Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં પ.૧પ લાખ મતદારોને ઘેર જઈને મતદાર યાદી સુધારવાનો કાર્યક્રમ સંપન્ન

ચૂંટણીપંચના બીએલઓ દ્વારા બાકીના મતદારોને હવે આવરી લેવાશેઃ

જામનગર તા. ૨૧ઃ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા પ.૧પ લાખથી વધુ મતદારોની મુલાકાત લઈ મતદારયાદી સુધારણા અંગેની કામગીરી સંપન્ન કરાઈ છે, જ્યારે બાકીના મતદારોને હવે આવરી લેવાશે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૧-૧૦-ર૦ર૩ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા. ર૧-૭-ર૦ર૩ થી તા. ર૧-૮-ર૦ર૩ સુધી જામનગર જિલ્લામાં આવેલ તમામ વિધાનસભા મતવિસ્તારના તમામ ભાગોના બી.એલ.ઓ. દ્વારા પોતાને સોંપાયેલા વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ મુલાકાતની કામગીરી હાલ ચાલુ છે. જે અન્વયે જામનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ગઈકાલ સુધીમાં બી.એલ.ઓ. દ્વારા જિલ્લાના પ.૧પ લાખથી વધુ મતદારોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેમાં ૭૬-કાલાવડ વિ.સ.મ.વિ.માં હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ અંતર્ગત ૧,૧૯,૬૪૬ મતદારોને વેરીફાઈ કરવામાં આવેલ છે. ૭૭-જામનગર (ગ્રામ્ય) વિ.સ.મ.વિ.માં ૧,૦૩,૯૧૧ મતદારો, ૭૮-જામનગર (ઉત્તર) વિ.સ.મ.વિ.માં ૧,૦૧,૯૭૮ મતદારો, ૭૯-જામનગર (દક્ષિણ) વિ.સ.મ.વિ.માં ૧,૦૩,૦૦૪ મતદારો જ્યારે ૮૦-જામજોધપુર વિ.સ.મ.વિ.માં ૮૬,પ૮૧ મતદારો મળી કુલ પ,૧પ,૧ર૦ મતદારોને વેરીફાઈ કરવામાં આવેલ છે અને તેઓની મતદારયાદી સુધારણા અંગેની વિવિધ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

બાકી રહેતા મતદારો માટે આગામી સમયમાં તેઓની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગેની કામગીરી પૂર્ણ કરાશે, તેમ સરકારી યાદીમાં જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh