Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં એક વર્ષથી ઉપરની જન્મ-મરણની નોંધણીના હુકમો કરવાની સત્તા તાલુકા મામલતદારોને સોંપાઈ

જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કરતા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  એક વર્ષથી વધુ સમયના જન્મ-મરણ નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ તાલુકા કક્ષાએ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટને સોંપાઈ છે.

વર્તમાન સમયે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, આરટીએસ, સીટીએસ તથા તકરારી કેસો, લેન્ડ ગ્રેબીંગ, રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે હંગામી બિનખેતી વિગેરે જેવી કામગીરીનું ભારણ વધેલ હોઈ, તથા અરજીઓના નિકાલની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેતી હોય છે.

જેથી ૧ વર્ષથી વધુ વિલંબ પછી જન્મ-મરણ નોંધણીના અધિકારો તાલુકા કક્ષાએ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટોને સોંપવામાં આવે તો સબડિવિઝનલ કક્ષાએ કામગીરીનું ભારણ ઓછું કરી શકાય તથા તાલુકા કક્ષાએથી જ જન્મ-મરણ નોંધણી પ્રક્રિયા કરવામાં આવે તો અરજદારોને પણ અનુકૂળતા રહે. આ બાબતે અવારનવાર બાર એસોસિએશન અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પણ વિચારણા કરવા રજૂઆત મળેલ છે. સરકારનો અભિગમ અને નીતિ પણ શક્ય હોય તેટલી બાબતોમાં વિકેન્દ્રિકરણ કરી તાલુકા કક્ષાએથી સેવા-સગવડ મળી રહે તે પ્રકારની રહી છે. જે અનુસાર ૧ વર્ષથી ઉપરના જન્મ-મ્રણની નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ તાલુકા કક્ષાએ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટોને સોંપવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh