ચિરવિદાય

જામનગર નિવાસી વિસા શ્રીમાળી સોની જ્ઞાતિના ગીતાબેન ભોગીલાલ પારેખ, તે સ્વ. ભોગીલાલ  મગનલાલ પારેખના ધર્મપત્ની, સ્વ. અમિત ભોગીલાલ પારેખ તથા વર્ષાબેન જે. પાટલીયાના માતુશ્રી  તથા જયેશભાઈ ડી. પાટલીયાના સાસુ તથા વૃંદના દાદી તા. ર-૧-ર૦ર૬ ના શ્રીજીચરણ પામેલ છે.  સદ્ગતનું બેસણું તા. ૩-૧-ર૦ર૬, શનિવારના સાંજે પ.૦૦ કલાકે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર,  ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.

જામનગરના શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સ્વ. વસંતરાય ત્રિવેદી (લક્ષ્મી પ્રેસવાળા) ના ધર્મપત્ની  રંજનબેન, તે મુકેશભાઈ, સ્વ. અજીતભાઈ, મહેશભાઈના માતાનું તા. ર-૧-ર૦ર૬ ના અવસાન થયેલ  છે. સદ્ગતનું ઉઠમણું તા. પ-૧-ર૦ર૬, સોમવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન પાબારી હોલ,  તળાવનીપાળે, જામનગરમાં રાખવામાં આવેલ છે.

જામનગરઃ ચંદ્રકાન્ત દી૫ચંદ મહેતા (ઉ.વ. ૮૭), તે અનસુયાબેન (અસ્મિતાબેન) ના પતિ તથા  ડોક્ટર સીમાબેન સુકેતુભાઈ શાહ (ગાંધીનગર), મીરાબેન પારસભાઈ ઝવેરી (વડોદરા) ના પિતા તા.  ૧-૧-ર૦ર૬ ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૩-૧-ર૦ર૬, શનિવારના સાંજે  ૪ થી પ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે તંબોલી વાડી, નાગનાથ ગેઈટ, જામનગરમાં  રાખવામાં આવી છે.

જામનગરઃ મૂળ ગામ વડોદના (દેવાણી) હાલ જામનગર નિવાસી લાલુભા નાનભા ગોહીલ, તે  હરપાલસિંહ તથા બળદેવસિંહ (જુનાગઢ જિલ્લા કોર્ટના સ્ટેનો) ના પિતાનું તા. ૧-૧-ર૦ર૬ ના  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩-૧-ર૦ર૬ ના સાંજે ૪ થી પ વાગ્યે ૬-પટેલ કોલોનીના  છેવાડે, રાધાકૃષ્ણ મંદિર, જામનગરમાં રાખેલ છે.

ખંભાળીયાના સ્વ. સુંદરજીભાઈ ભીમજીભાઈ રાયચુરાના મોટા પુત્ર દિનેશભાઈ રાયચુરાના પત્ની  દીપાબેન (ઉ.વ. ૬૯), તે મહેશભાઈ, જેન્તીભાઈ, દિપકભાઈ તથા જગુભાઈ રાયચુરા (ન.પા. સદસ્ય)  ના ભાભીનું તા. ૧-૧-ર૦ર૬ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા આજરોજ તા. ર-૧-ર૦ર૬  ના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે જલારામ મંદિર, ખંભાળીયામાં  રાખવામાં આવી છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

close
Ank Bandh