Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ પકડી પાડ્યાઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના એક શખ્સને ભરણપોષણની અરજીમાં ૨૦૩ દિવસની જેલની સજા ફટકારાતા આ શખ્સ નાસી ગયો હતો. તેને એસઓજીએ પકડી પાડ્યો છે.
જામનગરના ૫ટ્ટણીવાડ વિસ્તારમાં પીલુડી શેરીમાં રહેતા શબ્બીર રહેમાન કુરેશીને જૂનાગઢની અદાલતે વર્ષ ૨૦૨૨માં ભરણપોષણની અરજી અન્વયે ૨૦૩ દિવસની કેદની સજા ફટકારી હતી. સજાના હુકમ પછી આ શખ્સ નાસી ગયો હતો. આ આરોપી જી.જી. હોસ્પિટલ પાસે આવ્યો હોવાની બાતમી એસઓજીના રમેશભાઈ, સંદીપ ચુડાસમા, દિનેશભાઈને મળતા તેને ત્યાંથી પકડી પાડવામાં આવ્યો છે અને સિટી-એ ડિવિઝન પોલીસને તેનો કબજો સોંપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial