ચિરવિદાય

જામનગર (મૂળ ભાતેલ) નિવાસી નાથાભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૭૨)નું તા. ૧૧ના અવસાન થયું  છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨ને શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર,  કે.વી.રોડ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. ખંતિલાલ ઝવેરચંદ મહેતાના પુત્ર કેતુલભાઈ મહેતાના પત્ની પ્રતિભાબેન (પૂજાબેન)  (ઉ.વ.૬૧) તે વિધિબેન, ધવલભાઈના માતા, હેમાંગભાઈ વસાના સાસુ, શશિકાંતભાઈ જમનાદાસ  મહેતાના બહેનનું તા. ૧૧ના અવસાન થયું છે.

જામનગરઃ હાલારી ભાનુશાળી જ્ઞાતિના જુની પેઢીના આધુનિક ખેડૂત ચિકોરીના પ્રણેતા હરિલાલ  શામજીભાઈ ફલીયા (હરીભાઈ હોટલવાળા) (ઉ.વ.૯૮)નું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતનું  ઉઠમણું તા. ૧૨ના મહિલાઓ માટે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન અને પુરૂષો માટે સાંજે ૫:૩૦ થી ૬  દરમ્યાન હાલાઈ ભાનુશાળી જ્ઞાતિની જુની વાડી, હવાઈચોક, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ (મૂળ આમરા) મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિના રસીલાબેન રણછોડભાઈ જાખરીયા  (ઉ.વ.૭૬) તે સ્વ. રણછોડભાઈ ધરમશીભાઈ જાખરીયાના પત્ની, શૈલેષભાઈ રણછોડભાઈ જાખરીયા,  હીનાબેન પ્રફુલકુમાર વાઘેલા (સુરત), સ્વ. દિપ્તીબેન જીતેન્દ્રકુમાર મહેતાના માતા, બીનાબેન  શૈલેષભાઈ જાખરીયાના સાસુનું તા. ૧૨ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની  સાદડી તા. ૧૩ના શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે,  જામનગરમાં રાખેલ છે.

ધારાસભ્ય મૂળુભાઈ બેરાના માતૃશ્રીનું નિધન

માનપર (ભાણવડ તાલુકાના) અમરીબેન હરદાસભાઈ બેરા, તે સ્વ. નારણભાઈ બેરા, ધીરૂભાઈ બેરા,  માજી મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઈ બેરા, સ્વ. લખમણભાઈ બેરા, સ્વ. માલદેભાઈ બેરા, ભેનીબેન,  રંભીબેનના માતા, સરપંચ ગોવિંદભાઈના દાદી, સુભાષભાઈ બૈડીયાવદરા, મુકેશભાઈ સુવાના નાની તા.  ૧૦ના શ્રીજીચરણ પામ્યા છે.

જામનગરઃ હરિહર જે.બક્ષી (સેન્ટ્રલ બેંકના નિવૃત્ત કર્મચારી તથા રિટાયર્ડ કંપની કમાન્ડર, હોમગાર્ડ)  તે નેહલબેન શૈલેષ પરમાર, એડવોકેટ વૈશાલીબેન બક્ષીના પિતા, હિત પરમારના નાનાજી, ડો.  કેયુરભાઈ બક્ષી, આશિષભાઈ બક્ષી, હાર્દિકભાઈ બક્ષી, આનંદભાઈ બક્ષીના કાકાનું તા. ૧૦ના  અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૨ને શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા  બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ દેવેન્દ્રભાઈ રતિલાલ ચાંદલીયા (ઉ.વ.૭૯)તે શિલ્પાબેન શુક્લ  (અમદાવાદ), અંબરીશભાઈ, સ્નેહલભાઈના પિતા, વ્રજેશ શુક્લ, ઉર્વશીબેન, તૃપ્તિબેનના સસરા તા.  ૧૦ના કૈલાશવાસી થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪:૩૦થી ૫ દરમ્યાન  ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, સાઈબાબા મેઈન રોડ, ગાંધીનગર, જામનગરમાં રાખેલ છે.

દાત્રાણાઃ વિઠ્ઠલદાસ ગોરધનદાસ દત્તાણીના પુત્ર પ્રવિણભાઈ (ઉ.વ.૬૫) તે ધવલ, સ્વેતાબેન, ધારાબેન,  પ્રિયાબેનના પિતા, જયેન્દ્રભાઈના ભાઈ, સ્વ. ભગવાનજીભાઈ ગોવિંદજી ઠકરાર (ભણગોર)ના જમાઈ,  નીખીલભાઈ અતુલભાઈ સામાણી, આનંદભાઈ નરેન્દ્રભાઈ ગોકાણીના સસરાનું તા. ૧૦ના અવસાન થયું  છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને સસરાપક્ષની સાદડી તા. ૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન  આહિર સમાજ ચાવડા ડાડા વાડી, દાત્રાણામાં રાખેલ છે.

નાની ખાવડી નિવાસી રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. પોપટલાલ વાઘજી નાકરના પુત્ર નટવરલાલ  નાકર, તે સ્વ. પ્રવિણાબેનના પતિ, સ્વ. રેવાશંકર કાલીદાસ પૂંજાણીના જમાઈ, સ્વ. બાલકૃષ્ણ, રીતેશ,  હર્ષિદાબેન કમલેશકુમાર જોશી, જ્યોત્સનાબેન હરીશકુમાર ગોપિયાણી, શીલાબેન નિલેશકુમાર ભટ્ટ  (લંડન), જયશ્રીબેનના પિતા, રીટાબેન રિતેશ નાકરના સસરા, સ્વ. કલ્યાણજીભાઈ, મનસુખલાલ,  સ્વ.હેમતલાલ, સ્વ.દુર્લભરામ, સ્વ.ચંદુલાલ, સ્વ.રતિલાલ, ગં.સ્વ. દયાબેન અમૃતલાલ ખેતિયા, સ્વ.  શાંતાબેન શંકરલાલ ભટ્ટ, સ્વ.મુકતાબેન કાંતિલાલ ખેતિયાના ભાઈનું તા. ૯ ના અવસાન થયું છે.  સદ્ગતનું ઉઠમણું તા. ૧૧ને ગુરૂવારે બપોરે ૩:૩૦ થી ૪:૩૦ દરમ્યાન નાની ખાવડી ગ્રામ સમાજ  વાડીમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. મંજુલાબેન રામજીભાઈ વાજા, તે જીતેન્દ્રભાઈ, ભરતભાઈના માતાનું તા. ૭ ના અવસાન  થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ ને ગુરૂવારના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે  લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિની વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.

મીઠાપુરઃ (હાલ દ્વારકા નિવાસી) સ્વ. દિપકભાઈ વલ્લભદાસ સુતરીયાના પુત્ર બ્રિજેશભાઈ, તે  નિલમબેન રવિકુમાર દત્તાણી (ખંભાળીયા), ડિમ્પલબેન ભરતકુમાર નથવાણી (ખંભાળીયા)ના ભાઈ,  અનિલભાઈ વલ્લભદાસ સુતરીયા, સંજયભાઈ વલ્લભદાસ સુતરીયા (ઓખા)ના ભત્રીજા, વ્રજલાલ  ત્રિભુવનદાસ સામાણી, અશોકભાઈ ત્રિભુવનદાસ સામાણીના ભાણેજનું તા. ૧૦ના અવસાન થયું છે.  સદ્ગતનું ઉઠમણું તથા મોસાળપક્ષની સાદડી તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ તેમના  નિવાસસ્થાન, ઈન્દ્રભારતીજી મહારાજ આશ્રમ સામે, રાણેશ્વર ફાટક પાસે, અંબુજા નગર, દ્વારકામાં  રાખેલ છે.

જામનગરઃ ઔ.ગો.બ્રાહ્મણ નિર્મળાબેન લલીતરાય મહેતા (ઉ.વ.૮૪) તે જયેશભાઈ એલ.મહેતા (જીઈબી  ટીપીએસ સિક્કાના નિવૃત્ત કર્મચારી)ના માતા, આકાશ, દિપ (યુરોપ), પરીનના દાદી, શીલાબેનના  સાસુ, રાધિકા મહેતા, સીલોની મહેતાના દાદીજી સાસુનું તા. ૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું  તા. ૧૧ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

અમદાવાદ (મૂળ રાજકોટ) નિવાસી યોગેશકુમાર રમેશચંંદ્ર રાજપરા (ઉ.વ.૬૯) તે, સ્વ. રમણીકલાલ  શાંતિલાલ છિપાણી (કનક સાબુવાળા)ના જમાઈ, સ્વ. દિનેશભાઈ, નરેશભાઈ (યમુના રોલ પ્રેસવાળા),  જીતેન્દ્રભાઈ, યોગેશભાઈ (કડલીવાળા)ના બનેવી તા. ૭ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની સાદડી  તા. ૧૧ના ગુરૂવાર સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન શાંતિકૃપા એપાર્ટમેન્ટ, જલાની જાર રોડ, જામનગરમાં  રાખેલ છે.

શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સ્વ. મનસુખલાલ રવિશંકર ત્રિવેદીના પુત્ર સુનિલ મનસુખલાલ ત્રિવેદીના  પત્ની ઈલાબેન (આશાબેન) તે સ્વ. પરેશ મનસુખલાલ ત્રિવેદી, રાજેશ વિશ્નુપ્રસાદ ત્રિવેદીના ભાભીનું  તા. ૧૦ના અવસાન થયું છે.

જામનગર નિવાસી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મિનાક્ષીબેન આર. વ્યાસ (ઉ.વ.૭૦) તે રશ્મિકાંત  આર.વ્યાસ (રિટા.ઓફિસર ગ્રામીણબેંક)ના પત્ની, કૃતિ, આરતીના માતા, સ્વ. હર્ષદભાઈ, મુકેશભાઈ  દવે (રાજકોટ)ના બહેન, સ્વ.લલિતભાઈ, ભરતભાઈ, હર્ષદભાઈ, ભાવનાબેન વ્યાસના ભાભીનું તા.  ૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ઈન્દ્રેશ્વર  મહાદેવ મંંદિર, એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ, જામનગરમાં રાખેલ છે.

રાજકોટઃ ધરમશીભાઈ લીલાધર ભાયાણી પરિવાર (જામનગરવાળા) ના હેમંતભાઈ ધરમશીભાઈ  ભાયાણીના પત્ની પ્રવીણાબેન (ઉ.વ.૭૯) તે પ્રેયશભાઈ, રિંકુભાઈ, શિતલબેન વિજયકુમાર કોટેચા  (લેસ્ટર)ના માતા, પ્રફુલભાઈ (મોરબી), સુભાષભાઈ, શૈલેશભાઈ (જામનગર)ના ભાભીનું તા. ૮ના  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા. ૧૧ના સાંજે ૪ થી ૫ દરમ્યાન શ્રી  સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રીરામ પાર્ક કેન્દ્રીય વિદ્યાલય પાછળ, કાલાવડ રોડ, રાજકોટમાં તથા તા.  ૧૨ના સાંજે ૪ થી ૫ દરમ્યાન સ્ટારલાઈટ પાર્ટી પ્લોટ, સુભાષબ્રિજ થી ગુલાબનગર રોડ, ધીરૂભાઈ  અંબાણી ચેમ્બર હોલની સામે, જામનગરમાં રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.

close
Ank Bandh