Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડઃ હોબાળો મચાવતા સર્જાયો ચક્કાજામઃ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા કર્યો લાઠીચાર્જઃ સીસીટીવી સામે આવ્યા
રાજકોટ તા. ૧૬ આજે રાજકોટમાં એક સિટી બસચાલકે વાહનોને અડફેટે લેતાં ૪નાં મોત થયા છે. તે પછી ઈન્દિરા સર્કલ પાસે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને તોડફોડ કરી હતી. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ નેતાઓ દોડી આવ્યા હતા. મ્યુનિ. કમિશનરે સહાયની જાહેરાત કરી હતી.
રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે એક બેફામ સિટી બસચાલકે વાહનોને અડફેટે લેતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ૪ લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં, જયારે ૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું અને બસમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. અકસ્માતમાં બસ-ડ્રાઈવર શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
એક મૃતક સંગીતાબેન બેલ બહાદુર નેપાળી ઈન્દિરા સર્કલ પાસે બ્યુટીપાર્લરમાં નોકરી કરે છે, જયારે અન્ય મૃત્તક રાજુભાઈ મનુભાઈ ગીડા સત્યમ પાર્ક, શેરી નંબર-૧,૮૦ ફૂટ રોડ પર રહે છે. તેઓ રાજકોટ મહાનગર-પાલિકાના ઓડિટ વિભાગમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. બીજા બે મૃતકોનો ઓળખ પણ થઈ ગઈ છે.
અકસ્માત થતાં જ લોકોના ટોળા ભેગા થયા હતાં. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ શરૂ કરી હતી. અને બસના કાચ તોડી નાંખ્યા હતાં. બસ ચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા હતાં. જેના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટયો હતો. અને ચક્કાજામ કરી દીધો હતો. બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે અકસ્માતમાં મૃત્યુ પામેલાને ૧૫ લાખ અને ઈજાગ્રસ્ત લોકોને બે લાખની સહાયની જાહેરાત કરી છે.
આ ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. બસ ચાલક સામે ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. બસ ચાલકના બ્લડ સેમ્પલ લેવાયા છે. બસની બ્રેક ફેઈલ થઈ કે કેમ તેની તપાસ હાથ ધરાશે. ડ્રાઈવર પાસે બસનું લાઈસન્સ છે. મૃતકોમાં બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રાઈવર બ્રેક નથી મારી શકયો અથવા તો તેનાથી બ્રેક નથી લાગી.
સ્થાનિક લોકોએ કહૃાું હતું કે, બસની સ્પીડ વધુ હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ ફોડી નાંખ્યા હતાં અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે બસ ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોએ બસ ચાલક નશામાં ડ્રાઈવિંગ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ ડીસીપી જગદીશ બાંગરાવા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તે ઉપરાંત ધરાસભ્ય દર્શિતા શાહ પણ દોડી ગયા હતાં. ધારાસભ્યએ કહૃાું હતું કે, ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે. બેદરકારી દાખવનાર કોઈપણ ને છોડવામાં નહીં આવે.
તે ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટના અંગે નિવેદન આપતાં કહૃાું હતું કે, આ ઘટના ખૂબજ દુઃખદ છે. કોર્પોરેશને સિટી બસ ચાલકોની તપાસ કરવાની જરૂર છે.આવા ડ્રાઈવરો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ડ્રાઈવરોની આવી બેદરકારી ચલાવી ના લેવાય. હું આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરૂ છું.
રાજકોટના સાંસદ રામ મોકરિયાએ કહૃાું હતું કે, બસની સ્પીડ લિમીટ બંધ કરી દેવી જોઈએ. ટ્રાફિકમાં બસ સ્પીડમાં જવી ન જોઈએ. આ ઘટનામાં કોણ જવાબદાર છે તેની તપાસ થવી જોઈએ. મારે રાજકોટના મનપા કમિશનર સાથે વાત થઈ છે. સિટી બસની સ્પીડ લિમિટ બાંધવા માટે કહૃાું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સિટી બસનું સંચાલન થઈ રહૃાું છે. રાજપથ લિમિટેડ દ્વારા આ બસોનું સંચાલન થાય છે. બસના ડ્રાઈવરો અને કંડકટરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial