Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા તા. ર૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા તથા મહામંત્રી અશોકભાઈ કરમુરની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે અને અઢીસો જેટલા શિક્ષકો-કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગણી કરી હતી.
અગાઉ શિક્ષક સંગઠનો દ્વારા થયેલા આંદોલનો સમયે રાજ્ય સરકાર અને મંડળ વચ્ચે સમાધાન થયું હતું, પણ સમાધાન મુજબ પ્રશ્નોનું નિરાકરણ આજદિવસ સુધી થયું નથી.
વર્ષ ર૦૦પ પહેલા ભરતી થયેલા કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા તેમજ ર૦૦પ પછી ભરતી થયેલા કર્મચારીઓના સીપીએફમાં ૧૦ ટકા કપાત સાથે સરકાર ૧૪ ટકા હિસ્સો આપે તે મુખ્ય માંગણીઓ છે.
સમાધાન થયું હોવા છતાં આજદિન સુધી સરકારે અમલવારી કરી નથી, માટે ફરી શિક્ષકો અને અન્ય કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે. જેના ભાગ રૃપે મુખ્યમંત્રીને પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial