Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિયાત્રા ગામના પાંચ શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૧ઃ જામનગર તાલુકાના મિયાત્રા ગામમાંથી પથ્થર ભરેલું વાહન પસાર થતાં ગામના પાંચ શખ્સે તેને રોકાવી ડ્રાઈવરને ગાળો ભાંડી ધોકાવી નાખ્યો હતો અને ગામમાંથી ફરીથી નીકળવા અંગે ધમકી આપી હતી.
જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં આવેલા ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢીના લીઝના સ્થળે રાજકોટના સંજયનગરવાળા હરેશભાઈ નેણંદભાઈ રાઠોડ નામના ટ્રાન્સપોર્ટરનું વાહન પથ્થર ભરવા માટે આવ્યું હતું. જ્યાંથી પથ્થર ભર્યા પછી વિજરખી પાસે ભરડીયામાં ખાલી કરવા માટે તે વાહન નીકળ્યું હતું.
મિયાત્રામાંથી જઈ રહેલા તે વાહનને મિયાત્રા ગામના પ્રતાપસિંહ કંચવા, અશોકસિંહ કંચવા, દિનેશસિંહ કેર, અજીતસિંહ કંચવા, રામ કરમુર નામના પાંચ શખ્સે રોકાવી અમારા ગામમાંથી વાહન લઈને નીકળવું નહીં તેમ કહી કમલેશને ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી માર માર્યાે હતો અને ગામમાંથી ફરીથી નીકળ્યો તો ટાંટીયા ભાંગી નાખીશું તેવી ધમકી આપી હતી. હરેશભાઈએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial