Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોનની બાકી રકમ ભરપાઈ કરવા આપ્યો હતો ચેકઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરની એક બેંક દ્વારા લોનના બાકીદાર પાસેથી રૃા.૧૮ લાખની લેણી રકમ વસૂલવા ચેક મેળવાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા તે આસામી સામે કોર્ટમાં ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરની એક કો. ઓપરેટીવ બેંક પાસેથી ઉમેશ મહેતા નામના આસામીએ લોન મેળવ્યા પછી તેના હપ્તા નિયમિત રીતે ન ભરતા બેંક દ્વારા ઉમેશ મહેતા પાસે ઉઘરાણી કરી હતી. જેમાં બાકીદારે રૃા.૧૮ લાખની દેણી રકમ આપવા ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા પાંચેક વર્ષ પહેલા ઉમેશ મહેતા સામે બેંક દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સામેનો કેસ નાસાબિત માની તેનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અનિલ જી. મહેતા, વિવેક જાની, અર્જુનસિંહ સોઢા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial