Advertisement
Author: નોબત સમાચાર

વાંઝિયામેણું લાગી આવતા પરિણીતાએ જલદ પ્રવાહી પીધુ

જામનગર તા. ૨૧ઃ કલ્યાણપુરના ધતુરીયા ગામના એક પરિણીતાએ સાસુ-સસરા ના મેણા અને ચારિત્ર્ય પર કરાતી શંકાથી જલદ પ્રવાહી પી લીધુ છે. પોલીસે સાસુ-સસરા સામે ગુન્હો નોંધ્યો છે.

કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામના દેવાતભાઈ રણમલભાઈ નંંદાણીયા સાથે છ વર્ષ પહેલા અનિતાબેન (ઉ.વ.૨૮)ના લગ્ન થયા પછી આ પરિણીતાને સંતાનની પ્રાપ્તિ થઈ ન હતી.

તેણીને સાસુ અંજુબેન રણમલભાઈ તથા સસરા રણમલભાઈ મારખીભાઈ નંદાણીયા મેણાટોણા મારી ચારિત્ર્ય પર શંકા કરતા હતા. તે ત્રાસ સહન ન થતાં આ મહિલાએ જલદ પ્રવાહી ગટગટાવ્યું છે. પોલીસે તેણીના નિવેદન પરથી સાસુ-સસરા સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh