Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ યશોમતીબેન ભોળાનાથ (નાથજીભાઈ) માંકડ, તે કિશોરભાઈ (જેટકો), ભદ્રાયુભાઈ (જે.એમ.બક્ષી), સરોજબેન શૈલેષભાઈ દેસાઈ, જયશ્રીબેન પ્રદીપભાઈ વૈષ્નવ, નીલાબેન દિપેશભાઈ બક્ષી, નયનાબેન અખિલેશભાઈ છાયાના માતા, શિવાંગ અને દેવમના દાદીનું તા. ૧૩-૭ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૪-૭ના મંગળવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન હાટકેશ્વર મહાદેવ મંદિર, હવાઈચોક, જામનગરમાં રાખવામાં આવી છે.
ભાટીયાઃ સતવારા સમાજ અગ્રણી દાતા સ્વ. અરજણભાઈ ભીમાભાઈ સોનગરાના પુત્ર પ્રેમજીભાઈ અરજણભાઈ સોનગરા તે સ્વ. વલ્લભભાઈ, રણમલભાઈના નાનાભાઈ, રાજેશભાઈ, અમિતભાઈના પિતા, લખમણભાઈ, વિઠ્ઠલભાઈ, મયુરભાઈના કાકા તા. ૧૦-૭ના શ્રીજીચરણ પામ્યા છે.
જામનગરના પૂર્વ રણજી ખેલાડી કે.સી. મહેતાના પિતાનું અવસાન
જામનગરના ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ મહેતા (ઉ.વ.૮૯) (નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી) તે સ્વ. નટુભાઈ, સ્વ. ભાનુભાઈના ભાઈ, કશ્યપભાઈ મહેતા (કેે.સી.મહેતા, પૂર્વ રણજી ખેલાડી, નિવૃત્ત જે.એમ.સી.), ભાવિનભાઈ મહેતા અને રેનાબેન ધ્રુવકુમારના પિતા, પાર્થ, માનસીના દાદાનું તા. ૧૧-૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૩-૭ના સાંજે ૫ થી ૬ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી કોલેજ પાછળ, પંચવટી સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.