Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના એનએફએસએ રેશનકાર્ડ ધારકો માટે ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

જિલ્લા પુરવઠા અધિકારીની તાકિદ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તા. ૩૦ એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. તેવી તાકિદ જિલ્લા પુરવઠા અધિકારીએ કરી છે.

કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે.

માય રાશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી / કર્મચારી, વીસીઈ, આચાર્ય, શિક્ષકો, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, પોસ્ટ માસ્ટર તથા સરકાર માન્યા વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન મારફત, તાલુકાની મામલતદાર કચેરીએ પુરવઠા શાખા મારફત ઈ કેવાયસી કરાવી શકાશે.

સરકારની સૂચના મુજબ તા.૦૧/૦૫/૨૦૨૫થી એનએફએસએ હેઠળ સબસિડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત થાય તે માટે દરેક એનએફએસએ રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે. જેથી બાકી રહેલ તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં ફરજિયાતપણે ઈ કેવાયસી કરાવવા જિલ્લા પુરવઠા અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh