Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક સ્લીપ થતાં જામવંથલીના યુવાન અને નગરના પ્રૌઢનું મૃત્યુઃ જાંબુડા પાસે અકસ્માતઃ
જામનગર તા.૧૬ : જામનગરના ધુડશીયા ગામમાં દાદી-પૌત્ર ગઈકાલે રણુજા તરફ સ્કૂટરમાં જતાં હતા ત્યારે એક બોલેરોએ ઠોકર મારતા દાદીની નજર સામે પૌૈત્રનું મૃત્યુ નિપજ્યું છે. ઘવાયેલા દાદીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાંબુડા ગામ પાસે એક પ્રૌઢના બાઈક સાથે બીજું બાઈક ટકરાઈ પડતા ઘવાયેલા પ્રૌઢનંુ મૃત્યુ થયું છે. અલીયાબાડા-ચાવડા ગામ વચ્ચે બાઈક સ્લીપ થતાં જામ વંથલીના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને જામનગરના એક પ્રૌઢના બાઈક આડે દ્વારકાના ટૂંપણી રોડ પર જનાવર આડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો.
જામનગર તાલુકાના ધુડશીયા ગામના કેતનભાઈ બાબુભાઈ માધાણીના માતા સામુબેન તથા પુત્ર ક્રિશ ગઈકાલે સવારે જીજે-૧૦-સીએફ ૯૬૮૮ નંબરના એક્ટિવા સ્કૂટરમાં વાડીએથી ઘરે જવા માટે નીકળ્યા હતા.
દાદી-પૌત્ર જ્યારે ફલ્લા-કાલાવડ રોડ પર રણુજા તરફ વસરામભાઈ નામના ખેડૂતના ખેતર પાસે પહોંચ્યા ત્યારે એક બોલેરો સામેથી પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો. તેના ચાલકે ઠોકર મારી દાદી-પૌત્રને પછાડ્યા હતા. આ અકસ્માતમાં સામુબેનને માથા તથા પાંસળીમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે ક્રિશને માથામાં ગંભીર ઈજા થવાથી તેનંુ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જનાર જીજે-૧૦-ટીવાય ૧૬૭૦ નંબરના બોલેરોના ચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર તાલુકાના જામ વંથલી ગામના દિવ્યેશભાઈ દિલીપભાઈ ગોહિલ (ઉ.વ.૩૦) નામના યુવાન ગુરૂવારે સાંજે પાંચેક વાગ્યે જીજે-૧૦-બીએચ ૪૧૫૨ નંબરના મોટરસાયકલ પર જામનગરથી પોતાના ગામ જવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે અલીયાબાડા થી ચાવડા ગામ વચ્ચે હતા ત્યારે ગોળાઈમાં કોઈ રીતે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતાં માથામાં ગંભીર ઈજા પામેલા દિવ્યેશભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનંુ સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યંુ છે. તેમના જામનગરમાં રહેતા મોટાભાઈ મહેન્દ્રભાઈ ગોહિલે પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના જાંબુડા ગામના ભરતસિંહ જાડેજા નામના પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૧૦-સીએસ ૮૨૬૭ નંબરના મોટર સાયરલ પર ઘરેથી નીકળ્યા પછી રોડ ક્રોસ કરતા હતા. ત્યારે તેમના બાઈકને હડીયાણા ગામના કુલદીપ સિંહ સુનિલસિંહ વાઢેર નામના બાઈકચાલકે જીજે-૧૦-ડીએચ ૯૫૨૬ નંબરના બાઈકથી ઠોકર મારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભરતસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર ગિરીરાજસિંહ જાડેજાએ ફરિયાદ કરી છે.
જામનગરના ગોકુલનગર નજીક સોહમનગર જકાત નાકા પાસે રહેતા ધનસુખ ભાઈ ધનજીભાઈ ઠાકર (ઉ.વ.૫૩) નામના વિપ્ર પ્રૌઢ ગઈ તા.૨૬ની સાંજે જીજે-૧૦-સીએમ ૬૬૯૫ નંબરના બાઈકમાં દ્વારકા તાલુકાના ચરકલાથી મુળવાસર વચ્ચેના ટુંપણી ગામ પાસેથી પસાર થતાં હતા ત્યારે કોઈ જનાવર બાઈક આડે ઉતરતા ધનસુખભાઈ બાઈક પરથી પડી ગયા હતા. માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર જયમીનભાઈ ઠાકરે દ્વારકા પોલીસ મથકમાં જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial