Advertisement
Author: નોબત સમાચાર

વતનમાં મેળો કરવા જવાનું કહી રવાના થયેલી યુવતી થઈ ગુમ

બસમાં નીકળી હોવા છતાં વતનમાં ન પહોંચીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૬ : જામજોધપુરના ધ્રાફા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પરપ્રાંતીય પરિવારની પુત્રી વતનમાં મેળો કરવા માટે જવાનું કહીને એસટી બસમાં નીકળ્યા પછી વતનમાં નહીં પહોંચતા પોલીસને જાણ કરાઈ છે. પોલીસે આ યુવતી ગુમ થયાનું નોંધી તપાસ શરૂ કરી છે.

જામજોધ૫ુર તાલુકાના ધ્રાફા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના જાલી ગામના વતની ઈમાન ભાઈ ધુલેભાઈ પરમાર નામના પ્રૌઢની બાવીસ વર્ષની પુત્રી તોલકીબેન ઉર્ફે કવિબેનએ પોતાના વતનમાં યોજાયેલા મેળામાં જવા માટે કહ્યું હતું.

આ યુવતીને વતનમાં મોકલવા માટે પરિવારે ધ્રાફા ગામથી એસટી બસમાં બેસાડ્યા હતા. ત્યાંથી નીકળ્યા પછી આ યુવતી પોતાના વતનમાં ન પહોંચતા તેણીના પરિવારે શોધ શરૂ કરી હતી. તેમ છતાં પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરાઈ છે. શેઠવડાળા પોલીસે આ યુવતીનું વર્ણન તથા ફોટો મેળવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh