Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
જામનગર તા. ૩: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જીએસટીની એમનેસ્ટી સ્કીમ અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.
ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સૌનુ સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે સંયુકત રાજય કર કમિશનર ધર્મજીત યાજ્ઞિકે સરકારની સ્કીમો અંગે જાણકારી આપી તેના અમલીકરણ માટે જાગૃત રહેવા અને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ સેમીનારમાં માર્ગદર્શક વકતા જીતેશભાઈ પુનવાણીએ પક્ષોના જવાબ આપ્યા હતા, આ સેમીનારમાં ચેમ્બર કારોબારી સમિતીના સભ્યો, વ્યાવસાયિક એસો.ના પ્રતિનિધિઓ, વેપારીઓ, ઉદ્યોગકારો તથા કરવેરા સલાહકારો ઉપસ્થિત રહ્યા હતાં. સેમીનારનું સંચાલન મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા આભારદર્શન ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરીએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial