Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાંથી એસઓજીએ પકડી પાડ્યોઃ
જામનગર તા.૨૧ઃ જામનગરના એક શખ્સને હત્યા કેસમાં સજા પડ્યા પછી તેણે પેરોલ પર મુક્તિ મેળવી હતી. તે પછી પોબારા ભણી ગયેલા આ શખ્સને દ્વારકા એસઓજીએ જામખંભાળિયામાંથી પકડી પાડ્યો છે. જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર સેટેલાઈટ સોસાયટીમાં રહેતા શબ્બીરમિંયા અજીઝમિંયા બુખારી ઉર્ફે સબલા નામના શખ્સને વર્ષ ૧૯૯૯માં ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના એક ગુન્હામાં સજા ફટકારવામાં આવી હતી. ત્યારપછી વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા કાપતા શબ્બીરમિંયાએ પેરોલ પર મુક્તિ મેળવી હતી. તે પછી આ શખ્સ જેલમાં ફરીથી હાજર થવાને બદલે નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી ખંભાળિયામાં આવ્યો હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એસઓજીને મળતા તે શખ્સને અટકાયતમાં લઈ વડોદરા જેલમાં મોકલી આપવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial