Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હાલારી ભાનુશાળી જ્ઞાતિના હંસાબેન નંદા (ઉ.વ.૬૭) તે એડવોકેટ વિનોદભાઈ કે. નંદાના પત્ની, મિહિર નંદા(એડવોકેટ)ના માતાનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૯ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જેલ રોડ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ મનહરભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (ઉ.વ.૭૨) તે વિનુભાઈ, સુરેશભાઈ, મંજુલાબેન, સ્વ. ઉષાબેનના ભાઈ, રાજુલાબેનના પતિ, જતીન, મૌસમીના પિતા, શીતલ સોલંકી, રીતેશકુમાર પટેલના સસરા, ક્રિશીવના દાદા, રાજુભાઈ તથા મિલનભાઈના કાકાનું તા. ૨૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯ના સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.
જામનગરઃ નિલેશભાઈ સૂચક (ઉ.વ.૫૮) તે અનિતાબેનના પતિ, ખ્યાતિ, ધવલના પિતાનું તા. ૨૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯ના સોમવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ દેવરામભાઈ રાજયગુરૂના પત્ની ગં.સ્વ. જશુબેન રાજ્યગુરૂ, તે ભરતભાઈ, જનકભાઈ, જગદીશભાઈ, નિલેષભાઈના માતા, ખંજન, અખિલ, હેત, યાજ્ઞિક, ઉત્સવના દાદીનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન અબોટી બ્રહ્મ સમાજની વાડી, કેશોદ, (તાલુકો ખંભાળીયા)માં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી (મૂળ જાંબુડા) ભરતભાઈ મુળુભાઈ પાલીયા (ઉ.વ.૭૯) તે સજનભાઈ મુળુભાઈ પાલીયાના ભાઈ, રણુભાઈ ઉમેદભાઈ પાલીયાના કાકા, સંજયભાઈ લાંબાના મામાનું તા. ૨૪ના અવસાન થયું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૨-૧-૨૬ના શુક્રવારે બ્લોક નં. ૧૩, ગાંધીનગર હાઉસીંગ બોર્ડ, ગાયત્રી મંદિરની પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.