Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાનું ૭૬૬ કરોડનું લેણું વસૂલવાનું બાકી

આખું વર્ષ ઝુંબેશ ચાલે તો કરોડોની આવક વધે

જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકાએ નગરના આસામીઓ પાસે ૬૭,૬૮૭ લાખનું લેણું વસૂલવાનું બાકી છે. તેમાંથી ફક્ત નવા-જુના પાણી ચાર્જ અને મિલકતવેરા ચાર્જમાં જ રૂ. ૬,રપ૯ લાખની રકમ વસૂલવાની બાકી રહે છે. એટલે કે આખા વર્ષના બજેટની અડધી રકમ તો વણવસૂલાયેલ છે.

જામનગરના કમિશનર દ્વારા તાજેતરમાં વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર્શાવાયા મુજબ મહાનગરપાલિકાએ નગરજનો પાસે ૭૬,૬૮૭ લાખનું લેણું વસૂલવાનું બાકી છે. તેમાંથી ૧ર,૯૯૪ લાખ પાણી ચાર્જ અને પ૪,ર૬પ લાખ મિલક વેરા જ વસૂલવાના બાકી રહે છે. આમ રૂપિયા ૧૪૯૩ કરોડના કુલ ખર્ચના બજેટમાં ૭૬૬ કરોડનું તો લેણું જ બાકી છે. જો મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા મિલકત-પાણી ચાર્જની કડક વસૂલાત માટે આખું વર્ષ ઝુંબેશ ચલાવવામાં આવે તો કરોડો રૂપિયાની આવક મળી શકે તેમ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh