ચિરવિદાય

જામનગરઃ મનીષકુમાર વારીયા (ઉ.વ.૫૫) તે સ્વ. અરવિંદભાઈ લીલાધર તથા સ્વ. કનકલતાબેનના  પુત્ર, ડીમ્પલબેનના પતિ, વિશ્વ, નિમિતના પિતા, ચાંદનીના સસરા, અરવિંદકુમાર ભાનુલાલ મહેતાના  જમાઈ, મીતાબેન અનંતકુમાર વોરા, અપેક્ષાબેન સંદીપકુમાર ઠક્કરના ભાઈનું તા. ૨૧ના અવસાન થયું  છે. સદ્ગતનું ઉઠમણું તા. તા. ૨૨ ને શનિવારે સવારે ૯ વાગ્યે જૈન ઉપાશ્રય, વારીયાનો ડેલો,  ગાંંધીજીના બાવલા સામે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ વડનગરા નાગર બ્રાહ્મણ મૂળવંતરાય પ્રભુલાલ આચાર્ય (ઉ.વ.૯૦) (નિવૃત્ત રેલવે કર્મચારી  હાપા) તે સુરેન્દ્રભાઈ વોરા, દિવ્યેશભાઈ શુક્લ, હેમાબેન મિહીરભાઈ પંડયાના મામાનું તા. ૨૦ ના  અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૨ ને શનિવારે સાંજે ૬ થી ૬:૩૦ દરમ્યાન ભાઈઓ તથા  બહેનો માટે વડનગરા બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈચોક,  જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ શ્રી ગિરીનારાયણ બ્રાહ્મણ સ્વ. ભાલચંદ્ર ઈશ્વરલાલ જોષીના પત્ની ગં.સ્વ. સરસ્વતીબેન (ઉ.વ.૯૩) તે સ્વ. ચંદ્રશેખરભાઈ, સંજયભાઈ, હિમાંશુભાઈ, ચેતનાબેન વ્યાસ, પ્રીતિબેન પુરોહિતના માતા, રીકિતા, બીજલ, ખ્યાતિ, અંજલી, કાવ્યા, કુશના દાદીનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સરયુબેન ૫ટેલ (ઉ.વ. ૮૭) તે સ્વ. પ્રવિણચંદ્ર પટેલના પત્ની, શૈલેષભાઈ, ખ્યાતિબેન પરેશકુમાર પટેલ, પરિંદાબેન સતિષકુમાર ગજેરાના માતા, હર્ષાબેનના સાસુ, ચિંતન તથા ધ્રુવિલના દાદીનું તા. ૧૯-૧૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૧-૧૧-૨૫ને શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૫ વાગ્યા સુધી ભાઈઓ તથા બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી કોલેજ પાસે, પંચવટી, જામનગરમાં રાખવામાં આવ્યુ ંછે.

જામનગરઃ મુકેશભાઈ રજનીકાંત મહેતા (ઉ.વ.૬૮) (ટી.પી.એસ.સિક્કા) તે અશોકભાઈ રજનીકાંત મહેતા (જીઈબી), વિનોદરાય રજનીકાંત મહેતા (જેટકો)ના ભાઈ, ધવન મહેતા, હેતા વ્યાસ (રાજકોટ)ના પિતા, સૂચિતકુમાર વ્યાસ (રાજકોટ)ના સસરાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧ ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. સુંદરલાલ જીવરાજના જ્યેષ્ઠ પુત્ર નવિનચંદ્ર સુંદરલાલ વ્યાસ (ઉ.વ.૮૪) તે સ્વ.  નિરૂબેનના પતિ, રેશ્મા કૌશિક શાહ, અર્ચના આશિત શાહના પિતા, કૌશીક આર.શાહ, આશિત  ડી.શાહના સસરા, સ્વ. વસંતભાઈ, સુરેશભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. કિરણભાઈ, હિતેનભાઈ, સ્વ.  ચંદ્રલેખાબેન, ભાવનાબેનના ભાઈ, કિશોરભાઈ નાથાલાલ મહેતા (ગુંદાવાળા) ના બનેવી, વત્સલ, શ્રેય,  જીમીતના નાના તા. ૧૮ના અરીહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ના સવારે ૧૦ વાગ્યે  મોટા ઉપાશ્રય, લાલબાગ સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh