Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ અશોકકુમાર ભાણજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ. ૬૮) તે અશ્વિનભાઈના મોટાભાઈ, હર્ષકુમાર, રીમા, મીરાના પપ્પા, જીલ, કુનાલના કાકા, અજયકુમાર અમૃતલાલ સચદેવના સસરા તેમજ મોહનલાલ લાધાણીના જમાઈનું તા. ૦૮ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૦-૦૧-૨૦૨૬ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ વાગ્યા સુધી પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
જામનગરઃ સુરેશભાઈ મગનલાલ સોમૈયા (બેડીવાળા), તે લાલજીભાઈ રવજીભાઈ ચંદારાણાના જમાઈ, દિપ, દિશાના પિતા, વિધી દિપ સોમૈયાના સસરાનું તા. ૫ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવી છે.