Advertisement
Author: નોબત સમાચાર

પરફોર્મન્સ લાયસન્સ નહીં મળતા મેળામાં મશીન રાઈડ આજે ચાલુ થશે નહીં

જામનગર મહાનગરપાલિકા આયોજીત શ્રાવણી મેળોઃ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત શ્રાવણી મેળાનો આજથી પ્રારંભ થવાનો હતો, પરંતુ રાઈડ્ઝનું કામ બાકી હોય તેમજ પરફોર્મન્સ લાયસન્સ પણ હજુ મળ્યું નહીં હોવાથી મશીન રાઈડ્ઝ આજથી ચાલુ થઈ શકશે નહીં. આમ નગરજનો પહેલા દિવસે જ સંપૂર્ણ મેળાની મોજ માણી શકશે નહીં. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આજથી તા. ર૧ થી પ્રદર્શન મેદાન અને રંગમતિના પટમાં મેળાનો પ્રારંભ થનાર હતો. ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા મેળાના ઉદ્ઘાટનની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી કે સોમવાર, તા. ર૧ ના સાં પાંચ વાગ્યે મેયરના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થશે, પરંતુ મોડી સાંજે ફરી વખત મહાનગરપાલિકાએ અખબારી યાદી મારફત જાણ કરી હતી કે મેળા ઉદ્ઘાટનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. મેળામાં અમુક કામ બાકી રહી જવા પામ્યું છે તથા પરફોર્મન્સ લાયસન્સ પણ હજુ મળ્યું નથી, જ્યાં સુધી લાયસન્સ નહીં મળે ત્યાં સુધી જરૃરી રાઈડ ચાલુ થશે નહીં તેમ જણાવ્યું છે. બીજી તરફ મેળાની જોરદાર આખરી તૈયારી વચ્ચે આજે વરસાદ થયો હતો. આથી મેદાનમાં ખાસ કરીને રંગમતિ નદી પરના મેળામાં ગારા-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આથી રાઈડ, સ્ટોલ ધારકોમાં દોડધામ વધી જવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh