Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યામાં રામમંદિરને ઉડાવી દેવાની ધમકી પછી ચાર કિ.મી. લાંબી હાઈટેક સુરક્ષા દીવાલનું નિર્માણ શરૂ

તામિલનાડુ આઈએસઆઈ સેલનો ઈન્ચાર્જ હોવાનો દાવો કરતા વ્યકિત અંગે તપાસ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૬: અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી પછી ત્યાં ચાર કિ.મી. લાંબી હાઈટેક સુરક્ષા દીવાલના નિર્માણનું કામ શરૂ થયું છે. બીજી તરફ ધમકી આપનાર વ્યકિતએ પોતાને તમિલનાડુ આઈએસઆઈ સેલનો ઈન્ચાર્જ હોવાનો દાવો કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે, અને પોલીસ, એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) તેમજ કેન્દ્રિીય એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને હોટમેલ દ્વારા એક ધમકીભર્યા ઈમેલમાં રામ મંદિર પર હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું, રામ મંદિરની સુરક્ષા સઘન કરો, અને ધમકી આપનાર વ્યક્તિએ પોતાને તમિલનાડ આઈએસઆઈ સેલનો ઇન્ચાર્જ હોવાનો દાવો કર્યો હતો. ઈમેલમાં એવું પણ જણાવાયું હતું કે તમિલનાડુમાં ચાલી રહેલા કેટલાક કૌભાંડો પરથી ધ્યાન હટાવવા માટે આ હુમલો કરવામાં આવશે.

આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે, અને પોલીસ, એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) તેમજ કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. ધમકીભર્યા ઈમેલની જાણ થતાં જ અયોધ્યા પોલીસે સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી અને તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઈમેલ તમિલનાડુથી મોકલવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ નિષ્ણાતો ઈમેલનાસ્ત્રોત અને ધમકીની સત્યતા ચકાસવા માટે કામ કરી રહૃાા છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે, જેમાં સીસીટીવી, ડ્રોન કેમેરા અને વધારાના સુરક્ષા જવાનોની તૈનાતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રામ મંદિરની આસપાસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નળપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની સુરક્ષા માટે ૪ કિલોમીટર લાંબી હાઈટેક સુરક્ષા દીવાલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે, જે ૧૮ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ દીવાલ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે અને તેમાં અદ્યતન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલીવાર નથી કે રામ મંદિરને ધમકી મળી હોય. સપ્ટેમ્બર ૨૦૨૪માં પણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, નવેમ્બર ૨૦૨૪માં પ્રો-ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુએ 'સિખ્સ ફોર જસ્ટિસ' નામના -તિબંધિત સંગઠન દ્વારા રામ મંદિર પર હુમલાની ધમકી આપી હતી, જેના કારણે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચોકબંધ કરવામાં આવી હતી. આવી ધમકીઓને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સહિત અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh