Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીલથી વધુ મિલકત મેળવવાનો મામલોઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના એક આસામીએ પોતાના ભાઈ પાસેથી વીલમાં અપાયેલી મિલકત કરતા વધુ મિલકત મેળવવા કરેલા દાવા અંતર્ગત વચગાળાનો મનાઈ હુકમ માગતા અદાલતે તેઓની માંગણી ઠુકરાવી છે.
જામનગરના પાંચ બંગલા વિસ્તારમાં રહેતા મથુરાદાસ દેવજીભાઈ દત્તાણીની કરોડો રૃપિયાની મિલકત અંગે તેઓએ વીલ બનાવ્યું હતું. તેમના વીલ મુજબ પ્રવીણભાઈ દત્તાણીને હિસ્સો મળ્યો હતો પરંતુ તેઓએ વધુ હિસ્સો મેળવવા પોતાના ભાઈ કિરીટભાઈ દત્તાણી સામે રેવન્યુ ઓથોરિટી સમક્ષ તકરાર રજૂ કરી હતી.
તેમાં નિષ્ફળતા મળતા તેઓએ દીવાની અદાલતમાં દાવો કરી વીલથી વધુ મિલકત અપાવવા માંગણી કરી હતી. દાવા દરમિયાન કિરીટભાઈ દત્તાણી મિલકત કોઈને ટ્રાન્સફર ન કરે તે માટે વચગાળાનો મનાઈહુકમ પણ મગાયો હતો. તે માંગણી રદ્દ થઈ હતી. તેથી પ્રવીણભાઈએ અપીલ નોંધાવી હતી. તે અપીલ પણ અદાલતે નામંજૂર રાખી છે. કિરીટભાઈ દત્તાણી તરફથી વકીલ સનત એલ. વોરા, પ્રેરક એસ. વોરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial