Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેયર માટે ઉચ્ચારાયેલા ધારાસભ્યના "ઔકાત" શબ્દ સામે જૈન સમાજનો વિરોધ

શહેર ભાજપના પ્રમુખ સમક્ષ નારાજગી ઠાલવી

જામનગર તા. ર૧ઃ જામનગરમાં શહીદ સ્મારક સ્થળે આયોજીત કાર્યક્રમમાં ભાજપના ત્રણ મહિલા નેતાઓ વચ્ચે થયેલા ઝગડામાં ઉચ્ચારાયેલા "ઔકાત" શબ્દ મામલે ગત્ શનિવારના જૈન સમાજે શહેર ભાજપ પ્રમુખ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી.

તળાવની પાળે આયોજીત એક કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ચકમક ઝરી હતી. જેમાં મેયર બીનાબેન કોઠારીએ પણ સાથ પુરાવતા ધારાસભ્યએ મેયરને "ઔકાત" માં રહેવા જણાવી દેતા વિવાદ ઊભો થયો હતો.

આ મુદ્દે શુક્રવારના કોઠારી પરિવાર પછી શનિવારના જૈન સમાજના અગ્રણીઓ શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતાં અને પ્રમુખ સમક્ષ રજૂઆત કરી 'ઔકાત' શબ્દ પ્રયોગ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ તકે યોગ્ય કરવાની પ્રમુખે ખાત્રી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh