Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વરમાં દર્શન કરી ધન્યતા વ્યક્ત કરીઃ વિકાસની કરી ચર્ચા
રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતાં. ત્યારે મુખ્ય સચિવએ દ્વારકાધીશ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તેમજ દ્વારકાધીશ મંદિરના વિકાસ અંગે સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેઓએ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચ પર પ્રવાસીઓ માટેની નિર્માણાધીન સુવિધાઓનું નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓ પાસેથી ભવિષ્યમાં આકાર લેનાર મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પણ તલસ્પર્શી માહિતી મેળવી હતી. વધુમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ બ્લુ ફ્લેગ સર્ટીફિકેશન માટે કરવામાં આવતી જાળવણી અને વ્યવસ્થાપન તેમજ સ્થાનિક વિશેષતાઓ અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અંગેની વિગતોથી મુખ્ય સચિવશ્રીને માહિતગાર કર્યા હતાં. ઉપરાંત મુખ્ય સચિવએ બેટદ્વારકા મંદિર તથા નાગેશ્વર જ્યોતર્લિંગના દર્શન કર્યા હતાં. વધુમાં બેટદ્વારકામાં પ્રવાસન વિકાસ અને જન સુખાકારી માટે સૂચિત વિવિધ પ્રોજેક્ટ્સની વિગતવાર માહિતી મેળવી હતી. આ તકે કલેક્ટર રાજે તન્ના, નાયબ કલેક્ટર મનોજ દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial