Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ પ્રાણલાલ મયાશંકરભાઈ ત્રિવેદી (પડવલાવાળા)ના પુત્ર નારદભાઈ (ઉ.વ.૭૦) તે રમણીકભાઈ (જ્ઞાતિના પૂર્વ ટ્રસ્ટી), સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ, હંસાબેનના પતિ, અભિષેક, ગૌરાંગભાઈ, નુપુર વિજયભાઈ મહેતાના પિતા, સ્વ. ગુણવંતરાય માનશંકર ત્રિવેદી, ઈન્દુભાઈ, અશ્વિનભાઈ (જામનગર)ના જમાઈ, મોહીતભાઈ પ્રમોદભાઈ ત્રિવેદીના બનેવીનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮ના સાંજે ૪ થી ૫ કલ્યાણજી નરશીભાઈ જાની કોમ્યુનિટી હોલ, ચંદનપાર્ક મેઈન રોડ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસે, રૈયા સર્કલ નજીક, રાજકોટમાં રાખેલ છે.
ભરાણાઃ પ્રેમકુંવરબેન નરોત્તમદાસ દત્તાણી (ઉ.વ.૮૫), તે સ્વ. નરોત્તમદાસ હરિદાસ દત્તાણીના પત્ની, સ્વ.ધરમશીભાઈ પોપટના પુત્રી, મહેન્દ્રભાઈ, અનિલભાઈ, સ્વ.કમલેશભાઈ, દિનેશભાઈ, સ્વ.કમળાબેન જગદીશભાઈ લાલ, દક્ષાબેન કિશોરભાઈ પંચમતીયાના માતા, રાજેશ, કલ્પેશ, ભરત, ધવલ, કિશન, નિખિલ, દર્શક, જિજ્ઞાસા, રિટા, મિત્તલ, ચાંદની, હિના, હેતલ, ખુશ્બુ, ડિમ્પલ, મહેકના દાદી તા. ૧૫ના શ્રીજીચરણ પામેલ છે, સદ્ગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન શ્રીરામ મંદિર, ભરાણામાં રાખેલ છે.
જામનગરઃ (મૂળ જોધપુર) મહેન્દ્રભાઈ બાવનજીભાઈ ખાંટના પત્ની પ્રફુલ્લાબેન (ઉ.વ.૫૮), તે સ્વ. બાવનજીભાઈ લાલજીભાઈ ખાંટના પુત્રવધૂ, પાર્થભાઈના માતા, ક્રિસ્ટલબેનના સાસુનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૮ને ગુરૂવારે સવારે ૯ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમ્યાન શ્રી પંચાણભાઈ સામજીભાઈ કડવા પટેલ સમાજ, વિકાસગૃહ રોડ, પટેલ કોલોની, જામનગરમાં રાખેલ છે. સદ્ગતની ઈચ્છા અનુસાર તેમના ચક્ષુ તથા દેહનું દાન (જી.જી.હોસ્પિટલ-જામનગર)માં કરવામાં આવ્યું હોવાથી ધાર્મિક વિધિ રાખવામાં આવી નથી.
જામનગરઃ અરવિંદભાઈ લક્ષ્મણભાઈ ફલ (ઉ.વ.૭૪)નું તા. ૧૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૮ના ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ બ્રહ્મક્ષત્રિય સ્વ. બાબુલાલ મણીલાલ આશરાના પત્ની ભાવનાબેન (નિમુબેન) (ઉ.વ. ૮૪), તે રમણીકલાલ (રાજકોટ) ના ભાભી તથા નટુભાઈ, ગિરીશભાઈ, પ્રકાશભાઈ, સંજયભાઈ, કૌશિકભાઈ, વિણાબેન નટવરલાલ જાજલના માતુશ્રી તથા હરિલાલ સવજીભાઈ વિંછીના દીકરી તથા માયાબેન અશોકકુમાર જોગીના ભાભુ તથા અશોક, જીતેન્દ્ર, નિલેશ, સોહીલ, હિરેન, પ્રતાપ, વિષ્ણુ, દિવ્યેશ, રવિન્દ્ર, મહેશના દાદી તા. ૧૭-૧ર-ર૦રપ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા. ૧૮-૧ર-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪.૩૦ થી પ દરમિયાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખવામાં આવી છે.