Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના શખ્સનું દુષ્કૃત્યઃ
જામનગર તા. ૨૧ઃ ખંભાળિયા પંથકના એક ગામની સગીરાને રાજકોટના શખ્સે નસાડ્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. ખંભાળિયા તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની સોળ વર્ષ અને આઠ મહિનાની વયવાળી સગીરા પોતાના ઘરેથી ગયા બુધવારે લાપત્તા બન્યા પછી તેણીના પરિવારે શોધ શરૃ કરી હતી.
તે દરમિયાન આ સગીરાને લગ્નની લાલચ આપી નસાડી જવાઈ હોવાની આશંકા પડતા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી શરૃ કરેલી તપાસમાં આ સગીરા મળી આવી છે. તેણી પર રાજકોટના જયદીપ ભેડા નામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલ્યું છે. પોલીસે કલમોનો ઉમેરો કરી તપાસ યથાવત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial