Advertisement
Author: નોબત સમાચાર

પતારીયા ગામમાંથી ઝડપાયું પથ્થરનું ગેરકાયદે ખનનઃ ૩૭ લાખનો મુદ્દામાલ

ખા.ખ. વિભાગે વસૂલ કર્યાે રૃા.૫ લાખ ૩૦ હજારનો દંડઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના પતારીયા ગામમાં શુક્રવારે એસઓજી તથા ખાણ ખનીજ ખાતાની ટીમે દરોડો પાડી પથ્થરનું ગેરકાયદે ખનન પકડી પાડ્યું છે. સ્થળ પરથી બે જેસીબી, ટ્રક મળી રૃા.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ત્રણ શખ્સ સામે કાર્યવાહી કરાઈ છે અને રૃા.૫ લાખ ૩૦ હજારનો દંડ વસૂલાયો છે.

જામનગર તાલુકાના પતારીયા ગામની સીમમાં કેટલાક શખ્સો જેસીબી વડે પથ્થરોનું ગેરકાયદે ખનન કરી તેનું વેચાણ કરતા હોવાની બાતમી જામનગર એસઓજીના દિનેશભાઈ, રમેશભાઈ, અનિરૃદ્ધસિંહ, વિરેન્દ્રસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળની એસઓજી ટીમ તથા ખાણ ખનીજ ખાતાની ટૂકડી પતારીયા ગામમાં ધસી ગઈ હતી.

આ સ્થળે તપાસ કરાતા જેસીબીથી પથ્થર ખોદી કાઢી તેને ટ્રકમાં ભરી વેચાણ માટે લઈ જતાં હિતેશ વિઠ્ઠલભાઈ વડાલીયા, નાસીર કરીમ દાવડા, સુરેશ ડાયાભાઈ ચૌહાણ નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. એસઓજી તથા ખાણખનીજની ટીમે સ્થળ પરથી બે જેસીબી મશીન, ટ્રક મળી કુલ રૃા.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. ખાણ ખનીજની ટીમે રૃા.૫ લાખ ૩૦ હજારનો દંડ વસુલ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh