Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુઃખદ અવસાનઃ દેહદાનનું સત્કાર્ય
જામનગરઃ (મૂળ જામજોધપુર) સ્વ. બાવનજીભાઈ લાલજીભાઈ ખાંટના પુત્રવધૂ તે મહેન્દ્રભાઈ બાવનજીભાઈ ખાંટના પત્ની પ્રફુલ્લાબેન (ઉ.વ.૫૮) તે પાર્થભાઈ ખાંટના માતાનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતના પાર્થિવ દેહનું આજરોજ સરકારી જી.જી.હોસ્પિટલમાં દેહદાન કરવામાં આવ્યું હતું. (સંપર્કઃ મહેન્દ્રભાઈ મો. ૯૯૯૮૨ ૭૪૩૭૫, પાર્થભાઈ મો. ૯૬૦૧૫ ૧૯૯૧૯)
જામનગરઃ (મૂળ છતર) સ્વ. ઓતમચંદ અમૃતલાલ મહેતાના પત્ની ગુણવંતીબેન (ઉ.વ.૯૧) તે સતીષભાઈ, રાજેશભાઈ, ઉષાબેન, ચારૂબેનના માતા તા. ૧૪ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૫ના સોમવારે સાંજે ૪ વાગ્યે જ્યોતિ વિનોદ ઉપાશ્રય, હેડ પોસ્ટ ઓફિસ સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સ્વ. નવલચંદ લક્ષ્મીચંદ શેઠના પુત્રવધૂ, ધનવંતરાય (ધનુભાઈ) નવલચંદ શેઠના પત્ની પ્રતિભાબેન તે મહેતા અમૃતલાલ આણંદજીના પુત્રી, બિના, નિના, જેનિશના માતા, ધીમંતભાઈ, કૌશિકભાઈ, નિતલના સાસુ, નિસર્ગ, સૃષ્ટીના નાની, હેનીના દાદીનું તા. ૧૪ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૫ને સોમવારના બપોરે ૩:૩૦ કલાકે જી.પી.ઓ. સામે, જ્યોતિ વિનોદ પાઠશાળા, જામનગરમાં રાખેલ છે.
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયાધીશ સમીરકુમાર વિનોદરાય વ્યાસ તથા રીટાબેન સમીરકુમાર વ્યાસના પુત્ર ઋતુરાજ (ઉ.વ.૩૨)નું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૫ના સાંજે ૪ થી ૬ દરમ્યાન બીલેશ્વર મહાદેવ મંદિર, જલારામ ટોકીઝની બાજુમાં, વેરાવળમાં રાખેલ છે.
જામનગરઃ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ ભરતભાઈ મગનલાલ પૂંજાણીના પત્ની મધુબેન (ઉ.વ.૭૦) તે જીવીબેન મગનલાલ પૂંજાણીના પુત્રવધૂ, રૂપેશ ભરતભાઈ પૂંજાણી, કાજલ યાત્રિકકુમાર ભટ્ટ (યુ.કે.), કોમલ કેતનકુમાર ઉપાધ્યાય(જામનગર)ના માતા, શીતલબેનના સાસુ તથા પ્રેમના દાદીનું તા. ૧૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૫ના સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન રાજયપુરોહિત બ્રાહ્મણ બોર્ડીંગ, ખોડીયાર કોલોની, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ (મૂળ નાગ્રેયા-કચ્છ) સ્વ. ગગુભા હરિસંગજી જાડેજાના પુત્ર બેલુભા તે સ્વ. લાલુભાના ભાઈ, હરિસિંહ, ભરતસિંહ, રણજીતસિંહના પિતા, ધિરેન્દ્રસિંહ, દિલીપસિંહ, જયરાજસિંહના દાદાનું તા. ૧૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૫ ના સાંજે ૪ થી ૫ દરમ્યાન તેમના નિવાસસ્થાન, માણેકનગર-૩, લાલવાડી, જામનગરમાં રાખેલ છે.
ધારાસભ્ય, પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરાના માતૃશ્રીનું નિધન
ખંભાળીયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા તથા ધીરૂભાઈ બેરાના માતા અમરીબેન હરદાસભાઈ બેરાનું તા. ૧૧ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૩-૧૨-૨૫, શનિવારના બપોરે ૩ થી ૫ દરમ્યાન આહિર સમાજની વાડી, ભાણવડમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિના રાજેન્દ્રકુમાર હરિકૃષ્ણ દવે (રાજુભાઈ) (ઉ.વ.૬૯) (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) તે ડો. અલંકૃતાબેનના પતિ, ડો. રત્નાંગ, ડો. ધનશ્રીના પિતા, આનંદ દિનેશભાઈ દવેના કાકા, અવિનાશ દવેના ભાઈ તા. ૧૧ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૫ વ્રજભૂમિ સોસાયટી, ત્રિમંદિર પાછળ, લાલવાડી, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ ગં.સ્વ. મંજુલાબેન ધોળકીયા, તે સ્વ. શૈલેષભાઈ ધોળકીયાના પત્ની કેતકી અજય વૈદ્ય, બીના નિશીથ મહેતાના માતા, આરોહી, વિશાલના નાનીનું તા. ૧૨ના અવસાન થયું છે.