Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની આઈ.ટી.આઈ.માં તા. ૧૭ એપ્રિલે ઔદ્યોગીક ભરતી મેળો યોજાશે

નોકરી દાતાઓ-રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૧૭-૦૪-૨૦૨૫ના સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા નોકરીદાતાઓ તથા રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. આ ઔદ્યોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે.

જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એચ.એસ.સી, આઈટીઆઈ ઇલેક્ટ્રિશયન, સર્વેયર, ડિપ્લોમા, બી.ઈ અને બી.ટેક સિવિલ સાથે ૨ થી ૬ વર્ષ અનુભવ જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા તેમજ પી.એમ.ઈન્ટર્નશીપ યોજનામાં માટે રજિસ્ટ્રેશન કરવા ઈચ્છુક ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે અને પી.એમ. ઈન્ટર્નશીપ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh