Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના ત્રણ પુત્ર-પિતાએ કરી છેતરપિંડીઃ
જામનગર તા. ર૧ઃ જામનગરના ઠેબા બાયપાસ પાસે એક વૃદ્ધને ₹ ૨૭ લાખમાં મકાન બનાવી આપવાની વાત કરી નગરના ત્રણ પુત્ર-પિતાએ પૈસા મેળવી લીધા પછી ઠેંગો બતાવી દેતાં આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી વૃદ્ધ વીજ કંપનીમાં ફરજ બજાવ્યા પછી નિવૃત્ત થયા છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ઠેબા બાયપાસ નજીક સરદાર પાર્કમાં રહેતા હરિભાઈ રામાભાઈ ચાવડા નામના ૬૪ વર્ષના વૃદ્ધને પોણા ચાર વર્ષ પહેલા જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.રમાં રહેતા ડાયાભાઈ રામજીભાઈ રાઠોડ તથા તેમના પુત્ર શૈલેષ અને ભાવેશે સરદાર પાર્ક-૪માં ₹ ૨૭ લાખમાં મકાન બનાવી આપવાની વાત કરી હતી.
તે પછી રે.સ.નં.૫૯૮માં આવેલી આ જગ્યામાં ૯૨૮ ચો.મી. ઉપરાંતનું મકાન બનાવી આપવા ત્રણેય પિતા-પુત્રએ જાન્યુઆરી ૨૦૧૯માં હરિભાઈ પાસેથી ₹ ૨૭ લાખ મેળવ્યા હતા. તે જગ્યાના માલિક પોતે ન હોવાનું જાણતા હોવા છતાં ડાયાભાઈ તથા તેમના પુત્ર શૈલેષ અને ભાવેશે ગલ્લાતલ્લા કર્યા હતા. તે પછી આ મકાનનો દસ્તાવેજ નહીં બનાવી આપી કે પૈસા પણ પરત નહી આપી શકાતા આખરે હરિભાઈએ ત્રણેય પિતા પુત્ર સામે વિશ્વાસઘાત, છેતરપિંડી કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી-એ ડિવિઝન પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial