવનીનો એક નેચરલ હવામાન પ્રક્રિયા છે, જેમાં વિષુવવૃતિય પટ્ટામાં આવેલા પેસિફિક મહાસાગરનું પાણી અસાધારણ રીતે ગરમ થઈ નબળા થઈ જતા પવનો ઉલટી તરફ ફૂંકાવા લાગે છે. ગરમ પવનો અને ઠંડા-ગરમ દરિયાઈ પ્રવાહોના કારણે પૃથ્વી પરના વાયુમંડળનું કુદરતી ચક્ર ખોરવાઈ જાય છે, તેથી ભારત જેવા દક્ષિણ-પશ્ચિમ મોન્સુન પર આધારિત અને કૃષિપ્રધાન ઈકોનોમી દેશમાં માઠી અસરો પડે છે. તેમાં પણ આ વખતે જ્યારે સુપર અલનીનોની પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, ત્યારે આગામી ચોમાસાના ઉત્તરાર્ધ એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાત સહિતના પાંચેક રાજ્યોમાં અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાતા દુષ્કાળ પડી શકે છે. અછત-અર્થઅછત કે દુષ્કાળ જેવી સ્થિતિના કારણે ખેતી પાકો નિષ્ફળ ગયા પછી મોંઘવારી માઝા મૂકી શકે છે. ચોમાસું નિષ્ફળ ગયા પછી આવતો (આગામી) શિયાળો પણ ગરમ રહે અને વર્ષ ર૦ર૭ ના પ્રારંભે અભૂતપૂર્વ હીટવેવનું કારણે જળાશયોનું થોડું-ઘણું બચેલું પાણી પણ ખૂટી શકે છે.
બીજી તરફ પેસિફિક અને આટલાન્ટિક મહાસાગરોના તાપમાન વચ્ચે મોટો તફાવત સર્જાતા દુનિયાના કેટલાક દેશોમાં વાવાઝોડા ફૂંકાય, જંગલોમાં દાવાનળ અને કેટલાક દેશોમાં પાણીની તીવ્ર તંગી સર્જાય તો દુનિયાના કેટલાક ભાગોમાં તેનાથી વિપરીત અતિવૃષ્ટિ અને ભારે પૂર પણ વિનાશ વેરી શકે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની વૈશ્વિક સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા દુષ્કાળમાં અધિકમાસ જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, અને આખું વિશ્વ કદાચ મહામંદીના ખપ્પરમાં હોમાઈ શકે છે.
આ ભયાનક સ્થીતિ ટળી જાય, અને કુદરતી રીતે જ સુપર અલનીનોની અસરો ઓછી થઈ જાય, તેવું ઈચ્છીએ. આ પહેલા વર્ષ ૧૯૮ર-૮૩, વર્ષ ૧૯૯૭-૯૮ અને વર્ષ ર૦૧પ-૧૬ માં સુપર અલનીનોની સ્થિતિ ભારત સહિત દુનિયાના દેશોએ અનુભવી જ છે, પરંતુ આ વખતે યુદ્ધોના કારણે હવામાન પર થયેલી અસર, ગ્લોબલ વોર્મિંગ તથા તેની ફલશ્રુતિ સ્વરૂપે ક્લાઈમેટ ચેઈન્જ જેવા નવા પડકારો ઊભા થયા છે, ત્યારે સરકારે કે જનતાએ આ વખતે ગાફેલ રહેવા જેવું નથી. આ પહેલા પણ અલનીનો અને સુપર અલનીનોનો સામનો આપણે બધાએ કર્યો જ છે, તેના અનુભવે આગામી પડકારોનો પણ મક્કમતાથી સામનો કરવો જ પડે તેમ છે, કારણકે તેનો વિકલ્પ માત્રને માત્ર વિનાશ જ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જળસંરક્ષણ, ખાદ્યચીજોનો બફર સ્ટોક, ઓછા પાણીથી પુષ્કળ પરિણામો આપતા પાકો તરફ ખેડૂતોને વાળવા અને પાણી પહેલા પાળ બાંધવાના તમામ કદમ ઊઠાવવા અત્યારથી જ શ્રેણીબદ્ધ, આયોજનબદ્ધ અને સમયબદ્ધ પગલાં લેવા જોઈએ. આવી રહેલા કપરાકાળને લઈને અપાતી આ પ્રકારની ચેતવણીઓથી ગભરાવાની કે હતાશ થવાની પણ જરૂર નથી. આપણાં દેશે છપ્પનિયા દુષ્કાળથી લઈને આઝાદી પછીના પણ ડઝનેક આફતકાળનો સામનો કર્યો છે. તે સમયે તો ટાંચા સાધનો હતાં, જળસંગ્રહના સાધનો ઓછા હતાં અને સંચાર-વ્યવસ્થા મર્યાદિત હતી. આજની ઈન્ટરનેટ યુગમાં ઝડપી કોમ્યુનિકેશન, જળસંચય, જળસંગ્રહ, જળબચત, ખાદ્યાન્ન બચત અને પ્લાનિંગ અને આગમચેતી સાથેની ખેતી સહિતના તમામ કદમ ઊઠાવીને સુપર અલનીનોને 'સુપર' લડત આપી શકાય તેમ છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે ત્યાં એક ગુજરાતી કહેવત ઘણી જ પ્રચલીત છે, જેમાં કહેવાયું છે કે, લાકડાના લાડુ, ખાય તે પણ પસ્તાય અને ખાય નહીં, તે પણ પસ્તાય... મતલબ કે લાકડાના લાડુ ખાવા જાય, તેના દાંત તૂટી જાય કે ખાઈ શકે જ નહીં, તેમ તેને એમ થાય કે આવું મેં કેમ કર્યું?
બીજી તરફ લાકડાના લાડુ ખાવામાં અચકાય, તેને એમ થાય કે મેં લાડવાનો સ્વાદ માણવાની તક ગુમાવી. હકીકતે આ એક વ્યંગાત્મક કહેવત છે, જે મોટાભાગે લગ્ન કરવા કે નહીં કરવાના પરિપ્રેક્ષ્યમાં વપરાય છે. આ સાથે જ લગ્ન નહીં કરનાર, અથવા એકલા રહેનાર કેટલાક મહાનુભાવો મુખ્યમંત્રી, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હોવાના દૃષ્ટાંતો પણ અપાતા હોય છે.
તેવી જ રીતે જ્યારે કોઈ શાસક, હોદ્દેદાર કે સત્તાધિકારી પોતાને સત્ત જ ન હોય તેવા હુકમો ચલાવે, અથવા પોતાની મર્યાદા અથવા નીતિ-નિયમોને અવગણીને કોઈ મનસ્વી નિર્ણયો કરે ત્યારે એવું કહેવામાં આવતું હોય કે, 'તેઓ તો લાકડાની તલવાર ચલાવે છે...!'
ઘણી સરકારો, શાસકો અને અધિકારી-પદાધિકારીઓ આ પ્રકારની લાકડાની તલવાર ચલાવતા હોય છે. રાજાશાહી કે સુલતાનશાહી ચાલતી હોય, ત્યાં રાજા, રાણી, નવાબ કે સુલતાન પાસે એકાધિકાર હોઈ શકે, પરંતુ લોકતાંત્રિક દેશોમાં લિખિત બંધારણ અથવા બ્રિટનની જેમ કાનૂન આધારિત નિર્ણયો લેવા રાજા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે દેશના વડા બંધાયેલા હોય છે અને જ્યારે બંધારણ કે પ્રસ્થાપિત નિયમ-કાયદા વિરૂદ્ધ કોઈ સત્તાધીશો મનસ્વી રીતે નિર્ણયો લેવા લાગે, આદેશો દેવા લાગે કે એક્સન લેવા લાગે, ત્યારે એવું કહી શકાય કે તેઓ લાકડાની તલવાર ચલાવી રહ્યા છે...
આવી જ લાકડાની તલવાર ચલાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને ગોટે ચડાવી રહ્યા છે. તેઓએ દુનિયાના દેશો પર જે ટેરિફ નાંખ્યો હતો, જે અમેરિકાના બંધારણને અનુરૂપ નહીં હોવાથી અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તેને ગેરકાયદે ઠરાવ્યો હતો, જેથી ટ્રમ્પની લાકડાની તલવાર મ્યાન થઈ હતી અને ટેરિફ લાદવાની સત્તાની મર્યાદામાં રહીને નવા નિયમો કરાયા હતાં, જો કે કાયદાની છટકબારીઓ શોધીને તેઓ નવા નવા ટેરિફદરો માટે ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ એક વખત તો તેને પરોઠના પગલાં ભરવા જ પડ્યા હતાં.
આવી જ પછડાટ ટ્રમ્પને ફરીથી લાગી છે. ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈમિગ્રેશન પર આધારિત માઈગ્રેશન અટકાવવા વિઝા ફી માં તોતિંગ વધારો કર્યો હતો. વિદેશી તકનીકી (ટેક) વર્કરો માટે એચ-૧-બી વિઝાની ટ્રમ્પે લાદેલી એક લાખ ડોલરની ફી ને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે ઠેરવી છે.
બન્યું એવું કે ગત્ વર્ષે આ જંગી વિઝા ફી વધારો ઝીંકાયા પછી અમેરિકાની ર૦ જેટલી રાજ્ય સરકારોના એટર્ની જનરલોએ ટ્રમ્પના આ પગલાંને અદાલતમાં પડકાર્યું હતું, અને દલીલો રજૂ કરી હતી. અદાલત એ દલીલો સાથે સંમત થઈ હતી, કે સંસદની મંજુરી વિના રાષ્ટ્રપતિને આટલી તોતિંગ વિઝા ફી લાદવાનો અધિકાર જ નથી!
ટ્રમ્પના આ નિર્ણયથી ગત્ વર્ષથી ભારતીય વ્યવસાયિકો, ટેક-વર્કરો-ઈમિગ્રેશનને ફટકો પડ્યો હતો, કારણ કે એચ-૧-બી વિઝા મેળવવાનો ખર્ચ એક વ્યક્તિ દીઠ માત્ર બે થી પાંચ હજાર ડોલર થતો હતો, તે સીધો એક લાખ ડોલર થઈ જતા કંપનીઓ-વ્યવસાયિકો માટે તે અસહ્ય હતો અને તે કારણે ભારતીય તકનીકી ક્ષેત્રના એચ-૧-બી વિઝા મોંઘા દાટ થઈ જતા ઘણાં રોજગારવાંચ્છુઓના સપના રોળાઈ ગયા હતાં, પરંતુ ફેડરલ કોર્ટના આ ચૂકાદા પછી ટ્રમ્પના નિર્ણયો પર અંકુશ આવશે, પરંતુ તેઓ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરશે કે બીજી છટકબારી શોધીને પોતાના નિર્ણયનેે વળગી રહેશે કે પછી ફેડરલ કોર્ટના આદેશ પછી હવે ભારત સહિતના એચ-૧-બી વિઝાધારકોને તત્કાળ રાહત મળશે, તેની ચર્ચા થઈ રહી છે.
મોટાભાગના વિશ્લેષકો એવું માને છે કે, ટ્રમ્પને હાલતુરત તો ફેડરલ કોર્ટનો આદેશ માનવો જ પડશે, પરંતુ તેઓ સંસદમાં પ્રસ્તાવ મૂકીને અથવા બીજી કોઈ રીતે એચ-૧-બી વિઝાના મુદ્દે અડચણો ઊભી કરી શકે છે. ટ્રમ્પ પાસે આ મુદ્દે કોંગ્રેસ (સંસદ) ની મંજુરી મેળવવાનો વિકલ્પ છે, પરંતુ જ્યારે ર૦ ડેમોક્રેટિક સ્ટેટ એકજુથ થઈ ગયા હોય, ત્યારે 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા'ના રાષ્ટ્રપતિ માટે ફેડરલ કોર્ટને અનુસરવું જ શાણપણભર્યું ગણાશે. લાકડાની તલવાર વાપરનાર અંતે તો પછડાટ જ ખાતો હોય છે...
ટ્રમ્પની જેમ જ વિશ્વના ઘણાં દેશોના શાસકો પણ ઘણી વખત 'લાકડાની તલવાર' ચલાવતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની લાકડાની તલવાર સામે લોખંડની તલવાર આવી જાય કે પછી લોખંડની ઢાલ આવી જાય, ત્યારે લાકડાની તલવારોની પોલ ખૂલી જતી હોય છે અને લાકડાની તલવારના ટૂકડે ટૂકડા થઈ જતા હોય છે.
છેલ્લા એક-દોઢ દાયકાથી આ જ રીતે લાકડાની તલવારો ચલાવીને એકચક્રી શાસન કરનારા મમતા બેનરજી, સ્ટાલીન અને વિજયન વિગેરે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સમજાઈ ગયું હશે કે તેઓની પાસે તો લાકડાની તલવાર હતી, હકીકતે અસલી તલવાર તો લોકતંત્રમાં મતદારોની પાસે જ હોય છે, અને જ્યારે જનતાની તલવાર વિંઝાય છે, ત્યારે મજબૂતમાં મજબૂત સરકારો પણ ગબડી પડતી હોય છે. પબ્લિકને જ્યારે એવું લાગે કે 'હવે બસ થયું', ત્યારે લોકતાંત્રિક ક્રાંતિઓ પણ સર્જાતી હોય છે. એટલું જ નહીં, લોકતાંત્રિક દેશોમાં પણ જનાક્રોશ જાગ્યા પછી બંધારણીય રસ્તે તખ્તાપલટ થઈ શકતા હોય છે. આથી હજુ પણ 'લાકડાની તલવારો' વિંઝતા શાસકોએ ચેતી જવા જેવું છે, કારણ કે જ્યારે જનતા જાગે છે, ત્યારે તાનાશાહોને ભાગવું પડે છે...
ભારતમાં વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, પરંતુ તે બંધારણ કે કાયદાથી પર નથી. કોઈપણ વ્યક્તિ ભલે સેલેબ્રિટી હોય કે વિશ્વકક્ષાનો ખેલાડી હોય, દેશના કાયદા-કાનૂન માનવા જ પડે છે. માત્ર પ્રસ્તાવ થયો હોય અને મંજુરીની પ્રક્રિયા પૂરી થઈ ન હોય, છતાં કોઈ કિંમતી પ્લોટનો કબજો 'લાકડાની તલવાર' ચલાવીને કરી લીધો હોય, તો તેને પણ અદાલતમાં ઝટકો લાગતો હોય છે, તેથી લાકડાની તલવાર ચલાવતા લોકોએ ચેતવા જેવું છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ર૩ જેટલી રાજકીય પાર્ટીએ નવી દિલ્હીમાં બેઠક યોજીને 'ઈન્ડિયા ગઠબંધન'ના નેજા હેઠળ મોદી સરકારને ઘેરવા કોઈ મોટી જાહેરાત કરવાના હોવાની અટકળો પહેલેથી જ હતી અને મમતા બેનરજી તો ગઈકાલથી જ દિલ્હી પહોંચી ગયા હતાં, અને આગામી સમયમાં મોદી સરકાર સામે મોટો પડકાર ઊભો થવાનો હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, તો બીજી તરફ નીટ પેપરલીક તથા સીબીએસઈની પરીક્ષામાં ગરબડ-ગોટાળાઓને લઈને આંદોલનો ચાલી રહ્યા છે. ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ઉભરેલી કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતરમંતર પર કલાકો સુધી જે વિરોધ-પ્રદર્શન કર્યું હતું, તે ટ્રેલર હતું અને પિક્ચર હજુ બાકી છે, તેવો દાવો પણ થઈ રહ્યો છે.
દિલ્હીના જંતરમંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ ઉમટ્યો, ત્યારે અન્ના હજારેનું યુપીએ સરકાર સામે આદરેલું આંદોલન યાદ આવી ગયું. તે પછી કેન્દ્રમાં મોદી સરકાર રચાઈ અને તેના એક વર્ષ પછી અન્ના હજારેના આંદોલનમાંથી રચાયેલી પોલિટિકલ પાર્ટી 'આપ'નું વર્ષ ર૦૧પ માં દિલ્હીમાં શાસન સ્થપાયું. તે પછી યમુનાજીમાં ઘણાં પાણી વહી ગયા છે અને આમ આદમી પાર્ટી હવે માત્ર પંજાબમાં રાજ્ય સરકાર ધરાવે છે, અને દિલ્હીમાં સત્તા ગુમાવી છે. આ તરફ કોંગ્રેસે વર્ષ ર૦૧૪ થી ઘણી ચૂંટણીઓમાં પરાજ્ય મેળવ્યો તો કેટલાક મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં આજે પણ કોંગ્રેસની અથવા તેની સાથેના ગઠબંધનની સરકારો અસ્તિત્વમાં છે. પ. બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજી હાર્યા પછી હવે ફરીથી ર૩ વિપક્ષો એકજુથ થઈ રહ્યા છે, તો બીજી તરફ નવી કોકરોચ પાર્ટી પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં મુખ્ય માંગણી નીટ પેપર લીક મામલે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને યુવાપાંખ પણ એ જ માંગણી સાથે દેશભરમાં ગયા મહિનાથી જ ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે, તેમ છતાં કોકરોચ જનતા પાર્ટીને વધુ મહત્ત્વ મળ્યું અને વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થવા લાગ્યે, તેથી એવો સવાલ પણ ઊઠ્યો કે દેશની રાજધાનીમાં માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રચાયેલી રાજકીય પાર્ટીમાં આ રીતે યુવાવર્ગ ઉમટી પડે, તે શું પડોશી દેશોમાં થયેલા જેના ઝી આંદોલનો જેવી શરૂઆત છે કે પછી કોંગ્રેસ દ્વારા આ જ પ્રકારના સમાન મુદ્દે ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનોને કાઉન્ટર કરવાની કોઈ છૂપી ચાલબાજી છે?
આમ પણ મહારાષ્ટ્ર, દિલ્હી અને હવે પ. બંગાળમાં પ્રાદેશિક પક્ષોને પછડાટ મળ્યા પછી હવે મજબૂત વિપક્ષ તરીકે ફરીથી કોંગ્રેસનો ઉદય થઈ રહ્યો હોય, તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસે કેરળમાં ડાબેરીઓના નેતૃત્વવાળા મોરચાને હરાવીને યુડીએફએ શાસન સ્થાપ્યું છે. કર્ણાટકમાં આંતરવિરોધ ખતમ કરીને ડી.કે. શિવકુમારના નેતૃત્વમાં સરકાર રચાઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં તેલંગણામાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે તમિલનાડુમાં વિજયની સરકારમાં કોંગ્રેસ ભાગીદાર છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસનું શાસન છે, અને લોકસભામાં પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લીડર ઓફ ઓપોઝીશન (એલઓપી) નું પદ મળ્યું છે. આમ ફરીથી ઈન્ડિયા ગઠબંધન મજબૂત બને તો પણ તેનું નેતૃત્વ તો હવે કોંગ્રેસ જ 'હક્ક'થી કરી શકે છે.
આ કારણે જ રાષ્ટ્રવ્યાપી વિપક્ષી એકતા થાય, તો મોદી સરકાર સામે નવેસરથી પડકાર ઊભો થાય તેમ છે, જો કે હજુ પણ તમિલનાડુમાં ડીએમકે, કેરળ અને બંગાળમાં લેફ્ટ તથા આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાય તેવી સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી, પરંતુ આજે સાંજે શું થાય છે, તે જોવાનું રહે છે.
ઈન્ડિયા ગઠબંધનની રચના થતા પહેલા જ કેટલાક વિરોધાભાસી નિર્ણયો આવ્યા અને કેટલાક રાજકીય પક્ષોએ ગોળ-ગોળ વાતો કરી અને કેટલાક પક્ષોએ આ ગઠબંધનમાં જોડાવાની અનિચ્છા વ્યક્ત કરી રહ્યા છતાં કેટલાક રાજ્યોમાં એક-બે વર્ષમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ જ નહીં, પરંતુ વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને પણ વિપક્ષો એકજુથ થઈને મોદી સરકારને સડકથી સંસદ સુધી ઘેરવાનો જોરદાર પ્રયાસ કરશે, તે નક્કી છે.
એનડીએના નેતાઓ પણ કોકરોચ જનતા પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ગીરીરાજ કિશોરસિંહે તેને ટૂકડે ટૂકડે ગેંગની શાખા ગણાવી તો કેટલાક નેતાઓએ અલગ નકસલીઓની ગેંગનું નવું સ્વરૂપ ગણાવ્યું. બીજી તરફ દીપકેએ કરેલો રણકાર જોતા આ પાર્ટી હવે વિધિવત રીતે રાજકીય પક્ષ તરીકે ચૂંટણીપંચમાં રજિસ્ટ્રેશન કરાવીને ચૂંટણીઓમાં ઝંપલાવશે કે પછી બિનરાજકીય રીતે દેશવ્યાપી યુવાઆંદોલનનું સ્વરૂપ ધારણ કરશે, તે અંગે વિવિધ અનુમાનો થઈ રહ્યા છે.
બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં જંતર-મંતર પર જે આંદોલન કર્યું, તેના કરતા પણ વધુ ભીડ હોય તેવું આંદોલન કોંગ્રેસે હાલાર અને ગુજરાત સહિત ઠેર-ઠેર લગભગ એક પખવાડિયાથી આદર્યું છે, અને હજું પણ તે ચાલુ રહેવાનું છે. કોંગ્રેસના આંદોલનોમાં સવિનય કાનૂનભંગ કરતા આંદોલનકારીઓ પર વોટર કેનનનો મારો અને ટિયરગેસનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, અને એકાદ સ્થળે નહીં, પણ જિલ્લે-જિલ્લે આ આંદોલન ચાલી રહ્યું છે.
એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ સહિતની કોંગ્રેસની જુદી જુદી પાંખો દ્વારા સરકારની આંખ ઉઘાડવા આશ્ચર્યજનક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેને જુદા જુદા સ્થળે લોકોનું જબરદસ્ત સમર્થન પણ મળી રહ્યું છે, જ્યારે કોકરોચ જનતા પાર્ટીને સરકારે 'શાંતિપૂર્વક' આંદોલન કરવા દીધું, અને આંદોલનકારીઓએ પણ 'સંયમ' જાળવ્યો, તેને જુદા જુદા વિશ્લેષકો જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે ક ઈન્ડિયા ગઠબંધનમાં નહીં જોડાયેલા વિરોધ પક્ષો સાથે 'કોકરોચ પાર્ટી' ગઠબંધન કરે છે કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થાય છે કે પછી કોઈ બિનરાજકીય જન-ઝી આંદોલનનું સ્વરૂપ પકડે છે. જો આમાંથી કાંઈ નહીં થાય તો આ સોશિયલ મીડિયાનું એક અલગ પ્રકારનું આંદોલન હશે અથવા સમયાંતરે સક્રિય વર્તમાન રાજનીતિ અને પોલિટિકલ સિસ્ટમનો હિસ્સો બની જશે... જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમતી નેશનલ ટીમો હોય કે લીગ મેચો હોય, લોકલ ટુર્નામન્ટો હોય કે વિવિધ ટ્રોફીઓ હોય, તેનું આયોજન, સંચાલન, નિયંત્રણ અને નિયમન બીસીસીઆઈ કરે છે. સુરક્ષા કે વૈશ્વિક દ્વિપક્ષિય સંબંધો, યુદ્ધની સ્થિતિ કે કુદરતી આફતો ચૂંટણી કે રાષ્ટ્રીય કટોકટી, રોગચાળા જેવા સંજોગોમાં સરકારી નિયમો-સૂચનાઓને ધ્યાને લેવી પડે છે, પરંતુ આવક-જાવક, ટાઈમ ટેબલ, ફંડીંગ, ક્રિકેટના નિયમો, ખેલાડીઓ-મેનેજમન્ટને લગતા નિયમો તથા કોચ, સ્ટાફ, મેનજેરની નિમણૂકો વગેરેનું સંપૂર્ણ નિયમન બીસીસીઆઈ જ કરે છે, જેમાં ભારત સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકાર અથવા બંધારણીય સંસ્થાનું નિયમન હોતું નથી, જો કે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો સાથે સંકલન જાળવવું પડતું હોય છે.
બીસીસીઆઈ પર સરકારનું પ્રત્યક્ષ કે પ્રશાસનિક નિયંત્રણ હોતું નથી. આ એક સંપૂર્ણ સ્વતંત્ર, સ્વાયત અને ખેલજગતની એવી ખાનગી સંસ્થા છે, જેને સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી, અને આ સંસ્થા આવક સ્વયં મેળવે છે, જો કે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટ મેચો નિહાળવા આવતા પ્રેક્ષકો પાસેથી ટિકિટના દર વસૂલવા કરતા અનેેકગણી વધુ કમાણી મેચોના લાઈવ ટેલિકાસ્ટની છે. સ્પોન્સરશીપ વેચીને કરે છે, જે હવે અબજો રૂપિયા સુધી પહોંચી છે. આ સરકારી સંસ્થા હોવાથી તેને માહિતી અધિકારનો કાયદો લાગુ નથી થતો હોવાની ચર્ચા ઘણાં સમયથી થતી રહી છે, જો કે આ સંસ્થાએ પણ દેશના નિયમ-કાયદા તથા સરકારની વખતોવખતની સૂચનાઓ અન્ય સંસ્થાઓની જેમ જ બીસીસીઆઈએ પણ માનવી પડતી હોય છે. આ ખેલ સંસ્થા હવે વિશ્વની ધનાઢ્ય ખેલ સંસ્થાઓની હરોળમાં આવી ગઈ હોવાથી તેને આવકવેરાના કાયદા હેઠળ આવરી લેવા તથા દેશનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય મેચો રમતી હોવાથી તેની કાનૂની અને કરવેરાની જવાબદારીઓ વધારવાની માંગ પણ વખતોવખત ઊઠતી રહે છે.
બીસીસીઆઈની સ્થાપનાને પણ ૯૮ વર્ષ થયા છે. વર્ષ ૧૯ર૮ માં રચાયેલી આ સંસ્થા આજે અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. બીસીસીઆઈની પ્રગતિયાત્રાની વાતો તો થતી જ રહે છે, પરંતુ તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં લેવાનારા એક નિર્ણયનો મુદ્દો ખેલજગત અને મીડિયા વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની એક બેઠકમાં 'કૂલીંગ ઓફ પીરિયડ'નો કડક નિયમ લાગુ કરવાનો નિયમ લાગુ કરવા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ, તેવા અહેવાલો પછી નિવૃત્તિ જાહેર કરીને વિદેશી લીગ મેચોમાં તરત જ જોડાઈ જતા બીસીસીઆઈની વિવિધ ક્રિકેટ ટીમોના ક્રિકેટરો પર અંકુશ લાવવાનો મુદ્દો 'ટોફ ઓફ ધ સ્પોર્ટસ વર્લ્ડ' બન્યો છે.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના એક ઓલરાઉન્ડર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી અને તરત જ વિદેશી લીગ મેચમાં જોડાયા હોવાના અહેવાલો આવ્યા, તે પછી 'સંન્યાસી' ક્રિકેટરોનો કૂલીંગ ઓફ પીરિયડ હેઠળ આવરી લેવાની ચર્ચા તેજ બની છે.
અહીં સંન્યાસી એટલે સંસારમાંથી સંન્યાસ લેનાર નહીં, પરંતુ બીસીસીઆઈ હેઠળ રમતા ક્રિકેટરો જ્યારે ચોક્કસ મેચો (વન-ડે, ટેસ્ટ, ટી-ર૦ વગેરે) માંથી નિવૃત્તિ જાહેર કરે, ત્યારે તેને તેટલા પૂરતો સંન્યાસ લીધો કહેવાય, કેટલાક ક્રિકેટરો તમામ પ્રકારની સત્તાવાર રમાતી બીસીસીઆઈના નેજા હેઠળની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરે તેને સંપૂર્ણ સંન્યાસ લીધો એવું કહી શકાય. આ પ્રકારની નિવૃત્તિની જાહેરાત સચિન તેંદુલકર સહિતના ઘણાં દિગ્ગજોએ કરી છે, પરંતુ તે પછી તેઓ કોઈ વિદેશી લીગ મેચમાં જોડાયા નથી, જો કે કેટલાક ક્રિકેટરો વિદેશી લીગમાં તત્કાળ જોડાવા માટે જ બીસીસીઆઈ અંતર્ગત રમાતી ટુર્નામેન્ટોમાંથી નિવૃત્તિ જાહેર કરતા હોવાનું ધ્યાને આવ્યા પછી હવે બીસીસીઆઈ 'કૂલીંગ ઓફ પીરિયડ'નો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ નિયમ એવો હશે કે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેેર કરનાર કોઈપણ ક્રિકેટર નિવૃત્તિના પાંચ વર્ષ સુધી કોઈપણ વિદેશી લીગમાં રમી શકશે નહીં, અને જો નિયમભંગ કરે તો તેને ભારતીય ક્રિકેટના કોઈપણ ભાગ કે પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં.
હકીકતે અત્યારની બીસીસીઆઈની નીતિ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અંતર્ગત ડોમેસ્ટિક ક્રિકેટ, આઈપીએલ કે આંતરરાષ્ટ્રીય મેચો-રમતોમાં કોઈપણ ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકતો નથી. જો એવું કર્યું હોય તો ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવો પડે. આ નીતિના કારણે જ કેટલાક ખેલાડીઓ પારિવારિક અને અન્ય અંગત કારણો અથવા ઉંમરના કારણે નહીં પણ વિદેશી લીગમાં રમવાના પ્રોફેશ્નલ હેતુથી જ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા હોવાનું જણાતા હવે બીસીસીઆઈ પાંચ વર્ષના કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવા જઈ રહ્યું હોવાના સંકેતો મળ્યા પછી આ મુદ્દો ખેલજગત અને મીડિયા જગતમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ આ જ કોન્સેપ્ટ અથવા ભૂમિકા હેઠળ રાજકીય ક્ષેત્ર પણ કેટલાક કડક નિયમો બનવા જોઈએ, તેવા સૂચનો થવા લાગ્યા છે.
વાસ્તવિક વયનિવૃત્તિ સુધીનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવો જોઈએ. આવું થાય તો રાજકીય ક્ષેત્ર બંધારણીય માર્ગે થતી અયોગ્ય રાજકીય બદવૃત્તિ અટકાવી શકાશે.
આ ઉપરાંત વયનિવૃત્ત થયા પછી કેટલાક ન્યાયવિંદે (જજો) ને પણ ટૂંક સમયમાં જ કોઈ રાજકીય પક્ષ તરફથી કોઈ માનનીય પદવી કે રાજ્યસભાના સભ્ય થવાની તકો અપાતી હોય છે, તેથી જજો માટે વયનિવૃત્તિ પછી પાંચ વર્ષનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવાની સિફારીશ પણ થઈ રહી છે.
આ ઉપરાંત ચૂંટણી કમિશનર, કેગ, કેન્દ્રિય એજન્સીઓના વડાઓ તથા અન્ય બંધારણીય સંસ્થાઓના ઉચ્ચ પદાધિકારીઓ માટે પણ નિવૃત્તિ પછી ચોક્કસ સમયનો એવો કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવો જોઈએ, જેથી લાલચ કે પ્રેસર આપીને તેઓનો રાજકીય ગેરલાભ લેવાની સંભાવના જ ન રહે. વિવિધ ચર્ચાઓના તારણોમાંથી નીકળતા આ સૂચનો ગંભીરતાથી વિચારવા જેવા ખરા..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલાર સહિત ગુજરાતમાં ઠેર-ઠેર ડ્રગ્સ, ગાંજો અને વિદેશી દારૂ અવારનવાર પકડાતો હોવાથી ગુજરાત નશીલા દ્રવ્યોનું પ્રવેશદ્વાર બની રહ્યું હોવાની ટીકા થઈ રહી છે અને આ મુદ્દે વિપક્ષો ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે... તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટો જથ્થો પકડાય, ત્યારે તંત્રની પીઠ થાબડીને રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી તથા ડ્રગ્સ માફિયાઓને ઝેર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હોય છે. આ ઉપરાંત રાજ્યમાં આ સંદર્ભે ચાલતી ઝુંબેશોની વિગતો પણ જાહેર થતી હોય છે, તેમ છતાં દિવસે દિવસે નશીલા દ્રવ્યોની હેરાફેરી વધી રહી હોય તો સમગ્ર સિસ્ટમ અને નેટવર્કમાં આમૂલ પરિવર્તનની જરૂર પણ રહે છે, ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારે કેટલાક કદમ ઊઠાવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
આ મુદ્દે અત્રેથી 'નોબત'ના તંત્રલેખો તથા વિશેષ અહેવાલોના માધ્યમથી પણ વખતોવખત કેટલાક સૂચનો કરાયા છે અને આ અંગે વ્યક્ત થતા જન-પ્રતિભાવો પણ વર્ણવાયા છે. અખબારો-મીડિયામાં આ મુદ્દો ઘણી વખત ચર્ચાના ચાકડે પણ ચડ્યો છે.
ગઈકાલે વહેતા થયેલા અહેવાલો મુજબ રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની સાડાપાંચસો કિલોમીટર લંબાઈ ધરાવતી બોર્ડર રેન્જનું નવેસરથી વર્ગિકરણ કર્યું છે, જેમાં નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ છે. આ વિભાજનના કારણે પાકિસ્તાન સાથેની ગુજરાતની સરહદ, દરિયાઈ સરહદ અને રાજસ્થાનને સંલગ્ન સરહદી ગુજરાતના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓનું સંકલન, પેટ્રોલીંગ અને મોનિટરીંગ વધુ મજબૂત અને ફૂલપ્રૂફ બનશે તેવો દાવો કરાયો છે.
ગુજરાતમાં લગભગ અઢીસો કિ.મી. લંબાઈની દરિયાઈ સરહદ છે, જ્યાંથી દાણચોરી, ઘૂસણખોરી અને આતંકવાદીઓના પ્રવેશની સંભાવના ઉપરાંત ગેરકાનૂની ચીજવસ્તુઓની હેરાફેરી તથા દુશ્મન દેશો દ્વારા જાસૂસી જેવી પ્રવૃત્તિઓની પ્રબળ શક્યતાઓ રહેતી હોય છે. ગુજરાત સાથે લગભગ ૪૦૦ કિ.મી.થી વધુ લંબાઈની પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ તથા રાજસ્થાનમાંથી થતી નશીલા દ્રવ્યોની હેરાફેરીના તમામ મુદ્દાઓને ધ્યાને લઈને રાજ્યના ગૃહવિભાગે નવી બનાસકાંઠા રેન્જ બનાવી હશે. આ રેન્જમાં કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, મોરબી જિલ્લાના સરહદી વિસ્તારોને સમાવાયા છે, જ્યારે રાજકોટે રેન્જમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લો તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોને સમાવાયા હોવાનું કહેવાય છે. આ વર્ગિકરણ પછી પાકિસ્તાન સરહદેથી ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી અને દાણચોરી જેવી પ્રવૃત્તિઓ ઉપરાંત સંભવિત આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રાજ્ય-કેન્દ્રની તમામ સુરક્ષા એજન્સીઓ નજર રાખશે.
આ વિભાજન પછી રાજ્ય પોલીસના વિવિધ વિભાગો, બોર્ડર પોલીસ, મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, એ.ટી.એસ. વગેરે એજન્સીઓ તથા કસ્ટમ્સ, નાર્કોટિક્સ સહિતની સંલગ્ન કેન્દ્રિય એજન્સીઓ સંકલિત રીતે કામ કરશે, તેવો દાવો કરાયો છે.
બીજી તરફ ગુજરાતમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટએ પણ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ ગંગેશ ડેલ્ટા નામની ભારત-બાંગલાદેશની સરહદેથી મહત્તમ ઘૂસણખોરી કરીને સમગ્ર ભારતમાં ફેલાઈ ગયેલા બાંગલાદેશીઓની ગેરકાયદેસરતા પૂરવાર કરીને તેઓને દેશનિકાલ કરવાનું આ દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટને સફળ બનાવવા તમામ એજન્સીઓ દિવસ-રાત મહેનત કરી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ માટે ગુજરાત સરકારે છેલ્લા ૬ મહિનાથી તૈયારી કરી હોવાનો દાવો પણ કરાયો છે.
થોડા મહિનાઓ પહેલા અમદાવાદના ચંડોળામાંથી ગેરકાયદે બાંગલાદેશીઓની વસાહતને હટાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા દબાણો દૂર કરાયા પછી હવે આ ઘૂસણખોરો કોઈ એક સ્થળે અને એક સાથે રહેવાના બદલે રાજ્યભરમાં છૂટાછવાયા ફેલાઈ ગયા છે, અને વિવિધ જિલ્લાઓમાં ભાડાના મકાનોમાં, લેબર કોલોનીઓમાં કે ઝુંપડપટ્ટીઓમાં રહેવા લાગ્યા હોવાના ઈનપુટ પછી રાજ્યભરમાં આ પ્રકારના શકમંદોની અટકાયતો કરીને તેઓની તપાસણી અને ચકાસણી કરાઈ રહી છે, અને જે શકમંદો અનધિકૃત વસાહતી ઘૂસણખોર પૂરવાર થઈ રહ્યા છે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરીને પરત મોકલી દેવાની કાર્યવાહી થઈ રહી છે. ઓપરેશન ડેલ્ટા હન્ટની તપાસનો રેલો હાલાર સુધી પહોંચ્યો છે અને ખંભાળિયા પછી સમગ્ર દરિયાઈ સરહદી વિસ્તારો સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ સઘન ઝુંબેશ ચાલી રહી હોવાના અહેવાલો પછી ફફડાટ વ્યાપ્યો હોવાના પણ અહેવાલો ચર્ચામાં છે.
રાજકોટ, ચોટીલા સહિતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાંથી ગેરકાયદે રહેતા બાંગલાદેશી શકમંદો દબોચાયા હોવાના અહેવાલો છે અને કેટલાક ઘૂસણખોરોએ પોતાની ઓળખ ઊભી કરવા નકલી ઓળખપત્રો કે દસ્તાવેજો ઊભા કર્યા હોય અથવા પારિવારિક કે લગ્ન-સંબંધો બાંધીને તેની આડમાં ભારતીયતા મેળવાના અથવા છૂપાવાના પ્રયાસો થયા હોય, તો તે દિશામાં સુરક્ષા એજન્સીઓ સંકલનથી કામ કરી રહી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. હાલારમાંથી પણ ડઝનેક શંકાસ્પદ ગેરકાયદે બાંગલાદેશીઓની સઘન પૂછપરછ ચાલી રહી હોવાનું કહેવાય છે. આ અંગે અધિકૃત રીતે જ્યારે સંપૂર્ણ વિગતો જાહેર કરાશે ત્યારે ઘૂસણખોરી કરવાની તરકીબો, મોડસ-ઓપરેન્ડી અને સંખ્યા બહાર આવશે. એવું કહેવાય છે કે, ઘૂસણખોરોને મદદ કરનાર, આશરો આપનાર કે મકાન-મિલકત ભાડે આપનાર સામે પણ કાનુની પગલાં લેવાશે.
હમણાંથી આગ-અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને દિલ્હી-બિહારની કરૂણાંતિકાઓની સાથે ગુજરાતની તક્ષશીલા અને રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનના અગ્નિકાંડોની યાદ પણ તાજી થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે એક વખત ફરીથી ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓની સઘન તપાસ કરવાની જરૂર છે. આ મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા જિલ્લા તંત્રો વચ્ચે સુદૃઢ સંકલનની જરૂર રહે છે, કારણ કે અત્યારે જે ખામીઓ રહી જાય છે, અને સંભવિત ભ્રષ્ટાચાર અને લાપરવાહી ઉપરાંત જવાબદારીઓની ફેંકાફેંકી થતી હોવાથી પણ આ પ્રકારની દુર્ઘટનાઓને સંપૂર્ણપણે અંકુશિત કરી શકાતી નથી. રાજ્યની બોર્ડર પરથી કેફી દ્રવ્યો જ નહીં, ગુનેગારો, ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓ તથા તેના એજન્ટોને પણ દબોચવામાં આવે અને એજન્ટો તથા કેરિયરોને પકડી સંતોષ માનવાના બદલે તેના મૂળિયા સુધી પહોંચીને ડ્રગ માફિયાઓ તથા દેશની વિરૂદ્ધ કાવતરા કરતા પરિબળોની ધરી તોડવાની જરૂર છે, જેમાં ભ્રષ્ટ નેતાગણ, બ્યુરોક્રેટ્સ અને સ્થાનિક બૂટલેગરો સામેલ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક સમય હતો, જ્યારે મમતા બેનર્જી પ. બંગાળમાં સર્વેસર્વા હતાં અને કેન્દ્રની મજબૂત સરકારોને પણ હંફાવતા હતાં. લગભગ દોઢ દાયકાના શાસન દરમિયાન તેણીએ કેન્દ્રમાં પહેલા યુપીએ સરકાર અને પછી એનડીએ સરકાર સામે કેટલાક મુદ્દે બાથ ભીડી હતી. કેન્દ્રિય એજન્સીઓને પ. બંગાળમાં જઈને કાર્યવાહી કરવમાં ધોળે દિવસે તારા દેખાતા હતાં, તો ગત કેટલીક ચૂંટણીઓ સમયે કેન્દ્રિય ગૃહમંત્રીને પણ હંફાવ્યા હતાં, અને કેટલાક મુદ્દે એનડીએના નેતાઓને પણ અદાલતનો આશરો લેવો પડી રહ્યો હતો.
એ જ મમતા બેનર્જી અત્યારે પોતાના જ પક્ષમાં એકલા-અટુલા પડી ગયા હોય, તેમ જણાય છે. પ. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી તૃણમુલ કોંગ્રેસમાં દબાયેલો તીવ્ર અસંતોષ સ્પ્રીંગની જેમ ઉછળ્યો અને વિધાનસભામાં ચૂંટાયેલા તૃણમુલ કોંગ્રેસના ૮૦ માંથી પ૯ ધારાસભ્યોએ મમતા બેનર્જીના બદલે ઋતબ્રત બેનર્જીને સમર્થન આપ્યું છે. પાર્ટી દ્વારા નક્કી થયા, તે નેતાના બદલે વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ અધ્યક્ષે પ૯ ધારાસભ્યોનું સમર્થન ધરાવતા ઋતબ્રત બનર્જીને ફાળવી દીધા પછી પ. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની હાલત પણ મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેની શિવસેના જેવી થઈ ગઈ છે. મીડિયા ડિબેટીંગમાં ઋતબ્રત બેનર્જીને એકનાથ શિંદે સાથે સરખાવાઈ રહ્યા છે અને આ બધો ખેલ પડદા પાછળથી ભારતીય જનતા પક્ષનો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો આ વિદ્રોહ માટે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જવાબદાર ગણાવી રહ્યા છે.
એવું કહેવાય છે કે, ઋતબ્રત બેનર્જીને મમતા બેનર્જીએ પાર્ટીમાંથી કાઢી મૂક્યાની જાહેરાત કરી હોવા છતાં ઋતબ્રત બેનર્જી સહિતના ધારાસભ્યો હજુ પણ મમતા બેનર્જીને તો પોતાના નેતા માને છે, પરંતુ તેને અભિષેક સામે વાંધો છે. આ કારણે જ લગભગ ૬૦ બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભામાં જુદો ચોકો જમાવીને તૃણમુલ કોંગ્રેસનું વિધાનસભા પક્ષનું નેતૃત્વ જ મમતા બેનર્જી પાસેથી આંચકી લીધું છે. અટકળો તો ત્યાં સુધી થઈ રહી છે કે પક્ષાંતર વિરોધી કાયદા મુજબ બે-તૃતીયાંશથી વધુ ધારાસભ્યોનું સમર્થન મેળવીને ઋતબ્રત બેનર્જીએ આખેઆખી તૃણુમલ કોંગ્રેસ જ મમતા-અભિષેક પાસેથી આંચકી લીધી છે.
અત્યારે પાનખરમાં ખરી પડતા પીપળાના પાનની જેમ મમતા બેનર્જી પણ ખરી રહેલા પીપળાના પાનની હાંસી ઊડાવતી પીપળાની જ તાજી ફૂટલી કુંપણીઓ સમાન ઋતબ્રત બેનર્જી સહિતના બળવાખોરોને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બદલાયા અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પછી આખરે સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું અને તેના સ્થાને ડી.કે. શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા. ગઈકાલે નવા મંત્રીમંડળે શપથ લીધા. આ ઘટનાક્રમ પછી મનમાંને મનમાં કદાચ સિદ્ધારમૈયા પણ પીપળાના પાનની જેમ શિવકુમારને ઉદ્દેશીને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા'.
આ કાવ્યપંક્તિનો સારાંશ એવો છે પાનખરમાં ઘરડા થઈ ગયેલા પીપળાના સૂકાયેલા પાન ખરી પડે, ત્યારે એ જ વૃક્ષમાં નવી નવી ઉગેલી કુમળી કુંપણો ખરતા પાનની હાંસી ઊડાવતી હોય અને ખરતા પાન તે કુંપણીને કહેતા હોય કે આજે અમારા પર વિતી રહી છે, તેવી સ્થિતિ તમારી પણ આવશે. ધીરજ રાખજો...
કવિની આ કલપનામાંથી બોધપાઠ એવો નીકળે છે કે કોઈની નબળી સ્થિતિ કે કોઈપણ કારણે કોઈની દૂર્દશા ચાલી રહી હોય, ત્યારે તેની મજાક ઊડાવવી કે અપમાન કરવું યોગ્ય નથી, કારણ કે એવી જ સ્થિતિ આપણી પણ આવવાની શક્યતા હોય છે, અને એ જ કુદરતનો ક્રમ છે.
અત્યારે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત લગભગ બે ડઝન રાજ્યોમાં ભાજપનું શાસન છે, અને તે રાજ્યોની સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં પણ ભાજપનું વર્ચસ્વ છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. લોકસભામાં ભાજપને બહુમતી મળી નથી, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમારની પાર્ટીઓ તથા કેટલાક અન્ય પક્ષોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સમર્થન છે. આ સંજોગો અત્યારે દેશના મહત્તમ રાજ્યોમાં ભાજપનો દબદબો દર્શાવે છે. બીજી તરફ પ. બંગાળમાં જે ઘટનાક્રમ સર્જાયો છે, તેમાંથી બોધપાઠ લઈને એનડીએના નેતાઓએ પણ મમતા બેનર્જી કે તૃણમુલ કોંગ્રસની મજાક ઊડાવવા કે વ્યંગ કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે કવિ કહે છે કે, પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુ જ બિતશે... ધીરી કુંપણીયા...
જામનગર અને હાલારના કેટલાક હાંસિયામાં ધકેલાયેલા દિગ્ગજ નેતાઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો પણ વિચારતા હશે કે 'પીપળ પાન ખરતા-હસતી કુંપણીયા!'
બધાના દાયકા આવે છે અને જાય છે. એ જ પ. બંગાળમાં ડાબેરી પક્ષોએ ત્રણ દાયકાથી વધુ એકચક્રીય શાસન એ જ બંગાળી જનતાના જનાદેશથી ભોગવ્યું હતું, અને તે પછી તેવી જ મજબૂતીથી તૃણમુલ કોંગ્રેસે દોઢ દાયકા જેટલું શાસન ભોગવ્યું હતું. આ જ બંગાળી જનતાએ આ વખતે ભાજપને ચાન્સ આપ્યો છે, ત્યારે એ દિમાગમાં રાખવાની જરૂર છે કે એ જ બંગાળની જનતાને સંતોષ નહીં થાય તો ફરીથી પરિવર્તન લાવી શકે છે, અને ભાજપને પણ ઘેર બેસાડી શકે છે.
આખરે ભારતીય જનતા પક્ષનો સૂરજ મધ્યાન્હે છે, અને કેન્દ્રિય કક્ષાએ કદાચ એેક કિચન કેબિનેટ તથા સંગઠનમાં એક ત્રિપુટીનો દબદબો છે, ત્યારે એક-દોઢ દાયકા પહેલા જેનો દબદબો હતો, તેવા માર્ગદર્શક મંડળમાં મૂકાયેલા અડવાણી-મુરલીમનોહર જોષી જેવા એક સમયના ભાજપના સર્વેસર્વા હતાં, તેવા નેતાઓ પણ મનોમન કહેતા હશે કે, પીપળ પાન ખરંતા, હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો પૂનરાવર્તનનો પવન ફૂંકાયો અને મતદારોએ મહત્તમ જનાદેશ આપ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકામાં નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, ત્યારે પૂર્વ મેયરો તથા ચેરમેનો પણ કહેતા હશે કે 'પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રશિયાએ કીવને ખેદાન-મેદાન કરી નાંખે તેવા હુમલા કર્યા તો ઈઝરાયલે લેબેનોન તથા હમાસ પર એટેક કર્યો, અને બીજી તરફ ઈરાને મીડલ ઈસ્ટમાં કૂવૈત, દુબઈ પર આક્રમણ શરૂ કર્યું હોવાના તથા અમેરિકાએ કેશ્મ ટાપુ પર વળતો હુમલો કર્યો હોવાના અહેવાલો જોતા નજીકના રાજ્યમાં યુદ્ધો અટકે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે મુક્ત થાય, તેવું લાગતું નથી, અને આ જ કારણે વિશ્વભરમાં ચિંતા વ્યાપી છે. ભારતમાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાના થતા રહેલા દાવા છતાં જો આ બધા યુદ્ધો લંબાય તો ઘણી જ કપરી સ્થિતિ સર્જાય તેમ હોવાથી સરકાર અને પબ્લિકે સાથે મળીને ઈંધણના કરકસરપૂર્વકના ઉપયોગ તથા ઈ.વી. તથા પરંપરાગત ઊર્જાના સ્થાને સૌર ઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ, તેવી અપીલો થઈ રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષો પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિમાં સમતુલન જાળવવા અને મોંઘવારી અંકુશમાં રાખવામાં મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાની તડાપીટ બોલાવી રહી છે, કારણ કે ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થવા લાગતા પબ્લિક પરેશાન છે અને કચવાટ વ્યાપી રહ્યો છે.
આજે વિશ્વ સાયકલ દિવસ મનાવાઈ રહ્યો છે, અને સાયકલની પ્રગતિ યાત્રા વર્ણવાઈ રહી છે, તેની સાથે સાથે સાયકલના લોકલ પરિવહન માટે ઉપયોગ વધારીને પ્રવર્તમાન ઈંધણની ક્રાઈસીસની સ્થિતિમાં સહયોગી બનવાની સલાહ પણ અપાઈ રહી છે, તો બીજી તરફ હજુ પણ મોંઘવારી વધશે, તેવા મતલબના એક રિપોર્ટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે ગઈકાલે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉત્તરોત્તર વધારો થતા ભારતીય ઈકોનોમિ પર ફૂગાવાજન્ય પ્રેસર વધશે. આ કારણે આગામી થોડા મહિનાઓમાં પરિવહન, પ્રવાસન અને ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થશે, જેથી મોંઘવારી બેકાબૂ બનશે. આ રિપોર્ટમાં કરાયેલા દાવાઓ ચિંતા વધારનારા છે. આગામી અઠવાડિયામાં કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્રણ રૂપિયા જેટલો વધારો ઝીંકાય અને જો વૈશ્વિક ક્રૂડના ભાવોમાં સ્થિરતા રહેશે તો પણ છૂટક મોંઘવારી દરમાં ૦.૩૬ ટકાનો વધારો થઈ શકે છે, જે વધીને ૦.૪૮ ટકા સુધી પહોંચી શકે છે.
આપણાં દેશમાં હજુ પણ બળદગાડા, ઘોડાગાડી તથા ઉત્તરભારતમાં અન્ય પ્રાણીઓ જોડીને ચાલતા સાધનો દ્વારા દુર્ગમ વિસ્તારોમાં પરિવહન થાય છે, તો સાયકલ, ટ્રાઈસિકલ અને પેડલરિક્ષાઓ દ્વારા સ્થાનિક પરિવહન પણ હજુ થઈ રહ્યું છે, તેમ છતાં માલસામાનનું પરિવહન ૭૧ ટકા જેટલું સડક-પરિવહન કરતા વાહનો દ્વારા થાય છે, તો વિદેશી ઈંધણ પર નિર્ભર ૪ર ટકા પરિવહન ઉપરાંત હવાઈ અને દરિયાઈ પરિવહન માટે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત અનિવાર્ય રહે છે, જે અર્થતંત્ર પર દબાણ ઊભું કરે છે.
આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, પરિવહન ખર્ચ વધવાથી લોકોની મૂળભૂત જરૂરિયાતો જ મોંઘીદાટ થઈ શકે છે. રસોડાની ચીજવસ્તુઓ, દૂધ અને તેની બાય-પ્રોડક્ટ્સ, ચા-કોફી, મસાલા, કઠોળ, ફળો અને શાકભાજી સહિત જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મોંઘીદાટ બની શકે છે.
આ રિપોર્ટનેે ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ માત્ર રસોડાની જ નહીં, જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થશે, જેમાં ટેક્ષટાઈલ્સ, વુડન ઈન્ડસ્ટ્રીઝ, ઈલેક્ટ્રોનિક્સ સિમેન્ટ, કોલસો, ધાતુઓ, સિરામિક્સ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થતા અને રસાયણો, કોલ્ડ-સ્ટોરેજ તથા વીજ પુરવઠો મોંઘો થતા થોડા મહિનાઓ પછી મોંઘવારી હાહાકાર મચાવશે, તેવી દહેશત છે.
બીજી તરફ સરેરાશ મોંઘવારી દર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નક્કી કરેલા માપદંડો હજુ જળવાઈ રહ્યા છે, અને એકંદરે મોંઘવારી દર રિઝર્વ બેંકના ચાર ટકાના માપદંડથી નીચે છે, પરંતુ થોડા મહિનાઓમાં મોંઘવારી આ માપદંડને ઓળંગી જશે, તેવી જે આશંકા વ્યક્ત થઈ રહી છે, જેને અવગણવા જેવી નથી.
એક અંદાજ મુજબ ચાર ટકાનો માપદંડ ઓળંગી ગયા પછી મોંઘવારી બે થી છ ટકાની વચ્ચે રહેશે. આરબીઆઈ મોંઘવારીમાં વધારો, સ્થાનિક અપેક્ષાઓ, ડિમાન્ડ એન્ડ સપ્લાઈ, અલનીનો, નબળા ચોમાસાની સંભાવના તથા હવામાનને સંલગ્ન બાબતો પર નજર રાખી રહી છે અને ઈકોનોમિ ક્રેશ ન થઈ જાય અને પબ્લિકને શક્ય તેટલી રાહત થાય, તેવા કદમ ઊઠાવી રહી છે, તેમ છતાં ચોતરફથી ઊભા થઈ રહેલા પડકારો તથા વૈશ્વિક કક્ષાએ અશાંતિ, યુદ્ધો અને કુદરતી આફતો તથા ઘરઆંગણે તે ઉપરાંત ચોમાસાની અનિયમિતતા, પ્રાકૃતિક આપદાઓ અને સરકારી નીતિઓમાં સંભવિત ફેરફારોના કારણે મોંઘવારી બેકાબૂ બની જશે, તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. આ તમામ કારણે ખાધ વધશે, જે અર્થતંત્રને ડામાડોળ કરી દેશે, તેવી આશંકા પણ રહે છે. તે ઉપરાંત સુપર અલનીનોની ભારતને થનારી સંભવિત ખતરનાક અસરોથી પણ મોંઘવારી વધી શકે છે.
આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા 'રેવડી' વહેંચવાની વૃત્તિ પણ દેશના અર્થતંત્ર પર નવું દબાણ ઊભું કરી શકે છે. તમિલનાડુમાં 'વિજય' સરકારે ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવા જે નિર્ણયો લીધા છે, તેથી ત્યાંની પબ્લિકના કેટલાક વર્ગોને તો લાભ થશે, પરંતુ રાજ્યનું અર્થતંત્ર નબળું થતા તેનું પ્રેસર અંતે રાષ્ટ્રીય કક્ષા સુધી રહેશે, તેવી જ રીતે મહારાષ્ટ્ર સરકારે સહકારી ક્ષેત્રના રૂ।. બે લાખ સુધીના દેવા માફ કરવાના કરેલા નિર્ણય તથા પ. બંગાળમાં ભાજપ સરકારે કરેલા વાયદા પૂરા કરવા જે નિર્ણયો લેવાશે, તે પણ સંબંધિત રાજ્યોની ઈકોનોમિને અસર કરશે, જેનું અંતિમ પ્રેસર રાષ્ટ્રીય કક્ષાએ આવશે. આ તમામ કારણોસર આગામી સમયમાં મોંઘવારી માઝા મૂકશે, તેવી અટકળો થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતના રાજકારણમાં કોઈએ ધાર્યો નહીં હોય તેવો બદલાવ જોવા મળી રહ્યો છે, અને તૃણમુલ કોંગ્રેસમાં ભાગંભાગ તથા શિસ્તભંગના પગલાં લેવાયા પછી હવે પ. બંગાળના એ જ તંત્રો હવે તૃણમુલ કોંગ્રેસના નેતૃત્વની સામે કાર્યવાહી કરી રહ્યા છે, જે તંત્રો દોઢ દાયકાથી મમતાદીદીનો પડ્યો બોલ ઝીલતા હતાં. એવું કહેવાય છે કે પક્ષાંતર વિરોધી કાનૂન લાગુ પાડી શકાય નહીં, તેવી રીતે 'નિયમાનુસાર' કેટલાક ધારાસભ્યો તથા સંસદસભ્યોના જુથો પ. બંગાળની વિધાનસભા તથા સંસદમાં પાટલી બદલવાની તૈયારીમાં છે, અને આમ આદમી પાર્ટી રાજ્યસભામાં તૂટી, તેેવી જ રીતે પ. બંગાળમાં પણ 'ખેલા હોને વાલા હૈ...'
કોંગ્રેસે કર્ણાટકનો કકળાટ માંડ માંડ નિપટાવ્યા પછી હવે અન્ય કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક કક્ષાએ ચાલી રહેલી આંતરિક ખેંચતાણ પર અંકુશ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પંજાબના પ્રાદેશિક નેતાઓને દિલ્હીનું તેડું આવ્યા પછી હવે કોંગ્રેસની હાઈકમાન્ડ અન્ય રાજ્યોમાં પણ સંગઠનને પુનઃ ચેતનવંતુ બનાવવાની વ્યૂહરચના ઘડી રહી હોય તેવું લાગે છે. કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય મેળવવો જ પડે તેમ છે, કારણ કે સતત ચૂંટણીઓ હાર્યા પછી કોંગ્રેસની સ્થિતિ ધીમે ધીમે પ્રાદેશિક કક્ષાના હારેલા પક્ષો કરતાયે બદતર બની રહી છે, તેથી હવે કોંગ્રેસે કોઈ એવી આક્રમક અને આયોજનબદ્ધ રણનીતિ ઘડી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેમાં કોગીજનોમાં નવો જુસ્સો અને ઉત્સાહ વધારી શકાય.
દિલ્હી ગુમાવ્યા પછી હવે આમ આદમી પાર્ટી પણ સંઘર્ષ કરી રહી છે અને પંજાબમાં રાજ્યની સત્તા સંભાળવાની સાથે સાથે દેશવ્યાપી પ્રસાર-પ્રચાર અને વ્યાપ વધારવાના પ્રયાસો કરી રહી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલાક સ્થળે નોંધપાત્ર સફળતા મળ્યા પછી હવે ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦ર૭ ની ચૂંટણીની તૈયારી થઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીને તેનું વેરવિખેર સંગઠન નવેસરથી સમારવું પડે તેમ છે.
ભારતીય જનતા પક્ષના દક્ષિણ ભારતના એક દિગ્ગજ નેતા હવે પોતાની પાર્ટી અથવા નવું સંગઠન ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાના અહેવાલો પછી વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપાને દ. ભારતમાં પહેલા કોળિયે માખી આવી હોય, તેવો ઘાટ સર્જાયો છે, તો બીજી તરફ સુપ્રિમ કોર્ટમાં થયેલી એક ટિપ્પણીના શબ્દોને પકડીને વિદેશમાં હાલમાં વસી રહેલા એક યુવાને ઓનલાઈન ઝુંબેશ ચલાવ્યા પછી સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી રચીને શરૂ કરેલું કેમ્પેઈન હવે પોતાને વિશ્વની સૌથ્ી મોટી પાર્ટી ભાજપને પડકાર ફેંકી રહ્યું છે, જેથી ભાજપ સામે પડકાર વધ્યો છે. એવું કહેવાય છે કે જૂનના પહેલા અઠવાડિયામાં જ વંદા પાર્ટીના અધ્યક્ષ અભિજિત ઈયકે ભારતમાં આવશે અને મોદી સરકાર સામે આંદોલનના મંડાણ કરશે. તેમણે દિલ્હીમાં એક વિશાળ આંદોલન કરીને બંધારણીય માર્ગે પેપરલીકના જવાબદાર કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવાની તૈયારી બતાવીને સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સને આહ્વાન કર્યું હોય, તો તે એક નવો અને અનોખો પડકાર હશે.
ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે ટોપ ટુ બોટમ ખેંચતાણ અને ખટરાગ સામે આવી રહ્યો છે. ક્યાંક ભાજપના સાંસદ જ જિલ્લા કક્ષાના ભાજપના નેતાઓની પોલ ખોલી રહ્યા છે, તો ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અંતરઘાત થયો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બમ્પર વિજય પછી નવા પદાધિકારીઓની નિયુક્તિમાં વાર લાગી, અને તે પછી જે નિર્ણયો લેવાયા, તે પછી હવે એક તરફ નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વર્ષોથી વફાદારીપૂર્વક એક્ટિવ રહેલા કેટલાક જુના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ-નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ જણાય છે.
દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પક્ષમાં પણ હવે હાઈકમાન્ડ સર્વોપરિ છે, અને આંતરિક લોકતાંત્રિક વ્યવસ્થાઓની સિસ્ટમ હોવા છતાં (ઉપરના આદેશ મુજબ) પાર્ટીના પદાધિકારીઓની બિનહરિફ અથવા સર્વાનુમત્તે થતી વરણીઓ થઈ રહી છે. આ કારણે ધીમે ધીમે વધી રહેલો છૂપો આંતરિક અસંતોષ ક્યારેક સ્પ્રીંગની જેમ ઉછળશે અથવા અચાનક મોટો ધડાકો થશે, કે પછી અસંતોષનો જવાળામૂખી સંગઠનને છીન્ન-ભિન્ન કરી નાંખશે, તેવી માન્યતા ધરાવતા લોકો કહી રહ્યા છે કે, 'જસ્ટ વેઈટ એન્ડ વોચ...'
મોંઘવારી, બેરોજગારી, દાદાગીરી તથા એકતરફી રાજનૈતિક પ્રવાહોની વચ્ચે લોકશાહી રૂદન કરી રહી હોય અને પોલિટિકલ પાર્ટીઓ લોકતાંત્રિક વ્યવસ્થાઓના નામે ડ્રામેબાજી કરી રહી હોય, ત્યારે કોઈપણ નવો શક્તિશાળી વિકલ્પ ઉભરી આવે, તો લોકો તેના તરફ ખેંચાતા હોય છે. કોંગ્રેસના દાયકાઓના શાસન પછી લોકોએ છેલ્લા દસ-બાર વર્ષથી દેશમાં ભારતીય જનતા પક્ષનો ભરોસો કર્યો, પરંતુ દિલ્હીની જનતાએ તે સમયે જ આમ આદમી પાર્ટીનો ભરોસો કર્યો. આમ આદમી પાર્ટીના ઉદય પછી લોકોને પોતાની જ પાર્ટી હોય તેવો અહેસાસ થયો અને આજે યુવાવર્ગ જેવી રીતે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાવા લાગ્યો છે, તેવી જ રીતે વર્ષ ર૦૧પ માં યુવાવર્ગ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયો હતો. આમ આદમી પાર્ટીનો પંજાબમાં પણ વિજય થયા પછી જે કોઈ ખેલ રચાયા, એ આપણે જોયા જ છે. હવે આમ આદમી પાર્ટી માત્ર પંજાબમાં જ શાસન ધરાવે છે, અને કેટલાક સ્થળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી નવો આશાવાદ જાગ્યો છે, પરંતુ હવે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ઝુંબેશ હવે સૌથી વધુ આમ આદમી પાર્ટીને પ્રભાવિત કરશે, તેવું લાગે છે. આનું કારણ એ છે કે દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જ અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીમાં પ્રામાણિક, શુદ્ધ અને પારદર્શક રાજનીતિના સિદ્ધાંતો અપનાવીને જે લોકો પોતાની ઉજ્જવળ કારકિર્દી, પ્રતિષ્ઠિત પદો કે ઉચ્ચ પગારની નોકરીઓ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, તેઓ હવે ધીમે ધીમે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા હોય તેવું લાગે છે. દસ-બાર વર્ષ પહેલા અનોખા તરવરાટ સાથે જે યુવાવર્ગ આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, અને અત્યારે થોડો પરિપકવ અને ચાલીસીની ઉંમરે પહોંચ્યો છે, તેવો વર્ગ પણ હવે કદાચ નવા વિકલ્પ તરીકે કોકરોચ જનતા પાર્ટીને નિહાળી રહ્યો હોય તેવું બની શકે છે.
વિશ્લેષકો આ પ્રકારની તમામ અટકળો વચ્ચે જુદા જુદા તારણો કાઢી રહ્યા છે, પરંતુ નવા નવા વિકલ્પો જ્યારે નિષ્ફળ જશે, ત્યારે 'ઓલ્ડ ઈઝ ગોલ્ડ'ની જેમ દેશની જનતાને સાચા સોનાની પરખ થશે, તેવા દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે ૬ઠ્ઠી જૂનની રાહ જોવી રહી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી કોમર્શિયલ એલ.પી.જી.ના ભાવમાં વધારો ઝીંકાયો છે. ફરીથી આ વધારો થતા હોટલ-રેસ્ટોરન્ટ-ભોજનાલયોથી લઈને હોસ્ટેલો-વિદ્યાર્થી ભવનોમાં રહેતા વિદ્યાર્થીઓ-નોકરિયાતો વગેરેના ખિસ્સા પર અસરો પડશે અને પેટ્રોલ-ડીઝલ-એલપીજી-સીએનજી સહિતના ઈંધણમાં સતત થઈ રહેલો ભાવ વધારો હવે સામાન્ય જનતા માટે અસહ્ય બની રહ્યો છે. તો બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ઈંધણ અને ઊર્જાના મુદ્દે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે.
દેશમાં કોઈ મોટા વિકાસ પ્રોજેક્ટો આકાર લેતા હોય, ઓપરેશન સિંદૂર જેવા સેનાના પરાક્રમોના કારણે ભારતનો વિજય થતો હોય કે પ. બંગાળ જેવી અભૂતપૂર્વ જીત ભારતીય જનતા પક્ષે હાંસલ કરી હોય, કે પછી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો કેસરિયો લહેરાયો હોય, ત્યારે જેવી રીતે તેની ક્રેડિટ પ્રવર્તમાન વડાપ્રધાનને આપીને મીડિયા-સોશિયલ મીડિયામાં તેઓને નવાજવામાં આવતા હોય છે, તેવી જ રીતે આજે જ્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને ઈંધણના ભાવો આસમાનેે જઈ રહ્યા છે, ત્યારે તેની સામાન્ય જનતાને પડતી વિપરીત અસરોના સંદર્ભે પણ અંતે તો પબ્લિક વડાપ્રધાન અથવા કેન્દ્ર સરકારને જ જવાબદાર ગણતી હોય છે, જેથી ધીમે ધીમે દેશમાં એન્ટી ઈન્કમ્બન્સી ઊભી થઈ રહી છે, અને તેને હવે અંડર એસ્ટીમેટ કરવા જેવી નથી.
એક તરફ માઝા મુકતી મોંઘવારી અને બીજી તરફ બેકારીના કારણે પણ કેટલુક યુવાધન ગુનાખોરીના માર્ગે વધુને વધુ ધકેલાઈ રહ્યું છે. એટલું જ નહીં, હવે જેન ઝી માં વધી રહેલો અસંતોષ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત થયેલી જનતાની નારાજગી ઉપરાંત હતાશા અને નિરાશામાં યુવાનોમાં આત્મહત્યાના વધી રહેલા બનાવો પણ માત્ર સરકાર જ નહીં, સમાજ માટે પણ લાલબત્તી સમાન છે.
ગુજરાતથી ડ્રગ્સની થતી હેરાફેરીનો મુદ્દો પણ હવે ધીમે ધીમે પડકારરૂપ બનતો જાય છે, અને તેની સાથે સાથે રાજ્યના યુવાધનમાં વધતી જતી શરાબ અને ડ્રગ્સની બદી પણ ચિંતાજનક બની છે. યુવાવર્ગને ડ્રગ્સના રવાડે ચડાવીને તેની પાસે ગેરકાનૂની ગોરખધંધા કરાવવાની મોડસ ઓપરેન્ડી તથા સંગઠીત અપરાધોમાં ઉચ્ચ કક્ષા સુધી (ટોપ ટુ બોટમ) સાઠગાંઠના કારણે શાંતિપ્રિય ગુજરાત ધીમે ધીમે પોતાની આગવી ઓળખ ગુમાવીને ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ જણાય છે.
ગુજરાત ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે, તેમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો-વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ ઉપરાંત હવે પ્રવર્તમાન સંજોગોમાં ઈંધણ-ઊર્જાની કૃત્રિમ અછત, કાળાબજાર અને સતત ભાવવધારાના કારણે ઊભો થઈ રહેલો અસંતોષ પણ કાંઈક અંશે જવાબદાર છે. બીજી તરફ ખોબલે ખોબલે મતો આપીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા સૂકાન જે પાર્ટીઓને સોંપ્યું છે, તે ભારતીય જનતા પક્ષ અને એનડીએ પાસેથી લોકોની આકાંક્ષાઓ પણ વધી રહી છે. તેથી ગુજરાત અને કેન્દ્ર સરકારે આ મુળભુત મુદ્દાઓ તરફ વધુ લક્ષ્ય આપવું અત્યંત જરૂરી છે.
પ્રવર્તમાન સંજોગો વચ્ચે આ વર્ષે ચોમાસું નબળુ રહેશે અને અલનીનોની વિપરીત અસરોની સંભાવનાઓ સાથે કેટલોક આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે, પરંતુ અત્યારની ગરમી, બફારો અને કેટલાક સ્થળે થયેલા ચોમાસા પહેલાના (પ્રિ-મોન્સુન) વરસાદના કારણે આ વર્ષે ખેતી તથા પાક-પાણીની સ્થિતિ અંગે પણ દ્વિધા પ્રવર્તી રહી છે, તેથી આ સ્થિતિમાં પ્રજા સરકાર પાસેથી રાહત અને મદદની આશા રાખે તે સ્વાભાવિક છે, પરંતુ જો આ જ રીતે ભાવવધારો થતો રહ્યો, અને મોંઘવારી વધતી રહી, તો જનાક્રોશ જેન ઝી જેવા આંદોલનોમાં પરિણમે તેવી સંભાવનાઓ પણ ચર્ચામાં છે.
રાજકીય પક્ષો ભલે રાજનીતિ કરતા રહે, અને રાજ્યસભાની ચૂંટણીઓમાં પોતાના વાસ્તવિક સંખ્યાબળના કારણે મળતી બેઠકો ઉપરાંત વધુને વધુ બેઠકો મેળવવા ભલે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાતી રહે, પરંતુ જો જનતાને પરેશાન કરતી આ મૂળભૂત સમસ્યાઓ અને ચિંતાઓનું નિરાકરણ નહીં આવે તો એક કવિની પંક્તિઓ જેવી સ્થિતિ ઊભી થશે, જેમાં કહેવાયું છે કે જે દિવસે જનતાની જઠરાગ્નિ જાગશે, તે દિવસે ભસ્મકણી પણ... હાથ નહીં આવે...
આજે એલપીજીના કોમર્શિયલ બાટલામાં રૂ।. ૪ર સુધીનો વધારો થયો, અને નાના બાટલામાં પણ ભાવવધારો કરાયો તેથી નાના-ગરીબ-મધ્યમ વર્ગને હાલાકી ભોગવવી પડી રહી છે. ભલે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ વધારો કરાયો ન હોય, પરંતુ કોમર્શિયલ ગેસનો ભાવવધારો અંતે તો સામાન્ય જનતાને જ ખમવો પડતો હોય છે, તેથી હવે રાજ્ય-કેન્દ્ર સરકારે જનતાને વાસ્તવિક રાહત પહોંચાડવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસું થોડું નબળું રહેશે, પણ દુષ્કાળ નહીં પડે, તે પ્રકારની મિશ્ર આગાહી કરી હોવાથી તેની અસરો કૃષિ આધારિત માર્કેટ પર પડવાની છે, તો બીજી તરફ ઈરાન-અમેરિકા અને રશિયા-યુક્રેેન યુદ્ધ પછી ઈઝરાયલ દ્વારા લેબેનોન તથા હવે ગાઝાપટ્ટીમાં હમાસ પર હુમલાના તાજેતરના પ્રયાસો પછી વધી રહેલી વૈશ્વિક અશાંતિની સીધી અસરો ગ્લોબલ માર્કેટ અને ઈકોનોમી પર પડી રહી છે.
અલનીનોની અસરના કારણે આ વર્ષે ભારતમાં ૯૦ ટકા (પ્લસ-માયનસ ૪ ટકા) વરસાદ થશે, તેવું અનુમાન કરાયું છે, જ્યારે ગત્ ચોમાસામાં એકંદરે ૧૦૮ ટકા જેટલો વરસાદ પડ્યો હતો. આ વખતે ઉનાળો ઘણો જ ગરમ છે અન તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે તથા ઘણાં જળાશયો અત્યારથી જ ખાલી થવા લાગ્યા હોવાથી આવતા વર્ષે (આ ચોમાસા પછી) તદ્ન ખાલીખમ જળાશયોમાં ઓછા વરસાદના કારણે જળસંગ્રહ પણ ઘટી જશે, તથા ભૂગર્ભ જળસપાટી પણ નીચી જશે, તેથી આગામી વર્ષો કપરા પૂરવાર થશે. આ કુદરતી સ્થિતિની વિકટતા ઉપરાંત પ્રવર્તમાન વૈશ્વિક અશાંતિના પરિણામે અર્થતંત્ર, વ્યાપાર, ઉદ્યોગ અને રોજગારીની દૃષ્ટિએ પણ આગામી વર્ષો પડકારજનક રહેશે. બેકાબૂ મોંઘવારી અને નબળા વર્ષના કારણે દેશની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. નબળા ચોમાસાના કારણે મોંઘવારીનો દર ચાલુ ક્વાર્ટર પછી સાડાપાંચ ટકાને ઓળંગી જશે, તેવા અનુમાનોએ પણ ચિંતા વધારી દીધી છે.
કેન્દ્રિય સરકારી વિભાગો આવી રહેલી વિકટ સ્થિતિ અંગે અત્યારથી જ સંકલન કરીને માસ્ટર પ્લાન ઘડી કાઢે તે ઈચ્છનિય રહેશે. કેન્દ્રના ખેતીવાડી ખાતાએ આ પ્રકારની તૈયારીમાં રહેવાની સૂચના રાજ્ય સરકારો તથા કેન્દ્રના તાબાની ખેતી-સિંચાઈ-બાગાયત-વનવિભાગ વગેરેને આપી દીધી હોવાના અહેવાલો પછી હવે રાજ્ય સરકારોના વિવિધ વિભાગોએ પણ આવી રહેલી સંકટની સ્થિતિ માટે અત્યારથી જ મેગા માસ્ટર પ્લાન ઘડવો પડશે. માત્ર મિટિંગોથી નહીં ચાલે, ટોપ ટુ બોટમ કામ કરવું પડશે.
આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે વૈશ્વિક તથા ઘરેલુ કારણોસર ભારતનું ફોરેક્સ રિઝર્વ એટલે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઘટી રહ્યો હોવાના અહેવાલોએ ચિંતા વધુ વધારી દીધી છે. ફેબ્રુઆરી-ર૦૦૬ માં ભારતનો વિદેશ મુદ્રા ભંડારે ૭ર૮ અબજ ડોલરનો વિક્રમ સર્જ્યો, ત્યારે તેનો ઢોલ વગાડીને પ્રચાર કરાયો હતો, પરંતુ અત્યારે આ વિદેશી ભંડાર ૬૮ર અબજ ડોલરની આજુબાજુ છે, જેનો અર્થ એ થયો કે ભારતનું ફોરેક્સ રિઝર્વ ૭.પ૧ અબજ ડોલર ઘટી ગયું છે, અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
હકીકતે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ પછી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડના ભાવમાં વધારા સાથે પ્રારંભમાં (ચૂંટણીલક્ષી?) અંકુશ રખાયા પછી ભારતમાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં થયેલા ભાવવધારાના કારણે મોંઘવારી ઝડપથી વધવા લાગી છે અને સરકારી આંકડા મુજબ મોંઘવારીની 'ઊંચાઈ' અંકુશમાં હોવા છતાં તેની 'જાડાઈ' વધી રહી હોવાનો થઈ રહેલો વ્યંગ યથાર્થ છે. આ પરિબળોની અસર સીધી અર્થતંત્ર પર પડતી હોય છે. ભારતમાં પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યા પછી ક્રેશ ન થઈ જાય, તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો અને મુદ્રાભંડારમાંથી ડોલર્સ વેંચવા પડ્યા હોવાના કારણે ફોરેક્સ રિઝર્વ અથવા વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આવ્યો હોવાના આર્થિક ક્ષેત્રના તજજ્ઞોએ તારણો કાઢ્યા છે.
નોંધપાત્ર બાબત એ પણ છે કે વિદેશી મુદ્રા ભંડારનો મહત્તમ હિસ્સો વિદેશી ચલણ હોય છે, જેમાં ત્રણ અબજ ડોલરનો ઘટાડો તજજ્ઞોના તારણોને સમર્થન આપે છે. તે ઉપરાંત સોનાના ભંડારમાં થયેલા ૪પ અબજ ડોલરના ઘટાડા પાછળ પણ વૈશ્વિક તંગદિલી, અનિશ્ચિતતાઓ અને ડામાડોળ સ્થિતિ કારણભૂત હોય તેમ જણાય છે. છેલ્લા એકાદ મહિનાથી ડોલર સામે રૂપિયો સતત તૂટતો રહ્યો અને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યા પછી આરબીઆઈએ લીધેલા શ્રેણીબદ્ધ પગલાં તથા માર્કેટમાં હસ્તક્ષેપ પછી રૂપિયાનું મૂલ્ય અમેરિકી ડોલર સામે સુધરીને જળવાઈ રહ્યું છે.
ગ્લોબલ વોર્નીંગ, ક્લાઈમેટ ચેઈન્જ અને કુદરતી આફતોની માઠી અસર પણ પડી રહી હોવાથી વિશ્વભરના અર્થતંત્રો હાલક ડોલક થઈ રહ્યા છે. આપણાં દેશમાં પણ એક તરફ રેકોર્ડબ્રેક ગરમી અને બીજી તરફ યુ.પી.-બિહાર-બંગાળમાં જીવલેણ આંધી-વરસાદ અને પૂરની પરિસ્થિતિ પણ દેશના અર્થતંત્રને ડામાડોળ બનાવી રહી છે, તેમાં સરકારની અણઘડ નીતિઓ તથા નિષ્ફળતાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી હોવાનો અભિપ્રાય પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં ઈન્ડિયન ઓસિયન ડીપોલના કારણે ભારત પર અલનીનોની ખતરનાક અસરો ઓછી થશે અને પ્રતિકૂળ સ્થિતિમાં થોડી રાહત મળતા સંતોષકારક વરસાદ થવાથી ખેતઉત્પાદન જળવાઈ રહેશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો છે. ફેબ્રુઆરી-ર૦ર૬ માં મિડલ ઈસ્ટના યુદ્ધ પછી અમેરિકન ડોલર સામે રૂપિયો ૬ ટકા જેટલો ઘસાયો હોવાથી આરબીઆઈ સતર્ક છે અને શ્રેણીબદ્ધ કદમ ઊઠાવાઈ રહ્યા હોવાનો દાવો પણ કરાયો છે.
એક અંદાજ એવો પણ છે કે જો ચોમાસું ઠીકઠાક રહેશે અને ઈરાન-અમેરિકા યુદ્ધ થંભી જશે, તો ભારતીય અર્થતંત્ર ફરીથી દોડતું થઈ જશે, પરંતુ 'ઈફ એન્ડ બટ'ની અનિશ્ચિતતાઓ તથા ચોમાસા અંગે થઈ રહેલી આગાહીઓમાં સરકારની નીતિઓ સામે ઊઠી રહેલા સવાલોના કારણે સ્થિતિ ચિંતાજનક જ ગણાય.
ગ્લોબલ કંપની જેફ્રીઝના એક રિપોર્ટ મુજબ ગયા માર્ચ મહિનાથી (માર્ચ ર૦રપ થી) છૂટક રોકાણકારો (રિટેઈલ ઈન્વેસ્ટર્સ) દ્વારા સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં થઈ રહેલા જંગી રોકાણની અસરો પણ રૂપિયાના ધોવાણ માટે જવાબદાર છે. તે ઉપરાંત વિદેશી રોકાણકારોએ પાછા ખેંચેલા રોકાણો પણ આ માટે કારણભૂત ગણાય છે. આ જ રિપોર્ટમાં ભારત માટે કેટલાક આશાવાદી સંકેતો પણ અપાયા છે.
હાલમાં અંતિમ સપ્તાહના અંતે ગોલ્ડ રિઝર્વ પણ ૪.પ૩ અબજ ડોલર ઘટી ગયું હોય, અને ફોરેક્સ રિઝર્વમાં સાડાસાત અબજથી વધુના ઘટાડાની અસર જોતા એવું લાગે છે કે, અત્યારે સતર્ક રહીને 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવવી એ શાણપણભર્યું વલણ ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પેપરલીકના મુદ્દે પ્રારંભિક ઈનકાર પછી સત્ય હકીકત સ્વીકારવી પડી અને પરીક્ષા રદ્ કરીને પુનઃ પરીક્ષા લેવા ઉપરાંત આ મુદ્દે ઉચ્ચ કક્ષાની તપાસ શરૂ કરવી પડી અને અદાલતની ફટકાર સાંભળવી પડી, તે પછી હવે સીબીએસઈ પરીક્ષામાં ગરબડ થઈ હોવાના મદ્દે ઘમાસાણ મચ્યું છે. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંતે સ્વીકારવું પડ્યું છે કે સીબીએસઈ પરીક્ષાના પરિણામોમાં ગરબડ થઈ છે, જેની તેઓ જવાબદારી સ્વીકારે છે. સીબીએસઈ ઓન સ્ક્રીન માર્કીંગ સહિતના મુદ્દે સરકાર તરફથી પ્રધાને ખાતરી આપી છે કે એક પણ વિદ્યાર્થીની ફરિયાદ વણઉકેલાયેલી નહીં રહે અને તમામ સ્તરે જવાબદારી નક્કી કરાશે. સીબીએસઈ બોર્ડે ધોરણ ૧ર ની પરીક્ષા માટે પુનઃ મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અને કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય, તેવા પગલાં લેવાઈ રહ્યા છે. પ્રધાને દાવો કર્યો કે ઓએસએમ ટેકનોલોજીની દેખરેખ માટે આઈઆઈટી-કાનપુર અને મદ્રાસ જેવી સંસ્થાઓને જવાબદારી સોંપીને સિસ્ટમને સંપૂર્ણ ફૂલપ્રૂફ બનાવાઈ રહી છે વગેરે...
ધર્મેન્દ્ર પ્રધાનના આ દાવાઓને અને સ્વીકૃતિ પછી તેના પર તડાપીટ બોલી રહી છે, અને પ્રારંભ ઢીલાઢોળ કરવા પાછળનું રહસ્ય શું હતું? તેવા સવાલો સાથે વિપક્ષો શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે અને આ મુદ્દે સ્વયં વડાપ્રધાન હસ્તક્ષેપ કરે, તેવી માંગણી ઊઠી રહી છે, ત્યારે હવે સરકારે દેશની 'ટોપ ટુ બોટમ' પરીક્ષા પદ્ધતિઓ તથા પેપર પ્રક્રિયાઓમાં ધરમૂળથી સુધારા-વધારા પાદર્શક રીતે કરવા જોઈએ, અન્યથા લોકોનો સમગ્ર સિસ્ટમ અને સરકારમાંથી વિશ્વાસ સંપૂર્ણપણે ઊઠી જશે અને હતાશ થયેલો યુવાવર્ગ વધુ નારાજ થશે તો જેન ઝી જેવા આંદોલનોની શક્યતા નકારી શકાતી નથી, તેવી ચેતવણી પણ અપાઈ રહી છે. બીજી તરફ સરકારે આ તમામ મુદ્દે જરૂરી તમામ કદમ ઊઠાવ્યા છે અને તમામ પ્રકારના સુધારા-વધારા કરવા સરકાર તૈયાર છે, તેવો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે કોંગી નેતા અને એલઓપી રાહુલ ગાંધીએ ટીકા-ટિપ્પણી કરી તો શિક્ષણમંત્રીએ પોલિટિકલ જવાબ આપ્યો કે રાહુલ ગાંધી સતત ચૂંટણીઓ હારવાથી હતાશ થઈને આ પ્રકારના નિરર્થક નિવેદનો કરી રહ્યા છે, અને આપણાં દેશની સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ ક્યારેક ઈવીએમનો વિરોધ કરે છે, ક્યારેક ડિજિટલ ઈન્ડિયાનો વિરોધ કરે છે તો ક્યારેક અન્ય ટેકનોલોજી સામે વાંધા-વચકા ઊભા કરે છે. આ મુદ્દે તેઓએ રાજકારણ કરવાના બદલે વિદ્યાર્થીઓનો માનસિક તનાવ ન વધે, તે માટે ખોટા નિવેદનો ન કરવા જોઈએ.
રાહુલ ગાંધીએ રણકાર કર્યો કે શિક્ષણ મંત્રી આ પ્રકારના પ્રહારો કરીને વિપક્ષને ૧૮.પ લાખ વિદ્યાર્થીઓનો અવાજ દબાવી નહીં શકે. રાહુલ ગાંધીએ એવો સણસણતો સવાલ પણ ઊઠાવ્યો, જેનો યોગ્ય જવાબ સરકાર આપી શકી નથી.
રાહુલ ગાંધીએ પૂછ્યું કે ભૂતકાળમાં બીજા નામથી સક્રિય હતી અને વિવાદોમાં સપડાઈ હતી તે કોએમ્પ્ટ કંપનીને જ આ કામનો કોન્ટ્રાક્ટ આપવા પાછળનું રહસ્ય શું છે? સરકારે આ કંપનીની હિસ્ટ્રી તપાસ્યા વિના જ કોન્ટ્રાક્ટ આપી દીધો હોય તો તે ગંભીર બેદરકારી ગણાય અને જાણીજોઈને આ કોન્ટ્રાક્ટ અપાયો હોય તો તેમાં શિક્ષણ વિભાગના મોટામાથાની સાઠગાંઠ હોવી જોઈએ. વડાપ્રધાને આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ, તેવા સૂરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય અંગે વડાપ્રધાન ચિંતિત હોત તો તેઓએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીપદેથી તગેડી મૂક્યા હોત. રાહુલ ગાંધીનું આ નિવેદન ઘણું જ સૂચક છે, અને ચર્ચામાં છે.
રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચેના જુબાની જંગ પછી દેશભરમાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં એવો સવાલ ઊઠી રહ્યો છે કે વિપક્ષો દ્વારા આક્ષેપો થયા અને સરકારે ભૂલ સ્વીકારી લીધી, પણ હવે શું? હવે દેશની પરીક્ષા પદ્ધતિઓ ખરેખર ફૂલપ્રૂફ રહેશે? હવે કોઈપણ પેપરલીક નહીં થાય? અત્યાર સુધીના પેપરલીક અને પરીક્ષા કૌભાંડો-પરિણામ કૌભાંડોના અસલ દોષિતોને કડકમાં કડક કાનૂની રાહે સજા કરીને દેશભરમાં ફેલાયેલા પેપરલીક અને પરીક્ષા કૌભાંડના માફિયાઓનું નેટવર્ક જડમૂળથી ખતમ થશે કે પછી નાની માછલીઓને પકડીને મગરમચ્છોને 'સેઈફ પેકેજ' (છટકબારીઓ) આપીને છાવરવાના કારસા યથાવત્ રહેશે? આ ક્ષેત્રે એક્ટિવ માફિયાઓના મૂળ ક્યાંક સરકાર કે તંત્રના મોટા માથાઓ કે પોલિટિકલ ગોડફાધરો સુધી ફેલાયેલા તો નથી ને? તેવા સવાલો ઊઠી રહ્યા છે અને હવે આ મુદ્દે યુવાવર્ગમાં ધગધગતો આક્રોશ અને વ્યાપક નારાજગી વોર્નિંગ બેલ જેવી જણાય છે.
સીબીએસઈની ઓએસએમ સિસ્ટમ અંગે પણ લોકોમાં ચર્ચા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને તો આ પ્રક્રિયાની ખબર હશે, પરંતુ સામાન્ય જનતામાં એવું કુતૂહલ પણ છે કે આ ઓએસએમ હકીકતે છે શું?
હકીકતે સીબીએસઈ બોર્ડે પેપર ચકાસવાની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી ઓન સ્ક્રીનીંગ માર્કીંગ (ઓએસએમ) મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકી હતી, જેમાં બોર્ડની ધોરણ ૧ર ની પરીક્ષાના પેપરોની ઉત્તરવહીઓની હાર્ડકોપી ચકાસવાના બદલે તેની ડિજિટલ સ્કેન કરેલી તપાસીને માર્કસ પણ ઓનલાઈન મૂકે છે, જેથી આખી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ રહે, અને પ્રક્રિયા ઝડપી બને. આ પદ્ધતિ નિષ્ફળ ગઈ અને ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ નિયત ફી ભરીને પુનઃ મૂલ્યાંકન કરાવવાની અરજી કરી. ઓનલાઈન સ્ક્રીનીંગ દરમિયાન પરીક્ષાર્થીઓની અધુરી કે અસ્પષ્ટ સ્કેનીંગ કરેલી ઉત્તરવહીઓ તપાસવી, કેટલાક જવાબો ચકાસ્યા કે માર્કીંગ આપ્યા વિના જ છોડી દેવા, સરવાળામાં ભૂલો અને ઓનલાઈન પોર્ટલ ક્રેશ થવાના કારણે પરીક્ષાર્થીઓ તેનો ભોગ બન્યા હોવાની રાવ ઊઠી. સરકારે આ પ્રકારની ભૂલો થઈ હોવાનું તો સ્વીકાર્યું, પરંતુ આ કૌભાંડ હતું કે બેદરકારી? તેની ઊંડી તપાસ કરીને દોષિતોને કડક સજા તો થવી જ જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓએ સરકારી વાહનોનો અંગત ઉપયોગ નહીં કરવા અને અત્યંત જરૂર હોય, ત્યારે જ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને 'અન્ય' લોકોને પણ સરકારી વાહનોનો 'લિમિટેડ' ઉપયોગ કરવાની અપીલ કરી હોય તો તે આવકારદાયક છે, અને આ અભિગમ હાલમાં ચાલી રહેલી ઈંધણની ક્રાઈસીસ માટે જ નહીં, પરંતુ કાયમી ધોરણ (અમદાવાદના મેયરની જેમ જાહેરાત કરીને) તમામ પદાધિકારીઓ-અધિકારીઓ અપનાવે, તો તે ઉત્તમ દૃષ્ટાંત ગણાશે. જામનગરના પદાધિકારીઓની જેમ અન્ય પાલિકા-મહાપાલિકા-પંચાયતોના પદાધિકારીઓએ પણ આ જ પ્રકારનો અભિગમ જાહેર કરવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ.
અમદાવાદના મેયરની જેમ પર્સનલ ઉપયોગ માટે પણ ઈલેક્ટ્રીક વ્હીકલ (ઈ.યુ.) નો ઉપયોગ કરવાની જાહેરાત પણ પદાધિકારીઓ અને અધિકારીઓ કરે તે જરૂરી છે. અહીંથી ગઈકાલે જ અમદાવાદના મેયરનું દૃષ્ટાંત આપીને નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા નવા વરાયેલા પદાધિકારીઓને સરકારી વાહનો તથા સુખ-સુવિધાઓનો ન્યુનત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો હતો. હવે આ દિશામાં નવા પદાધિકારીઓની સાથે સાથે અધિકારીઓ પણ આ અભિગમમાં જોડાઈને સાંપ્રત સમયના ઈંધણની સંભવિત અને પ્રવર્તમાન સંકટને હળવું કરવાના રાષ્ટ્રીય પ્રયાસોમાં સામેલ થાય, તો સોનામાં સુગંધ ભળે તેવું છે. જો ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ અંગત રીતે પણ વધારાશે, તો બાકીનો સ્ટાફ પણ તેને અનુસરશે. લોકલ પરિવહનમાં પણ ઈ.યુ.નો ઉપયોગ વધે અને ઈલેક્ટ્રીક ઓટોરિક્ષાનો મહત્તમ ઉપયોગ કરવાના શક્ય તેટલા પ્રયાસો નગરજનો પણ કરેે, તો તે બહુહેતુક અને સમયોચિત યોગ્ય કદમ ગણાશે.
'નોબત'ના તા. ર૬ મી મે ના તંત્રીલેખમાં જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો વધુમાં વધુ દોડાવીને પ્રવર્તમાન સંજોગોમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમજીવીઓ, કામદારો વગેરે માટે નિઃશુલ્ક સ્થાનિક મુસાફરીનો પ્રયોગ કરવાનું સૂચન કરવામા આવ્યું હતું, અને જે-તે સમયે તેની નગરચર્ચા પણ થતી સંભળાઈ હતી, પરંતુ તે સમયે મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ નિમાયા નહોતા, પરંતુ હવે નવા મેયર અને અન્ય પદાધિકારીઓ તથા સ્ટેન્ડીંગ કમિટીની બોડી નિમાઈ ગઈ છે, તેથી હવે નગરમાં પ્રવર્તમાન સંજોગોમાં નિઃશુલ્ક અને/અથવા ટોકન દરે સિટીબસો (ઈલેક્ટ્રીક) દોડાવવાનો નિર્ણય લઈ શકાય છે. જો આવું થશે, તો પેટ્રોલ-ડીઝલના વાહનોમાં પ્રવાસ કરતા સ્થાનિકોને તો સિટીબસો તરફ વાળી જ શકાશે, પરંતુ સિટીબસોમાં સુખી-સંપન્ન લોકો પણ પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડશે તો ઈંધણની ઘણી જ બચત થઈ શકશે. બસ, જરૂર છે... ઈલેક્ટ્રીક બસોની તત્કાળ ફાળવણીની...
પ્રવર્તમાન શાસન પ્રણાલિની આગવી પબ્લિસિટી સિસ્ટમ મુજબ ધૂમ-ધડાકે પ્રચાર તો કરાયો છે કે કેન્દ્રિય યોજના હેઠળ જામનગરમાં ઈલેક્ટ્રીક સિટી બસો દોડશે, અને તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા બસમથક વગેરે પણ તૈયાર થઈ રહ્યા છે. હવે, આ બસોનો ઉપયોગ પ્રવર્તમાન સંકટના સમયે આયોજનબદ્ધ રીતે કરવામાં આવે તે જરૂરી છે.
શાસન-પ્રશાસન દ્વારા એવી પોલિસી નક્કી કરવામાં આવે કે હવે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ-નિગમો તથા સરકારી-અર્ધસરકારી વિભાગો અને જાહેર સાહસો માટે વાહનોની ખરીદી કરવામાં આવે, ત્યાર તેમાં મહત્તમ વાહનો માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ હોય, તે ઉપરાંત પ્રાકૃતિક સોલાર પોલિસીની યોજનાઓની જેમ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટેેે માતબર સબસિડી જાહેર કરવામાં આવે તો તે પણ ઈંધણનો ઉપયોગ ઘટાડીને પ્રવર્તમાન સંકટનો સામનો કરવા માટે જ નહીં, પરંતુ કાયમી ધોરણે પર્યાવરણ, આર્થિક અને હેલ્થની દૃષ્ટિએ પણ ફળદાયી સિદ્ધ થશે.
જામનગરમાં અત્યારે લોકલ પરિવહન મહત્તમ ઓટોરિક્ષા તથા પેસેન્જર રિક્ષાછકડામાં થાય છે, ત્યારે સીએનજીના ભાવો વધી રહ્યા છે, તથા ઈંધણની તંગી છે, ત્યારે ડીઝલ તથા સીએનજી સંચાલિત રિક્ષાઓના સ્થાને ઈલેક્ટ્રીક રિક્ષાનું ચલણ વધે તે માટે વહીવટીતંત્રએ પણ પ્રયાસો કરવા જોઈએ. જો તંત્રના જ કોઈ અધિકારીઓ કે શાસકોના સગા-સંબંધી રિક્ષાઓ ભાડે આપવાના વ્યવસાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય તો તેઓ પણ હવે પછી ઈલેક્ટ્રીક રિક્ષાઓ જ વસાવે, તેવી ઝુંબેશ ચલાવી શકાય. તે ઉપરાંત રિક્ષા માટે લોન આપતી બેંકો તથા ઈલેક્ટ્રીક રિક્ષાના જથ્થાબંધ ડીલરો સાથે સંકલન કરીને ઈલેક્ટ્રીક રિક્ષાઓની સંખ્યા વધારી શકાય. આમ, સૌ સાથે મળીને સહિયારા પ્રયાસો કરે તો પેટ્રોલ-ડીઝલના વિકલ્પો અપનાવીને સંકટનો સામનો કરવા ઉપરાંત કાયમી ધોરણે નાણા અને પર્યાવરણ બન્નેને બચાવી શકાય તેમ છે.
ઈલેક્ટ્રીક વ્હીકલ્સની મર્યાદાઓ તથા ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરીને ઈલેક્ટ્રીક વાહનો તથા ઈથોનલ જેવા વૈકલ્પિક ઈંધણ પ્રત્યે વિશ્વસનિયતા વધારવા ઉચ્ચ અને સર્વોચ્ચ કક્ષાએ સરકાર તથા ઈલેક્ટ્રીક વાહનની ઉત્પાદક કંપનીઓના સંચાલકો-માલિકોએ પણ સાચા મનથી પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે, કારણ કે માત્ર અપીલો કરીને કે અભિયાનો ચલાવીને નહીં ચાલે.
બીજી તરફ લોકોને પ્રવાસો ટૂંકાવવા તથા હવાઈ યાત્રાઓ મર્યાદિત કરવાની અપીલો થઈ રહી છે, તો તેના પર કટાક્ષ કરતા કેટલાક વ્યંગાત્મક ગીતો પણ પ્રચલીત થયા છે. 'ઈન્ડિયાના ભાયુ ભલે પેટ્રોલ ગોતે, ઈન્ડિયાની બાયુ ગેસના બાટલા ગોતે' જેવા ગીતોમાંથી પણ પ્રવર્તમાન વિકટ સ્થિતિના પડઘા સંભળાય છે, તેથી હવે હકીકતે પેટ્રોલ-ડીઝલ-ગેસની કરકસર કરવા માટે ઈલેક્ટ્રીક વાહનો, સૌર ઉર્જા, વૈકલ્પિક ઈંધણ વગેરેેનો ઉપયોગ વધારવાની પહેલ સ્વયં સત્તાધારીઓ તથા સલાહકારોએ કરવી જોઈએ, અને દુનિયાની સૌથી મોટી પાર્ટીએ ટોપ-ટુ-બોટમ આ અભિગમને પૂરેપૂરો અમલમાં મૂકવો જોઈએ.
એવા અહેવાલો પણ આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં નિર્ણય લેવાયા પછી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૧ મુદ્દાઓની એસઓપી તૈયાર કરી છે, અને સરકારી વિભાગો તથા તાબાની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને પણ શક્ય હોય ત્યાં સુધી પોતાના ખાનગી ડીઝલ-પેટ્રોલના વાહનોના બદલે એસ.ટી. કે રેલવે મેટ્રો દ્વારા પરિવહન કરવા સૂચવ્યું છે તથા સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમો, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓને જરૂરી મિટિંગો, વીડિયો કોન્ફરન્સથી જ યોજવા અને એકથી વધુ કચેરીઓનો ચાર્જ હોય તેવા ખાતા-વિભાગ-કચેરીના વડાઓ પોતાની મુખ્ય કચેરીના વાહનનો જ જરૂર પડ્યે ઉપયોગ કરે, તથા રાજ્ય-જિલ્લાની બહાર યોજાનાર સેમિનારો-તાલીમ-પરિસંવાદો-સ્ટડી પ્રવાસોમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ નહીં લેવાની સૂચનાઓ અપાઈ છે.
ટૂંકમાં, અધિકારી-કર્મચારીઓ અને જનતાને પેટ્રોલ-ડીઝલ બચાવવાની જેે સલાહ અપાઈ રહી છે, તેને અનુસરવું જરૂરી છે, પરંતુ એ જ નિયમો પદાધિકારીઓ તથા મંત્રી મહોદયોને પણ 'ટોપ ટુ બોટમ' લાગુ થવા જોઈએ, અન્યથા વધુને વધુ વ્યંગાત્મક ગીતો રચાતા જ રહેશે.
ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો નિમાયા અને જિલ્લા પંચાયતના પણ નવા સુકાનીઓની વરણી થઈ ગઈ. ભાજપની વિશેષતા મુજબ મોટાભાગની નિમણૂકો અનપેક્ષિત હતી, જ્યારે કેટલીક અટકળો સાચી પણ પડી. હાલારની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ તથા પંચાયતી ક્ષેત્રે હોદ્દેદારો નિમાયા પછી હવે લોકોની અપેક્ષાઓ સંતોષવા કામે લાગી જવાનું છે, અને સૌથી મોટી કસોટી ચૂંટણીઓ દરમિયાન કરાયેલા વાયદાઓ પૂરા કરવાની છે. તદુપરાંત નવા હોદ્દેદારો પાસે કાંઈક વિશેષ, કાંઈક નવું અને જન-જનને ઉપયોગી તથા લોકોને ગમી જાય તેવું અનોખું કામ કરવાની સોનેરી તક છે, અને નવી ટીમોનું સંયોજન પણ જુસ્સાભર્યું અને તરવરિયું દેખાતું હોવાથી સફળતાઓ મળવાના ચાન્સીસ પણ વધુ છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોને કેટલીક સુવિધાઓ મળતી હોય છે અને લોકોની સેવા સારી રીતે કરી શકે તે માટે વિશેષ ભથ્થા તથા વાહન સહિતની સગવડો ઉચ્ચ પદાધિકારીઓને મળતી હોય છે. થોડા વર્ષો પહેલા વીઆઈપી કલ્ચર હટાવવાની માત્ર વાતો જ થઈ, કારણ કે વાહનો પરથી લાલ લાઈટ હટાવાઈ, પરંતુ અન્ય વાહનોથી કાંઈક અલગ તરી આવે અને માભો પડે તેવી રીતે વિશેષ પદાધિકારીઓની ગાડીઓને તૈયાર કરાતી હોય છે, અને પહેલા કરતા વધુ કિંમતી વાહનોની ખરીદી થવાની ટીકાઓ પણ થતી રહી છે, પરંતુ આ જ પ્રકારની કેટલીક સુવિધાઓ વિપક્ષના નેતાઓને પણ મળી જાય, ત્યારે ઘણી વખત 'આવ ભાઈ હરખા, આપણે બે છે સરખા' અથવા 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...' જેવી સિક્રેટ અન્ડરસ્ટેન્ડીંગ પણ થઈ જતી હોય છે. હોદ્દાને અનુરૂપ સુખ-સુવિધાઓ મળે, તે પછી તેનો મહત્તમ ઉપયોગ લોકોની સેવા માટે જ થાય અને અંગત ઉપયોગ કે દુરૂપયોગ ન થાય, તે જોવાની જવાબદારી પણ શાસક પાર્ટી અને તેની નેતાગીરીની ગણાય.
નવા હોદ્દેદારો-ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતે જ સ્વયં સેવાને સર્વોપરિ માનીને પોતાને મળવાપાત્ર સુખ-સુવિધાઓ અને પગાર-ભથ્થા વગેરેને ગૌણ માનવા જોઈએ. જો પદાધિકારીઓ જ દંભ કે નાટક કર્યા વગર ખરા દિલથી સાદગી અપનાવે અને પાર્ટીનું નેતૃત્વ તેને બીરદાવે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સ્ટાફ તથા અન્ય નેતાઓ-કાર્યકરો પણ તેને અનુસરે, પરંતુ જે પદાધિકારીઓ જ સિમાડાઓ ઓળંગે તો પછી તાબાના ક્ષેત્રોમાં તો તેની અસરો પડવાની જ છે અને તેના કારણે જ 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ' જેવી કટાક્ષિકાઓ સંભળાતી હોય છે.
ગઈકાલે જામનગરની જેમ જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ જ્યાં તાજેતરમાં ચૂંટણીઓ થઈ હતી, ત્યાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા તથા સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો, કારોબારી સમિતિના સભ્યો વગેરેની વરણી થઈ હતી. ભાજપની તોતિંગ બહુમતી હોવાથી ચૂંટણીના બદલે સર્વાનુમતેે (ઉપરથી નક્કી થયા મુજબ) વરણી થઈ હતી.
જો કે, રણમાં મીઠી વીરડી મળે તેવી રીતે ગઈકાલે અમદાવાદના નવા નિમાયેલા મેયરે કરેલો એક નિર્ણય તરત જ 'ટોક ઓફ ધ સ્ટેટ' બની ગયો હતો અને આ પ્રકારના નિર્ણયને તો વિરોધીએ પણ આવકારવો જ પડે તેવો હતો. સામાન્ય રીતે મેયરપદ મળતા જ મેયરની ગાડી, પ્રોટોકોલ તથા અન્ય સુવિધાઓ મેળવવાની અપેક્ષા રહેતી હોય છે, પરંતુ અમદાવાદના નવા વરાયેલા મેયર હિતેષ બારોટે મેયરનો બંગલો નહીં વાપરવા, તથા મહાનગરપાલિકાના મેયરને મળતુ વાહન વાપરવાના બદલે પોતાના પર્સનલ ઈ.વી. (ઈલેક્ટ્રીકલ વ્હીકલ) જ વાપરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, અને તેના આ નિર્ણય પછી એવી ચર્ચા પણ થઈ રહી છે કે, 'જોઈએ... રાજ્યના બીજા કેટલાક મેયરો બારોટજીને અનુસરે છે તે...'
તેમણે સ્વયં વિનમ્રતાથી પોતાની અંગત ગાડી વાપરવા તથા વધારાની સરકારી સુવિધાઓ નહીં લેવાની વાત કરી અને એક અનુકરણીય દૃષ્ટાંત બેસાડ્યું, તેની ચોતરફ પ્રશંસા થઈ અને સોશિયલ મીડિયામાં પણ તેને બહોળો પ્રતિસાદ મળ્યો. તેઓનો આ નિર્ણય સરકારી સુવિધાઓ અને બંગલાઓ માટે લડતા રહેતા કેટલાક 'સેવકો' માટે બોધપાઠરૂપ પણ છે.
જો કે, કોઈપણ પદાધિકારી તેઓને નિયમાનુસાર મળતી સુવિધાઓ જો લોકસેવા માટે ઉપયોગ કરે, તેમાં કાંઈ ખોટું પણ નથી અને સામાન્ય અને ગરીબ વ્યક્તિ પણ જે ચૂંટણી જીતીને પદાધિકારી બને, તો તે પણ નિશ્ચિંતપણે સંતોષકારક રીતે સમયોચિત જનસેવા કરી શકે, તે માટે આ સેવાઓનો ઉપયોગ થાય, તે માટે જ આ પ્રકારની વ્યવસ્થાઓ અપાતી હોય છે, પરંતુ આ સુવિધાઓનો ઉપયોગ જનસેવા માટે જ થાય અને લોકોને પદાધિકારીઓ હંમેશાં ઉપલ્બધ રહે, તેની કાળજી પણ લેવી જ પડે. ખાસ કરીને સરકારી કે સંસ્થાનું કામ કાઢીને હરવા-ફરવાની યાત્રાઓ થાય કે અન્ય રીતે સુવિધાઓનો દુરૂપયોગ થાય, તે ચલાવી લેવાય નહીં, પણ...?!
એવું નથી કે રાજકીય ક્ષેત્રે આ પ્રકારની સાદગીનો આ પ્રથમ કિસ્સો છે. દેશને આઝાદી મળી ત્યારથી આજ સુધી આ પ્રકારની સાદગી તથા સ્વયંશિસ્ત, પ્રામાણિક્તા અને નિષ્ઠાના અનેક દૃષ્ટાંતો મળી રહે છે. સૌથી મોટું દૃષ્ટાંત ગાંધીજી છે, જેઓ સર્વેસર્વા હોવા છતાં કોઈ સરકારી હોદ્દો લીધો નહોતો. લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હોવા છતાં કેટલી સાદગીભરી જિંદગી જીવતા હતાં તે સર્વવિદ્તિ છે. આ પ્રકારના ટોપ ટુ બોટમ ઘણાં બધા દૃષ્ટાંતો મળે છે, જે ખરેખર અનુકરણીય અને પ્રેરણાદાયી જ ગણી શકાય. આ પ્રકારની પહેલ હંમેશાં આવકારદાયક જ ગણાય, શરત માત્ર એટલી જ કે તેને વાસ્તવમાં નિભાવવી પડે, અન્યથા દંભ કે ડ્રામેબાજીની મહોર લાગી જાય...
પ્રવર્તમાન સમયમાં આ પ્રકારની ડ્રામેબાજી અને દંભ કરવાના આક્ષેપો અરવિંદ કેજરીવાલ પર લાગ્યા હતાં. તેઓ ગાડી-બંગલો-વીઆઈપી સગવડો નહીં લેવાની કસમો ખાતા હતાં, પરંતુ સત્તા મળ્યા પછી તેના પર શીશમહલ, સિક્યોરિટી તથા મેટ્રોમાં પ્રવાસ કરવાના બદલે ગાડીઓ વાપરવાના આક્ષેપો થયા હતાં, અને તેઓ દંભ અથવા ડ્રામેબાજી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ થયા હતાં.
તેવી જ રીતે વડાપ્રધાને અપીલ કર્યા પછી ભાજપના કેટલાક નેતાઓ તથા સરકારમાં મંત્રીપદ ભોગવતા મહાનુભાવોએ પોતાના ગાડીના કાફલામાં કાપ મૂકવાની જાહેરાત કરી અને તેનો અમલ પણ કર્યો, પરંતુ કેટલાક નેતાઓએ વિદેશ પ્રવાસ રદ્ કર્યા પછી સરકારી ખર્ચે ફોરેન ટુર કરવાના બહાના શોધી કાઢ્યા હોવાના આક્ષેપો પણ થયા. જે હોય તે ખરૂ, પરંતુ કથની અને કરણીમાં ફેર હોય, તેને હવે જનતા જરાયે પસંદ કરતી નથી, અ પણ હકીકત છે.
સાદગી તથા સુવિધાઓના મુદ્દે જ રાજકીય વર્તુળોમાં કેજરીવાલને યાદ કરવામાં આવે છે, તેવું નથી, પરંતુ જેલમાં રહીને 'જનસેવા'ના કોન્સેપ્ટના સંદર્ભે પણ કેજરીવાલ યાદ આવી જાય તેમ છે. ગઈકાલે જામનગરમાં સવારે ભાજપ કાર્યાલયમાંથી નવા હોદ્દેદારોના નામો જાહેર કરાયા અને તે પછી જનરલ બોર્ડ મળ્યું, અને નવા હોદ્દેદારોએ કાર્યવાહી શરૂ કરાવી, ત્યારે જનરલ બોર્ડમાં ગુજસીટોકના બે આરોપીઓએ પોલીસ પહેરા હેઠળ જેલમાંથી જનરલ બોર્ડમાં (અદાલતની મંજુરીથી) હાજરી આપી, ત્યારે ઘણાંને જેલમાં રહીને મુખ્યમંત્રીપદ જાળવી રાખનાર કજરીવાલ યાદ આવી ગયા હશે, જો કે તે પછી સ્થાનિક અદાલતે કેજરીવાલને દારૂકાંડમાં નિર્દોષ ઠરાવ્યા, પણ તેની સામે ત્યાંની હાઈકોર્ટમાં અપીલ થઈ છે. બીજી તરફ કેજરીવાલને જનાદેશ નહીં મળતા તેઓએ હાલતુરંત દિલ્હીની સત્તા ગુમાવી છે.
જો કે, અંતિમ સર્વોચ્ચ અદાલતી નિર્ણયોની રાહ જ જોવી પડે, તે દિલ્હી હોય કે જામનગર...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા બે-ત્રણ દિવસથી કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલી એક ભવિષ્યાવાણી 'ટોક ઓફ ધ નેશન' બની છે, અને તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ એવી ભવિષ્ય વાણી કરી હતી કે કેન્દ્રની એનડીએ સરકાર એકાદ વર્ષ જ ચાલશે અને એક વર્ષમાં પ્રવર્તમાન શાસનનો અંત આવશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે, નેપાળમાં જો જેન ઝી ત્યાંની સરકારને પછાડી શકતું હોય, તો ભારતમાં પણ જેન ઝી ની ચળવળ તખ્તાપલટ કરી શકે છે. કાંઈક એવા જ નિવેદનો કેટલાક અન્ય વિપક્ષી નેતાઓએ પણ કર્યા છે.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, બાંગલાદેશમાં જેન ઝી સરકારને ઉથલાવી શકતું હોય તો ભારતમાં પણ પેપરલીક કરનારા શાસનને ઉખેડી શકે છે. મનિષ સિસોદિયાએ કહ્યું કે, હવે ભારતમાં પણ જેન ઝી જેવું આંદોલન થઈ શકે છે. આ જ પ્રકારના નિવેદનો બે-ત્રણ દિવસથી જુસ્સા સાથે મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાની એરણે ચડ્યા છે. આ તમામ નિવેદનોને રાહુલ ગાંધીની ભવિષ્ય વાણી તથા પેપરલીક, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તથા બેરોજગારી-મોંઘવારી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને સાંકળીને તેના સંદર્ભે લોકોના તીવ્ર પ્રત્યાઘાતો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેના પડી રહેલા પડઘાઓની ચર્ચા ગ્લોબલ ટોકીંગ તથા ડિબેટીંગના વિષયો બન્યા છે. આ મુદ્દાઓની વાસ્તવિક્તા તથા ઉદ્દેશ્યો વિષે જુદા-જુદા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
હકીકતે રાહુલ ગાંધીએ સીબીઆઈ અને ડિજિટલ ઈવેલ્યુએશન સિસ્ટમ એટલે કે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમની ક્ષતિના કારણે લાખો વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે જ સીલસીલો આગળ વધારીને સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી, તેની સાથે સાથે રાહુલ ગાંધીએ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાનને વિશેષ રીતે નિશાન બનાવ્યા હતાં, જે ઘણું જ સૂચક છે.
વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને નિશાન બનાવીને રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે, આ બન્નેની જોડીએ વધુ એક સંસ્થાને ગેરરીતિનું પ્રતીક બનાવી દીધી છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં મોદી સરકારના શાસનના દાયકામાં પ્રથમ વખત આટલા ગંભીર સવાલો ઊઠ્યા છે. પેપરલીક પછી પણ ઓન-સ્ક્રીન માર્કિંગ, સિસ્ટમમાં ગોટાળા અને ખોટા માર્કિંગની ફરિયાદો ઊઠી છે. આટલા બધા આક્ષેપો છતાં શિક્ષણ મંત્રી ખુરશીનેે ચિટકીને બેઠા છે!
રાહુલ ગાંધીએ દૃષ્ટાંતો સાથે આક્ષેપ કર્યો કે સિસ્ટમની ખામી સામે અવાજ ઊઠાવનારા વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સત્ય એ છે કે મોદી સરકાર યુવાવર્ગ અને જેન-ઝી થી ડરી ગઈ છે, કારણ કે હવે યુવાવર્ગ સવાલો ઊઠાવી રહ્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, જો કોઈ સવાલો ઊઠાવે તો સરકાર તેઓને ડરાવે, ધમકાવે અને કચડી નાંખે છે, પરંતુ આ જ યુવાવર્ગ સરકારનો ઘમંડ તોડશે.
આ આક્ષેપોને ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓ સતત ચૂંટણીઓ હારી રહેલા નેતા (રાહુલ ગાંધી) ની હતાશા ગણાવે છે, અને મોદી સરકારનો વિરોધ કરતા કરતા રાહુલ ગાંધી દેશવિરોધી બની ગયા છેે, તથા નકારાત્મક રાજનીતિ રમીને દેશમાં વિખવાદ તથા અરાજક્તા ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ તેઓ સફળ થવાના નથી.
વિપક્ષો અને શાસક પક્ષના નેતાઓની આ બયાનબાજીમાં કોણ સાચું અને કોણ ખોટું છે, એ તો જનતા જ નક્કી કરશે, પરંતુ એ હકીકત છે કે હાલમાં ડીઝલની કૃત્રિમ તંગી, ઈંધણના ભાવોમાં વધારો અને વધી રહેલી મોંઘવારી ઉપરાંત મોંઘુદાટ શિક્ષણ તથા ઘણાં સ્થળે કથળી રહેલી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે જનતામાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ભાજપ-એનડીએ તરફી ઝુંકાવ ધરાવતા હતાં, તેવા લોકો પણ હવે દબાતા અવાજે પણ મોદી સરકાર પ્રત્યે અણગમો વ્યક્ત કરી રહ્યા છે, તે ઉપરાંત પેપરલીક તથા બેરોજગારી જેવા મુદ્દે પણ તેઓ હવે પોતાનો અભિપ્રાય બદલી રહેલા સંભળાય છે, તે જોતા એવું લાગેે છે કે શાસકોએ વહેમમાં રહેવા જેવું નથી, અને ડેમેજ કંટ્રોલ નહીં થાય, તો તેની વિપરીત અસરો થઈ શકે છે.
કુલબર્ગીની ભાગ્યશ્રીની આત્મહત્યા પછી યુવાવર્ગમાં રોષ ફેલાયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાવર્ગ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગણી ઊઠાવી રહ્યો છેે, તો રાહુલ ગાંધીએ પણ શિક્ષણમંત્રીને જવાબદાર ઠરાવ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ અવનવી કોમેન્ટો પણ કરી રહ્યા છે, ત્યારે જેન ઝી ની ચળવળ તથા કોકરોચ જનતા પાર્ટી જેવા અભિયાનોને સરકારે અંડર એસ્ટિમેટ કરવા જેવા નથી.
કેટલાક નિષ્ણાતો પણ તટસ્થ અભિપ્રાય આપી રહ્યા છે કે, પેપરલીક જેવી ઘટનાઓ તથા પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રણાલિની નિષ્ફળતાઓના કારણે મહેનતુ વિદ્યાર્થીઓ આઘાત અનુભવી રહ્યો છે અને તેના વાલીઓની તકલીફો બેવડાઈ રહી છે, ત્યારે સરકારે આ પ્રકારે પ્રતિષ્ઠાનો કે ઈગોનો પ્રશ્ન બનાવવાના બદલે પારદર્શક, અસરકારક અને વિશ્વસનિય પગલાં ઊઠાવવા જ જોઈએ.
અત્યારે કેન્દ્ર સરકારની સૌથી વધુ ટીકા ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવો તથા પેપરલીકના મુદ્દે થઈ રહી છે. આજે પણ સીએનજીના ભાવોમાં પ્રતિકિલે બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આમ, પેટ્રોલ-ડીઝલ અનેે સીએનજીમાં તબક્કાવાર કરાઈ રહેલો ભાવવધારો સામાન્ય જનતાને છેતરપિંડી જેવો લાગી રહ્યો છે, કારણ કે આ ભાવવધારો ક્યા માપદંડો કે લોજીકના આધારે કરવામાં આવી રહ્યો છે, તે કોઈને સમજાતું જ નથી. લોકોને એવું લાગે છે કે સરકાર એકસામટા દસ-પંદર કે વીસ રૂપિયા વધારવાના બદલે નાની-નાની રકમનો વધારો એટલા માટે કરી રહી છે કે લોકોને જોરનો ઝટકો ન લાગે, અને ધીરે ધીરે લોકોના ખિસ્સા પર બોજ વધતો જાય, તેથી ઉહાપોહ થાય નહીં. હવે ભવિષ્યવેતાઓની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે જોવાનું રહે છે, કારણ કે આ પ્રકારની સ્વપનીલ અપેક્ષા રાખનારાઓની સંખ્યા પણ દેશમાં ઓછી નથી, અને તેનું કારણ પ્રવર્તમાન પ્રવાહો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો