Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે - તે વોર્ડના કોર્પોરેટરો કેમ ધ્યાન આપતા નથી ? તેઓની કોઈ જવાબદારી નથી કે તેઓને કોઈ ગણકારતું જ નથી ?
જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે લાખો-કરોડોની ગ્રાંટ ફાળવવામાં આવે છે. દર મહિને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના જુદા-જુદા વિસ્તારો માટે લોકોની સુવિધા માટે કરોડો રૂપિયા મંજુર કરવામાં આવે છે. તેમજ શહેરને સ્વચ્છ રાખવા માટે પણ મહાપાલિકા દ્વારા અનેક વિસ્તારમાં ડસ્ટબિન મુકવામાં આવે છે. મહાનગરપાલિકાના સત્તાધીશો એસી ઓફિસમાં બેસી અને બસ ગ્રાંટ પાસ કરવા સિવાય કોઈ બીજું કામજ ના કરતા હોય તેવું દૃશ્યમાન થઈ રહૃાું છે. થોડા સમય પહેલાં મહાપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં નવી કચરા પેટીઓ મુકવામાં આવી હતી. જેમાં ભીનો કચરો અને સુકો કચરો નાખવા માટે અલગ-અલગ ડ્રમ મુકવામાં આવ્યા છે. આ કચરા પેટી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુકવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે તેવું માનવામાં આવી રહૃાું છે. પરંતુ આ કચરા પેટીઓ મુક્યા પછી કોઈ પણ જામ્યુકોના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું નહીં હોય ત્યારે જ આવા કોન્ટ્રાક્ટર દ્વારા જેમતેમજ સ્ટ્રકચર બનાવી અને કચરા પેટીઓ મુકી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં આવી કચરા પેટીઓ જમીન દોસ્ત થઈ ગઈ છે અથવા બુધ્ધીજીવીઓ દ્વારા કચરા પેટીની આગળ જ બીજી નવી કચરા પેટીઓ મુકી દીધી છે. જો જામ્યુકોના પદાધિકારીઓ દ્વારા ક્યા વિસ્તારોમાં કચરા પેટી મુકી ત્યાંનું જાત નિરીક્ષણ કરી અને જરૂરી સુચનાઓ આપવામાં આવી હોત તો લોકોના પૈસાનો વેડફાટ ન થયો હોત. શહેરનાં કબિર આશ્રમપાસે થોડા સમય પહેલાં જ સ્ટ્રકચર બનાવી અને સુકો-ભીનો કચરો નાખવા માટે કચરા પેટી મુકી હતી તે છેલ્લા કેટલાક સમયથી જમીન દોસ્ત થઈ ગઈ છે. તેવી જ રીતે શહેરના પોસ વિસ્તાર એવા જોગર્ષ પાર્ક જવાના રસ્તા પર કચરા પેટી હતી ત્યાં તેની જ આગળ નવી કચરા પેટી આ બુદ્ધીજીવી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ખડકી દેવામાં આવી છે. તળાવની પાળ પર મુકવામાં આવેલી કચરા પેટી તો કોઈ ઉઠાવી જ ગયું લાગે છે તેવું દૃશ્યમાન થાય છે. ફક્ત સ્ટ્રક્ચર કરેલા કચરા પેટીના સ્ટેન્ડ બાકી રહી ગયું છે તે પણ કોઈ ઉઠાવી જાય તે પહેલાં કોઈ નક્કર કાર્યવાહી કરવી જોઈએ. પવનચક્કી સર્કલ પાસે જ જામ્યુકો દ્વારા બે સ્ટેન્ડસાથે કચરા પેટી મુકવામાં આવી હતી જેમાની એક કચરા પેટી કોઈ ટિખ્ખળખોળ દ્વારા તોડી અને જમીન દોસ્ત બનાવી દેવામાં આવે અને બીજી કચરા પેટીને દોરીથી બાંધી અને ઉંધી કરી દેવામાં આવી છે ત્યાં જ આગળ રિક્ષા સ્ટેન્ડ હોય કોઈ કચરો ફેંકવા આવશે ખરા...?
હવાઈ ચોક વિસ્તારમાં સિટી બસ સ્ટેન્ડ પાસે જ ખચરા પેટીની હાલત દયાનીય હોય જે ઉપરોક્ત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે. શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવી જ કચરા પેટીનું હલકી ગુણવત્તાનું સ્ટ્રક્ચર બનાવી દેવાતાં કચરા પેટી પીજીવીસીના થાંભલાના ભરોસે ઉભી રહી ગઈ છે. જામનગરના અન્ય પણ કેટલાક વિસ્તારોમાં આવી જ હાલત કચરા પેટીની થઈ ગઈ છે તો જામ્યુકોના પદાધિકારીઓ દ્વારા જે વિસ્તારમાં નવી કચરા પેટીઓ મુકવામાં આવી છે ત્યાં મુલાકાત લઈ અને કોન્ટ્રાકટરે કરેલા આ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પગલા ભરવા જોઈએ એવી પણ લોકો દ્વારા ચર્ચા થઈ રહી છે. હજી પણ ઘણા બધા નવા વિકસીત થઈ રહેલા વિસ્તારોમાં આવા ડસ્ટબીનન મુકવાની ખાસ જરૂર છે જેવા કે લાલવાડી, અન્નપૂર્ણા સર્કલ સહિતના અનેક વિસ્તારો વિકસી રહૃાા છે ત્યારે આ વિસ્તારોમાં પણ કચરા પેટીઓ મુકી અને શહેરને સ્વચ્છ બનાવવા મહાપાલિકાએ આયોજન ઘડવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયાં ખાલી ડસ્ટબીન મુકવામાં આવ્યા છે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પણ ધ્યાન આપતા નથી. શું તેઓની કોઈ જવાબદારી નથી ? શું તેઓની કોઈ જવાબદારી નથી ?
તસ્વીરી અહેવાલઃ નિર્મલ કારિયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial