ચિરવિદાય

જામનગર નિવાસી હર્ષદરાય રમણીકલાલ શુક્લ તે દક્ષાબેનના પતિ, રવિભાઈ, નીતાબેન સોનીના  પિતા, કિરણબેનના સસરા, ડો. વિદ્યાબેન, વામાબેનના દાદા, ડો. બી.આર.શુકલ, જગદીશ શુકલ,  મનોજ શુકલ, પ્રદીપ શુકલ, શૈલેષભાઈ શુકલના ભાઈનું તા. ૬ના અવસાન થયું છે. સદ્ગતની  પ્રાર્થનાસભા તા ૮ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ  (સેલર), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી સ્વ. ચુનીલાલ ત્રંબકલાલ મહેતાના પુત્ર પરેશભાઈ (ઉ.વ.૫૬) તે ગં.સ્વ.  કલ્યાણીબેનના પતિ, અર્પિત, વિવેકના પિતા, નિરાલી એ.મહેતા તથા કૃપાલી વી.મહેતાના સસરાનું તા.  ૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી દરમ્યાન સૂરજબાગ વાડી,  ખંભાળીયા ગેઈટની બહાર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.

ખંભાળીયાઃ વાલજી ખટાઉંવાળા સ્વ. કાનજીભાઈ પોપટભાઈ બરછાના પુત્ર હરેશભાઈ (ઉ.વ.૭૪) તે  સ્વ. વનરાવનભાઈ,સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. મનસુખભાઈ,  સ્વ. ગુલાબભાઈના ભાઈ, દર્શના  પ્રતીકકુમાર લાખાણી (જામનગર), ભક્તિ વિવેકકુમાર કોટક (રાજકોટ)ના પિતા, વલ્લભદાસ  ગોકળદાસ લાલ(બ્લાંગીરવાળા)ના જમાઈ, મિત, ધર્મવીર, હેતના નાનાનું તા. ૬ ના અવસાન થયું છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૭ના બુધવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  જલારામ મંદિર, પ્રાર્થનાહોલમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.

ભાટીયાઃ રાણ નિવાસી બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના નરોત્તમભાઈ પોપટલાલ આરંભડીયા, તે  અમુભાઈ (પોરબંદર), રમેશભાઈ, નટુભાઈ, જગદીશભાઈના ભાઈ તા. ૪ ના કૈલાશવાસ થયેલ છે.  સદ્ગતનું ઉઠમણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન રાણમાં રાખવામાં આવેલ છે.

close
Ank Bandh