ચિરવિદાય

જામનગરઃ હસુમતીબેન રમેશચંદ્ર મહેતા (ઉ.વ.૬૭) તે સ્વ. લક્ષ્મીચંદ નેમચંદ મહેતાના પુત્રવધૂ,  રમેશચંદ્ર લક્ષ્મીદાસ મહેતાના પત્ની, નરશીદાસ ધોળકીયાના પુત્રી, ભાવિની, ઉર્વી, દિપ્તીના માતા,  દેવેનભાઈ વોરા, રોહિતભાઈ મહેતાના સાસુ, નિલ,મેઘન, વીહા, વીરાના નાનીનું તા. ૧૭ના અવસાન  થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ ને ગુરૂવારના સવારે ૯:૩૦ વાગ્યે મોટા ઉપાશ્રય, લાલબાગ સામે  જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ ભરતભાઈ નરસંગભાઈ સુંબડ (રાજગોર) (ઉ.વ.૭૯), તે નારણભાઈ, હરેશભાઈના ભાઈ,  જીતેન્દ્રભાઈ પરેશભાઈ, રાકેશભાઈના પિતાનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ના  સાંજે ૪:૩૦ થી પ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે,  જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ ગજરાબેન ચંદુલાલભાઈ પાઠક, તે મહેન્દ્રભાઈ પાઠક, સ્વ. રજનીકાંતભાઈ પાઠક,  રામચંદ્રભાઈ ચંદુલાલભાઈ પાઠકના માતાનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૭ ના  સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન દુઃખભંજન મહાદેવ મંદિર, પાબારી હોલ, તળાવની પાળ પાસે,  જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh