Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક ફોરમમાં કરાઈ હતી રાવઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના એક આસામીએ મેડિક્લેઈમ મેળવ્યા પછી વીમા કંપનીએ તેનું વળતર નહીં ચૂકવતા ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવી હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના અનિલભાઈ કનૈયાલાલ રાજપાલે ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી રૃા.૫ લાખનું રીસ્ક કવર કરતી પોલિસી મેળવી હતી. તે દરમિયાન અનિલભાઈ ના પુત્રીને બીમારી થતાં તેઓએ મુંબઈમાં સારવાર અપાવી હતી. તેનો ખર્ચ રૃપિયા ૩,૨૫,૭૩૩ થતાં અનિલ ભાઈએ તેના બીલ, કાગળ રજૂ કર્યા હતા.
તેઓનો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમના અધ્યક્ષ તથા સભ્યોએ વળતરની ઉપરોક્ત રકમ સાત ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને રૃા.૧૩ હજાર ત્રાસ તથા ખર્ચ પેટે અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial