Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબાસાહેબની પ્રતિમાનું પૂજન કરી ફૂલહાર કરાયાઃ
ખંભાળિયા તા. ૧૬ા: ભારતરત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે દલિત સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી.
ખંભાળિયામાં નવાનાકા પાસેથી પ્રસ્થાન થઈ ચાર રસ્તા પાસે ડો. આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી જ્યાં આંબેડકરની પ્રતિમાનું પૂજન કરી ફૂલહાર કરવામાં આવ્યા હતાં. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો નાચ-ગાન સાથે જોડાયા હતાં. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સમૂહ પ્રસાદીનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમોમાં મનોજભાઈ ચાવડા, રાકેશભાઈ રાઠોડ, કિરણ પરમાર, કિશોરભાઈ વાઘેલા, હરેશભાઈ મકવાણા, હરેશભાઈ પરમાર, લખુભાઈ ચાવડા, અશ્વિનભાઈ સોલંકી, ગોવિંદભાઈ સોલંકી વગેરે આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial