Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટમાં ગેસ ચડ્યા પછી યુવક પર કાળનો પંજોઃ
જામનગર તા. ૨૧ઃ જામજોધપુરમાં રહેતા અને લકવાની બીમારીથી પીડાતા વૃદ્ધાનું પાણીના ટાંકામાં પડી જવાથી મૃત્યુ થયું છે. જ્યારે ખાનગી કંપનીમાં પેટમાં ગેસ ચઢવા માંડતા બેભાન બની ગયેલા નગરના યુવક પર કાળનો પંજો પડ્યો છે.
જામજોધપુર શહેરમાં આવેલી પંચવટી સોસાયટી નજીકના ઉમા પાર્કમાં રહેતા વર્ષાબેન ધીરજભાઈ સવસાણી નામના ૬૫ વર્ષના વૃદ્ધાને ઘણા સમયથી લકવાની બીમારી વળગી હતી.
તે દરમિયાન રવિવારે સવારે આ વૃદ્ધા પોતાના ઘરે પાણીના ભૂગર્ભ ટાંકામાંથી ડોલ ભરી રહ્યા હતા ત્યારે કોઈ રીતે શરીરનું સંતુલન ગૂમાવી ટાંકામાં પડી જતા તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાનંુ પુત્ર દીપેશભાઈ સવસાણીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા બળદેવનગરમાં રહેતા ગાંગાભાઈ હરદાસભાઈ રૃડાચ (ઉ.વ.૪૫) નામના ગઢવી યુવાન ગઈકાલે સવારે ખંભાળિયા નજીકની નયારા એનર્જી કંપનીમાં હતા ત્યારે તેઓને પેટમાં ગેસ ચઢવા લાગતા તેઓ બેભાન બની ગયા હતા. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ગાંગાભાઈનું મૃત્યુ થયું છે. તેમના નાનાભાઈ દેવાભાઈ રૃડાચે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial