Advertisement
Author: નોબત સમાચાર

ચોમાસા પહેલાં ભયજનક જર્જરિત ઈમારતો સેઈફ સ્ટેજે લાવી સર્ટિફીકેટ મેળવવું ફરજિયાત

જામનગર મહાનગરપાલિકાની તાકીદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઈમારતોનું પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષે ફિઝિકલ સર્વ કરવામાં આવે છે, જે દરમ્યાન ધ્યાન માં આવેલ તેમજ વોર્ડ ઇજનેર દ્વારા રૂટીન વોર્ડ રાઉન્ડ દરમ્યાન ધ્યાને આવેલ અને મહાનગર પાલિકા ને ને મળેલ જુદી-જુદી અરજી ઓ અન્વયે જણાવેલ ભયજનક ગાણાતી ઈમારતો કે ઈમારત ના ભાગ માટે જે તે આસામીઓ/વપરાશકર્તાઓ ને પીજીપીએમસી એક્ટની કલમ-૨૯૪ મુજબ નોટીસ ઈસ્યુ કરી આવા ભયજનક/ જર્જરીત ભાગ કે ઈમારતોને સેઈફ સ્ટેજે લાવવા માટે જાણ કરવામાં આવે છે.

આ જાહેર નોટીસથી વર્ષ ૨૦૨૫ ની પ્રિ-મોન્સુન કામગીરી ના ભાગરૂપે આવા જામનગર મહાનગર પાલિકાની ૪૮-વિસ્તારમાં આવેલ ભયજનક  જર્જરીત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામ ને સેઈફ રસ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે થી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખા માં રજુ કરવાનું રહેશે. અન્યથા કોઈપણ હોનારત ને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઈમારતનો ભોગવટો કરનાર આસામી/માલિકની રહેશે, જેની લગત આસામીએ નોંધ લેવા.ની રહેશે.

શહે૨માં જુદા-જુદા વિસ્તારમાં આસામીઓ દ્વારા ઈમારતનું રીનોવેશન/ રીપેરીંગ, ફ્લોરીંગ ચેન્જ, દીવાલોના આંતરીક ફેરફાર વિગેરે જેવા કામો કે જેમાં વિકાસ પરવાનગી મેળવવાની જરૂરિયાત રહેતી નથી, તેવા કામો સમયાંતરે કરવામાં આવતા હોય છે. આવા કામો મહાનગરપાલિકાના ૨જીસ્ટર્ડ આર્કિટેક્ટના સુપરવિઝનમાં તથા સ્ટ્રક્ચર એન્જીનીયરની યોગ્ય સલાહ મેળવ્યા બાદ જ કરાવવા જરૂરી છે. જેથી કરી બાંધકામના સ્ટ્રક્ચરલ ડેમેજને અટકાવી શકાય તથા જાનહાનિ પણ નિવારી શકાય. આથી તમામ શહેરીજનોને  અપિલ કરવામાં આવે છે કે આવા રીનોવેશન/ રીપેરીંગ, મકાનની અંદર ના આંતરીક ફેરફારો નિષ્ણાતોની સલાહ તથા માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવે .  ખાસ કરીને ગઢની રાંગની અંદર ના વિસ્તારોમાં સનદી બાંધકામો માં કોઈ પણ આંતરીક ફેરફારો કરતાં પહેલા રજીસ્ટર્ડ ઍન્જીનીયર ની સલાહ તથા માર્ગદર્શન મેળવી લઈ તેઓના સુપરવિઝન હેઠળ અન્ય ખાતાના જરૂરી એન.ઓ.સી. મેળવી આવા કામો હાથ ધરવા તેમજ રીનોવેશન રીપેરીંગ કામ ઉપરાંત કોઈપણ બાંધકામમાં અપર ફ્લોર  કરતાં સમયે હૈયાત બાંધકામની યોગ્ય સ્ટ્રક્ચરલી ચકાસણી કરાવ્યા બાદ જ ધોરણસરની વિકાસ પરવાનગી મેળવી, મહાનગર પાલિકાના રજીસ્ટર્ડ એન્જિનિય૨ની સલાહ તેમજ સુપરવિઝન હેઠળ જ આવા કામો કરવા સૂચના આપવામાં આવે છે.

જામનગર મહાનગર પાલિકાના રજીસ્ટર્ડ આર્કિટેકટ એન્જિનિયરનું લીસ્ટ જામનગર મહાનગર પાલિકાના વેબસાઈટ પર  થી મેળવી લેવાનું રહેશે .

જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાક ની આસપાસ જો આવી કોઈ ભયજનક કે જર્જરીત ઈમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવા સીટી એન્જિનિયર  ,ટાઉન પ્લાનીંગ શાખા , જામનગર મહાનગરપાલિકા ની યાદી માં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh