Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ પડાણામાંથી રાઠોડ પરિવારના
જામનગર તા. ૧૬: મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ પડાણા પાંખીના રાઠોડ પરિવારના શ્રી ચામુંડા માતાજીના ચૈત્રી નવરાત્રિ નવચંડી હોમાત્મક મહાયજ્ઞ નિમિત્તે તા. ૩૦-૩૧ માર્ચના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પ્રથમ દિવસે સવારે ૮ કલાકે માતાના મઢે શ્રી ચામુંડા માતાજીનો અનુષ્ઠા શ્રૃંગાર, રાત્રે ૯ થી ૧૦ રાસગરબાની રમઝટ, બીજા દિવસે સવારે માતાના મઢેથી શ્રી ચામુંડા માતાજીની શોભાયાત્રા, સવારે ચામુંડા માતાજીના મહાયજ્ઞ, બપોરે દીપપ્રાગટ્ય, દાતાઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાતા સ્વ. ગીરધરભાઈ દયાળજી રાઠોડ પરિવારના રાજેશભાઈ, હિતેષભાઈ, કેવલભાઈ, પાર્શ્વ, દેવર્ષ, પત્રકાર નરેન્દ્ર પીઠડિયા, વસંતભાઈ એલ. રાઠોડ, સુરેશભાઈ પ્રભુલાલ રાઠોડ, સતિષ વલ્લભભાઈ રાઠોડ, મચ્છુ કઠિયા સઈસુથાર જ્ઞાતિના પ્રમુખ દિપકભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન નિલેશ રાઠોડે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial