Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સુરેશભાઈ મગનલાલ સોમૈયા (બેડીવાળા), તે લાલજીભાઈ રવજીભાઈ ચંદારાણાના જમાઈ, દિપ, દિશાના પિતા, વિધી દિપ સોમૈયાના સસરાનું તા. ૫ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ મયુરભાઈ ગણાત્રા (ઉ.વ.૪૨) તે સ્વ. હરીશભાઈ વસંતરાય ગણાત્રા (જલારામ રેસ્ટોરન્ટ)ના પુત્ર, સ્વ. હિતેશભાઈ વસંતરાય ગણાત્રા(જલારામ રેસ્ટોરન્ટ-દરબારગઢ), યોગેશભાઈ વસંતરાય ગણાત્રા, અનિલભાઈ વસંતરાય ગણાત્રા, ગીરીશભાઈ ધનજીભાઈ ગણાત્રા (પ્રકાશ રેસ્ટોરન્ટ) ના ભત્રીજા, મેહુલભાઈ હરીશભાઈ ગણાત્રા, નિમેષ હરીશભાઈ ગણાત્રા, વિકી હરીશભાઈ ગણાત્રા, તુષાર હરીશભાઈ ગણાત્રા, હાર્દિક ગિરીશભાઈ ગણાત્રા, દિપેશ હિતેષભાઈ ગણાત્રા, વિશાલ યોગેશભાઈ ગણાત્રા, વિવેક યોગેશભાઈ ગણાત્રાના ભાઈનું તા. ૫ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ કિશોરચંદ્ર એ. પંડયાના પુત્ર ભાવેશ, તે હિમાન્શુભાઈ, હિતેન્દ્રભાઈ, પ્રહલાદભાઈ, સંગીતાબેન જે. જોશી, દિવ્યાબેન કે. પંડયાના ભાઈનું તા. ૭ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ,જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ મનસુખલાલ જેઠાલાલ દાઉહરા, તે હિતેષભાઈ, દિપકભાઈના પિતાનું તા. ૭ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮ ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન વાંઝા જ્ઞાતિનું હિંગળાજ માતાજીના મંદિરે, ભગવાન સંગજીની શેરી, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી હર્ષદરાય રમણીકલાલ શુક્લ તે દક્ષાબેનના પતિ, રવિભાઈ, નીતાબેન સોનીના પિતા, કિરણબેનના સસરા, ડો. વિદ્યાબેન, વામાબેનના દાદા, ડો. બી.આર.શુકલ, જગદીશ શુકલ, મનોજ શુકલ, પ્રદીપ શુકલ, શૈલેષભાઈ શુકલના ભાઈનું તા. ૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા ૮ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી સ્વ. ચુનીલાલ ત્રંબકલાલ મહેતાના પુત્ર પરેશભાઈ (ઉ.વ.૫૬) તે ગં.સ્વ. કલ્યાણીબેનના પતિ, અર્પિત, વિવેકના પિતા, નિરાલી એ.મહેતા તથા કૃપાલી વી.મહેતાના સસરાનું તા. ૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી દરમ્યાન સૂરજબાગ વાડી, ખંભાળીયા ગેઈટની બહાર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.
ખંભાળીયાઃ વાલજી ખટાઉંવાળા સ્વ. કાનજીભાઈ પોપટભાઈ બરછાના પુત્ર હરેશભાઈ (ઉ.વ.૭૪) તે સ્વ. વનરાવનભાઈ,સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. ગુલાબભાઈના ભાઈ, દર્શના પ્રતીકકુમાર લાખાણી (જામનગર), ભક્તિ વિવેકકુમાર કોટક (રાજકોટ)ના પિતા, વલ્લભદાસ ગોકળદાસ લાલ(બ્લાંગીરવાળા)ના જમાઈ, મિત, ધર્મવીર, હેતના નાનાનું તા. ૬ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૭ના બુધવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જલારામ મંદિર, પ્રાર્થનાહોલમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.
ભાટીયાઃ રાણ નિવાસી બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના નરોત્તમભાઈ પોપટલાલ આરંભડીયા, તે અમુભાઈ (પોરબંદર), રમેશભાઈ, નટુભાઈ, જગદીશભાઈના ભાઈ તા. ૪ ના કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન રાણમાં રાખવામાં આવેલ છે.