Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જો હેરાનગતિ થતી હોય તો છૂટાછેડા થયા પહેલા ફરિયાદ કરોઃ અદાલત
અમદાવાદ તા. ર૧ઃ પતિ-પત્નીના ઘરેલું ઝઘડા બાદ થતા ડીવોર્સને લઈને ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો સામે આવ્યો છે. છૂટાછેડા લીધા બાદ પત્ની-પતિ કે તેના પરિવાર સામે કેસ દાખલ કરી શકશે નહીં. હાઈકોર્ટનું કહેવું છે કે, ૪૯૮ (એ) કલમ મુજબ પત્ની ડિવોર્સ પછી ફરિયાદ કરી શકે નહીં. લગ્ન જીવન બાદ થતા ડિવોર્સ કેસને લઈને ગુજરાત હાઈકોર્ટનું મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે. લગ્ન સમયે કે તે પછી પતિ કે તેમના પરિવાર સામે ક્રુરતાનો ગુનો નોંધાઈ શકે છે, પરંતુ છૂટાછેડા લઈ લીધા પછી ક્રુરતા કે ઘરેલું હિંસાના કેસ દાખલ કરવા યોગ્ય નથી, તેમ હાઈકોર્ટનું કહેવું છે, અદાલતે જણાવ્યું છે કે, હેરાન થાવ તો પહેલા ફરિયાદ કરો, બાદમાં નહીં, ગુજરાત હાઈકોર્ટમાં પત્નીએ પતિ સામે ફરિયાદની અરજી કરી હતી અને તેનો ગુજરાત હાઈકોર્ટે આ અવલોકન સોથ નિકાલ કર્યો હતો. આ ચૂકાદાની અસર ઘણાં કેસો પર પડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial