Advertisement
Author: નોબત સમાચાર

જન્મ-મરણ શાખાએ સર્વર ડાઉનના બહાને બારી બંધ કરી દીધી... પણ... સર્વર તો ચાલુ જ હતું!

જામનગરના જાગૃત કોર્પોરેટરના રિયાલિટી ચેકે ખોલી પોલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખા હરહંમેશ વિવાદમાં રહે છે, આજે પણ સર્વર ડાઉન હોવાનું બહાનું આગળ ધરીને બારી બંધ કરી દેવાતા અરજદારો હેરાનપરેશાન થઈ ગયા હતાં. આખરે જાગૃત કોર્પોરેટર રચનાબેન નંદાણિયા પહોંચ્યા હતાં. જ્યારે સર્વર કાર્યરત હોવાનું જણાયું હતું. જામનગરર મહાનગર પાલિકાની જન્મ-મરણ શાખામાં સર્વર ડાઉનના બહાના હેઠળ સમયાંતરે કામગીરી બંધ કરી દેવામાં આવે છે, ત્યારે અરજદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આજે પણ સર્વર ડાઉન છે, તેમ જણાવી બારી બંધ કરી દેવામાં આવતા જન્મ-મરણના દાખલા મેળવવા માટે આવેલા અરજદારો પરેશાન થઈ ગયા હતાં. આ બાબતે કોઈએ જાગૃત કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને ફરિયાદ કરતા તેઓ તાબડતોબ આવી પહોંચ્યા હતાં અને કોમ્પ્યુટર પાસે જ બેસી ગયા હતાં, જ્યારે તપાસ કરતા સર્વર રાબેતામુજબ કાર્યરત હતું. આથી એવું સાબિત થાય છે કે આ રામભરોસે ચાલતી શાખામાં કર્મચારીઓ મનફાવે ત્યારે કામગીરી બંધ કરી દેતા હોય છે.

જ્યાં સૌથી વધુ અરજદારોની ભીડ રહેતી હોય છે, તેથી આ શાખામાં ક્યારેય મેયર-ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરે સરપ્રાઈઝ ચેકીંગ કર્યું જ નથી. નગરપાલિકાના દરવાજે વચેટીયાઓ બેઠા છે ત્યાંથી હટાવવા પગલા લેવા જોઈએ.  એટલે કે અરજદારોની મુશ્કેલીમાં કોઈ રસ નહીં હોવાનું સાબિત થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh