Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. જયંતિલાલ છગનલાલ બારોટના પત્ની સવીતાબેન (ઉ.વ.૮૮) તે જગદીશભાઈ, હીનાબેન હરેશભાઈ પુંજાણીના માતા તથા પ્રદીપભાઈ, કિશોરભાઈ, મુકેશભાઈના ભાભી, ભાવિક, શીતલબેનના દાદી, સ્વ. મોહનલાલ નકુમભાઈ ખેતિયાના દીકરી, સ્વ. જેઠાલાલ, પ્રવિણભાઈ, ભરતભાઈના બેનનું તા. ૧૬-૫-૨૦૨૫ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૯-૫-૨૦૨૫, સોમવારના સાંજે ૫:૩૦ થી ૬ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, પંજાબ બેંક પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ સ્વ. હીરાલાલ છગનલાલ કામદારના પુત્ર મહેશભાઈ (ઉ.વ.૮૩), તે જસ્મીનભાઈના પિતા, જીલભાઈના દાદા, કિશોરભાઈ, સ્વ. અનીલભાઈ, શશીભાઈના મોટાભાઈ તા. ૧૭-૫-૨૦૨૫, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૯-૫-૨૦૨૫ ના સવારે ૯:૩૦ વાગ્યે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧:૦૦ વાગ્યે કામદાર વાડી, અંબર સિનેમા પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (હાલઃ નવી હરિપર) કુસુમબેનનું તા. ૧૬-૫-૨૦૨૫ ના અવસાન થયેલ છે. તે ભરતભાઈ ઝવેરચંદ મારૂના પત્ની, હાર્દિકભાઈના માતા તથા મીરાબેનના સાસુ, સ્વ.કસ્તુરબેન જીવરાજ કચરા જાખરીયા (વડાલીયા સિંહણ) ના પુત્રી થાય. તેમની સાદડી તા. ૧૮-૫-૨૦૨૫ સાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન, ઓશવાળ સેન્ટર, પગારી નં. ૧, જામનગરમાં રાખેલ છે.