Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાલિકામાં ર૭ વર્ષથી કામ કરતા રોજમદારોના કેસમાં સુપ્રિમ કોર્ટની નોટીસ

હાલારમાં જ આ પ્રકારના રોજમદારો કાયમી થયા હોવાના દૃષ્ટાંતો મોજુદઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: ર૭ વર્ષથી રોજમદારો કામ કરતા ખંભાળિયા પાલિકાના રોજમદારોને કાયમી કરવાનો જંગ સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે, અને તંત્ર દોડતું થયું છે.

સુપ્રિમ કોર્ટના તથા જુદી જુદી લેબર કોર્ટના ચૂકાદા છે કે ૧૧ માસથી સતત કામ વધુ થાય તો કાયમી કર્મચારી કરવા પડે કે કાયમીના લાભ આપવા પડે, ત્યારે છેક ૧૯૯૮ થી એટલે કે ર૭-ર૭ વર્ષથી ખંભાળિયા પાલિકાના જુદા જુદા વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના હક્કની લડત માટે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડવાવા પડ્યા છે.

ખંભાળિયા પાલિકામાં ૧૯૯૮ ની સાલથી રોજમદાર કર્મચારી જરૂરત મુજબ સ્થાનિક પાલિકા તંત્ર હુકમો કરીને લેતું હતું. સ્ટ્રીટ લાઈટ વિભાગ, અક્ટ્રોય, ફાયર વિભાગ, સેનીટેશન પાણી પુરવઠા વિભાગ વિગેરે વિભાગોમાં ર૭ કર્મચારીઓની ભરતી થઈ હતી, જે કર્મચારીઓ પૈકી કેટલાક તો ૧૯૯પ થી ફરજ બજાવતા હતાં. શરૂઆતમાં રપ૦૦ ફીક્સ પગાર તે પછી પાંચ હજાર તે પછી ૧૦ હજારમાં ફરજ બજાવતા હતાં જે લેબર કોર્ટે જામનગરમાં આ કર્મચારીઓ જતાં ત્યાં તત્કાલિન ચીફ ઓફિસર શ્રી મોદી દ્વારા કોર્ટના હુકમથી ૧૯૯પ ર૦૧૩ સુધીનો હક્ક આ રોજમદારોએ જતો કરવાનો તે શરતે સમાધાન થયું હતું તથા આ રોજમદારો માટે લાપશીના આંધણ સમાન ખુશીના સમાચાર હતાં ત્યારે કોર્ટના હુકમના બીજા દિવસે જ પાલિકાના જાવક નંબર સાથે કર્મચારીઓને શરત મુજબના વર્ષ છોડ્યા પછી કાયમી કરવાના હુકમ તૈયાર થઈ ગયા અને જાવક નંબર પણ પડી ગયેલા તે પછી રાજકીય વાંધાને કારણે કાયમી હુકમ ના થતા ર૦૧૩ ની સાલમાં આ કર્મચારીઓ હાઈકોર્ટમાં અમદાવાદ ગયેલા જ્યાં ર૦ર૪ માં હાઈકોર્ટે લેબર કોર્ટનો હુકમ માન્ય ગણીને કાયમી કરવાનો હુકમ કરીને એરિયર્સ તથા બાકીની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. જેની સામે ખંભાળિયા પાલિકા દ્વારા હાઈકોર્ટમાં ડબલ જજની બેચમાં અપીલ કરવામાં આવતા હાઈકોર્ટે સીંગલ જજના ચૂકાદાને હાઈકોર્ટે ડબલ જજ બેચે નામંજુર કરતા છેક લેબર કોર્ટ જામનગરથી લડતા તથા વર્ષોથી ફીક્સ પગારમાં કામ કરતા આ રોજમદારોએ પૈસા ભેગા કરી હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રિમમાં અપીલ કરતા તેની પ્રથમ સુનાવણીમાં જ તંત્ર સામે નોટીસ સુપ્રિમે કાઢતા તંત્ર દોડતું થયું છે.

જે સમાધાન થયું તથા ૧૯૯પ થી ર૦૧૩ સુધી ૧૮ વર્ષનો હક્ક આ કર્મચારીઓએ જતો કર્યો તે સમાધાનમાં પાલિકાના સક્ષમ અધિકારી, પ્રાદેશિક નિયામક હોવા છતાં સમાધાન મુજબ હુકમ ના થતાં સુપ્રિમે આ તંત્રોને નોટીસ કાઢતા હડકંપ મચી ગયાની સ્થિતિ થઈ છે, તો વર્ષોથી લડત કરતા કર્મચારીઓને આશા જાગી છે.

કેટલાયે મૃત્યુ પામ્યા તો કેટલાયે નિવૃત્ત થયા છે

૧૯૯પ-૯૮ માં ભરતી થયેલા ખંભાળિયા પાલિકાના રોજમદારો લડત કરી ત્યારે ર૭ હતાં. જેમાં ચારેક કર્મચારી મૃત્યુ પામ્યા, ચારેક ૬૦ વર્ષ થતા રીટાયર્ડ થયા અને બાકી બચેલા ૧૬ પૈકી ૧૪ સુપ્રિમમાં ગયા છે. બે ની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોય, આ લડતમાં જોડાયા નથી. દ્વારકા જિલ્લામાં રોજમદારો સુપ્રિમ સુધી પહોંચ્યાનો આ પ્રથમ કેસ છે.

અન્ય પાલિકામાં કાયમી થઈ ગયાના દૃષ્ટાંતો

નવાઈની વાત છે કે હાલારની જામજોધપુર, દ્વારકા સહિત અને નગરપાલિકાઓમાં આવા જ રોજમદારોના કેસમાં હાઈકોર્ટના ચૂકાદાથી કાયમી થઈ ગયાના દાખલા હાલારમાં જ છે ત્યારે ખંભાળિયામાં રોજમદારોને સુપ્રિમ સુધી જવું પડ્યું અને ડબલ જજની બેચની તારીખમાં રાજ્યના સૌથી વડા સરકારી વકીલ દલીલમાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh