Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મેયરે રાજીનામાની વાતને ફગાવી કરી સ્પષ્ટતા

આવી વાત ક્યાંય થઈ જ નથીઃ બીનાબેન કોઠારી

જામનગર તા. ર૧ઃ જામનગરમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ધ પછી મેયર રાજીનામું આપશે તેવી અફવાએ જોર પકડ્યું હતું, જો કે મેયરે આ માત્ર અફવા હોવાનું જણાવ્યું છે.

જામનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બિનાબેન કોઠારી વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. આ મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન નારાજ થયેલા મેયર બિનાબેન કોઠારી રાજીનામું આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

મેયરે રાજીનામાની વાતને માત્ર અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે, રાજીનામું આપવાની વાત ક્યાંય થઈ જ નથી. આ માત્ર કોઈના ભેજાની ઉપજ હોઈ શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh