Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હાલારી ભાનુશાળી શારદાબેન અમૃતલાલ ફલીયા (ઉ.વ.૭૯) તે કલ્પેશભાઈ (શિક્ષણ સમિતિ)ના માતાનું તા. ૨૨ના અવસાન થયું છે સદ્ગતનું બેસણું તા. ૨૩ને મંગળવારે બહેનો માટે સાંજે ૪:૩૦ થી ૫ તથા ભાઈઓ માટે ૫:૩૦ થી ૬ દરમ્યાન હાલારી ભાનુભાળી જ્ઞાતિની જૂની વાડી, હવાઈચોક, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
ખંભાળીયાઃ (મૂળ મૂળી નિવાસી)અનોપસિંહ બેચરસિંહ પરમાર (ઉ.વ.૭૫) તે મહેન્દ્રસિંહ (નાના લખીયા)ના ભાઈ, ઈન્દ્રજીતસિંહ (ભાજપ અગ્રણી), જયેન્દ્રસિંહના પિતા, અજયસિંહ, વીરેન્દ્રસિંહના કાકા, જયપાલસિંહ, ક્રિષ્નપાલસિંહ, બંસીબાના દાદાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૨ના બપોરે ૩ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે ગણાત્રા હોલ, રામનાથ સોસાયટી, ખંભાળીયામાં રાખેલ છે.
જામનગર (મૂળ લાલપુર)નિવાસી સ્વ. શાંતિલાલ જેસંગભાઈ મહેતાના પુત્ર પંકજભાઈ (કોકો બેંક) તે આશાબેનના પતિ, યશ, પલકના પિતા, સ્વ. રમેશભાઈ, સ્વ. પ્રદીપભાઈ, મુકેશભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. જયોત્સનાબેન અરિહંતભાઈ મહેતા, પ્રતિભાબેન દિપકભાઈ કુંડલીયાના ભાઈ, મનસુખલાલ કલ્યાણજીભાઈ ફોફરીયાના જમાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ ના સાંજે ૪ વાગ્યે વારીયાના ડેલા ઉપાશ્રય, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ નાગ્રેચા-કચ્છ) હરીસિંહ વેલુભા જાડેજા (ઉ.વ.૬૫) તે દિલિપસિંહ, ધિરેન્દ્રસિંહના પિતા, સ્વ. વેલુભા ગગુભા જાડેજાના પુત્ર, ભરતસિંહ, રણજીતસિંહના ભાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાન, રંગમતિ પાર્ક-૪, સાઈબાબા ચોક, રાજપાર્ક, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ તિથવા) પારૂલબેન આર. બદ્રકીયા (ઉ.વ.૫૧) તે રાજેશભાઈ ધનજીભાઈ બદ્રકીયાના પત્ની, પ્રભુદાસભાઈ ગોરધનદાસ વડગામા (લાખાબાવળ)ના પુત્રીનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૨૦ના શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ પ્રવિણભાઈ રણછોડભાઈ વડગામાના પત્ની પુષ્પાબેન (ઉ.વ.૭૮)નું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૦ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન વિશ્વકર્માનીવાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ સુરેન્દ્રભાઈ શામજીભાઈ બાલા (ભાયાભાઈ) (નરેન્દ્ર ડેરી ફાર્મવાળા), તે સ્વ. નરેન્દ્રભાઈ બાલા, જગદીશભાઈ બાલાના ભાઈ તથા અમિતભાઈ બાલા, સ્વ. મુકેશભાઈ બાલા, જીતુભાઈ બાલાના પિતા તથા અશ્લેષભાઈ બાલા, દેવાંશી બાલાના દાદાનું તા. ૧૮ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૯-૧ર-ર૦રપ, શુક્રવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી કાશીવિશ્વનાથ મંદિરે, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.