Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર હેડપોસ્ટ ઓફિસ
જામનગર તા. ર૧ ઃ જામનગર હેડ પોસ્ટ ઓફિસમાં રજાના દિવસો સિવાય સવારના ૭ કલાકથી રાત્રેના ૮ કલાક સુધી તમામ પ્રકારની ટપાલો જેવી કે પાર્સલ, સ્પીડ પોસ્ટ, રજીસ્ટર્ડ, વગેરેની બુકિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જામનગરહેડ પોસ્ટ ઓફિસની એકસટેન્ડેડ કાઉન્ટર બુકીંગ સુવિધાથી દેશ-વિદેશમાં ટપાલો તથા પાર્સલ હવેથી સરળતાથી મોકલી શકાશે. જામનગરના પ્રજાજનોની જરૃરિયાતોને ધ્યાનમાં રાખતા અધિક્ષક ડાકઘર, જામનગર મંડળ દ્વારા હવે ટપાલ તથા પાર્સલ બુકિંગની સુવિધા દિવસ દરમ્યાન ૧ર કલાક સુધી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોને પાર્સલ બુકિંગ સેવાનો લાભ મેળવવા માટે જામનગર હેડ પોસ્ટ ઓફિસ, ચાંદી બજાર પાસે, જૈન દેરાસર સામે સવારના ૮ કલાકથી રાત્રે ૮ કલાક દરમિયાન સંપર્ક કરી શકાશે. આ અંગે વધુ, માહિતી અત્રેની કચેરીના સંપર્ક નં. ૦ર૮૮-ર૬૭૧૩૮૪ પરથી મેળવી શકાશે. તેમ અધિક્ષક ડાકઘર, જામનગર મંડળએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial