ચિરવિદાય

જામનગર નિવાસી વિનોદરાય કાન્તિલાલ લાખાણી (ઉ.વ. ૭૪), તે હર્ષિદાબેનના પતિ તેમજ નિર્મલ,  હિરેન અને દીસીતા કૃણાલકુમાર ભટ્ટના પિતા, કાનજી મનજી રાડીયાના જમાઈ, હરકિશનભાઈ તથા  સ્વ. જયેશભાઈ કાનજીભાઈ રાડીયાના બનેવી, પૂજા અને સપનાના સસરા, કિશવના દાદા, દિવાંશ  અને ધનીશના નાનાનું તા. ૩૦-૧ર-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.  ૧-૧-ર૦ર૬, ગુરૂવારના સાંજે ૪.૦૦ થી ૪.૩૦ વાગ્યે ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ  (સેલરમાં), તળાવનીપાળે રાખવામાં આવેલ છે. શ્વસુર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

જામનગરઃ વિજયભાઈ મગનલાલ બુદ્ધદેવ (કિશોરભાઈ) (ઉ.વ. ૬૭), તે મગનલાલ પોપટલાલ  બુદ્ધદેવના પુત્ર તથા વિનુભાઈ, પ્રવિણભાઈ, સ્વ. ધીરજભાઈ, સ્વ. ઈન્દુબેન પી. રાયપુરા, શિલ્પાબેન  ગિરીશકુમાર રાચ્છના ભાઈ તથા તરલાબેનના પતિ તથા વૈભવના પિતા, મોટાવડાળા નિવાસી સ્વ.  ગિરધરભાઈ સોનછાત્રાના જમાઈનું તા. ૩૦-૧ર-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું અને  સસરાપક્ષની સાદડી તા. ૧-૧-ર૦ર૬, ગુરૂવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા  બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ જગદીશભાઈ મોહનલાલ ખંભાયતા (ઉ.વ. ૭૯) નું તા. ર૯-૧ર-ર૦રપ ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું તા. ૧-૧-ર૦ર૬, ગુરૂવારના સાંજે ૪.૩૦ થી પ વાગ્યા દરમિયાન વિશ્વકર્મા  મંદિર, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામરાવલના પ્રભાબેન મશરૂ (ઉ.વ. ૮પ), તે સ્વ. તુલસીદાસ ધરમશી મશરૂના પત્ની, વિપુલભાઈ  મશરૂ, ડો. દિલીપભાઈ મશરૂ, વર્ષાબેન અરવિંદકુમાર સવજાણી, ચંદ્રિકાબેન અમૃતલાલ મોદીના માતા,  જાગુબેન વિપુલભાઈ, ડો. ઈશિતા દિલીપભાઈના સાસુ, દિશા, દેવમ, કાવ્યના દાદીમા, મધુકાંતાબેન  જશવંતરાયના જેઠાણી, કનુભાઈ, ડો. હિતેષભાઈ અને કિર્તીબેન વિનોદકુમાર કારીયાના ભાભુ,  નારણદાસ વશરામભાઈ મજીઠીયાના પુત્રી, સ્વ. વસંતભાઈ, સ્વ. મનસુખભાઈ મજીઠીયાના બહેનનું તા.  ર૮-૧ર-ર૦રપ ના અમદાવાદમાં અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી  જામરાવલમાં તા. ૧-૧-ર૦ર૬, ગુરૂવારના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન કોટેશ્વર મહાદેવ મંદિર,  દરબારગઢ, જામરાવલમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

ભાણવડ નિવાસી વિપુલ હેમતલાલ જોશી (ઉ.વ. પ૮), તે મણિભાઈ જોશી (મણી માસ્તર) ના ભાણેજનું  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ર-૧-ર૦ર૬, શુક્રવારના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન  સુખનાથ મહાદેવ મંદિર, ભાણવડમાં રાખેલ છે.

ભાટીયાઃ પી.આર.એસ. હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ પંડયાના માતા પ્રવિણાબેન સુરેશભાઈ પંડયા  (ઉ.વ.૭૦)નું તા. ૨૯-૧૨-૨૫ ના અવસાન થયું છે.

close
Ank Bandh