ચિરવિદાય

મૂળ પિંડરાવાળા હાલ જામનગર નિવાસી સાવિત્રીબેન વનરાવનભાઈ સોનૈયા (ઉ.વ.૯૩) તે સ્વ. વનરાવનભાઈ રૃગનાથ સોનૈયાના પત્ની, સ્વ. ગીરધરભાઈ, દિનેશભાઈ, સ્વ. કિશોરભાઈ, ભરતભાઈના માતા તા. ૧૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૩ ને ગુરૃવારના સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલરમાં), તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

રાજકોટ નિવાસી (મૂળ જામકલ્યાણપુર)ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ અને જામકલ્યાણપુર સમસ્ત બ્રહ્મ  સમાજના પ્રમુખ અને વકીલ પ્રદીપકુમાર દલપતરામ દવે (ઉ.વ.૬૨) તે સ્વ. દલપતરામ દવેના પુત્ર,  રસીલાબેન દવેના પતિ, ખુશાલ દવેના પિતા, સ્વ. પ્રવિણભાઈ, જીતુભાઈ, ભરતભાઈ (પત્રકાર),  અરૂણાબેન પંડયા, વિનોદબેન વ્યાસ (ધોરાજી) ના ભાઈ, હિમાંશુ, તેજસ, ગૌરવ (પત્રકાર ઝી ન્યુઝ)  ગૌતમ, વિનાયકના કાકાનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪  થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, ૪-જીવનનગર, અનિલ જ્ઞાનમંદિર સ્કૂલવાળી શેરી, બ્રહ્મ સમાજ ચોક,  રૈયા રોડ, રાજકોટમાં રાખેલ છે.

જામનગર નિવાસી(મૂળ  રવ-કચ્છ)ના સ્વ. મોહનલાલ મગનલાલ પૂજારાના પત્ની રેવાબેન (ઉ.વ.૭૮) તે બાબુલાલ મગનલાલ પૂજારા (સૂર્યોદય ફરસાણવાળા)ના ભાભી, શશીકાંતભાઈ, કનકભાઈ, દિલીપભાઈ, શોભનાબેન, હંસાબેન, મીનાબેનના કાકી, નિતાબેન, નિલેશભાઈ (એલિશિયન ટ્રાવેલ્સવાળા), અનિલભાઈના માતા, નીલાબેન, ઉર્વશીબેન, સ્વ. મનોજભાઈ કટારીયાના સાસુ, અંશ, પ્રિયાંશ, દિયાના દાદી અને શ્રેયસ, કરણના નાની, સ્વ. જીવરાજ ઉકશી ઠક્કર (ગાગોદર)ના પુત્રી, ભીખાલાલ અને પ્રવિણભાઈના બહેત, સ્વ. કાંતાબેન મણિલાલ પૂજારા (ભચાઉ-કચ્છ), પ્રભાબેન પ્રવીણકુમાર સાયતા (આડેશર-કચ્છ)ના બેન, સ્વ. બાબુલાલ શામજીભાઈ ચંદે (અંજાર-કચ્છ)ના ભાણેજનું તા. ૯ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

close
Ank Bandh