ચિરવિદાય

ખંભાળીયાઃ (મૂળ મૂળી નિવાસી)અનોપસિંહ બેચરસિંહ પરમાર (ઉ.વ.૭૫) તે મહેન્દ્રસિંહ (નાના  લખીયા)ના ભાઈ, ઈન્દ્રજીતસિંહ (ભાજપ અગ્રણી), જયેન્દ્રસિંહના પિતા, અજયસિંહ, વીરેન્દ્રસિંહના  કાકા, જયપાલસિંહ, ક્રિષ્નપાલસિંહ, બંસીબાના દાદાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું  તા. ૨૨ના બપોરે ૩ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે ગણાત્રા હોલ, રામનાથ સોસાયટી,  ખંભાળીયામાં રાખેલ છે.

જામનગરઃ નિર્મળાબેન મણિલાલ શનિશ્ચરાના પુત્રી કરૂણાબેન, તે પ્રેમિલાબેન જયંતિભાઈ મણીયારના  બેન, ગજાનન ફર્નિચરવાળા પ્રદિપભાઈ, ગિરીશભાઈ, હિતેષભાઈ, ભાવેશભાઈ સ્વ.અંજનાબેન,  સ્વ.અશ્વિનીબેન,પારૂબેન, દક્ષાબેન, સ્વ.અનિલભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ.મંજુલાબેન, કુસુમબેન,  ઉષાબેનના કાકાના દીકરી બેનનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૨ના  સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચની વાડી,  ખંભાળીયા ગેઈટ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ (મૂળ દત્રાણા નિવાસી) માધવજીભાઈ કાકુભાઈ દત્તાણીના પુત્ર રમેશભાઈ(ઉ.વ.૬૫) તે  કપીલભાઈ, આશાબેન ભાવિનકુમાર રાજદેવ, પાયલબેન કેતનકુમાર પોપટ, મીરાબેન સુધીરકુમાર  ગણાત્રાના પિતા તા. ૨૧ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા સસુરપક્ષની સાદડી તા.  ૨૨ના સોમવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી રામાભાઈ માંડણભાઈ ઓડેદરા (ઉ.વ.૮૭), તે હરદાસભાઈ રામાભાઈ ઓડેદરા,  જેસાભાઈ રામાભાઈ ઓડેદરા, હમીરભાઈ રામાભાઈ ઓડેદરા (આશિર્વાદ કલબ રિસોર્ટવાળા),  પૂંજાભાઈ રામાભાઈ ઓડેદરાના પિતાનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨ના  સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન આશીર્વાદ કલબ રિસોર્ટ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે  રાખેલ છે.

જામનગરઃ પૂર્ણાબા જગવિજયસિંહજી જાડેજા (ઉ.વ.૭૪) તે કુ.રાજરત્નસિંહજી જગવિજયસિંહજી  જાડેજાના મોટાબેનનું તા. ૨૧ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૫ને ગુરૂવારના સાંજે  ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ વસંતભાઈ દામજીભાઈ ગણાત્રા, તે વિજયભાઈ, ખુશાલભાઈના ભાઈનું તા. ૧૮ના અવસાન  થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૧ ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન સતવારા સમાજની વાડી,  ગોકુલનગર, રડાર રોડ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. ભરતભાઈ રતિલાલ કામદારના પુત્ર નીતિનભાઈ (ઉ.વ.૭૧) તે મીનાબેનના પતિ,  મિહિર, વિધિના પિતા, ડો. ઉર્મિબેન કામદાર (પરીખ)ના ભાઈ, રાજેશભાઈ પરીખના સાળા,  શ્રેયસભાઈ મણી, દીપાલીબેન મિહિરભાઈ કામદારના સસરા, સ્વ. લક્ષ્મીચંદ હિંમતલાલ ઉદાણી  (રાજકોટ)ના જમાઈનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૨ને સોમવારે સાંજે ૫:૩૦  થી ૬ દરમ્યાન કામદાર વાડી, પી.એન.માર્ગ, અંબર ટોકીઝ પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો  માટે રાખેલ છે.

જામનગર (મૂળ ભણગોર) નિવાસી દિવ્યરાજસિંહ જાડેજા (ઉ.વ.૩૩) તે અનિરૂદ્ધસિંહ કનકસિંહ  જાડેજાના પુત્ર, ભગીરથસિંહ એ. જાડેજા(નયારા એનર્જી), રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા  (જીએમબી), અનિલસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ભાવનગર)ના ભાઈ, મનદીપસિંહ ભગીરથસિંહ  જાડેજાના કાકા, હિતરાજસિંહ દિવ્યરાજસિંહ જાડેજાના પિતાનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું  બેસણું તા. ૨૨ના સાંજે ૪ થી ૫:૩૦ ભાઈઓ માટે કષ્ટભંજન હનુમાન હોલ, ગાંધીનગર, તથા બહેનો  માટે તેમના નિવાસસ્થાન પટેલ કોલોની, શેરી નં. ૯, જામનગરમાં રાખેલ છે. તથા સદ્ગતની  ઉત્તરક્રિયા તા. ૨૯ના સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જામખંભાળીયા (મૂળ મૂળી) નિવાસી અનોપસિંહ બેચરસિંહ પરમાર (જય માતાજી) (ઉ.વ.૭૫) તે  મહેન્દ્રસિંહ (નાના લખીયા)ના ભાઈ, ઈન્દ્રજીતસિંહ પરમાર (ભાજપ અગ્રણી), જયેન્દ્રસિંહના પિતા,  અજયસિંહ, વિરેન્દ્રસિંહના કાકા, જયપાલસિંહ, ક્રિષ્નપાલ, બંસીબાના દાદાનું તા. ૧૯ ના અવસાન  થયું છે.

જામનગર નિવાસી (મૂળ સીંગચ) ગં.સ્વ. મુકતાબેન કુંડલીયા (ઉ.વ.૯૦) તે સ્વ. દેવરામભાઈ લીલાધરભાઈ કુંડલીયાના પત્ની, ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, જયંતભાઈ, કેતનભાઈ, પ્રફુલ્લાબેન નારણદાસ લાખાણી, જયશ્રીબેન પ્રતાપભાઈ સોનેચાના માતા, સ્વ. ઠા. કરસનદાસ આણંદજી પોપટ (રાણવાળા)ના પુત્રી તા. ૧૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૯ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ હાલારી ભાનુશાળી અતુલ છોટાલાલ કનખરા (મીનો)(ઉ.વ.૫૮) તે જલક હિમાંશુ જોઈસરના પિતા, હિમાંશુ કમલેશભાઈ જોઈસરના સસરા, શ્લોકના નાના, અરવિંદભાઈ (એસબીઆઈ), મહેન્દ્રભાઈ (બીએસએનએલ), નિલેશભાઈ (સ્ટુડિઓ મૌલિક), ઉર્મીલાબેન મંગી, સ્વ. રમીલાબેનના ભાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ બહેનો માટે તથા ૫:૩૦ થી ૬ ભાઈઓ માટે હાલારી ભાનુશાળીની વાડી, હવાઈચોક, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. શાંતિલાલ પિતાંબર કુંડલીયાના પુત્ર નરેશભાઈ (બાબાભાઈ) (ઉ.વ.૭૭)તે સ્વ. જયેન્દ્રભાઈ(ભોલાભાઈ), સ્વ. જયાબેન, સ્વ. સુશીલાબેનના ભાઈ, જયરાજ સૂર્યકાંત મહેતાના કાકાનું તા. ૧૮ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જામનગર (મૂળ લાલપુર)નિવાસી સ્વ. શાંતિલાલ જેસંગભાઈ મહેતાના પુત્ર પંકજભાઈ (કોકો બેંક) તે આશાબેનના પતિ, યશ, પલકના પિતા, સ્વ. રમેશભાઈ, સ્વ. પ્રદીપભાઈ, મુકેશભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. જયોત્સનાબેન અરિહંતભાઈ મહેતા, પ્રતિભાબેન દિપકભાઈ કુંડલીયાના ભાઈ, મનસુખલાલ કલ્યાણજીભાઈ ફોફરીયાના જમાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ ના સાંજે ૪ વાગ્યે વારીયાના ડેલા ઉપાશ્રય, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ નાગ્રેચા-કચ્છ) હરીસિંહ વેલુભા જાડેજા (ઉ.વ.૬૫) તે દિલિપસિંહ, ધિરેન્દ્રસિંહના પિતા, સ્વ. વેલુભા ગગુભા જાડેજાના પુત્ર, ભરતસિંહ, રણજીતસિંહના ભાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાન, રંગમતિ પાર્ક-૪, સાઈબાબા ચોક, રાજપાર્ક, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ તિથવા) પારૂલબેન આર. બદ્રકીયા (ઉ.વ.૫૧) તે રાજેશભાઈ ધનજીભાઈ બદ્રકીયાના પત્ની, પ્રભુદાસભાઈ ગોરધનદાસ વડગામા (લાખાબાવળ)ના પુત્રીનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૨૦ના શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ પ્રવિણભાઈ રણછોડભાઈ વડગામાના પત્ની પુષ્પાબેન (ઉ.વ.૭૮)નું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૦ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦  દરમ્યાન વિશ્વકર્માનીવાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સુરેન્દ્રભાઈ શામજીભાઈ બાલા (ભાયાભાઈ) (નરેન્દ્ર ડેરી ફાર્મવાળા), તે સ્વ. નરેન્દ્રભાઈ  બાલા, જગદીશભાઈ બાલાના ભાઈ તથા અમિતભાઈ બાલા, સ્વ. મુકેશભાઈ બાલા, જીતુભાઈ બાલાના  પિતા તથા અશ્લેષભાઈ બાલા, દેવાંશી બાલાના દાદાનું તા. ૧૮ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું  તા. ૧૯-૧ર-ર૦રપ, શુક્રવારના સાંજે પ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે શ્રી  કાશીવિશ્વનાથ મંદિરે, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh