Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસઃ
જામનગર તા. ૧૬: મુંબઈ ડોકયાર્ડમાં ૧૪ એપ્રિલ ૧૯૪૪ ના વિસ્ફોટક ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જવલનશીલ માલસામાન ભરેલા એક એસ.એસ. સ્ટાઈકીન બ્રિટીશ માલવાહક જ્હાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયરબ્રિગેડના જવાનોએ જાનની પરવાહ કર્યા વગર દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું. આ સાથે ૩૦૦ થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતાં.
કુદરતી હોનારતો અને માનવ સર્જીત હોનારતોમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા શહીદોની યાદમાં ૧૪ એપ્રિલના અગ્નિશમન સેવા દિન ઉજવવામાં આવે છે ત્યારે જામનગરમાં છેલ્લા નવ વર્ષથી કાર્યરત સૌરાષ્ટ્રની એકમાત્ર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ફાયર અને સેફ્ટી કોલેજમાં ફાયર ડે અંતર્ગત શહીદ ફાયરમેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે કોલેજના ડાયરેક્ટર નેમિષ મહેતા, પ્રિન્સિપાલ રમેશ મીઠાણી, ટ્રસ્ટી કે.ડી. વાડિયા અને ઈન્સ્ટ્રક્ટર વિજયસિંહ જેઠવા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial