ચિરવિદાય

જામનગર નિવાસી (મૂળ ભાતેલ) વિનોદરાય મનજીભાઈ વાયા (ઉ.વ.૭૮) તે સ્વ. હંસાબેનના  પતિ, સ્વ. નટવરલાલ, સ્વ. પ્રતાપરાય, કિશોરભાઈ, સ્વ લલિતભાઈ, નરેન્દ્રભાઈ,  અરવિંદભાઈ, સ્વ.પ્રેમીલાબેન હરિલાલ ઘઘડાના ભાઈ, બીનાબેન રવિભાઈ ધાણક, કાજલબેન  જગદીશભાઈ સાગર, દિવ્યેશભાઈના પિતા, હેતલબેન દિવ્યેશભાઈના સસરા, આંશિકા,  રવિના દાદા, સ્વ. હરિલાલ થડેશ્વરના જમાઈ (વીંછીયાવાળા), વિનોદરાય ધકાણ  (સ્વામિનારાયણ, ગઢડાવાળા)ના વેવાઈનું તા. ૧૯-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું  તા. ૨૦-૭ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં.  ૬ના છેડે, પીએનટી કોલોની પાછળ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું  છે.

જામનગરઃ પ્રદીપભાઈ કાંતિલાલ રાવલ (ઉ.વ.૬૭) તે સ્વ. શશીકાંતભાઈ, સ્વ.ઈન્દુબેન  મગનલાલ જોશી, જગદીશભાઈ દેવેન્દ્રભાઈ, સ્વ. અશોકભાઈ રાવલના નાનાભાઈનું તા.  ૧૭-૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮-૭ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન  ભાઈઓ તથા બહેનો માટે રાજ પાર્ક, સેવા સદન-૪ના છેવાડે, સાંઈ બંગલો, ગુલાબનગર  રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh