Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણીઃ ૯ નવેમ્બરે મતદાન થશે

ત્રણ વિભાગની કુલ ૧૬ બેઠક માટે ચૂંટણી થશેઃ

જામનગર તા. ર૧ઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ૧૬ બેઠક માટેની ચૂંટણી અન્વયે આગામી તા. ૯-૧૧-ર૦ર૩ ના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા. ૧૦ ના મત ગણતરી થશે.

ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ-ધ્રોળની હાલની કમિટીની મુદ્ત પૂરી થવા જઈ રહી છે. આથી નવી ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક, વેપારી વિભાગની ૪ બેઠક માટે સહકારી-ખરીદ વેંચાણ મંડળીઓના મત વિભાગની બે બેઠક મળી કુલ ૧૬ બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં તા. ર૯-૧૦-ર૦ર૩ ના સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો આપવામાં આવશે. તા. ૩૦-૧૦-ર૦ર૩ ના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા. ર-૧૧-ર૦ર૩ ના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. ૯-૧૧-ર૦ર૩ ના સવારે ૯ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બીજા દિવસે તા. ૧૦ ના મતગણતરી હાથ ધરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh