Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરામાં સાત વર્ષ પહેલાં થયેલી તકરારના કેસમાં છ આરોપી થયા મુક્ત

સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધાયો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૬ : જામનગર નજીક કનસુમરા ગામમાં સાત વર્ષ પહેલાં નોંધાયેલા સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં છ આરોપીને અદાલતે મુક્ત કર્યા છે.

જામનગર નજીકના કનસુમરા ગામમાં વર્ષ ૨૦૧૮ માં અનવર સુલતાન ખફીના પરિવારે એક પરિવારમાં સગાઈ કર્યા પછી બંને પક્ષ વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં અનવર ખફીના પરિવાર પર તલવાર, લાકડી, ધોકા, પાઈપથી હુમલો કરાયો હતો.

ઉપરોક્ત ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે સાપરાધ મનુષ્ય વધનો છ શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપી ઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશ્વિન મકવાણા, નેહા દેસાઈ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh